text stringlengths 0 197k | lang stringclasses 1
value |
|---|---|
22 | જૂન | 2013 | નીરવ રવે
by pragnaju | જૂન 22, 2013 · 12:22 એ એમ (am)
'ગ્રીષ્મ વંદના' ઇ-બુકમા લેખ
અમારા દાદા અમને સૂવડાવતી વખતે હાલરડાને બદલે તેમને આવડતી સહેલી કવિતા કે ભજન ગાતા અને અમને આ તો હજુ યાદ
અને પૂછતા કોયલ કેમ બોલે ? કુ ઊ ઊ ઊ
નિશાળે જતા થયા ત્યારે અમારા આદર્શમા આ.રવિશંકર મહારાજ હતા.તેઓ ઉનાળામા પણ ઉઘાડપગે પ્રવાસ કરતા અને અમે પણ ઉઘાડપગે બહાર જતા અને તેને તપ ગણતા ! તેઓએ કહેલી આ વાત યાદ રહી ગયેલી- 'ગરમીની ઋતુ ભૂમિમાતાની તપશ્ચર્યા છે. જમીન ફાટે ત્યાં સુધી પૃથ્વી ગરમી વેઠવાની તપશ્ચર્યા કરે છે અને આકાશ પાસે જીવનદાનની પ્રાર્થના કરે છે. વૈદિક ઋષિઓએ આકાશને 'પિતા' અને પૃથ્વીને 'માતા' કહી છે. પૃથ્વીની તપશ્ચર્યા જોઈને આકાશપિતાનું મન પીગળે છે અને તે એને કૃતાર્થ કરે છે.'
હાઇસ્કુલમા કાકાસાહેબ કાલેલકરનો ઉનાળાનો બપોર પાઠ હતો. એના પ્રશ્નોના ઉતરમા કે નિબંધ હોય તો ઉનાળાના તાપના વખાણ કરવાના ! અને અમે તૈયાર કરેલ ..ફાગણથી જેઠ મહિના સુધીનો વખત એટલે ઉનાળો તેની સંધિ ઉષ્ણ+કાળ થાય ઉન્હઆલઉ શબ્દ અપભ્રંશ યુગનો શબ્દ છે અને તેનાથી જે શબ્દ આવ્યો તે આજનો આપણો ઉનાળો. માથું ફાડી નાખે તેવો તડકો, છાતી સોંસરવી ઊતરે તેવી ચામડી તો ઠીક લોહીને પણ ક્યારેક દઝાડે તેવી લૂ વરસતી હોય તેવી મૌસમ માટે સરેરાશ માણસોમાં અણગમો છે, પરંતુ અવલોકન કરીએ તો ખબર પડે કે પ્રકૃતિ તેના પૂર્ણસ્વરૂપે કદાચ આ ઋતુમાં વધારે ખીલે છે. આકાશ પૂર્ણ એટલે કે નિરભ્ર એટલે કે વાદળો વગરનું બાળકનાં મન જેવુ ચોખ્ખું નજરે પડે છે.
આ ઉનાળાની સવારનો તડકો. એનું પોત કેવું ઘટ્ટ હોય છે. એ જાણે વિધાતાની ઝોળીમાંથી અવસાવધાનતાના કારણે પડી ગયેલો કોઇના ભાવિ સુખમાં ખંડ ન હોય! મોગરા અને શિરીશની અત્યુક્તિ હવામાં સંભાળાયા કરે છે પછી ચૈત્ર તરફથી વૈશાખ તરફ ભળતા આ અતિયુક્તિનો ઘેરો રંગ ઢળતા ગુલમહોરમાં ઘૂંટાઇને લાલચટ્ટક બનશે.'
અમારા નાના કાકા રસિક હતા.તેઓ કહેતા,"તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો! તડકાનાં કાવ્યો તો અઢળક મળે છે પણ પ્રકૃતિને કવિતામાં થોડી સમાવી શકાય? હા, વાતાવરણનો આધાર ચોક્કસ લઇ શકાય અને ગાતા-
धियो यो नः प्रचोदयात् ॥ તે સૂર્યની સ્તુતિ છે. સૂર્ય તેના કેન્દ્રની આસપાસ પરિભમણ કરે ત્યારે જે કોસ્મિક આંદોલનો ઉદભવે તેમાંથી ગાયત્રી મંત્ર આવ્યો છે. સૂક્ષ્મ શરીરમાં પડેલી કુંડલિની શક્તિ પણ સૂર્યમાંથી મળતી ઊર્જાનું જ પરિણામ છે.અમે કહીએ કે અમારાથી તો આ મંત્રનો જાપ ન થાય તો તેઓ તેમના આર્યસમાજના વિચારમા કહે કે દિકરીઓને જનોઇ પણ દેવાય ! તેઓ સવારે અર્ઘ આપે અને ભરબપોરે પણ સૂર્યનારાયણનું સ્વાગત કરે.
અમારા ફોઇ અમારી ઊંમરના અને ઉનાળાને રંગબેરંગી રંગોની છલકાતી મૌસમનો ઈલ્કાબ આપે! અને અમે ભાવનગરની તલાવડી વિસ્તારમા ફળો ખરીદતા પહેલા તેના રસ,રંગ,રુપ,માણતા.તેઓ કહેતા — જુઓને, બહારથી ઘેરા લીલા રંગના તરબૂચ પણ અંદરથી એટલા જ અમૃતરૂપી રસથી લાલમલાલ. મીઠી મધુરી કાળી અને વળી લીલીદ્રાક્ષ તો કાળા અને જાંબલી રંગના મિશ્રણ જેવા નાના નાના લંબગોળ જાંબુ અને સફેદ રંગના મુંબઈના જાંબુ. ઉપરથી સુકા નાળિયેળ જેવા રંગના અને સફેદ ગરવાળા રસઝરતા પોચા પોચા તાડગોળા ને અમારી સુરતી ભાષામાં કહેવું હોય તો ગલેલી. સ્વાદે મીઠી ચીકણી તેવી રાયણનો પીળો પદરક રંગ, બહારથી ગુલાબી ઝાંય ધરાવતી બરછટ છાલવાળી પણ અંદરથી નાજુક અને કોમળ મોગરાના રંગ જેવી લીચી. કેસરીરંગની ચીકાશવાળી કટ્ટ ગુંદી, જાંબુડિયા કે શ્યામ ગુલાબી ફાલસા, પોપટી રંગના ખટ્ટઆમળા, બદામી રંગની અને સહેજ લીલી છાંય ધરાવતી સક્કરટેટી, કથ્થઈ-ઝેરી લીલો રંગ ધરાવતી ખાટી આમલી, ગોરસ જેવી મીઠી અને ગુલાબી લીલી ગોરસ આમલી પણ ગ્રીષ્મની જ દેન ! ઉનાળુ ચીકુ રંગના મીઠાં ચીકુ ! હવે ચીકુના રંગને તો ચીકુ સિવાય બીજો ક્યો રંગ કહેવો ? તથા ફળોના રાજા કેરીને કેમ ભુલાય ? નાના મરવાનો આછેરો લીલો રંગ, દેશી કેરીનો ઘાટો રંગ અને પાકી કેરીનો કેસરી-પીળો રંગ. એ બધામાં શિરમોર તેની સુગંધ. વળી, ઘાસ કે શણના કોથળામાં પકવવા મૂકેલી કેરીની મઘમઘ તો અલગ જ..
અમારા સૂરતના વનવિસ્તારનો ઉનાળો મસ્ત મસ્ત લાગતો. ફરતા ત્યારે ફૂલના ઝાડ પાસે ખાસ ઊભા રહેતા.શરીરના અને મનના તાપ દૂર થતા .
ફૂલોની વાત જ નિરાળી ! ગામની સીમમાં કે જંગલમાં કેસૂડાનો ઊડીને આંખે વળગે તેવો કેસરિયો રંગ જાણે કોઈ નવી નવેલી દુલ્હનના શ્રુંગારનો લાલ ચટ્ટક રંગ ! પેલા ગુલમહોર પરના ઝીણા ઝીણા પર્ણ વધારે છે કે કેસરી રંગના કુસુમ એ નક્કી કરવું અઘરું થઈ પડે અને ગરમાળાની તો વાત જ શું કરવી ? પાંદડાં વગરના કથ્થઈ થડ પર ડાળીએ ડાળીએ પીળાં ફૂલોની લૂમો લટકતી જોવા મળે. જાણે સુરજના કેસરી રંગ સાથે ચાંદના પીળા રંગની હરિફાઈ ! સફેદ રંગના વિવિધ શેડ તમને ફકત ઉનાળામાં જ જોવા મળે. જરા જુઓ તો ખોબલે ને ખોબલે વીણાય એવા મોગરા ! દિવસભરની ગરમીને ભુલાવી દે તેવી રાતે મહેકતી રાતરાણી અને ટગરના પાંચ પાંખડીવાળા ફૂલો. મધુકામિનીના હાથ અડતા જ ખરી પડે તેવા નાજુક કુસુમ પોપટી રંગની ડાળી પર જરાક ઉપર-નીચે ખીલતા શ્વેત રજનીગંધના ફૂલો, સરગવાના ઝાડ પરના ઝીણા ઝીણા ફૂલ, સફેદ લીલી અને પોયણા, એકથી જ ખોબો ભરાય તેવા મોટા ફૂલ કેનાના, ચૈતરમાં મોહરેલો ચંપો હજુ પણ પર્ણહીન પરંતુ ફૂલથી છલોછલ મહેકતો હોય. નાનકડા જૂઈના મૃદુ પુષ્પો તથા જાસુદના પણ શ્વેત પુષ્પો. ગુલાબી, પીળી, લાલ, સફેદ તેમજ રંગ રંગની લીલી પોયણી ! એ પછી રંગરંગના ઑફિસફૂલ અને બારમાસીના રંગોની બહાર બારેમાસ પણ તેની કિંમત તો થાય ઉનાળામાં. બીજા કોમળ છોડ સૂરજના તાપથી કરમાય પણ એને તાપ-તડકાની અસર પણ નહીં ! હંમેશની જેમ જ તાજા ને તાજા જ. યસ… અને કેક્ટ્સને તો શે વાતે ભુલાય ? તેના પર આ જ ગ્રીષ્મમાં સરસ મજાના પાન બેસે અને પછી લાલ, પીળા અને નાના નાના ફૂલો ! ઉનાળાની સવાર એટલે આ ફૂલોની જાણે રંગની બોછાર !
દાદા હો દીકરી, દાદા હો દીકરી વાગડ એટલે ક્ચ્છ નો તાલુકો. પાણી નો ત્રાસ. પાતાળ કુવા – "ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ," – પાણી ના તળ એટલા ઊંડા કે સિંચણિયું ટૂંકુ પડે. સાસુ નાહ્ક ની બદનામ.
"ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે" વહેલી સવાર થી રાત સુધી કુવા કાંઠે
દાદાએ આ સાંભળતા જ આંખ ભીની…આ જડાઇ ગયેલી વાતે મહીલા મંડળના પ્રમુખ તરીકે સામાન્ય પ્રોજેકટો સાથે અમારી આદિવાસી મહીલાઓને ઉનાળામા પાણી લેવા અને બળતણ માટે માઇલો સુધી ચાલવું પડે તે અંગે બનતું બધુ કરવા પ્રેરી હતી.
ઉનાળામા ગુલમહોર,ગરમાળો,કેસુડા વિ અંગે અમારા વિવેકના ઘણા સુંદર કાવ્યો માણ્યા પણ ઉનાળા કાવ્યમા એક વાર…
હંમણા જ ઉઘાડ પગે ભર બપોરે સામે બારણેના ૧૦૨ વર્ષના માજીને વળાવી આવ્યા.રસ્તામા પોદળો હતો તેના પર ઉભા રહી પ્રાર્થના કરી .તેના જેવી સુંદર સુગંધીદાર કોઈ વસ્તુ ન હોય તેવો આનંદ થયો.
સુગ અને સૌંદર્ય વસ્તુ ગત નથી પણ ભાવનાગત છે.
અમે ચિ યામિનીને ત્યાં હતા. ત્યાં ડૉ વિવેકનો ફોન આવ્યો ! અમને ખાત્રી હતી કે વિવેકને પ્રતિકૂળ પ્રતિભાવ અંગે ખૉટું લાગતું નથી.અને અમે કહ્યું,"આ તો હાલનો અનુભવ છે પણ અમે અગ્નિહોત્રી- છાણ-અડાયા સાથે અમારો જૂનો નાતો. અને ઉનાળામા છાણા અડાયા તૈયાર કરતા અને તેને બદબુ ન ગણતા! વિ. સાચે જ
સુગ અને સૌંદર્ય વસ્તુગત નથી જ..ફોન પર પણ આનંદ !
…છેલ્લા ૧૮ વર્ષથી , ખાસ કરીને સ્નો ના ઢગલા હટાવતા ભારતનો ઉનાળો યાદ આવે.મુ ભગવતી કુમાર શર્મા પઠન કરતા સંભળાય …
અમેરિકામાં ઋતુઓ આપણા કરતા અલગ છે. અહિ વસંત અને પાનખર ખરેખર ખબર પડે છે, જ્યારે ભારતમાં ખાસ તો ગુજરાતમાં એ અનુભવાતુ નથી. વધતા જતા પ્રદૂષણને કારણે ઉનાળો એ બારમાસી ઋતુ થઈ ગઈ છે, શિયાળો એકદમ અલ્પ્જીવી અને ચોમાસુ પણ અલ્પ્જીવી થઈ ગયુ છે. પરંતુ વરસાદમાં નહાવાની મજા તો હ્જી પણ દેશમાં જ આવે છે. અહીના વરસાદમાં ઠંડી ખૂબ જ લાગે છે. ત્યારે ગરમીના દિવસો વધુ મઝાના ! | guj_Gujr |
યુએસ ઓપનમાં સેરેનાની અમ્પાયર સાથે શાબ્દિક ટપાટપી
ગુરુવાર, ફેબ્રુઆરી 21 2019, 09:23 Hrs(IST)
નવગુજરાત સમય | Publish Date: Sep 9 2018 1:26PM
જાપાનની ખેલાડી સામે પાછળ ચાલી રહેલી સેરેનાએ પિત્તો ગુમાવ્યો
નાઓમી ઓસાકા યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ જાપાની ખેલાડી બની ગઇ છે. ત્યાંજ હારનો સામનો કર્યા બાદ સેરેના વિલિયમ્સે અમ્પાયરને ગુસ્સામાં ચોર અને જુઠ્ઠા જેવા અપમાનજનક શબ્દો કહ્યા હતા.
20 વર્ષીય ઓસાકે 6-2,6-4થી મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. આ દરમિયાન સેરેનાને બીજા સેટમાં અમ્પાયર કાર્લોસ રામોસે બોક્સમાંથી કોચ પાસેથી કોચિગ લેવા તેમજ રેકેટથી ફાઉલ થવા પર સેરેનાને બીજી વાર આચાર સંહિતા ઉલ્લંઘનની ચેતવણી અને એક પોઇન્ટની પેનલ્ટી કરી સેરાના ખેલાડી ગુસ્સાથી ભડકી ઉઠી હતી. રડતા રડતા સેરેનાએ અમ્પાયરને ચોર અને જુઠા જેવા અપમાનજનપ શબ્દો કહી દીધું હતું અને અમ્પાયરને ક્ષમા માંગવા જણાવ્યું હતું. સેરેનાએ જણાવ્યું કે, તમે મારા ચારિત્ર્ય પર હુમલો કરી રહ્યા છો. તમે મારા કોર્ટ પર બીજી વાર આવી શકશો નહી.
અમ્પાયર રામોસે ત્યારબાદ ક્રોધિત સેરેનાને અમ્પાયર પર સંહિતાના ત્રીજા ઉલ્લંઘન માટે એક પોઇન્ટની પેનલ્ટી ફટકારી હતી, જેને લીધે ઓસાકા બીજા સેટમાં 5-3થી આગળ થઇ ગઇ હતી. ત્રીજું ઉલ્લંઘન અપશબ્દોના ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યું હતું. સેરાનાએ તેના પછીના ગેમમાં જીત હાસિલ કરી હતી, પરંતુ ઓસાકાએ તેની સર્વિસ બચાવીને ઇતિહાસ રચવામાં સફળ રહી હતી.
સેરેના માટે પુત્રીના જન્મ બાદ આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક હતી. ઓસાકાએ સેરેનાને 24માં ગ્રાન્ડ સ્લેમથી દૂર રાખી છે. જો સેરેના આ મેચમાં જીત હાંસિલ કરી હોત તો તેણે મારગ્રેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડના બરાબરી કરી લીધી હોત.
ઓસાકાએ મેચ બાદ જણાવ્યું છે કે, મને હજુ પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે મેં જીત હાંસિલ કરી લીધી છે. કદાચ થોડા દિવસો બાદ મને અનુભૂતિ થશે કે મેં શું કર્યું છે. પેનલ્ટી દ્વારા એક પોઇન્ટ મળવા અંગે ઓસાકાએ જણાવ્યું કે, જ્યારે બધું થયું ત્યારે સ્કોર 5-3 હતો જેને લીધે હું થોડા ભ્રમમાં હતી. જોકે મને થયું કે મારે મારું ધ્યાન કેન્દ્રિત રાખવું જોઇએ. તેઓ એક ચેમ્પિયન ખેલાડી છે, તે કોઇપણ સમયે ગેમમાં વાપસી કરી શકે છે. | guj_Gujr |
થર્ટીફસ્ર્ટ સુધીની ઉજવણીમાં આગ ન લાગે એ માટે પોલીસે કરી બાર-રેસ્ટોરાંના માલિકોને તાકીદ - news
થર્ટીફર્સ્ટ સુધીની ઉજવણીમાં આગ ન લાગે એ માટે પોલીસે કરી બાર-રેસ્ટોરાંના માલિકોને તાકીદ
Published: 26th December, 2018 17:58 IST | અનુરાગ કાંબલે
ગયા વર્ષે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગને ધ્યાનમાં રાખીને લેવાઈ રહ્યાં છે સાવચેતીનાં પગલાં : ફાયર-બ્રિગેડના અધિકારીઓ પણ સતર્ક
ગત વર્ષે કમલા મિલ્સમાં લાગી હતી ભીષણ આગ
ગયા વર્ષે ૨૯ ડિસેમ્બરે કમલા મિલના મોજોસ બિસ્ટ્રો અને વન અબોવમાં લાગેલી આગને ધ્યાનમાં રાખતાં આ વર્ષે પોલીસની સતર્કતા વધી છે. પોલીસે લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ અને રઘુવંશી મિલ કમ્પાઉન્ડની બધી જ રેસ્ટોરાં, બાર અને પબના મૅનેજર્સ સાથે મીટિંગ કરીને વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી જેમાં મહkવનો મુદ્દો સિક્યૉરિટીનો હતો. પોલીસે તમામ રેસ્ટોરાં અને બારને સમયનું પાલન કરવાનો આદેશ આપવાની સાથે જ ગેરકાયદે હુક્કા ન રાખવાની તાકીદ કરી છે. આ વર્ષે શરૂ થઈ ગયેલી વર્ષાન્તની ઉજવણી દરમ્યાન ક્યાંય પણ આગ ન લાગે એનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે.
ગયા વર્ષે મોજોસ બિસ્ટ્રો અને વન અબવમાં લાગેલી આગ માટે રેસ્ટોરાંમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર જવાબદાર હોવાનું સિદ્ધ થયું હતું. આગની લપેટમાં આવતાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦ લોકો ગંભીર જખમી થયા હતા. આ બનાવમાં રેસ્ટોરાંના મૅનેજમેન્ટની બેદરકારી બહાર આવી છે જેમાં જાણવા મળ્યું હતું કે ફાયર-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને બન્ને સ્થળે જ્વલનશીલ સામગ્રી મોટા પ્રમાણમાં હતી. એટલું જ નહીં, આવી તાકીદની સ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપવા માટે તાલીમબદ્ધ સ્ટાફ પણ નહોતો.
આવી તમામ નાનામાં નાની બાબતો મોટી હોનારતનું કારણ બની શકે છે તેથી આ વર્ષ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આïવ્યો છે. એક સિનિયર પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે 'નવા વર્ષની રાત સુધી પોલીસ દ્વારા તમામ જગ્યાઓએ ચુસ્ત બંદોબસ્ત રહેશે. પોલીસે રેસ્ટોરાંના મૅનેજરોને પણ આ બાબતે સૂચનો આપ્યાં છે. કમલા મિલ અને રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં સાદાં કપડાંમાં પોલીસ જવાનો તહેનાત રહેશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ વધુ જવાબદારીઓ સોંપાઈ છે.''
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી વિશે ઍડિશનલ કમિશનર ડૉ. રવીન્દ્ર શિશ્વેએ કહ્યું હતું કે 'કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ માટે અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ. આ વિસ્તારમાં આવેલા સંબંધિત લોકોને લેખિતમાં કમ્પાઉન્ડમાં ધ્યાન રાખવાનું અને કોઈ પણ હોનારતને ટાળવા માટે બધા પ્રયાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.' | guj_Gujr |
લોકોને મળ્યા વગર જ કોરોનાકાળમાં આ રીતે સંબંધો અને ઇન્સાનિયતને રાખો જીવિત, જાણો.... - mojilomanas.in
લોકોને મળ્યા વગર જ કોરોનાકાળમાં આ રીતે સંબંધો અને ઇન્સાનિયતને રાખો જીવિત, જાણો….
May 5, 2021 AdminLeave a Comment on લોકોને મળ્યા વગર જ કોરોનાકાળમાં આ રીતે સંબંધો અને ઇન્સાનિયતને રાખો જીવિત, જાણો….
આ દિવસોમાં કંઈક એવું ચાલી રહ્યું છે કે દરેક કોઈક ને કોઈ બીજી સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, આવી સ્થિતિમાં આપણે એકબીજાના ટેકા બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા જ લોકો આપણાથી ઘણા દૂર છે, ભલે આપણે નજીક હોઈએ, પરંતુ અમે ખાતરી કરવાનો પ્રયાસ કરીએ છીએ કે આ સમયે કોઈ પોતાને એકલામાં ન જુવે, તેથી વ્યક્તિ સાથે સંપર્ક કરીને, જેને વિડિઓ કોલ્સ, સંદેશાઓ, રમતો, વગેરે, આસપાસના લોકો. કાળજી લો એવા સમયે જ્યાં કોઈ પણ વ્યક્તિ સાથે જોડાવા સક્ષમ નથી.
પાડોશીઓના.
તમારા પડોશીઓ સાથે સારા સંબંધો ન હોઈ શકે પરંતુ આ વખતે જેથી જૂની બાબતો તમારા પડોશમાં જાતે બોલાવવાને બદલે દરેકની તબિયત બરાબર છે તેવું વિચારવાનું પૂછે કોઈને પણ જરૂર નથી કારણ કે આ સમયમાં તમારે તમારા પાડોશીના ધર્મનું પાલન કરવું જોઈએ. આ કરવાથી, જો જરૂરી હોય તો, તમારા પડોશીઓ પણ તમારી તરફની તેમની ફરજનું ધ્યાન રાખશે.
જુના મિત્રો.
ભલે તમે હવે જૂના મિત્રો સાથે ન હોવ, 2 મિનિટનો કોલ કરવા અથવા સંદેશ મોકલવામાં કંઇ જતું નથી. આ રીતે, તમે તમારા પ્રિયજનોના યોગ્ય સમયે કાર્ય કરી શકશો, તેથી આ સમયે તમારા મિત્રોના સ્વાસ્થ્યનો સારા સમાચાર લો, તેમના પરિવાર વિશે પણ વાત કરો, તેમને કંઇકની જરૂર હોય તો મદદ કરો.
જૂના શિક્ષકો.
શાળા છોડી દે છે, પરંતુ અમારા શિક્ષકો અમને ક્યારેય ભૂલતા નથી. અમારા શિક્ષકોને યાદ કરવાનો આ સમય છે. શિક્ષકોની સંખ્યા શોધી કાઢો અને તેમને કોલ કરો, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરો, તેમની જરૂરિયાતો વિશે જાણો અને તેઓ પોતાને જે કરી શકે તે કરો. થોડા દિવસોમાં કોલ કરો અને તેમના સારા સમાચાર લેતા રહો.
સંબંધીઓ.
ભલે તમે તમારા સબંધીઓથી ભાગી ગયા હો, તેમના ફોન કોલ્સ,વોટ્સએપ સંદેશા જોતાં તે તમને હેરાન કરે છે, પરંતુ આ સંદેશાઓ અને કોલ્સ દ્વારા તે બધાથી કનેક્ટ થવાનો આ સમય છે. એકબીજાને પૂછતા રહો. તમારા પિતરાઇ ભાઈઓ સાથે લુડો જેવી ઓનલાઇન રમત રમે છે અને તેમના માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી લે છે. | guj_Gujr |
પરણિત સ્ત્રીએ ખોલ્યો પોતાની સાસુ નો કાળો ચિઢ્ઢો, શારીરિક સંબંધ બાંધી કરીતી હતી આવું કામ…… – Gujju Gujarati
Home/ajab gahab/પરણિત સ્ત્રીએ ખોલ્યો પોતાની સાસુ નો કાળો ચિઢ્ઢો, શારીરિક સંબંધ બાંધી કરીતી હતી આવું કામ……
પરણિત સ્ત્રીએ ખોલ્યો પોતાની સાસુ નો કાળો ચિઢ્ઢો, શારીરિક સંબંધ બાંધી કરીતી હતી આવું કામ……
bhai bhai November 4, 2020 ajab gahab Leave a comment 10 Views
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં મણિનગરમાં રહેતી એક યુવા પરીણિતાએ તેના પતિ, સાસરિયાં વિરૂદ્ધ ત્રાસ અને હિંસાની જે ફરિયાદ નોંધાવી છે તેમાં એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેના પતિ તેના સસરાના જ એક મિત્રનું અનૌરસ સંતાન છે. તેના કહેવા મુજબ, સાસુએ સસરાના એક મિત્ર સાથે જે સંબંધો રાખ્યા હતા તેમાં જે સંતાન જન્મ્યું તે તેના પતિ છે.
આ પરિણીતા છેલ્લા દસ મહિનાથી તેના માતા તથા ભાઈ સાથે રહે છે. તેને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૮માં એક યુવક સાથે થયા હતા. જો કે, મહિલાને લગ્ન બાદ જાણ થઈ કે, તેના સસરાના મિત્ર નરેન્દ્ર ભાવસાર સાથે તેની સાસુને પ્રેમ સંબંધો હતા. આથી તેનો પતિ તે તેના પિતાનું સંતાન નહીં પરંતુ તેના પિતાના મિત્ર સાથે તેની માતાને સંબંધ હતા તેનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાદ સાસુ કહેતી કે, તું તો મનહુસ છે ઘરમાં ખરાબ પગલાં લઈને આવી છે અને તારા પિયરજનોએ કરિયાવર પણ ઓછું આપ્યું છે, તેમજ ભિખારીની છોકરી છે તેમ કહી ત્રાસ ગુજારતા હતા. ગર્ભવતી પરિણીતાનુ પતિ ચેકઅપ કરાવતા નહીં અને દારુ પીને મારઝૂડ કરતો હતો.
પરિણીતાના સસરા તેને કામવાળી જેવું વર્તન કરતા અને કામવાળી કહીને જ બોલાવતા હતા તેમજ તેને સંતાનમાં પુત્ર થતો નથી એટલે મારા સાળાને બીજે લગ્ન કરવા છે તેમ કહીને નણંદોઇ પણ ત્રાસ આપતો હોવાથી આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આવી જ બીજી ઘટના લોકડાઉન બાદ મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો પણ વધ્યા છે. તેમજ પરિણીતાઓને સાસરિયા દ્વારા અપાતી ફરિયાદો પણ વધી છે. તેવામાં આદિપુર મહિલા પોલીસ મથકે પરિણીતાઓને સાસરિયા દ્વારા અપતા ત્રાસની વધુ બે ફરિયાદો નોંધાઈ છે. આદિપુર મહિલા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નખત્રાણાના નેત્રા ખીરસરાની રહેવાસી અને હાલ ગાંધીધામના ભારતનગરમાં રહેતી શીતલબેન તુષારભાઈ ગઢવી (ઉ.વ. રર)એ તેના પતિ તુષાર દેવકરણ ગઢવી, સાસુ અનસૂયાબેન દેવકરણ ગઢવી, સસરા દેવકરણ આણંંદજી ગઢવી, નણંદ અવનીબેન અજયભાઈ ગઢવી, દિયર અતુલભાઈ દેવકરણ ગઢવી વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી દહેજની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં હાલ ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટીમાં રહેતી અને ડીસાના ઝેરડામાં પરણેલી અલ્પાબેન રામજીભાઈ શ્રીમાળીએ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પતિ રામજી ઉર્ફે રાહુલ બળવંતભાઈ શ્રીમાળી, સાસુ બબીબેન બળવંતભાઈ શ્રીમાળી, સસરા બળવંતભાઈ જેઠાભાઈ શ્રીમાળીએ પરિણીતાને માર માર્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેના પતિના અન્ય સાથે આડા સબંધો હોવાને કારણે તેમજ ઘરની નાની- નાની બાબતોમાં બોલાચાલી કરીને મેણા ટોણા મારીને સાસુ – સસરા દ્વારા પણ માર મારવામાં આવતો હતો.
આદિપુર મહીલા પોલીસ મથકે ભચાઉના ભટ્ટફળિયા વિસ્તારમાં રહેતા લીલાબેન રમેશભાઇ બારોટે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પતિ રમેશ ગોવાભાઇ બારોટ ખોટો શક અને વહેમ રાખી તેમને અવાર નવાર મહેણા ટોણા મારી તેમને શારીરીક માનસિક ત્રાસ આપે છે જેમાં તા.4/6 ના પણ બધા લોકો તારી સામે કેમ જુએ છે કહી મારકૂટ કરી હોવા બાબતે 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતાં તેમને સખી વન સ્ટોપ સેન્ટર રીફર કરવામાં આવ્યા છે. વધુ તપાસ આદિપુર મહીલા પોલીસે હાથ ધરી છે.
આવીજ બીજી ઘટના UPSCની એક્ઝામ આપી IAS બનવાની તૈયારી કરતી 23 વર્ષીય પરિણીતાને અભ્યાસ છોડી દેવા તેમજ દહેજ બાબતે પતિ સહિત સાસરિયા ત્રાસ આપવાનો હોવાનો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.
આ પરિણીતાના ફોઇજી તેના પતિને અભ્યાસ છોડાવવા માટે ચડાવતા હોવાની વિગતો પરિણીતાએ જણાવી હતી. તેના પતિને તેના ફોઈજી ક્લાર્ક બનવાને લાયક નથી અને કલેક્ટર બનવાના સપના જોવે છે, તેનો અભ્યાસ છોડાવી ઘરકામ કરાવો જેવા મહેણા ટોણા મારતા હતા. ઉપરાંત તેના જેઠ જેઠાણી પણ તેના જેટલું ભણેલા ન હોવાથી તેને વંશવેલો આગળ વધારવા પર ધ્યાન આપ તેમ કહી માનસિક યાતના આપતા હતા.ચાંદખેડા વિસ્તારમાં આવેલા આદિત્ય રેસીડન્સીમાં રહેતી આ પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, બે નણંદ, જેઠ, જેઠાણી, મોટા સસરા, ફોઈજી સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ પાટણના રહેવાસી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે 2017માં પાટણના સિદ્ધનાથ નગર સોસાયટીમાં રહેતા યુવક સાથે તેના લગ્ન અમદાવાદના સુખડ ગામમાં થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરે ગઈ ત્યારે તેના સાસુ દાગીનાનું વજન કરાવવા જવેલર્સને ત્યાં લઈ ગયા હતા. જ્યાં દાગીનાનું વજન 38.5 તોલા થતા સાસરીયા ઉશ્કેરાયા હતા અને યુવતીના માતા-પિતાના અપેક્ષા મુજબ દહેજ આપ્યું નથી તેમ જણાવી તેને વારંવાર માનસિક રીતે હેરાન કરતા હતા. સાસરિયાની ચડવણીને પગલે પરિણીતાના પતિએ પણ તેની સાથે મારપીટ કરી હતી.
સાસરિયાના ત્રાસથી કંટાળી આ પરિણીતા આખરે તેના માતા પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને સ્ત્રીધન પરત મેળવવા માંગણી કરી હતી પરંતુ સાસરિયા દ્વારા તેના દાગીના અને રોકડ સહિત સ્ત્રીધન પાછું ન અપાતા તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. હાલ આ મામલે ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં એક પરિણિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિણિતાના આપઘાતત કેસમાં પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો મચાવ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ દીકરીના સાસરિયા દ્વારા તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. | guj_Gujr |
ગરબા રસિકો માટે મહત્વના સમાચાર, જાણૉ આજે કેવું રહેશે વાતાવરણ - Gujrat Khabar
Home/Gujarat/Madhya Gujarat/Ahmedabad/ગરબા રસિકો માટે મહત્વના સમાચાર, જાણૉ આજે કેવું રહેશે વાતાવરણ
ગરબા રસિકો માટે મહત્વના સમાચાર, જાણૉ આજે કેવું રહેશે વાતાવરણ
અમદાવાદ સહીત રાજ્યમાં નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદે પહેલા 3 નોરતા તો બગાડ્યા હતા અને હવે નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે ત્યારે વરસાદ પડશે કે નહીં તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે.
હવામાનશાસ્ત્રીના જણાવ્યા મુજબ વેધર સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝરમર વરસાદ થઇ શકે છે. જો કે હાલ ક્યાંય ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી નથી.
આગાહી પ્રમાણે બનાસકાંઠા, વલસાડ, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. શનિવારે અમદાવાદના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. રવિવારે સાંજે અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. | guj_Gujr |
આણંદ જીલ્લામાં ૨૪ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાયો - LIVE CRIME NEWS
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ રક્ષણ આપતી રસીને જન સામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આ રસીનું આજે ૨૪ સ્થળોએ જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ ડ્રાય રન યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને મંજૂરી આપવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી વેક્સીનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરીકો સુધી પહોંચાડવા માઇક્રોપ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ડ્રાય રન જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. શાલિની ભાટિયા તેમજ જીલ્લાના અધિકારીશ્રીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ દ્વારા ડ્રાય રનનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
ડ્રાય રન એટલે શું?
ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઇ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઇ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડીકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રીયા કરવામાં આવી હતી.
આજે યોજાયેલ કોરોના રસીકરણની કામગીરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રસીકરણ કેન્દ્રમાં રસી લેનાર વ્યક્તિની જાણકારી મેળવી તેઓનું મેઠીકલ ચેકઅપ કરીને વેઇટીંગ રૂમમાં રાખવામાં આવે છે અને રસીકરણ રૂમમાં વ્યક્તિના ઓળખપત્રની ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ કોરોના-૧૯ ની રસી અંગે સમજ આપીને રસી આપવામાં આવશે. રસી આપ્યા બાદ તે વ્યક્તિને ઓબઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે. અને જો તેઓને રસીકરણ બાદ કોઇ તકલીફ ન જણાયતો તેઓને જવા દેવામાં આવે છે.
ઇ.ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી શાલીનીબેન ભાટીયાએ તા..૨ જાન્યુઆરીના રોજ યોજાયલ ડ્રાય રનની જેમજ આજે ૨૪ કેન્દ્રોમાં ડ્રાય રન યોજવામા આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ડ્રાય રનમાં જિલ્લાના ૨૪ કેન્દ્રોમાં ૬૦૦ જેટલા વ્યક્તિઓને કોરોના-૧૯ની રસીકરણનો લાભ આપી શકાશે તેમ જણાવ્યું હતું. તેઓએ રામકૃષ્ણ સેવા મંડળ હોસ્પિટલ ખાતે યોજાયેલ કોરોના રસીકરણના ડ્રાય રનમાં ઉપસ્થિત રહીને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આજે આણંદ જિલ્લામાં યોજાયેલ આ ડ્રાય રન આણંદ તાલુકામાં આર.કે.એસ.એમ હોસ્પીટલ આણંદ, પી.એસ.સી. કેન્દ્ર વાસદ, પ્રાથમિક શાળા જોળ, પેટલાદ તાલુકામાં જનરલ હોસ્પીટલ પેટલાદ, ચારૂતર આરોગ્ય મંડલી પેટલાદ, પ્રાથમીક શાળા મોરડ, સોજીત્રા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સોજીત્રા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવ, મલાતજ કુમાર શાળા મલાતજ, આંકલાવ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આંકલાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણગામ, ઉત્તર બુનિયાદી શાળા નવાખલ, ઉમરેઠ તાલુકામાં રૂદ્ર હોસ્પીટલ પણસોરા, પ્રાથમિક શાળા થામણા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ, તારાપુર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બુધેજ (એસ.સી. મોભા), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર, ખંભાત તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાણીસા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખંભાત, કાર્ડીયાક સેન્ટર ખંભાત અને બોરસદ તાલુકામાં શ્રધ્ધા હોસ્પીટલ બોરસદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોરસદ અને ઝારોલા કુમાર શાળા, ઝારોલા ખાતે સવારથી કોરોના રસીકરણની પૂર્વ તૈયારી રૂપે યોજાયો હતો. | guj_Gujr |
આ ફેમસ બેલી ડાન્સરને TikTokએ 3 વર્ષ માટે જેલભેગી કરી દીધી, 'અશ્લીલતા' ફેલાવવાનો લાગ્યો આરોપ - GSTV
આ ફેમસ બેલી ડાન્સરને TikTokએ 3 વર્ષ માટે જેલભેગી કરી દીધી, 'અશ્લીલતા' ફેલાવવાનો લાગ્યો આરોપ
ઇજિપ્તની લોકપ્રિય ટિકટોક સ્ટાર અને બેલી ડાન્સર સામા અલ માસરીને તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર અશ્લિલતા ફેલાવવાના આરોપસર ત્રણ વર્ષની જેલ અને 14 લાખ રૂપિયાની જંગી રકનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની ઉપર સોશિયલ મીડિયા પર વ્યાભિચાર અને અનૈતિક આચરણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અશ્લીલ વીડિયો ગણાવી કરી ધરપકડ
સામા અલ માસરીની એપ્રિલ મહિનામાં તેની પોસ્ટ, વીડિયો અને ફોટોની તપાસ કર્યા બાદ ધરપકડ કરાઈ હતી. સામા એક ટિકટોક અકાઉન્ટ પણ ધરાવતી હતી. તેના કન્ટેન્ટને અશ્લિલ અને ઉત્તેજક ગણાવીને તેને સજા કરવામાં આવી છે. જોકે સામાએ કહ્યું હતું કે તે હવે આ આરોપ સામે અપીલ કરનારી છે.
42 વર્ષીય ડાન્સરે તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમે જણાવ્યું હતું કે જે કન્ટેન્ટને આધારે તેની સજા કરવામાં આવી છે તે તેની મંજૂરી વિના જ તેના ફોનમાંથી ચોરી લેવામાં આવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે સામાએ પારિવારિક અને રાષ્ટ્રીય મૂલ્યોનો ભંગ કર્યો છે. તેમે સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવીને તેનો ઉપયોગ અનૈતિક આચરણ માટે કર્યો હતો.
અન્ય મહિલાઓને પણ આવી જ સજા થવી જોઇએ
ટિકટોક પર વીડિયો અપલોડ કરનારી સામા અને તેના જેવી અન્ય મહિલાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરીને ઇજિપ્તના સાંસદ જ્હોન તાલાતે જણાવ્યું હતું કે સ્વતંત્રતા અને વ્યાભિચારમાં ફરક છે. સામા અને આ પ્રકારની મહિલાઓ રાષ્ટ્રીય મૂલ્યોને ખતમ કરી રહી છે આ પ્રકારની પ્રવૃત્તિઓને કાનૂન અને બંધારણમાં મંજૂરી નથી.
breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livesama al masrisama al masri belly danceTikTok | guj_Gujr |
રાહુલ PM તરીકે અનફીટ, મોદીને શંકરાચાર્યે આપ્યા આશિર્વાદ | Kanchi seer 'blesses' Modi for PM's post - Gujarati Oneindia
| Published: Wednesday, July 24, 2013, 15:15 [IST]
નવી દિલ્હી, 23 જુલાઇઃ કાંચી કામકોટિના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ કહ્યું કે, રાહુલ ગાંધી આ દેશના પીએમ બનવા લાયક નથી, કારણ કે તેમના માતા ઇટલીના નિવાસી હતા. શંકરાચાર્યે રાહુલને પીએમ માટે અનફિટ ગણાવ્યા હતા અને સાથે જ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા માટે મારા આશિર્વાદ મળી ચૂક્યા છે.
એક બિઝનેસ ન્યૂઝ ચેનલ સાતે વાતચીતમાં શંકરાચાર્યએ કહ્યું કે મોદી મહાન ગુણોવાળા વ્યક્તિ છે અને આગામી લોકસભા ચૂંટણીમાં તે પ્રધાનમંત્રી પદ માટે સંપૂર્ણપણે યોગ્ય છે. શંકરાચાર્યે ભાજપના સૂરમા સૂર મેળવતા કોંગ્રેસ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સેક્યુલારિઝમના નામે મુસલમાનો અને ખ્રિસ્તીઓના વોટ મેળવવા માગે છે.
આ ઉપરાંત શંકરાચાર્યે ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. શંકરાચાર્ય સરસ્વતીએ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની ટીકા કરી હતી, પરંતુ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે આ બન્ને પૂર્વ પ્રધાનમંત્રીના કમોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
gujarat chief minister narendra modi shankaracharya rahul gandhi loksabha election 2014 ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શંકરાચાર્ય રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2014
Kanchi Kamakoti Shankaracharya Jayendra Saraswathi said Gujarat Chief Minister Narendra Modi had his "blessings" for the prime minister's post and claimed Rahul Gandhi was unfit for the position since his mother Sonia Gandhi was a native of Italy. | guj_Gujr |
2030 સુધી માં મહિલાઓ પુરુષ સાથે શારીરિક સંબંધ નહીં બાંધે પણ,છતાં થશે ગર્ભવતી?… | Dharmik Lekh
Home અજબ-ગજબ 2030 સુધી માં મહિલાઓ પુરુષ સાથે શારીરિક સંબંધ નહીં બાંધે પણ,છતાં થશે...
2030 સુધી માં મહિલાઓ પુરુષ સાથે શારીરિક સંબંધ નહીં બાંધે પણ,છતાં થશે ગર્ભવતી?…
નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ. સેક્સને લઈને અત્યાર સુધી અનેક પ્રકારના અહેવાલો પ્રાપ્ત થયા છે, પરંતુ આ વખતે જે સમાચાર બહાર આવ્યાં છે તે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.ખરેખર, એક સર્વેક્ષણ અહેવાલમાં બહાર આવ્યું છે કે આજથી 10 વર્ષ પછી, 2030–31 સુધીમાં, સ્ત્રીઓ પુરુષો કરતાં રોબોટ્સ સાથે સંભોગ કરવાનું પસંદ કરશે.
આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ પહેલા કરતા વધારે મશીન માટે વધુ પ્રેમ જોવાની શરૂઆત કરી છે.જે આગળ વધશે.ઘણી સ્ત્રીઓએ કબૂલાત પણ કરી છે કે તેઓ રોબોટ સાથે સેક્સ માણવાનું પસંદ કરશે.ડોક્ટર ઇયાન પીઅર્સન કહે છે કે આવનારા કેટલાક વર્ષોમાં આ બનવાનું છે.સ્ત્રીઓ ટૂંક સમયમાં સેક્સ માણવાની ઇચ્છા રાખશે અને પુરુષો સાથે નહીં પણ મશીનો સાથે સમય વિતાવશે.
તમે ઇયાનની આગાહીને બકવાસ કહેતા પહેલાં, આ તરફ ધ્યાન આપો.તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રેટર્સનો ઉપયોગ કરવો પણ વર્જિત (પ્રતિબંધ) છે પરંતુ આજે મહિલાઓની દરેક સામયિક તેના વિશે વાત કરે છે. ઇયાન કહે છે કે ટૂંક સમયમાં મહિલાઓ પોર્ન મૂવી જોઈને સારા રોબોટ સાથે સેક્સ માણવાનું પસંદ કરશે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મશીન પુરુષોની જેમ એન્જોય કરી શકતું નથી, પણ મહિલાઓ આ મશીન સાથે સેક્સ માણવાનું પસંદ કરશે.આનું સૌથી મોટું કારણ છે તેમની એકલતા.એકલી રહેતી મોટાભાગની સ્ત્રીઓએ આવું કહ્યું છે.
સ્ત્રીઓ કહે છે કે સેક્સ કરતી વખતે, તેઓ રોબોટ પર પોતાનું નિયંત્રણ રાખી શકશે અને તેમને તેમની સ્વતંત્ર ઇચ્છા પર કામ કરવા માટે સક્ષમ બનશે.આટલું જ નહીં, રોબોટ તેને સેક્સ માટે ના પાડશે નહીં કે તે ક્યારેય થાકવાનો ડોળ કરશે નહીં.તેથી પુરુષો કરતાં રોબોટ્સ સાથે સેક્સ કરીને સ્ત્રીઓ વધુ સંતુષ્ટ થશે.ત્યારબાદ ચાલો જાણીએ આવી અન્ય માહિતી.જર્મનીમાં યુગોવ દ્વારા આયોજિત સર્વેક્ષણમાં પ્રત્યેક ત્રણે એક પુરુષ અને પ્રત્યેક પાંચે એક મહિલા રોબોટ સાથે સેક્સસંબંધોમાં રસ ધરાવે છે.
આવા સેક્સસંબંધ ટેક્નિકલ ધોરણે બંધાતા હોય છે પરંતુ હકીકતના સેક્સસંબંધ જેવો અહેસાસ કરાવતા હોય છે, જોકે પુરુષને મુકાબલે રોબોટ સાથે સેક્સસંબંધમાં મહિલાઓએ ઓછી રુચિ ધરાવી હતી.સેક્સ પ્રતિનાં વલણો અંગે જર્મનીમાં યોજાયેલાં સર્વેક્ષણની મદદથી રોબોટ સાથે સેક્સસંબંધોની સંભાવનાના મુદ્દે પણ જાણકારી મેળવવામાં આવી હતી. સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે જર્મનવાસીઓ જાણે કે રોબોટ સાથે સેક્સસંબંધના નવા અનુભવ માટે તૈયાર છે.
સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે પ્રત્યેક દશે એક જર્મનને એવું લાગતું હતું કે તે સેક્સએડિક્ટ છે. પ્રત્યેક પાંચે બે જર્મનને લાગતું હતું કે મહિનામાં ઓછામાં ઓછા 10 વાર તો તેમને રતિક્રીડાનો આનંદ જોઈએ જ છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકી એક તૃતીયાંશ લોકોએ કબૂલ્યું હતું કે પોતાના સાથી સાથે તેઓ છેતરપિંડી કરી રહ્યા છે. મોટાભાગનાનું માનવું હતું કે એક જ સાથીદાર સાથે રતિસુખ માણ્યા કરવાની વાત વાસ્તવલક્ષી નથી. 40 ટકા પુરુષો અને 28 ટકા મહિલાનું કહેવું હતું કે મોનોગમી એક જ જીવનસાથી સાથે સેક્સસુખ માટે માનવ અનફિટ છે.
સાથી સાથે બેવફાઈના મુદ્દે પુરુષોએ જણાવ્યું હતું કે તેમને હંમેશાં નવા નવા સેક્સ અનુભવની ચાહત હોય છે અને જીવનસાથીના સેક્સસંબંધોથી સંતોષ નથી હોતો તેથી બેવફા બની જતા હોય છે. મહિલાના કિસ્સામાં એવું હોય છે કે તેમને હંમેશાં એવી ખાતરી કરવાની ઇચ્છા રહેતી હોય છે કે પુરુષને હજી પણ તેમનું આકર્ષણ છે.રિઅલ ડોલના ઉત્પાદકે તમને પસંદ પડે એવા સેક્સ રોબોટ બનાવ્યા છે, જે તમને પ્રેમમાં પાડી શકે છે.
એબીસ ક્રિએશન એવા સેક્સ રોબોટ બનાવી રહ્યું છે, જે તેના માલિકની સાથે સાચુકલી લાગણીથી જોડાય છે.હાર્મની એઆઇ, એવું એપ છે, જે સિલિકોન રિઅલ ડોલને માનવી સાથે સંબંધ રાખવા માટે સક્ષમ બનાવે છે.એબીસે આ એપ વિકસાવી છે, જે તેના ઉપયોગકર્તાઓ તેમની સેક્સ ડોલ સાથે પોતાના અવાજમાં વાત કરી શકશે. તમારી રિઅલ ડોલ હોય તો તેને માટે પણ તમારી પસંદગીનું વ્યક્તિત્વ બનાવી આપી શકે છે. હાર્મની એઆઇએ તમારી પસંદગી મુજબનો ૩ ડી અવતાર પેદા કર્યો છે.
આ એપ ઉપર એપલ અને ગૂગલ સ્ટોરે પ્રતિબંધ મૂક્યો હોઈ તેનો ઉપયોગ કરનારાએ એ એપ સીધી જ રિઅલબોટિક્સ સાઇટ પરથી ડાઉનલોડ કરવી પડશે. એ એપ વર્ષે 20 ડોલરના લવાજમથી મળી શકશે અને તે ફક્ત એન્ડ્રોઇડ ઉપયોગ કરનારાઓ માટે જ છે.ગયા મહિને કંપનીએ હાર્મની 2.૦ બનાવ્યું છે, જે સ્કોટિશ લહેકા સાથે બોલે છે. તેને 18 પ્રકારના જુદા જુદા વ્યક્તિત્વ માટે પ્રોગ્રામ્ડ કરી શકાય છે.
આ 18માં નિરાશ તથા કામુક વ્યક્તિત્વનો પણ સમાવેશ થાય છે.આ એપ થકી રિઅલ ડોલ તમને જાતીય ઉશ્કરે એવા પ્રશ્નોના જવાબ પણ આપે છે. એપની જેમ ઢીંગલીમાં પ્રેસિસ્ટેન્ટ મેમરી હોય છે, જેને કારણે તમારી કેટલીક વિશષતા યાદ રાખે છે.એબીસ ક્રિએશનના સીઇઓ મેટ્ટ મેકકુલેન કહે છે કે તમારી સમકક્ષ હોય એવા સાથી તમને મળે એ વિચારથી રોબોટ બનાવાયો છે.1980ના દાયકાથી સેક્સ ડોલ જાપાનમાં બનાવાય છે, તે તમામ પ્લાસ્ટિકની છે.
જો કે આ રિઅલ ડોલ ઉચ્ચ ગુણવત્તાવાળા સિલિકોનમાંથી બને છે. જે તમને ખૂબ જ વાસ્તવિક અનુભવ કરાવે છે. આ રિઅલ ડોલ એ રીતે બનાવાઇ છે કે તે તમારી ઇચ્છા મુજબ વળી શકે છે.હાર્મની 2.૦ શું છે ?એબીસ ક્રિએશને ગયા મહિને એઆઇ ઢીંગલી હાર્મની 2.0 રજૂ કરી હતી.આ ઢીંગલી સ્કોટિશ લહેકામાં બોલે છે અને તે નિરાશ અને કામુકતા જેવા 18 જુદા જુદા વ્યક્તિત્વ ભાવ રજૂ કરી શકે છે.આ ઢીંગલીમાં યાદદાસ્ત પણ એવી છે કે જેથી તે તેના માલિક સાથે સંબંધ બનાવી શકે છે.
આ પુખ્ત કદની ઢીંગલી લવચીક છે અને તેને બનાવવામાં 80 કલાક થાય છે એટલું જ નહીં તેના ગુપ્તાંગ તથા ચહેરા બદલી શકાય એવા છે.આ ઢીંગલીમાં 18 પ્રકારના મહિલાઓના શરીરની પસંદગી થઇ શકે છે, એ જ રીતે પુરુષોના બે પ્રકારના શરીરોની પસંદગી થઇ શકે છે.સેક્સ ડોલ,6,500 ડોલરથી લઇને 12,૦૦૦ ડોલર સુધીની કિંમતે વેચાય છે.આ ઢીંગલીના જાતિય અંગો તમારી મરજી મુજબના બનાવી અપાય છે.ફિગર પણ તમારી ઇચ્છા મુજબનું મળી શકે છે, જેમાં હોઠ કેવા, દાંત કેવા અને જીભ કેવી જોઇએ એ તમામ તમારી પસંદગી મુજબ બનાવી અપાય છે. | guj_Gujr |
કિલ્લામાં ફેરવાયુ અંબાલા એરબેઝ, રાફેલ લેંડિંગ પહેલા કલમ 144 લાગુ, 3 કિમી સુધી નો ડ્રોન ઝોન | Section 144, no drone zone up to 3 km before Rafale landing in Ambala airbase. - Gujarati Oneindia
| Updated: Tuesday, July 28, 2020, 18:24 [IST]
પાકિસ્તાન અને ચીનની સ્થિતિ પતલી કરવા માટે ફ્રાંસથી અત્યાધુનક ફાઈટર વિમાન રાફેલની પહેલી ખેપે ઉડાન ભરી દીધી છે. ફ્રાંસ અને ભારત વચ્ચે 7000થી વધુ કિલોમીટરની સફર ખેડીને અત્યાધુનિક મિસાઈલો અને ઘાતક બોમ્બ ધરાવનાર ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઈટર જેટ રાફેલ કાલે એટલે કે 29 જુલાઈએ ભારત પહોંચી જશે. તમને જણાવી દઈએ કે ફ્રાંસના મેરિનેક એરબેઝથી 5 રાફેલ ફાઈટર વિમાનોની પહેલી બેચ રવાના થઈ ચૂકી છે. આ દરમિયાન ભારત પહોંચ્યા બાદ રાફેલની સુરક્ષાના કારણે અંબાલા એરબેઝ આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે.
ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે
ઉલ્લેખનીય છે કે ચીન સાથે સીમા તણાવ વચ્ચે ભારત આવી રહેલા અત્યાધુનિક ફાઈટર વિમાન રાફેલથી ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. એવામાં દુશ્મનોથી આ વિમાનની રક્ષા માટે ભારત લેન્ડ થતા જ કડક નિરીક્ષણમાં મોકલી દેવામાં આવશે. માહિતી મુજબ દુનિયાના સૌથી શક્તિશાળી ફાઈટર વિમાનોમાંના એક રાફેલની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. તમને જણાવી દઈએ કે સાત કલાકની મુસાફરી કરીને પાંચે વિમાન યુએઈ પહોંચ્યા છે અને ત્યારબાદ બુધવારે ભારતમાં લેન્ડ કરશે.
અંબાલા એરબેઝ આસપાસ કલમ 144 લાગુ
ફ્રાંસથી ભારત આવી રહેલા પાંચ વિમાન અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે, વિમાનોની લેંડિંગ પહેલા અંબાલા એરબેઝના 3 કિલોમીટરની સીમામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અહીં કોઈ ડ્રોનને ઉડાવવાની પણ મંજૂરી નથી. આ દરમિયાન ડ્રોન કે અન્ય કોઈ પ્રકારની ઉડાન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર અહીં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ વિસ્તારમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.
મળવાના છે 36 રાફેલ વિમાન
તમને જણાવી દઈએ કે 36 રાફેલ વિમાન મળવાના છે જેમાંથી 5 વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે. બધા 36 વિમાનોની ડિલીવરી 2021 સુધી પૂરી થઈ શકે છે. માહિતી મુજબ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ પાંચે રાફેલ વિમાન યુએઈના અલ દફરા એરપોર્ટ પર છે. ત્યાંથી રાફેલનો જત્થો કાલે સવારે ઉડાન ભરશે અને અમુક કલાકોમાં ભારતના અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે. આ જ કારણ છે કે અંબાલા એરબેઝને કિલ્લામાં ફેરવી દેવાયુ છે. | guj_Gujr |
કમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બીનજરુરી નિવેદનોથી દુર રહેઃ નિતીન પટેલ | Webdunia Gujarati
કમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બીનજરુરી નિવેદનોથી દુર રહેઃ નિતીન પટેલ
Last Modified મંગળવાર, 30 જુલાઈ 2019 (13:05 IST)
કોંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે શાબ્દિક વિવાદ વેગ પકડી રહ્યો છે. નર્મદાનાં પાણીથી શરૂ થયેલી નિવેદનબાજી હવે ગીરના સિંહ સુધી પહોંચી છે. મધ્ય પ્રદેશ ગુજરાતને નર્મદાનું પાણી આપે છે પરંતુ સુપ્રીમના આદેશ છતાં ગુજરાત સરકાર મધ્ય પ્રદેશને સિંહ આપતું નથી તેવી મધ્ય પ્રદેશના મંત્રી દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મધ્ય પ્રદેશ સરકારને ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બિનજરૂરી રાજકીય નિવેદનોથી દૂર રહે.
નીતિન પટેલે જણાવ્યું કે મધ્ય પ્રદેશના મંત્રીઓ નર્મદાનાં પાણી અને સિંહ મુદ્દે ગુજરાતને સાંકળી લઇને બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે. નર્મદા યોજના એ માત્ર મધ્ય પ્રદેશની નથી ચાર રાજ્યોની ભાગીદારીવાળી યોજના છે, આ પ્રકારે પાણી રોકવાની ધમકી ચાલી શકે નહીં. ગુજરાતના સિંહના સ્થળાંતરનો મુદ્દો અને નર્મદાનાં પાણીનો મુદ્દો બંને અલગ અલગ વિષય છે. તેના ઉપર બેજવાબદાર નિવેદનો કરવા યોગ્ય નથી.
જ્યારથી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી આવા નિવેદનો થઇ રહ્યા છે. રાજ્યો વચ્ચે દ્વેષ ઊભો થાય એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઇએ. મધ્ય પ્રદેશને ગુજરાત સાથે કોઇ મુદ્દો હોય તો તેમના મુખ્યપ્રધાન ગુજરાતના મુખ્યપ્રધાન સાથે સીધી વાતચીત કરે, મંત્રીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે અથવા બંને સરકારના અધિકારીઓ વાટાઘાટ કરી શકે છે. આ પ્રમાણેના રાજકીય નિવેદનનો કોઇ અર્થ સરતો નથી. | guj_Gujr |
ભારતમાં અમેરિકન રોકાણને પ્રોત્સાહન અપાશે : બંને દેશોએ રોકાણ પ્રોત્સાહન કરાર પર હસ્તાક્ષર
IIA પર હસ્તાક્ષર કરવાથી ભારતમાં DFCsના રોકાણ સમર્થનમાં વધારો થશે.:દેશના મુખ્ય ક્ષેત્રોમાં યુએસ રોકાણને વેગ મળશે
મુંબઈ : ભારત અને અમેરિકાએ રોકાણ પ્રોત્સાહન કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર દેશના મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકન રોકાણને વેગ આપશે. ક્વાડ સમિટ દરમિયાન વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને યુએસના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્કોટ નાથને ભારત-યુએસ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, IIA પર હસ્તાક્ષર કરવાથી ભારતમાં DFCsના રોકાણ સમર્થનમાં વધારો થશે. તેનાથી દેશના મુખ્ય ક્ષેત્રોમાં યુએસ રોકાણને વેગ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનની મુલાકાતના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ અહીં જાપાની બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી, જેમાં 34 જાપાનીઝ કંપનીઓના ટોચના અધિકારીઓ અને સીઈઓ હાજર રહ્યા હતા. આમાંની મોટાભાગની કંપનીઓ ભારતમાં રોકાણ અને કામગીરી ધરાવે છે. આ દરમિયાન પીએમ મોદીએ આ નેતાઓને 'મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડ' માટે આમંત્રણ આપ્યું હતું. | guj_Gujr |
આજે બનશે સૂર્ય ગ્રહણ આશ્ચર્યજનક નજારો ક્યાં અને ક્યારે દેખાશે. - Aapni Vato
આજેના દિવસે 10 જૂને, વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42 થી શરૂ થશે અને સાંજે 06:41 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોઇ શકાતું નથી. જેના કારણે આ સૂર્યગ્રહણનો સુતક અવધિ માન્ય રહેશે નહીં. આ ગ્રહણ અમેરિકા, યુરોપ, ઉત્તરી કેનેડા, એશિયા, રશિયા અને ગ્રીનલેન્ડમાં દેખાશે. પંચાંગ મુજબ, ગ્રહણ વૃષભ અને મૃગાશીરા નક્ષત્રમાં, જ્યેષ્ઠ મહિનાની નવી ચંદ્રની તારીખે થશે. વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવી રહી છે. 15 દિવસના ગાળામાં આ બીજું ગ્રહણ હશે. આ પહેલા, 26 મેના રોજ ચંદ્રગ્રહણ પણ થઈ ચૂક્યું છે. આ ગ્રહણ ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગમાં થોડી ક્ષણો માટે જોવા મળશે, જેને જોવાનું મુશ્કેલ બનશે.
આજે સૂર્યગ્રહણનું દ્રશ્ય આ જેવું દેખાશે
જ્યેષ્ઠા અમાવસ્યા તિથિ પર સૂર્યગ્રહણ વૃષભ અને મૃગાશીરા નક્ષત્રમાં છે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બપોરે 01:42 થી શરૂ થશે અને સાંજે 06:41 સુધી ચાલશે. વિશ્વના ઘણા દેશોમાં સૂર્યગ્રહણ દરમિયાન, રીંગ ઓફ ફાયરના રૂપમાં એક અદભૂત નજારો જોવા મળશે. આ સૂર્યગ્રહણ અમેરિકા, યુરોપ, ઉત્તર એશિયામાં જોઇ શકાય છે.
ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ
ગ્રહણની ઘટના આપણા શાસ્ત્રોમાં ખૂબ અશુભ માનવામાં આવે છે. ગ્રહણ થાય તે પહેલા ઘણા પ્રકારના કામ અટકી જાય છે. તેને સુતક કાળ કહે છે. સુતક સૂર્યગ્રહણના 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણના 09 કલાક પહેલા શરૂ થાય છે. ગ્રહણ પહેલાં અને તે દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ.
ગ્રહણ દરમિયાન અને ગ્રહણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવી જોઈએ. ગ્રહણ દરમિયાન ઘરના મંદિરોના દરવાજા બંધ હોવા જોઈએ. જેથી ગ્રહણની અસર ભગવાન પર ન થઈ શકે. ગ્રહણ દરમિયાન, સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ન તો ગ્રહણ જોવું જોઈએ કે ન તો ઘરની બહાર જવું જોઈએ. ગ્રહણ દરમિયાન પુરુષો અને મહિલાઓ વચ્ચે શારીરિક સંબંધ ન હોવા જોઈએ. ગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ રાખવાથી ગર્ભાવસ્થા દરમિયાન બાળક પર ખરાબ અસર પડે છે. જ્યારે સુતક લાગુ થાય છે અને ગ્રહણ દરમિયાન, મોટાભાગની નકારાત્મક શક્તિઓ વર્ચસ્વ રાખે છે. ગ્રહણ દરમિયાન કોઈએ ક્યારેય સ્મશાનમાં ન જવું જોઈએ. સુતક પહેરતી વખતે કોઈ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ. ગ્રહણમાં કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય સફળ નથી. ગ્રહણ દરમિયાન વાળ અને નખ કાપવાનું ટાળો. આ સિવાય કંઇપણ ખાવું કે રાંધવું જોઈએ નહીં.
સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે
અમાવસ્યા તારીખે આજનું સૂર્યગ્રહણ બપોરે 01:42 વાગ્યાથી શરૂ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાકનો રહેશે. ગ્રહણ સાંજે 6.41 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં કોઈ ગ્રહણ રહેશે નહીં, જેના કારણે તેનો સુતક અવધિ માન્ય રહેશે નહીં.
શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે?
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ કેટલાક ખગોળશાસ્ત્રીઓ અને સંસ્થાઓનું માનવું છે કે ભારતમાં ગ્રહણ સૂર્યાસ્તના થોડી મિનિટો પહેલા લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં આંશિક રીતે જોઇ શકાય છે. આ સૂર્યગ્રહણ વિદેશી દેશોમાં રીંગ ઓફ ફાયર તરીકે જોવામાં આવશે જેને વાર્ષિક સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. કુલ સૂર્યગ્રહણ અમેરિકા, યુરોપ, કેનેડા, રશિયા અને ગ્રીનલેન્ડમાં દેખાશે.
← ખેડૂત આંદોલનમાં કંઈક નવું થવાના એંધાણ, રાકેશ ટિકૈત CM મમતા બેનરજીને મળ્યાં અને સરકાર ખેડૂતો સાથે વાટાઘાટો માટે તૈયાર છે આ શરત રાખી છે
ગુજરાત માં આ ખોડિયાર મંદિરમાં માતાજીનું ત્રિશૂળ હેઈટ દર વર્ષે વધે છે તેવું કહેવાય છે,જાણો આ ચમત્કારી મંદિર પરચો જાણો પુરી વાત જાઓ →
આગામી 12 કલાક માં પડશે ભારે વરસાદ ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી, શનિ-રવિ અને સોમવારે આ વિસ્તારમાં ભારે વરસાદ થી સાવધાન! | guj_Gujr |
એ.જે.મેકરની કલમે લખાયેલી આ વાર્તાઓ તમને ઘણુબધું શીખવી જશે... - જલ્સા કરોને જેંતીલાલ
Home લેખકની કટારે A.J.Maker એ.જે.મેકરની કલમે લખાયેલી આ વાર્તાઓ તમને ઘણુબધું શીખવી જશે…
"ધીઝ ઈઝ માય લાસ્ટ નાઈટ, એન્ડ લાસ્ટ કોલ તને આજે જે કહેવું હોય એ કહીદે કાલે સવારે હું નહિ હોઉં."
રાત્રે ૧૧:૪૫વાગે મનએ ગંભીરતાથી મેઘાને કહ્યું.
"પ્લીઝ મન, ડોન્ટ ફિલ નેગેટીવ. કાલે નવી સવાર થશે, જરૂર થશે."
મેઘાએ મનને સમજાવતાં કહ્યું. મનએ કોલ કટ કરી નાખ્યો.
મન એક IT સ્ટુડન્ટ હતો. ખૂબજ હોશિયાર અને હંમેશા કઈક નવું કરવા માટે તત્પર રહેતો. MSCITનો કોર્સ પૂર્ણ કર્યાબાદ તેણે પોતાની વેબડવેલોપમેન્ટ ફર્મ શરુ કરી. ૭નવા યુનિક પ્રોગ્રામ્સ બનાવ્યા જે વર્તમાન ટેકનોલોજી કરતા એક્સ્ટ્રા ઓર્ડીનરી હતાં. પણ એક્સ્ટ્રા ઓર્ડીનરી હોવાના કારણેજ તેના બધાજ પ્રોગ્રામ્સ ઇન્વેસ્ટર કંપનીઓએ રીજેક્ટ કર્યા હતા. તેની સાથે ભણતા તેનાથી નબળાં સ્ટુડન્ટસ જોબ કરીને વેલસેટ થઇ ગયા હતા. પણ મન હંમેશ પોતાનું કઈક ક્રિએટીવ વર્ક કરવા ઈચ્છતો હતો. ૩વર્ષ સતત મહેનત કર્યા પછી પણ તેના પ્રોગ્રામ્સ માટે ઇન્વેસ્ટર ન મળ્યા. સરવાળે ખર્ચા પૂરા કરવા માટે તેણે માર્કેટમાંથી પૈસા ઉધાર લેવાનું શરુ કર્યું. પણ આવક વધુ ન મળતાં પૈસા ચુકવવામાં તકલીફ થવા લાગી.
લેણદારોના રોજ ફોન આવવા લાગ્યા ક્યારેક તો લેણદારો ઘર સુધી પહોચી જતાં. જેના કારણે ઘરમાં પણ વાતાવરણ તંગ રહેવા લાગ્યું. તેને વારંવાર જોબપર લાગી જવા માટે ફોર્સ કરવામાં આવતો. તેના ફ્રેન્ડસ અને રીલેટીવ્સ પણ મળતાં ત્યારે એજ સમજાવવાની કોશિશ કરતાં તો કોઈક તેની મજાક ઉડાડતા, માટે તેણે ધીરે ધીરે બધાથી મળવાનું ઓછું કરી નાખ્યું. આવા સમયે મેઘા, જે એની ક્લાસ મેટ હતી અને વર્તમાનમાં સોલમેટ બની ગઈ હતી. એજ એને મોટીવેશન આપતી. પણ આજે ઘરમાં થયેલી બોલાચાલીએ તેને અંદરથી ખૂબ તોડી નાખ્યો. મનને હવે જીવન ટુંકાવવા સિવાય કોઈ રસ્તો ન દેખાયો.
મેઘનો કોલ કટ કરીને તેણે સુસાઈટ નોટ લખી કે તેની મૃત્યુનો જવાબદાર તે પોતેજ છે. છેલ્લી વાર પોતાના બધાં પ્રોગ્રામ્સની ફાઈલ જોઈ ખંધુ હસ્યો. ફાઈલ બેડ પર મુકીને હાથમાં ફોન અને પોઈઝન લઈને તે ટોયલેટમાં ગયો. મરતી વખતે મેઘાનું મોઢું એની આંખ સામે હોય એવી તેની ઈચ્છા હતી. મેઘાનો ફોટો વોલપેપર પર સેટ કરીને તેણે પોઈઝનની બોટલ ખોલી. ત્યારેજ તેને USAની ઇન્વેસ્ટરકંપનીનો મેઈલ આવ્યો.
"WE ARE INTRESTED IN YOUR PROGRAMS. PLEASE MEET OUR INDIAN MANAGER AT HIS PLACE. THIS IS CONTACT DETAILS. GOOD JOB." મનએ ઘડિયાળ સામે જોયું નવી ડેટ સાથે 00:05નો સમય દેખાયો.
"હું હજી પણ એજ આશામાં જીવું છું કે તું મને માફ કરી ને નવી શરૂઆત કરીશ."
રીતેશ એ ઘણી વિનંતી કર્યા પછી મળવા આવેલી રીટાને કહ્યું.
"હું પણ એજ દિવસની રાહ જોઉં છું, પણ આઈ ડોન્ટ થીંક કે એ દિવસ ક્યારે પણ આવશે."
કહીને રીટા ચાલી ગઈ.
રીતેશ આશા ભરેલી નજરે રીટાને જતી જોઈ રહ્યો હતો, પણ રીટા એ પાછળ વળીને ન જોયું. બંનેના લગ્ન ને હજી એક વર્ષ પણ ન'તો થયો. પરંતુ એ પહેલા ૨ વર્ષથી બંને એકબીજા સાથે હતા. એક સાથે જોબ કરતાં કરતા બંને એ જીવન સાથે વીતાવવાના સપના સેવ્યા. એક વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો અને પછી મહા મહેનતે ઘરવાળાંને મનાવીને લગ્ન કર્યા. પણ લગ્નને એક વર્ષ થાય એ પહેલાજ બંને છૂટા પડવાની તૈયારીમાં હતા. રીટાની દૃષ્ટિએ જેનું મૂળ કારણ હતું રીતેશનો શંકાશીલ સ્વભાવ.
પ્રેમ સંબંધની શરૂઆતમાં ક્યારેય બંને વચ્ચે બોલાચાલી ન થઇ પણ લગ્ન પછી દર અઠવાડિયે બંને વચ્ચે ઝઘડાં થવા લાગ્યા. રીતેશે રીટાના એક બેસ્ટ ફ્રેન્ડ સુજીત સાથે એનો અફેર ચાલતો હોવાની વાતો કરી, પૂરાવા શોધવાના પ્રયાસો કર્યા. અને જયારે કંઈ ન મળ્યું ત્યારે સુજીતને કોલ કરીને ધમકાવ્યો. ત્યારે રીટાએ છૂટા પડવાનું નક્કી કર્યું. રીટાના ગયા પછી સુજીત રિતેશને મળ્યો અને બધું ક્લિઅર કર્યું. ત્યારે રીતેશને પોતાની ભૂલ સમજાયી અને પસ્તાવો થયો. રીટાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ રીટા પોતાના કેરેક્ટર પર પોતાના પ્રેમ પર શંકા કરવાવાળા રીતેશ ને માફ ન કરી શકી.
ત્રણ મહિના પછી રાત્રે બાર વાગે અચાનક રિતેશનો ફોન રણક્યો. એણે જોયું તો રીટાનો મેસેજ હતો.
"કાલનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે, નવી શરૂઆત કરવા માટે એથી વધુ સારો દિવસ કદાચ નહિ મળે."
સાથે મળવા માટેની જગ્યા અને સમય પણ લખેલો હતો. રિતેશને યાદ આવ્યું કે કાલે રીટાનો જન્મદિવસ છે. બીજા દિવસે એ રીટાએ કહેલા સ્થળ પર પહોચ્યો. કેફેના દરવાજા પાસે પહોચતા જ એના પગ થંભી ગયા. રીટા અને સુજીત સાથે હતા, રીટાનું માથું સુજીતના ખભા પર હતું અને હાથ સુજીતના હાથોમાં. રીતેશ એ ત્યાંજ ઊંભીને મેસેજ ફરીથી વાંચ્યો. રાત્રે ઉતાવળમાં એ છેલ્લી લાઈન વાંચવાનું ચુકી ગયો હતો.
"આઈ લવ યુ સુજીત."
નાહક અફસોસ
"અભિજિત એક ખૂબજ સારો લેખક હતો, અફસોસ કે લોકો એ ઉગતા સૂરજને વધાવી ન શક્યા. અભિજિતની લખેલી એક સ્ક્રીપ્ટ એના મિત્ર દ્વારા મને મળી છે, ટૂંક સમયમાં જ હું અભિજિતને શ્રદ્ધાંજલી આપવા એ સ્ક્રીપ્ટ પર મુવી બનાવીશ."
જાણીતા, પણ થોડા સમયથી ફ્લોપ ફિલ્મોના કારણે પછાડાયેલા પ્રોડ્યુસર સુરેશ દેસાઈએ અભિજીતની પ્રાર્થનાસભા પૂરી થયા પછી મીડિયાને જણાવતાં કહ્યું.
આજે અચાનક એ અભિજીતની પ્રાર્થના સભામાં શા માટે આવ્યા? અને અચાનક મીડિયા કવરેજ ક્યાંથી આવ્યું? એ ત્યાં ઉભેલા દરેક માટે આશ્ચર્યની વાત હતી. અભિજિત સારો લેખક હતો. એણે લખેલી બુક્સ ઘણાસમયથી પ્રકાશકોના હાથમાં હતી પરંતુ પબ્લીશ ન થઇ. ફિલ્મ બનાવવા માટે તેણે સ્ક્રીપ્ટ્સ તૈયાર કરી અને પ્રોડ્યુસર્સના દરવાજે ઘણા ધક્કા ખાધા. પણ ક્યાંયથી પોઝીટીવ રીપ્લેય ન મળ્યો. કારણ માત્ર એટલોજ હતો કે એ હજી આ ફિલ્ડમાટે નવોદિત હતો. અભીજીતનું નામ ક્યાંય બુક્સમાં મેગેઝીનમાં કે વર્તમાનપાત્રોમાં છપાયું ન હતું, જેના કારણે એક લેખક તરીકે જાણનારો વર્ગ ખૂબજ ઓછો હતો. એક લેખક બનવા માટે તેણે પોતાનો વર્તમાન દાવ પર લગાવી દીધો હતો.
મિત્રો, સંબંધીઓ તેને ટોકતાં, સમજાવતાં, પણ અભિજિત પર લેખક બનવાનું, ફિલ્મ્સ બનાવવાનું જાણે ભૂત સવાર હતું. ઘણા પ્રયત્નો અને અથાગ પરિશ્રમ પછી પણ હાથમાં કંઈ ન આવતાં અંતે ડીપ્રેશનમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી. એનાં જીવતાં જે લોકોએ એનો હાથ ન જાલ્યો, કદર ન કરી, એવા લોકો આજે અભિજીતના હુનરના વખાણ કરતાં કે નાહક અફસોસ કરતાં થાકતાં ન હતાં.
"સર, કેન આઈ આસ્ક યુ સમથીંગ?"
મીડિયાની પાછળ ઊભેલા રોહનએ સુરેશ દેસાઈને પુછ્યું.
"યેસ, સ્યોર."
સુરેશ દેસાઈએ કહ્યું.
"સર, હું અભિજીતનો બાળપણનો એકનો એક મિત્ર છું, એવી કોઈવાત નથી જે હું ન જાણતો હોઉં, અને મારી જાણકારી મુજબ અભિજિત સૌ પ્રથમ પોતાની સ્ક્રીપ્ટ લઈને તમારી પાસેજ આવે લો, તમને કન્વેન્સ કરવા માટે એણે ઘણા ધક્કા ખાધાં. પણ તમે તેને ખૂબજ સારીરીતે અપમાનીત કરીને બહાર કાઢેલો. શું એ વાત સાચી છે?"
રોહનની વાત સાંભળીને સુરેશ દેસાઈના ચેહારાનો જાણે રંગ ઉડી ગયો. એ અવાચક થઈને જવાબ દેવા માટે થોથાં ખાવા લાગ્યા. રોહન રોષ ભરેલી આંખે તેમને જોતો રહ્યો.
"હાઉ ડેર યુ ડુ ધીસ વીથ મી. આટલી જલ્દી સેકન્ડ ચોઈસ…?"
માહી એ ફોન પર બરડા પાડતા વંશને કહ્યું.
"જલ્દી…? મે આઠ મહિના સુધી તારી રાહ જોઈ, પણ તારી પાસે ટાઈમ જ ક્યાં છે મારા માટે? એટલા માટેજ, મેં નક્કી કર્યું કે મારે હવે સેકન્ડ ચોઈસ સાથે આગળ વધવું જોઈએ. તું તારી ફ્રેન્ડસના સજેશન માન અને ખુશ રહે હું મારી લાઈફમાં ખુશ છું. બાય."
વંશ અને માહી એક વર્ષ પહેલા મળ્યા હતાં. થોડા સમયમાંજ વંશે માહીને પ્રપોઝ કરેલું અને માહી એ સ્વીકારેલું પણ ખરું. પણ પોતાની ફ્રેન્ડસના "છોકરાઓ ને વધુ ટાઈમ આપો તો એમનું એટ્રેકશન ઘટી જાય અને બીજે મોઢા મારવા લાગી જાય" વગેરે જેવા સજેશનસ માનીને તેણે વંશને ક્યારેય વ્યવસ્થિત ટાઈમ ન આપ્યો. આઠ મહિના દરમિયાન ઘણી વખત એવું બન્યું કે વંશને હકીકતે કોઈકની હુંફની જરૂર હતી, એ એકલતા અનુભવતો. પણ માહી પાસે વોટ્સએપમાં ચેટીંગ કર્યા સિવાય બીજો કોઈ સપોર્ટ કરવાનો ટાઈમ ન હતો. દર વખતે એ મળવાનું ટાળવા માટે ખોટા બહાના બનાવતી. જેની વંશને ખબર પડી ગઈ. એણે માની લીધું કે માહીને રીલેશનશીપમાં ઇન્ટરેસ નથી અને તે પ્રીતિના ટચમાં આવ્યો. માહીથી એ સહન ન થયું માટે તેણે વંશને બ્લેમ કરવા કોલ કર્યો. પણ વંશ ઘણો આગળ નીકળી ગયો હતો. એના જીવનમાં માહી માટે અવકાશ ન હતું. પરિણામે બંને છુટા પડ્યા.
બે વર્ષ વીતી ગયા હતાં. વંશને નીચો દેખાડવા માહી એ પ્રીતિ અને વંશથી પહેલા લગ્ન કરી લીધા. દુનિયાની નજરમાં એ લગ્ન કરીને સુખી હતી, પણ પોતાના આંતરિક લગ્ન જીવન વિષે માત્ર એ પોતેજ જાણતી હતી. જયારે પણ એ દુઃખી થતી ત્યારે વંશ સાથે થયેલી એ છેલ્લી વખતની કોલ પર થયેલી વાતનું રેકોર્ડીંગ સાંભળતી અને પશ્ચાતાપ સાથે રડવા લાગતી. આજે પણ એવુંજ થયું હતું. માહીનો પતિ નશામાં માહી પર હાથ ઉપાડીને ઊંઘી ઘયો હતો અને પોતે બાથરૂમમાં બેઠાં બેઠાં રડી રહી હતી. | guj_Gujr |
અભિનેતા પ્રતિક ગાંધી હવે 'લીલા' નહીં 'ભવાઈ' કરશે, ફિલ્મ રાવણ લીલાનું નામ બદલાયું
અભિનેતા પ્રતિક ગાંધી હવે 'લીલા' નહીં 'ભવાઈ' કરશે, ફિલ્મ રાવણ લીલાનું નામ બદલાયું
શેરબજારના એક સમયના બિગબુલ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હિન્દી વેબસિરીઝ 'સ્કેમ 1992' (SCAME 1992)માં સફળતાપૂર્વક લીડ રોડ ભજવ્યા બાદ રાતોરાત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા અને લોકપ્રિય થઈ ગયેલા મૂળ સુરતના અભિનેતા પ્રતિક ગાંધીની (PRATIK GANDHI) આગામી ફિલ્મ રાવણ લીલાનું (RAVAN LEELA) નામ એકાએક બદલી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મેકર્સને તેનું નામ બદલવાની ફરજ પડી છે. હવે આ ફિલ્મનું નવું નામ 'ભવાઈ' (BHAVAI) રાખવામાં આવ્યું છે.
સ્કેમ 1992 બાદ પ્રતિક ગાંધીની ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું રાવણ લીલા. ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર લોન્ચ થયાના ત્રણ દિવસમાં 10 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે પ્રતિકની આ ફિલ્મનું નામ બદલીને 'ભવાઈ' કરી દેવામાં આવ્યું છે. મેકર્સે ઓફિશિયલ જાહેરાત કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.
ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે રાવણ લીલાનું શીર્ષક હવે 'ભવાઈ' હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે 'પ્રેક્ષકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.' તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે લાગી રહ્યું છે કે આ વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિક ગાંધીએ પણ આ વિશે પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે 'મારા માટે, દરેક વાર્તા કે જેનો હું ભાગ છું તે તમારા હૃદય સાથે જોડાવાનો રસ્તો છે અને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી! અમે એક ટીમ તરીકે સામૂહિક રીતે અમારી ફિલ્મનું નામ બદલીને BHAVAI કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં રજૂ થશે. 1 ઓક્ટોબરે થિયેટરોમાં તમારા મિત્રો અને પરિવાર સાથે મળીશું!' | guj_Gujr |
બડે કામ કી ચીજ 'સ્ટાર' | CyberSafar
રોજબરોજના કામમાં ક્યારેક તમે આ પ્રશ્નનો સામનો જરૂર કર્યો હશે કે કમ્પ્યુટરની અંદર તો ફોલ્ડરની અંદર ફોલ્ડર એમ અનેક ફોલ્ડરો છે, એમાંની ફાઇલ શોધવી કઈ રીતે?
ક્યારેક કોઈ કામની ફાઇલ કે ઇમેજ અથવા તો ગમતા વીડિયો શોધવા હોય, પણ ફાઇલનું નામ યાદ ન હોય અથવા તો ક્યા ફોલ્ડરમાં એ સેવ કરેલ છે તે પણ યાદ નથી, ફક્ત ડ્રાઇવનું નામ જ યાદ છે ત્યારે એ ફાઇલ કે વીડિયો શોધવા બહુ મુશ્કેલ બને છે.
આવે વખતે આપણને વિચાર આવે કે જો બધી ફાઇલ્સ જુદાં જુદાં ફોલ્ડરની અંદર છુપાયેલી રહેવાને બદલે એક સાથે નજર સામે હોય તો શોધવી બહુ સહેલી બની જાય. | guj_Gujr |
શું હવે કોરોના વેક્સિનના પૈસા આપવા પડશે, જાણો સંપૂર્ણ વિગત - Abtak Media
Home National શું હવે કોરોના વેક્સિનના પૈસા આપવા પડશે, જાણો સંપૂર્ણ વિગત
સોમવારથી ૨૦ હજાર ખાનગી અને ૧૦ હજાર સરકારી હોસ્પિટલમાંથી વેચાતા ડોઝ લઈ શકાશે
૬૦ વર્ષથી વધુ ઉંમરના સામાન્ય અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના ગંભીર બિમારી ધરાવતા લોકોનું રસીકરણ
ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ માટે રૂ.૩૦૦થી ૪૦૦ ચૂકવવા પડશે
કોરોના મહામારીના કપરાકાળમાંથી ઉગરવા તમામ દેશો, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે. ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ મોટાપાયે ચાલુ છે.ભારતમાં હેલ્થ વર્ક્સ અને ફ્રંન્ટલાઈન વર્કસને રસીકરણ કરાયા બાદ હવે આગામી સોમવારથી ૬૦ વર્ષથી વધુ વયના લોકોને ડોઝ અપાશે. તેમજ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જે કોઈ ગંભીર બિમારીથી પીડિત હોય તેને પણ કોરોના કવચ પૂરૂ પડાશે. એમાં પણ નોંધનીય વાત એ છેકે કોરોના રસીનાં ડોઝ હવે, ખાનગી ધોરણે એટલે કે વેચાતા પણ લઈ શકાશે. ૧લી માર્ચથી ૧૦ હજાર સરકારી હોસ્પિટલો અને ૨૦ હજાર ખાનગી હોસ્પિટલોમાંથી ડોઝ ખરીદી શકાશે.
જો કોઈ વ્યકિત ખાનગી હોસ્પિટલમાંથી રસી લેવા ઈચ્છે છે તો તેણે આ માટે એક ડોઝના રૂ.૩૦૦ થી ૪૦૦ ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે ઓકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસીત સીરમ ઈત્રન્ડસ્ટીટયુટની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસન સાથે ભાવબાંધણું કર્યું છે. જેની કિંમત ૪૦૦થી ૪૦૦ રૂપિયા હશે. જોકે, કોવિશીલ્ડની સરખામણીએ કોવેકિસનની કિમંત થોડી ઉંચી હશે. રસીકરણ માટે દરેક વ્યકિતએ વેલ ઈન્ટરફેસ, આરોગ્ય સેતુ એપ અથવા આઈઆરએફ થકી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેમાં પણ રેલવે ટીકીટની જેમ રિઝર્વ અને અનરીઝર્વ કેટેગરી હશે.
સરકારે દેશભરમાં ૫૦ હજારથી ૬૦ હજાર જેટલા સેશન યોજવાનું નકકી કર્યું છે. હાલ દરરોજ ૧૦, હજાર જેટલા સેશન યોજાય છે. પરંતુ હવે, રસીકરણ ખાનગી હોસ્પિટલોમાં પણ શરૂ થતા તેમાં વધારો થશે. | guj_Gujr |
શિયાળુ પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતો સામુહિક આત્મહત્યા કરશે | chitralekha
મુંબઈમાં 60-માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી; એકનું-મરણ
અનન્યા-આર્યન વોટ્સએપ-ચેટઃ 'ગાંજાની ગોઠવણ થાય એમ છે?'
Home News Gujarat શિયાળુ પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતો સામુહિક આત્મહત્યા કરશે
શિયાળુ પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતો સામુહિક આત્મહત્યા કરશે
અમદાવાદઃ ગુજરાતની રાજસ્થાન સાથે જોડાયેલી બોર્ડરની આસ-પાસના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી ઉપ્લબ્ધ નથી થઈ રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે અમે રજૂઆત કરીએ તેના બાદ એક-બે દિવસ જ કેનાલથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ત્યારબાદ તેને ફરીથી બંધ કરી દેવામાં આવે છે. સરકારના આ વલણથી નારાજ રાછેણા ગામ અને તેની આસપાસના ગામડાના આશરે 300 જેટલા ખેડૂતોએ સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. ખેડૂતોએ કહ્યું છે કે તેમને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવામાં નહી આવે તો પછી તેઓ સામૂહિક આત્મહત્યા કરશે.
ગુજરાતમાં આ વર્ષે 140 ટકાથી પણ વધારે વરસાદ થયો છે. રાજ્યમાં આવેલા મહા વાવાઝોડાના કારણે જે વરસાદ થયો તેમાં ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ગયો હતો. હવે તેમને સિંચાઈ માટે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના કેટલાક ખેડૂતોએ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોની માંગ છે કે તેમને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવે. આ સિઝનમાં અત્યાર સુધી તેમને આ સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો શનિવાર 7 ડિસેમ્બર સુધીમાં પાણીની સુવિધા ન મળી તો 300 ખેડુતો મામલતદાર ઓફિસની સામે સામૂહિક આત્મહત્યા કરશે.
ખેડૂતોએ કહ્યું છે કે નર્મદાનું પાણી ન મળવા પર તેમની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણા ખેડૂતો પર દેવાનું ભારણ વધી ગયું છે. હવે આ દેવું વધતું જ જઈ રહ્યું છે. તેમના અનુસાર, સરકારને ખેડૂતો તરફ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ખેડૂતોની આવકનો સહારો ખેતી જ છે. જો ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો તો તે લોકો પોતાના પરિવારનું ભરણ-પોષણ કેવી રીતે કરશે? તો બીજી તરફ મામલતદારે જણાવ્યું કે ખેડૂતોની સિંચાઈની સમસ્યાઓનું જલ્દી જ સમાધાન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ મામલે સંબંધિત મંત્રીઓ તેમજ વિભાગ સાથે વાત કરીને ખેડૂતોના હિતમાં પગલા ભરવામાં આવશે. | guj_Gujr |
ભીના કચરાના નિયમોનું ઉલ્લંઘન : જુહુની 21 સોસાયટીને દંડ
મુંબઈ, તા. 3 : જુહુ-વર્સોવામાં આવેલી 21 હાઉસિંગ સોસાયટીને ભીના કચરો અલગ કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અહીંની લોકલ કોર્ટે ગઈકાલે દંડ ફટકાર્યો હતો.
શહેરમાં આવેલી 915 સોસાયટી પર આ પ્રકારની કારવાઈની તલવાર લટકી રહી છે. જે પૈકી 141 સોસાયટી કે. વેસ્ટ વૉર્ડના જુહુ-ઓશિવરા પટ્ટામાં આવેલી છે.
પાલિકાએ તાજેતરમાં સોસાયટીઓ પાસેથી અમુક ફી લઈ ભીનો કચરો એકઠો કરવા માટેની ડ્રાફ્ટ દરખાસ્ત તૈયાર
આસિ. મ્યુ. કમિશનર (કે-વેસ્ટ વોર્ડ) પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે `અમે છેલ્લા છ મહિનાથી આ સોસાયટીઓ સાથે ફોલો-અપ કરી રહ્યા છીએ અને તેમને નોટિસો પણ મોકલી છે પરંતુ તેઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તેથી અમારે કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશન ફરિયાદ નોંધાવવી પડી છે.'
દરરોજ 100 કિલોથી વધુ કચરો કરનારી અથવા 20,000 ચો.મી.થી વધુ ફેલાવો ધરાવતી સોસાયટીઓને ભીના કચરાનું પ્રોસેસિંગ કરવા માટે કોમ્પોસ્ટીંગ યુનિટો ઊભા કરવા જરૂરી છે. પાલિકાએ આવી સોસાયટીઓમાંથી કેવળ સૂકો કચરો ઉપાડવાનો નિર્ણય લીધો છે. જોકે અનેક ચેતવણીઓ છતાં 3374 પૈકી કેવળ 1500 બલ્ક જનરેટર્સ જ આ નિયમનું પાલન કરે છે.
ફિલ્મસર્જક અશોક પંડિતે જણાવ્યું હતું કે `દંડ ફટકારવાથી આ સમસ્યાનો અંત નહીં આવે. નાગરિકોએ વેસ્ટ સેગ્રીગેશનના નિયમોનું પાલન કરવું જરૂરી છે પરંતુ સત્તાવાળાઓએ સોસાયટીના સભ્યો સાથે બેસી તેમાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ સમજવી પણ તેટલી જ જરૂરી છે.
આ પ્રક્રિયામાં જોડાયેલા અૉફિસરોનું એમ કહેવું છે કે અનેક સોસાયટીઓએ એવું વલણ અપનાવ્યું છે કે કચરો એકઠો કરવાની જવાબદારી પાલિકાની છે. | guj_Gujr |
અમદાવાદમાં રહેતા ISIના બે નવયુવાન એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા - news
અમદાવાદમાં રહેતા ISIના બે નવયુવાન એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
Published: 15th October, 2012 05:20 IST
ઇન્ડિયન આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાને મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ : અમદાવાદ અને ભુજસ્થિત ઇન્ડિયન આર્મીની મૂવમેન્ટ અને ઇન્ફર્મેશન અમદાવાદમાંથી ઈ-મેઇલ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને મોકલવાના નાપાક કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરીને અમદાવાદમાં જમાલપુરમાં રહેતા આઇએસઆઇના બે નવયુવાન એજન્ટ સિરાઝુદ્દીન અને મોહમ્મદ અય્યુબને ગઈ કાલે ઝડપી લીધા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ એ. કે. શર્માએ 'મિડ-ડે'ને કહ્યું કે અમદાવાદના જમાલપુરમાં રહેતા સિરાઝુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર (ઉ. ૨૨) અને તેના મિત્ર મોહમ્મદ અય્યુબ ઉર્ફે શાકીર મોહમ્મદ અબ્દુલ કરીમ શેખ (ઉં. ૨૩) પાકિસ્તાની ગુપ્તચર આઇએએસને અમદાવાદ અને ભુજસ્થિત ઇન્ડિયન આર્મીની મૂવમેન્ટ અને ઇન્ફર્મેશન અમદાવાદમાંથી ઈ-મેઇલ દ્વારા મોકલતા હતા. સિરાઝુદ્દીનના સગા પાકિસ્તાનમાં રહેતા હોવાથી ચાર વર્ષ પહેલાં તે પાકિસ્તાન ગયો ત્યાં બૉર્ડર પર તેની આઇએસઆઇના ઑફિસર સાથે મુલાકાત થઈ હતી અને આર્મીની વિગતો મોકલવા જણાવ્યું હતું અને આ કામ માટે સિરાઝુદ્દીન તૈયાર થઈ ગયો હતો અને અમદાવાદ આવીને તેણે તેના મિત્ર મોહમ્મદ સાથે મળીને અમદાવાદ અને ભુજ આર્મીની વિગતો ઈ-મેઇલ દ્વારા આઇએસઆઇને મોકલી હતી. આ બન્ને આરોપીઓની માહિતી મળતાં તેમની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી નકશા સહિતનું સાહિત્ય મળી આવ્યું છે.
આરોપી મોહમ્મદ અમદાવાદની ભવન્સ કૉલેજમાં કરી રહ્યો છે જર્નલિઝમનો અભ્યાસ
ભારતને તબાહ કરવા માટે સતત કાર્યરત રહેતી પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા આઇએસઆઇને ઇન્ડિયન આર્મીની વિગતો ઈ-મેઇલ દ્વારા મોકલવાનું કામ કરતો અમદાવાદનો ૨૩ વર્ષનો કૉલેજિયન યુવાન મોહમ્મદ અય્યુબ અમદાવાદની ભવન્સ કૉલેજમાં જર્નલિઝમનો અભ્યાસ કરી રહ્યો છે.
સિરાઝુદ્દીન અને મોહમ્મદ મિત્રો છે. સિરાઝુદ્દીન સાત ધોરણ સુધી ભણ્યો હોવાથી તેણે મોહમ્મદની મદદ લીધી હતી. મોહમ્મદે બીકૉમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે સિરાઝુદ્દીને લાવેલી વિગતો ઈ-મેઇલ દ્વારા આઇએસઆઇને મોકલતો હતો. તે પકડાઈ ન જાય એ માટે ખાસ ધ્યાન રાખતો હતો. ઉલ્લેખનીય છે કે આ નાપાક કામ માટે તેમને અઢી લાખ રૂપિયા ચૂકવાયા છે. | guj_Gujr |
કહાની | નાઇલને કિનારેથી....
Tag Archives: કહાની
Leave a comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on April 29, 2017
નાસિર સુબ્હાની: ૨૮ વર્ષનો આ 'ટેટુ શોખીન છોકરો થોડાં જ વર્ષ અગાઉ ઈરાકથી ઇમિગ્રન્ટ બની ઓસ્ટ્રેલિયામાં આવ્યો. તેનો દેશ છૂટ્યો, દોસ્તો છૂટ્યા, યાદો-ફરિયાદો છૂટી. પણ એક બાબત કેમે કરીને ન છૂટી. અને તે હતી તેનામાં રહેલી ઈન્સાનિયત.
દુઃખ જ દર્દની દવા બને છે, એનું ભાન તેને ત્યારે થયું જ્યારે મેલબોર્નની ગલીઓમાં તેને ઘણાં દિવસો સુધી ભટકવું પડ્યું…ઘર વિના, ખોરાક વિના. એટલે ફૂટપાથી ભૂખી ઝિંદગીએ તેને લાઈફના ઘણાં ઊંડા પાઠ ભણાવી દીધા.
ત્યારે એક દિવસે એક માણસ મૂફલિસી હાલતમાં, વધી ગયેલાં માથાના અને દાઢીના લાંબા વાળ લઈને પાસે આવી ઉભો રહ્યો. અને નાસિરને કહેવા લાગ્યો: "દોસ્ત, ડ્રગ્સના બંધનથી મુક્ત થવાને આજે એક મહિનો થયો છે. અને મારી પાસે પૈસા નથી. તું મને મારા વધી પડેલા લાંબા વાળ કાપી આપીશ?"
અને બસ, નાસિરને કિક મળી, હજ્જામી કામ શરુ કરવાનો ધક્કો મળ્યો. અસ્ત્રો, વસ્ત્રો, કાતર લઇ શરુ કર્યું હજામનું કામ કરવાનો ધંધો મળ્યો. એવાં દરેક ફૂટપાઠી દોસ્તોને સાવ મફતમાં 'મેક-ઓવર' કરી આપવાનું કામ મળ્યું.
જ્યારે મનગમતું કામ ખૂટે નહિ એટલું મળતું જાય ત્યારે પેટનો ખાડો પણ પૂરવાની જવાબદારી એ કામ ખુદ પોતાના હાથમાં લઇ લે તો રોટી, કપડાં ઔર મકાનનું સોલ્યુશન આપોઆપ સામે આવી જાય છે.
આજે બે પાંદડે વધી ગયેલો 'કેશ-કીર્તન' કરતો નાસિર સુબ્હાની મેલબોર્નની કોઈક ગલીમાં હજુયે હોમ-લેસ લોકોને મફતમાં જ વાળંદી કામ આનંદી બનીને માનવતાનું માર્કેટિંગ કરતો જોવા મળી શકે છે.
દુનિયામાં આવાં નાસિર અઢળક હશે. જેમની ઈન્સાનિયત હજુયે મગજથી નહિ, પણ વાળથી ટકી રહી છે. સલામ છે એ સૌ સ્ટ્રીટ-સુખીઓને!
"દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે,
સુખી જો સમજે પૂરું તો દુઃખ ના વિશ્વમાં ટકે"
(Image Credit: Quartz Media)
નિલાંબર, પ્રેરણાત્મક, સમાચાર અચિવમેન્ટ, ઓસ્ટ્રેલિયા, કહાની, ઘટના, નાસિર, પ્રેરણા, પ્રેરણાત્મક, ફેસબૂક, મહેનત, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, હજામ, Gujarati, Gujarati language
2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on February 6, 2017
Love…Connected !
એ જુવાન-ડોસા નસલી ઈરાનીની શારીરિક ઉમ્ર હશે: 80 વર્ષ. પણ માનસિક રીતે તો હજુયે તેઓ 18 વર્ષમાં જ હતા. રોમાન્ટિક મૂવિ જોતા-જોતા સીટી પણ વગાડી શકે એવાં સૂરીલા અને રંગીલા.
(હવે નસલીની આવી શરૂઆતી ઓળખ આપું ત્યારે એ માણસ 'પારસી પોઈરો' જ હોય એમ સમજી આગળ ચાલીયે.)
હા, તો નસલીબાપાનો ૮૦માં વર્ષે બાથરૂમમાં થોડોક પગ લપસ્યો. એમાંતો તેમના પગની ઢાંકણીએ તેનું સ્થાન ડોલાવી ડોસાને દવાખાને ભેગો કરી દીધો.
આપણને એમ થાય કે એમની બૈરી રતનબાઈ (એ પણ ફક્ત 60 વર્ષની જ) કદાચ "ઓહ મારા માયજી ! ઓહ મારા ખોદાયજી! આંય ટમુને શું થયું?" જેવાં ડઝનેક સવાલો કરીને ડોસાને થોડો વધારે ગભરાવી 'નાઈખો' હસે.
પણ એના બદલે ખાલી "ઓહ્ફ ! આ ઉમ્મરે બી લપ્સો ચ્ચ, જરીક ધ્યાન રાખોની !" નો એકાદ ડાયલોગ સાંભળી લઇ ડોસાએ તેમનો જમણો હાથ રતનની પીઠ પર, અને રતનનો ડાબો હાથ તેમની કમરમાં ભેરવી દઈ ડૉ. ભમગરાની ક્લિનિકમાં આવી ગયા.
નસીબે ડૉ. ભમગરા સંબંધમાં નસલીનો જુનો સાળો. મગજથી એય ભમરો એટલે સાળા-બનેવીએ "ઘન્ના ડા'રે મલીયા, સાહેબજી !!!" કહીને ક્લિનિકમાં હસતાં-હસતાં એકબીજાંવનું સ્વાગત કરી નાઇખું.
"રતન ! ટુ ત્હારે ચુચાપ ઘેર જા. આંને ટો હું જોઈ લેવસ."- કહી એ રાતે એક તરફ ડૉ. ભમગરાએ નસલીના ઢાંકણ પર પાટાપીંડી વડે ઘાને બંધ કર્યો. અને બીજી તરફ બ્રાંડીનું ઢાંકણ ખોલીને નસલીનું પણ પેઈન દૂર કરી નાઈખું.
આપણને હવે એમ થાય આ બંનેની ધમ્માલ લાંબી ચાલવાની. પણ બીજા દિવસની રાતે નવ વાગ્યે નસલીઅંકલ બેડ પરથી ઉઠવા ગયા ત્યારે નજીક બેસેલી ક્લિનિકની 'એવન્ની ડાલ્લિંગ નર્સ-સિસ્ટરે' પૂછ્યું "અંકલ શું થયું?".
"ટુ અબ્બી હાલ ટારા સાહેબને બોલાવ. ની રેવું મારે અહિયાં." નર્સે તેનો આગળનો સવાલ અંદર જ રાખી ડૉ. ભમગરાને વેલ્લી તકે બોલાવી દીધા. સાળાજી પણ આવી ગયા સીધા બનેવી પાસે.
"ભોમિ, મારી રતનને બોલાવ હમના જ. બસ મને બીજું કાંઈ નય જોયે." – અને 'બાર વાગી' જાય એ પહેલા રતનબીબી એમના નસલી પાસે આવી ગયા.
"એકાએક શું થયું ટમુને, ભાઈ કઇ બોલિયો? મને કે'વ તો." – રતનબાઈએ મીઠ્ઠી ઇન્ક્વાયરી કરી.
"આ 'સાલ્લો' શું ધૂર બોલવાનો? અરે એની બ્રાંડીમાં મજા નઠ્ઠી. મારે એનાથી જીવ નથી ખોવો. હું ટો ટા'હરી આંખો જોઈને બીજો ડસકો નીકારવા માંગુ ચ્ચછ. ચાલ મને ઘરે લઇ જા જોવ."
તે રાતે ડૉ. ભમગરાએ તેમના બેન-બનેવીને, તેઓના 'દવા-દારુ'ના બિલને… બધાંને માફ કરી દીધા. કેમ કે મોડે મોડે એમને પણ એમને સમજાઈ અને દેખાઈ ગયું કે…
નસલી મોટ્ટી ઉંમરે પણ શું કામ એની રતનને લઇ 'આવીયો' તો…અને એ ખુદ હજુયે કેમ તેની ડાલ્લિંગ 'ધન' વગરનો જ રહી ગયેલો….આંખોમાં અટકી ગયેલાં તેના આંસુઓની જેમ….સાવ કોરો કટ્ટ જ !
પ્યારો પારસી પંચ:
"શરમને પણ બેશરમ થવા 'બે'નો સહારો જ જોઈએ છે. ચૌદમી તારીખો તો આવશે અને…'ભમ્મ' કરતી ચાલી જાશે…!!! "
– મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ. ૨૦૧૭, વેલેન્ટાઇનના વહેણમાં…)
(Image Credit: 'i.huffpost.com)
કહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક કથા, કહાની, ઘટના, પારસી, પ્રેમકહાની, મમતા, મોહબ્બત, વાર્તા, વેલેન્ટાઇન, સ્ટોરી, Gujarati, Gujarati story, Love story, Parsi
ઝિરોથી શરુ થઇ પાછા ઝિરો બનવાની ઘટના એટલે….
1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on November 27, 2016
"અપની મરઝીસે કહાં અપની સફરકે હમ હૈ,
રુખ હવાઓં કા જીધર કા હૈ, ઉધરકે હમ હૈ!"
•••> ઝિંદાદિલી શીખવતી ફિલ્મ 'આનંદ' આવી 'તી….ને સૌના દિલો પર "આહ !" કરાવીને ચાલી ગઈ.
•••> સ્વ-એહસાસ કરાવતી ફિલ્મ 'જબ વિ મેટ' આવી…ને સૌના મોંમાં "મૈ અપની સબસે ફેવરિટ" બોલાવીને ચાલી ગઈ.
•••> ખુલ્લા-દિલી દાખવતી ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી…દોબારા' આવી…ને "અપને અંદર રહે અંતરાત્મા કો જગાઓ"નું ટીકલ કરીને ચાલી ગઈ.
•••> શ્રેષ્ઠત્તમ બનવાનું શીખવતી ફિલ્મ '૩ ઇડીયટ્સ' આવી…અને "એકસેલન્સી"ની આંગળી ચીંધીને ચાલી ગઈ.
•••> આઝાદી અને નિજાનંદ કેળવતી ફિલ્મ 'ક્વીન' આવી…અને "બિન્દાસ્ત બનો" નો બોધ આપીને ચાલી ગઈ.
•••> અને…હવે પ્યારી, વહાલી, લાડલી લાઈફ જેવાં લેસન્સ શીખવતી 'ડીયર ઝિંદગી' આવી છે….અને એ ય "વાઉં સુપર્બ !" જેવાં મજેદાર મોરલ્સ આપીને ચાલી જશે.
આપણે સૌ કાં તો એવી હજુ અનેક ફિલ્મ્સ જોઈશું, જાણીશું, માણીશું, વાંચીશું કે સાંભળીશું. અને છેલ્લે પાછા 'કોમ્પ્રોમાઈઝ'ની પોઝિશનમાં આવી જાશું.
અમિતાભ, અભય, અક્ષય કે આલિયા આવે…આપણી લાઈફ તો એવી ફિલ્મ્સમાંથી નીકળતાં ૨-૩ કલાકના સોડા-વોટર જેવાં જોશમાં છબછબિયાં મારી નીકળી જશે અને
એક દિવસે….આપણે ય આપણી ફિલ્મ ઉતારી 'ચાઈલા જાશું'. ને કોઈક એવી ક્ષણે આપણા શરીરની ૩૬૦ દિશાઓમાંથી છેલ્લે એક જ અવાજ આવશે:
"શું લાઈફ જીવ્યા?"
મિની-મેગા મોરલો:
"ઝિરોથી શરુ થઇ પાછા ઝિરો બનવાની ઘટના એટલે ઝિંદગી." – મુર્તઝાચાર્ય
(ફોટો ક્રેડિટ: TheBetterIndia.com)
કહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક અચિવમેન્ટ, આભાર, કહાની, ઘટના, પ્રેરણા, પ્રેરણાત્મક, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, Dear Zindagi, Gujarati, Gujarati story, Inspirations, Inspiring quotes, Life Saving Movies, Motivations, Murtaza Patel, Review
किस्सा है कहानी है पहेली है, ज़िन्दगी ये मुँहलगी सहेली है !
2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on November 13, 2016
હાથમાં પરસેવાથી ભીના થઇ આવેલાં ચંદ રૂપિયા, હથેળીમાં ચાંદ જેવાં દેખાતા શમણાં અને હૈય્યામાં ચંદનની સુગંધ જેવી અસર રાખવાની કોશિશ કર્યે રાખતો એક મધ્યમ-વર્ગ ભારતીય વર્ષો…વર્ષોથી વંશ-વારસે શીખવેલી આશાઓમાં જીવતો રહે છે.
ભલેને ભારતમાં ટેકનોલોજી સિકલ બદલાતી રહે પણ શકલ પર 'ક્યારેક તો એ સાકાર થશે, કોઈક ક્ષણે તો નસીબનું પાનું ફરશે, મુશ્કેલીમાં કોઈક તો મદદે આવશે જ' જેવાં અસંખ્ય મુરાદો અને ઈરાદાઓની ટોપી પહેરી રાખી છે.
કાળા-ધોળાંના બદલાવની આ પરીસ્થિતિ ૨૫ વર્ષ અગાઉ પણ એવી જ હતી જેવી અત્યારે છે. બદલાયું છે માત્ર આવરણ. સમજો ને કે ગિલીટ ચડાવવામાં આવ્યું છે.
આ પ્રૂફ જ જુઓને ૮૦'ના દશકમાં દૂરદર્શન પર આવેલી સિરિયલ 'દાને અનાર કે'માં ગુલઝાર સાહેબની કલમ પણ એ સમયે સવારે ઉઠ્યા પછી કરાતાં કોગળાંમાં બોળાયેલી લાગે અને તેની અસર જમ્યા પછી માંજ્યા વિનાના વાસણોમાં પડી રહેલી ચીકાશમાં દેખાતી હોય….
થોડાંમાં કેટલું બધ્ધું શમાવેલું છે !!
किस्सा है कहानी है पहेली है,
ज़िन्दगी ये मुँहलगी सहेली है.
पहेली है, सहेली है….
दो-दो रुख हैं, दोगली है ज़िन्दगी,ज़िन्दगी
आज आए और कल ही जाना है, जाना है,
मीठी जैसे दाने हैं अनार के,
खट्टी जैसे ये अनारदाना है
गैर जैसे गहना हो पडोस का,
साथ जैसे हाथ में हथेली है
(ફોટો ક્રેડિટ: topnews.in)
કહેક્શા, કાવ્ય, નિલાંબર અનાર, કહાની, કાવ્ય, ગુલઝાર, ઝિંદગી, પ્રેરણા, મુર્તઝા પટેલ, મોહબ્બત, લાઈફ, લાઈફસ્ટાઈલ, વિચાર-વિકાસ, સિરિયલ, સ્વપ્ના, Gujarati, Gujarati language, Murtaza Patel
દિમાગની નસબંધી કરનારા આ છે નજરબંધી કલાકારો…..!!!
Leave a comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on October 7, 2016
બે અઠવાડિયા અગાઉ તમામ થયેલાં 'અમેરિકા'ઝ ગોટ ટેલેન્ટ શોઝની' ફાઈનલમાં બીજાં નંબરે આવેલાં આ બેઉ જણા ટોમી ટેન અને તેની પાર્ટનારી મિસ. એમિલી વોન'તાસ ઇલ્યુઝન-ખેલમાં 'બવ ભારે' જોડી તરીકે પંકાઈ આવી છે.
ઇલ્યુઝન (નજરબંધી)ની સુપર ટ્રિક્સ દ્વારા પહેલા યુરોપને ઘેલું બનાવ્યું, ને હવે અમેરિકાના એ ટેલેન્ટ-શોમાં તેમના નજરબંધીના અધધધભૂત પ્રયોગો દ્વારા જોનારાં દિમાગની નસબંધી કરી રહ્યાં છે.
પહેલા હું ક્લાસિક જાદુગર ડેવિડ કોપરફિલ્ડને મહાન ઇલ્યુઝનિસ્ટ માનતો 'તો. પણ હવે આ બંનેની ઘણી ટ્રિક્સ જોયા બાદ તેમને સુપર-ફેન્ટાસ્ટિક માનું છું.
ઓફકોર્સ દરેક જાદુની પાછળ સાયન્સ-મેથ્સના મિશ્રણની અથાગ પ્રેક્ટિસ કામ કરે છે. પણ આપણા મનમાં ચાલી રહેલાં (અને ચુકેલાં) વિચારો, નંબર્સ, સંખ્યા, ઘટના, વસ્તુ જેવી અખૂટ માહિતીઓ આ બેઉ કઈ રીતે જાણી શકે એ 'સોચને કા વિષય બન્યા હૈ'.
એમની સાડા-સાતસો જેટલી કરામતોને જોઇને મારી તો શું કોઈનીયે આંખોના પોપચાં ઢીલ્લ્લા થઇ શકે છે. લ્યો આપું એક નસખેંચું ઉદાહરણ…
એમિલી સ્ટેજ પર બેસી આંખો પર કાળી પટ્ટી પહેરી હિંચકે ઝૂલે છે. તેનો પાર્ટનર ટોમી કોઈપણ પ્રેક્ષક પાસે જાય.(એ પ્રેક્ષક પણ પાકે પાયે કોઈક અજાણ્યો જ હોય). પછી તેની પાકીટ તેના હાથે ખોલાવે અને અંદર શું શું છે એ જોવાની કોશિશ કરે.
એ દરમિયાન ટોમી તો કશુંયે બોલે નહિ. પણ ત્યાં દૂર બેસેલી એમિલી પેલા અજાણ્યા માણસે શું ખોલ્યું છે?, એમાંથી તેણે શું કાઢ્યું છે? તેનો રંગ-રૂપ-સાઈઝ, કવોન્ટિટી શું છે? તેની પર શું શું લખ્યું છે? કઈ રીતે લખ્યું છે?…..એ જાણે બધું જ જોઈ શકે એમ ધીમેધીમે બોલવા માંડે.
ત્યારે હાજર સૌને ખબર પડે કે…એમિલી નામની આ એક્સ-રે મશીન બાઈએ પેલા પ્રેક્ષકભ'ઈની પાકીટમાંથી કોઈક અનેરી ડિઝાઈનવાળા ક્રેડિટ-કાર્ડના એ માલિકનું નામ, કાર્ડ-નંબર, તેની એક્સપાયરી ડેટ અને ઓહ ! એમાં બેલેન્સ કેટલું છે એ પણ આસાનીથી કહી બતાવે.- બોલો, આવું કર્યા બાદ ધડાધડ તાળીઓ ના પડે તો બીજું થાય પણ શું?-
હવે તમને સવાલ થાય કે કદાચ એમિલીનો એ પાર્ટનર કોઈક સિક્રેટ-કોડ દ્વારા સ્ટેજ પર બધું ટ્રાન્સફર કરતો હશે??!?! – પણ આવી શંકા આવે એ પહેલા ટોમીબાપુ એવો પુરાવો બતાવે કે સમાધાન પહેલા જ શંકા તેલ લેવા ચાલી જાય. તો લ્યો બાપુ, બીજું દાંત-દબાવ ઉદાહરણ આપું…
પેલો ટોમી એક દળદાર ડિક્શનેરી લઇને કોઈપણ અજાણ્યા પાસે જાય. અને કહે કે… "બકા, તું જાતે કોઈ પણ પાનું ખોલ. અને એમાં રહેલો સૌથી લાંબો શબ્દ કાઢીને મનમાં યાદ રાખી લે."
પછી એક તરફ ટોમી એક કાગળ-પેન હાથમાં લે. અને પેલાએ જે શબ્દ ધાર્યો હોય એ કાગળમાં લખવા માંડે. પેલો શબ્દ બોલે પણ ટોમી તો કાગળ પર નંબર લખી બતાવે. એટલે બધાંયને થાય કે ટોમીયાએ લોચો માર્યો.
પછી એ નાટકીય અંદાજે બોલે "ઓહ સોરી હોં ! આપડી ભૂલ થઇ લાગે છે." એમ કહી સાચો જવાબ જાણવા એમિલી તરફ ડોકું ઘુમાવે. ને ત્યાંતો એમિલી આખેઆખો શબ્દ લખીને બેસી રહી હોય.
પછી એમિલી એ કાગળ બધાંને બતાવે. પેલો શબ્દ આપનાર પેક્ષક ગાંડો થાય એનો વાંધો નથી. એ ક્ષણે ટોમી તેનું પોત પ્રકાશે. અને જણાવે કે "હુંયે ખોટો નથી ભૈલા! મેં જે સંખ્યાત્મક કોડ લખ્યો છે, તે ડિક્શનેરીમાં આવેલા તે ધારેલા શબ્દનો પાનાં નંબર અને શબ્દની મૂળ જગ્યાનું સ્થાનાંક છે." –
બોલો, તમેય દાંતે આંગળી ભરાવી ને? – અત્યારે લાખો લોકો પણએવુંજ કરી રહ્યાં છે. એમને સવાલ થઇ રહ્યો છે. :
'હાળું, બંને આવી નજરબંધી કરે છે કઈ રીતે? એટલે જ કહું છું કે કપલનો ફોટો કપલ ઓફ સેકન્ડ્સ માટે ધ્યાનથી જોશો.
હવે તમે સૌ કદાચ એમની ટ્રિક્સનું સર્ચિંગ કરશો જ એવું હુંયે એડવાન્સમાં જણાવી શકું છું.
પણ મને હવે શંકા થાય છે કે ટિકી-ટિકીને જોતા આ બંનેના ફોટોને આપણે 'એન્જોયા' કરશું અને કદાચ આપણા મનની અંદર અને 'અન્ડર' રહેલું બધ્ધુંયે જાણી લેશે તો?!?!?! પછી આપડે કોહને મોઢું બતાઈશું લ્યા હેં ! 😛
(Image Credit: agt.wikia.com.)
કહેક્શા અચિવમેન્ટ, અમેરિકા, કલાકાર, કહાની, ઘટના, જાદુગર, નજરબંધી, પ્રેરણાત્મક, વાર્તા, સમાચાર, સોશિયલ મીડિયા, Gujarati, Gujarati language, Gujarati story, Murtaza Patel
તમને એવી સ્કૂલ ગમે કે જેમાં….
6 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on April 23, 2016
જે સ્કૂલ પ્રાઈમરીથી લઇ સેકન્ડરી (કૉલેજમાં આવતા પહેલા) નીચે મુજબનાં સબ્જેક્ટ્સ/ટ્રેઈનિંગને Must Be Compulsory કરી શકે તેને સાચા અર્થમાં મંદિર-મસ્જીદ-'ગુરુ'દ્વારા-ચર્ચ ગણવું એવું મારું માનવું છે.
૧. યોગ અને મેડિટેશન– (બેઝિકથી એડવાન્સ. બોડી આડું કર્યું હશે તો માઈન્ડ પણ ટટ્ટાર ઉભું રહી શકશે. કૉલેજ પછી પણ.)
૨. સ્પોર્ટ્સ– (દરેક પ્રકારના. જેમાં આગળ વધતા ધોરણે કોઈ એક સ્પોર્ટ્સમાં માસ્ટરી આપોઆપ કેળવાઈ શકે)
૩. સેલ્ફ-ડિફેન્સ– (યેસ ! માનસિક અને શારીરિક કોન્ફિડેન્સનો ધોધ વહેતો થાય એવાં દરેક પહેલું શીખાય પછી 'દેશભક્તિ' શું છે એવું કહેવાની પણ જરૂર જ 'ની પડે')
૪. આઉટ-સાઈડ એડવેન્ચર્સ– (સાહસિકતા માત્ર ટ્રેઈન કે પ્લેનની મુસાફરીથી નહિ પણ ભોમિયા સાથે ડુંગરા ભમવાથી આવે છે. બચ્ચાએ પેઈન ખમ્યું હશે તો ગેઇન મેળવવાનો આનંદ પણ માણી શકશે.)
૫. સેલ્સ-માર્કેટિંગ– (પિનથી લઇ પિયાનો કેમ વેચી શકાય એની ટ્રેઈનિંગનું બેઝિક શીખવા મળ્યું હશે તો બહાર આવતી વખતે એડવાન્સ મોડમાં પ્લેન વેચવું પણ સામાન્ય થઇ જશે તમારા 'બાબા'ને)
૬. લખવાના લખ્ખણ– (પોપટના નિબંધથી લઇ પ્રેમ-પત્ર સુધી કેમ પહોંચવું એની આવડત સ્કૂલમાં જ આવડે પછી કૉલેજમાં આવતા સુધી પ્રાઈમ-મિનીસ્ટર અને પ્રેસિડેંટને પણ કેમ પર્સનલ લેટર લખી મળી શકાય એવું ચુટકીમાં આવડશે. પછી જો કાકા કે મામાય સામેથી તમારી મદદ મેળવવા આવશે એની ગેરેંટી)
૭. વાંચવાની ટેવ: (દેશી હિસાબથી અને રંગીન જોડકણાથી લઇ ગુજરાત અને ભારતના મુખ્ય દરેક લેખકોની બેસ્ટ સેલર્સ સ્કૂલમાં જ વંચાયેલી હોય તેવો અનુભવ કેવો કૂલ લાગે!!! – જેટલી વધુ બૂક્સ/મેગેઝિન્સ વાંચી હશે એટલા ગ્રેડ વધારે, સિમ્પલી દેશી હિસાબ પાછો છેલ્લે પણ)
૮. બોલવા-સાંભળવાની પાકા ઘડા જેવી ટ્રેઈનિંગ– (બાળક સાથે કઈ રીતે 'વાત' કરવી અને બાબાજી સાથે કઈ રીતે 'ચેટ' કરવી એ આવડી જાય પછી કોલેજમાં આવતી દીપિકા-પ્રિયંકા-સ્કારલેટને કાંઈ બી ચોપડી દેવામાં કોઈની બા પણ નહિ ખીજાય એવો વાતચીતનો આત્મવિશ્વાસ લોહીમાં ભરાયેલો હશે.)
૯. જોવાનો અનુભવ: (દુનિયાની બેસ્ટ બચ્ચેલોકકી ફિલ્મ્સથી લઇ બડે લોગોકી ડોક્યુમેન્ટરીઝ જોઈ લેવાય પછી ઈલોન મસ્ક, ઝકરબર્ગ કે સુંદર પિચાઈની જોડે કૉફીકપ કેમ પીવો એ માટે……..જાવ યાર કશુંયે નહિ કે'વું.)
૧૦. પ્રોગ્રામિંગ-કોડિંગ– (ડેસ્કટોપથી લઇ મોબાઈલ એપ બનાવવાનું તો બીજાં ઘણાં દેશોમાં ગ્રાઇપવોટર પીવડાવી દીધા પછીના સ્ટેજથી જ શરુ થયું છે. હજુયે મોડું નથી થયું. 'મોદી'ફાય ફોર્સ આવે ઈ પહેલા જ… અત્યારે આ જ ફ્યુચર છે.)
પટેલીક પંચ:
"આજે જાતે 'પુસ્તક ડે' ના બદલે કોઈકના માટે 'પુસ્તક દે' મનાવીએ તો?"
(Image Credit: healthyadolescence.com)
નાઇલ વિશેષ, પ્રેરણાત્મક કહાની, કાંઈક નવું, ટ્રેઈનિંગ, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વિચાર-વિકાસ, શાળા, સ્કૂલ, Gujarati, Murtaza Patel
કંકુ, ચોખા અને પાસપોર્ટ !!!
3 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on February 22, 2016
જે દેશનું કલ્ચર, સિવિલાઈઝેશન, માયથોલોજી આખા આલમમાં મશહૂર છે, એ જ દેશનો ચોખા યુક્ત કંકુનો પાવડર સામે બીજાંની આંખ લાલ કરે ત્યારે થાય છે કે શ્રદ્ધાની આંખે આટાપાટા કેમ?
હજુ તો ગયા નવેમ્બરમાં જ અમેરિકન કોન્સ્યુલેટમાં ફૂલ ફટાકડી ઓફિસરે જ્યારે બે મિનીટ્સમાં મારો ઈન્ટરવ્યું લીધો ત્યારે ફ્લેશ-બેકમાં એક અમેરિકન દોસ્તને પૂછેલો સવાલ યાદ આવી ગયો:
"એ લોકો વિઝા આપતી વખતે સૌથી મહત્વ કયું ફેક્ટર જુએ છે?"
"બોડી-લેન્ગવેજ…મેન ! – કાચી સેકંડમાં એ બાર્બી-ડોલ દોસ્તે રિપ્લાય આપ્યો 'તો.
ત્યારે થાય છે કે…આપણે ત્યાં નવું સ્કૂટર આવે કે મર્સિડીઝ, બાબાનો પરીક્ષા પ્રવેશ હોય કે બેબીનો સાસરે ગ્રહપ્રવેશ. ત્યારે બચારું કંકુ એમને માથે પડીને ચુપચાપ (ગાલને નહિ, પણ કપાળને) લાલ શાં માટે રાખતું રહે છે, એનું કારણ શું?
સેક્સી લૂક સાથે અપડેટ થઇ રહેલાં આપણા ઇન્ડિયન પાસપોર્ટને કંકુની જરૂર છે કે 'ચોખા'ઈની?
મોરલો: "શ્રદ્ધા ક્યારેય અંધ નથી હોતી. આપણે જ બેન્ડ-એઇડની આદત પાડી છે."
"પાસપોર્ટ જ મારી લઇ ગઇ મંજિલ ઉપર મને,
શ્રદ્ધા રાખવું ભૂલી ગયો તો GPSએ ફેરવ્યો મને."
-'હની' કર્ડવાળા
(ફોટો ક્રેડિટ: ગુ.સ.)
કહેક્શા, સમાચાર અંધશ્રદ્ધા, અમેરિકા, કંકુ ચોખા, કહાની, પાસપોર્ટ, ભારત, વાર્તા, Gujarati, Gujarati story
રક્ષાબંધનની એક અનોખી ભેંટ….ટોઇલેટ !!!
5 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on August 30, 2015
યુઝુઅલી રક્ષાબંધનનાં દિવસે બેન તેના ભાઈ પાસેથી કડકડતી કેશનું કવર, જ્વેલરી, મિઠાઈ-બોક્સ, કપડાં-જોડ જેવી કિંમતી ભેંટો (ઓફકોર્સ જાદુઈ ઝપ્પી) સાથે મેળવતી હોય છે.
પણ આ વખતે મધ્યપ્રદેશનાં શિવપુરી જીલ્લાના ભાટોઆ ગામની આંઠમાં ધોરણમાં ભણતી રાનીની તેના ભાઈ મહેન્દ્ર રાવતે આપેલી ગિફ્ટ અનોખી તરી આવી છે.
૨૯ વર્ષના આ ખેડૂત જુવાન મહેન્દ્રએ જુલાઈની શરૂઆતમાં જ તેની આ કઝિન બેનને મસ્તીમાં પૂછી લીધું કે "આ વખતે રાખીના તહેવાર નિમિત્તે બોલ તને શું ગિફ્ટ આપું?" – ઝંખવાણી પડી ગયેલી રાનીબેને એટલો જ સિરિયસ જવાબ મજાકમાં આપી દીધો કે "ટોઇલેટ".
વાત પણ સાચી જ હતી. કેમ કે ગામમાં ઘરોની સંખ્યા કરતા સૌચાલયની સંખ્યા અડધા કરતા પણ ઓછી હોવાથી આ નાનકડી રાનીને બીજી લગભગ ૨૨૫ સ્ત્રીઓની જેમ વર્ષોથી હાજત રોકી રાખવાની ટેવ પાડવામાં આવી હતી. (આવાં વિસ્તારોમાં હજુયે છોકરીની જાતને દૂર 'ડબ્બે જવું' એટલે ડૂબી જવા જેવી બાબત છે.)
મહેન્દ્રએ વધારે 'સોચ-વિચાર' કર્યા વિના બેનની તકલીફને દૂર કરવા તેના ઘરની બાજુમાં બીજે જ દિવસથી સૌચાલય બનાવવાનું મિશન આરંભી દીધું.
ગામના છેડેથી ઘર સુધી પાણીની લાઈન લાવવામાં રૂ. ૨૦,૦૦૦/- અને બીજાં રૂ. ૧૫,૦૦૦/- બાથરૂમ કન્સ્ટ્રકશનનો ખર્ચો જાતે ઉઠાવી રક્ષાબંધનનાં એકાદ દિવસ પહેલા આ રેડી-ટુ-યુઝ ટોઇલેટ બનાવી ભાઈએ બેનની આખડી તેની પાસે આ રીતે રાખડી બંધાવી પુરી કરી છે.
દોસ્તો, ગજબ છે ને નાનકડી રાખીના એક નાનકડા તારની તાકાત ક્યારે કોની, કેવી 'હાજત તમામ' કરાવે છે?!?!?- આ તો મીની-સાઈઝ ઈચ્છા અને મેગા-સાઈઝ મોહબ્બતનો જ કમાલ છે. ખરું ને?
તમારામાંથી કોઈકે નોખી ગિફ્ટ આપી/ મેળવી હોય તો જણાવશો?
મોહબ્બતી મોરલો: "સંબંધોના તારનો વિસ્તાર અનંત હોય છે."
(Photo Courtesy: thedailyeye.info)
કહેક્શા, પ્રેરણાત્મક આભાર, કહાની, ઘટના, તહેવાર, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, રક્ષાબંધન, રાખી, વાર્તા, વ્યક્તિ, Gujarati, Gujarati story, Rakhi Gift
સાહસ અને હસાહસનું સર્વનામ એટલે….
2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on August 23, 2015
મને આ અંગ્રેજ બચ્ચો સર રિચાર્ડ બ્રાન્સન સીધેસીધો ગમે છે. જો લિસ્ટ બને તો એટ-લિસ્ટ બાવીસ કારણો મળી શકે. એટલાં માટે કે તેઓ મ્હોરા-માસ્ક વગરના ચહેરાવાળી વાઈબ્રન્ટ ઝિંદગી જીવે છે.
કોઈ દંભ નહિ, કોઈ ખોટો મુખોટો નહિ. અસલી ચેહરો, બિન્દાસ્ત-બેફિકર… જીવન. જે કરે છે તે ખુલ્લે આમ. ટોટલ 'વર્જિન' રહ્યા વિના, સદાબહાર ગ્રીન.
(આવું હું 'સાવચ્ચ થોરાક'માં એટલાં માટે કહી શકું કે થોડાં વર્ષો પહેલા મુંબઈમાં ગેટ-વે-ઓફ ઇન્ડિયાની પાસે મેં તેમને દેશ- વિદેશની 'ફેશન અપ્સરાઓ'ની વચ્ચે એમને કોઈક એડ-કેમ્પેઈન માટે ફોટો-સેશન કરતા જોયા'તા….બેપરવાહ!!!!)
એમની નસેનસમાં સનસનાટી સર્જવાની તન કી શક્તિ મન કી શક્તિ ભારોભાર રહેલી છે. તેમની કંપની 'વર્જિન ગ્રુપ'ને પણ દરરોજ તરોતાઝા રાખી સમયાંતરે મિડિયાનાં કેમેરામાં સતત લાઇમલાઈટ બતાવતા રહે છે. 65 વર્ષે એમણે ડોસો કેહવું એ બુઢાપાનું અપમાન કહી શકાય. બુઢા હોગા ઉસકા દાદા !
અત્યાર સુધીની તેમની ઝિંદગીની સફરનું લેખું જોખું જોઈએ તો દરેક દિવસ એમના અને એમણે ઓળખનાર દરેક માટે કેસ-સ્ટડી જેવો બને. બાળપણથી જ 'સાહસ અને હસાહસ' નામના ફેકટર્સને તેમની મા એ ગળથુથી સાથે પીવડાવી છે.
એમને બસ કોઈક વર્જિન 'પ્રોબ્લેમ' દેખાવો જોઈએ. એમાંથી તેઓ ધંધો શોધી કાઢી પૈસા બનાવવું શરુ કરી દે છે. પછી જો હોગા દેખા જાયેગા જેવી અજબ અને ગજબ મર્દાનગી સાથે તેમાંથી સોલ્યુશન આપતા રહે છે. એટલે ઉદ્યોગ સાહસિકની વ્યાખ્યા સમજવાની ન હોય રાજ્જા…એ તો આવા રાજાઓને જોઈને જ શીખવાની હોય.
(હવે આટલું તો હું એમના સાત પુસ્તકોમાંથી ફકત 'લૂઝિંગ માય વર્જિનીટી' અને 'સ્કર્યું ઈટ, લેટ્સ ડૂ ઈટ' વાંચ્યા પછી કહી શકું છું.)
એમના પુસ્તકો 'સફળતાની કથાઓ' નહિ, પણ 'નિષ્ફળતાની કહાની' કેટેગરીમાં મૂકી શકાય. જેના પાને પાને આ વિલાયતી કાદુના ડાયરા સંભળાય છે. અને એ પણ ડુંગરે નહિ, ટાપુઓ પર.
ટાઈમ હોય તો ખાલી આ લિસ્ટ પર પણ નજર મારી તેના પુસ્તકોના પ્રિવ્યુ વાંચશો તો પણ અટકાયેલાં કોઈક કામની વર્જિનીટી તૂટશે એની ગેરેંટી.: http://amzn.to/1NtzHMV
વર્જિન મોરલો:
"જે ડરે, એ રડે.
જે ખસે, એ હસે"
(આમ તો આ ક્વોટ રિચાર્ડબાબજીનું સમજી વાંચવાનું….બાકી આવું લખવાનું મને પણ સૂઝ્યું એમની અનેકાનેક ઓડિયો-વિડીયો ચેનલ્સ માંથી.)-
તો બોલો, આજે તમને કયો ગઢ જીતવો છે?
(Image Credit: http://99u.com)
કહેક્શા, પુસ્તક પ્રિસ્ક્રિપ્શન, પ્રેરણાત્મક અચિવમેન્ટ, ઈન્ટરનેટ, કહાની, નિષ્ફળતા, પ્રેરણાત્મક, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોબાઈલ, મોરલો, મોહબ્બત, રિચાર્ડ, વર્જિન, વાર્તા, વિચાર-વિકાસ, વિલાયતી, વ્યક્તિ, સફર, સફળતા, સાહસ, Gujarati
એક સાયન્ટીફિક ઓલિયાની કથા ૭૦ મિનીટમાં…
1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on July 28, 2015
જે કોઈ વ્યક્તિ અગાઢ જ્ઞાન (વેદ-પુરાણ-બાઈબલ-કુરાન જેવાં અનેક ગ્રંથો)નું એનાલિસિસ કરી સરળ ભાષામાં લોકો સમક્ષ મુકે તેના માટે અરેબિકમાં શબ્દ છે: બાકિર (અહીં 'કિ' ને જીભના તાળવેથી બોલવો).
આવી 'બાકિર' વ્યક્તિ જો તેની ઝિંદગી તેણે શીખેલા જ્ઞાનને વહેંચવામાં ખર્ચી બીજાંવને પણ આબાદ કરે, ત્યારે તેની આગળ બીજો એક અરેબિક શબ્દ 'અબ્દ' (સેવક) લાગે છે. અને નામ બને છે. 'અબ્દુલ બાકિર'.
હવે આવી વ્યક્તિ આવો જ્ઞાનયજ્ઞ તેની આખી ઝીંદગી ચાલુ જ રાખે ત્યારે તેનો ચહેરો (વ્યક્તિત્વ) કેવો બને તે માટે અરેબિક શબ્દ છે: 'ઝૈન-ઉલ-આબેદિન'
આ બધાં શબ્દોનું કોમ્બો-પેક નામ એટલે: 'અબ્દુલ બાકિર ઝૈન-ઉલ-આબેદિન'
દક્ષિણના રામેશ્વરમમાં જન્મી ઉત્તરનાં શિલોંગમાં ગુઝરી જનાર આવા સાયન્ટીફિક ઓલિયાની કથા ગુલઝાર સાહેબે તેમના મધ ભરેલા અંદાઝમાં યુ-ટ્યુબ પર સાવ મફતમાં આપી દીધી છે.
આજે બીજું કાંઈ પણ ન કરશો તો ચાલશે. 'RIP', 'So Sad' કે નિર્જીવ શાયેરીઓ ઠોકવાની કાંઈ જરૂર નથી. સિર્ફ ૭૦ મિનીટ હી કાફી હૈ…..લાઈફ કો કુછ બહેતરીન કરને કે લિયે….
મધ ખુદ પોતે સામેથી ચાલી આવી કાનમાં 'એન્ટ્રી' લે ત્યારે, સમજવું કે તેની એક્ઝીટ આંસૂ દ્વારા જ બહાર આવે.
કહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક, સમાચાર A P J Abdul Kalam, અચિવમેન્ટ, ઈન્ટરનેટ, કહાની, ઘટના, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, વાર્તા, સમાચાર, Gujarati, Gujarati story, Inspiring quotes
આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ?
1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on June 16, 2015
recycling bins Re-Cycling Of Time Or Situation?
મારી નજરની સામે સમયાન્તરે આખો ઘટનાક્રમ બન્યો છે, લાંબો છે. પણ તેમાં રહેલી સમજણ ટૂંકાવી લખું છું. ધ્યાનથી વાંચશો તો તમારામાંથી કોઈકને જીવનનો રાહ મળી આવશે. સવાલ ફક્ત આટલો થાય છે કે: આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ?
એક મસ્ત મજાની દિલદારી છોકરીના દસ વર્ષ અગાઉ લગ્ન થાય છે. લગભગ બે વર્ષ પછી દિકરો જન્મે છે. ત્યારે છોકરીને શંકા જાય છે કે 'પતિની નજર એક બીજી સ્ત્રી પર છે અને કાંઈક ચક્કર 'ચાલુ' છે. છોકરી ચુપ રહે છે. બીજાં ત્રણ વર્ષ બાદ દિકરી જન્મે છે.
છોકરીના પતિની 'ફક્ત ફ્રેન્ડ જ છે યાર' વાળી વાતનું 'લફરું' ખુલ્લું પડી 'મજબૂત માશૂકા' બની ચુકી છે. પતિને બાળકોમાં બહુ રસ રહ્યો નથી, ને પત્ની માટે તો 'જરા પણ' કસ રહ્યો નથી.
છોકરી એ ત્રણની વચ્ચે 'સાવ બિચારી' બની છે. તેના પછીના ૩ વર્ષ માથાકૂટવાની અંદર વીતવા અને વીંટવામાં ગયા છે. પતિ તરફથી અપાતી ઘરખર્ચીતો ક્યારનીય બંધ થઇ ચુકી છે. પણ આ છોકરીમાં એક સજ્જડ પ્લસ પોઈન્ટ એ છે, કે તે ભણાવવામાં પણ ખૂબ હોંશિયાર છે એટલે જાણીતી સ્કૂલમાં અરેબિક ટિચર તરીકે જોબ કરી ઘરખર્ચ ચલાવે છે.
જે પતિ પાસેથી સુખ-સંભાળ, સેક્સ, સિક્યોરીટી જેવાં તત્વો ન જ મળે ત્યારે એ બધું જ મૂકી સાંત્વના માટે મા-બાપ પાસે આવે જ. ને પછી તો….ફેમિલી-વોર…ડાયવોર્સની સાંકળઘટનાઓ…..બાદ છોકરી મા-બાપ પાસે ને બાળકો એમના પિતા પાસે સેટ થાય છે. છોકરીના વાલીડા દુઃખીતો છે જ પણ "જે થાય છે તે સારું જ થાય છે." બોલી સમયને સમયનું કામ કરવા દેવાની સલાહ આપે છે.
એક અંગત કુટુંબી સ્નેહી તરીકે હું તેમની આ આખી ઘટના ત્રણ વર્ષથી જાણું અને જોઉં છું. અને મારા મોંમાંથી પણ માત્ર એટલું જ નીકળે છે: "જે થવાનું છે તે બેસ્ટ થવાનું છે. બસ તું એ 'બેસ્ટ' નામની મોટી બસની રાહ જો બૂન."
….ને ત્યાંજ ગઈકાલે મને સમયના ગોઠવાયેલાં ચોકઠાંમાંથી નીચે મુજબ સમાચાર મળે છે.
આ ડાયવોર્સી છોકરીનાં પતિની બીજાં શહેરમાં બદલી થઇ છે. જ્યાં તેની સાથે રહેતી બાળકીને જરાય ફાવતું નથી એટલે તે તેની દાદીમા પાસે પાછી જુના શહેરમાં આવે છે. દાદી તેને ત્યાંની એક મશહૂર સ્કૂલમાં ફરીથી રિ-એડમિટ કરે છે, જ્યાં એ પહેલા ભણતી હોય છે. જ્યારે દિકરાને તો ક્યારનોય બોર્ડીંગમાં મુકી દેવાયો છે.
થોડાં જ દિવસ બાદ સ્કૂલનાં ટ્રસ્ટીનો આ ડાયવોર્સી છોકરી પર ફોન આવે છે કે: "બેટા ! તારી માસૂમાને તું જ સંભાળી શકે એમ છો. એટલે અમે ચાહિયે છીએ કે આ જ સ્કૂલમાં શ્રેષ્ઠ અરેબિક ટિચર તરીકે તું જ યોગ્ય છે. બોલ સ્કૂલ ક્યારે જોઈન કરે છે?"
હવે આ ડાયવોર્સી છોકરીની એક આંખમાં તેની 'માસૂમા' પાછી મેળવવાના હર્ષિલા આંસુઓ તો છે જ પણ સાથે-સાથે ફરીથી ગમતું મેળવવાનો અને ગમ દૂર થયાનો અનેકગણો આનંદ બીજી આંખમાંથી નીકળી રહ્યો છે.
બોલો દોસ્તો, ત્યારે સવાલ થાય ને કે: આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ?
સાયકલિંગ શોટ:
"આંખોમે રોક લે અપને ઇન આંસુઓકા તુફાન,
લેતી હૈ ઝિંદગાની હર કદમપે એક ઇમ્તેહાન."
(Photo-Credit: dreamstime.com)
કહેક્શા, નિલાંબર આભાર, કથા, કહાની, ઘટના, છોકરી, પ્રેમ કથા, પ્રેરણા, મમતા, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, સ્ત્રી, Gujarati, Gujarati story, Murtaza Patel
…તો એ નાનકડી ઘટના કાંઈક આ રીતે મોટો મોડ લે છે…
4 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on June 1, 2015
મુંબઈથી દિલ્હી આવેલી સેન્ટીમેન્ટલ સુમન તેના દાદાજી પાસે ઘરમાં પીળા પડી ગયેલાં પાનાંની એક જૂની ડાયરી લઇ આવી બેસે છે. દાદા તેમાંથી એક સેપિયા-ટોનવાળો ફોટો કાઢી બતાવે છે. જેમાં એક ઈમેજ એમની છે, ને બીજી વર્ષો પહેલા ભારત-પાકનાં પાર્ટીશન વખતે છુટ્ટા પડી ગયેલા બાળપણનાં દોસ્ત યુસુફની…
દાદા તો ફોટાની આગળ બનેલી ઘટના વર્ણવે છે, પણ સુમન ફોટા પાછળ રહેલી ઘટનામાં ડોકિયું કરવાની કોશિશ કરે છે. દાદાના એ બાળપણની યાદોમાં રહેલાં કેટલાંક કિ-ફેકટર્સને પકડે છે. પાકિસ્તાન, ભાગલાં, લાહોર, પત્થરનું મકાન, પતંગબાજી, મીઠાઈની ચોરી, મસ્તીવાળી સાંજ….
સુમન આવી સોનેરી સ્મૃતિને રિ-એક્ટીવેટ અને સંબંધોને રિ-યુનિયન કરવાનું નક્કી કરે છે. એટલે તેનું દિમાગ દોડાવવા ગૂગલ મહારાજના શરણે જાય છે.
ગૂગલ સર્ચિંગ દ્વારા એ જાણી લે છે કે યુસુફચાચા હજુયે હયાત છે, અને લાહોરમાં એમની એક મીઠાઈની દુકાન છે. "ફઝલ સ્વીટ્સ"
આવી ગૂગલિંગ કર્યા પછી સુમન એ ફઝલ સ્વીટ્સનો નંબર મેળવી ત્યાં ડાયરેક્ટ ડાયલિંગ કરે છે. અને પકડી પાડે છે સફેદ દાઢીવાળા યુસુફચાચાને……પછી ?- થોડાં અરસા પછીનું ફાસ્ટ ફોરવર્ડ દિલ્હીમાં…
…..યુસુફચાચા તેના પૌત્ર સાથે હાથમાં બેગ લઇ દાદાજીના ઘરના દરવાજે ઉભા છે.
એક તરફ યુસુફચાચાનાં મોંમાંથી "હેપ્પી બર્થડે યારાં" !!!! ને પછી હાથમાંથી બર્થડે ગિફ્ટ નીકળે છે, જ્યારે બીજી તરફ સુમન અને દાદાજીની આંખોમાંથી આંસુઓ…
ને બસ એ બધાં જ…બહાર પડી રહેલાં વરસાદ સાથે અંદરથી પણ ભીંજાઈ રહ્યાં છે. છે ને સ્વિટ કરતા પણ 'સ્વિટેસ્ટી' ઘટના!!!?!?!?!…
દોસ્તો, ગૂગલ માટે ભલેને આ દોઢ વર્ષ પહેલાની એક બ્રાંડ-સ્ટોરી-એડ હોઈ શકે. પણ આપણા સૌ માટે તો 'સોલ-સર્ચિંગનો ધક્કો જ રહેવાનું છે.
મીઠાઈક મોરલો:
" જે નોખું >સર્ચે< છે, તે અનોખું <સર્જે > છે." – મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૦૭).
કહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક કહાની, કોમેન્ટ, ગૂગલ, ઘટના, પાકિસ્તાન, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, સફર, સમાચાર, Gujarati, Gujarati story, Murtaza Patel | guj_Gujr |
પુત્રના લગ્ન માટે લાલુ યાદવને જેલમાંથી મળી રજા
નવગુજરાત સમય | Publish Date: May 9 2018 1:53PM
ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પેરોલની અરજી મંજૂર થઈ ગઈ છે. હવે તે પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્ન માટે પાંચ દિવસના પેરોલ પર જેલથી બહાર આવી શકશે. લાલુ યાદવના વકીલે આ માહિતી આપી હતી. તેજ પ્રતાપ યાદવ અને બિહારના ભૂતપૂર્વ મંત્રી ચંદ્રીકા રાયની પુત્રી ઐશ્વર્યાના 12 મેના રોજ લગ્ન છે.
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. તેઓ ડિસેમ્બરથી જેલમાં છે. હાલમાં સારવાર માટે તેઓ રાંચીની હોસ્પિટલમાં ભરતી છે અને બુધવારે સાંજે પટના જવા રવાના થશે.
નોંધનીય છે કે ગત સપ્તાહે લાલુ યાદવે પોતાના અસ્થાયી જામીન માટે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ વકીલોની હડતાળને કારણે તેના પર સુનાવણી થઈ શકી ન હતી. ત્યારબાદ લાલુએ પોલીસ મહાનિરીક્ષક જેલ સમક્ષ પોતાની અરજી રજૂ કરી હતી.
લાલુ યાદવને દુમકા, દેવઘર અને ચોઈબાસા કોષાગાર મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. લાલુને રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમણે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનું કારણ આગળ ધર્યું હતું જેના કારણે તેમને સારવાર માટે નવી દિલ્હી એઈમ્સ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને સ્વસ્થ જાહેર કરીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે, લાલુ યાદવે આને કેન્દ્ર સરકારનું કાવતરૂ ગણાવ્યું હતું. | guj_Gujr |
'ધર્મ- રાજકારણ ભેગા થશે તો સીરિયા-ઇરાક જેવી હાલત થશે' | Jdu Chief Sharad Yadav Comments On Bjp At Vadodara - Central Gujarat | I Am Gujarat
Gujarati News Central Gujarat 'ધર્મ- રાજકારણ ભેગા થશે તો સીરિયા-ઇરાક જેવી હાલત થશે'
'ધર્મ- રાજકારણ ભેગા થશે તો સીરિયા-ઇરાક જેવી હાલત થશે'
Published: Apr 25, 2017 07:56 am IST
1/4ભાજપની રાજનીતિની ઝાટકણી
વડોદરા: ભારતીય જનતા પાર્ટીની ધર્મ અને રાજકારણને મીક્સ કરવાની રાજનીતિ જાટકણી કાઢતા જનતાદળ (યુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે જણાવ્યું હતુ કે, ધર્મ અને રાજકારણ ભેગા થશે તો ભારતના પણ સીરિયા અને ઇરાક જેવા હાલ થશે. ધર્મ આધારીત રાજનીતિને જાકારો આપવાનો આ સમય છે, તેનો મુકાબલો કરવા રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ પક્ષોને એક મંચ પર ભેગા કરીને મહાગઠબંધન કરવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે.
2/4NCP સાથે મળીને લડશે ચૂંટણી
વડોદરામાં પત્રકારોની સાથે વાતચીતમાં શરદ યાદવે જણાવ્યું હતુ કે, દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિવિધ પક્ષોને એકઠા કરીને ભાજપનો મુકાબલો કરવાની વ્યૂહરચના ઘડવા તરફ અમે જઇ રહ્યા છીએ. જેના ભાગરૂપે વિવિધ સ્તર પર વાતચીત ચાલી રહી છે. આ જ ફોર્મ્યૂલા પર ગુજરાતમાં પણ ચૂંટણી લડાય તેવી આમ તો ઇચ્છા છે. જો કે, હાલમાં અમે એનસીપીની સાથે ભેગા મળીને ગુજરાતમાં ચૂંટણી લડીશુ તે નિશ્ચિત છે. આ અંગેની રાજ્યકક્ષાએ કવાયત ચાલી રહી છે. અગાઉ તમામ એક થઇને લડ્યા છે, મુકાબલો કર્યો છે ત્યારે પરિણામ મળ્યુ છે.
3/4વાતચીત જ એક વિકલ્પ
કાશ્મીરની વર્તમાન સમસ્યા અંગે તેમણે જણાવ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીરમાં વાતચીત એક જ વિકલ્પ છે. તમામ સ્તરે વાતચીત કરવી જ પડશે. પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર વાતચીત કરવાનું ટાળી રહી છે. જેના કારણે વાતાવરણ વધુને વધુ બગડી રહ્યુ છે. અંક ગંભીર સમસ્યા ઉભી થઇ રહી છે. ભૂતકાળમાં આવે અનેક સમસ્યાઓનુ વાતચીતથી નિરાકરણ લાવ્યા છે.
4/4PM મોદી પર પ્રહાર
વધુમાં જણાવ્યુ હતુ કે, ખરેખર હિન્દુત્વની વાત કરવામાં આવે છે, આખા વિશ્વમાં હિન્દુત્વનો ચોથો હિસ્સો જે શુદ્ર સમાજ કહેવામાં આવે છે તેમની સાથે આભડછેટની પ્રથા દૂર કરવા અંગે કેમ ગંભીરતા લેવામાં આવતી નથી. ગુજરાતમાં ચોથાભાગની વસ્તી આદિવાસીઓની તેમ છતાં તેમને તેમનો હક્ક પણ પૂરતો આપવામાં આવતો નથી. વડાપ્રધાન રામલીલાની માફક રોડ શોના નામે તમાશો કરવામાં જ વ્યસ્ત છે. છેલ્લા સીત્તેર વર્ષમાં કોઇ શાસક વખતે દેશથી આટલી ભયાનક ખરાબ હાલત ન હતી.
JDU NCP alliance
sharad yadav in vadodara
શરદ યાદવ વડોદરા
2 વર્ષમાં કેનાલોમાં 207 ગાબડાં પડ્યાં, સરકારે ઉંદરોને આપ્યો દોષ!
ઘોર કળિયુગ! સસરાને મોતિયાના ઓપરેશનના રૂપિયા ન આપવા પડે એટલે વહુએ લૂંટનું તરકટ રચ્યુ
સંસ્કારી નગરી વડોદરાના 38 ટકા યુવાઓમાં દારૂ પીવાનું વ્યસન!છોટાઉદેપુરઃ 12 કલાકની જહેમત બાદ દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસજુઓ, પૂરમાં ફસાયેલા 2 વાંદરાને આ રીતે બચાવવામાં આવ્યા2 વર્ષમાં કેનાલોમાં 207 ગાબડાં પડ્યાં, સરકારે ઉંદરોને આપ્યો દોષ!બેરોજગાર ગુજરાત! લગભગ 5 લાખ શિક્ષિત-અર્ધશિક્ષિત યુવાનો પાસે નોકરી જ નથીઘોર કળિયુગ! સસરાને મોતિયાના ઓપરેશનના રૂપિયા ન આપવા પડે એટલે વહુએ લૂંટનું તરકટ રચ્યુવડોદરાઃ વિશ્વામિત્રી નદીમાંથી શહેરમાં ઘૂસ્યા મગર, 8 કલાકમાં 5 મગર પકડાયાઅહો આશ્ચર્યમ્! નબળા ચોમાસામાં જ ગુજરાતની આ નદીઓમાં આવે છે પૂરછોટાઉદેપુરમાં ત્રણ અને રાજકોટમાં બે બાળકોના ડૂબવાથી મોતખેડાઃ 12 ફૂટ લાંબો મગર વ્યક્તિને તળાવમાં ખેંચી ગયો, અઢી કલાકની જહેમત બાદ પાંજરે પુરાયોડાકોરની રથયાત્રામાં હાથીએ ગુમાવ્યું માનસિક સંતુલન, થઈ દોડાદોડી9 વર્ષનો હતો ત્યારે લિંગ સળગી ગયું હતું, 16 વર્ષ પછી થયો એક 'ચમત્કાર'પહેલીવાર વિદેશ મંત્રાલયની વાર્ષિક મીટિંગ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે યોજાશેવડોદરાઃ જાપાનના પ્રતિનિધિમંડળે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે કર્યું નિરીક્ષણવડોદરાઃ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાને પથ્થર મારતા બે વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ | guj_Gujr |
નલ-જલ યોજનાના કોન્ટ્રાક્ટરોને ત્યાં આવક વેરા વિભાગનો દરોડો : કરોડોની સંપત્તીનો ખુલાસો
લોટસ કંન્સ્ટ્રક્શન કંપનીના બન્ને ભાઈઓના હનુમાન નગર, પાટલીપુત્ર કૉલોનીસ ફ્રેઝર રોડ સ્થિત નિવાસ સ્થાન અને કાર્યાલય પર દરોડા
ભાગલપુરઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક નલ-જલ યોજના સાથે સંકળાયેલા 2 મોટા કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરમિયાન કરોડોની સંપત્તિ જપ્ત થયાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, પટના અને ભાગલપુરમાં બન્ને કોન્ટ્રેક્ટરના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અંદાજે 50 લાખ રૂપિયા રોડક જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ કરોડોની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટરના નામની ઓળખ લલન કુમાર અને સુમન કુમારના નામે થઇ છે. ગુરુવારે રાત્રે જ બન્ને કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. IT વિભાગ ભાગલપુર ઉપરાંત પટના, ઘનબાદ અને પૂર્ણિયામાં પણ કાર્યવાહી કરી રહ્યું છે.
બિહારમાં નલ-જલ યોજનાનું કામ લોટસ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું, જ્યારે આ કંપનીના ડાયરેક્ટર લલન કુમાર અને સુમન કુમાર બન્ને ભાઈ છે. બન્ને ભાઈઓના ઘરમાં જ કંપનીનું કાર્યાલય છે. IT વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હનુમાન નગર, પાટલીપુત્ર કૉલોનીસ ફ્રેઝર રોડ સ્થિત નિવાસ સ્થાન અને કાર્યાલય પર IT વિભાગે દરોડા પાડ્યા છે | guj_Gujr |
રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, પોલીસે જંગલેશ્વરની મસ્જીદમાં માઇકમાંથી કહ્યું અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે - Amreli Live
રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 18 થઇ છે. ગઇકાલે 9 એપ્રિલના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આથી આરોગ્ય વિભાગે મેગા સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. પાંચ કેસમાં ચાર પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ગઇકાલે બે સહિત જંગલેશ્વરની શેરી નં. 27માંથી ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે આવેલા પાંચ દર્દી પણ શેરી નં. 27માં જ રહે છે. આથી એક જ શેરીમાં 8કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યા 7 થઇ છે. જ્યારે એક જ વિસ્તારમાંથી પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ છે. કોરોના પોઝિટિવ અલ્તાફનો આખો પરિવાર કોરોનીન ચપેટમાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા જંગલેશ્વરમાં દરેક શેરીમાં જઈ વિસ્તારના આગેવાનોને બોલાવી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. સાથે તમામ પરિસ્થિતિમાં તંત્ર તમારી સાથે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.રાજકોટના ઇતિહાસની પ્રથમ ઘટના કહી શકાય. શહેર પોલીસ અધિકારીઓએ જંગલેશ્વરની મસ્જીદમાંથી માઇકમાંથી સમગ્ર જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓને કહ્યું હતું કે, અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે. તમારા પાડોશીઓને પણ ન મળો. કોરોનાની ગંભીરતા સમજો.
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સિટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 25 ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરાએ જણાવ્યું છે.
રાજકોટના જંગલેશ્વરની શેરી નંબર 24થી 31 ક્લસ્ટર ક્વોરન્ટીરઝોન જાહેર કરવામાં આવી છે. લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, બેરીકેટ મુકી પતરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર નંદાણી સાથે જંગલેશ્વરમાં સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે મામલો થાળે પાડ્યોહતો. કોરોના પોઝિટિવ અલ્તાફની બેનને ક્વોરન્ટીન કરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કર્યા હતા. તેમજ આ વિસ્તારમાં જાતે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
આજે પણ જંલેશ્વરમાંથી સેમ્પલ લેવામાં આવશે
જંગલેશ્વ વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થતા આજે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવશે. મનપાની આરોગ્ય વિભાગના અધિકારીઓ જંગલેશ્વર પર ધ્યાન કેન્દ્રીત કરશે.રાજકોટમાં 32 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 21 શહેરના, 5 ગ્રામ્યના અને 6 અન્ય જિલ્લાનો સમાવેશ થાય છે. 5 પોઝિટિવ, 7 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી છે. | guj_Gujr |
દિવસ ૨૪ કલાકનો નહીં પરંતુ ૨૫ કલાકનો થશે : વૈજ્ઞાનિકોનો દાવો
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં ઘટાડો : પહેલા એક દિવસ માત્ર ૧૮.૧૪ કલાકનો જ હતો
નવી દિલ્હી તા. ૯ : સામાન્ય રીતે તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કાશ દિવસ થોડો લાંબો હોત તો આપણે વધુ સમય સાથે રહી શકયા હોત. હાલમાં જ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આગામી વર્ષોમાં દિવસ ૨૪ કલાકને બદલે ૨૫ કલાકનો થઈ જશે.
ભૂગર્ભશાસ્ત્રીઓનું કહેવું છે કે ચંદ્રમાની ધીમી ગતિને કારણે દિવસ લંબાઈ રહ્યો છે. અબજો વર્ષોથી ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ધીરે ધીરે વધી રહ્યું છે. ચંદ્રની ઘૂમવાની ધીમી ગતિને કારણે દિવસ લાંબો થઈ રહ્યો છે.
અંદાજીત ૧.૪ અબજ વર્ષ પહેલા ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંદર ઓછું હતું, ત્યારે ધરતી પર એક દિવસ માત્ર ૧૮.૧૪ કલાકનો જ હતો. પરંતુ બંને વચ્ચે વધી રહેલા અંતરને કારણે એક દિવસમાં ૨૪ કલાક થવા લાગ્યા. હજુ પણ ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. રિસર્ચરોનો દાવો છે કે ધરતી પર દિવસ ૨૪ કલાકથી વધીને ૨૫ કલાક થઈ જશે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોંસિન-મેડિસનના ભૂગર્ભવૈજ્ઞાનિક સ્ટીફન મેયર્સે પોતાના રિસર્ચમાં આ સંબંધ વિશે જણાવ્યું છે. મેયર્સનું કહેવું છે કે પોતાની ધીમી ગતિને કારણે ચંદ્ર ધરતીથી દૂર થઈ રહ્યો છે, ધરતીની ગતિ પણ ધીમે ધીમે ઘટી રહી છે. કારણે કે અન્ય ગ્રહોની ગતિ પૃથ્વીને પ્રભાવીત કરે છે.
વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ લાખો વર્ષો બાદ પૃથ્વી અને ચંદ્રની ગતિ અંગે રિસર્ચ કરવાથી ખબર પડી કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. અબજો વર્ષોથી સોલર સિસ્ટમમાં થતા ફેરફારને કારણે ઘરતી પર દિવસની લંબાઈ વધી જાય છે. પૃથ્વી પર એક દિવસ ૨૫ કલાકનો થશે તેના માટે હજુ લાખો વર્ષો રાહ જોવી પડશે.(૨૧.૨) | guj_Gujr |
નાગપુરના શેફે બનાવી ૩૦૦૦ કિલો ખીચડી
રેકોર્ડબ્રેકઃ ખીચડીને રાષ્ટ્રીય વાનગીનું બિરુદ અપાવવા
નાગપુર તા.૧૫: ગઇકાલે નાગપુરના ચિટનીસ પાર્કમાં જાણીતા શેફ વિષ્ણુ મનોહરે ૩૦૦૦ કિલો ખીચડી બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ ઇવેન્ટની તૈયારીઓ ચાલી રહી હતી અને જયારે ગઇકાલે ખીચડી બનીને તૈયાર થઇ ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહયા હતા. ખીચડી બનાવવા માટે ૨૭૫ કિલો ચોખા, ૧૨૫ કિલો મગ અને ૧૦૦ કિલો ઘી તેમજ ગાજર, વટાણા જેવાં લગભગ ૫૦૦ કિલો શાકભાજી વપરાયાં હતા. હળદર, મરચું અને મીઠું જેવા મસાલાનું વજન લગભગ ૫૦ કિલો જેટલું હતંુ. જે વાસણમાં ખીચડી બનાવવામાં આવી હતી એ પણ જબરદસ્ત રેકોર્ડબ્રેક સાઇઝનું હતું. ૧૧ ફુટ વ્યાસ અને ત્રણ ફુટ હાઇટનું સ્ટીલનું વાણસ તૈયાર કરવામાં આવ્યું હતું જેની જાડાઇ ૨૦ ઇંચની હતી. માત્ર આ વાસણનું વજન જ ૫૧૦ કિલો જેટલું હતું. જાયન્ટ કદની કડાઇમાં ખીચડી હલાવવા માટેના ચમચા પણ જાયન્ટ અને કુલ ૧૫૦ કિલો સ્ટીલમાંથી બન્યા હતા. શેફ વિષ્ણુ મનોહરે તેમની ટીમ સાથે ગઇકાલે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ખીચડી બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. શાકભાજી સમારવાનું અને દાળ-ચોખા પલાળવાનું કામ આ પહેલાં જ થઇ ગયું હતું. ત્યારબાદ શેફે એકલાએ આ ખીચડી પકવી હતી. ખીચડી પકવવા માટે લભભગ બે ટ્રેકટર ભરીને લાકડાં વપરાયાં હતાં. લગભગ પાંચ કલાકમાં ખીચડી પાકીને તૈયાર થઇ ગઇ હતી. મૈત્રી પરિવાર સંસ્થા અને સાંઇ સેવક સંસ્થા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦૦૦ કિલો ખીચડી લગભગ ૮૦૦૦ લોકોને પૂરતી થઇ પડી હતી. આ પહેલા શેફ સંજીવ કપૂરે દિલ્હીમાં ૯૧૮ કિલો ખીચડીનો રેકોર્ડ બનાવ્યો હતો. શેફ વિષ્ણુ મનોહરે કહ્યું હતું કે 'મારે મને રેકોર્ડ મહત્ત્વનો નથી, પરંતુ આ રેકોર્ડ દ્વારા હું ફરી એક વખત અપીલ કરવા માગું છું કે ખીચડીને ભારતી રાષ્ટ્રીય વાનગી ઘોષિત કરવામાં આવે. બાળક જન્મે એ પછી પહેલા ખોરાક તરીકે ખીચડી અપાય છે અને વૃદ્ધો માટે પણ ખીચડી જ ઉત્તમ હોય છે. સસ્તી હોવા છતાં સોૈથી પોષક વાનગી હોવાથી એને રાષ્ટ્રીય વાનગી બનાવવી જોઇએ.' (૧.૪)
દાહોદ : મામલતદાર કચેરીમાં ACB ની ટ્રેપ મામલતદાર રૂ. 31 હજારની લાંચ લેતા ઝડપાયા:કોમ્પ્યુટર ઓપરેટર પણ ઝડપાયો જમીનની માલિકી રેવન્યુ રેકોર્ડમાં ચઢાવવા માંગી હતી લાંચ access_time 5:57 pm IST | guj_Gujr |
ટાઇમ 2 ડાયાબિટીઝની સારવાર ન્યુમ્યાવાકિન અનુસાર હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે > દવાઓ
નોનમાવાયકિન માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ડાયાબિટીસની સારવાર
એક જ દૈનિક દર 30 ટીપાંથી વધુ ન હોવો જોઈએ.
ફક્ત 3% પ્રવાહી વાપરો.
ભોજન પહેલાં 30 મિનિટ અથવા ભોજન પછી 2 કલાક પીવો.
ગરમ પાણી સાથે ભાગ.
સેવનની શરૂઆત પ્રવાહી પાતળા એક ચમચીના 1 ડ્રોપથી હોવી જોઈએ. દરરોજ 1 ડ્રોપ ઉમેરો. ઉપયોગનો કોર્સ 10 દિવસનો હોવો જોઈએ, પછી 5 દિવસ માટે રાહત આપવામાં આવે છે અને ચાલુ રાખવામાં આવે છે. છેલ્લો દિવસ 10 ટીપાં જેટલો હશે. ગ્લાસ પાણી દીઠ 5 થી 10 ટીપાંની સંખ્યા હોઈ શકે છે.
આગલા તબક્કે ન્યુમ્યાવાકિન અનુસાર હાઈડ્રોજન પેરોક્સાઇડ સાથે ડાયાબિટીસ મેલિટસની સારવાર 10 ટીપાંથી શરૂ થાય છે, દૈનિક ધોરણ 30 ટીપાંથી વધુ નથી. હવે તે વધારવું શક્ય નથી.
રોગનિવારક ઉપાયોના અમલીકરણ માટેની ભલામણો
ડ Ne. ન્યુમ્યાવાકિને ડાયાબિટીઝ, દંતકથાઓ અને વાસ્તવિકતા વિશેના ઉપચાર માટે વિકસિત તકનીક, જેના વિશે ઘણા નિષ્ણાતો ત્રાસ આપે છે, તે બે ઉપલબ્ધ ઉત્પાદનોનો ઉપયોગ કરીને રોગની સારવાર પર આધારિત છે.
ફૂડ કેલ્શિયમ બાયકાર્બોનેટ, જેમ કે ન્યુમ્યાવાકિન દાવો કરે છે, તે વ્યક્તિના કુદરતી એસિડ-બેઝ સંતુલનને પુનર્સ્થાપિત કરવામાં મદદ કરે છે, તે જાણીતું છે કે ડાયાબિટીસના દર્દીઓમાં આવા અવ્યવસ્થાઓ ઘણીવાર જોવા મળે છે, જોકે તે લોકોમાં પણ આવી શકે છે, જેઓ આ રોગનો ભોગ બનતા નથી.
ડ doctorક્ટરને ખાતરી છે કે યકૃતના સ્ત્રાવના એસિડિટીના સ્તરમાં વધારો એ રોગના વિકાસનું કારણ બને છે. હાયપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોથી છુટકારો મેળવવાની રીતો, ન્યુમ્યાવાકિન અનુસાર, દર્દીના સામાન્ય સોડાની પુન recoveryપ્રાપ્તિ માટે એપ્લિકેશનના વિમાનમાં આવેલા છે.
પરિણામે, દર્દીના આંતરિક વાતાવરણની એસિડિટીએ નોંધપાત્ર ઘટાડો થયો છે. તદનુસાર, મહત્વપૂર્ણ જીવન પ્રક્રિયાઓ અને ગ્લુકોઝને યોગ્ય રીતે શોષવાની કોષોની ક્ષમતા પુન areસ્થાપિત કરવામાં આવે છે.
જો તમે આઇ.પી. ન્યુમ્યાવાકિનની પદ્ધતિને અનુસરો છો - હાયપરટેન્શન અને ડાયાબિટીઝના રોગોથી છુટકારો મેળવવાની રીતો ખરેખર એકદમ સરળ છે. તે માધ્યમની એસિડિટીને ઘટાડવા માટે પૂરતું છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને, ફક્ત બીજા પ્રકારનાં રોગની સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે.
તે યાદ રાખવું જ જોઇએ કે ન્યુમ્યાવાકિન અનુસાર માનવ પુન recoveryપ્રાપ્તિ એ હકીકતને કારણે છે કે કેલ્શિયમ બાયકાર્બોનેટ શરીર પર હકારાત્મક અસરોની સંપૂર્ણ શ્રેણી ધરાવે છે:
દર્દીના શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે,
સક્રિય રીતે ચયાપચય સુધારે છે,
એસિડિટીએના સ્તરને સામાન્ય બનાવે છે,
નર્વસ સિસ્ટમ આરોગ્ય પુન restસ્થાપિત.
અલબત્ત, કોઈ વ્યક્તિના ઉપચારનું સંચાલન, દંતકથાઓ અને વાસ્તવિકતા ન્યુમ્યાવાકિન તરત જ ઉપરોક્ત ગુણધર્મોને દલીલ કરે છે. સોડા માત્ર વ્યક્તિની સુખાકારીમાં ફાળો આપે છે, તેમાં સામાન્ય એન્ટિસેપ્ટિક અસર પણ હોય છે.
ખરેખર, આ ઉત્પાદન માટે આભાર, તમે વિવિધ જટિલતાના અલ્સર અને ઘાના ઉપચાર પ્રક્રિયાને ઝડપી બનાવી શકો છો.
ખાદ્ય કેલ્શિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કેવી રીતે થાય છે?
ડિસઓર્ડરની યોગ્ય રીતે સારવાર માટે, દરેક દર્દીને અંત endસ્ત્રાવી ડિસઓર્ડર વિશે શક્ય તેટલું જાણવું જરૂરી છે. તે સમજવું મહત્વપૂર્ણ છે કે આ ઉત્પાદનના કયા આંતરિક અવયવો પર નકારાત્મક અસર પડે છે, "સુગર" માંદગીના વિકાસના પરિણામે જીવન પ્રક્રિયાઓ કઇ મુશ્કેલીઓનો ભોગ બની શકે છે.
તમારે જાણવાની જરૂર છે કે કઈ દવાઓ, ઉપચારાત્મક અસરની વૈકલ્પિક પદ્ધતિઓ અવ્યવસ્થાને દૂર કરવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, દરેક જણ જાણે નથી કે આરોગ્યની રક્ષક પરની હાઇડ્રોજન પેરોક્સાઇડ હંમેશા સોડા સાથે એક જગ્યાએ standsભી હોય છે.
તે પ્રોફેસર ન્યુમ્યાવાકિન છે જે આ બંને ઉત્પાદનો સાથે ડાયાબિટીસ મેલિટસની સારવારની ભલામણ કરે છે. ફક્ત આ પદ્ધતિનો ઉપયોગ બીજા પ્રકારની "ખાંડ" માંદગી સાથે હોઇ શકે છે, આ પદ્ધતિ સાથે ડાયાબિટીસ પ્રકાર 1 ની સારવાર સંપૂર્ણપણે આગ્રહણીય નથી.
તેનાથી વધુ, વિરોધાભાસ વચ્ચે એક કલમ છે જે સૂચવે છે કે પ્રથમ પ્રકારની "ખાંડ" માંદગીને આહાર કેલ્શિયમ બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડથી સારવાર આપવામાં આવતી નથી.
ડ Ne ન્યુમ્યાવાકિન દ્વારા કરવામાં આવેલી ભલામણોને કાળજીપૂર્વક વાંચ્યા પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે તમે પેરોક્સાઇડ બંનેની અંદર અને બાથ તૈયાર કરવા માટે વાપરી શકો છો, ફક્ત ધોરણના બાથમાં 0.5 કિલો રાસાયણિક રીએજન્ટ ઉમેરો, પ્રક્રિયા લગભગ વીસ મિનિટ ચાલે છે.
"સુગર" માંદગી અંગે ન્યુમ્યાવાકિને સંશોધન કર્યું તે સમજવું શક્ય બનાવ્યું કે કેલ્શિયમ બાયકાર્બોનેટ જેવા સરળ રાસાયણિક સંયોજન વિકાસના પ્રારંભિક તબક્કે અવ્યવસ્થાને દૂર કરવામાં મદદ કરશે. ડ recક્ટર દ્વારા વિકસિત વિવિધ વાનગીઓ તૈયાર કરવા માટે ખૂબ જ સરળ છે.
ઉદાહરણ તરીકે, તમે ગ્લાસમાં થોડું ગરમ પાણી વડે મિશ્રણ પાતળું કરી શકો છો, તમારે પરિણામી મિશ્રણને એક ગલ્પમાં પીવાની જરૂર છે. ફક્ત આ કિસ્સામાં તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે પુન recoveryપ્રાપ્તિના પહેલા અઠવાડિયામાં તમારે સોડાના ચમચીનો માત્ર એક ક્વાર્ટર ઉમેરવો જોઈએ, તે પછી ડોઝને અડધા ચમચીમાં થોડો વધારો કરી શકાય છે.
સારવારની આડઅસર
બાહ્ય ઉપયોગ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ટિસેપ્ટિક દવા છે. ઘાની સારવાર માટે સત્તાવાર દવામાં ઉપયોગમાં લેવાય છે, 3% સોલ્યુશનના રૂપમાં રક્તસ્ત્રાવ બંધ કરો.
તેનો ઉપયોગ સ્ટેમેટીટીસ અને કાકડાનો સોજો કે દાહ સાથે કોગળા કરવા માટે, સ્ત્રીરોગવિજ્ .ાન રોગો સાથે ખેંચાણ માટે પણ થાય છે. આ કિસ્સાઓમાં, પેરોક્સાઇડ પાણી 1:10 સાથે ભળી જાય છે. પરંપરાગત દવા આ ડ્રગનો વધુ વ્યાપકપણે ઉપયોગ કરે છે.
શરીરને શુદ્ધ કરવા અને કેન્સરની સારવાર માટે ચેપી અને મેટાબોલિક - રોગવિજ્ .ાનની વિશાળ શ્રેણીના ઉપચાર માટે તેમને આમંત્રિત કર્યા છે. ખાસ કરીને, હાઈડ્રોજન પેરોક્સાઇડથી ડાયાબિટીસની સારવાર વિકસાવવામાં આવી છે.
શરીર પર હાઇડ્રોજન પેરોક્સાઇડની અસર
જ્યારે મૌખિક રીતે સંચાલિત કરવામાં આવે ત્યારે દવાના inalષધીય ગુણધર્મો માટેનું તર્ક એ એન્ઝાઇમ કેટલાસની ક્રિયા હેઠળ રાસાયણિક પ્રતિક્રિયા છે. તે માનવ શરીરના લગભગ તમામ પેશીઓમાં જોવા મળે છે.
જ્યારે ઇન્જેસ્ટ કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ પાણી અને સક્રિય oxygenક્સિજનમાં વિઘટિત થઈ શકે છે. પાણી કોષો દ્વારા શોષાય છે, અને ઓક્સિજન ativeક્સિડેટીવ પ્રતિક્રિયાઓમાં પ્રવેશ કરે છે અને ક્ષતિગ્રસ્ત, રોગગ્રસ્ત કોષો, સૂક્ષ્મજીવાણુઓ અને ઝેરી પદાર્થોનો નાશ કરે છે.
પ્રોફેસર ન્યુમ્યાવાકિને પેરોક્સાઇડ લેવાની ક્રિયાઓ વર્ણવી:
રક્ત વાહિનીઓની દિવાલોથી એથરોસ્ક્લેરોટિક તકતીઓનું નાબૂદ.
હાયપોક્સિયા (ઓક્સિજનનો અભાવ) નાબૂદ.
વેસ્ક્યુલર થ્રોમ્બોસિસ સાથે રક્ત પાતળું.
બ્લડ પ્રેશરનું સામાન્યકરણ.
રક્ત વાહિનીઓના spasms દૂર.
ચેપી રોગોમાં જીવાણુનાશક અસર.
સેલ્યુલર અને વિનોદી બંનેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો.
હોર્મોન્સના સંશ્લેષણને મજબૂત બનાવવું: પ્રોસ્ટાગ્લાન્ડિન્સ, પ્રોજેસ્ટેરોન અને થાઇરોનિન.
ઓક્સિજનવાળા ફેફસાંનું સંતૃપ્તિ.
ગળફામાંથી બ્રોન્ચીનું શુદ્ધિકરણ.
સ્ટ્રોકમાં મગજના પેશીઓની પુન Restસ્થાપના.
ઓપ્ટિક ચેતા ઉત્તેજના.
આનાથી તેને અસ્થમા, એથરોસ્ક્લેરોસિસ અને કંઠમાળ પેક્ટોરિસ, શ્વાસનળીનો સોજો, એમ્ફિસિમા, કાયમની અતિશય ફૂલેલી નસો, ગેંગ્રેન, હર્પીઝ, નેત્ર રોગ, ન્યુરલજીઆ, મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, પ્રણાલીગત લ્યુપસ એરિથેટોસસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ઇન્ફર્ટિલિટી, વાયરલ હિપેટિસ, પેરોક્સાઇડની સારવાર માટે કારણ આપવામાં આવ્યું હતું. અને એડ્સ.
ડાયાબિટીસ મેલિટસમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ એ હકીકત દ્વારા ન્યાયી છે કે મુક્ત કરેલા સક્રિય ઓક્સિજન, સુગરને લોહીમાંથી પેશીઓમાં સ્થાનાંતરિત કરવા અને ઇન્ટ્રાસેલ્યુલર થર્મોજેનેસિસ દ્વારા કોષો દ્વારા ગરમીના ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે સક્ષમ છે (પ્રોફેસર ન્યુમ્યાવાકિનની પૂર્વધારણા અનુસાર).
પેરોક્સાઇડના ઉમેરા સાથે પાણી લેતી વખતે, દર્દીઓ ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, યકૃતમાં ગ્લાયકોજેન રચના અને ઇન્સ્યુલિન ચયાપચય સુધારે છે. ડાયાબિટીઝની સારવાર માટે પ્રાયોગિક પદ્ધતિ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડની ભલામણ તેમના દ્વારા કરવામાં આવે છે, પછી ભલે તે પ્રથમ કે બીજો પ્રકાર છે.
પ્રકાર 1 ડાયાબિટીઝ સાથે, દર્દીઓ ઇન્સ્યુલિનની માત્રા ઘટાડી શકતા હતા, બિન-ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલીટસ સાથે, કાર્બોહાઇડ્રેટ પ્રોફાઇલને સામાન્ય બનાવતા અને ગોળીઓના ડોઝમાં ઘટાડો જોવા મળ્યો હતો.
હાઈડ્રોજન પેરોક્સાઇડથી ડાયાબિટીઝની સારવાર માટેની પદ્ધતિ
તમારી ખાંડનો સંકેત આપો અથવા ભલામણો માટે લિંગ પસંદ કરો. શોધી રહ્યું નથી. બતાવી રહ્યું છે. શોધી રહ્યું નથી. મળ્યું નથી. બતાવી રહ્યું છે.
ન્યુમ્યાવાકિન અનુસાર, હાઈડ્રોજન પેરોક્સાઇડથી ડાયાબિટીઝની સારવાર માટે, શુદ્ધ પીવાના પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે.
પ્રોફેસર ન્યુમ્યાવાકિન હાઇડ્રોજન પેરોક્સાઇડથી ડાયાબિટીઝની સારવાર માટે બિનપરંપરાગત પદ્ધતિ પ્રદાન કરે છે. સૈદ્ધાંતિક રીતે, આ એક એવી દવા છે જે દવામાં ખૂબ જ પ્રખ્યાત છે, તેની સહાયથી ઘા અને કટને જીવાણુનાશિત કરવું, રક્તસ્રાવ બંધ કરો.
જ્યારે દવા ત્વચા પર આવે છે, ત્યારે એક પ્રતિક્રિયા થાય છે, પરિણામે અણુ ઓઝોન રચાય છે. જ્યારે પેરોક્સાઇડ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે ઓક્સિડેટીવ પ્રક્રિયા રોગકારક સુક્ષ્મજીવાણુઓનો નાશ કરે છે, ચયાપચયની ગતિને વેગ આપે છે, એસિડ અને આલ્કલાઇન સંતુલનને પુનર્સ્થાપિત કરે છે, ઓક્સિજન સાથે રુધિરાભિસરણ તંત્રને સમૃદ્ધ બનાવે છે.
ઘરે પરંપરાગત દવાથી ડાયાબિટીઝની સારવાર
પ્રકાર 2 ડાયાબિટીસમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ
પેરોક્સાઇડ પાણીના ફોર્મ્યુલા માટે સમાન સૂત્ર ધરાવે છે. પાણીમાં એચ 2 ઓ, ડ્રગ એચ 2 ઓ 2 ફોર્મ્યુલા છે, જ્યાં ઓ 2 અણુ ઓઝોન છે. આ પ્રવાહી 1818 માં ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ટોનાર્ડનો આભાર માન્યો. તેમણે બેરિયમ અને ઓક્સિજનના રાસાયણિક સંયોજન સાથે મજબૂત વોડકા મિશ્રિત કર્યા. પરિણામે, એચ 2 ઓ 2 નો નિયોપ્લેઝમ દેખાયો. પેરોક્સાઇડ પાણી કરતા વધુ ભારે હોય છે, અને તેની સાથે કોઈપણ પ્રમાણમાં ભળી શકે છે.
માનવ શરીરમાં એક જટિલ ક્રિયાપ્રતિક્રિયા સિસ્ટમ હોય છે જે સમગ્ર જીવન દરમિયાન કાર્ય કરે છે. રોગપ્રતિકારક શક્તિ પીડાદાયક સૂક્ષ્મજંતુઓનો સામનો કરી શકે છે અને બદલાયેલી સ્થિતિમાં ફરીથી બનાવી શકે છે. તેમાં લાલ રક્તકણો અને સફેદ રક્તકણોનો સમાવેશ થાય છે જે કુદરતી પેરોક્સાઇડ ઉત્પન્ન કરે છે.
સુગર રોગ સાથે, પ્રતિરક્ષા પીડાય છે. તેથી, તે આશ્ચર્યજનક નથી કે આ પદાર્થને આવા રોગની સારવારમાં તેની એપ્લિકેશન મળી છે. એકવાર માનવ શરીરમાં, તે અણુ ઓઝોન O2 મુક્ત કરતી વખતે વિઘટન કરવામાં સક્ષમ છે. તે તે છે જે વાયરસ, બેસિલિ અને ફૂગનો નાશ કરે છે.
ઉપયોગના ફાયદા
ખાંડની બીમારી માટે પદાર્થ શા માટે ઉપયોગી છે? તે ફેટી એસિડ્સ, energyર્જા, એમિનો એસિડને તોડે છે, ગ્લાયકેમિક પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે અને પિત્ત એસિડનું સંશ્લેષણ કરે છે. એચ 2 ઓ 2 લિક્વિડ પીડા લક્ષણો દૂર કરે છે, ઇન્સ્યુલિન ડોઝ ઘટાડે છે, જઠરાંત્રિય પ્રવૃત્તિમાં સુધારો કરે છે, અને ચયાપચયને સામાન્ય બનાવે છે. શરીરમાં પેરોક્સાઇડ એકઠું થતું નથી, તે સારી રીતે વિસર્જન કરે છે.
ડાયાબિટીઝ જેવા કપટી અને જટિલ રોગનો સામનો કરવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ અસ્તિત્વમાં છે. જાણીતા ડ doctorક્ટર ન્યુમ્યાવાકિને દાવો કર્યો છે કે જો તમને ટાઇપ 1 અથવા ટાઇપ 2 ડાયાબિટીઝ હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની સારવાર અસરકારક છે.
સાધન માનવ શરીરને કેવી રીતે અસર કરે છે
પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીઝ એક અસાધ્ય રોગ માનવામાં આવે છે. આધુનિક તબીબી પ્રેક્ટિસ તકનીકો પ્રદાન કરે છે જે દર્દીઓના જીવનને કોઈ ગૂંચવણો વિના લંબાવે છે.
ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, સખત આહારનું પાલન એ સારવારની આવશ્યક શરતો છે. વૈકલ્પિક દવા દ્વારા આપવામાં આવતા વૈકલ્પિક ઉપાયો ઇલાજ અથવા સુખાકારીમાં નોંધપાત્ર સુધારાનું વચન આપે છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડ આવી એક પદ્ધતિ છે. ચાલો જોઈએ કે ડાયાબિટીઝમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ પીવું શક્ય છે કે નહીં?
હાઇડ્રોજન પેરોક્સાઇડ શું છે?
એચ 2 ઓ 2 - હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા પેરોક્સાઇડ, એક રંગહીન, પાણી, ઇથેનોલ અને ઇથરમાં "ધાતુ" સ્વાદ સાથે સરળતાથી દ્રાવ્ય પ્રવાહી. તે પરંપરાગતરૂપે પ્યુર્યુલન્ટ ઘા અને કફની સફાઇ માટે એન્ટિસેપ્ટિક 3% જલીય દ્રાવણ તરીકે ઉપયોગમાં લેવાય છે. પ્રાકૃતિક ઉત્સેચક સાથે વાતચીત, કેટલાસ, જે બધા પેશીઓમાં હોય છે, એક વિપુલ પ્રમાણમાં ફીણ બનાવે છે જે તમને ઘામાંથી નેક્રોટિક અવશેષો દૂર કરવાની મંજૂરી આપે છે.
તેના શુદ્ધ સ્વરૂપમાં તેનો ઉપયોગ બ્લીચિંગ પેશીઓ, દાંત, જીવાણુ નાશકક્રિયા, ડાઘ દૂર કરવા, રોકેટ ઇંધણ તરીકે થાય છે.
તે તેના રાસાયણિક ગુણધર્મોમાં એક મજબૂત oxક્સિડાઇઝિંગ એજન્ટ છે. જ્યારે પાણીમાં ભળી જાય છે, ત્યારે વિઘટનની પ્રતિક્રિયા મુક્ત ક્સિજન અણુના પ્રકાશન સાથે થાય છે. તે ઝેરી નથી, પરંતુ કેન્દ્રિત ઉકેલો (30% અને તેથી વધુ), જો તેઓ ત્વચા અને મ્યુકોસ મેમ્બ્રેન પર આવે છે, તો આંખો, ગળા અને શ્વાસનળીમાં બળતરા થાય છે. 30% હાઇડ્રોજન પેરોક્સાઇડના 50 મીલીનું સેવન જીવલેણ છે.
ડ Ne ન્યુમ્યાવાકિનની સિસ્ટમ
પ્રોફેસરે બંને પ્રકારના ડાયાબિટીઝના સ્વાદુપિંડ માટે દવા તરીકે H2O2 ના નબળા સોલ્યુશનનો ઉપયોગ સૂચવ્યો. તે આડઅસર પેદા કર્યા વિના, જે વાતાવરણમાં પ્રવેશ કરે છે તેને જીવાણુનાશિત કરવાની ઓક્સિજનની ક્ષમતા સાથે તેની પદ્ધતિને સબળ બનાવે છે.
ન્યુમ્યાવાકિન અનુસાર ડાયાબિટીસની સારવારમાં આ શામેલ છે:
હાઈડ્રોજન પેરોક્સાઇડના 1-3% જલીય દ્રાવણનો અભ્યાસક્રમ,
ચા, ફળનો મુરબ્બો સ્વરૂપમાં ખાવું.
એવું માનવામાં આવે છે, કારણ કે તે તબીબી રીતે સાબિત થયું નથી, કે પ્રકાર 2 ડાયાબિટીઝ મેલ્લીટસમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ લેવાના પરિણામે થાય છે:
ઝેર (બેક્ટેરિયા, વાયરસ, ફૂગ) થી લોહી શુદ્ધ કરવું,
શરીરના તમામ મેટાબોલિક પ્રતિક્રિયાઓનું નિયમન,
આંતરસ્ત્રાવીય અસરો,
મગજના ઓક્સિજન સપ્લાયમાં સુધારો,
ગ્લુકોઝ સાથે ઇન્સ્યુલિન રિપ્લેસમેન્ટ પ્રતિક્રિયા.
હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઉપચારનું પરિણામ એસિડ-બેઝ સંતુલનનું પુનર્વસન, એલર્જિક અભિવ્યક્તિઓની ગેરહાજરીમાં માનસિક ક્ષમતાઓમાં વધારો હશે.
આ પદ્ધતિની લાક્ષણિકતા એ છે કે ડોઝમાં ઓછામાં ઓછા કદથી ચોક્કસ મૂલ્યમાં ધીમે ધીમે વધારો કરવો. બપોર પછી પેરોક્સાઇડ લેવાનું જરૂરી છે અને સોલ્યુશન લીધા પછી 40 મિનિટની અંદર કંઈપણ લેશો નહીં.
જો પ્રોફેસર ન્યુમ્યાવાકિન દ્વારા સૂચવવામાં આવેલી સારવારની પદ્ધતિનું પાલન કરવામાં આવે છે, તો પછી, તેમના અનુસાર, ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ સાથે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં જોમ, વજન ઘટાડવાનો વધારો લાગે છે. રોગના અભિવ્યક્તિઓથી છૂટકારો મેળવવા ચેપી અસરોથી સ્વાદુપિંડની "સફાઈ" ને કારણે થાય છે.
"સ્વીટ ડિસીઝ" ની વૈકલ્પિક ઉપચાર ઘણીવાર સાબિત ઇન્સ્યુલિન અથવા હાયપોગ્લાયકેમિક એજન્ટો કરતા વધુ લોકપ્રિય બને છે. હાઈડ્રોજન પેરોક્સાઇડ સાથે ડાયાબિટીઝની સારવાર એનું એક ઉદાહરણ છે. ઇન્ટરનેટ પર તમને ઘણી બધી સમીક્ષાઓ મળી શકે છે જે આ અભિગમની પ્રશંસા કરે છે.
આ ક્ષણે તે કહેવું મુશ્કેલ છે કે તેઓ કેટલા વાજબી છે. કોઈ પણ સંજોગોમાં, તમારા પોતાના સ્વાસ્થ્યને મજબૂત બનાવવાની સારવાર કરવી તે મુજબની અને સમજદાર છે. અનટેસ્ટેડ પદ્ધતિઓ અજમાવવાની જરૂર નથી કે જે રોગના કોર્સને સંભવિત રૂપે વધારી શકે. તમારા ડ doctorક્ટર સાથે વૈકલ્પિક ઉપચારની સંભાવના વિશે ચર્ચા કરવાનું શ્રેષ્ઠ છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડ અને તેના ગુણધર્મો
પ્રકૃતિમાં, આ સંયોજન ખૂબ જ દુર્લભ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઉચ્ચારણ બેક્ટેરિયાના અસર સાથે ઉત્તમ એન્ટિસેપ્ટિક દવા તરીકે દવામાં કરવામાં આવે છે. એચ 2 ઓ 2 એ પદાર્થનું રાસાયણિક સૂત્ર છે.
હાઈડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ ઘણીવાર ડાયાબિટીઝની સારવારમાં થાય છે
તેની મુખ્ય લાક્ષણિકતા વધારાના ઓક્સિજન અણુના પ્રકાશનની શક્યતા રહે છે. તે તે જ છે જેની પાસે શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ અસર છે અને પેથોજેનિક સુક્ષ્મસજીવોને તટસ્થ કરે છે. હાઈડ્રોજન પેરોક્સાઇડ સાથે ડાયાબિટીઝની સારવાર આ દવાના લાક્ષણિકતા ગુણધર્મો પર આધારિત છે.
એન્ટીબેક્ટેરિયલ.
એન્ટિલેર્જિક. એચ 2 ઓ 2 નો ઇન્ટ્રાવેનસ એડમિનિસ્ટ્રેશન માસ્ટ સેલ્સ (માસ્ટ સેલ્સ) ના ગ્રાન્યુલ્સ દ્વારા હિસ્ટામાઇનના પ્રકાશનને અવરોધે છે અને સમસ્યાની વધુ પ્રગતિ અટકાવે છે.
ત્યાં અલગ પ્રકાશનો છે જે હાઇડ્રોજન પેરોક્સાઇડના એન્ટિટ્યુમર અસરો વિશે વાત કરે છે. સાધન મફત ઓક્સિજન અણુઓ દ્વારા જીવલેણ બંધારણનું વિશ્લેષણ કરીને એટીપિકલ કોષોને નષ્ટ કરે છે. દુર્ભાગ્યે, આ હકીકત તબીબી રૂપે સાબિત થઈ નથી. પરંતુ ડોકટરો દ્વારા પ્રયોગમૂલક નિરીક્ષણો આવા સિદ્ધાંતની વાસ્તવિકતાની પુષ્ટિ કરે છે.
બધી મેટાબોલિક પ્રક્રિયાઓની ઉત્તેજના. એક શંકાસ્પદ અસર જેને હજી વૈજ્ .ાનિક tificચિત્યની જરૂર છે.
ન્યુમિવાકિન હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપચાર
હાયપરગ્લાયકેમિઆની સમસ્યા હલ કરવા માટે આજે બિનપરંપરાગત અભિગમો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. વેબ સોબિંગ શ્વાસની તકનીક અને સોડાના દૈનિક ઇન્ટેકની અસરકારકતા પર ચર્ચા કરી રહી છે. ન્યુમ્યાવાકિન અનુસાર હાઈડ્રોજન પેરોક્સાઇડ સાથે ડાયાબિટીસ મેલિટસની સારવાર વૈકલ્પિક દવાના ક્ષેત્રમાં નવીનતાઓનો ઉલ્લેખ કરે છે.
ન્યુમ્યાવાકિન પોતે પેરોક્સાઇડથી ડાયાબિટીસની સારવાર કરવાની સલાહ આપે છે
મુખ્ય વિચાર એ વાયરસ, બેક્ટેરિયા અને પેથોલોજીકલ પ્રક્રિયાઓ સામેની લડત છે જે સ્વાદુપિંડની સ્થિતિને નકારાત્મક અસર કરે છે.
50 મિલી પાણીમાં 2-2-2 ડ્રોપ ઉમેરો અને ભોજન પહેલાં 30 મિનિટ પહેલાં દિવસમાં 3 વખત પીવો,
દરેક અનુગામી દિવસે, ડોઝમાં 1 ડ્રોપ વધારો,
10 દિવસની અંદર દવાની માત્રામાં આટલો વધારો.
પછી 2-3 દિવસ માટે વિરામ લો,
10-દિવસના અભ્યાસક્રમોનું પુનરાવર્તન કરો, પરંતુ 10 ટીપાંની માત્રા સાથે.
ન્યુમ્યાવાકિન સ્વાદુપિંડની સ્થિતિ પર તકનીકીની અત્યંત ફાયદાકારક અસરનો દાવો કરે છે. પરંતુ તે ખરેખર આવું છે?
હાઈડ્રોજન પેરોક્સાઇડથી ડાયાબિટીઝની સારવાર માટે સાવધાની
ઉપરની લાક્ષણિકતાઓથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ સ્વતંત્ર રીતે હાયપરગ્લાયકેમિઆને અસર કરી શકશે નહીં. તેની એપ્લિકેશનનો મુખ્ય વિચાર એ છે કે સ્વાદુપિંડના બી કોશિકાઓ પર માઇક્રોબાયલ પરિબળોના રોગવિજ્ologicalાનવિષયક અસરને ઘટાડવી અને ચેપી ગૂંચવણોના વધુ વિકાસને અટકાવવી.
ડાયાબિટીલ એ એક અજોડ પ્રાકૃતિક આહાર ઉત્પાદન (રોગનિવારક) પોષણ છે ફ્યુકસ સીવીડ પર આધારિત, રશિયન વૈજ્ .ાનિક સંસ્થાઓ દ્વારા વિકસિત, ડાયાબિટીસ મેલિટસવાળા દર્દીઓના આહાર અને આહારમાં અનિવાર્ય, પુખ્ત વયના અને કિશોરો. વધુ જાણો
ડાયાબિટીઝની સારવારમાં, હાઇડ્રોજન પેરોક્સાઇડ અત્યંત સાવચેત રહેવું જોઈએ
તેમ છતાં, "મીઠી બીમારી" ની સારવાર માટેની આવી તકનીકમાં ઘણી મહત્વપૂર્ણ ઘોંઘાટ છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે.
હાઈડ્રોજન પેરોક્સાઇડ સાથે ડાયાબિટીસની સારવાર કરવામાં આવતી તકનીકનો વિકાસ રશિયન વૈજ્ .ાનિક ઇવાન પાવલોવિચ ન્યુમ્યાવાકિને કર્યો હતો. એવી વ્યક્તિ કે જેમણે પોતાનું આખું જીવન વિજ્ toાન, ગંભીર દવા માટે સમર્પિત કર્યું છે, ઘણા સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે, નિવૃત્ત થયા પછી, જટિલ સમસ્યાઓના સરળ ઉકેલોની શોધમાં, લોક ચિકિત્સામાં ખૂબ રસ લીધો છે.
તેના સંશોધન દરમિયાન, ઇવાન પાવલોવિચે નોંધ્યું કે એન્ટિસેપ્ટિક એજન્ટ માનવ શરીર માટે કેટલું મહત્વપૂર્ણ છે. ડાયાબિટીઝવાળા દર્દીઓની સામાન્ય હકારાત્મક ગતિશીલતાનું નિરીક્ષણ કરવું શક્ય હતું જેઓ અંદરથી હાઇડ્રોજન પેરોક્સાઇડનું સેવન કરે છે.
વૈજ્ ?ાનિકો કેમ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રસ લે છે?
1. ઓક્સિજનની પરમાણુ અને અણુ રચના.
પ્રોફેસર ન્યુમ્યાવાકિન આરોગ્ય સુધારવાની સલાહ પણ આપે છે:
પુષ્કળ શુધ્ધ પાણી પીવો
ડોઝ શારીરિક પ્રવૃત્તિનો ઉપયોગ કરો,
પ્રિઝર્વેટિવ્સ, ફ્લેવરિંગ્સ, રંગો, કાર્સિનોજેન્સ સાથે ખાવાનો ઇનકાર કરો.
ગ્લુકોઝનું સ્તર ઘટાડવું અને સુખાકારીમાં સુધારો થવાની અસરો પેરોક્સાઇડ સાથેની સારવારની પદ્ધતિથી અને વ્યાપકપણે પ્રસિદ્ધ પદ્ધતિમાં વિશ્વાસ બંને હોઈ શકે છે. માનવ શરીરમાં સ્વ-ઉપચાર માટે વિશાળ અનામત છે, ખાસ કરીને સકારાત્મક વલણ અને આઘાતજનક પરિબળોને દૂર કરવાથી.
ડાયાબિટીઝ મેલિટસમાં, આ એક આહાર, પીવાનું શાસન, શારીરિક પ્રવૃત્તિ અને સૂચવવામાં આવેલી દવાઓ સાથે ઉચ્ચ ગ્લુકોઝ સ્તર માટે વળતર છે.
બિનસલાહભર્યું અને આડઅસરો
જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇન્જેસ્ટ કરવામાં આવે છે, ત્યારે આના જેવા સ્વરૂપમાં આડઅસર થઈ શકે છે:
સામાન્ય નબળાઇ, થાક.
માથાનો દુખાવો, ચક્કર.
Auseબકા અને omલટી.
ગળું અથવા ગળું
વહેતું નાક અને છીંક આવવી.
સ્ટર્નમની પાછળ બર્નિંગ.
ત્વચા પર ફોલ્લીઓ અથવા ફોલ્લીઓ, કેટલીકવાર તે ડાયાબિટીઝની એલર્જી છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત કરીએ તો, આ એક રાસાયણિક સંયોજન છે, જેમાં ઝેરના કિસ્સામાં નશોના ગંભીર સ્વરૂપનો વિકાસ થાય છે, જેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે.
આ લેખમાંની વિડિઓ રોગોની ઝાંખી પૂરી પાડે છે જેનો ઉપચાર હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરી શકાય છે.
હજી સુધી કોઈ ટિપ્પણી નથી!
સારવાર કરતી વખતે, તમારે ઓવરડોઝ ટાળવા માટે પગલાંને અનુસરવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે, સોડા સારવાર આપતો નથી, પરંતુ શરીરને આલ્કલાઇન કરે છે. સામાન્ય રીતે, ફાર્માસ્યુટિકલ્સ દ્વારા અયોગ્ય સારવાર સાથે આડઅસરો આના સ્વરૂપમાં પ્રગટ થાય છે:
સ્ટૂલ ડિસઓર્ડર
એલર્જિક ફોલ્લીઓ,
પગ પર ટ્રોફિક અલ્સર અને ઘરે તેની સારવાર એ ખૂબ જ જવાબદાર અને લાંબી ધંધો છે. છેવટે, આવા રોગોની સારવારમાં સંપૂર્ણ શ્રેણીનો સમાવેશ થવો જોઈએ: ફિઝીયોથેરાપ્યુટિક પ્રક્રિયાઓ, નીચલા હાથપગના ટ્રોફિક અલ્સરના દેખાવના કારણભૂત પરિબળોને દૂર કરવા અને ડ્રગની વૈકલ્પિક પદ્ધતિઓ ધ્યાનમાં રાખીને ડ્રગ સપોર્ટ.
રોગમાંથી ઉપચારની આખી પ્રક્રિયા નિષ્ણાતની દેખરેખ હેઠળ અને તેની ભલામણોને આધારે હોવી જોઈએ. ફક્ત ડ timelyક્ટરની સમયસર મુલાકાત સર્જિકલ હસ્તક્ષેપના ઉપયોગ વિના ઉપાયની બાંયધરી આપે છે.
ટ્રોફિક અલ્સર જેવું છે
પગ પર ટ્રોફિક અલ્સર એ એક ખુલ્લો ઘા છે જે 1.5 મહિનાથી વધુ સમય સુધી મટાડતો નથી અને તેમાં ઘટાડો થતો નથી, પરંતુ, તેનાથી વિપરીત, "ઉગે છે". આ ઘટનાની નોંધ કર્યા પછી, તમારે તાત્કાલિક ડ doctorક્ટરની સલાહ લેવી જોઈએ.
મોટી ચેતવણી સાથે અને જો તમે તમારા ડ doctorક્ટર તરફ ન જઈ શકો, તો તમે તમારા પગ પર ટ્રોફિક અલ્સરની જાતે ઇલાજ કરવાનો પ્રયાસ કરી શકો છો. | guj_Gujr |
મમ્મી સેક્સ રમતો – વ્યભિચાર જેવા મમ્મી મારે તને ચોદવિ ગેમ્સ ઓનલાઇન
મમ્મી સેક્સ રમતો સાથે આવી રહ્યું છે, સૌથી ગરમ વ્યભિચાર જેવા ગેમ્સ
મમ્મી સેક્સ રમતો અમારી તાજેતરની પ્રોજેક્ટ છે, અને તે ઘણો સાથે આવે છે ભયાનક વ્યભિચાર જેવા ક્રિયા છે કે કૃપા કરીને કરશે બધા તોફાની પુત્રો પુખ્ત વિશ્વના. જો તમે હોય છે એક વસ્તુ માટે cougars અને તમે હોય છે એક વસ્તુ માટે કુટુંબ વર્જિત ક્રિયા, રમતો અમારી સાઇટ જતા હોય છે, માટે તમે કૃપા કરીને પર મર્યાદા. આ સંગ્રહ દર્શાવતા માત્ર નવા HTML5 પોર્ન સાઇટ્સ છે, અને અર્થ એ થાય કે કેટલાક અદ્ભુત ગ્રાફિક્સ અને અક્ષરો સાથે પ્રતિભાવ સંસ્થાઓ કે જેથી તમે આનંદ કરી શકો છો મોટા બોબલા અને મોટા asses આ moms jiggling જેવા ક્રેઝી ત્યારે તેઓ માટે તમે પૂછો વાહિયાત તેમને મુશ્કેલ છે., આ જ સમયે, અમે સાથે આવે છે એક સંગ્રહ દર્શાવતી રમતો તમામ પ્રકારના મમ્મી સંબંધિત અનુભવો. તમે રમતો હોય છે કે જેમાં આ moms રાશિઓ છે, તેથી તમે અને તમે રમતો હોય છે કે જેમાં તમે શોધવા પડશે રસપ્રદ રીતે, જેના દ્વારા વિચાર માં જાંઘિયો તમારા સંબંધ મમ્મી બનાવે છે કે જે તમે હાર્ડ દરેક દિવસ.
આ જ સમયે, અમે પણ હોય છે crazier રમતો જેમાં moms ચાર્જ છે કુટુંબ orgies. અને ત્યાં સુધી રાહ જુઓ તમે જોઈ બધા પ્રખ્યાત moms બધા પેરોડી સેક્સ રમતો અમારી સાઇટ. અમે ખૂબ જ હોય છે મમ્મી વ્યભિચાર જેવા ક્રિયા છે કે જે તમને જરૂર નથી કોઇ અન્ય પ્લેટફોર્મ માટે તમારા ઇન્ટરેક્ટિવ mommy fetish. બધા બધા માં, અમે એક સાઇટ બનાવી છે જ્યાં તમે આનંદ કરી શકો છો cougars મુક્ત અને ક્રોસ પ્લેટફોર્મ ગેમિંગ અને અમે સંતાપ નહીં તમે નકામી જાહેરાતો સાથે. આપણે જાણીએ છીએ બરાબર શું છે તે જાહેર જનતા માટે માંગે છે અમને અને અમે હાર્ડ કામ કરવા માટે તમે તક આપે છે અંતિમ પુખ્ત ગેમિંગ અનુભવ સાઇટ પર આવે છે કે તમામ સુવિધાઓ સાથે આજે વપરાશકર્તા જરૂર છે., વિશે વધુ વાંચો અમારી નવી સાઇટ નીચેના ફકરા નીચે.
એક સંગ્રહ માટે તમામ પ્રેમીઓ Mommy
અમે એક મોટી સંગ્રહ તીવ્ર xxx રમતો કે જે તમે આનંદ કરી શકો છો તમારા mommy વ્યભિચાર જેવા દોરડું જેથી ઘણા દૃશ્યો. તમામ પ્રથમ, અમે સાથે આવે છે રમતો કે જે તમે કરી શકો છો વાહિયાત તમારા mommy એક પર એક સત્ર ની શૈલી માં એક સેક્સ સિમ્યુલેટર. તમે મળશે તમારા મમ્મી મારે તને ચોદવિ છે જે તમને જણાવશે બધા ગંદા વસ્તુઓ તમે કરવા માંગો છો સાંભળવા, તમે ફોન પુત્ર અને તમે કહી વાહિયાત તેના ઝડપી ત્યાં સુધી તમારા ડેડી ઘર આવે છે. તમે કૃપા કરીને કરી શકો છો સાથે તેના તમામ પ્રકારના રમકડાં, તમે કરી શકો છો તેના squirt, અને તમે કરી શકો છો કમ તમે કરવા માંગો છો ત્યાં તમારા શરીર પર., આ જ સમયે, અમે સાથે આવે છે વાર્તા આધારિત મમ્મી વ્યભિચાર જેવા અમારી સાઇટ પર રમતો, જેમાં તમે હોય છે સાથે સંપર્કવ્યવહાર કરવા માટે તમારા મમ્મી કે જે રીતે મળશે તેના નગ્ન અને તેના સહમત વાહિયાત છે. આ જ સમયે, અમે પણ આ રમતો જેમાં સેક્સ મમ્મી એક છે નીચે શિકાર તમારા ટોટી.
કુટુંબ Threesomes અને વ્યભિચાર જેવા પેરોડી રમતો
તમને ગમે તો threesomes, સાથે તેથી ઘણા વ્યભિચાર જેવા ત્રણ લોકો નુ સમૂહ ચોદન રમતો અમારી સાઇટ પર તમે માટે. તમામ પ્રથમ, અમે આ રમતો કે જે તમે હશે મમ્મી મારે તને ચોદવિ છે અને કિશોર કે કિશોરી threesomes. કેટલાક આ રમતો moms સાથે દખલ કરશે તમારી સેક્સ જીવન અને બતાવવા માટે તમે અને તમારા ગર્લફ્રેન્ડ માટે કેવી રીતે યોગ્ય રીતે સેક્સ હોય છે, જ્યારે અન્ય રમતો હોય છે કે વધુ incestuous તમે વિચાર કરશે વાહિયાત બંને પગલું તમારા મમ્મી અને પગલું તમારા બહેન એક જ સમયે. જો કે, ત્યાં પણ મોમ અને પિતા threesomes જેમાં ન્યૂ મોમ જરૂરિયાતો બે કોક્સ આ જ સમયે તેના માટે છિદ્રો., અમે લક્ષણ રમતો આ સાઇટ પર આવતા હોય છે કે જે કસ્ટમાઇઝેશન ઘણો સાથે છે, જેનો અર્થ છે કે તમે કરવા માટે સક્ષમ હશે ફરીથી કોઇ મમ્મી મારે તને ચોદવિ છે તમારા જીવન માં તેમને, પણ તમારા ખૂબ જ પોતાના કાલ્પનિક પગલું મોમ, અને પછી તેના વાહિયાત બેભાન. અને પછી ત્યાં છે પેરોડી રમતો, સાથે આવતા પ્રખ્યાત moms જેમ કે Lois ગ્રિફીન, માર્ગે સિમ્પસન અથવા શ્રીમતી અકલ્પનીય છે.
તાજા ગેમ્સ સાથે ઈનક્રેડિબલ ગ્રાફિક્સ
જ્યારે તમે કરવા માંગો છો સાથે પ્રયોગ વ્યભિચાર જેવા કલ્પનાઓ, તમે જરૂર સાથે રમતો વધારો સ્તર નિમજ્જન. તમે પ્રયત્ન કરવાની જરૂર માં ક્રિયા મધ્યમાં જેવો લાગે છે અને આ મોટા બોબલા વાળી મહિલા MILFs છે કામુક માટે પ્રતિબંધિત સેક્સ. સાથે સાથે, તે શક્ય HTML5 રમતો અમારી સંગ્રહ. તમામ પ્રથમ, આ ગ્રાફિક્સ, ઈનક્રેડિબલ અને તમને જરૂર સારી ગ્રાફિક્સ વિશે વાત ત્યારે મમ્મી મારે તને ચોદવિ છે અક્ષરો. તેઓ તે બધા સ્વરૂપો અને આકાર કરી શકો છો કે જે jiggle અને તમે તેમને જોવા માંગો છો જ્યારે બાઉન્સ તમે spank અથવા તેમને વાહિયાત તેમને કાચા. પછી તમે જરૂર રમતો કે જે કરી શકે છે એક વાર્તા કહી., આ ગેમ્સ અમે લક્ષણ અમારી સાઇટ પર તમને મળશે ગહન વાતો કરશે કે તમે તરસ્યું અને હાર્ડ. માં આ રમતો મોટા ભાગના તમે રમવા આવશે પરિપ્રેક્ષ્યમાં પુત્ર. સેક્સ આભાસી છે કે ઉમરાવ વર્ગની સેવા કરવાની તેમની ગેમપ્લે પર કાચા ગંદી ક્રિયા છે, moms હશે ગંદી વાત રેખાઓ કરશે કે તમે આશ્ચર્યચકિત લાગે. અને પછી ત્યાં રમતો કે જેમાં તમને આનંદ મળશે અમેઝિંગ વ્યભિચાર જેવા કથાઓ કરી શકો છો કે જે તમે વિર્ય પાણી વગર પણ રમી ઇન્ટરેક્ટિવ સેક્સ દ્રશ્યો.
અમારી સાઇટ માં માને મફત ગેમિંગ પુખ્ત વયના લોકો માટે છે, કારણ કે અમે કરવા માટે કેવી રીતે ખબર યોગ્ય રીતે મુદ્રીકરણ સાઇટ દ્વારા જાહેરાત. આપણે ખબર છે કે જેથી અન્ય ઘણા પોર્ન સાઇટ્સ ત્યાં બહાર આવતા સાથે mommy રમતો, પરંતુ તેઓ પણ સાથે ભરવામાં ક્લિક કરો લાલચ રમતો અને નકામી જાહેરાતો સાથે. અમારી સાઇટ પર તમે માત્ર શોધવા બેનર જાહેરાતો. કોઈ paywall અથવા વિડિઓ જાહેરાતો મધ્યમાં માં રમત ચાલુ કરવા માટે તમે બંધ અને કોઈ જરૂરિયાતો માટે રજીસ્ટર અથવા વ્યક્તિગત માહિતી. બધા રમતો મફત છે અને તેઓ રમી શકાય સીધા તમારા બ્રાઉઝર., અમે મળીને મૂક્યો છે આ સંગ્રહ બનાવવા માટે એક સમુદાય વ્યભિચાર જેવા ઉત્સાહીઓ કોણ બનશે ચાહકો અમારા પ્લેટફોર્મ છે. અને તે શા માટે અમે અપલોડ સાથે આ સંગ્રહમાં નવી રમતો અમે શોધી શકો છો. બુકમાર્ક કરવા માટે અમારી સાઇટ ખાતરી કરો કે તમે બધા મળશે નવી રમતો આ સંગ્રહ ક્ષણ અમે તેમને અપલોડ કરો. | guj_Gujr |
ગુજરાતી સમાચાર: ખંભાતમાં 11 કલાકમાં 16 ઇંચ વરસાદ, રસ્તા જળબંબાકાર | Khambhat Heavy Rain City Road Water Logging - Central Gujarat | I Am Gujarat
Gujarati News Central Gujarat ખંભાતમાં 11 કલાકમાં 16 ઇંચ વરસાદ, રસ્તા જળબંબાકાર
ખંભાતમાં 11 કલાકમાં 16 ઇંચ વરસાદ, રસ્તા જળબંબાકાર
Updated: Aug 03, 2019 20:01 pm IST
અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વડોદરા, સુરત અને હવે ખંભાતમાં પણ વહેલી સરવાથી મૂશળધાર વરસાદના પગલે છેલ્લા 9 કલાકમાં 13.5 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ નદી-નાળામાં ફેરવાઈ ગયા છે. ખંભાતમાં છેલ્લા દોઢ માસમાં માત્ર 8 ઇંચ વરસાદ નોંધાયો હતો જેની સામે 9 કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સવારે શરુ થયેલા મૂશળધાર વરસાદે લોકોને પાણીની અછત પડશે તેવા ભયમાંથી મુક્ત કર્યા હતા પરંતુ બપોર સુધી ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાઈ જતા શહેરીજનોને વડોદરાવાળી થાવાનો પણ ભય લાગી રહ્યો છે.
લગભગ જુલાઈ પૂરો થવા આવ્યો છતા આ પંથકમાં ખેતી લાયક વરસાદ ન થયો હોવાથી ખેડૂતો તેમજ સમાન્ય લોકો પણ પીવાના પાણીને લઈને ચિંતાતુર રહતા. પરંતુ મેઘરાજાએ એક જ દિવસમાં ખંભાતમાં તોફાની બેટિંગ કરી સાંજે 5 વાગ્યા સુધીમાં 15 ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. | guj_Gujr |
આ નવરાત્રિમાં જોવા મળશે અવનવી થીમ અને ડિઝાઇનર ટ્રેડિશનલ ડ્રેસ | chitralekha
Home News Gujarat આ નવરાત્રિમાં જોવા મળશે અવનવી થીમ અને ડિઝાઇનર ટ્રેડિશનલ ડ્રેસ
આ નવરાત્રિમાં જોવા મળશે અવનવી થીમ અને ડિઝાઇનર ટ્રેડિશનલ ડ્રેસ
અમદાવાદઃ શહેરમાં નવરાત્રિની તૈયારીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે. જુદા જુદા ગ્રુપ પોતાના સાથીઓ સાથે ભરપૂર તૈયારીઓ કરી રહ્યાં છે. શહેરનું જાણીતું પનઘટ પરફોર્મિંગઆર્ટ્સ ગૃપ કે જે રાસગરબા શીખવાડતી સરકાર માન્ય સંસ્થા છે. આ ગ્રુપ દ્વારા નવરાત્રિ પૂર્વે આજે શુક્રવારની સવારે કળાત્મક ડ્રેસ પરફોર્મન્સ અને પ્રેકટિસ કરવામાં આવી.
સતત 18 વર્ષ માં 34 કરતાં વધારે દેશમાં ગુજરાતની રાસગરબાની આગવી સંસ્કૃતિને પહોંચાડનાર પનઘટ સંસ્થાના 50 જેટલા કલાકારોએ આજે પોતાની કળાને સુંદર રીતે રજૂ કરી હતી. પનઘટ સંસ્થાના ચેતન દવેએ chitralekha.com ને જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની રાસ-ગરબાની આ ભવ્ય સંસ્કૃતિને દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડવાનો છે.
આજના નવરાત્રિ પૂર્વેના આ રાસ-ગરબાની રમઝટમાં અનેક વિશેષતાઓ અને ડિઝાઇનર ડ્રેસ સાથે ખેલૈયાઓમાં આવનારા ઉત્સવનો ઉત્સાહ જોવા મળતો હતો. | guj_Gujr |
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી છે…. | Charotar Udai
Home International અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી...
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી છે. વૈજ્ઞાનિકોને મંગળની જમીનની અંદર એટલે કે નીચે ત્રણ સરોવરો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર ખૂબ મોટી મીઠાના તળાવ મળી આવ્યા હતા. આ તળાવ બરફની નીચે દટાયેલું છે. એટલે કે, ભવિષ્યમાં મંગળ ઉપર વસી શકાય છે જો તેના પાણીનો ઉપયોગ કરી શકાય તો.
યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ના સ્પેસક્રાફ્ટ માર્સ એક્સપ્રેસને 2018માં જે જગ્યાએ બરફની નીચે મીઠાના પાણીના તળાવની શોધ કરી હતી. આ તળાવ અંગેની માહિતી વધુ મજબૂત કરવા માટે 2012 થી 2015 સુધી માર્સ એક્સપ્રેસ સેટેલાઇટ 29 વખત તે વિસ્તારમાંથી પસાર થયું. આ વિસ્તારની આજુબાજુ તેને ફરીથી વધુ ત્રણ સરોવરો જોવા મળ્યા છે. આ ત્રણ તળાવો માટે અવકાશયાનને 2012 અને 2019 ની વચ્ચે 134 વખત અવલોકન કરવું પડ્યું છે.
મંગળની સપાટી પર પ્રવાહી સ્વરૂપમા પાણી જોવા મળ્યું
મંગળની સપાટી પર પાણી પ્રવાહી અવસ્થામાં જોવા મળ્યું છે. આ અહેવાલ વિજ્ઞાન મેગેઝીન નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. 2018માં શોધવામાં આવેલા તળાવ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર આવેલ છે. આ તળાવ અંદાજે 20 કિલોમીટર પહોળુ છે. આ મંગળ ગ્રહ પર જોવા મળેલ અત્યાર સુધીનો સૌથી મોટો જળસંગ્રહ છે.
રોમ યુનિવર્સિટીના એસ્ટ્રોસાયન્ટિસ્ટ એલના પેટીનેલીએ જણાવ્યું હતું કે અમે બે વર્ષ પહેલાં શોધી કાઢેલ તળાવની આજુબાજુ વધુ ત્રણ તળાવો શોધી કાઢયા છે. મંગળ પર પાણીના સ્ત્રોતોની ખૂબ જ દુર્લભ અને ગાઢ પેટર્ન દેખાય છે. જેને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉ સંશોધન દ્વારા મંગળની સપાટી પર પ્રવાહી પાણીના સંભવિત સંકેતો મળ્યાં હતાં.
મંગળ એક સૂકો અને વેરાન ગ્રહ નથી જેમ કે પહેલાં વિચારાતું હતું. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં પાણી પ્રવાહી અવસ્થામાં મંગળ પર જોવા મળ્યું છે. વૈજ્ઞાનિક લાંબા સમયથી એવું માની રહ્યા હતા કે કયારેક આખા લાલ ગ્રહ પર પાણી ભરપૂર માત્રામાં વહેતું હતું, ત્રણ અબજ વર્ષ પહેલાં જળવાયુમાં આવેલા મોટા ફેરફારોના લીધે મંગળનું આખું રૂપ બદલાઇ ગયું.
ઓસ્ટ્રેલિયાની સ્વિનબર્ન યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર એલન ડફીએ તેને એક મોટી સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે જીવનની સાનુકૂળ પરિસ્થિતિઓ માટેની શક્યતાઓ ખોલે છે. અગાઉ, યુએસ સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી હતી કે સર્ચ રોબોટ ક્યુરિયોસિટી, જે 2012 માં મંગળ પર ઉતર્યો હતો, તેના ખડકોમાં ત્રણ અબજ વર્ષ જૂનું કાર્બનિક અણુ મળી આવ્યું છે. આ સૂચવે છે કે તે સમયે આ ગ્રહ પર જીવન રહ્યું હશે.
અમેરિકન રોબોટ્સની રોવર ક્યુરિયોસિટી અને ઇએસએના સેટેલાઇટ્સના લીધ એ ભાળ મેળવવી સરળ થઇ ગઇ છે કે મંગળ પર કઇ જગ્યાએ ભેજ છે. કઇ જગ્યા સૂકી છે. રોવર્સે ભાળ મેળવી છે કે ત્યાં હવામાં કયાંક વધુ આદ્રતા છે. આ ગ્રહની સપાટીની શોધમાં લાગેલા રોવર્સે એમ પણ જાણ્યું છે કે તેની માટી પહેલાં કરવામાં આવેલા અંદાજો કરતાં ઘણી ભેજવાળી છે.
Previous articleફ્રાન્સની સાથે રાફેલ સોદામાં ઓફસેટ પૉલિસી પૂરી ના થવા પર કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) એ પોતાના રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો…
Next articleદ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના યુવકનો રાત્રીના આગાસી ઉપર સુતો હતો ત્યારે 30 કિલો વજનનો પથ્થર મારી હત્યા કરવામા આવી હતી… | guj_Gujr |
સુરતઃ જો બુલેટ ટ્રેન પ્રોજેકટમાં નવસારી-વલસાડના આંબાના હજારો ખેતરો કપાશે તો ખેડૂતો ચૂપ નહિં બેશે
મંગળવાર, ડિસેમ્બર 11 2018, 21:51 Hrs(IST)
નવગુજરાત સમય | Publish Date: Dec 7 2018 10:16PM
બુલેટટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટ માટે JICAની ટીમ નવસારીમાં, અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી ચીકુ અને આંબાવાડીના ખેતરોની મુલાકાત લીધી, મહિલાઓ દ્વારા રજૂઆતો થઈ
નવસારી ખાતે જીકાની ટીમના પ્રતિનિધિઓએ અસરગ્રસ્તોની રજૂઆત સાંભળી
નવગુજરાત સમય, સુરતઃ મુંબઈ-અમદાવાદને જોડતા 1.8 લાખ કરોડના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટ માટે ધ નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા જમીન એકવાયર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત JICA( જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી)ની ટીમે આજે નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈ તેમની સાથે બેઠક કરી ખેતરોની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 14મી સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે દ્વારા અમદાવાદખાતે મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ બુલેટ ટ્રેન પ્રોજકટનો દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ભારે વિરોધ છે કેમકે આ પ્રોજેકટમાં તેમની હજારો એકર જમીન જાય છે. તેમના ખેતરો, ચીકુ તથા આંબાવાડીઓ બરબાદ થઈ જાય તેમ છે.
ખાસ કરીને સુરત જિલ્લાના અંત્રોલીમાંથી ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી ચૂક્યા છે. જેવી કોઈ પીટીશન વિથ ડ્રો થાય કે નવી પીટીશન થતી રહે છે. આવી 40 પીટીશન હાઇકોર્ટમાં છે. બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં જતી જમીન બચાવવા ગુજરાતમાંથી સાગમાટે 1000 ખેડૂતો પીટીશન કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ સ્થિતિ JICAની ટીમ દ્વારા ખેડૂતો સાથેની બેઠક પરિણામલક્ષી નથી રહી. કેમકે બીલીમોરા, વલસાડ અને નવસારીમાં આવેલી ખેડૂતોની કિંમતી જમીનોનો મોલ લેવા ખેડૂતો તૈયાર નથી. અહીં ખતમ થઈ જનાર ગ્રીન બેલ્ટના કારણે મનુષ્ય, પ્રાણી અને પક્ષી જગતને ભારે નુકસાન વેઠવું પડશે તેવું પર્યાવરણવિદ્યોનું કહેવું છે.
સામાજિક અને પર્યાવરણના મુદ્દાઓને પ્રોજેકટ હેઠળ સ્પર્શવામાં નહિં આવે ત્યાં સુધી ચૂપ રહીશું.
નવસારીખાતેની બેઠકમાં ખેડૂત સમાજના આગેવાન અને સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક, ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પાલ, જયેશભાઈ દેલાડ, રમેશભાઈ ઓરમા, વલસાડના ભાયુભાઈ, નવસારીના સિધ્ધાંત દેસાઈ, રણજીત દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા અને તેઓએ JICA કંપનીના પ્રતિનિધિ મંડળ સમક્ષ રજૂઆતો કરી હતી. તેમનો મત હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરતાં અગાઉ પર્યાવરણ અને સામાજિક અસરને ધ્યાનમાં રાખવામાં આવે. નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેનના માર્ગમાં ઉપર આવતા આંબા અને ચીકુના સેંકડો ખેતરોનો નાશ થાય તેમ છે જેથી વૈકલ્પિક માર્ગની વિચારણા થવી જ જોઈએ. જમીન અધિકરણ 2013ના કાયદાને ધ્યાનમાં રાખીને જમીન સંપાદન કરવા માટે ઉગ્ર રજૂઆતો થઈ હતી.
આંબાની વાડીઓનું નિકંદન નીકળશે તો ખેડૂતો આંદોલન કરતાં અચકાશે નહિં
ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની સુનવણી વગર જમીન સંપાદન કરવાની કાર્યવાહી અન્યાયી છે. જો તમે કરવામાં આવશે તો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે, ખેડૂત સમાજ અન્યાય ચલાવી લેશે નહિં.
ઉલ્લેખનીય છે કે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહિં પરંતુ જ્યાં જયાંથી આ બુલેટ ટ્રેન પસાર થવાની છે તેની વચ્ચે આવતો ગ્રીન બેલ્ટ ખતમ થઈ જાય તેમ છે જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોનો ભારે વિરોધ છે. હજી તો 29 નવેમ્બરના રોજ જ મહારાષ્ટ્રના ખેડૂતોએ દિલ્હીમાં રેલી કાઢીને બુલેટ ટ્રેનના પ્રોજેકટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતની 1100 હેકટર જમીન અને 508 ગામડા અસર હેઠળ
ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોને સ્પર્શતા આ પ્રોજેક્ટની લંબાઈ 508 કિલોમીટર છે જેમાં ગુજરાતની 1100 હેકટર જમીન અને 508 ગામડા અસર હેઠળ આવે છે. જ્યારે મહારાષ્ટ્રની 350 હેકટર જમીન અને 104 ગામડા અસર હેઠળ આવે છે. મહારાષ્ટ્રના ત્રણ નેશનલ પાર્ક નાબુદ થઈ જાય તેમ છે જેમાં સંજય ગાંધી નેશનલ પાર્કનો પણ સમાવેશ થાય છે. અંદાજે દોઢ લાખ આંબાના વૃક્ષોનું નિકંદન નીકળી જાય તેમ છે. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી તબાહ થઈ જશે. આ તમામ સ્થિતિને જોતા સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડ તરફથી આ પ્રોજેક્ટ માટે ગ્રીન સીગ્નલ નથી મેળવી શકાયું.
બુલેટટ્રેન પ્રોજેક્ટ 2022માં પૂરો કરવાનો ટાર્ગેટ પણ...
મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા( નવસારી-વલસાડ) સુરત, ભરૂચ(અંકલેશ્વર), વડોદરા, આણંદ( ઉત્તરસંડા), અમદાવાદ, સાબરમતી સુધીના 508 મીટર લાંબા ધ નેશનલ હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટને આમ તો 15મી ઓગસ્ટ 2022માં આઝાદીના 75 વરસ પૂરા થાય ત્યાં સુધીમાં સંપૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ છે પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત જે રીતે નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઇફ સેન્ચયુરી, આંબાના લાખો ખેતરોનો નાશ થવાનો તે જોતાં સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. જેથી તેનો સમય લંબાવીને ડિસેમ્બર 2023 કરાયો છે.
બુલેટ ટ્રેનના ફિચર્સ
1. 274 કિલોમીટરના ફેઝ-1માં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલી તથા થાણેમાં કામ હાથ પર લેવાઈ રહ્યું છે. | guj_Gujr |
વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનિયન વલસાડનો નવી પેન્શન સ્કીમનો દિલ્હીમાં વિરોધ - SATYA DAY
Airtelએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન
Gmailના નવા ફીચર્સથી પર્સનલ જાણકારી થઇ શકે છે લીક
આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલનો પુરવઠો વધતા ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
Idea એ પ્રસ્તુત કર્યો ૧૧૨ દિવસની વેલીડીટી વાળો નવો પ્રીપેડ પ્લાન
Home Uncategorized વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનિયન વલસાડનો નવી પેન્શન સ્કીમનો દિલ્હીમાં વિરોધ
વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનિયન વલસાડનો નવી પેન્શન સ્કીમનો દિલ્હીમાં વિરોધ
SATYA DESKMar 13, 2018Comments Off on વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનિયન વલસાડનો નવી પેન્શન સ્કીમનો દિલ્હીમાં વિરોધ
સમગ્ર દેશની રેલવેમાં કામ કરતા કર્મચારીઓ માટે પેન્શનની નવી સ્કીમ લાગુ પડી ગઇ છે. 1 જાન્યૂઆરી 2004 માં નિમાયેલા કર્મચારીઓને નવી પેન્શન સ્કીમમાં આવરી લેવાયા છે. જેની સામે સમગ્ર દેશના રેલ કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. જેને લઇ ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશન તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન દ્વારા દિલ્હી ખાતે સાંસદ માર્ચનું આયોજન કરાયું હતુ. આ સાંસદ માર્ચ થકી થયેલા વિરોધ પ્રદર્શનમાં વલસાડના કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા હતા.
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી, ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કનાડે, વર્કિંગ ડિવિઝનલ ચેરમેન ડી. વાય. મહાલે, આસિસ્ટન્ટ ડિવિઝનલ સેક્રેટરી રાજને , વલસાડ બ્રાન્ચ ના કાર્યકર્તા નયન બલસારા દિલ્હી પહોંચી હમ મુંબઈ સે આયે હે પુરી તાકાત લાયે હે, જો ના મીલી મજદૂર કી માંગ રેલ કા ચક્કા હોગા જામ ના નારા સાથે સંસદ માર્ચ ગજવી હતી. તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શનમાં ન્યુ પેન્શન સ્કીમ હટાવો ના નારા થી રેલ કર્મવારીઓને નવું જોમ આપ્યું હતું. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન ના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રા તથા ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન ના ખજાનચી, વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન જનરલ સેક્રેટરી જે.આર. ભોંસલે ની આગેવાની માં આ વિરોધ પ્રદર્શન થયું હતુ.
અમદાવાદઃ ભવન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી નિયમ બહાર ઉઘરાવતી ફી મુદ્દે NSUIનુ વિરોધ પ્રદર્શન
Breaking News વલસાડ -ડાંગના સાંસદ ડો કે. સી. પટેલ ની દિલ્હીમા તબિયત લથડતા આય સી યુ મા દાખલ કરાયા .પરિવારજનો દિલ્હી પોહોંચ્યા.ભાજપ મા ચિંતાનો માહોલ
વલસાડના R M Park એપાર્ટમેન્ટના નીચે આવેલી ગટરનો સ્લેબ તૂટ્યો વરસાદના કારણે સ્લેબ તૂટતા એપાર્ટમેન્ટ ના પીલ્લરો બેસવાની સંભાવના સ્થાનિક લોકો માં ભય નો માહોલ. | guj_Gujr |
08-01-2020 પ્રાતઃ ગુજરાતી મુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન
" મીઠા બાળકો - સવારે - સવારે ઉઠી બાપ થી મીઠી રુહરિહાન કરો , બાપ એ જે શિક્ષાઓ આપી છે તેને વાગોળતાં ( મનન કરતા ) રહો "
આખો દિવસ ખુશી-ખુશીમાં વીતે, તેનાં માટે કઈ યુક્તિ રચવી જોઈએ?
રોજ અમૃતવેલા એ ઉઠીને જ્ઞાનની વાતોમાં રમણ કરો. સ્વયં સ્વયંથી વાતો કરો. આખા ડ્રામાનાં આદિ-મધ્ય-અંતનું સિમરણ કરો, બાપને યાદ કરો તો આખો દિવસ ખુશીમાં વીતશે. વિદ્યાર્થી પોતાના ભણતરનું રિહર્સલ (પૂર્વ-અભ્યાસ) કરે છે. આપ બાળકો પણ સ્વયં નું રિહર્સલ કરો.
આજ હે અંધેરે મેં ઇન્સાન…..
મીઠા-મીઠા સિકીલધા બાળકો એ ગીત સાંભળ્યું. તમે ભગવાન નાં બાળકો છો ને. તમે જાણો છો ભગવાન આપણને માર્ગ દેખાડી રહ્યા છે. તેઓ પોકારતા રહે છે કે અમેં અંધારામાં છીએ કારણકે ભક્તિ માર્ગ છે જ અંધકારનો માર્ગ. ભક્ત કહે છે અમે તમારાં મિલન માટે ભટકી રહ્યા છીએ. ક્યારેક તીર્થો પર, ક્યારેક ક્યાય દાન-પુણ્ય કરે, મંત્ર જપે છે. અનેક પ્રકારના મંત્ર આપે છે તો પણ કોઈ સમજે થોડી છે કે અમે અંધકારમાં છીએ. પ્રકાશ શું ચીજ છે-કંઈ પણ સમજતા નથી, કારણકે અંધકારમાં છે. હવે તમે તો અંધકારમાં નથી. તમે વૃક્ષમાં પહેલાં-પહેલાં આવો છો. નવી દુનિયામાં જઈને રાજ્ય કરો છો, પછી સીડી ઊતરો છો. એનાં વચમાં ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન આવે છે. હવે બાપ ફરી કલમ લગાવી રહ્યા છે. સવારે ઊઠીને આવી-આવી જ્ઞાનની વાતોમાં રમણ કરવું જોઈએ. કેટલું આ વન્ડરફુલ નાટક છે, આ ડ્રામાનાં ફિલ્મ રીલ નો સમય છે ૫૦૦૦ વર્ષ. સતયુગની આયુ આટલી, ત્રેતાની આયુ આટલી...બાબામાં પણ આ બધું જ્ઞાન છે ને. દુનિયામાં બીજું કોઈ નથી જાણતું. તો બાળકો એ સવારે ઉઠીને એક તો બાપને યાદ કરવાનાં છે અને જ્ઞાનનું સિમરણ કરવાનું છે ખુશીમાં. હમણાં આપણે આખાં ડ્રામાનાં આદિ-મધ્ય-અંતને જાણી ચૂક્યા છીએ. બાપ કહે છે કલ્પની આયુ જ ૫૦૦૦ વર્ષ છે. મનુષ્ય કહી દે છે લાખો વર્ષ. કેટલું વન્ડરફુલ નાટક છે. બાપ બેસી જે શિક્ષા આપે છે એને પછી વાગોળવું જોઈએ, રિહર્સલ કરવું જોઈએ. વિદ્યાર્થી પણ ભણતરનું રિહર્સલ કરે છે ને.
આપ મીઠા-મીઠા બાળકો આખાં ડ્રામાને જાણી ગયા છો. બાબા એ કેટલું સહજ રીતે બતાવ્યું છે કે આ અનાદિ, અવિનાશી ડ્રામા છે. આમાં જીતીએ છે અને પછી હારીએ છે. હવે ચક્ર પૂરું થયું, આપણે હવે ઘરે જવાનું છે. બાપનું ફરમાન (આદેશ) મળ્યું છે મુજ બાપને યાદ કરો. આ ડ્રામાનું જ્ઞાન એક જ બાપ આપે છે. નાટક ક્યારેય લાખો વર્ષોનું થોડી હોય છે. કોઈને યાદ પણ ન રહે. ૫ હજાર વર્ષનું ચક્ર છે જે આખું તમારી બુદ્ધિમાં છે. કેટલી સરસ હાર અને જીત ની રમત છે. સવારે ઊઠીને એવા-એવા વિચાર ચાલવા જોઈએ. આપણને બાબા રાવણ પર જીત પહેરાવે છે. આવી-આવી વાતો સવારે-સવારે ઉઠીને પોતાની સાથે કરવી જોઈએ તો આદત પડતી જશે. આ બેહદનાં નાટકને કોઈ નથી જાણતું. એક્ટર થઈને આદિ-મધ્ય-અંતને નથી જાણતાં. હવે આપણે બાબા દ્વારા લાયક બની રહ્યા છે.
બાબા પોતાનાં બાળકોને આપ સમાન બનાવે છે. આપ સમાન પણ શું, બાપ તો બાળકોને પોતાનાં ખભા પર ચઢાવે છે. બાબાનો કેટલો પ્રેમ છે બાળકોથી. કેટલું સારી રીતે સમજાવે છે મીઠા-મીઠા બાળકો, હું તમને વિશ્વનો માલિક બનાવું છું. હું નથી બનતો, આપ બાળકોને બનાવું છું. આપ બાળકોને ગુલ-ગુલ બનાવીને પછી શિક્ષક બની ભણાવું છું. પછી સદ્દ્ગતિ નાં માટે જ્ઞાન આપીને તમને શાંતિધામ-સુખધામ નાં માલિક બનાવું છું. હું તો નિર્વાણધામમાં બેસી જાઉ છું. લૌકિક બાપ પણ મહેનત કરી, ધન કમાઈને બધું બાળકોને આપીને પોતે વાનપ્રસ્થ માં જઈને ભજન વગેરે કરે છે. પરંતુ અહીં તો બાપ કહે છે જો વાનપ્રસ્થ અવસ્થા છે તો બાળકોને સમજાવીને તમારે આ સર્વિસમાં લાગી જવાનું છે. પછી ગૃહસ્થ વ્યવહારમાં ફસાવાનું નથી. તમે પોતાનું અને બીજાનું કલ્યાણ કરતાં રહો. હમણાં તમારાં બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બાપ કહે છે હું આવ્યો છું તમને વાણીથી પરે લઈ જવા માટે. અપવિત્ર આત્માઓ તો જઈ ન શકે. આ બાપ સમ્મુખ સમજાવી રહ્યા છે. મજા પણ સમ્મુખ માં છે. ત્યાં તો પછી બાળકો બેસીને સંભળાવે છે. અહીં બાપ સમ્મુખ છે ત્યારે તો મધુબન ની મહિમા છે ને. તો બાપ કહે છે સવારે ઉઠવા ની આદત પાડો. ભક્તિ પણ મનુષ્ય સવારે ઊઠીને કરે છે પરંતુ તેનાથી વારસો તો મળતો નથી, વારસો મળે છે રચતા બાપ થી. ક્યારેય રચનાથી વારસો મળી ન શકે એટલે કહે છે અમે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંતને નથી જાણતાં. જો તે જાણતા હોત તો તે પરંપરા ચાલતી આવત. બાળકો એ આ પણ સમજાવવાનું છે આપણે કેટલાં શ્રેષ્ઠ ધર્મવાળા હતા પછી કેવાં ધર્મ ભ્રષ્ટ, કર્મ ભષ્ટ બન્યાં છીએ. માયા ગોદરેજ નું તાળું બુદ્ધિને લગાવી દે છે એટલે ભગવાનને કહે છે તમે બુદ્ધિવાનો ની બુદ્ધિ છો, આમની બુદ્ધિનું તાળું ખોલો. હમણાં તો બાપ સમ્મુખ સમજાવી રહ્યા છે. હું જ્ઞાનનો સાગર છું, તમને આમનાં દ્વારા સમજાવું છું. કયું જ્ઞાન? આ સૃષ્ટિ ચક્રનાં આદિ, મધ્ય, અંતનું જ્ઞાન જે કોઈ પણ મનુષ્ય આપી ન શકે.
બાપ કહે છે, સત્સંગ વગેરેમાં જવાં કરતાં પણ સ્કૂલમાં ભણવું સારું છે. ભણતર કમાઈનું સાધન છે. સત્સંગોમાં તો મળતું કાંઈ નથી. દાન-પુણ્ય કરો, આ કરો, ભેટ રાખો, ખર્ચા જ ખર્ચા છે. પૈસા પણ રાખો, માથું પણ ટેકો, કપાળ પણ ઘસાઈ જાય. હમણાં આપ બાળકોને જે જ્ઞાન મળી રહ્યું છે તેનું સિમરણ કરવાની આદત પાડો અને બીજાને પણ સમજાવવાનું છે. બાપ કહે છે હવે તમારી આત્મા પર બૃહસ્પતિની દશા છે. વૃક્ષપતિ ભગવાન તમને ભણાવી રહ્યા છે, તમને કેટલી ખુશી હોવી જોઈએ. ભગવાન ભણાવીને આપણને ભગવાન-ભગવતી બનાવે છે, ઓહો! આવાં બાપને જેટલાં યાદ કરશું તો વિકર્મ વિનાશ થશે. આવું-આવું વિચાર સાગર મંથન કરવાની આદત પાડવી જોઈએ. દાદા અમને આ બાપ દ્વારા વારસો આપી રહ્યા છે. સ્વયં કહે છે હું આ રથનો આધાર લઉં છું. તમને જ્ઞાન મળી રહ્યું છે ને. જ્ઞાનગંગાઓ જ્ઞાન સાંભળીને પવિત્ર બનાવે છે કે ગંગાનું પાણી? હવે બાપ કહે છે-બાળકો, તમે ભારતની સાચી-સાચી સેવા કરો છો. તે સમાજ સેવક તો હદ ની સેવા કરે છે. આ છે રુહાની સાચી સેવા. ભગવાનુવાચ બાપ સમજાવે છે, ભગવાન પુનર્જનમ રહિત છે. શ્રીકૃષ્ણ તો પુરા ૮૪ જન્મ લે છે. તેમનું ગીતામાં નામ લગાવી દીધું છે. નારાયણનું કેમ નથી લગાડતાં? આ પણ કોઈને ખબર નથી કે કૃષ્ણ જ નારાયણ બને છે. શ્રીકૃષ્ણ રાજકુમાર હતા પછી રાધા થી સ્વયંવર થયો. હવે આપ બાળકોને જ્ઞાન મળ્યું છે. સમજો છો શિવબાબા આપણને ભણાવે છે. એ બાબા પણ છે, શિક્ષક, સદ્દગુરુ પણ છે. સદ્દ્ગતિ આપે છે. ઊંચે થી ઊંચાં ભગવાન શિવ જ છે. એ કહે છે મારી નિંદા કરવાવાળા ઊંચ પદ પામી નથી શકતાં. બાળકો જો નથી ભણતા તો શિક્ષક ની ઈજ્જત જાય છે. બાપ કહે છે તમે મારી ઈજ્જત નહીં ગુમાવતાં. ભણતા રહો. લક્ષ-હેતું તો સામે ઉભા છે. તે પછી ગુરુ લોકો પોતાનાં માટે કહી દે છે, જેનાં કારણે મનુષ્ય ડરી જાય છે. સમજે છે કોઈ શ્રાપ ન મળી જાય. ગુરુથી મળેલો મંત્ર જ સંભળાવતા રહે છે. સંન્યાસીઓને પુછાય છે તમે ઘરબાર કેવી રીતે છોડ્યું? કહે છે આ વ્યક્ત વાતો નહીં પૂછો. અરે, કેમ નથી બતાવતાં? અમને શું ખબર તમે કોણ છો? શુરુડ બુદ્ધિવાળા આવી વાત કરે છે. અજ્ઞાન કાળમાં કોઈ-કોઈ ને નશો રહે છે. સ્વામી રામતીર્થ નાં અનન્ય શિષ્ય સ્વામી નારાયણ હતાં. તેમની પુસ્તક વગેરે બાબાની વાંચેલી છે. બાબાને આ બધું વાંચવાનો શોખ રહેતો હતો. નાનપણમાં વૈરાગ્ય આવતો હતો. પછી એકવાર બાયસ્કોપ જોયું, બસ વૃત્તિ ખરાબ થઈ. સાધુપણું બદલાઈ ગયું. તો હવે બાપ સમજાવે છે તે બધાં ગુરુ વગેરે છે ભક્તિમાર્ગનાં. સર્વનાં સદ્દગતિ દાતા તો એક જ છે, જેમને બધાં યાદ કરે છે. ગાએ પણ છે મારા તો એક ગિરધર ગોપાળ બીજું ન કોઈ. ગિરધર કૃષ્ણને કહે છે. હકીકતમાં ગાળો આ બ્રહ્મા ખાય છે. કૃષ્ણની આત્મા જ્યારે અંતમાં ગામડાનો છોકરો તમોપ્રધાન છે ત્યારે ગાળો ખાધી છે. અસલમાં તો આજ કૃષ્ણની આત્મા છે ને. ગામડામાં ઉછર્યા છે. રસ્તે ચાલતાં બ્રાહ્મણ ફસાઈ ગયો અર્થાત્ બાબાએ પ્રવેશ કર્યો, કેટલી ગાળો ખાધી. અમેરિકા સુધી અવાજ ચાલ્યો ગયો. વન્ડરફુલ ડ્રામા છે. હવે તમે જાણો છો તો ખુશી થાય છે. હવે બાપ સમજાવે છે આ ચક્ર કેવી રીતે ફરે છે? આપણે કેવાં બ્રાહ્મણ હતા પછી દેવતા, ક્ષત્રિય….. બન્યાં. આ ૮૪ નું ચક્ર છે. આ બધું સ્મૃતિમાં રાખવાનું છે. રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંતને જાણવાનું છે, જે કોઈ નથી જાણતાં. આપ બાળકો સમજો છો આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ, આમાં કોઈ તકલીફ તો નથી. એવું થોડુ કહે છે આસન વગેરે લગાવો. હઠયોગ એવાં શીખવાડે છે વાત ન પૂછો. કોઈ-કોઈનું મગજ જ ખરાબ થઈ જાય છે. બાપ કેટલી સહજ કમાણી કરાવે છે. આ છે ૨૧ જન્મોનાં માટે સાચ્ચી કમાણી. તમારા હથેળી પર સ્વર્ગ છે. બાપ બાળકોનાં માટે સ્વર્ગની સોગાત લાવે છે. આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે. બાપ જ કહે છે, આમની આત્મા પણ સાંભળે છે. તો બાળકોએ સવારે ઉઠી એવાં-એવાં વિચાર કરવાં જોઈએ. ભક્ત લોકો પણ સવારે ગુપ્ત માળા ફેરવે છે. તેને ગૌમુખ કહે છે. તેમાં અંદર હાથ નાંખી માળા ફેરવે છે. રામ-રામ…..જેમકે વાજુ વગાડે છે. હકીકતમાં ગુપ્ત તો આ છે, બાપને યાદ કરવાં. અજપોજાપ આને કહેવાય છે. ખુશી રહે છે, કેટલો વન્ડરફુલ ડ્રામા છે. આ બેહદનું નાટક છે જે સિવાય તમારા બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. છે ખુબ સરળ. આપણને તો હમણાં ભગવાન ભણાવે છે. બસ એમને જ યાદ કરવાનાં છે. વારસો પણ એમનાંથી મળે છે. આ બાબા એ તો ધખ થી બધું છોડી દીધું કારણકે વચમાં બાબાની પ્રવેશતા હતી ને. બધુંજ આ માતાઓને અર્પણ કરી દીધું. બાપ એ કહ્યું આટલી મોટી સ્થાપના કરવાની છે, બધું આ સેવામાં લગાવી દો. એક પૈસો પણ કોઈને આપવાનો નથી. નષ્ટોમોહા આટલું જોઈએ. મોટી મંઝિલ છે. મીરા એ લોકલાજ વિકારી કુળની મર્યાદા છોડી તો કેટલું તેનું નામ છે. આ બાળકીઓ પણ કહે છે અમે લગ્ન નહીં કરીએ. લખપતિ હોય, કોઈ પણ હોય, અમે તો બેહદનાં બાપથી વારસો લઈશું. તો આવો નશો ચઢવો જોઇએ. બાળકોને બેહદનાં બાપ બેસી શ્રુંગારે છે. આમાં પૈસા વગેરેની દરકાર પણ નથી. લગ્નનાં દિવસે વનવાસ માં બેસાડે છે, જૂનાં ફાટેલા કપડાં વગેરે પહેરાવે છે. પછી લગ્નનાં પછી નવાં કપડાં, દાગીના વગેરે પહેરાવે છે. આ બાપ કહે હું તમને જ્ઞાન રત્નોથી શ્રુંગારુ છું, પછી તમે આ લક્ષ્મી-નારાયણ બનશો. આવું બીજું કોઈ કહી ન શકે.
બાપ જ આવીને પવિત્ર પ્રવૃત્તિ માર્ગની સ્થાપના કરે છે એટલે વિષ્ણુને પણ ૪ ભુજા દેખાડે છે. શંકરની સાથે પાર્વતી, બ્રહ્માની સાથે સરસ્વતી દેખાડે છે. હવે બ્રહ્માની કોઈ સ્ત્રી તો છે નહીં. આ તો બાપનાં બની ગયાં. કેવી વન્ડરફુલ વાતો છે. માતા-પિતા તો આ છે ને. આ પ્રજાપિતા પણ છે, પછી આમનાં દ્વારા બાપ રચે છે તો મા પણ થયાં. સરસ્વતી બ્રહ્માની દીકરી ગવાય છે. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. જેમ બાબા સવારે ઊઠીને વિચાર સાગર મંથન કરે છે, બાળકોએ પણ ફોલો (અનુકરણ) કરવાનું છે. આપ બાળકો જાણો છો કે આ હાર-જીતની વન્ડરફુલ રમત બનેલી છે, આને જોઈને ખુશી થાય છે, ઘૃણા નથી આવતી. આપણે આ સમજીએ છીએ, આપણે આખાં ડ્રામાનાં આદિ-મધ્ય-અંતને જાણી ગયા છીએ એટલે ઘૃણાની તો વાત જ નથી. આપ બાળકોએ મહેનત પણ કરવાની છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેવાનું છે, પાવન બનવાનું બીડું ઉઠાવવાનું છે. અમે યુગલ ભેગા રહી પવિત્ર દુનિયાનાં માલિક બનીશું. પછી કોઈ-કોઈ તો નપાસ પણ થઈ જાય છે. બાબાનાં હાથમાં કોઈ શાસ્ત્ર વગેરે નથી. આ તો શિવબાબા કહે છે હું બ્રહ્મા દ્વારા તમને બધાં વેદો-શાસ્ત્રોનો સાર સંભળાવું છું, કૃષ્ણ નહીં. કેટલો ફરક છે. અચ્છા!
1. ભણવા પર પૂરું ધ્યાન આપવાનું છે. એવું કોઈ કર્મ ન થાય જેનાથી બાપ, શિક્ષક અને સદ્દગુરુ ની નિંદા થાય. ઈજ્જત ગુમાવવાનું કોઈ કર્મ નથી કરવાનું.
2. વિચાર સાગર મંથન કરવાની આદત પાડવાની છે. બાપથી જે જ્ઞાન મળ્યું છે તેનું સિમરણ કરી અપાર ખુશીમાં રહેવાનું છે. કોઈથી પણ ઘૃણા નથી કરવાની.
બાળક સો માલિક નાં પાઠ દ્વારા નિરહંકારી અને નિરાકારી ભવ
બાળક બનવું અર્થાત્ હદનાં જીવનનું પરિવર્તન થવું. કોઈ કેટલાં પણ મોટા દેશનાં માલિક હોય, ધન કે પરિવાર નાં માલિક હોય પરંતુ બાપની આગળ બધાં બાળક છે. આપ બ્રાહ્મણ બાળકો પણ બાળક બનો છો તો બેફિકર બાદશાહ અને ભવિષ્યમાં વિશ્વનાં માલિક બનો છો. "બાળક સો માલિક છું''- આ સ્મૃતિ સદા નિરહંકારી-નિરાકારી સ્થિતિનો અનુભવ કરાવે છે. બાળક અર્થાત બાળક બનવું એટલે માયાથી બચી જવું.
પ્રસન્નતા જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે-તો સદા પ્રસન્નચિત રહો.
બાપને અવ્યક્ત રુપમાં સદા સાથી અનુભવ કરવું અને સદા ઉમંગ-ઉત્સાહ અને ખુશીમાં ઝુમતાં રહેવું. કોઈ વાત નીચે ઉપર પણ થાય તો પણ ડ્રામાની રમત સમજી ને બહુજ સારું, બહુજ સારું કરતાં સારુ બનવું અને સારા બનાવાનાં વાયબ્રેશન થી નકારાત્મક ને સકારાત્મક માં બદલી દેવું. | guj_Gujr |
હવામાન પલટાને ટાળવા માટે energyર્જા સંક્રમણને વેગ આપવો જોઈએ | લીલા નવીનીકરણીય
હવામાન પલટાની નકારાત્મક અસરોને રોકવા માટે, તેઓએ ઝડપી નિર્ણય લેવા જોઈએ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડે છે અને theર્જા સંક્રમણના વિકાસમાં ફાળો આપે છે તે પર્યાવરણીય નીતિઓનું સંચાલન અને અપનાવવા.
આ કરવા માટે, માં ડેવોસ ઇકોનોમિક ફોરમ, theર્જા ક્ષેત્રની કંપનીઓ અને સંસ્થાઓના તમામ પ્રતિનિધિઓએ સ્વીકાર્યું છે કે તેઓએ હવામાન પરિવર્તનનાં પરિણામો શું છે તે પૂર્ણ રીતે માની લીધું નથી અને શક્ય તેટલું વહેલી તકે નિવારણનાં પગલાં અપનાવવા જોઈએ. ડેવોસ મીટિંગમાં શામેલ છે?
1 નવીનીકરણીય પરિસ્થિતિ
2 શોધ સોલ્યુશન્સ
નવીનીકરણીય પરિસ્થિતિ
આ બેઠકનું મૂળ લક્ષ્ય હતું વ્યાપક અર્થમાં energyર્જાના ભાવિ પરની ચર્ચા. જો કે, બધા ઉપસ્થિત લોકોએ માન્યતા આપી હતી કે હવામાન પરિવર્તન એ એક મહત્વપૂર્ણ વૈશ્વિક સમસ્યા છે કે તે બધી કંપનીઓ, અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે.
સત્રમાં તેઓએ દખલ કરી આઇબરડ્રોલા પ્રમુખ, ઇગ્નાસિયો સેન્ચેઝ ગેલન; ભારતીય રેલ્વે અને કોલસા પ્રધાન પીયુષ ગોયલ; ટકાઉ energyર્જા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ, રશેલ કિયેટ; બ્રાઝિલની રાજ્ય તેલ કંપની પેટ્રોબ્રાસના અધ્યક્ષ, પેડ્રો પુલેન પારેન્ટે અને સ્નીડર ઇલેક્ટ્રિકના સીઈઓ, જીન પાસ્કલ ટ્રાઇકોર.
Climateર્જા દૃષ્ટિકોણ નવીનીકરણીયો માટે એક સ્પષ્ટ તક તરીકે રજૂ કરવામાં આવે છે, કારણ કે હવામાન પરિવર્તન "દળો" અથવા "દબાણ" કરતા એકમોને તેના માટે પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છ developingર્જા વિકસાવવા માટેનો હવાલો છે. ઉદાહરણ તરીકે, આઈબરડ્રોલાએ હવામાન પલટાથી લાભ મેળવ્યો તે હકીકતનો આભાર કે તેણે તેના નફામાં વધારો કર્યો છે, તેઓ વધુ સ્પર્ધાત્મક છે અને તેઓએ પ્રાપ્ત કર્યું છે પ્રદૂષણયુક્ત ગેસના ઉત્સર્જનને તાજેતરના વર્ષોમાં 75% ઘટાડવું.
Energyર્જાનો ઉપયોગ રાજકીય શસ્ત્ર તરીકે અસંખ્ય વખત કરવામાં આવ્યો છે. તેની અસર ગ્રાહકો અને શેરહોલ્ડરો પર પડી છે. જો કે, તેઓ નવી, વધુ સુસંગત energyર્જા નીતિ બનાવતા, ફરીથી ભૂલો નહીં કરે તેવી આશા રાખે છે.
નવીનીકરણીય દાખલો રાજકીય નિર્ણયો દ્વારા વર્ચસ્વ ધરાવતો હોય છે જે હંમેશાં સાચા ન હોવા ઉપરાંત સ્પષ્ટ ઉદ્દેશ ધરાવતા નથી. સ્વચ્છ energyર્જા તકનીક પહેલેથી અસ્તિત્વમાં છે, તે દરરોજ વધુ વિકસિત થાય છે અને તે વધુ પ્રતિસ્પર્ધી છે, જો કે, energyર્જામાં વધુ રાજકારણ અને ઓછા energyર્જા રાજકારણ છે.
Energyર્જા નીતિઓ વિશ્વને વધુને વધુ એકબીજા સાથે જોડવાનું કારણ બની રહી છે. આ એક સકારાત્મક બાબત છે, કારણ કે આપણે બીજા દેશોમાં વધારાની energyર્જાની નિકાસ અને આયાત કરી શકીએ છીએ. એવી વધુ અને વધુ કંપનીઓ છે જે નવીનીકરણીય બાબતો પર સટ્ટો રમતી હોય છે; માત્ર મોટી કંપનીઓ જ નહીં પણ તેમની પાછળના રોકાણકારો, નિયમનકારો અને ગ્રાહકો પણ.
સિંચેઝ ગેલને તે યાદ કર્યું 195 દેશોએ હવામાન પલટા સામે પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ અપનાવેલા કરારોનું પાલન કરવા માટે ખૂબ જ ઓછી ર્જા નીતિ જરૂરી છે.
શોધ સોલ્યુશન્સ
સંયુક્ત રાષ્ટ્ર તરફથી Racર્જા સંક્રમણમાં મદદ કરતી ofર્જા નીતિના અભાવની પરિસ્થિતિના સંભવિત ઉકેલોમાંથી એક રશેલ કિયેટે સૂચવેલું છે: :ર્જાને સબસિડી આપવાનું બંધ કરો જે ખરેખર «તેઓ એકબીજાને પ્રેમ કરતા નથી".
Transitionર્જા સંક્રમણમાં તે મહત્વપૂર્ણ છે કે ગ્રાહકોએ તે નક્કી કરવા માટે સક્ષમ હોવું જોઈએ કે તેઓ શું energyર્જા ઇચ્છે છે, કારણ કે પરિવર્તન તેમના દ્વારા આવશે. ગ્રાહકો વધુને વધુ ઝડપ અને સારી speedર્જાની સ્થિતિની માંગ કરી રહ્યા છે.
કદાચ સૌથી આવશ્યક ઉપાય એ ડેકાર્બોનાઇઝેશન છે. વર્ષ 2030 પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે વિશ્વના energyર્જા ઉત્પાદનમાં 20% ની નીચે હશે.
સિંચેઝ ગેલને જવાબ આપ્યો કે "તે એક તરફ તેલ અને ગેસ અને બીજી બાજુ વીજળી વચ્ચેના સંઘર્ષ તરીકે ક્ષેત્રના ભાવિને ingભું કરવાનો પ્રશ્ન નથી", કારણ કે તેલ અને ગેસ બંનેનું "મહાન ભવિષ્ય" છે.
ભારત સરકારના પ્રતિનિધિ ગોયલે, જેનાં વડા પ્રધાન, નરેન્દ્ર મોદી, આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ચાલીસમી આવૃત્તિના પ્રારંભિક ભાષણ આપતાં, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોમાં જરૂરી સંક્રમણ અને તેના નિરાકરણો માટેની શોધનો પણ ઉલ્લેખ કર્યો પેરિસ કરારના ઉદ્દેશોને પૂર્ણ કરે છે.
હવામાન પરિવર્તનની અસરોનો સામનો કરવા ઉર્જા સંક્રમણ વધુને વધુ જરૂરી છે.
લેખનો સંપૂર્ણ માર્ગ: લીલા નવીનીકરણીય » પુનઃપ્રાપ્ય ઊર્જા » હવામાન પલટાને ટાળવા માટે energyર્જા સંક્રમણને વેગ આપવો આવશ્યક છે | guj_Gujr |
બીસીબલ ખીચડી, મખના ખીચડી…40થી વધુ ખીચડી વ્યંજનની મોજ આપતી ઈવેન્ટ… | chitralekha
Home News Gujarat બીસીબલ ખીચડી, મખના ખીચડી…40થી વધુ ખીચડી વ્યંજનની મોજ આપતી ઈવેન્ટ…
અમદાવાદઃ સાંભળવામાં સાવ સામાન્ય લાગતી આ ઇવેન્ટ યોજાઈ ત્યારે તેનો માહોલ રોમાંચક બની ગયો હતો. ખીચડી ઈટીસીના ઉપક્રમે 'ખીચડી ઉત્સવ 2018 'નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ વાસણમાં ભિન્ન
પ્રકારે રાંધી શકાય તેવી વિવિધ પ્રકારની ખીચડીનું વૈવિધ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ખીચડીની 40 થી વધુ પ્રકારની વેરાયટી રજૂ કરનારા આ ખીચડી ઉત્સવમાં દરેક અમદાવાદી માટે વિવિધ સામગ્રીમાંથી બનાવેલી ખીચડીનો અનુભવ પ્રાપ્ત કરવા મળ્યો હતો. ખીચડી ઈટીસીએ કેટલીક સાચા અર્થમાં અનોખી અને આરોગ્યપ્રદ ખીચડી ફ્લેવર્સ રજૂ કરી હતી. આ ઉપરાંત પીણાંને બદલે છાશ અને દહી જેવાં દેશી કૂલન્ટ સાથે ખીચડીનો સમન્વય કરવામાં આવ્યો હોવાથી આ ઉત્સવ પણ બની રહ્યો હતો.
ભારતીયોની પસંદગીમાં સાચા અર્થમાં પ્રિય વાનગી એવી આ ખીચડીઓમાં બીસીબલ ખીચડી, અમૃતસરી છોલે ખીચડી, લીલવાની ખીચડી અને નન્હી સબજીયાં કી ખીચડીથી માંડીને મશરૂમ પેસ્ટો ખીચડી, તડકેવાલી ઓટ મીલ ખીચડી, ક્રંચી મખના ખીચડી અને બેકડ ખીચડી જેવી આધુનિક ખીચડીઓનો સમાવેશ કરાયો છે. ખીચડીના
ભિન્ન પ્રકારના વિકલ્પોને કારણે શહેરના ભોજનના કદરદાન ચાહકોને વિપુલ વૈવિધ્ય પ્રાપ્ત થયું હતું.
ભોજનમાં સંગીતનો રોમાંચ ભેળવવા મેઘધનુષ, સૂરજ ચૌહાણ અને સપન જોષીના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નાના બાળકો માટે એક ખાસ 'કીડઝ ઝોન'બનાવાયો હતો જેથી તેમનો માટે પણ સમય વ્યતિત કરવો આનંદપ્રદ બની રહ્યો હતો. | guj_Gujr |
આખી રાત શાંતિથી કેવી રીતે Sંઘવું - સ્વસ્થ LEEPંઘ માટે 16 શ્રેષ્ઠ ટિપ્સ - LEEPંઘ અને ર્જા
આખી રાત સારી રીતે કેવી રીતે leepંઘવું અને તાજું થઈને જાગવું તેની 16 શ્રેષ્ઠ ટિપ્સ
વિકી ટર્નર
આપણામાંના ઘણા લોકો દિવસમાં લગભગ બે વાર sleepંઘ વિશે વિચારે છે: રાત્રે જ્યારે આપણે થાકી જઈએ છીએ અને પથારીમાં જવાની જરૂર હોય છે, અને સવારે જ્યારે આપણે હજી થાકેલા હોઈએ છીએ અને ત્યાં રહેવા માંગીએ છીએ.
પરંતુ sleepંઘનો અભાવ આપણા આખા દિવસને અસર કરે છે: ગરીબ સ્લીપર્સ રોગપ્રતિકારક અને ભાવનાત્મક નિયમન તેમજ પેશીઓની પુનorationસ્થાપના અને સમારકામ ચૂકી જાઓ, sleepંઘ-સંશોધન મનોવૈજ્ાનિક જેસિકા પેને, પીએચ.ડી., નોટ્રે ડેમ યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર. તણાવ તમને જાગૃત રાખી શકે છે, પરંતુ અનિદ્રા બગાડી શકે છે તણાવને નિયંત્રિત કરવાની તમારી ક્ષમતા બીજા દિવસે, સ્લીપ-સ્ટ્રેસ સ્નોબોલ બનાવે છે, પેને ઉમેરે છે. તણાવ ન્યુરોટ્રાન્સમીટર અને કોર્ટીસોલ અને નોરેપીનેફ્રાઇન જેવા હોર્મોન્સના સ્તરમાં વધારો કરે છે, તમને હાઇપરવિજિલન્ટ સ્થિતિમાં રાખે છે, વાઘ (અથવા ઓફિસના દુશ્મનો) માટે હંમેશા સાવધ રહે છે. પેને કહે છે કે, તમે જેટલો વધુ તણાવમાં છો, તમારી sleepંઘ વધુ ગરીબ છે અને તમારો તણાવ વધુ ખરાબ છે.
Sleepંઘની આપણા જાગવાના કલાકો પર વિનાશ કરવાની ક્ષમતાને જોતાં, તે ફક્ત એટલું જ સમજાય છે કે આપણા દિવસો આપણને રાત્રે મુશ્કેલી causingભી કરી શકે છે. ચાર્લોટ્સવિલે ન્યુરોલોજી અને સ્લીપ મેડિસિનના પ્રમુખ અને લેખક સ્લીપ સોલ્યુશન: તમારી leepંઘ કેમ તૂટે છે અને તેને કેવી રીતે ઠીક કરવી . તમારું નિર્ણય લેવાનું મગજ એક સારા પ્રશિક્ષક જેવું છે જે તમને વર્ગમાં દોરી જાય છે, આગળ શું થઈ રહ્યું છે તેની સૂચના આપે છે અથવા તમે કેટલા બર્પીઝ કરી રહ્યા છો. તે પ્રકારના માર્ગદર્શન વિના, તમારું શરીર પાછળ રહે છે, તે કહે છે, અજ્ unknownાત માટે તૈયાર કરવા માટે સંરક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તે બધું શું ઉકળે છે: તંદુરસ્ત રાતની sleepંઘ તમારા શરીરની જૈવિક ઘડિયાળ અથવા સર્કેડિયન લય બનાવવા માટે દિવસની તંદુરસ્ત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. Sleepંઘ અને આરામની ક્રિયાપ્રતિક્રિયા, જ્યારે તે શેડ્યૂલ પર હોય છે, ત્યારે તમારા મગજને સંકેત આપવામાં મદદ કરે છે કે તે 24 કલાકની સર્કેડિયન લયમાં ક્યાં છે, ડો. વિન્ટર કહે છે. મેયો ક્લિનિક હેલ્થ સિસ્ટમના ન્યુરોલોજીસ્ટ ડોન ડેક્સ્ટર કહે છે કે કેટલીક પ્રવૃત્તિઓ યોગ્ય સંકેતો મોકલે છે અને અન્ય હાનિકારક હોઈ શકે છે. અહીં તમારી 24 કલાકની માર્ગદર્શિકા છે જેના માટે તમે આજની રાતથી વધુ સારી રીતે સૂઈ શકો છો.
સ્નૂઝ મારવાનું બંધ કરો.
વિન્ટર કહે છે કે આપણી સૌથી મોટી sleepંઘની ભૂલો સવારે થાય છે. ખરાબ રાત પછી, આપણી જાતને sleepંઘવા અથવા બીમાર દિવસ લેવા માટે દયા પાસ આપવાની લાલચ છે. બીજી બાજુ, દિવસની શરૂઆતમાં રેજિમેન્ટનો પ્રતિસાદ તમારા મગજની sleepંઘ-જાગવાની ઘડિયાળને સેટ કરવામાં મદદ કરે છે. અપવાદ: જો તમે ખૂબ વહેલા wakeઠો છો, તો sleepંઘમાં પાછા ફરવાનો પ્રયાસ કરશો નહીં - આગળ વધવું અને ઉઠવું વધુ સ્માર્ટ છે. પેન મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન મુજબ, તે અનિદ્રાના ક્રોનિક કેસ વિકસાવવાની તક ઘટાડે છે.
નાસ્તો ખાય. હા, ભલે તમે વધારે ભૂખ્યા ન હોવ.
રાત્રિભોજન માટે કેલરી બેન્કિંગ સાંજે અતિશય ખાવું તરફ દોરી જાય છે, પછી એક રાત યોગ્ય sleepંઘની જેમ તમે તે ભૂખ, રાત્રિભોજન, મીઠાઈ અને પીણું પચાવવાનો પ્રયાસ કરો છો. સવારે, ખાતરી કરો કે કેટલાક પ્રોટીન - જેમ કે ઇંડા, દહીં, માંસ અથવા દૂધ - તમારી પ્લેટ પર છે. સામાન્ય રીતે, પ્રોટીન ડોપામાઇનના ઉત્પાદનને સરળ બનાવે છે, એક જાગૃતિ ન્યુરોટ્રાન્સમીટર, ડો. વિન્ટર કહે છે.
વહેલા બહાર નીકળો.
સવારના ડેલાઇટનું એક્સપોઝર, પ્રાધાન્યમાં કૂતરા સાથે ચાલવા અથવા બસ સ્ટોપ જેવી કસરત સાથે જોડવામાં આવે છે, કારણ કે સૂર્ય મેલાટોનિનને દબાવે છે, આંતરિક ઘડિયાળના નિયમનને ટેકો આપે છે. વાદળછાયા દિવસે પણ, 10 થી 30 મિનિટની આઉટડોર વોક બધી લાઇટ ચાલુ હોવાને બદલે ઘરની અંદર રહેવાથી વધુ પ્રકાશ આપે છે. જો તમે હાર્ટ-પમ્પિંગ વર્કઆઉટ કરી શકો, તો વધુ સારું: તે સેરોટોનિનમાં વધારો કરશે જે મૂડ અને જાગૃતિને વધારે છે અને તમારી આંતરિક ઘડિયાળને જાણ કરે છે, ડ Dr.. વિન્ટર કહે છે.
10 મિનિટનો ડાઉનટાઇમ પકડો.
લંચની આસપાસ આપણું તાપમાન સ્વાભાવિક રીતે ઘટી જાય છે, જે સર્કેડિયન લય સાથે જોડાયેલું હોય છે, જેના કારણે .ંઘ આવે છે. દરરોજ એક જ સમયે તમારા લંચ બ્રેક દરમિયાન ટૂંકા કેટેનપ એનર્જી લેવલ રીબુટ કરી શકે છે, પરંતુ asleepંઘવું જરૂરી નથી. વિન્ટર કહે છે કે આરામ કરવો એ નિષ્ફળ નિદ્રા નથી. ધ્યેય આરામ કરવાની તકનીકોનો અભ્યાસ કરવાનો છે જે રાત્રે પછી ઉપયોગી થશે. તમારા મનને આશરે 10 મિનિટ સુધી ભટકવા દો અને સૂવા દો, પછી તમે જે કરી રહ્યા હતા તેના પર પાછા ફરો, તાજગી મેળવો.
કોફી પીશો નહીં.
હ્યુસ્ટનમાં UTHealth/UT ફિઝિશિયન્સમાં મેકગવર્ન મેડિકલ સ્કૂલ સાથે sleepંઘ નિષ્ણાત રીબા મેથ્યુ એમડી કહે છે કે આપણું શરીર એડેનોસિન ઉત્પન્ન કરે છે, જે sleepંઘને પ્રોત્સાહન આપે છે. ઉત્તેજક તરીકે, કેફીન એડેનોસિનને અવરોધિત કરે છે અને તમારા મગજના increaseંઘમાં કુદરતી વધારો અટકાવે છે કારણ કે તમે રાત્રિના સમયે આગળ વધો છો. હર્બલ ચા અથવા બપોરે પાણી વધુ સારું છે. આ ઉપરાંત, જો તમે દિવસભર પાણી પીતા હો, તો તમારે સાંજે ઓછી જરૂર પડશે, જે તમને 2 વાગ્યે બાથરૂમની સફર ટાળવામાં મદદ કરશે.
અંધારા પહેલા કામ કરો.
કસરત કરવાથી શરીરનું તાપમાન અને એપિનેફ્રાઇન અને એડ્રેનાલિનનું સ્તર વધે છે, જે જાણીતા સ્લીપ ફાઇટર્સ છે. મોડી બપોરે અથવા વહેલી સાંજે કસરત કરવાથી ગરમી અને હોર્મોન્સ શાંત થવાનો સમય મળે છે. ડ A.મેથ્યુ કહે છે કે શરીરનું તાપમાન ઘટીને લગભગ સંકેત જેવું કામ કરે છે જે sleepંઘ લાવે છે.
ટૂંકા ધ્યાન કરો.
દિવસની અસ્વસ્થતા અને ચિંતામાં ઘટાડો તમને રાત્રે વધુ deeplyંડા zeંઘવામાં મદદ કરી શકે છે. બોડી સ્કેન ધ્યાન તકનીકનો ઉપયોગ કરવા માટે પાંચથી 10 મિનિટ શોધો, તમારા શરીરની સંવેદનાઓનું નિરીક્ષણ કરો, પગની આંગળીઓથી ખોપરી ઉપરની ચામડી (અથવા વિપરીત) સુધી ધીમે ધીમે ખસેડો. તમારા પોતાના પર અથવા એપ્લિકેશન અથવા યુટ્યુબ પર માર્ગદર્શિત ધ્યાનનો ઉપયોગ કરીને તણાવ દૂર કરો.
આ બધાને એક જ સમયે અજમાવો નહીં, કારણ કે જીવનશૈલીમાં મોટા ફેરફારો જબરજસ્ત લાગે છે. તેના બદલે એક સમયે થોડી ક્રિયાઓ બદલવાનો પ્રયાસ કરો. ઘણા લોકોને અવ્યવસ્થિત sleepંઘની ટેવ હોય છે, ડ Dr.. મેથ્યુ કહે છે - તેથી તમે સારી કંપનીમાં છો, અને તમારા ડ્રીમવર્લ્ડને રાતોરાત રિમેક કરવાની જરૂર નથી.
ઓવરહેડ લાઇટ બંધ કરો.
તેજસ્વી વાદળી પ્રકાશના સંપર્કમાં આવવાથી મેલાટોનિનનું સ્તર 50%સુધી ઘટાડી શકાય છે, સલ્ચાનંદ પાંડા, પીએચ.ડી., સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને લેખક સર્કડિયન કોડ . સાંજે 6 વાગ્યા પછી અથવા તેથી, ગરમ- અથવા નારંગી રંગના લાઇટબલ્બ સાથે ટેબલ લેમ્પ અને ફ્લોર લેમ્પ્સ તરફ વળો. સ્ક્રીનના રંગને ગરમ કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને આજની રાતનો મોડ સેટ કરવો જોઈએ.
ધાર્મિક વિધિ બનાવો.
કોઈપણ પ્રકારની ઉત્તેજના સમસ્યારૂપ છે ઘર શિકારીઓ ફરી ચાલે છે. તમે બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા, પરસેવો અને વિદ્યાર્થી પ્રસરણમાં સૂક્ષ્મ વધારો અનુભવશો. તેના બદલે, તેને ડાયલ કરવા માટે ઓછામાં ઓછા 20 મિનિટનો સમય લો. સૌમ્ય ખેંચવાનો, ધ્યાન કરવાનો અથવા સ્નાન કરવાનો પ્રયાસ કરો. દિવસના અંતે તેને બુકમાર્ક તરીકે વિચારો, પેને કહે છે, શરીર અને મગજને સૂવું બરાબર છે.
સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખાવાનું બંધ કરો.
અને રાત્રિભોજન હળવા બાજુ પર રાખો. તમારા શરીરના પાચન અને કચરાના કાર્યોને આરામ અને ડાઉનટાઇમની જરૂર છે અને રસોડું ક્યારે બંધ થાય છે તે જાણવા માટે, પાંડા કહે છે, મધ્યરાત્રિના નાસ્તાને અટકાવવા.
તમને શું પરેશાન કરે છે તે લખો.
પેઈન કહે છે કે દિવસની ઘટનાઓને offફલોડ કર્યા વિના, તમારું મગજ આખી રાત તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પર પ્રક્રિયા કરવાનું ચાલુ રાખે છે. સમસ્યાઓ લખીને અને એક પરબિડીયામાં સીલ કરીને કમ્પાર્ટમેન્ટાઇઝેશનમાં સુધારો કરો - સવાર માટે ઉકેલો સાચવો. અને જો તમે પથારીમાં પડ્યા હોવ તો sleepંઘ પર જ ભાર મૂકે છે? તમારી જાતને કહો કે આ રીતે આરામ કરવો મહત્વપૂર્ણ છે, પછી ભલે તમે સ્વપ્નભૂમિમાં ન હોવ - અથવા getઠો અને 15 મિનિટ શાંત રહો. કેટલાક લોકો પથારીને બસ સ્ટોપની જેમ વર્તે છે. સ્લીપ બસ. તમારી અપેક્ષાઓને સમાયોજિત કરો અને આવતીકાલે ફરી શરૂ કરો.
તમારા બેડરૂમને કેવી રીતે પ્ટિમાઇઝ કરવું
તાપમાન : તમારું થર્મોસ્ટેટ 60 ° F અને 67 ° F વચ્ચે સેટ કરો.
અવાજ : તમારો બેડરૂમ ઓછામાં ઓછો શાંત હોવો જોઈએ પુસ્તકાલય તરીકે .
પથારી : મોટાભાગની વ્યક્તિઓ મધ્યમ-ગા firm ગાદલું પસંદ કરે છે, અને પથારી તમને પરસેવો પાડ્યા વગર આરામથી sleepંઘવા દેવી જોઈએ.
અંધકાર : રૂમ એટલો અંધકારમય હોવો જોઈએ કે તમે તમારા ચહેરા સામે તમારો હાથ જોઈ શકતા નથી. અસ્પષ્ટતા સુધી પહોંચી શકતા નથી? આંખનો માસ્ક યુક્તિ કરવી જોઈએ.
ઘડિયાળની સ્થિતિ : તમારાથી દૂર ઘડિયાળનો સામનો કરો. ડો.મેથ્યુ કહે છે કે ઘડિયાળ જોવું આપણને બેચેન બનાવે છે અને સ્ટ્રેસ હોર્મોન્સ વધારે છે. | guj_Gujr |
જાહેરનામું@સરસ્વતી: કેસો વધતાં કુંવારિકા માતાજી મેળામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ | Atal Samachar
Home News ON-02 જાહેરનામું@સરસ્વતી: કેસો વધતાં કુંવારિકા માતાજી મેળામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
જાહેરનામાનો ભંગ કરનાર સામે લેખિત ફરિયાદ નોંધવા માટે TDO સરસ્વતી અને પંચાયત તલાટી કમ મંત્રી અધિકૃત
સરસ્વતી તાલુકામાં આવેલ અઘાર ગામે દર વર્ષે કુંવારિકા માતાજીનો ધાર્મિક મેળો આયોજિત કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ વર્ષે આ મેળો 11 અને 12 એપ્રિલ, 2021ના રોજ આયોજિત થવાનો હતો. વર્તમાન સમયમાં કોવિડ-19ની મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટના સૂચનથી ગુજરાત સરકારે 6 એપ્રિલ, 2021ના રોજ હુકમ કરીને પ્રતિબંધો મુક્યા છે. એ સંદર્ભે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ 7 એપ્રિલ, 2021ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે યોજાનાર કુંવારિકા માતાજીના ધાર્મિક મેળામાં વધુ પ્રમાણમાં જાહેર જનતા એકસાથે ભેગા ના થાય અને કોરોના વાયરસનો ફેલાવો ના થાય એ માટે પાટણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ 11 અને 12 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર આ મેળામાં તેમજ અઘાર ગામના સમગ્ર મહેસુલી વિસ્તારમાં એકસાથે વ્યક્તિઓને ભેગા નહિ થવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સ્થળે કોઈપણ જાતના ખાણી પીણીના સ્ટોલ, લારી કે અન્ય કોઈ મનોરંજનના સાધનો પણ ગોઠવી શકાશે નહિ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ જાહેરનામું કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત કરાયેલ સરકારી અધિકારી કે કર્મચારી, આરોગ્ય વિભાગની કામગીરી સાથે સંકળાયેલ લોકોને અને સ્મશાનવિધિ માટે જનાર લોકોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો અમલ 11 એપ્રિલ, 2021ના 00:00 કલાકથી 12 એપ્રિલ, 2021ના 24:00 કલાક સુધી બંને દિવસે કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે લેખિત ફરિયાદ નોંધવા માટે તાલુકા વિકાસ અધિકારી, સરસ્વતી અને પંચાયત તલાટી કમ મંત્રી, અઘાર ગ્રામ પંચાયતને અધિકૃત કરવામાં આવ્યા છે.
Previous articleઘટસ્ફોટ@મહેસાણા: પાર્સિંગ વગરના ટ્રેક્ટરમાં બાઇકની નંબર પ્લેટ લગાવી ફેરવ્યું, 2 ઇસમ સામે FIR | guj_Gujr |
હુસ્ન પહાડી કા – ૨૨ – રાજકુમાર સચિન દેવ વર્મન – અસરમાં એકબીજાથી સાવ વિપરીત પહાડી ગીતો – વેબગુર્જરી
by Ashok Vaishnav • January 18, 2020
સંતાપ સૌ ઘડીકમાં વરાળ થઈ જશે
બસ ગણગણો પહાડી એટલી જ વાર છે ..
અગાઉ આપણે ઉલ્લેખી ગયા કે પહાડી રાગ પર આધારિત, બહુ લોકપ્રિય નહીં પરંતુ સાવ જ વિલક્ષણ ગીતોની આ લેખમાળામાં કેટલાક સંગીતકારો એવા છે જેમની બધી તો શું, ચુનંદી અદ્ભુત રચનાઓને પણ એક હપ્તામાં ન્યાય આપી શકાય નહીં. આવા પહાડી-પુત્રોમાંથી આપણે અત્યાર સુધી ખૈયામ, રવિ અને નૌશાદ સાહેબ ( ગત હપ્તો ) ને બબ્બે વાર ન્યાય આપવાનો પ્રયત્ન કરી ચુક્યા છીએ. આજે આપણે સંગીતના ( અને ત્રિપુરા રાજ્યના ) રાજકુમાર સચિન દેવ વર્મન ઉર્ફે બર્મનદાદાને બીજી અને આખરી વાર લઈને વિદાય આપીએ. એમને આ પહેલાં મણકા ક્રમાંક – ૬ તા. ૧૮ મે ૨૯૧૯ માં લીધેલા, જેમાં એમની બે બંદિશો 'તુમ ન જાને કિસ જહાં મેં ખો ગએ' ( સઝા ) અને 'આજ કી રાત પિયા દિલ ના તોડો' ( બાઝી ) વિષે વિગતે વાત કરેલી.
આપણે જેમને પૂજીએ છીએ એવા ગણ્યા-ગાંઠ્યા લાડકા સંગીત-રત્નોમાંના એક એટલે બર્મન દાદા. એ એમની આખરી ફિલ્મ સુધી કટાયા નહોતા. એટલા જ તરોતાજા, એટલા જ ફૂલગુલાબી, એટલા જ રંગીન જેટલા પ્રારંભે હતા. કદાચ એટલે જ, આ લેખમાળામાં શ્વેત-શ્યામ ગીતોનું બાહુલ્ય હોવા છતાં આજના બન્ને પહાડી ગીતો રંગીન છે ! બર્મન બન્ને યુગના બાદશાહ હતા. એમની કારકિર્દીના અસ્તાચળની કેટલીક ફિલ્મોના નામ જુઓ – અભિમાન, જુગ્નુ, છુપા રુસ્તમ, પ્રેમનગર, ચુપકે-ચુપકે, મિલી અને બારુદ. આ બધી ફિલ્મો સંગીતની દ્રષ્ટિએ સફળ ફિલ્મો હતી. અગાઉના મણકામાં લીધેલા બન્ને ગીતો જેમ પહાડીમાં હોવા છતાં અસરમાં એકબીજાથી સાવ વિપરીત હતાં એવું જ આશરે દોઢ દાયકા પછી રચાયેલા આજના બન્ને ગીતોનું છે. આ બન્ને ફિલ્મો નવકેતન (દેવ આનંદ) પ્રોડક્શનની છે અને બન્નેનું નિર્દેશન વિજય આનંદનું છે, જે કાબેલ સર્જક જ નહીં, ગીતોના ચિત્રીકરણના માહેર પણ હતા.
પરંતુ એ બે ગીતો પહેલાં દાદાના એક અન્ય સીમાચિહ્ન-રુપ પહાડી ગીતની વાત કરવી આવશ્યક છે. ' સઝા ' અને ' બાઝી'ની જેમ ૧૯૫૧માં આવેલી ફિલ્મ ' નૌજવાન'નું આ લતા-ગીત, એ પછી કેટલાક સંગીતકારોની રચનાઓ માટે 'પ્રેરણા-સ્રોત' બન્યું. સાહિર રચિત એ ગીત ' ઠંડી હવાએ' થી આપણે સુપરિચિત છીએ :
આ ગીત પરથી પ્રેરણા લઈ પછીથી રોશન (તેરા દિલ કહાં હૈ – ચાંદની ચોક – આશા ભોંસલે અને રહેં ન રહેં હમ – મમતા – લતા/ રફી ), મદન મોહન (યહી હૈ તમન્ના તેરે ઘરકે સામને – આપકી પરછાઇયાં – રફી) અને એમના જ સુપુત્ર રાહુલદેવ બર્મન (સાગર કિનારે દિલ યે પુકારે – સાગર – લતા/ કિશોર ) વગેરે ઉપરાંત પણ કેટલાક સંગીતકારોએ પોતાના ગીતો રચ્યા. અમેરિકન સર્જક રોન ગુડવીનની આ રચના જુઓ :
અને નીચેના બે તમિલ અને મલયાલમ ગીતો તો આ અમર ગીતની ઊભી નકલ જ છે :
અંતે તો એટલું જ કે દરેક પ્રેરણા-સ્રોતની પણ અન્ય કોઈક પ્રેરણામૂર્તિ હોય છે. છેવટે આનંદ તો આપણા ભાવકોનો જ ને !
આજના પ્રથમ ગીતની ફિલ્મ 'ગાઈડ' (૧૯૬૫)નું હિંદી સંસ્કરણ પ્રદર્શિત થયું એ પહેલાં મોટા ભાગના એ જ કલાકારોને ચમકાવતી અંગ્રેજી 'ગાઈડ' આવી ચુકી હતી. સ્વાભાવિક રીતે એ સંસ્કરણ ગીતો-વિહોણું હતું. હિંદી ફિલ્મમાં મન્ના ડેની એક ટુંકી રામધૂન અને સ્વયં બર્મનદાદાએ ગાયેલા નાનકડા ' રામા મેઘ દે ' સિવાય કુલ આઠ મુખ્ય ગીતો હતા. બધાય બેનમૂન અને ભારોભાર ગુણવત્તા – સભર ! આપણું આજનું પહાડી ગીત પણ દાદાનું ગાયેલું, પણ એમની ગાયકીની વિશિષ્ટ અને અનુપમ લઢણના કારણે માત્ર ચુનંદા ભાવકોમાં જ પ્રશસ્તિ પામેલું. ફિલ્મના ટાઈટલ્સ દરમિયાન જ, આપણે જેને ' આકાશવાણી ' કહેતા આવ્યા છીએ એ સ્વરૂપે આવે છે અને દર્શકોને પછી તુર્ત જ ફ્લેશબેકરુપે ફિલ્મની મુખ્ય કથા તરફ દોરી જાય છે. ગીતના શૈલેન્દ્ર લિખિત શબ્દો :
दम ले ले घड़ी भर, ये छैयाँ, पाएगा कहाँ
बीत गए दिन, प्यार के पलछिन, सपना बनी वो रातें
भूल गए वो, तू भी भुला दे, प्यार की वो मुलाक़ातें
सब दूर अंधेरा, मुसाफ़िर, जाएगा कहाँ..
कोई भी तेरी, राह न देखे, नैन बिछाए न कोई
दर्द से तेरे, कोई ना तड़पा, आँख किसी की न रोई
कहे किसको तू मेरा, मुसाफ़िर, जाएगा कहाँ ..
तूने तो सबको, राह दिखाई, तू अपनी मंज़िल क्युं भूला
सुलझा के राजा, औरों की उलझन, क्यों कच्चे धागे में झूला
क्यों नाचे सपेरा, मुसाफ़िर, जाएगा कहाँ ..
कहते हैं ज्ञानी, दुनिया है फ़ानी, पानी पे लिक्खी लिखाई
है सबकी देखी, है सबकी जानी, हाथ किसी के न आई
कुछ तेरा ना मेरा, मुसाफ़िर, जाएगा कहाँ ….
એકતારાના હલકા ધ્વનિ અને દાદરા તાલના સથવારે ' એ ગામમાં તારું હવે કોણ છે ' શબ્દો સાથે નાયક દેવ આનંદ જેલમાંથી છૂટતો દેખાય છે. આપણે હમેશા જોતા આવ્યા છીએ ભલા નાયકો, પણ અહીં એ નિર્દોષ નથી. લેખક આર.કે.નારાયણે એને આપણા જેવો એટલે કે દરેક પ્રકારની અચ્છાઈઓ અને બુરાઈઓના સંગમ તરીકે ચીતર્યો છે. દોરાહા આગળ એ ઘડીક કિંકર્તવ્યવિમૂઢ થંભે છે:
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ ..
સિતાર અને બાંસુરીના અંતરાલ બાદ પ્રથમ અંતરો. ' બધું જ વીતી ગયું. એ રંગીન રાત્રિઓ હવે તો સપનું. તને તારા પોતીકાં જ ભૂલી ગયાં. તું શીદને એમને સ્મરે ? ' નાયક બન્ને દિશાઓને નજરોથી નાણે છે અને થોડીક કશમકશ પછી એક્કામાં સવાર થાય છે. રસ્તામાં એક ઝાડ નીચે પોરો ખાધા પછી કોઈક અજાણ્યા ગામે પહોંચે છે.
હવે અંતરાલમાં સિતાર સાથે સોલો વાયલીન. ' કોઈ તારી રાહ જોતું નથી. તું મરે કે જીવે એની હવે કોઈને તમા નથી. તારા માટે કોઈ નજરો પાથરીને બેઠું નથી. તારું દર્દ પિછાણી કોઈ વલવલ્યું નથી. કોઈ આંખ તારા ખાતર રડતી નથી. ' નાયક વિચારમગ્ન કદાચ, આ શેર સંભારતો હશે :
અગર જો લૌટ ભી આયા તો કિસસે પૂછુંગા
યહીં કહીં મેરા રિશ્તા કિસી મકાન સે થા ..
કઈ દિશામાં જવું એની વિમાસણમાં દોડતા-હાંફતા નાયકનું પોટલું ખુલી જાય છે અને એમાંથી જૂની તસવીરો, જૂની સ્મૃતિઓ રસ્તા પર વેરાઈ પડે છે. એ ભૂતકાળને તાકતો રહે છે.
અંતરાની પંક્તિઓને તોડીને વચ્ચે વાંસળીના સુરો ભરી દાદાએ ગીતની નજાકત ઔર નિખારી છે. ' કોઈ ભી તેરી ' પછી વાંસળી, ' રાહ ના દેખે ' અને ફરી વાંસળી અને ' નૈન બિછાએ ન કોઈ ' માં ' કોઈ ' ને ખેંચીને કરાતું દીર્ઘ-ગાન, ફરી બીજી પંક્તિનું પણ એવું જ સુરીલું વિભાજન અને ' આંખ કિસીકી ન રોઈ ' નું બે વાર ગાન કર્યા પછી નીચે ઉતરી, ' કહે કિસકો તું મેરા ' વખતે તાાલનું સ્તંભન અને વાંસળી દ્વારા એ પંક્તિના પ્રત્યુત્તર-સમ હરકત અને હળવે રહીને તાલનો પુન:પ્રવેશ ! મરહબા ! મરહબા !
નાયક જિંદગી જેટલા પ્રલંબ દેખાતા પુલ પરથી પસાર થતો દેખાય છે. એ ખેતરમાં મજૂરી કરી પેટિયું રળતો દેખાય છે. હવેના અંતરાલમાં સિતાર સંગે દાદાનો આલાપ. ' તેં જ લોકોને રસ્તો દેખાડ્યો અને તું જ પોતાનું ગંતવ્ય ભૂલી બેઠો ? ' ગુજરાતીના એક ગુમનામ કવિ કહે છે તેમ :
હાથ પકડીને કરાવ્યો પાર રસ્તો કંઈકને
લો હવે પોતે અમે લાચાર રસ્તા-વચ ઊભા ..
અહીં ગીત પ્રબોધનાર આ ' ત્રીજી વ્યક્તિ ' જાણે નાયકને બાળકની જેમ પુચકારતી હોય એમ એને 'રાજા ' થી સંબોધિત કરે છે દુલારથી, અને દાદા એમાં વધુ ખૂબસૂરતી ત્યારે ઉમેરે છે જ્યારે ' સુલઝાકે રાજા ' ગાયા પછી એમનું ખરજદાર હાસ્ય જોડાય છે ! સંવેદનશીલ ભાવક જાણે છે કે એ હાસ્યમાં ઉપહાસ નહીં, હમદર્દી છે. ' દીકરા, બીજાની ગૂંચ ઉકેલીને તું પોતે જ કાચા તાંતણે ભેરવાઈ ગયો ? '. વળી આ પછી કવિરાજ શૈલેન્દ્રએ જે પંક્તિ ઉમેરી છે એના પર તો જાવેદ અખ્તર પણ ફિદા છે ! એમના કહેવા પ્રમાણે શૈલેન્દ્ર એક વીરલ પ્રતિભા અને એમના સમકાલીનો (જાવેદ સહિત !) કરતાં ક્યાંય ચડિયાતા હતા. માત્ર એ જ કહી શકે, 'કયું નાચે સપેરા ?' સપેરા-મદારીએ તો પોતાને આધીન સર્પોને નચાવવાના હોય, એણે પોતે જ નાચવું પડે ? ક્યા બાત !
સમગ્ર ગીત દરમિયાન નિરંતર નાયકની ભટકન, એની ભાગદોડ ( સુખ શોધવા, ઠરીઠામ થવા કાજે ) દેખાડાઈ છે. એ પોતાનું ( અથવા ભૂતકાળના ભારનું ! ) પોટલું ઉઠાવી અહીં-તહીં દોડ્યા કરે છે. હવે અંતરાલમાં, દાદાના કંઠે ગવાયેલી આલાપી પંક્તિ ' હો મુસાફિર તુ જાએગા કહાં ' બાંસુરી સાથે જોડાઈને ગીતમાં જાણે ચોથું પરિમાણ ઉમેરે છે. નાયક જાણે સાચો રસ્તો શોધતો હોય તેમ પદયાત્રિક સાધુઓના ટોળા પાછળ દોરવાય છે. ' જાણકારો કહે છે, દુનિયા ક્ષણભંગૂર છે, જાણે પાણી પરના અક્ષર. બધાએ એને જોઈ, બધાએ એને સમજવાનો પ્રયત્ન કર્યો પણ કોઈની પકડમાં ક્યારેય ન આવી.
મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઇ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ ..
ગીતના અંતે નાયક એક મંદિરના ઓટલે ( અંતિમ ) આશ્રય પામે છે અને ગામલોકો એને સંત માની બેસે છે.
ગુનગુનાતા જા રહા થા એક ફકીર
ધૂપ રહતી હૈ ન સાયા દેર તક ..
એકતારાના એકધારા સુરો સાથે અને ક્ષિતિજે વિલીન થતા સૂરજ સાથે ગીત વિરામ પામે છે.
'ગાઈડ' એ ગાથા છે જે રાજુ ગાઈડની જિંદગીના અલગ-અલગ તબક્કાઓ – સામાન્ય ગાઈડ, સ્વાર્થી પ્રેમી, અને છેવટે પરાણે બનાવાયેલો સંતપુરુષ – માંથી પસાર થઈ, એના મૃત્યુ સાથે પૂરી થાય છે. અગાઉ કહ્યું તેમ, ફિલ્મનું સંગીત- પાર્શ્વ સંગીત સહિત – દરેક રીતે સીમાચિહ્ન સ્વરૂપ છે.
બર્મન દાદાના આ ગીતનું બંગાળી સંસ્કરણ પણ છે, એમણે જ ગાયેલું :
આવા મનભાવન હિંદી ગીતોનો અસલ સ્રોત પામીએ ત્યારે ગંગાથી ગંગોત્રી પહોંચ્યાની અનુભૂતિ થાય અને એથીય આગળ, જ્યારે એ અસલ ગીતની મૂળ પ્રેરણા લગી જઈએ ત્યારે ગંગોત્રીથી ગૌમુખ પહોંચ્યાની લાગણી થાય !
આજનું બીજું પહાડી ગીત ૧૯૬૭ ની ફિલ્મ ' જ્વેલ થીફ 'માંથી. હજુ પણ દાદા સર્વથા પ્રસ્તૂત હતા. હા, ફિલ્મના આ ગીત ' દિલ પુકારે આ રે આરે આરે ' અને અન્ય એક એટલા જ હૃદયસ્પર્શી પહાડી ગીત ' રુલાકે ગયા સપના મેરા ' માં દાદાના અસલી મિજાજનો સ્પર્શ હતો, જ્યારે ફિલ્મના અન્ય લોકપ્રિય ગીતો પર રાહુલદેવ બર્મનની અસર હતી જે આ ફિલ્મમાં એમના સહાયક હતા. આજના મજરુહ લિખિત પહાડી ગીતના શબ્દો :
अभी ना जा मेरे साथी
बरसों बीते दिल पे क़ाबू पाते
हम तो हारे तुम ही कुछ समझाते
समझाती मैं तुमको लाखों अरमां
खो जाते हैं लब तक आते-आते
पूछो ना कितनी, बातें पड़ी हैं, दिल में हमारे
जीवन अपना मैं भी रंगीं कर लुं
मिल जाए जो इन होटों की लाली
जो भी है अपना, लाई हुँ सब कुछ, पास तुम्हारे
महका – महका आँचल हलके – हलके
रह जाती हो क्यों पलकों से मल के
जैसे सूरज बन कर आए हो तुम
चल दोगे फिर दिन के ढलते – ढलते
आज कहो तो, मोड़ के रख दुं, वक्त के धारे ..
આ અગાઉ પૂરી થઈ ચૂકેલી, કવિ શૈલેન્દ્રના અભેરાઈએ મુકાઈ ગયેલા ગીતોના રસાસ્વાદની લેખમાળા ' હૈં સબ સે મધુર વો ગીત ' માં આપણે આ ફિલ્મના અન્ય પહાડી લતા-ગીત ' રુલાકે ગયા સપના મેરા ' વિષે વાંચી ચુક્યા છીએ, જોકે એ વખતે સંદર્ભ પહાડી રાગનો નહીં પરંતુ માત્ર શૈલેન્દ્ર લિખિત આખરી ગીત તરીકે હતો. એ ગીતમાં રહેલું કાવ્ય-તત્ત્વ, એમાં વ્યક્ત થતી શૈલેન્દ્રની અંગત પીડા અને વિજય આનંદનું ફિલ્માંકન કૌશલ્ય- દરેક દ્રષ્ટિએ એ ગીત પણ બેમિસાલ છે. બહરહાલ, આજના આ લતા-રફી દ્વારા ગવાયેલા અને દેવ આનંદ / વૈજયંતિ માલા પર ફિલ્માવાયેલા ગળચટ્ટા પહાડી ગીતની વાત. ઘણા નિષ્ણાંતોના મતે આ ફિલ્મનું દિગ્દર્શકીય કૌશલ, એ પછી આવેલી આનંદ ભાઈઓની અતિ સફળ ફિલ્મ ' જોહ્ની મેરા નામ ' ( ૧૯૭૦ ) કરતાં સ્હેજ પણ ઓછું નહોતું. એ રહસ્ય, રોમાંચ, એક્શનથી ભરપૂર, દર્શકને વિચારવાનો સમય ન આપે એવી પકડદાર ફિલ્મ હતી અને અશોક કુમારનું પાત્ર પણ ફિલ્મમાં નાયક-નાયિકા જેટલું જ અગત્યનું હતું. પ્રસ્તૂત રમ્ય પ્રણય ગીત સિક્કિમની પહાડીઓ મધ્યે ફિલ્માવાયું છે.
સંતૂર અને પહાડી વાંસળી સાથે ગીતનો ઉઘાડ થાય છે. દેવ-વૈજયંતિ એક બૌદ્ધ ગોમ્પાની ભીતર કરબદ્ધ. લામાઓની ગોમ્પા ફરતે પ્રદક્ષિણા અને નાયકનો નાયિકાના હાથમાં પરોવાતો હાથ. નેપથ્યે વાંસળી અને પહાડી ઢોલ. અચાનક વાયલીન્સના પ્રવેશ સાથે ગીત દ્રુત લયમાં આવે છે. સિતારની ઝંકાર સાથે રફીનો આલાપ અને થંભી જતી ઢોલક. તાલના પ્રવેશ અને નિર્ગમન સાથે દર્શકના મન-મયૂરને નચાવવાના પણ બર્મન ઉસ્તાદ હતા. અહીં એ વાત પુરવાર થાય છે. મુખડાના બીજીવારના ઉચ્ચારણ સાથે તાલનો ફરી પ્રવેશ. રફી દ્વારા મુખડાનો પૂર્વાર્ધ પૂરો થાય ત્યાં લતા હળવી મુરકી સાથે પ્રવેશે છે.
બર્મન દાદાએ લતા માટે કહ્યું હતું કે ઉત્તમોત્તમ ગીતના સર્જન માટે માત્ર લતા અને હાર્મોનિયમ કાફી છે ! એમણે જ લતાને બિરદાવતાં એમ પણ કહેલું કે સંગીત એ લતાના કંઠ માટે પૂરક અવયવ માત્ર છે, એનાથી કશો ઉમેરો થતો નથી ! આ બીજું વિધાન જેને અતિશયોક્તિપૂર્ણ લાગે એણે દાદાની જ ફિલ્મ ' આરાધના ' નું રફી-લતાનું યુગલ-ગીત ' બાગોં મેં બહાર હૈ ' અને રફી દ્વારા મુખડાના ગવન બાદ લતાનું ' ના ના ના ના નાના ના ના ના ' વારંવાર સાંભળવું ! જો કે આ બાબતે રફીને પણ આપણે માનભેર લતાની જ પંગતમાં મૂકવા પડે !
ગીત પર પાછા ફરીએ. મુખડાનું પુનરાવર્તન જ્યારે રફી-લતાના સહિયારા કંઠે થાય છે ત્યારે આયોજનપૂર્વક લતા તાર સપ્તકમાં ચાલી જાય છે અને રફી મંદ્ર સ્વરમાં. મુખડા પછીના અંતરાલમાં માત્ર ગિટાર પણ તાલમાં ઢોલકનો કરતબ દિલકશ સાથ પૂરાવે છે. તાલ ઘડીક થંભે છે અને પ્રથમ અંતરાની રફી દ્વારા શરુઆત. સાક્ષીમાં હિમાલયની પર્વતમાળા. અંતરાનો ઉત્તરાર્ધ લતા દ્વારા. ' મારા દિલમાં કેટલી બધી વાતો વણકહી પડી છે, હું જ જાણું એ. ' અહીં પણ અંતરા પરથી મુખડા પર આવતાં ઢોલક ક્ષણાર્ધ થંભે છે અને તરત નર્તનરુપે ફરી ઉભરે છે.
હવેના અંતરાલમાં ગિટાર અને બાંસુરી. શબ્દોમાં થોડીક વધુ રુમાનિયત ઉમેરાય છે અને નાયિકા પૂરા સમર્પણ-ભાવથી નાયકની ઈચ્છાઓમાં સંમતિનો સુર પૂરાવે છે. હવે મુરકીથી ઘુમાવીને મુખડા પર પરત ફરવાનો વારો રફીનો છે. છેલ્લા અંતરામાં નાયિકાના ચહેરા પર ઘેરી ચિંતાના ભાવ અને એ ભાવ પૂરેપૂરી પ્રવણતાથી ઝીલતા દિગ્દર્શક વિજય આનંદ. ' તું સૂર્ય બનીને આવ્યો છો મારી જિંદગીમાં, સાંજ પડતાં-પડતાં આથમતા સૂરજ જેમ ગુમ થઈ જઈશ ' અને જવાબમાં નાયક કહે છે કે આજે તો તું કહે તો સમયનો પ્રવાહ પલટાવી દઉં ! કતીલ શિફાઈ કહે છે તેમ :
તુમ આ સકો તો શબ કો બઢા દું કુછ ઔર ભી
અપને કહે મેં સુબહ કા તારા હૈ ઈન દિનોં ..
સમગ્ર ગીત દરમિયાન પહાડી વાંસળી હમકદમ રહે છે અને પહાડી રાગનો પાશ છવાયેલો રહે છે.
દાદાની અન્ય કેટલીક ચુનંદી પહાડી રચનાઓના ઉલ્લેખ સાથે આજે વિરમીએ :
૧. પિઘલા હૈ સોના દૂર ગગન પર જાલ લતા
૨. લિખા હૈ તેરી આંખોં મેં કિસકા ફસાના તીન દેવિયાં લતા-કિશોર
૩. ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે પ્રેમ પૂજારી કિશોર
હવે પછીના મણકામાં ફરી એકવાર મારા આરાધ્ય મદનમોહનની પહાડી અને અંતિમ અધ્યાયમાં રહી ગયેલા પરંતુ એટલા જ ગુણી સંગીતકારોની કૃતિઓનો ઉલ્લેખ અને પૂર્ણ-વિરામ ..
← વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કવિતામાં વ્યાવસાયિક આરોગ્ય
મારું વાર્તાઘર : દસની નોટ →
10 comments for "હુસ્ન પહાડી કા – ૨૨ – રાજકુમાર સચિન દેવ વર્મન – અસરમાં એકબીજાથી સાવ વિપરીત પહાડી ગીતો"
Tushit P Desai
Very much informative and interesting article throwing light on unknown aspect of a song we usually sing .Thanks for your contribution towards educating a common person
સંગીત ની સફર આ પહાડી સંગ કેટલી યાદગાર નીવડે છે.
રવિ સાહેબ ,ખય્યામ સાહેબ અને નૌશાદ સાહેબ પછી બર્મન દાદાએ મજા કરાવી દીધી . ગીત નું બારીક વિશ્લેષણ ભગવાનભાઈ ની ખૂબી છે.તેમને ગાઈડ ના દાદાએ ગાયેલ ગીત ની કેટલી સુંદર છણાવટ કરી છે કે ફરી થી તે ગીત સાંભળવાનું મન થાય. જ્વેલ થીફ ના ગીત માં બર્મન દાદા ની પૂર્વ ભારતીય સંગીત પર ની પકડ છતી થાય છે .મજા પડી ગઈ.
ખુબ ખુબ આભાર,ભગવાનભાઈ !
ખુબજ સુંદર આર્ટીકલ અને ગીતો સાહેબ. પહાડી તો શું કોઈ જ રાગ વિશે જાણકારી મારી જેવા સામાન્ય માણસ ને ના હોય માત્ર ગમતા ગીતો ગણગણતા રહીએ કે સાંભળતાં રહીએ આપનાં આર્ટીકલ્સ થી જાણીતા ગીતો સાંભળવા ની એક જુદી જ મજા આવી ગઈ. ખુબ ખુબ અભિનંદન સાહેબ.
નમસ્કાર અને આભાર બહેન !
નિરંતર વાંચનથી જ રસ-દ્રષ્ટિ વિકસે છે.
આ શ્રેણી હવે પૂરી થવામાં છે…
Yes, S D Burman a Great music director, was one of very few m.d. who gave melodious and popular music till the end of their career. He was one, who molded his style to liking of next generation keeping high standard of music intact. "Aaradhna" is a classic example. Detailed picturesque presentation of Both the pahadi songs is commendable. Thanks. | guj_Gujr |
દિગ્વિજયસિંહ નહીં જીતે તો સમાધિ લેશે આ સંત, 5 ક્વિંટલ મરચાનો કરશે હવન - GSTV
Last Updated on April 30, 2019 by Mansi Patel
ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસબા સાંસદ દિગ્વિજયસિંહ ચૂંટણી મેદાનમાં છે, તેમની સામે હિંન્દુત્વનો નવો ચહેરો પ્રજ્ઞા ઠાકુર છે. ભોપાલ લોકસભા સીટના મતદાન માટે જેમ-જેમ તારીખ નજીક આવી રહી છે, તેમતેમ ઉમેદવારોનાં સમર્થનમાં નવા નવા દાવા થઈ રહ્યા છે. એવો જ દાવો. પંચાયતી શ્રીનિરંજની અખાડા મહામંડલેશ્વર શ્રી વૈરાગ્યનંદ ગિરી મહારાજે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યુ હતુકે, આપણે અહીયા સનાતન ધર્મને વહેચાઈ રહ્યો છે, ધર્મની ઉપર ઘણા લોકો રાજકારણ કરે છે. તો હુ કહેવા માગું છુકે, હિંદુત્વની ઉપર રાજકારણ નહી થાય અને સનાતન ધર્મની ઉપર રાજકારણ નહી થાય. દિગ્વિજયસિંહની સાથે ભારતના સંત છે.
દિગ્વિજયસિંહની જીતને લઈને વૈરાગ્યનંદે પ્રણ લેતા કહ્યુ હતુકે, પાંચ તારીખે મા કામાખ્યાનો પાંચ ક્વિન્ટલ મરચાનો પ્રચંડ યજ્ઞ થવા જઈ રહ્યો છે. હું દાવો કરુ છુકે, તેના કારણે દિગ્વિજયસિંહને જીત મળશે. અને જો કોઈ કારણવશ જીત ન મળી તો, હું મહામંડલેશ્વર એ જ જગ્યા પર જીવતા સમાધિ લઈશ એ મારું પ્રણ છે. | guj_Gujr |
ઘાટકોપરના દુર્ઘટનાગ્રસ્ત સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના સાત બેઘર પરિવારોને ફ્લૅટની ચાવી આપવામાં આવી
You are here :HOME >> Mumbai >> Ghatkopar >> ઘાટકોપરના દુર્ઘટનાગ્રસ્ત સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના સાત બેઘર પરિવારોને ફ્લૅટની ચાવી આપવામાં આવી
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રૉમિસ પાળ્યું, ચાર કુટુંબ હવે પછી લેશે ચાવી
ઘાટકોપર (વેસ્ટ)માં દામોદર પાર્ક પાસે આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની હોનારતને કારણે બેઘર બનીને રોડ પર આવી ગયેલા અગિયાર પરિવારોને રાજ્ય સરકાર તરફથી ભાંડુપમાં ફ્લૅટ આપવામાં આવ્યા છે. એમાંથી સાત પરિવારોએ ગુરુવારે ઈશાન મુંબઈના BJPના સંસદસભ્ય કિરીટ સોમૈયાના હસ્તે ફ્લૅટની ચાવી મેળવતાં તેમણે દુર્ઘટનાના બે મહિના બાદ રાહતનો દમ લીધો હતો. આ પહેલાં રાજ્ય સરકાર તરફથી આ હોનારતમાં મૃત્યુ પામેલાં ત્રણ મહિનાના બાળક સહિત બાર વ્યક્તિઓના પરિવારને વ્યક્તિદીઠ ત્રણ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ચાર પરિવારોને હવે પછી ફ્લૅટની ચાવી આપવામાં આવશે.
આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પરના ત્રણ ફ્લૅટના ગેરકાયદે રીતે પિલર હટાવી દેતાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે પાંચ માળનું સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ ૨૫ જુલાઈએ સવારે ૧૦.૪૦ વાગ્યે તૂટી પડ્યું હતું, જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત અને ત્રણ મહિનાના બાળક સહિત બાર વ્યક્તિઓનાં મોત થયાં હતાં. ત્યારથી આ ઇમારતમાં રહેતા ૧૧ પરિવારો બેઘર બની ગયા હતા. આ પરિવારો હોનારતના સમયે પહેરેલાં કપડે જીવ બચાવવા તેમના ફ્લૅટ છોડીને રોડ પર આવી ગયા હતા.
હોનારતના દિવસે જ રાતના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આ પરિવારોને પુનર્વસન માટે આશ્વાસન આપ્યું હતું. ત્યાર પછી સંસદસભ્ય કિરીટ સોમૈયાએ બેઘર બનેલા પરિવારોને વહેલી તકે નવાં ઘર મળે એ માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. આ પરિવારોને કુર્લા અને ભાંડુપ એમ બે જગ્યાના વિકલ્પો આપવામાં આવ્યા હતા. તેમને એ જગ્યા બતાવવામાં પણ આવી હતી. ત્યાર પછી ગઈ કાલે આ રહેવાસીઓને પુનર્વસન માટે ભાંડુપમાં ફ્લૅટની ચાવી સોંપવામાં આવી હતી.
પુનર્વસન માટે મળેલી નવી જગ્યા વિશેની માહિતી આપતાં આ પરિવારોએ ગઈ કાલે 'મિડ-ડે'ને કહ્યું હતં કે 'સરકારે અમને નવી જગ્યા ભાંડુપની માનવ SRA કો-ઑપરેટિવ સોસાયટીમાં બે વર્ષ માટે આપી છે. અમારા ફ્લૅટ વીસ માળની ઇમારતમાં આવેલા છે જે CCTV કૅમેરાથી સજ્જ હોવાથી સુરક્ષિત પણ છે. અમને ચાવી આપવામાં આવી એ સમયે ઘાટકોપર (વેસ્ટ)ના BJPના અધ્યક્ષ રવિ પૂજ પણ હાજર રહ્યા હતા.' | guj_Gujr |
સુરત: ઓફિસમાં બોલાવી બે યુવતી સાથે દુષ્કર્મ, નોંધાઈ બે ફરિયાદ
22, ડિસેમ્બર 2020 06:20 PM
સુરત શહેરના વરાછા મિનીબજાર ખાતે આવેલા ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બંને યુવતી પર પહેલાં પણ ઓફિસમાં જ દુષ્કર્મ આચર્યું હતું. પહેલી ફરિયાદ ૨૨ વર્ષીય યુવતીએ નોંધાવી હતી, જેથી બીજી ૨૪ વર્ષીય યુવતીની હિંમત ખૂલતાં તેણે પણ ફરિયાદ નોંધાવી હતી. ૨૪ વર્ષીય યુવતી પર મુંબઈની હોટલમાં દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતી થઈ ગઈ હતી, જેથી વસંતે તેને દવા આપી એબોર્શન કરાવી નાખ્યું હતું. વેલંજા ગામ વિસ્તારમાં રહેતી પ્રિયંકા(નામ બદલ્યું છે) ૧ નવેમ્બરના રોજ બહેનપણી નિલોફર(નામ બદલ્યું છે) હીરાના વેપારી વસંત પટેલ (રહે. ૧૩મો માળ, રિવર વ્યૂ હાઈરાઇઝ, મોટા વરાછા) સાથે નોકરી માટે વાત કરવા ગઈ હતી. બંનેને વસંતનો ડ્રાઈવર વરાછા મિનીબજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયો હતો.
વસંતે ડ્રાઈવર જયેશને કોલ્ડડ્રિંક્સ લાવવા કહ્યું હતું. નિલોફર અને પ્રિયંકાએ કોલ્ડ્રિંક પીધું ત્યાર બાદ બંને જણા બેભાન થઈ ગયા હતા. પ્રિયંકા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેનાં કપડાં પર ડાઘ પણ હતાં, જેથી પહેલા પરિવારજનો સાથે વાત કરીને વસંત પટેલ અને તેના ડ્રાઈવર જયેશ વિરુદ્ધ ૨૯ નવેમ્બરના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વેડરોડ પર રહેતી ૨૪ વર્ષીય પ્રતિમા (નામ બદલ્યું છે)ની દોઢેક વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી આરોપી વસંત ભીખા પટેલ (રહે.રિવર વ્યૂ હાઇરાઇઝ,મોટા વરાછા) સાથે દોસ્તી થઈ હતી. ત્યાર બાદ ફોન પર એકબીજા સાથે વાતો કરતાં હતાં.
એ સમયે વસંતે પ્રતિમાને કહ્યું, તે તેને બહુ ગમે છે. તેનો પરિવાર આફ્રિકા રહે છે. તેની સાથે મૈત્રી કરારથી રહેવા માગે છે. પહેલા તો પ્રતિમાએ ના પાડી હતી. પ્રતિમાને વસંતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી તેની ઓફિસે બોલાવી હતી.ત્યાં વસંતે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. પ્રતિમાએ ના પાડી ત્યારે વસંતે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પ્રતિમાને વસંતે વારંવાર ઓફિસે બોલાવી હતી. પહેલાંનો દુષ્કર્મનો વિડિયો છે એવું કહીને પ્રતિમા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એક વખત મુંબઈ ફરવા જવાનું કહીને ત્યાં નીલકંઠ બાર એન્ડ રૂમ્સ નામની હોટલમાં સંબંધ બાંધ્યો હતો. | guj_Gujr |
રાજભવન- રાજ્યપાલ-રાજ્ય સરકાર-રાડારાડ…રામરામ-જયશ્રીરામ…!! – NET DAKIYA
રાજભવન- રાજ્યપાલ-રાજ્ય સરકાર-રાડારાડ…રામરામ-જયશ્રીરામ…!!
4 રાજ્યોમાં રાજ્યપાલો અને રાજ્ય સરકારે વચ્ચે તનાતની-ધનાધની...
કેજરીવાલ-મમતા-ઠાકરે-વિજયનની એક જ ફરિયાદ-ગવર્નરને પાછા બોલાવો..
ઠાકરેએ રાજ્યપાલને વિમાનના આપ્યુ- કેજરીવાલને ઉપરાજ્યપાલ ગાંઢતા નથી..
1977માં નવી સરકારે ઇન્દિરાના રાજ્યપાલો હટાવ્યા-1980માં ઇન્દિરાએ….
બંગાળમાં રાજ્યપાલ પેન-કાગળ લઇને તૈયાર જ બેઠા છે…
આનંદીબેન ભોપાલથી ગયા બાદ શિવરાજસિંહ ફરી સીએમ બની શક્યા…?
મહારાષ્ટ્રમાં હમણાં જ ઠાકરે સરકાર અને મોદી સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે ફરી એકવાર ટગ ઓફ વોર એટલે કે રસ્સા ખેંચની રમતની જેમ સ્થિતિ સર્જાઇ. રાજ્યપાલ ઉત્તરાખંડ જવા માંગતા હતા. તેમણે સરકારી વિમાન માટે સુચના આપી. વિમાનમાં બેઠા પરંતુ વિમાન ચાલુ જ ના થયું. રાજ્યપાલના એડીસીએ તપાસ કરી તો જેમને જાણ થઇ કે સરકારે રાજ્યપાલને મહારાષ્ટ્રની બહાર વિમાન કે હેલિકોપ્ટર લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે….રાજ્યપાલને નીચે ઉકરી જવુ પડ્યું અને બીજી વ્યવસ્થા કરીને રવાના થયા.
દિલ્હી રાજ્યને પૂર્ણકક્ષાનો દરજ્જો મળ્યો નથી. તેથી ત્યાં રાજ્યપાલ-ગવર્નરને બદલે ઉપ-રાજ્યપાલ અથવા લેફ. ગવર્નર ફરજ બજાવે છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર પહેલીવાર સત્તામાં આવી ત્યારથી લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈંજલ સીએમ કેજરીવાલને લેફ્ટ-રાઇટ…કરાવી રહ્યાં છે…. કેજરીવાલ જે નિર્ણય કરે તેને લેફ. ગવર્નર મૂકી રાખે. લેફ. આદેશ આપે તો કેજરીવાલ રિસામણું મોઢુ કરીને ફેરવી લે..આવી ખેંચાખેંચી..તનાતની…એકબીજા સામે એવી ચાલે છે કે એકવાર કેજરીવાલ અને તેમના મંત્રીએ ઉપ-રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાનમાં ધરણાં કર્યા હતા અને ત્યાં જ ઉંઘી ગયાના દ્રશ્યો ટીવી પર જોવા મળ્યા હતા.
અન્ના આંદોલનમાં કેજરીવાલની સાથે રહીને તિરંગો લહેરાવનાર પૂર્વ આઇપીએસ કિરણ બેદી ત્યારબાદ ભાજપમાં જોડાયા અને તેમને પુડીચેરીના લેફ.ગવર્નર બનાવ્યા. તેમની નિમણૂંક બાદ તેમણે શું કર્યું… પુડીચેરીના કોંગ્રેસી સીએમ દ્વારા કેજરીવાલની જેમ ફરિયાદ- લેફ. ગવર્નર અમને કામ કરવા દેતા નથી અને અમારા નિર્ણયોને મૂકી રાખે છે….
એવી જ ફરિયાદ કેરળમાં સામ્યવાદીઓની સરકારના સીએમ પી. વિજયનની છે. રાજ્યપાલ આરીફ મોહમ્મદખાન કેરળ સરકારને કામ કરવા દેતા નથી, એવી ફરિયાદ છે. આરિફખાનનું રાજકીય મૂળ કોંગ્રેસ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં.
પ.બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને સીએમ મમતા બેનર્જીની સરકાર વચ્ચેના ખટરાગિયા સંબંધો પરાકાષ્ટા પર છે. બની શકે કે બંગાળમાં કાયદો-વ્યવસ્થાને બનાવી રાખવા રાજ્યપાલ મમતાની સરકારને ઘરે બેસાડી દે. સીએમ મમતા પણ જો કે એવુ જ ઇચ્છે છે…!! પણ ભાજપના નેતાઓ મમતાને એવો રાજકિય લાભ આપવા માંગતા નથી. પણ રાજભવન અને રાજ્ય સરકાર વચ્ચે સામ સામે યુધ્ધ રેખા દોરાયેલી જ છે. રાજ્યપાલ જગદીપ મિડિયા સામે જઇને સરકારની કામગીરીને ઉઘાડી પાડી રહ્યાં છે અને મમતા સરકાર રાજ્યપાલને મંચ પર બેસવા દેતી નથી…..!
ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલને ત્યારબાદ 2015-16માં મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતા મળતા રહી ગઇ અને કોંગ્રેસના કમલનાથ સીએમ બન્યા. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોમાં ગાબડા પાડ્યા. પણ….છેવટે આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવીને ભોપાલમાંથી લખનૌ મોકલ્યા અને માર્ચ-2020માં કોરોના લોકડાઉન લાદવામાં આવે તેના એકબે દિવસ પહેલાં જ શિવરાજસિંહ સીએમ બની શક્યા…. કમલનાથે રાજ્યપાલ પટેલ સામે કોઇ ફરિયાદ કરી નહોતી. યુપીના સીએમ યોગીની પણ રાજ્યપાલ પટેલ સામે કોઇ ફરિયાદ નથી. અને હોય પણ નહીં. કેમ કે બન્ને એક જ રાજકિય કૂળના છે.
આવુ કેમ થાય છે અને કેમ થયું..? 1977માં ઇન્દિરા ગાંધીની સરકારને ભારતના મતદારોએ ઇમરજન્સીનો જવાબ વોટથી આપીને સત્તા પરથી દૂર કર્યા તે પછી નવી સરકારે ઇન્દિરાએ જ્યાં જ્યાં પોતાના વફાદારોને રાજ્યપાલપદે મૂક્યા હતા તે તમાને ઘર ભેગા કરી દેવાયા. નવી સરકારના નવા રાજ્યપાલો નિમાયા-મૂકાયા. 1980માં ભારતના એ જ મતદારોએ ફરી ઇન્દિરા ગાંધીને પસંદ કર્યા અને તેમણે પૂરોગામી સરકારે જેમને રાજ્યપાલપદે મૂક્યા તેમને ઘર ભેગા કરી નાંખ્યાં, ભલે તેમની મુદત પાંચ વર્ષની હોવા છતાં.
ત્યારથી એક પ્રથા-પરંપરા શરૂ થઇ. બીજા પક્ષની સરકાર આવે તો, જેમ કે 2014માં ભાજપની સરકાર આવી તો મનમોહનની કોંગ્રેસ સરકારે મૂકેલા રાજ્યપાલો પોટલાબિસ્તરાં બાંધીને સીધા ઘરે…મતબલ સાફ હૈ- હમ આયે તો આપ નિકલ લો…એમાં કોંગ્રેસ કે કેજરીવાલ કાંઇ કરી શકે તેમ નથી. કેમ કે રાજ્યોમાં રાજ્યપાલની મિમણૂંક બંધારણની કલમ 153 હેઠળ કેન્દ્ર સરકાર જે નામોની ભલામણ કરે તેમને રાષ્ટ્રપતિ જે તે રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરે છે.
ગુજરાત પણ એમાં બાકાત નથી. નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં રાજ્યપાલપદે મૂકાયેલા રાજસ્થાની કમલા બેનીવાલે એવુ જ કર્યું જેવુ દિલ્હીના ઉપરાજ્યપાલ, જેવુ પુડીચેરીના ઉપરાજ્યપાલ કરી રહ્યાં છે, જેવું મહારાષ્ટ્રમાં કોશ્યારી કરી રહ્યાં છે. તુ ડાલ..ડાલ… તો મૈં પાંત…પાંત…જેવુ ચાલી રહ્યું હતું.. જો કે મોદી સરકારે તે વખતે ઠાકરેની જેમ કમલા બેનીવાલને સરકારી વિમાનનો ઉપયોગ કરતાં રોક્યા નહોતા. જયપુર જવા કમલા બેનીવાલ ટેક્સીની જેમ હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ કરતાં હતા.
મોદી જેટલી ઉદારતા ઠાકરેમાં નથી તેના કારણોમાં જોઇએ તો શિવસેના તે માટે રાજ્યપાલ ભગતસિંહને જવાબદાર માને છે.. ઠાકરેનું સીએમ પદ જોખમમાં મૂકાય તે રીતે રાજ્યપાલે ઠાકરેને એમએલસી-વિધાનસભાનું ઉપલુ ગૃહ-ના સભ્ય બનતા અટકાવ્યાં હતા અને ઠાકરેએ દિલ્હી ફરિયાદ કરી તે પછી મંજૂરી મળી. નહીંતર ઠાકરે આજે સીએમ પદે ના હોત. શિવસેના કહે છે કે રાજભવન રાજકિય પ્રવૃતિઓનું કેન્દ્ર ના બને તો જ હિતાવહ છે.
તેનો અંત ક્યારે….સવાલનો જવાબ એ છે કે આખા રાજ્યોમાં અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર હશે તો આવી બનાવો નહીં બને. પણ આખા રાજ્યોમાં અને કેન્દ્રમાં એક પક્ષની સરકાર હવે ભૂતકાળ બની ગયું છે. એક સમયે આખા રાજ્યોમાં કોંગ્રેસની સરકારો હતી અને કેન્દ્રમાં પણ. પણ તે પછી એવું આજ દિન સુધી બન્યું નથી.
હવે એવુ ક્યારે બનશે…? અને નહીં બને ત્યાં સુધી કેન્દ્રમાં એક પક્ષની સરકાર જેમ કે હાલમાં ભાજપની અને કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ કે કેજરીવાલ કે સામ્યવાદીઓની સરકારો હશે તો, યે તો હોના હી હૈ….ઐસા તો ચલના હી હૈ….ક્યાંકી યે એક ઐસી રાજનીતિ હૈ જિસકી કોઇ નીતિ હી નહીં હૈ…..!! ભાજપ પણ જાણે છે કે કેન્દ્રમાં તેમને 2024માં કદાજ કિસાન મતદારો ઉંચનીચ કરે તો તેમના દ્વારા મૂકાયેલા રાજયપાલોનું એવુ જ થશે, જેવુ 1977માં થયું, જેવુ 1980માં થયું…!! 2024માં 2014 જેવુ થશે કે 2019 જેવું…? બંગાળ બબાલ .આસામની ચા પીતી પીતા તમિલનાડુની લુંગી બાંધી કેરળના હોડકામાં બેસીને દેખતે રહીયે…પીતે રહીયે…સાવન કો આને દો…અરે ભઇ..ચુનાવ તો આને દો…!! | guj_Gujr |
ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા છોડી નોકરી અને કર્યું એવું કે થઈ ગયો વર્લ્ડ ફેમસ | Man Draws Marry Me On Google Earth To Propose Girlfriend And Made World Record - Anokha Sansar | I Am Gujarat
Gujarati News Anokha Sansar ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા છોડી નોકરી અને કર્યું એવું કે થઈ ગયો વર્લ્ડ...
Published: Apr 15, 2019 14:41 pm IST
1/3આને કહેવાય અનહદ પ્રેમ
પોતાના પ્રેમને પ્રપોઝ કરવા માટે લોકો આજકાલ શું શું નથી કરતા. ગુલાબથી લઈને ચોકલેટ અને લવ લેટરથી લઈને મોંઘી રિંગ આપવાનું તો આજે જૂની સ્ટાઇલ કહેવાય. જાપાનના એક વ્યક્તિએ પોતાના પ્રેમને પ્રપોઝ કરવા માટે એવો ટેક્નોસેવી ઉપાય શોધ્યો કે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું.
2/3ગર્લફ્રેન્ડ માટે બધુ છોડીને આવું કરવા લાગ્યો અને…
ઘટના કઈંક એવી છે કે વર્ષ 2008માં ટોક્યોમાં રહેતા Yasushi 'Yassan' Takahashi એક અલગ જ અંદાજમાં પોતાના ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. અહેવાલ મુજબ ત્યારથી તેઓ GPS આર્ટ ક્રિએટ કરે છે. બસ આમ કરતા કરતા જ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની તેમની રીતથી તેમના નામે સૌથી લાંબા GPS ડ્રોઇંગનો એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો. તમને જણાવી દઈએ કે આ કામ માટે તેમણે પોતાની જોબ પણ છોડી દીધી હતી.
3/3મહેનત લેખે લાગી ગર્લફ્રેન્ડે હા પણ પાડી અને વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો
યાસૂશીએ ગૂગલ અર્થ પર 'Marry Me' ડ્રોઇંગ કરવા સાથે એક દિલ પણ દોર્યું હતું. તે માટે તેમણે આખું જાપાન ફર્યું આ કામમાં તેને લગભગ છ મહિના જેટલો સમય લાગ્યો. જો કે તેમની આ મહેનત રંગ પણ લાવી અને ગર્લફ્રેન્ડે તેમની આ પ્રપોઝલ સ્વીકાર કરી. તેમની આ પ્રપોઝ કરવાની અનોખી રીત ગૂગલની નજરે પણ પડી અને ગૂગલે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ પણ કર્યું. તેનો વીડિયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે. | guj_Gujr |
આવી આંગળીઓ ધરાવતી વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે, જાણો કંઈક તમારી આંગળીઓ આવી નથી ને?? - Today News
Home Uncategorized આવી આંગળીઓ ધરાવતી વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે, જાણો કંઈક તમારી આંગળીઓ...
આવી આંગળીઓ ધરાવતી વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે, જાણો કંઈક તમારી આંગળીઓ આવી નથી ને??
સમુદ્ર શાસ્ત્ર હાથ અને અંગૂઠાનો ઉલ્લેખ કરેલ છે અને આંગળીઓના આધારે માણસના ભાગ્ય વિશે કહે છે. સમુદ્રશાસ્ત્ર મુજબ, હાથ અને અંગૂઠાના આકાર દ્વારા, વ્યક્તિના જીવન વિશે ઘણું બધું જાણીતું છે. તેથી, તમારા હાથ અને પગની આંગળીઓના આકાર પર ધ્યાન આપો. કારણ કે તેમનો આકાર જોઈને, તમે તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો.
હાથમાં 10 કરતા પણ વધુ આંગળીઓ હોવી
ઘણા લોકોના હાથમાં 10 ની જગ્યાએ 11 આંગળીઓ હોય છે. સમુદ્રવિજ્ઞાન મુજબ, જે લોકોના હાથમાં 10 થી વધુ આંગળીઓ હોય છે તે ખૂબ નસીબદાર હોય છે. આવા લોકોમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. જો કે, આવા લોકો ખૂબ જ શંકાસ્પદ હોય છે અને ઘણી તપાસ કરે છે.
દરિયાઇ શાસ્ત્ર કહે છે કે જે લોકોની અંગૂઠો નજીક આંગળી અથવા વધારાની આંગળી હોય છે, તેમનું મગજ ખૂબ તીક્ષ્ણ હોય છે. આવા લોકો દરેક કાર્યમાં જ જીતે છે. આ લોકો સરળતાથી કોઈ પર વિશ્વાસ કરતા નથી અને તેઓ દરેકના કામમાં પણ ખામી શોધી કાઢે છે.
પગ મોટા હોવા
જે લોકોની બીજી આંગળી, એટલે કે અંગૂઠો સાથેની આંગળી, અંગૂઠા કરતા મોટી હોય છે. તે લોકો મહેનતુ હોય છે. આ લોકોમાં વધુ ઉત્કટ હોય છે અને આ લોકો દરેક કાર્ય પૂર્ણ કર્યા પછી જ સત્તા લે છે. તે જ સમયે, જે લોકોની બીજી આંગળી અંગૂઠો કરતાં ટૂંકી હોય છે, તેઓ તેમના જીવનમાં હંમેશાં ખુશ રહે છે અને જે મળે છે તે સરળતાથી સ્વીકારે છે.
અંગૂઠો અને સમાન કદની આંગળી
જો પગનો પગ અને તેની સમાન આંગળી સમાન હોય, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ સખત કામદારોમાં છે. આ લોકો મહેનતને લીધે ઘણું નામ પણ કમાય છે અને તેઓ વિવાદોમાં ટૂંકા પડવા માંગે છે. આ લોકોને શાંતિ ગમે છે.
ઉતરતી આંગળી
જો કોઈના પગમાં અંગૂઠાના ઘટતા ક્રમમાં આંગળીઓ હોય, તો આવા લોકો હંમેશાં પોતાને વિશે વિચારે છે. આ પ્રકારના લોકો સત્તા પર ભાર મૂકવો પસંદ કરે છે. આ સિવાય જે લોકોની સૌથી નાની આંગળી નજીકની આંગળી કરતા મોટી હોવાનું જોવા મળે છે, તે લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે.
જો એક જ પગના છેલ્લા બે પગ સમાન કદના હોય, તો બાળકને ખુશી મળે છે. જ્યારે નાની આંગળીની નજીકની આંગળી પગની આંગળીની આંગળી કરતા નાની હોય, તો જીવનમાં સ્ત્રી સુખની પ્રાપ્તિ ભાગ્યે જ જોવા મળે છે.
પગમાં છ આંગળીઓ હોવી
જે લોકોના પગ પર છ આંગળીઓ હોય છે, તેનું મગજ ખૂબ ઝડપથી ચાલે છે અને તેઓ નિશ્ચિતરૂપે જીવનમાં સફળ થાય છે. | guj_Gujr |
કંગના-રંગોલીને મુંબઈ કોર્ટમાંથી સમન, આદિત્ય પંચોલીએ લગાવ્યો હતો માનહાનિનો આરોપ | Mumbai court summoned kangana ranaut and rangoli chandel in criminal defamation case by aditya pancholi - Gujarati Oneindia
મુંબઈ કોર્ટે મંગળવારે કંગના રનોત અને તેની બહેન રંગાલી ચંદેલને સમન પાઠવ્યા છે. આ સમન વર્ષ 2017માં અભિનેતા આદિત્ય પંચોલી દ્વારા ફાઈલ કરાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં આપવામાં આવ્યા. કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થવાની છે.
આ પણ વાંચોઃ J&K: પુલવામાના ત્રાલમાં એનકાઉન્ટર, બે-ત્રણ આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર
કંગનાએ આદિત્ય પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ
કંગના પહેલા જ આદિત્ય પંચોલી દ્વારા શોષિત થવાની વાત ઘણી વાર ટીવી અને સોશિયલ મીડિયા પર કહી ચૂકી છે. તેણે કહ્યુ હતુ કે જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી તો પંચોલીએ તેનુ યૌન શોષણ કર્યુ હતુ. કંગનાએ ત્યારે એ પણ કહ્યુ હતુ કે પંચોલીએ તેને લગભગ ઘરમાં કેદ કરીને રાખી હતી. આનાથી બચવા માટે તેણે પહેલા માળેથી કૂદવુ પડ્યુ હતુ. વળી, પંચોલીએ આ બધા માટે કંગના સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો હતો.
10 વર્ષ જૂનો છે કંગના અને આદિત્યનો વિવાદ
ઉલ્લેખનીય છે કે કંગના અને આદિત્ય પંચોલીના 10 વર્ષ જૂના વિવાદને કંગનાની બહેન રંગોલી બધા સામે લઈને આવી છે. તેણે વર્સોવા પોલિસ સ્ટેશનમાં પંચોલી સામે ફરિયાદ કરાવી છે. રંગોલીએ પોતાની ફરિયાદમાં લખાવ્યુ છે કે 10 વર્ષ પહેલા પંચોલીએ કંગનાને અપશબ્દો કહ્યા હતા અને તેનુ યૌન શોષણ કર્યુ હતુ.
સ્ટાર્સ સાથે ઘણી વાર ઉલઝી છે કંગના અને રંગોલી
કંગના રનોત અને તેની બહેન રંગોલી ચંદેલનો બોલિવુડની હસ્તીઓ સાથે વિવાદ કોઈનાથી છૂપો નથી. ક્યારેક કોઈ કંગનાના નિશાન પર આવે છે તો કોઈ રંગોલીના. રંગોલી કરણ જોહરને ઘણી વાર નિશાન બનાવી ચૂકી છે. હાલમાં જ રંગોલીએ એક ટ્વીટમાં લખ્યુ હતુ કે - કરણ જોહર એ આર્ટિસ્ટની કમાણીનો મોટો હિસ્સો લે છે જેને તેણે લૉન્ચ કર્યા છે. આ ઉપરાંત તે એ પણ જણાવે છે કે તેણે શું પહેરવુ જોઈએ અને કોની સાથે સૂવુ જોઈએ.
kangana ranaut mumbai court aditya pancholi bollywood actor કંગના રનોત આદિત્ય પંચોલી બોલિવુડ અભિનેતા rangoli chandel
Mumbai court summoned kangana ranaut and rangoli chandel in criminal defamation case by aditya pancholi | guj_Gujr |
ત્રણ માવડીઓએ કોરોનાને હરાવીને કહ્યુ ' ભાગ મારા રોયા હવે દેખાતો નહીં'
ઓકિસજન ઓછુ થઇ ગયા બાદ વીરનગર કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ તંદુરસ્ત થયેલા માસુબેન, અંબાબેન અને જશુબેનની ત્રિપુટીએ કોરોનાનો જબરજસ્ત સામનો કર્યો
રાજકોટ,તા. ૨૪: જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈને માસુબેન મકવાણા, અંબાબેન તળાવીયા અને જશુબેન રાઠોડની ત્રિપુટીએ ભારે સંદ્યર્ષ કરીને કોરોનાને હરાવ્યો છે.
કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીરનગર ખાતેની શિવાનંદ અધ્વર્યુ આંખની હોસ્પિટલ ખાતે ૧૯ એપ્રિલથી ડેડીકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે ઓકિસજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે ૧૫ બેડ અને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા માટે દર્દીઓ માટેના ૧૫ બેડ સહિત હાલ તાત્કાલિક કુલ ૩૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેન્ટર શરૂ થયું એ જ દિવસે ૬૫ થી ૭૦ વર્ષની ઉંમરના અને ઓકિસજનનું ૮૫ લેવલ ધરાવતા માસુબેન, અંબાબેન અને જશુબેનને જુદા જુદા સમયે આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સેન્ટરના નોડલ ઓફિસર ધવલ ગોસાઈ તથા મેડિકલ ઓફિસર ડો. વિધિ વાદ્યેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે તેમની યોગ્ય સારવાર કરી, અને આ ત્રણ મહિલાઓએ પણ પુરા જોમ-જુસ્સાથી સારવારમાં સહકાર આપ્યો દ્રઢ મનોબળ કેળવ્યો અને સંપૂર્ણ હકારાત્મક અભિગમ સાથે કોરોનાને પછડાટ આપી. ડોકટર ધવલ ગોસાઇએ જણાવ્યું હતું કે આ ત્રણેય મહિલાઓનું ઇન્ફેકશન લેવલ વધુ હોવાથી અમે તેમને ધીરજ રાખીને સારવારમાં સહકાર આપવાનું જણાવ્યું હતું, જે માટે આ ત્રણેય મહિલાઓ વિધેયાત્મક પ્રત્યુત્ત્।ર આપવા સંમત થઇ હતી. જેના પરિણામે માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં આ ત્રણેય મહિલાઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના દ્યરે પરત ફરી છે, જેનો અમને તથા તેમના કુટુંબીજનોને ખૂબ જ આનંદ છે.
ડોકટર ધવલ ગોસાઇએ ઉમેર્યું હતું કે જિલ્લા પંચાયતના સભ્યશ્રી પરેશભાઇ રાદડિયાના પ્રયત્નોથી વીરનગર ખાતેના કોવિડ કેર સેન્ટર ખાતે ૩ ઓકિસજન કોન્સન્ટ્રેશન મશીન ઉપલબ્ધ કરાવાયા છે, જે ૮૦ થી ૯૦ સુધીના ઓકિસજન લેવલ ધરાવતા દર્દીઓની સારવાર પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. એ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૫ થી ૫૦ કિલોની ક્ષમતાવાળી ૫૦ ઓકિસજન ટેન્ક સંસ્થાને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી છે, જેનાથી જસદણ તાલુકાના ગામોના કોરોના દર્દીઓને સ્થાનિક સ્તરે જ કોરોનાની ઉત્ત્।મ કક્ષાની સારવાર વિના-મૂલ્યે મળી શકશે. | guj_Gujr |
પીએમ મોદીએ જણાવી ભારતની નવી નીતિ : અમે કોઈને છેડતા નથી, પરંતુ છેડવાવાળાને છોડતા પણ નથી...
Home ન્યુઝ પીએમ મોદીએ જણાવી ભારતની નવી નીતિ : અમે કોઈને છેડતા નથી, પરંતુ...
પીએમ મોદીએ જણાવી ભારતની નવી નીતિ : અમે કોઈને છેડતા નથી, પરંતુ છેડવાવાળાને છોડતા પણ નથી…
જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં ૪૦ સીઆરપીએફની શહાદત પછી દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા પછીથી આખા દેશની આંખો ભીની છે. આની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત ફરીથી મહારાષ્ટ્રમાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસના અવસર પર પાકિસ્તાનને ચેતવ્યું છે. પીએમ મોદીએ એક વખત ફરીથી જણાવ્યું છે કે સરકાર જવાનોના લોહીનો બદલો જરૂર લેશે. તેમજ, પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે હવે નવી નીતિ છે અને આના પ્રમાણે અમે પહેલા કોઈને છેડતા નથી અને જો કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી.
મહારાષ્ટ્રના ધુલામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે એક એવા સમય પર હું તમારી વચ્ચે આવ્યો છું જ્યારે પુલવામા માં આપણા જવાનો પર હુમલાને લઈને દેશ આક્રોશિત છે. એક બાજુ દેશ ગુસ્સામાં છે તો બીજી બાજુ દરેક આંખ ભીની છે. એક દેશ માટે આપણું કાર્ય અહિયાથી જ શરૂ થાય છે. જેમણે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, એમના પરિવાર સાથે અમે હંમેશા ઉભા રહીએ. આ ધીરજનો સમય છે, સંવેદનશીલતાનો સમય છે, આ દુઃખનો સમય છે. પરંતુ દરેક પરિવારને હું એ ભરોસો આપું છું કે દરેક આંસુનો જવાબ લેવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત નવી રીત અને નવી નીતિનો દેશ છે, એ હવે દુનિયા પણ અનુભવ કરશે. ભારતની આ નીતિ રહી છે કે અમે કોઈને છેડતા નથી, પરંતુ ભારતને કોઈ છેડશે તો છોડતા પણ નથી. પીએમ મોદીએ આની પહેલા પણ કહ્યું છે કે તે લોહીના એક એક બુંદનો હિસાબ લેશે. જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાન શહીદ થઇ ચુક્યા છે, જ્યારે ઘણા ઘાયલ છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે.
પીએમ મોદીએ ધુલામાં કહ્યું કે ધુલે શહેરમાં ઔધોગિક શહેર બનવાની પૂરી સંભાવના છે. આ એવી જગ્યા સ્થિત છે, જ્યાંથી દેશના અલગ અલગ શહેરોમાં વ્યાપારની સંભાવના છે, અહિયાથી ઘણી નવી મોટી મોટી નેશનલ હાઈવે નીકળે છે. આજે અહીયાની કનેક્ટિવિટીને અને સશકત કરતાં બે રેલ્વે લાઈનોના પાયા નાખવામાં આવ્યા છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે તાપી નદીની જલધારા જે ધૂળથી થઇ નીકળે છે, તે લાંબા સમયથી પાણી માટે તરસતા રહ્યા છે. પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી બંને પડકારોને ઓછા કરવા માટે આજે મોટો પ્રયત્ન થયો છે. લગભગ એક દશક પહેલા ઉધના જલગાંવ રેલ લાઈનના વિસ્તકરણની ફાઈલ શરૂ કરવામાં આવી હતી, જેને હવે છેક પૂરી કરી શકાઈ છે. આ લાઈનના દોહરીકરણની સાથે સાથે, આનું વિદ્યુતીકરણ પણ પૂરું થઇ ચુક્યું છે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના યવતમાલ અને ધુલે જિલ્લાના પ્રવાસ પર છે. જ્યાં એમણે ઘણા પ્રોજેક્ટોની શરૂઆત કરી. વિદર્ભના યવતમાલમાં પ્રધાનમંત્રી, આદિવાસી વિદ્યાર્થીઓ માટે એક મોર્ડન આવાસીય શાળાનું ઉદ્ધાટન કર્યું. આના સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રમાણે બનાવેલા ઘરોની ચાવીઓ અમુક લાભાર્થીઓને સોંપી. આ દરમ્યાન એમણે એક જનસભાને પણ સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે દેશની પ્રગતિ પાછળ ઘણા બલિદાનોનું યોગદાન છે.
એમણે કહ્યું કે હું જાણું છું કે આપણે બધા ઊંડી વેદના અનુભવી રહ્યા છીએ. પુલવામા માં જે થયું, એને લઈને તમને આક્રોશને હું સમજી રહ્યો છું. અહિયાં મહારાષ્ટ્રના ૨ વીર પુરુષોએ પુલવામા માં પોતાના પ્રાણોની આહુતિ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે આ શહીદોનું બલિદાન વ્યર્થ નથી જાય, આતંકી સંગઠનોને, આતંકના વડાઓએ જે ગુનાઓ કર્યા છે, તે ચાહે જેટલું છુપવાની કોશિશ કરે, એને સજા અરુર આપવામાં આવશે. એમણે જણાવ્યું કે સૈનિકોમાં અને વિશેષ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે, તે પણ દેશ સમજી રહ્યો છે, એટલા માટે સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે.
Previous articleશહીદ શ્યામબાબુના દર્શનો માટે ઉમટી પડી ભીડ, સ્મૃતિ ઇરાની રહી હાજર…
Next articleફ્લાઈટમાં આ યાત્રીઓના નાકથી વહેવા લાગ્યું લોહી, ફુલાવા લાગ્યા હાથ પગ, જાણો શું હતું કારણ…? | guj_Gujr |
50 છેલ્લું નામ પુરુષો માટે ટેટૂઝ - માનનીય શાહી વિચારો - શૈલી
અમે બધાએ એવા લોકોની ચેતવણી સાંભળી છે કે જેઓ કહે છે કે તમારા શરીર પર કોઈનું નામ ટેટૂ કરાવવું ખરાબ વિચાર છે. જો તમે કોઈ સંબંધમાં છો, અને તે ખાટા થઈ જાય છે, પરંતુ તમારી છાતી પર તેનું નામ છૂંદેલું છે, તો તમે કદાચ તેને coveredાંકવા અથવા કા removedી નાખવા માંગતા હશો.
જો કે, જ્યારે તે નામ તમારું પોતાનું છે, તે માત્ર યોગ્ય જ નથી, તે તમારા પહેલાં તમારા પૂર્વજો માટે આદર અને સન્માનનું પ્રદર્શન છે.
શરીર પર ઘણા સ્થળો છે કે જે કોઈ છેલ્લું નામ ટેટૂ કરાવવાનું વિચારી શકે છે, પરંતુ સૌથી સામાન્ય સ્થાનો પાછળ, છાતી અને પેટ છે. તમે મોટા જઇ શકો છો અને આખી દુનિયાને જોવા માટે તમારું છેલ્લું નામ છૂંદી શકો છો, અથવા તેને નાનું અને સમજદાર રાખી શકો છો. જ્યારે એવું લાગે છે કે છેલ્લું નામ ટેટૂ સાથે થોડું સર્જનાત્મક લાયસન્સ હશે, તે ફક્ત એવું નથી.
તમે તેને ક્યાં મુકવા માંગો છો અને તે કેટલું મોટું હશે તે નક્કી કર્યા પછી તમારે સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક એ છે કે તમે તેના માટે કયા ફોન્ટનો ઉપયોગ કરશો. ત્યાં શાબ્દિક રીતે હજારો ફોન્ટ્સ છે જે તમારા નામને વ્યક્તિગત દેખાવ આપશે. તમે તેને જૂના અંગ્રેજી ફોન્ટ સાથે હાર્ડ-કોર લુક આપી શકો છો, અથવા કંઈક વધુ મનોરંજક અને તરંગી સાથે જઈ શકો છો.
જો તમે તેમાં ઉમેરવા માંગતા હો, તો તમે તમારા કુટુંબની ક્રેસ્ટ અથવા અન્ય પ્રતીકોનો પણ વિચાર કરી શકો છો જે તમારા પરિવારને યાદગાર બનાવશે. | guj_Gujr |
6 માળની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 52 લોકોના મોત, જીવ બચાવવા માટે લોકો ઉપરથી નીચે કૂદી પડ્યા, દર્દનાક તસવીરો
Posted on 3:29 pm July 9, 2021 5:03 pm July 9, 2021 Author Niraj PatelComments Off on 6 માળની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 52 લોકોના મોત, જીવ બચાવવા માટે લોકો ઉપરથી નીચે કૂદી પડ્યા, દર્દનાક તસવીરો
દુનિયાભરમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય માસુમ લોકોના જીવ પણ સળગીને ચાલ્યા જાય છે, ઘણા લોકો પોતાનો જીવ બચાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે અને તેમાં જ ઘાયલ થઇ જતા હોય છે. આવો જ કંઈક નજારો હાલ એક ફેકટરીમાં લાગેલી આગમાં જોઈ શકાય છે જેમાં 52 લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે અને જીવ બચાવવાના ચક્કરમાં ઘણા લોકો ઘાયલ પણ થાય છે.
આ આગ લાગી છે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના બાહરી ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીની અંદર જેમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થઇ ગયા છે અને 50 લોકો બળી પણ ગયા છે. સ્થાનિક મીડિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મીડિયા દ્વારા મળતી ખબરો અનુસાર નારાયણગંજના રૂપગંજની ફેકટરીમાં ગુરુવાર રાત્રે આગ લાગી ગઈ.
આ ભીષણ આગથી બચવા માટે ઘણા મજૂરો બિલ્ડીંગ પરથી નીચે કૂદી ગયા હતા. ખબર પ્રમાણે હશેમ ફુડ્સ લિમિટેડના કારખાનાની ઇમારતમાં આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 18 ગાડીઓ લાગેલી છે. પોતાના પરિચિતોની શોધ કરવા માટે પણ ઘણા લોકો બિલ્ડિંગની આસપાસ ભેગા થઇ ગયા છે. જે હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાંથી 44 શ્રમિકોની ઓળખ પુષ્ટિ થઇ ગઈ છે.
બચાવવામાં આવેલા શ્રમિકોના સંબંધીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આગ લાગવાના સમયે કારખાનાનો એકમાત્ર નિકાસ દ્વાર બંધ હતો. તેમને એ પણ દાવો કર્યો છે કે ઇમારતની અંદર આગ સુરક્ષા માટેના કોઈ ઉચિત ઉપાય નહોતા.
એક અન્ય કર્મચારી મામૂને કહ્યું કે, નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટ્રીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા તે અને અન્ય 13 કર્મચારીઓ છત પર ભાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે કહ્યું કે, નૂડલ્સ અને ડ્રિન્ક બનાવતી આ ફેક્ટ્રીની છત પરથી 25 લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ મૃતક આંક વિશે હજી ચોક્કસ કઈ કહી શકાય એમ નથી.
Posted on 8:25 am June 10, 2019 10:30 am June 11, 2019 Author Urvi Patel
આપણા ભારત દેશમાં ગુટખા ખાઈને રસ્તાઓ પર થુંકનાર લોકોની બિલકુલ પણ ખામી નથી, પણ હવે આવા કામ વિદેશોમાં પણ થઇ રહ્યા છે.ઇંગ્લેન્ડના લિસેસ્ટર શહેરમાં ભારતીયોની આ આદતથી ત્યાંની પોલીસો ખુબ હેરાન થઇ ગઈ છે, અને તેઓને તેના માટે રસ્તાઓ પર બોર્ડ પણ લગાવવા પડયા,જેના પર અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતીમાં પણ આ બોર્ડ પર લખવામાં More..
હચમચાવી દે એવો મોટો અકસ્માત, બાળકને બચાવવા 40 લોકો કૂવામાં પડ્યા, એક બે ત્રણ નહિ આટલી લાશો બહાર આવી
Posted on 9:19 am July 16, 2021 Author Shah Jina
હાલ એક મોટી દુર્ઘટનાની ખબર સામે આવી રહી છે. ગુરુવારે 15 જુલાઇના રોજ સાંજે એક ગામમાં કેટલાક લોકો કૂવામાં પડી ગયા. ઘટનાની વિગત જોઇએ તો, કૂવામાં એક બાળકના પડવાની સૂચના મળી હતી. તે બાદ મોટી સંખ્યામાં ગ્રામીણો કૂવા પાસે એકઠા થઇ ગયા હતા અને તેમાંથી કેટલાક બાળકને નીકાળવા માટે કૂવાની છત પર ચઢ્યા હતા. લોકોની More..
આ સુપર મોડલ રહી ચૂકી છે Miss India ફાઇનલિસ્ટ, મોડલિંગ છોડી IAS ઓફિસર બનવાનું કર્યુ નક્કી
શું તમને પણ સફેદવાળ થવાની સમસ્યા છે? શું ઘરેલુ ઉપાય દ્વારા તમે વાળને કાળા અને મજબૂત કરવા માંગો છો? તો આ રહી ટિપ્સ, હમણાં જ જુઓ
5:54 pm December 30, 2019 Niraj Patel Comments Off on શું તમને પણ સફેદવાળ થવાની સમસ્યા છે? શું ઘરેલુ ઉપાય દ્વારા તમે વાળને કાળા અને મજબૂત કરવા માંગો છો? તો આ રહી ટિપ્સ, હમણાં જ જુઓ
12:13 pm August 10, 2020 Urvi Patel Comments Off on 1 વર્ષની થઇ 'બાલિકા વધુ'ની દીકરી, પિન્ક ફ્રોક પહેરીને મમ્મીના ખોળામાં ખિલખિલાતી જોવા મળી ક્યૂટ 'તારા' | guj_Gujr |
ગુઆંગઝો લિન્ડિયન બુદ્ધિશાળી | educનલાઇન શિક્ષણ આધાર આપે છે લિન્ડિયન
COIVD-19 ને સ્કૂલને ચેપ લગાડવાથી રોકવા માટે, એજ્યુકેશન બ્યુરોએ 2020 માં તમામ સ્તરો અને વર્ગોની શાળાઓને વસંત સત્ર મુલતવી રાખવાની નોટિસ ફટકારી છે. તે જ સમયે, રોગચાળાના નિવારણ અને નિયંત્રણ સમયગાળા દરમિયાન, અમે અમલ કરીશું દેશભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષણ કાર્ય પર રોગચાળાના પ્રભાવને ઓછું કરવા અને "પ્લેટફોર્મ્સ દ્વારા ઓનલાઇન શિક્ષણ" બનવા માટે, "વર્ગોનું સસ્પેન્શન નહીં, વર્ગોનું સસ્પેન્શન અને શિક્ષણનું સસ્પેન્શન નહીં" ના સિદ્ધાંત. ચાવીરૂપ અભિગમ.તેથી, ગુઆંગઝોઉ ચેમ્બર commerફ કોમર્સ onlineનલાઇન શિક્ષણને મદદ કરવા માટે એક પ્રવૃત્તિ ધરાવે છે, અને લિન્ડિઅનએ ટેકનોલોજી એન્ટરપ્રાઇઝના પ્રતિનિધિ તરીકે તેના હિસ્સામાં ફાળો આપવા માટે સક્રિય રીતે અભિનય કર્યો હતો.
ગુઆંગઝો લિન્ડિયન ઇન્ટેલિજન્સ ચેરિટી દાન, જેલના કેમ્પસ રોગચાળાને રોકવા માટે મદદ કરે છે. આ દાન પરિષદમાં, લિન્ડિઅને સ્થાનિક સ્ટ્રીટ સેન્ટ્રલ પ્રાથમિક શાળા અને સ્થાનિક મધ્યમ શાળાને શૈક્ષણિક ટચ મશીન દાન આપ્યું, કેમ્પસને એક મજબૂત કેમ્પસ રોગચાળો નિવારણ સ્થળ બનાવવા અને સુધારણા કરવામાં મદદ કરી. educationનલાઇન શિક્ષણની અસરકારકતા. સ્થાનિક શેરીની કી પ્રાથમિક અને મધ્યમ શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વૈજ્ scientificાનિક નવીનતા પ્રતિભા પર આધારિત છે, અને માત્ર સતત શૈક્ષણિક નવીનતા મોટી સંખ્યામાં નવીન પ્રતિભાઓ બનાવી શકે છે. હવેથી, આપણે આ પગલું ભરવું જોઈએ વિજ્ andાન અને તકનીકી શિક્ષણના નવા યુગનો વિકાસ માર્ગ. આ એન્ટરપ્રાઇઝની દાનથી શાળામાં એક નવો સ્રોત આવે છે. અંતર શિક્ષણ અદ્ભુત છે, ક્રિયાપ્રતિક્રિયા વધુ અનુકૂળ છે, અને educationનલાઇન શિક્ષણ ઉચ્ચ સ્તર પર પહોંચશે.
"રોગચાળો એ આદેશ છે, નિવારણ અને નિયંત્રણ એ જવાબદારી છે", લિંડિયન એ સક્રિય કડક કાર્યવાહી અને સાવચેતીભર્યા ગોઠવણોના રોગચાળાના નિવારણ અવધિમાં સારી નોકરી કરવા માટે, ક callલને સક્રિયપણે જવાબ આપ્યો. તે જ સમયે, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું એન્ટરપ્રાઇઝમાં ફાળો આપવા માટે, આપણી સામાજિક જવાબદારીઓને shoulderભા રાખવા અને સંયુક્તપણે આપણા જીવનનું રક્ષણ કરવું.
ટ્રિકલ, સમુદ્રમાં સંગમ, રોગચાળો નિર્દય, વિશ્વમાં પ્રેમ છે. આપણે બધાં રોગચાળાને રોકવા અને નિયંત્રણમાં રાખવામાં મદદ કરવા માટે નક્કર પગલાં લઈ રહ્યા છીએ, અને આપણે આ યુદ્ધ જીતવા માટે એક મજબુત બળ બની ગયા છે. રોગચાળો પીછેહઠ કરતો નથી. , પ્રેમ ઓછો થયો નથી, ગુઆંગઝો લિન્ડિયન બુદ્ધિશાળી દાન હજી ચાલુ છે ... સાથે મળીને, આપણે ચોક્કસ જલ્દીથી રોગચાળા સામેની લડત જીતીશું.
પોસ્ટ સમય: જૂન -01-2020
ઓલ ઇન વન ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લેને ટચ કરો, 75 ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે, સ્માર્ટ ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ એલઇડી ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે શિક્ષણ, ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ સપ્લાયર, | guj_Gujr |
ઇકોલોજી વ્યાખ્યા? - જ્ઞાનકોશ જવાબો - વર્લ્ડ જ્ઞાનકોશીય જ્ઞાન
પ્રશ્નો :ઇકોલોજી વ્યાખ્યા?
[સભ્ય (365WT)]જવાબ [ચિની ] સમય :2018-10-03
પરિસ્થિતિવિજ્ઞાન એ વિજ્ઞાન છે જે સજીવ અને પર્યાવરણ અને કાર્યવાહીની તેની પદ્ધતિ વચ્ચેના સંબંધને અધ્યયન કરે છે.
જીવંત ચીજવસ્તુઓના અસ્તિત્વ, પ્રવૃત્તિ અને પ્રજનનની ચોક્કસ માત્રામાં અવકાશ, પદાર્થ અને ઊર્જા જરૂરી છે. લાંબા ગાળાની ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં, જીવતંત્ર આસપાસના પર્યાવરણની કેટલીક શારિરીક પરિસ્થિતિઓ અને રાસાયણિક ઘટકો માટે ધીમે ધીમે ખાસ જરૂરિયાતો બનાવે છે, જેમ કે હવા, પ્રકાશ, ભેજ, ગરમી અને ઇનોર્ગેનિક ક્ષાર. સામગ્રી, શક્તિ અને ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓ કે જે તેમને વિવિધ જીવો માટે જરૂરી છે તે અલગ છે. આ મિલકતને જાતિઓની પરિસ્થિતિવિજ્ઞાનિક લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે.
એ નોંધવું જોઇએ, ઝડપી વસ્તી વૃદ્ધિ અને પર્યાવરણ અને સંસાધનો પર માનવીય પ્રવૃત્તિઓના આત્યંતિક તણાવ, માનવ ઇકોલોજી સિદ્ધાંત કારણે માણસ અને પ્રકૃતિ, સ્રોતો અને પર્યાવરણ, સામાજિક આર્થિક વિકાસ અને પરિસ્થિતિકીય પર્યાવરણ વચ્ચે સંબંધ વચ્ચે સંબંધ વ્યવસ્થિત કરવા તાત્કાલિક જરૂર જાણી કારણે ટકાઉ વિકાસ પ્રોત્સાહન આપતો હતો.
કોઈપણ જૈવિક અસ્તિત્વ અલગ નથી: conspecific સ્પર્ધા વચ્ચે પરસ્પર સહાય છે; ત્યાં પણ છોડ, પ્રાણીઓ, સુક્ષ્મસજીવો વચ્ચે જટિલ એલોપેથી સંબંધ છે. ક્રમમાં તેમની માનવ જરૂરિયાતો પૂરી, અને સતત પર્યાવરણ બદલવા માટે, બદલામાં કરવા માટે, માનવ પર્યાવરણ અસર કરે છે.
માનવ પ્રવૃત્તિઓના વિસ્તરણ અને વિવિધતા સાથે, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ વધુ ને વધુ પ્રખ્યાત બન્યો છે. તેથી, આધુનિક પરિસ્થિતિવિજ્ઞાન સંશોધનનો અવકાશ, જૈવિક વ્યક્તિઓ, વસતી અને બાયોમ્સ ઉપરાંત, માનવ સમાજ સહિત વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમની એક જટિલ પદ્ધતિમાં વિસ્તૃત થઈ ગયો છે. વસ્તી, સંસાધનો અને પર્યાવરણ જેવા માનવીઓ દ્વારા સામનો કરવામાં આવતી મોટી સમસ્યાઓ એ પર્યાવરણીય સંશોધન સામગ્રી છે. | guj_Gujr |
હાથમાં ગીતા, હોઠો પર જયહિંદ સાથે બિહારની દીકરી બની અમેરિકન સેનેટર – Revoi.in
હાથમાં ગીતા, હોઠો પર જયહિંદ સાથે બિહારની દીકરી બની અમેરિકન સેનેટર
અમેરિકાના વહીવટી તંત્રમાં ઘણાં ભારતીય મૂળના લોકોની મહત્વપૂર્ણ પદો પર નિમણૂક થઈ ચુકી છે. હવે આ કડીમાં એક નવું નામ જોડાયું છે અને તે નામ મોના દાસનું છે. મોના દાસ ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના 7મા જિલ્લાના સેનેટર તરીકે ચૂંટાયા છે. મોના દાસનો પરિવાર ભારતના બિહાર રાજ્ય સાથે સંબંધ ધરાવે છે અને મોના દાસ આઠ માસના હતા, ત્યારે 1971માં તેમનો પરિવાર અમેરિકા પહોંચ્યો હતો.
મોના દાસે ગત 14 જાન્યુઆરીએ સેનેટર પદે શપથગ્રહણ કર્યા અને ખાસ વાત એ રહી કે તેમણે પોતાના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા લઈને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા અને પોતાના ભાષણનું સમાપન જયહિંદ તથા ભારત માતા કી જયના જયઘોષ સાથે કર્યું હતું.
મોના દાસ અને તેમના પરિવારનો ભારત સાથે અતૂટ લગાવ છે અને તેઓ નજીકના ભવિષ્યમાં પોતાના પૈતૃક ગામ આવવાના છે તથા ભારત ભ્રમણની પણ યોજના બનાવી રહ્યા છે. મોના દાસનું પૈતૃક ગામ બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર ડિવિઝનમાં આવેલું દરિયાપુર છે. એક મીડિયા અહેવાલ મુજબ, મોના દાસના દાદા ગોપાલગંજ જિલ્લાના રિટાયર્ડ સિવિલ સર્જન હતા. તેમણે ભાગલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ અને દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ કામ કર્યું છે. મોના દાસનો જન્મ દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થયો છે. મોના દાસના પિતા સુબોધ દાસ એક એન્જિનિયર છે અને તેઓ હાલ અમેરિકાના સેન્ટ લુઈસમાં રહે છે. મોના દાસ અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક છે.
મોના દાસ વડાપ્રધાન મોદીના ઘણાં મોટા પ્રશંસક છે. પોતાના શપથગ્રહણ સમારંભમાં મોના દાસે કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીની જેમ જ હાલના ઊર્જાવાન નેતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મહિલાઓના જીવનમાં સફળતાની ચાવી શિક્ષણ છે. યુવતીઓને શિક્ષણ આપીને એક આખો પરિવાર અને આગામી પેઢીને શિક્ષિત કરી શકાય છે. મોના દાસ સેનેટર તરીકે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના શિક્ષણ અને ગ્રામીણ વિસ્તારોની અન્ય સમસ્યાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવાની વાત કહી ચુક્યા છે.
મહત્વપૂર્ણ છે કે મોના દાસે ચૂંટણી દરમિયાન બે ટર્મથી સેનેટર રહેલા રિપબ્લિકન પાર્ટીના નેતા જો ફેનને હરાવ્યા હતા. મોના દાસે શપથગ્રહણ બાદ પોતાના ભાષણના સમાપનના તબક્કામાં એક સૂત્ર પણ આપ્યું હતું કે મહિલાઓનું કલ્યાણ, સૌનું સમ્માન છે. | guj_Gujr |
અમિતાભ બચ્ચનની બેટી લગ્ન પહેલા કર્યું હતું કઈ એવો કાંડ કે તરત જ કરવા પડ્યા હતા લગ્ન,કાંડ જાણીને તમને પણ નવાઈ લાગશે…………. – akhandnews
અમિતાભ બચ્ચનની બેટી લગ્ન પહેલા કર્યું હતું કઈ એવો કાંડ કે તરત જ કરવા પડ્યા હતા લગ્ન,કાંડ જાણીને તમને પણ નવાઈ લાગશે………….
May 17, 2021 user1Leave a Comment on અમિતાભ બચ્ચનની બેટી લગ્ન પહેલા કર્યું હતું કઈ એવો કાંડ કે તરત જ કરવા પડ્યા હતા લગ્ન,કાંડ જાણીને તમને પણ નવાઈ લાગશે………….
બોલીવૂડ સ્ટાર્સ હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે.તે પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને મોટી હેડલાઈન્સ બનાવતા હોય છે.આવી સ્થિતિમાં જો આશરે 77 વર્ષની ઉંમર ધરાવતા આ સદીના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો તે આજે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા લોકપ્રિય પણ છે.
સોસીયલ મીડિયા એક નજર કરવામાં આવે તો તેમાં પણ એવા કેટલાક અમિતાભ બચ્ચનના ચાહકો છે જે હમેશા તેમના વિષે જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે તે આજે બોલીવૂડમાં બિગ-બીના નામથી પણ જાણીતા રહ્યા છે.ખાસ કરીને અમિતાભની સાથે તેમનો પરિવાર પણ અમુક સમયે ચર્ચામાં આવતો રહે છે.
તેમની પુત્રવધૂ એશ્વર્યા રાયની વાત કરવામાં આવે તો તે પણ મોટી સફળ અભિનેત્રી છે.અને તે પણ અનેકવાર ચર્ચામાં આવી ચુકી છે.તે ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી તેથી તેમના ચાહકો નારાજ છે.જયારે બિગ-બીના પુત્ર અભિષેકની વાત કરવામાં આવે તો તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધારે પિતાની જેમ ઓળખ બનાવી શક્યા નથી.
જયારે અભિનેતા બિગ-બીની પુત્રીની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં તો જોવા મળી નથી.પરંતુ ઘણીવાર ચોકસ રીતે ચર્ચામાં રહી છે.અને તે આજે પણ ઘણી લોકપ્રિયતા ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શ્વેતા નંદા બોલિવૂડની ઝગઝગાટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને મીડિયાની સામે તો ભાગ્ય જ આવે છે.
તમને જણાવી દઈએ કે કોઈ ભાગ્ય જ આવું જોવા મળતું હશે કે મોટા સુપરસ્ટારની પુત્રી ફિલ્મની દુનિયાથી દૂર રહી હોય.પરંતુ શ્વેતા ઘણી અલગ છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્વેતા ખૂબ જ નાની ત્યારે તેના લગ્ન થયા હતા,આ સમયે તેના લગ્ન સાથે જોડાયેલી ઘણી ચર્ચાઓ ઉભી થઇ હતી.કેટલાક અહેવાલો અનુસાર બિગ બીએ શ્વેતા બચ્ચનના લગ્નમાં ઉતાવળ કરી હોવાનું કહેતા હતા.
કેટલાક એવા પણ કારણો સામે આવ્યા હતા કકે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી.જ્યારે ઘણા લોકો કહે છે કે તેઓના લગ્ન વહેલા થયા હતા કારણ કે તેમના પહેલાથી જ નિખિલ નંદા સાથે અફેર હતું.પરંતુ તમને જણાવી દઈએ કે આ દરેક સમાચારમાં કેટલી સચ્ચાઈ છે તે કહેવું ઘણું મુસ્કેલ છે.દરેક વ્યક્તિ જાણે છે કે શ્વેતા આજકાલ પત્રકાર તરીકે કામ કરી રહી છે અને એક પુસ્તક પણ લખી છે.
શ્વેતાએ પોતાની દુનિયાને ફિલ્મોથી દૂર બનાવી લીધી છે,જેમાં તે તેના પરિવારથી ખૂબ ખુશ છે. તેમની પુત્રી નવ્યા નવેલી નંદા આવનારા સમયમાં અભિનયની દુનિયામાં રહી શકે.નવ્યા અને શ્વેતા અવારનવાર તેમના પરિવાર સાથે જોવા મળે છે.તે પરિવાર સાથે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે,જે ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. | guj_Gujr |
સુરતમાં યુવકે યુવતીને ભોળવી પટાવીને હોટેલમાં જઈને કર્યું ઘપાઘપ, 7 વર્ષ ખુબ મજા કરી પછી 60 લાખ રૂપિયા, આખરે યુવતીએ કર્યો ધડાકો - Chel Chabilo Gujrati
ગુજરાતમાંથી અવાર નવાપ યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર એવું પણ સામે આવે છે કે, પ્રેમજાળમાં યુવતિને ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા અથવા દાગીના પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી ચકચારી કેસ સામે આવ્યો છે, જેમાં પુણા વિસ્તારમાં રહેતી યુવતિને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી અને વારંવાર તેની સાથે શરીર સુખ માણ્યુ હતુ. વર્ષ 2016થી પ્રેમમાં હોવાનું કહી યુવતિ પાસે કાર લેવાના નામે 60 લાખ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીના પડાવી લીધા હતા. યુવતિ અને આરોપી યુવકને સાથે જોયેલા મિત્રએ પણ યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતુ.
હાલ તો યુવતિએ આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે અને ફરિયાદ નોંધાયા બાદ પુણા પોલિસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, પુણા વિસ્તારમાં આવેલ રેશ્મા રો હાઉસમાં રહેતી યુવતીના પિતા કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. યુવતી શાળામાં અભ્યાસ કરતી ત્યારે રાજ ઉર્ફે વિકાસ લાલારામ આંજણા પટેલ કે જે બેંગ્લોર ખાતે રહેતો હતો તે તેની સાથે જ અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે 2016 પહેલા મિત્રતા થઇ હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ બેંગ્લોર જતો રહ્યો હતો. જ્યાં યુવતિ રહે છે તે સોસાયટીમાં રાજના મામા પણ રહે છે અને જેના કારણે તે અવાર નવાર સુરત આવતો રહેતો હતો.
આ દરમિયાન યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી અને લગ્ન કરવાના વાયદાઓ આપી તેણે ઘણીવાર અલગ અલગ ફાર્મ હાઉસ અને હોટલોમાં લઇ જઇ મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધ્યા હતા. ત્રણ મહિના પહેલા પણ રાજે તેની પોતાની પાસે મકાન અને કાર નથી. જેથી યુવતીને મકાન અને ગાડી લેવા માટે પૈસાની માંગણી કરી હતી. પ્રેમમાં અંધ યુવતીએ 60 લાખની કિંમતના દાગીના ઘરમાંથી ટુકડે ટુકડે કાઢી રાજને આપી દીધા હતા. આ વાતની જાણ તેના માતા-પિતાને ન હતી. રાજે તેની સાથે લગ્ન ન કરી વધુ પૈસાની માંગણી કરતો હતો. | guj_Gujr |
જિજ્ઞેશ મેવાણી સોગંદનામું કરે કે તેમનાથી ભૂલ થઇ છેઃ હાઇકોર્ટ | નવગુજરાત સમય
જિજ્ઞેશ મેવાણી સોગંદનામું કરે કે તેમનાથી ભૂલ થઇ છેઃ હાઇકોર્ટ
22-07-2019 11:40 PM
સિરિયાની શાળાને વલસાડની શાળા તરીકે સોશિયલ મીડિયામાં મૂકવાનો મામલો
- દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમની વિરુદ્ધ વલસાડની એક શાળા દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદના મામલે ધરપકડથી બચવા માટે હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. પંચોલીએ મેવાણીને સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે કે તેમનાથી ભૂલ થઇ ગઇ છે. આ મામલે આવતીકાલે મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે. સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી માર્મિક ટકોર પણ કરી હતી કે,'સામાન્ય વ્યક્તિ સોશિયલ મીડિયામાં કોઇ વસ્તુ શેર કરે અને ભૂલ થાય તો સમજી શકાય. પરંતુ એક ધારાસભ્ય હોવાથી તેમણે કોઇ પણ વસ્તુ જાહેર કરતાં પહેલાં તેની પુરતી ચકાસણી કરવી જોઇએ.'
સિરિયાનો વીડિયો વલસાડની એક શાળાનો હોવાનું જણાવી તેને અપલોડ કરવાના કિસ્સામાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણીના આગોતરા જામીન નીચલી અદાલતે નામંજૂર કરતાં તેણે હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં હાઇકોર્ટે અગાઉ એક વચગાળાનો આદેશ કરી બે દિવસ સુધી તેની ધરપકડ પર રોક લગાવી હતી.
આ કેસની હકીકત એવી છે કે ગત 20મેના રોજ જિજ્ઞેશે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વલસાડની આર.એમ. એન્ડ વી.એમ. શાળાના શિક્ષક દ્વારા એક બાળકને ક્રૂરતાપૂર્વક માર મારતો હોવાનો વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો વલસાડનો નહીં સિરિયાનો હોવાનો ખુલાસો થયો હતો. આ બાબતે વલસાડની શાળાના પ્રિન્સિપાલ દ્વારા ગત જૂનમાં પોતાની સ્કૂલની છબી ખરડાઇ હોવાની તથા ખોટી અફવા ફેલાવા અંગેની પોલીસ ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. જે મામલો આગોતરા જામીન મેળવવા જિજ્ઞેશ મેવાણીએ વલસાડની કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ એ અરજી ફગાવી દેવાતાં એડવોકેટ આનંદ યાજ્ઞિક અને એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,'જે તથાકથિત વીડિયો સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે વીડિયો બાબતે વલસાડની આર.એમ. એન્ડ વી.એમ. શાળાના પ્રિન્સિપાલ દ્વારા ફરિયાદ દાખલ કરવા વર્ષ 2017થી 2019 દરમિયાન વખતોવખત ઘણી બધી અરજીઓ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા એક પણ અરજીને ફરિયાદમાં તબદીલ કરવામાં આવી નહોતી અને હવે આ ફરિયાદ નોંધાઇ છે અને તેમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પણ નામ નોંધવામાં આવ્યું છે. આ વીડિયો તેમને વોટ્સએપના માધ્યમથી મળ્યો હતો અને તે સિરિયાનો હોવાની જાણ થતાં તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી હતી. તેનો ઇરાદો કોઇને પણ બદનામ કરવાનો નહોતો.' | guj_Gujr |
યુરોકપ: સ્વિત્ઝરલેન્ડને ૩-૦ થી હરાવી ઇટલી લાસ્ટ-૧૬માં પહોંચવા સજ્જ!! - Abtak Media
Home Sports યુરોકપ: સ્વિત્ઝરલેન્ડને ૩-૦ થી હરાવી ઇટલી લાસ્ટ-૧૬માં પહોંચવા સજ્જ!!
યુરોકપ દિનપ્રતિદિન રસપ્રદ અને રોમાંચિત થઈ રહ્યો છે. વિશ્વભરની ટીમો યુરોકપનું ખિતાબ જીતવા તન-મનથી લાગી પડ્યા છે ત્યારે ગઈકાલે રોમ ખાતે રમાયેલી સ્વિત્ઝરલેન્ડ અને ઇટલી વચ્ચેનો મેચ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. મેચમાં ઇટલીએ સ્વિત્ઝરલેન્ડને ૩-૦થી હરાવી જીત તો મેળવી જ સાથે જ લાસ્ટ ૧૬માં પહોંચવા સજ્જ થઈ ગયું છે. ઇટલીનો આ બીજો મેચ હતો જેમાં ટીમે સતત જીત મેળવી છે. જિતને પગલે ઇટલીએ લાસ્ટ-૧૬માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.
રવિવારે વેલ્સ સામેનો જંગ 'કાંટે કી ટક્કર' સમાન: કેપ્ટનની ગેરહાજરી ટીમ માટે પડકારજનક
ઇટલીએ તેનો પ્રથમ મેચ તુર્કી સામે રમ્યો હતો જેમાં ઇટલીની ૨-૦થી જીત થઈ હતી. જ્યારે બીજા મેચમાં પણ ઇટલીને જીત મળતા હાલ પોઇન્ટ ટેબલમાં ઇટલીની ટીમ ૬ પોઇન્ટ્સ સાથે સૌથી ટોચમાં પહોંચી ગઇ છે. રોબરટો મેનસીની ઇટલીની ટીમનો સ્ટાર પર્ફોર્મર સાબિત થઈ રહ્યો છે. મેનસીનીના પ્રદર્શનને કારણે ટીમને એક મજબૂત પકડ મળી રહી છે.
ગ્રુપ એ માં રહેલી ટીમ ઇટલીનો આગામી મેચ હવે વેલ્સ સાથે રવિવારના રોજ યોજાનાર છે. જેમાં ઇટલીને જીત મળે તો ટીમ ટોચનું સ્થાન યથાવત રાખી શકશે અને પોઇન્ટ ટેબલમાં સૌથી મોખરે રહેશે. જો કે, વેલ્સ વર્ષ ૨૦૧૬ યુરોકપમાં સેમિફાઈનલ સુધીની સફર ખેડનાર ટીમ છે જેથી આ મેચ કાંટે કી ટક્કર સમાન સાબિત થાય તો પણ નવાઈ નહીં.
ઇટલી સામેના પડકારમાં સૌથી મોટો પડકાર એ છે કે, ગત મેચની પ્રથમ હાફમાં પિચ પર અથડાતાં ટીમના કેપટન જ્યોર્જીઓને ઇજા પહોંચી છે જેથી સંભવતઃ તે આગામી મેચ રમી શકશે નહીં. પ્રબળ નેતૃત્વનો અભાવ ક્યાંક હારમાં પણ પરિણમી શકે છે. ઉપરાંત ૩૬ વર્ષીય જુવેન્ટસને ૨૦મી મિનિટે ગોલ માર્યાના ફક્ત ૪ મિનિટ બાદ જ રિપ્લેસ કરવાની જરૂરિયાત પડી હતી. તેને પગના ભાગે ઇજા પહોચી હોવાની વાત સામે આવી છે જેથી આગામી મેચમાં ડિફેન્ડરની ભૂમિકામાં રહેલો જુવેન્ટસ રમશે કે કેમ? તે અંગે પણ પ્રશ્નાર્થ ઉદ્ભવયો છે. | guj_Gujr |
મહાબલીપુરમમાં પીએમ મોદીએ સુરક્ષા અને શૂટિંગ પાછળ 20 કરોડનો ખર્ચ કર્યાની વાયરલ પોસ્ટનું સત્ય - Newschecker
HomeFact Checksમહાબલીપુરમમાં પીએમ મોદીએ સુરક્ષા અને શૂટિંગ પાછળ 20 કરોડનો ખર્ચ કર્યાની વાયરલ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમ તટ પર માત્ર 2 રૂપિયાનો કચરો વીણવા માટે સુરક્ષા અને શૂટિંગ પાછળ 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા
ટ્વીટર પર શિલ્પી સિંહ નામના એક ટ્વીટર એકાઉન્ટ પરથી પીએમ મોદીને લઈ એક ટ્વીટ શેયર કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રીએ બે દિવસ પહેલા તમિલનાડુના મહાબલીપુરમ તટ પર માત્ર 2 રૂપિયાનો કચરો વીણવા માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ટ્વીટમાં કરવામાં આવેલા દાવાને લઇ અમે તેની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં ગુગલ કીવર્ડની મદદથી પીએમ મોદી દ્વારા મહાબલીપુરમ પર કચરો વીણવા પાછળ કરવામાં આવેલા ખર્ચને લઇ ઘણા રિઝલ્ટ સામે આવ્યા
પીએમ મોદી દ્વારા મહાબલી પુરમના સમુદ્ર કિનારે
કચરો વીણવાની ખબર દૈનિક ભાસ્કર , જન્નસત્તા , ઈકોનોમી ટાઈમ્સ, આજતક વગેરે જેવા ટીવી ચેનલો દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ આ ખબરોમાં કોઈપણ જગ્યાએ આ કચરો વીણવા પાછળ 20 કરોડનો ખર્ચ થયો છે તેવું જાહેર કર્યું નથી.
ટ્વીટમાં શેયર કરવામાં આવેલા ફોટોને લઈને અમે તેમની હકીકત શોધવા માટેના પ્રયાસ શરૂ કર્યા, જેના માટે ગુગલ રિવર્સ ઇમેજ અને આઇન્ડેક્સની મદદ લીધી છે.
જેમાં પહેલો ફોટોને લઈને ખોજ શરૂ કરી ત્યારે રિઝલ્ટમાં જોવા મળ્યું કે મહાબલીપુરમ તટ પર શૂટિંગ કરી રહેલી ટિમ પીએમ મોદીની ટિમ નહિ પરંતુ યુકેની કોઈ એક ઇન્સ્ટિટ્યૂટની છે જે વર્ષ 2018માં ક્લિક કરવામાં આવી છે.
સાથે જ બીજો ફોટો જે લગભગ 6 મહિના પહેલા ક્લિક કરવામાં આવી હતી, લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ મોદી કૉંઝિકોડમાં એક રેલી કરી રહ્યા હતા, અને તેમના પહોંચવા પહેલા હાઈ સિક્યુરિટીનો પ્રબંધ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન બૉમ્બ સ્કોડની ફોટો પણ લેવામાં આવી હતી જે ધ-હિન્દૂમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
આ તમામ પરથી સાબિત થાય છે મહાબલીપુરમના તટ પર પીએમ મોદીની સુરક્ષા અને શૂટિંગ માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો છે જે ખોટો સાબિત થાય છે.
યાન્ડેક્ષ ઇમેજ સર્ચ
ગુગલ; રિવર્સ સર્ચપરિણામ :- ભ્રામક દાવો ( ફેક વાયરલ પોસ્ટ )
Previous articleભાજપ નેતા દ્વારા ગુજરાતમાં મહિલા ટીચર સાથે અભદ્ર વર્તન અને જબરદસ્તી કરતો વાયરલ વિડિઓનું તથ્ય
Next articleગુજરાતના એક વૃદ્ધનો દાંડિયા રમતા વિડિઓ પૂર્વ પીએમ મોરારજી દેસાઈના નામથી વાયરલ કરવામાં આવ્યો | guj_Gujr |
ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. ચેમ્બરલેનને અરજી-૧ - વિકિસ્રોત
ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. ચેમ્બરલેનને અરજી-૧
← નાતાલ કાઉન્સિલને અરજી-૨ ગાંધીજીનો અક્ષરદેહ - ૧
મિ. ચેમ્બરલેનને અરજી-૧
મોહનદાસ કરમચંદ ગાંધી લૉર્ડ એલ્જિનને અરજી-૨ →
પપ. મિ. ચેમ્બરલેનને અરજી
ધિ રાઈટ ઑનરેબલ જોસફ ચેમ્બરલેન, નામદાર સમ્રાજ્ઞીના સંસ્થાનો માટેના મુખ્ય મંત્રી, લંડન
નાતાલ સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી
નમ્રતાપૂર્વક દર્શાવે છે કે :
નાતાલની નામદાર લૅજિસ્લેટિવ ઍસેમ્બલી તથા લેજિસ્લેટિવ કાઉન્સિલે પસાર કરેલા ઈન્ડિયન ઈમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલ સંબંધમાં નાતાલ સંસ્થાનમાં વસતી હિંદી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતા તમારા અરજદારો, જેટલે અંશે એ બિલો ગિરમીટની પ્રથાની હાલની પરિસ્થિતિને અસર કરે છે તથા આ કાનૂન નીચે આવતા અને આ સંસ્થાનમાં સ્વતંત્ર હિંદીઓ તરીકે રહેવા ઇચ્છતા ગિરમીટની શરત નીચેના હિંદીઓએ દર વર્ષે ૩ પાઉન્ડ ભરીને કઢાવવાના ખાસ પરવાનાની જરૂરિયાત ઊભી કરે છે તેટલે અંશે, માનપૂર્વક તમારી સેવામાં હાજર થવાની ધૃષ્ટતા કરે છે.
૨. તમારા અરજદારોએ ઉપરની બાબત સાથે સંબંધ ધરાવતી કલમો કાઢી નાખવામાં આવે એ હેતુથી બંને નામદાર ધારાગૃહોને માનપૂર્વકની અરજીઓ રજૂ કરી, પરંતુ તમારા અરજદારોને કહેતાં દિલગીરી થાય છે કે એમાં એમને સફળતા મળી નથી, એ અરજીઓની [૧] નકલો આ સાથે જોડવામાં આવી છે અને તેના પર અનુક્રમે क અને ख નિશાન મૂકયાં છે.
૩. આ બાબત સાથે સંબંધ ધરાવતી કલમો નીચે મુજબ છે:
કલમ ૨. આ કાયદો અમલમાં આવે તે તારીખથી અને ત્યાર પછી ૧૮૯૧ના ઈન્ડિયન ઈમિગ્રેશન લૉના વિભાગ ૧૧માં દર્શાવેલાં પરિશિષ્ટ ख અને गમાં જેની જોગવાઈ કરવામાં આવી છે એવા હિંદી વસાહતીઓએ સહી કરવાના ગિરમીટના કરારોમાં હિંદી વસાહતીઓએ કરવાની નીચેના શબ્દોવાળી પ્રતિક્ષાનો સમાવેશ થશે:
ઉપરાંત અમે એ પણ મંજૂર રાખીએ છીએ કે મુદત પૂરી થતાં અથવા બીજી મુદત
નક્કી થતાં અમે કાં તો હિંદ પાછા ફરીશું અથવા વખતોવખત કરવાના કરારો મુજબ નાતાલમાં રહીશું; તે એવી શરતે કે દરેક ગિરમીટ નીચેની નોકરીની અવધિ બે વર્ષ માટેની રહેશે; અને એ ઉપરાંત એવી શરતે કે આ કરારમાં જોગવાઈ કર્યા પછીની દરેક વર્ષની ગિરમીટની નોકરીની મજૂરીનો દર પહેલા વર્ષ માટે દર મહિને ૧૬ શિલિંગ, બીજા વર્ષ માટે દર મહિને ૧૭ શિલિંગ, ત્રીજા વર્ષ માટે દર મહિને ૧૮ શિલિંગ, ચોથા વર્ષ માટે દર મહિને ૧૯ શિલિંગ, અને પાંચમા અને તે પછી આવતા દરેક વર્ષ માટે દર મહિને ૨૦ શિલિંગ રહેશે.
કલમ ૬ નીચે મુજબ છે:
અા કાનૂનની કલમ ૨માં દર્શાવેલી પ્રતિજ્ઞા કરનાર દરેક ગિરમીટ નીચેનો હિંદી, જે હિંદુસ્તાન પાછો ફરવામાં અથવા નાતાલમાં ફરીથી મજૂરીનો કરાર કરવામાં નિષ્ફળ જશે, બેદરકારી બતાવશે અથવા ના પાડશે તેણે પોતાના જિલ્લાના મેજિસ્ટ્રેટે કાઢી આપેલો સંસ્થાનમાં રહેવા માટેનો પાસ અથવા પરવાનો કઢાવવો પડશે. અને એ પાસ અથવા પરવાના માટે ૩ પાઉન્ડની વાર્ષિક રકમ ભરવી પડશે. જે કોઈ પણ "કલાર્ક ઑફ પીસ ' મારફતે અથવા એવી લાઈસન્સ ફી લેવા માટે નિમાયેલા બીજા અધિકારી મારફતે તાકીદની સરકારી કાર્યવાહીથી વસૂલ કરી શકાશે.
ઉપર આપેલી કલમ ૨માં જણાવ્યા મુજબનું પરિશિષ્ટ ख, નોકરીની મુદતને એને સંબંધ છે તેટલા પૂરતું નીચે મુજબ છે:
અમે . . . થી નાતાલ આવેલા નીચે સહી કરનારા વસાહતીઓ નાતાલ માટેના હિંદી વસાહતીઓના સંરક્ષકે જે કોઈ માલિકને ત્યાં નોકરી કરવા અમને અનુક્રમે નોંધ્યા હોય તેને ત્યાં કામ કરવા આથી બંધાઈએ છીએ; તે એવી શરતે કે અહીં નીચે અમારાં નામો સામે દર્શાવેલી રોજી તથા બીજી ખર્ચની રકમ દર મહિને અમને રોકડ નાણાંમાં આપવામાં આવશે.
૪. ઉપર દર્શાવેલી વાત પરથી જણાશે કે ચર્ચા નીચેનું બિલ કાનૂન બને તો એક ગિરમીટ નીચેના હિંદીએ જે તે પોતાની પાંચ વર્ષની ગિરમીટની નોકરી બાદ સંસ્થાનમાં સ્થિર થઈને રહેવા ઇચ્છતો હોય તો કાં તો કાયમી ગિરમીટ નીચે રહેવું જોઈએ અથવા ૩ પાઉન્ડનો વાર્ષિક કર ભરવો જોઈએ. તમારા અરજદારોએ कर શબ્દ જાણીજોઈને વાપર્યો છે કારણ કે મૂળ બિલ કમિટીની કક્ષાએથી પસાર થયું તે પહેલાં તેમાં એ જ શબ્દ વપરાયો હતો, તમારા અરજદારોનું કહેવું એવું છે કે કરને બદલે પરવાનો એવો માત્ર નામનો ફેરફાર કરવાથી એ બિલ ઓછું અળખામણું નથી બનતું, પણ કાનૂનના ઘડવૈયાઓને પક્ષે એ માહિતી હોવાનું ખાસ દેખાઈ આવે છે કે સંસ્થાનમાં એક ખાસ વર્ગના લોકો ઉપર એક ખાસ માથાવેરો હોય એ ન્યાય વિષેની બ્રિટિશોની વિચારસરણીનું પૂરેપૂરું વિરોધી છે.
૫. હવે, તમારા અરજદારો નમ્રપણે પણ ભારપૂર્વક જણાવે છે કે ગિરમીટની મુદત પાંચ વર્ષ ઉપરથી લગભગ અચોક્કસ મુદત પર વધારી જવાની વાત અતિશય અન્યાયભરી છે, ખાસ કરીને એ કારણે કે ગિરમીટિયા હિંદીઓ મારફતે રક્ષાયેલા કે અસર પામતા ઉદ્યોગોને સંબંધ છે ત્યાં સુધી આવું પગલું તદ્દન બિનજરૂરી છે.
૬. આ કલમો ઉપસ્થિત થવાનું, નાતાલ સરકારે ૧૮૯૪ની સાલમાં હિંદ મોકલેલા કમિશનને અને એના સભ્યો મેસર્સ બિન્સ અને મેસને તૈયાર કરેલા હેવાલને આભારી છે. કમિશન આ બે સભ્યોનું જ બનેલું હતું."આવો કાયદો ઘડવાના એ હેવાલમાં દર્શાવેલાં કારણો વસાહતીઓના સંરક્ષકના ૧૮૯૪ની સાલ માટેના વાર્ષિક હેવાલના પા. ૨૦ અને ૨૧ ઉપર આપેલાં છે. તમારા અરજદારો કમિશનના સભ્યોના હેવાલમાંથી નીચેનો ઉતારો આપવાની ધૃષ્ટતા કરે છે:
જે દેશમાં દેશી લોકોની વસ્તી યુરોપિયનોની વસ્તી કરતાં સંખ્યામાં ઘણી વધારે છે ત્યાં હિંદીઓનો અમર્યાદ વસવાટ ઇચ્છવાજોગ નથી ગણાતો, એટલે એકંદરે વલણ
એવું રહે છે કે જયારે તેઓ પોતાની છેલ્લી ગિરમીટની મુદત પૂરી કરી રહે ત્યારે તેમણે હિંદુસ્તાન પાછા ફરવું જોઈએ. આજ પહેલાં સંસ્થાનમાં સ્થિર થઈને રહેલા એવા આશરે ૨૫,૦૦૦ સ્વતંત્ર હિંદીઓ મોજૂદ છે. એમાંના ઘણા લોકોએ વળતી મુસાફરીના ભાડાનો તેમનો હક જતો કર્યો છે. વળી આમાં વણિકોની ઘણી મોટી વેપારી વસ્તીનો સમાવેશ થતો નથી.
૭. આ રીતે જોતાં આ ખાસ પ્રકારની વ્યવસ્થા માટેનાં કારણો માત્ર રાજદ્રારી જ છે. સાચી રીતે કહીએ તો વસ્તી ગીચ થઈ જવાનો તો બિલકુલ પ્રશ્ન જ નથી. એક નવા ખૂલેલા દેશમાં જયાં હજી જમીનના વિશાળ પ્રદેશો તદ્દન વસ્તી વિનાના અને ખેડયા વિનાના પડેલા છે ત્યાં આ પ્રશ્નનને સ્થાન જ ન હોઈ શકે.
૮. એ જ હેવાલમાં સભ્યોએ ફરીથી નીચે મુજબ કહ્યું છે:
આરબો કે જેઓ બધા વેપારીઓ જ છે અને કામદારો નથી, તેમની બાબતમાં
વેપારીઓમાં અને દુકાનદારોમાં એક જાતની તીવ્ર લાગણી પ્રવર્તે છે; પણ મોટે ભાગે તેઓ બ્રિટિશ રૈયત છે અને કોઈ પણ જાતના કરાર કરીને સંસ્થાનમાં આવ્યા નથી એટલે તેમની સાથે કોઈ જાતની દખલ થઈ ન શકે એ વાત સ્વીકારવામાં આવી છે.
કુલી કે મજૂર, યુરોપિયનની સાથે ખાસ ગણનાપાત્ર પ્રમાણમાં હરીફાઈમાં આવતો
નથી. સમુદ્રના કિનારા ઉપર, જ્યાં બધા જ બગીચા આવેલા છે ત્યાં યુરોપિયનો માટે ખેતીકામ કરવાનું અશકય છે અને ત્યાં હિંદી મજૂરો અને દેશી લોકો ઉપરાંતની મજૂરોની સંખ્યા હંમેશાં બહુ નાની રહી છે.
જોકે નિશ્ચિતપણે અમે એ મતના છીએ કે અત્યાર સુધીમાં જે મજૂર હિંદીઓ अहीं स्थिर थईने रह्या छे (નાગરી અરજદારોએ કર્યું છે) તેઓ સંસ્થાન માટે ઘણા લાભકારક નીવડયા છે. છતાં ભવિષ્યનો વિચાર કરતાં, અને દક્ષિણ આફ્રિકામાં દેશી લોકોનો જે એક મહાન પ્રશ્નન વણઉકેલ્યો પડયો છે તે નજરમાં રાખતાં, હાલમાં જે ચિંતા સેવાઈ રહી છે તેમાં સહભાગી બનવાનું અમે ટાળી શકતા નથી. જો મોટા ભાગના મજૂરોએ એમને માટે જોગવાઈ કરવામાં આવેલાં પાછા ફરવાનાં ભાડાંનો ફાયદો ઉઠાવ્યો હોત તો ભયને માટે ઓછું જ કારણ રહ્યું હોત.
૯. તમારા અરજદારો ખૂબ જ માનપૂર્વક જણાવે છે કે ઉપરના ઉતારા, જે સંસ્થાનમાં गिरमीटमुक्त हिंदीओना વસવાટ ઉપર નિયંત્રણ મૂકનારાં પગલાં માટે અપાયેલાં કારણોના અંગરૂપ છે તે તદ્દન ઊલટી જ વાત પુરવાર કરે છે. કારણ કે મોટા ભાગના તમારા અરજદારો જે વર્ગમાંથી આવ્યા છે તે હિંદી વેપારીઓ જેઓ "કોઈ પણ જાતના કરાર નીચે સંસ્થાનમાં ગયા નથી." તેમને જે કોઈ પણ જાતની દખલ ન દઈ શકાય તો પછી ગિરમીટ નીચેના હિંદીઓ જેઓ આમના જેટલા જ બ્રિટિશ પ્રજાજન છે, અને જેમને એમ કહી શકાય કે સંસ્થાનમાં જવાને આમંત્રણ અપાયું હતું અને જેમનો वसवाट (સભ્યોના પોતાના જ શબ્દોમાં) "સંસ્થાન- ના ભારે લાભમાં રહ્યો છે." અને, તેથી જેમનો સાંસ્થાનિકોની ભલમનસાઈ અને કાળજી ઉપર ખાસ હક રહેલો છે તેમને તો તેનાથી પણ घणी ओछी દખલ દઈ શકાય. ૧૦. અને, જો હિંદી 'કુલી' "યુરોપિયનો સાથે કોઈ પણ ગણનાપાત્ર પ્રમાણમાં હરીફાઈમાં આવતો નથી." તો પછી તમારા અરજદારો નમ્રપણે પૂછે છે કે ગિરમીટ નીચેના હિંદીઓ માટે શાંતિમાં અને સ્વતંત્રપણે પ્રામાણિક રોટી કમાવાનું મુશ્કેલ બનાવે એવો કાનૂન બનાવવાનું ઔચિંત્ય કયાં રહ્યું? એ ઔચિંત્ય ખરેખર ગિરમીટ નીચેના હિંદીઓના ખાસ હોય એવા કોઈ ગુણોમાં રહેલું નથી જે તેમને સમાજના ભયંકર સભ્યો બનાવી મૂકતા હોય. હિંદી પ્રજાની શાંતિપ્રિયતાની ખાસિયત અને તેનો નમ્રતાનો ગુણ જાણીતો છે. તેમના માથેના અધિકારીઓ પ્રત્યેનું તેમનું આજ્ઞાપાલન તેમના ચારિત્ર્યનું નાનુંસૂનું લક્ષણ નથી, અને એથી ઊલટું કહેવાનું કમિશનના સભ્યો માટે બની શકશે નહીં; કારણ કે જે સભ્યોમાંના એક હતા એવા સંરક્ષક તેમના હેવાલના એ જ પુસ્તકમાં પા. ૧૫ ઉપર કહે છે :
હું જાણું છું કે અનેક માણસો હિંદીઓની એક જાતિ તરીકે નિંદા કરે છે. છતાં આ લોકો જો તેઓ પોતાની આજુબાજુ નજર કરશે તો આ હિંદીઓમાંના સેંકડોને તેમના જુદા જુદા ઉપયોગી અને ઇચ્છવાજોગ ધંધાઓ પ્રામાણિકપણે અને શાંતિથી પાર પાડતા જોયા વિના રહેશે નહીં.
એટલું કહી શકવા બદલ મને આનંદ થાય છે કે સંસ્થાનમાં સામાન્ય રીતે રહેતા હિંદીઓ હજી પણ સમાજનું સમૃદ્ધિવાન, સાહસિક અને કાનૂન પાલક અંગ બની રહે છે.
૧૧. આ બિલના બીજા વાચનની રજૂઆત વખતે નામદાર એટર્ની જનરલે એવું કહ્યાનો હેવાલ છે કે:
કોઈ પણ ઉદ્યોગને નુકસાન થાય એ રીતે મજૂરોને દાખલ કરવામાં દરમિયાનગીરી કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ આ હિંદીઓને અહીં સ્થાનિક ઉદ્યોગોની ખિલવણી માટે મજૂરો પૂરા પાડવાના હેતુથી લાવવામાં આવ્યા હતા, અને નહીં કે જુદાં જુદાં રાજ્યોમાં ઊભા થતા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રના એક અંગરૂપ બનવાના હેતુ માટે.
૧૨. વિદ્રાન એટર્ની જનરલ પ્રત્યે ભારેમાં ભારે માન સાથે તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે ઉપરની ટીકા ચર્ચા નીચેની કલમોને સંપૂર્ણપણે વખોડી કાઢે છે અને તેઓ એવું માનવાની ધૃષ્ટતા કરે છે કે નામદાર સમ્રાજ્ઞીની સરકાર બિલને મંજૂરી આપીને આવી ટીકાનું સમર્થન કરશે નહીં.
૧૩. તમારા અરજદારો એવું માનવાની ધૃષ્ટતા કરે છે કે જે કાનૂનો માણસોને કાયમની ગુલામી નીચે રાખવાના વલણવાળા હોય તેમને ચલાવી લેવાનું બ્રિટિશ બંધારણની ભાવનાની વિરુદ્ધનું છે. અમારું કહેવું એવું છે કે જો બિલ કાનૂન બનશે તો એ સ્પષ્ટ જ છે કે તે એવું જ પરિણામ લાવશે.
૧૪. ૧૮૯૫ની સાલના મેની ૧૧મી તારીખનું સરકારી મુખપત્ર धि नाताल मर्क्युरी આ પ્રમાણે આ બિલનું સમર્થન કરે છે:
આમ છતાં, સરકાર આટલી વાત મંજૂર રાખી શકતી નથી કે જે માણસો વાજબી મજૂરીના દર સાંસ્થાનિકોને મદદ કરવાના કરાર કરે છે તેમને એ કરારનો ભંગ કરવા દેવામાં આવે અને જેમની સેવા કરવાને તેઓ આવ્યા હતા અને બીજા કોઈ પણ હેતુ માટે કે બીજી કોઈ પણ શરતે નહોતા આવ્યા તે સાંસ્થાનિકો સામે હરીફ તરીકે રહેવા દેવામાં આવે.
એનાથી વિરુદ્ધ કરવું એ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાખવા બરાબર અને કાનૂન અને ઔચિત્યના અસ્તિત્વનો હેતુપૂર્વકનો ઈન્કાર કરવા બરાબર થશે. આમાં કોઈ જાતની સખતાઈ નથી, કે સખતાઈની ઇચ્છા પણ નથી તેમ જ એમાં એવું કાંઈ પણ નથી જેનો નિષ્પક્ષ મંતવ્ય ધરાવનાર વિરોધ કરી શકે.
૧૫. તમારા અરજદારોએ ઉપરના ઉતારા એટલું બતાવવાને આપ્યા છે કે હિંદીઓ સામે જવાબદાર લોકોમાં પણ કેવી લાગણી રહેલી છે. અને તે લાગણી માત્ર એટલા ખાતર કે केटलाक बहू ज थोडा માણસો તેમની ગિરમીટ નીચે અને તેની મુદત દરમિયાન જ નહીં પરંતુ એ મુદત પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી મજૂરો તરીકે કામ કર્યા પછી સંસ્થાનમાં વેપાર કરવાની હિંમત કરે છે.
૧૬. જેઓ સંસ્થાનના હિત માટે અનિવાર્ય હોવાનું સ્વીકારાયું છે તેમણે કાયમના બંધન નીચે રહેવું અથવા તા. ૯–૫–'૯૫ના धि नाताल एडवर्टाइझरे મૂકયું છે તેમ ૩ પાઉન્ડનો વાર્ષિક કર ભરીને "સ્વતંત્રતા ખરીદવી," જે "નથી સખતાઈભર્યું કે નથી અયોગ્ય", આ કથન તમારા અરજદારોને ખાતરીપૂર્વક લાગે છે કે સમ્રાજ્ઞીની સરકારને સ્વીકાર્ય થશે નહીં.
૧૭. કલમોમાં રહેલો અન્યાય એટલો બધો સ્પષ્ટ અને ભારે દેખાય છે કે જે છાપું હિંદીઓની બિલકુલ તરફદારી કરનારું નથી એવા धि नाताल एडावर्टाइझर ને પણ એનો ખ્યાલ આવ્યો છે અને તે તેણે ૧૮૯૫ના મેની ૧૬મી તારીખે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યો છે :
મૂળમાં બિલની દંડાત્મક કલમ એવા ઉદ્દેશવાળી હતી કે જે હિંદી, હિંદુસ્તાન પાછો નહીં ફરે તેણે સરકારને એક વાર્ષિક કર ભરવો, મંગળવારે એટર્ની જનરલે એવો ઠરાવ મૂકયો કે આને આ પ્રમાણે બદલવામાં આવે : 'સંસ્થાનમાં રહી જવા માટે એક પાસ કે પરવાનો કઢાવવો જોઈએ જેને માટે ૩ પાઉન્ડ ભરવાના રહેશે. નિશ્ચિતપણે આ એક વધારે સારો ફેરફાર છે, અને ઓછો અણગમો થાય એવા શબ્દોમાં એનાથી એનો એ હેતુ સરે છે. પરંતુ આ કુલી રહેવાસીઓ ઉપર એક ખાસ કર નાખવાની દરખાસ્તથી એક વ્યાપક પ્રશ્ન ખડો થાય છે, જો સામ્રાજયના બીજા ભાગોમાંથી આવનારા કુલીઓ ઉપર આ જાતની ગેરલાયકાત મુકાવાની હોય તો પછી એનો અમલ, જેમનો બ્રિટિશ સામ્રાજ્ય સાથે સંબંધ નથી એવા ચીનાઓ, આરબો, બહારનાં રાજયોમાંના કાફરો, અને એવા બીજા વસાહતીઓનો પણ સમાવેશ થાય એ રીતે વિસ્તૃત કરવો જોઈએ. આ રીતે કુલીઓને ખાસ પસંદ કરીને તેમને લક્ષ્યબિંદુ બનાવવા અને બીજા બધા પરદેશીઓને કોઈ પણ ગેરલાયકાત વિના છૂટથી વસવાટ કરવા દેવો એ ન્યાયસંગત વ્યવસ્થા નથી. જો પરદેશીઓ ઉપર કર નાખવાનો રિવાજ શરૂ કરવો જ હોય તો ખરેખર તે એવી જાતિઓથી કરવો જોઈએ કે જે પોતાની જન્મભૂમિમાં બ્રિટિશ ધ્વજ નીચે નથી, અને નહીં કે એવી જાતિઓથી જે, આપણે પસંદ કરીએ કે નહીં કરીએ, આપણી માફક એક જ સામ્રાજ્યની પ્રજા છે. આપણે જો તેમના ઉપર અસાધારણ ગેરલાયકાતો નાખવા માગતા હોઈએ તો એને માટે તેઓ પહેલા નહીં પરંતુ છેલ્લા રહેવા જોઈએ.
૧૮. તમારા અરજદારો જણાવે છે કે આ વ્યવસ્થા કોઈ પણ ન્યાયપ્રિય માણસોને ગમી નથી. નાતાલ કમિશનના સભ્યોએ હિંદી સરકારને, ગમે એટલી આનાકાનીથી હોય તો પણ ગિરમીટની મુદત અચોક્કસ રીતે વધારવાની અથવા ફરજિયાત પાછા ફરવાની વાતને સંમતિ આપવાનું વચન આપવાને કેવી રીતે સમજાવી એ તમારા અરજદારો જાણવાનો દાવો કરતા નથી. પણ તમારા અરજદારો એવી આશા રાખે છે કે ગિરમીટિયા હિંદીઓને પક્ષે અહીં રજૂ કરેલા મામલા તરફ નામદાર સમ્રાજ્ઞીની સરકાર તથા હિંદી સરકાર તરફથી પૂરું ધ્યાન અપાશે અને એકપક્ષી કમિશનની રજૂઆતને આપવામાં આવેલી કોઈ પણ સંમતિને ગિરમીટિયા હિંદીઓના મામલા તરફ પૂર્વગ્રહ ઊભો કરવા દેવામાં આવશે નહીં.
૧૯. ઝટ ધ્યાન જઈ શકે એટલા ખાતર તમારા અરજદારો, નેક નામદાર વાઈસરૉયના નેક નામદાર નાતાલના ગવર્નરને મોકલેલા ૧૮૯૪ની સાલના સપ્ટેમ્બરની ૧૭મી તારીખના ખરીતામાંથી નીચેના ઉતારા રજૂ કરે છે :
મેં પોતે તો હાલમાં ચાલુ છે એ પદ્ધતિ જ ચાલુ રહે એ પસંદ કર્યું હોત, જેની નીચે ગિરમીટની મુદત પૂરી થતાં કોઈ પણ વસાહતીને માટે સંસ્થાનમાં પોતાને હિસાબે અને જોખમે વસવાટ કરવાની છૂટ છે. અને મને એવા વિચારો જોડે નહીં જેવી જ સહાનુભૂતિ છે કે જે તાજ નીચેની કોઈ પણ પ્રજાને બ્રિટિશ ધ્વજ નીચેના કોઈ પણ સંસ્થાનમાં વસવાટ કરતાં અટકાવે છે. પણ નાતાલ સંસ્થાનમાં હિંદી રહેવાસીઓ પ્રત્યે હાલમાં જે ભાવના દર્શાવાઈ રહી છે તે ધ્યાનમાં લેતાં કમિશનના સભ્યોએ પોતાના ૧૮૯૪ની સાલના જાન્યુઆરીની ૨૦મી તારીખના પ્રાર્થનાપત્રમાં રજૂ કરેલી આગલા પૅરેગ્રાફમાં નિર્દેશેલી (क થી च) દરખાસ્તોને, નીચે આપેલી જોગવાઈઓને આધીન રહીને સ્વીકારવાને હું તૈયાર છું, તે એવી કે:
(क) જયારે કોઈ કુલી કે મજૂર પ્રથમ ભરતી થાય છે ત્યારે તેણે તેના કરારની શરતો મુજબ તેની ગિરમીટની મુદત દરમિયાન કે તે પૂરી થાય કે તરત જ હિંદુસ્તાન પાછા ફરવું પડશે, સિવાય કે તે એ જ, શરતોએ ફરીથી ગિરમીટનો બીજો કરાર કરવાનું પસંદ કરતો હોય.
(ख) જે મજૂરો પાછા જવાની ના પાડે તેમને કોઈ પણ સંજોગોમાં ફોજદારી કાનૂનની સજાઓને આધીન કરવામાં નહીં આવવા જોઈએ, અને
(ग) બધા જ નવા કરારો બે વર્ષની મુદતના રહેશે, અને તેના કરારની પહેલી મુદતને છેડે તથા પાછળની દરેક નવી મુદતને છેડે વસાહતીને પાછા ફરવાના ભાડાની મફત સગવડ કરી આપવી જોઈએ.
નામદાર સમ્રાજ્ઞીની સરકારની સંમતિથી હાલની પદ્ધતિમાં હું જે કાંઈ ફેરફારો મંજૂર રાખવાને તૈયાર છું તેનો ટૂંકો સાર નીચે મુજબ આપી શકાય.[૨]
૨૦. તમારા અરજદારો રાહતની લાગણી સાથે એ વાતની નોંધ લે છે કે સમ્રાજ્ઞીની સરકારે હજી સુધી કમિશનના સભ્યોનાં સૂચનોને મંજૂર કર્યા નથી.
૨૧. ફરજિયાત પાછા ફરવાનો અથવા ફરી કરાર કરવાનો વિચાર જયારથી પ્રથમ શરૂ થયો ત્યારથી તેને અપનાવવામાં તે કેટલો ભારે અન્યાયભર્યો હતો એ વાત હજી વધારે સ્પષ્ટ કરવાને તમારા અરજદારો, ૧૮૮પની સાલમાં નાતાલમાં બેઠેલા વસાહતી કમિશનના હેવાલમાંથી અને તેની આગળ લેવાયેલી જુબાનીમાંથી ઉતારા આપવાની પરવાનગી ઇચ્છે છે.
↑ ૧. જુઓ પા, ૧૩૩-૫; અને પા. ૧૬૩-૪.
↑ મૂળ લખાણ સાથે આ સાર આપેલ નથી.
૨૨. કમિશનના સભ્યોમાંના એક મિ. જે. આર. સૉન્ડર્સ પોતાના વધારાના હેવાલમાં
પોતાના વિચારો ભારપૂર્વક નીચેના શબ્દોમાં રજૂ કરે છે :
જોકે કમિશને એવો કાયદો પસાર કરવાની ભલામણ નથી કરી કે જે કાયદો હિંદીઓને પોતાની નોકરીની મુદત પૂરી થતાં ગિરમીટનો કરાર ફરી નહીં કરી આપ્યો હોય તો હિંદુસ્તાન પાછા ફરવાને ફરજ પાડે, તોપણ હું એવા કોઈ પણ વિચારને સખત રીતે વખોડી કાઢવા ઇચ્છું છું અને ખાતરીપૂર્વક મને એવું દેખાય છે કે જે અનેક લોકો આ યોજનાની તરફેણ કરી રહ્યા છે તેઓ એનો શો અર્થ થાય એ સમજશે ત્યારે મારા જેટલા જ જોરથી એને નામંજૂર કરશે, હિંદીઓના પ્રવેશને બંધ કરી દો અને તેનાં પરિણામોનો સામનો કરો, પણ જેને હું એક ભારે અન્યાય હોવાનું બતાવી આપી શકું એમ છું તે કરવાનો પ્રયાસ નહીં કરો.
આ વાત એ સિવાય બીજું શું છે કે (સારા તેમ જ ખરાબ બંને જાતના) નોકરો પાસેથી સારામાં સારો લાભ ઉઠાવવો, અને પછી તેમને તેમના કામનો બદલો માણવાની ના પાડવી ! જયારે એમના જીવનનો ઉત્તમ કાળ આપણા ફાયદા માટે ઉપયોગમાં લેવાઈ ગયો હોય ત્યારે તેમને બળજબરીથી (આપણાથી બની શકે તો, પણ આપણે તેમ કરી શકતા નથી) પાછા કાઢી મૂકવા, અને તે કયાં? ફરીથી તે ભૂખમરાની સંભાવનાનો સામનો કરવાને જેમાંથી તેમણે તેઓ જુવાન હતા ત્યારે છટકવાનો પ્રયાસ કર્યો હતો. શેકસપિયરના નાટકના શાઇલૉકની માફક આપણે જો શેર માંસ લેવા ચાહીશું તો તેની માફક જ તેને મળેલો બદલો ભોગવવા પણ આપણે તૈયાર રહેવું પડશે.
તમે ઇચ્છો તો હિંદીઓના પ્રવેશને રોકી દો; આજે જ ખાલી ઘરો પૂરતાં નહીં હોય તો આરબો અને હિંદીઓને કાઢીને વધારે ખાલી કરો; આ લોકો તેમાં રહે છે અને અર્ધાથી પણ ઓછા વસવાટવાળા દેશની ઉત્પાદનની અને વાપરવાની શક્તિમાં ઉમેરો કરે છે. પણ આપણે તપાસની આ એક બાબતનાં પરિણામોને, બીજી બાબતોના ઉદાહરણ તરીકે ગણીને જરા તપાસીએ. આપણે એ તપાસીએ કે કેવી રીતે ખાલી પડેલાં ઘરો મિલકત અને સરકારી લોનોના ભાવો ઘટાડી દે છે, આમાંથી કેવી રીતે બાંધકામના ધંધામાં અને એવા બીજા ધંધાઓ તથા તેના પર આધાર રાખતા પુરવઠા માટેની દુકાનોમાં મંદી લાવે છે. એ જુઓ કે કેવી રીતે આને પરિણામે ગોરા યાંત્રિકો માટેની માગણી ઘટવા પામે છે. અને આટલા બધા લોકોની ખર્ચ કરવાની શક્તિમાં મંદી આવવાથી પછી કેવી રીતે સરકારી આવકમાં તૂટ પડવાનો સંભવ ઊભો થાય છે અને તેમાંથી નોકરોની સંખ્યામાં કાપકૂપ કરવાની અથવા કર વધારો કરવાની અથવા બંનેની જરૂર ઊભી થાય છે. આ પરિણામનો અને વિગતે ગણતરી ન થઈ શકે એવાં બીજાં અસંખ્ય પરિણામોનો મુકાબલો કરો, અને જો આંધળા જાતિવિષયક લાગણીવેડા અગર જાતિદ્વેષનો જ વિજય થવાનો હોય તો તેમ થવા દો. સંસ્થાન હિંદીઓના પ્રવેશને રોકી શકે છે, અને તે કદાચ થોડા લોકપ્રિયતા પાછળ પડેલા લોકો ઇચ્છતા હોય તેનાથી પણ વધારે સહેલાઈથી અને કાયમી સ્વરૂપે રોકી શકે, પણ માણસોને તેમની નોકરીના છેવટના ભાગમાં બળજબરીથી ધકેલી કાઢવાનું કામ સંસ્થાન કરી નહીં શકે. અને હું એને એવો પ્રયાસ કરીને એક સારા નામને બટ્ટો નહીં લગાડવાનો આગ્રહ કરું છું.
૨૩. પહેલાંની લેજિસ્લેટિવ કાઉન્સિલના માજી સભ્ય અને હાલના ઍટર્ની જનરલે (માનનીય મિ. એસ્કોમ્બ), કમિશન આગળ પોતાની જુબાની આપતાં કહ્યું (પા. ૧૭૭) :
મુદત પૂરી થઈ હોય એવા હિંદીઓ બાબતમાં, હું નથી માનતો કે કોઈ પણ માણસને માટે દુનિયાના કોઈ પણ ભાગમાં જવાનું ફરજિયાત હોવું જોઈએ, સિવાય કે તેણે દેશનિકાલની સજા થાય એવો કોઈ ગુનો કર્યો હોય; આ પ્રશ્ન વિષે હું ઘણું ઘણું સાંભળું છું, વારંવાર મને આનાથી જુદો અભિપ્રાય બાંધવા માટે કહેવામાં આવ્યું છે, પણ હું તે કરી શકયો નથી.એક માણસને सिद्धांतनी रीते जोतां पोतानी संमतिथी, व्यवहारमां घणी वार पोतानी विना (નાગરી તમારા અરજદારોનું છે) અહીં લાવવામાં આવે છે. તે પોતાના જીવનનાં પાંચ ઉત્તમ વર્ષ આપે છે, તે નવા સંબંધો કેળવે છે અને જૂનાને ભૂલી જાય છે, કદાચ અહીં પોતાનું ઘર પણ માંડે છે. એટલે ખરાખોટાની મારી સમજ મુજબ તેને પાછો મોકલી દઈ શકાય નહીં. તેમની પાસેથી શકય એટલું કામ કઢાવી લઈ તેમને કાઢી મૂકવાનો હુકમ કાઢવા કરતાં એ બહેતર છે કે વધારે હિંદીઓને દાખલ કરવાનું બિલકુલ અટકાવી દેવામાં આવે. એવું દેખાય છે કે સંસ્થાનને અથવા સંસ્થાનના એક વિભાગને હિંદીઓની જરૂર છે. પરંતુ સાથે સાથે તે હિંદીઓનાં દાખલ થવાનાં પરિણામો ટાળવા ઇચ્છે છે. હું જાણું છું ત્યાં સુધી હિંદી લોકો કશું નુકસાન કરતા નથી. કેટલીક બાબતોમાં તેઓ ભારે ફાયદો કરતા હોય છે. જે માણસે પાંચ વર્ષ સુધી સારું વર્તન રાખ્યું હોય તેને દેશની બહાર કાઢવાની વાતને યોગ્ય ઠરાવવા માટેનું એક પણ કારણ મારા સાંભળવામાં કદી આવ્યું નથી. હું નથી માનતો કે કોઈ હિંદીને, તેની પાંચ વર્ષની નોકરી પૂરી થતાં પોલીસની દેખરેખ નીચે મૂકવો જોઈએ, સિવાય કે તે ગુનાહિત કામો કરનારો હોય. યુરોપિયનો કરતાં આરબોને શા માટે વિશેષરૂપે પોલીસની દેખરેખ નીચે મૂકવા જોઈએ એ હું નથી જાણતો. કેટલાક આરબોના દાખલાઓમાં તો આ વસ્તુ તદ્દન હાસ્યાસ્પદ છે. તેઓ ભારે માલમિલકત ધરાવે છે, તેઓ ભારે લાગવગ ધરાવે છે અને જો તેમની સાથે બીજાઓ કરતાં વધારે નફાથી વેપાર થઈ શકે તો તેમનો હમેશાં વેપારમાં ઉપયોગ થાય છે.
૨૪. તમારા અરજદારો એક બાજુથી ઉપરની વાતો તરફ તમારું ધ્યાન ખેંચવાની સાથે સાથે પોતાની એ રીતની દિલગીરી દર્શાવ્યા સિવાય રહી શકતા નથી કે જે ગૃહસ્થ દશ વર્ષ પહેલાં ઉપરના વિચારો દર્શાવ્યા હતા, તે જ આજે પ્રસ્તુત બિલને રજૂ કરનાર ધારાસભ્ય છે.
૨૫. મિ. એચ. બિન્સ કે જેઓ મિ. મેસન સાથે એક સભ્ય તરીકે હિંદી મજૂરોની ફરજિયાત રવાનગી અથવા ફરી કરાર કરી આપવાની વાતને મંજૂર કરવા હિંદી સરકારને સમજાવવા ગયા હતા તેમણે કમિશન આગળ પોતાની જુબાની આપતાં નીચેનો અભિપ્રાય દર્શાવ્યો હતો :
હું માનું છું કે, એવો જે એક વિચાર રજૂ થયો છે કે પોતાની ગિરમીટની મુદત પૂરી થતાં બધા જ હિંદીઓને હિંદ પાછા ફરવાની ફરજ પાડવી જોઈએ, તે હિંદી વસ્તી માટે ભારે અન્યાયભર્યો છે, અને તેને હિંદી સરકારની મંજૂરી કદી મળશે નહીં. મારા અભિપ્રાય પ્રમાણે સ્વતંત્ર હિંદી વસ્તી, કોમ કે સમાજનો સૌથી ઉપયોગી વર્ગ છે. આ હિંદીઓનો એક મોટો સમૂહ, સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેના કરતાં ખૂબ જ
મોટો સમૂહ, સંસ્થાનમાં નોકરીઓ કરે છે. ખાસ કરીને તે ગામડાંઓમાં અને શહેરોમાં ઘરોના નોકરો તરીકે રોકાયેલો છે. સ્વતંત્ર હિંદીઓની વસ્તી હસ્તીમાં આવી તે પહેલાં પિટર મૅરિત્સબર્ગ અને ડરબન શહેરોમાં ફળ, શાકભાજી અને મચ્છી બજારમાં આવતી નહોતી. હાલમાં આ બધી ચીજો જોઈએ એટલી મળે છે. યુરોપથી આવનારા વસાહતીઓમાં જેમણે શાકભાજી ઉગાડનારા કે મચ્છીમારો બનવાની થોડી પણ વૃત્તિ બતાવી હોય એવા કોઈ માણસો આપણેને કદી મળ્યા નથી. અને મારો એવો અભિપ્રાય છે કે સ્વતંત્ર હિંદી વસ્તીની હસ્તિ જ નહીં હોત તો પિટરમૅરિત્સબર્ગ અને ડરબનના બજારો દસ વર્ષ પહેલાં હતાં તેવાં જ આજે પણ પુરવાની તંગી વાળાં જ રહ્યાં હોત. ( પા. ૧૪૪-૧૫૬)
૨૬. હાલના વડા ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ઍટર્ની જનરલે નીચેનો અભિપ્રાય દર્શાવ્યો:
હિંદીઓને જે કાનૂનો નીચે સંસ્થાનમાં દાખલ કરવામાં આવે છે તેની શરતોના કોઈ પણ ફેરફારો સામે હું વાંધો લઉં છું. મારા અભિપ્રાય મુજબ, જેમને દાખલ કરવામાં આવ્યા છે એવા સંખ્યાબંધ હિંદીઓએ સમુદ્ર કિનારાના પ્રદેશોમાં મોટે અંશે ગોરા વસાહતીઓની નિષ્ફળતાની ખોટ પૂરી કાઢી છે. તેમણે બીજી રીતેવણખેડાયેલી રહે એવી જમીનને ખેતીના ઉપયોગમાં આણી છે. અને તેમાં સંસ્થાનવાસીઓને ખરેખરો ફાયદો થાય એવા પાકો પકવ્યા છે, જે અનેક લોકોએ હિંદ પાછા ફરવાના ભાડાનો લાભ નથી ઉઠાવ્યો તેઓ વિશ્વાસપાત્ર અને ઉપયોગી ઘરકામ કરનારા નોકરો સાબિત થયા છે. (પા. ૩૨૭)
૨૭. આ જ વિસ્તૃત હેવાલમાંથી અને જુબાનીમાંથી હજી પણ અનેક ઉતારા આપીને એ બતાવી શકાય કે આ વ્યવસ્થા વિષે સંસ્થાનમાંના સૌથી નામાંકિત માણસો કેવા વિચારો ધરાવતા હતા.
૨૮. અરજદારો વધારામાં મેસર્સ બિન્સ અને મેસનના હેવાલમાંથી નીચેની વાત તરફ તમારું ધ્યાન ખેંચવા ઈચ્છે છે:
હજી સુધી, હિંદી સરકાર પાસે વારંવાર પરવાનગી માગવા છતાં જે કોઈ દેશમાં મજૂરો ગયા હોય તેમની બાબતમાં ગિરમીટની બીજે મુદ્દતને માટે સંમતિઓ આપવામાં આવી નથી. ગિરમીટની મુદ્દત પૂરી થયે ફરજિયાત પાછા ફરવાની શરત કોઈ પણ દાખલામાં મંજૂર રાખવામાં આવી નથી.
૨૯. આ કાનૂનના બચાવમાં સંસ્થાનમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં બંને પક્ષો સ્વેચ્છાથી અમુક ચીજ કરવાને સંમત થાય ત્યાં અન્યાય થઈ જ શકતો નથી, અને નાતાલ આવતાં પહેલાં હિંદીઓને તેઓ કઈ શરતે નાતાલ જઈ રહ્યા છે તેની ખબર પડ્યા વિના રહેશે નહીં. આ મુદ્દો નામદાર લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી અને લેજિસ્લેટિવ કાઉન્સિલને કરવામાંઅ આવેલીઅરજીઓમાં છણવામાં આવ્યો છે અને તમારા રજદારો એ વાત ફરીથી કહેવાની ધૃષ્ટતા કરે છે કે જ્યારે કરારમા ઊતરનારા પક્ષો સમાન કક્ષાએ નથી હોતા ત્યારે આ દલીલ બિલકુલ લાગુ પડતી નથી. જ્યારે એક હિંદી, મિ. સૉન્ડર્સના શબ્દોમાં "ભૂખમરામાંથી બચવાને" માટે ગિરમીટનો કરાર કરવા માગે છે ત્યારે તે ભાગ્યેજ સ્વતંત્ર વ્યકતિ કહેવાય.
૩૦. હમણાં છેક ૧૮૯૪માં ઉપર દર્શાવેલા સંરક્ષકના હેવાલમાં હિંદીઓ કેટલા અનિવાર્ય છે તેના પુરાવા વિષે કહેવામાં આવ્યું છે. પા. ૧૫ ઉપર તે કહે છે:
જો આ સંસ્થાનમાંથી સમયના ટૂંકા ગાળા માટે પણ હિંદીઓની આખી વસ્તીને ખેંચી લેવાનું શકય હોય તો મને ખાતરી છે કે માત્ર બહુ થોડા અપવાદો બાદ કરતાં હાલમાં મેાજૂદ છે એવો દરેક ઉદ્યોગ માત્ર વિશ્વાસુ મજૂરોના અભાવે ભાંગી પડશે. સ્થાનિક રહેતા દેશી લોકો નિયમ તરીકે કામ કરવાના નથી એ હકીકત તરફ દુર્લક્ષ કરી શકાય એમ નથી. એટલે આખા સંસ્થાનમાં બધે એ વાત સ્વીકારાયેલી છે કે એક મજૂર તરીકે હિંદી સિવાય ખેતીવાડીનો કે બીજી રીતનો, કાંઈ પણ મહત્ત્વ ધરાવતો ઉદ્યોગ સફળતાથી ચલાવવાનું સંભવિત નથી, એટલું જ નહીં પણ નાતાલનો લગભગ દરેક ગૃહસ્થ ઘરકામ કરનારા નોકરો વિનાનો થઈ પડશે.
૩૧. જેને નિષ્ણાતોનો કહી શકાય એવા શરૂથી તે આજ સુધીના અભિપ્રાયનો લગભગ આખો પ્રવાહ હિંદીઓની ઉપયોગિતા બતાવી આપતો હોય તો તમારા અરજદારો રજૂ કરે છે કે એટલું કહેવાનું વધારે પડતું નથી કે આવી પ્રજાને કાયમી બંધનમાં રાખવી અથવા તેને તે ભરી શકે કે ન ભરી શકે તોપણ વાર્ષિક ૩ પાઉન્ડનો કર ભરવાની ફરજ પાડવી એ વાત ઓછામાં ઓછું કહીએ તો પણ તદ્દન પક્ષપાતભરી અને સ્વાર્થી છે.
૩૨. તમારા અરજદારો તમારું ધ્યાન માનપૂર્વક એ હકીકત તરફ દોરવા માગે છે કે જો આ બિલે કાનૂનનું સ્વરૂપ લઈ લીધું તો વિદેશમાં વસાહત કરવાના ખુદ હેતુઓ બધા સ્વરૂપમાં માર્યા જશે. આ વસાહત કરવાનો હેતુ જો હિંદીઓને છેવટે તેમની આર્થિક સ્થિતિ સુધારવાને શક્તિમાન બનાવવાનો હોય તો તેમને કાયમી ગિરમીટ નીચે રહેવાની ફરજ પાડીને એ હેતુ ફળીભૂત નહીં થઈ શકે જે એ હેતુ હિંદુસ્તાનની ગીચ વસ્તીવાળા ભાગોમાં રાહત ઊભી કરવાનો હોય તો એ હેતુ પણ નિષ્ફળ જ જશે. કારણ કે બિલનો હેતુ સંસ્થાનમાંના હિંદીઓની સંખ્યાને વધારવા દેવાનો નથી, ઇચ્છા તો એવી છે કે જે લોકો ગિરમીટની ઝૂંસરી લાંબો સમય સહન કરી શકે એમ નથી તેમને નવી ભરતી કરીને બદલી નાખવા અને બળજબરીથી હિંદ પાછા મોકલી દેવા. તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે આમ પહેલી સ્થિતિ કરતાં પાછલી સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. કારણ કે નિકાસના બારા તરીકે નાતાલને સંબંધ છે ત્યાં સુધી એક બાજુથી ગીચ વસ્તીવાળા જિલ્લાઓમાંની હિંદીઓની સંખ્યા જેની તે રહેશે છતાં જેઓ પોતાની ઇચ્છા વિરુદ્ધ પાછા જશે તેઓ ચિંતા અને તકલીફનું કારણ બન્યા સિવાય રહેશે નહીં. એનું કારણ એવું છે કે તેઓ કામ મેળવવાની કોઈ આશા વિનાના અથવા ભરણપોષણ માટે કોઈ મૂડી વિનાના હોવાથી તેમનો ગુજારો સરકારી ખર્ચે કરવો પડે એવું બનવાજોગ છે. આ વાંધાના જવાબમાં એમ કહી શકાય કે અહીં એવી પરિસ્થિતિ કલ્પી લેવાઈ છે કે જે કદી ઊભી જ થાય એમ નથી; કહેવાની મતલબ એ કે હિંદીઓ ખુશીથી વાર્ષિક કર ભરી દેશે. પરંતુ અમારા અરજદારો એટલું દર્શાવવાની રજા ચાહે છે કે જો આવી દલીલ આગળ કરવામાં આવે તો એનાથી હકીકતમાં એવું સાબિત થશે કે ફરી કરાર કરવાની અને વાર્ષિક કર ભરવાની કલમો ધારેલી અસર પેદા નથી કરતી તેટલે અંશે બિલકુલ નકામી છે. ઉદ્દેશ કાંઈ પણ આવક વધારવાનો છે એવી તો કદી દલીલ કરવામાં આવી નથી.
૩૩. એટલા ખાતર તમારા અરજદારો જણાવે છે કે, જો સંસ્થાન હિંદીઓ સાથે મેળ બેસાડી શકે એમ ન હોય, તો તમારા અરજદારોના નમ્ર અભિપ્રાય પ્રમાણે એકમાત્ર રસ્તો ભવિષ્યમાં નાતાલમાં બધા જ વસાહતીઓનો પ્રવેશ કાંઈ નહીં તો હાલ તુરત માટે બંધ કરવાનો છે. તમારા અરજદારો એવી વ્યવસ્થા સામે માનપૂર્વક છતાં ભારપૂર્વક વાંધો ઉઠાવે છે જે માત્ર એક જ પક્ષને બધો જ લાભ આપતી હોય અને તે પણ જેને એની તદ્દન નહીં જેવી જરૂર છે તેને. તમારા અરજદારોનું કહેવું એવું છે કે વસાહતીઓનો આ રીતે પ્રવેશ અટકાવવાની વાતની હિંદના ગીચ વસ્તીવાળા ભાગો ઉપર ખાસ અસર થશે નહીં.
૩૪. અત્યાર સુધી તમારા અરજદારોએ ગિરમીટના કરારની અને પરવાના અંગેની કલમો એકસાથે ચર્ચી છે પરવાના બાબતમાં, તમારા અરજદારો તમારું ધ્યાન એ હકીકત તરફ ખેંચવાની વિનંતી કરે છે કે જે એક વિદેશી રાજય છે એવા ટ્રાન્સવાલમાં પણ જે હિંદીઓ પોતાની ઇચ્છાથી અને પોતાને ખર્ચે ત્યાં જાય છે તેમના ઉપર સરકારે વાર્ષિક કર નાખવાની હિંમત કરી નથી. એક જ વખત ૩ પાઉન્ડ ૧૦ શિલિંગનો માત્ર એક પરવાનો કઢાવવાનો હોય છે. અને તમારા અરજદારોને માહિતી છે કે બીજી બાબતો ભેગી આ બાબત પણ સમ્રાજ્ઞીની સરકારને મોકલેલા પ્રાર્થનાપત્રનો[૧]વિષય બનેલી છે, એ ઉપરાંત, આ દાખલામાં પરવાનો એ બહુ જ અનિષ્ટ સ્વરૂપનો વાર્ષિક કર છે. એના કમનસીબ શિકારે પોતાની પાસે કશું પણ સાધન હોય ન હોય છતાં કર ભરી દેવાનો છે. ચર્ચા દરમિયાન એક સભ્ય એવો પ્રશ્ન કર્યો કે જો કોઈ હિંદી એ કર સામે વાંધો લે અથવા એ ન ભરે તો તે વસૂલ કઈ રીતે કરવામાં આવશે? ત્યારે ઍટર્ની જનરલે જવાબ આપ્યો કે સરકારી રાહે જપ્તીથી વસૂલ કરવા માટે આવો ગુનો કરનાર હિંદીના ઘરમાં હમેશાં પૂરતી જાયદાદ મળી આવશે.
છેવટે તમારા અરજદારો જણાવે છે કે લાઇસન્સની કલમના સમાવેશથી ઉપર દર્શાવેલા વાઈસરૉયના ખરીતામાં ઠરાવવામાં આવેલી મર્યાદાનું ઉલ્લંઘન થાય છે.
અંતમાં, તમારા અરજદારો ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે સમ્રાજ્ઞીની સરકાર એવા નિર્ણય ઉપર આવશે કે અહીં ચર્ચેલી કલમો ખુલ્લી રીતે અન્યાયપૂર્ણ છે અને તેથી ઉપર જેનો ઉલ્લેખ થયો છે તે ઈન્ડિયન ઇમિગ્રેશન એમેન્ડમેન્ટ બિલને નામંજૂર કરવાની મહેરબાની કરશે, અથવા જેનાથી ન્યાયનો હેતુ બર આવે એવી બીજી રાહતો અપાવશે.
અને આ ન્યાય અને દયાના કાર્ય માટે તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.
↑ ૧. દેખીતી રીતે જ આનો ખરડો ગાંધીજીએ ઘડયો નહોતો. મૂળ પાઠ લક્ષય નથી.
"https://gu.wikisource.org/w/index.php?title=ગાંધીજીનો_અક્ષર_દેહ_-_૧/મિ._ચેમ્બરલેનને_અરજી-૧&oldid=43201" થી મેળવેલ | guj_Gujr |
ધોનીનો 7 અને કોહલીનો 18, તો કેમ વીરેન્દ્ર સહેવાગની જર્સીમાં કોઈ નંબર નહોતો- ચોંકાવનારૂ છે કારણ - Sports
Home Sports ધોનીનો 7 અને કોહલીનો 18, તો કેમ વીરેન્દ્ર સહેવાગની જર્સીમાં કોઈ નંબર...
ધોનીનો 7 અને કોહલીનો 18, તો કેમ વીરેન્દ્ર સહેવાગની જર્સીમાં કોઈ નંબર નહોતો- ચોંકાવનારૂ છે કારણ
Published on: 6:24 pm, Fri, 30 October 20
ટીમ ઇન્ડિયાના પૂર્વ આક્રમક ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ એક અલગ જ સ્વ સ્વભાવનો ઓપનીંગ બેટ્સમેન હતો. તેની રમવાની સ્ટાઇલ પણ જુદી જ હતી. તે આક્રમક બેટિંગ કરતા સમયે પોતાની ટીમ પર દબાણ ન આવવા દેવા માટે કિશોર કુમારના ગીત ગાતો હતો. બેટિંગ સાથે તેની બીજી એક વસ્તુ પણ ચર્ચામાં રહેતી હતી. અને તે છે કે તેની જર્સીનો નંબર.
સચિન તેંદુલકર હોય કે મહેન્દ્રસિંહ ધોની કે બીજા કોઈ ખેલાડી તેમની જર્સી પર હંમેશા એક ખાસ નંબર જોવા મળતો હોય છે. જોકે સેહવાગ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં અલગ-અલગ નંબરની જર્સી સાથે બેટિંગ કરવા માટે ઊતરતો હતો અને પછી એકવાર નંબર વગરની જર્સી સાથે જ બેટિંગ કરવા માટે આવતો હતો.
સેહવાગ નંબર વગરની જર્સી પહેરીને શા માટે રમતો હતો? તે વાતનો ખુલાસો સહેવાગે પોતે જ કર્યો છે. સેહવાગના મત અનુસાર તેની જર્સી સાસુ-વહુની લડાઇમાં ફસાઇ ગઈ હતી. સેહવાગે પોતાના ખાસ શો 'વીરુની બેઠક'માં કહ્યું હતું કે જર્સીના નંબરને લઈને તેની માતા અને તેની પત્નીની અલગ-અલગ નંબર પસંદ હતો.
તેથી બંનેને ખુશ કરવા માટે તેણે નંબર વગરની જ જર્સી પહેરવાનો નિર્ણય કર્યો હતો. સેહવાગે કહ્યું હતું કે, જ્યારે પ્રથમ વખત તે રમ્યો ત્યારે વનડે ક્રિકેટમાં મને 44 નંબર મળ્યો હતો. મારી મમ્મી જ્યારે જ્યોતિષી પાસે જતા હતા, તો તેઓં કહેતા હતા કે, આ 44 નંબર સેહવાગ માટે ઠીક નથી.
જ્યારે મારા લગ્ન થયા તો મારી પત્ની કહેતી હતી કે, આ નંબર સારો નથી લાગતો. મમ્મીએ કહ્યું કે 46 નંબરની જર્સી પહેરી લે, તો પત્ની કહેતી કે 2 નંબરની જર્સી પહેરો. સાસુ-વહુની લડાઇમાં મેં નંબર જ કાઢી નાખ્યો હતો. કારણ કે ઘર ખુશ તો હું ખુશ.
2011ના વર્લ્ડ કપમાં સેહવાગની જર્સીને લઈને ઘણો વિવાદ થયો હતો. સેહવાગ બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં નંબર વગરની જર્સી પહેરી બેટિંગ કરવા ઉતર્યો હતો. આ પછી આઈસીસીએ તેને ચેતાવણી આપી દીધી હતી. જોકે પછી બીસીસીઆઈએ દખલઅંદાજી કરીને મામલો શાંત પાડ્યો હતો.
સેહવાગે તે મેચમાં 175 રનની ઇનિંગ્સ રમી હતી.2008 માં પ્રથમ વખત સેહવાગ નંબર વગરની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો હતો. તે સમયે જ્યારે તેને પુછવામાં આવ્યું હતું કે, કેમ નંબર વગરની જર્સી પહેરી રમવાનો નિર્ણય કર્યો? તો સેહવાગે સહેજે કહ્યું કે, જો ટેસ્ટમાં તો નંબર વગરની જર્સી સાથે રમીએ છીએ, તો પછી વન-ડેમાં શા માટે રમી ન શકાય.
તે સમયે સેહવાગે એ પણ કહ્યું હતું કે, તેના પરિવારને ઘણા લોકો પાસેથી નંબર બદલવાની સલાહ મળતી હતી. આથી કંટાળીને નંબર વગરની જર્સી પહેરવાનો નિર્ણય કરી લીધો હતો. | guj_Gujr |
સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષાો સકિ્રય બન્યા છે. ત્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ઝંપલાવવા જઈ રહયું છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દવારા વિવિધ સેવાલક્ષાી કાર્યક્રમો થકી લોકો વચ્ચે આવીને પોતાનો પ્રચાર પ્રસાર કરી રહયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પક્ષનું ચિન્હ ઝાડું હોવાથી તેઓ સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપે છે.
પૂજય બાપુજીની ૧પ૧ મી જન્મ જયંતી નિમીતે આમ આદમી પાટર્ીના કાર્યકરો દવારા પાટણ શહેરને સ્વચ્છ કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. તેને અનુલક્ષાીને આજરોજ આમ આદમીના કાર્યકરો દવારા પાલિકાની ઉદાસીનતા અને અણઆવડતને લઈ પૂજય બાપુના નામ સાથે સંકળાયેલા એવા ગાંધીબાગમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય છવાયેલું છે.
જેને લઈને આપ ના કાર્યકરો દવારા ગાંધીબાગની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. અને જયાં સુધી ગાંધીબાગ સ્વચ્છ નહીં થાય ત્યા સુધી તેની સફાઈ કરવામાં આવવાનું નિરવ શુકલાએ જણાવી, બાપુની જન્મ જયંતીએ કરેલા શપથ ને સાર્થક કરવા ગાંધી બાગથી સ્વચ્છતાની આપ પાટર્ી દવારા શરુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. | guj_Gujr |
બ્રાઝીલે ઓસ્ટ્રિયા 3-0થી આપી માત, નેમારે કર્યો 55મો ગોલ – News18 Gujarati
બ્રાઝીલે ઓસ્ટ્રિયા 3-0થી આપી માત, નેમારે કર્યો 55મો ગોલ
Last Updated : June 13, 2018, 20:43 IST
લગ્ને લગ્ને કુંવારો! 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ પણ ન ભરાયું આ ભાઇનું મન
Tattooએ માતાનું બદલી નાખ્યું જીવન, શાહીથી રંગ્યા બાદ આત્મવિશ્વાસ આવ્યો પાછો
શું છે બીચ પર ફેલાયેલી કાળી રેતીનું સત્ય? લોકોનો ત્યા જવામાં કેમ લાગે છે ડર!
Viral Video: Brazilian lakeમાં બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક ભેખડ ધસી પડી, 7ના મોત
નેમારેના શાનદાર ગોલથી બ્રાઝીલે વિશ્વકપ પહેલા અને પોતાની અંતિમ ફ્રેન્ડશિપ મેચમાં ઓસ્ટ્રિયાને 3-0થી માત આપી. નેમારે આ સાથે જ ત્રણ મહિના પહેલા કરાયેલ પગના ઓપરેશન પછી પૂર્ણ ફિટનેસ મેળવ્યાની પુષ્ટી પણ કરી લીધી. સ્ટાર નેમારે મેચમાં 63મી મીનિટે ગોલ ફટકારીને ટીમને જીત અપાવી.
બ્રાઝીલ તરફથી નેમારનો 55મો ગોલ
બ્રાઝીલ તરફથી નેમારનો આ 55મો ગોલ છે. આની સાથે જ તેમને દેશ તરફથી સૌથી વધારે ગોલ ફટકરાવાની લિસ્ટમાં રોમારયોની બરાબરી કરી લીધી છે. બ્રાઝીલ તરફથી તેનાથી વધારે ગોલ હવે માત્ર પેલે (77) અને રોનાલ્ડો (62) ફટકાર્યા છે.
બ્રાઝીલ તરફથી અન્ય બે ગોલ ગેબ્રિએલ જીજસ (36મી મીનિટે) અને ફિલિપ કોટિન્હો (69 મીનિટ) ફટકાર્યા હતા. ટિટેની ટીમની વિશ્વકપની પૂર્વ તૈયારી ખુબ જ સારી રહી અને હવે ટીમ રશિયાના સોચ્ચી શહેરમાં પોતાને બેસ માટે રવાના થશે. બ્રાઝીલની ટીમનો આજે એટલે કે, 11 જૂને રશિયા પહોંચવાનો કાર્યક્રમ છે, ત્યાર બાદ ટીમ આવતા રવિવારે સ્વિટ્ઝલેન્ડ વિરૂદ્ધ ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચ રમશે. | guj_Gujr |
ઠેર ઠેર માર્ગો પર પથરાયેલા રહેતા રો-મટીરીયલથી આવાગમનમાં પરેશાની | Trouble in transportation due to live raw material scattered on the roads - Divya Bhaskar
Trouble In Transportation Due To Live Raw Material Scattered On The Roads
રોજિંદી સમસ્યા:ઠેર ઠેર માર્ગો પર પથરાયેલા રહેતા રો-મટીરીયલથી આવાગમનમાં પરેશાની
9-એજી, ભારતનગર સહિત શહેરભરમાં જોવા મળતી પરિસ્થિતિ
ઉપયોગ બાદ પણ વધેલો સામાન જેમનો તેમ રાખી દેવાતા હોવાની રાવ
બાંધકામ સમયે ઉપયોગમાં લેવાતા રો મટીરીયલને રાખવા અને તેના ઉપયોગ બાદ તેનો નિકાલ કરવા માટે અન્યો માટે સમસ્યા પેદા ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા તંત્ર દ્વારા નિર્દેશીત છે. પરંતુ તે તમામના પાલનની દિશામાં કદી કોઇ પ્રેરણા કે કાર્યવાહી ગાંધીધામમાં કરાઈ હોય તેવું પ્રતિત થતું નથી. પરીણામ સ્વરુપ શહેરભરમાં અવાર નવાર માર્ગો પર આવી પરિસ્થિતિ જોવા મળે છે.
રોડ પર રેતી પડેલી રહેતી હોવાથી દ્રી ચક્રી વાહનોના સ્લીપ થઈ જવાના બનાવો પણ બને છે, તો કામ પત્યા બાદ વધેલા રો મટીરીયલના નિકાલ કરવાની તસ્દી પણ મહતમ કિસ્સાઓમાં લેવાતી નથી ત્યારે આ અંગે નીતી નિયમો શું છે તે અંગે લોકો સુધી માહિતી પહોંચાડાય અને તેના પાલન માટે જરૂરી પગલા પણ લેવાય તે જરૂરી બન્યું છે.
સપનાનગર જતા માર્ગે વાહનો માટે જોખમી રીતે પથ્થરનો મલબો નખાયો
ઈફ્કોથી ડીપીએ એક્ઝીબીશન ગ્રાઉન્ડ વચ્ચે સપનાનગર જતા સીંગલ પટ્ટી રોડ પર પથ્થરનો મલબો એ રીતે નાખી દેવામાં આવ્યો હતો, કે તેના પથ્થરો રોડ પર પડેલા હતા. આ માર્ગ નાનો છે અને ભારે ટ્રાફિક રહે છે, ઉપરાંત અહિ સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ સીમીત છે ત્યારે આ મોટા અકસ્માતનું કારણ બની શકે તેમ હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું. મલબાને જ્યાં કે ત્યાં ફેંકી દેવાની વૃતિ ગાંધીધામ માટે વર્ષોથી મોટી સમસ્યા બની રહી છે. | guj_Gujr |
આ ઘણાં સાવચેતી છે જે કિમ ડોટકોમ નવા મેગાપોડલ માટે લેશે ગેજેટ સમાચાર
આ ઘણાં સાવચેતીઓ છે જે કિમ ડોટકોમ નવા મેગાપોડલ માટે લેશે
થોડા સમય માટે આપણે આપણા પોતાનાથી જાણીએ છીએ કિમ ડોટકોમ કે ત્યાં વિકાસકર્તાઓની એક ટીમ છે જે એક નવું બનાવી રહી છે મેગાપોડલોડ જેનો આપણે બધા જાણતા હતા તેની સરખામણીમાં સુધારેલા કાર્યો સાથે સાર્વત્રિક અને તેનાથી વધુ સરળ, અને 2012 માં એફબીઆઈના હુકમથી બંધ થઈ ગયું.
સમય અને મહિના પસાર થવા સાથે, આ નવા પ્લેટફોર્મ વિશેની શ્રેણીની વિગતો બહાર આવી છે મેઘ સંગ્રહ જો કે તે હમણાંથી થયું છે કે લાક્ષણિકતાઓની શ્રેણી પ્રકાશિત થઈ છે જે તેને બનાવે છે સાવચેતી રાખવામાં આવી રહી છે જેથી ભૂતકાળની જેમ જ ન થાય અને પ્લેટફોર્મ બંધ કરવું પડે.
ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા ફાઇનાન્સિંગના એક ફાયદાકારક રાઉન્ડ પછી ભવિષ્ય માટે બેંક, જ્યાં કરતાં કંઇ ઓછું નથી એક મિલિયન ડોલર 354 XNUMX અનામી રોકાણકારોને આભાર, કિમ ડોટકોમ દ્વારા સ્થાપિત કંપની કે જે મેગાપોડલનું નવું સંસ્કરણ વિકસિત કરી રહી છે, એ જાહેરાત કરી કે તેની સુધારણાની યોજનાઓ હતી, મોટાભાગના સ્ટોરેજને આઉટસોર્સ કરો તૃતીય-પક્ષ પ્રદાતાઓ પર.
આને ધ્યાનમાં રાખીને આપણે તે સમજવું પડશે, મેગાપોડોડના આ નવા સંસ્કરણમાં પ્લેટફોર્મ સીધા જ તેના ફાઇલોને તેના સર્વરો પર સ્ટોર કરશે નહીં, પરંતુ અન્ય પ્રકારની સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે, જેમ કે સ્ટ્રોજ o મેડિસાફે સ્ટોરેજ માટે અને તેઓ હાઇ સ્પીડ સર્વર્સ પરની લોકપ્રિય ફાઇલો માટે કેશીંગ પ્રદાતા તરીકે કાર્ય કરશે રેમ માંથી ફાઇલો સેવા આપે છે.
કિમ ડોટકોમે તેના મોટાભાગના સર્વર્સને આઉટસોર્સ પર મેગાપોડોલ્ડની ઘોષણા કરી છે
આ ઉપરાંત પગલાં પણ લેવામાં આવશે ફાઇલોને આપમેળે કા deleteી નાખો, એટલે કે, જ્યારે કથિત ક copyrightપિરાઇટ ધારકો પાસેથી વિનંતી પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રશ્નમાંની ફાઇલ આપમેળે કા beી નાખવામાં આવશે નહીં કારણ કે તે હજી સુધી કરવામાં આવી હતી, પરંતુ એક એવી ટીમ હશે જેણે વિનંતીનો જવાબ આપવો પડશે અને આ વિનંતીને આકારણી કરવી કે નહીં અમુક સામગ્રીને દૂર કરવા સાચું અથવા કપટી છે.
છેવટે હું આગમનનો ઉલ્લેખ કર્યા વિના ગુડબાય નહીં કહી શકું બિટકે સુરક્ષામાં વધારો કરવા અને વ્યવહારો અનામિક છે તેની ખાતરી કરવા સિસ્ટમોમાં. આ ઉપરાંત, કંપની પોતે તેના પોતાના એન્ક્રિપ્શનનો પોતાનો વધારાનો સ્તર ઉમેરશે 'ડાઉનલોડ દીઠ ચૂકવણી«. નિouશંકપણે, આપણામાંના ઘણા એવા વપરાશકર્તાઓ છે જે મેગાપોડેલ 2.0 ના નામથી વિકસિત થાય છે તે પ્રથમ હાથનું પરીક્ષણ કરવા માંગે છે, તેમ છતાં, આપણા બધાની જેમ, આપણે પણ 20 મી જાન્યુઆરી સુધી સિદ્ધાંતમાં રાહ જોવી પડશે, જોકે, પોતાની ટિપ્પણીઓ તરીકે ડોટકોમ, આ તારીખ મુલતવી રાખવામાં આવી શકે છે:
તે અસંભવિત છે કે અમે 20 જાન્યુઆરીએ શરૂ કરીશું. ભંડોળ .ભું કરવામાં વિલંબ થયો હતો અને કાયદાકીય ટીમને નવા સેટઅપ માટે વધુ સમયની જરૂર છે. પરંતુ અમે તે જ દિવસે મેગાપોડ 2 અને બિટકે વિશે વધુ વિગતો જાહેર કરીશું.
લેખનો સંપૂર્ણ માર્ગ: ગેજેટ સમાચાર » જનરલ » સોફ્ટવેર » આ ઘણાં સાવચેતીઓ છે જે કિમ ડોટકોમ નવા મેગાપોડલ માટે લેશે | guj_Gujr |
પાર્ટી પ્લોટના માલિકનાં શંકાસ્પદ મોત પહેલાં તેમનાં પત્નીએ આત્મહત્યાની કોશિશ કરી હતી | party plot honor death wife suicide - Sambhaav News
પાર્ટી પ્લોટના માલિકનાં શંકાસ્પદ મોત પહેલાં તેમનાં પત્નીએ આત્મહત્યાની કોશિશ કરી હતી
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રતનપુરા ગામમાં રહેતા અને પાર્ટી પ્લોટના માલિક 52 વર્ષીય દિનેશ પટેલ ઉર્ફે મુખીનું થોડાક દિવસ પહેલાં 13 ફૂટ ઊંચેથી પછડાતાં થયેલા શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસે દિનેશ મુખીના મોતના મામલે તપાસ શરૂ કરી છે. દિનેશ મુખીનું મોત થયું તેના પાંચ દિવસ પહેલાં તેમની પત્ની રાજશ્રીબહેન પટેલે લેણદારોના ત્રાસથી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં રામોલ પોલીસે ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ કંકુબાગ પાર્ટી પ્લોટ તથા શારદાબા સ્કૂલના માિલક અને રતનપુરા ગામમાં રહેતા દિનેશ પટેલ ઉર્ફે મુખી 1 ઓગસ્ટની રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમના મકાનની 13 ફૂટ ઊંચી બાલ્કનીમાંથી પટકાતાં તેમનું મોત થયું છે. દિનેશ મુખીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં તેમના મોતને લઇને અલગ અલગ ચર્ચાઓ ઊઠી છે. પોલીસે પણ તેમના મોતનું સાચું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે દિનેશ પટેલના શંકાસ્પદ મોતના 5 દિવસ પહેલાં લેણદારોના ત્રાસથી તેમનાં પત્ની રાજશ્રીબહેન પટેલે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર તારીખ 25 જુલાઇના રોજ દિનેશ પટેલ અને તેમનાં પત્ની ઘરે હતાં તે સમયે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ લગધીર દેસાઇ, ચંદુભાઇ દેસાઇ તથા દિનેશ દેસાઇ દિનેશ મુખી પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા.
ઉઘરાણી દરમ્યાન દિનેશ મુખીને ત્રણ વ્યકિતઓ બીભત્સ ગાળો બોલવા લાગી હતી, જેમાં રાજશ્રીબહેને રૂપિયા આપી દીધા છે તેમ છતાંય કેમ ઉઘરાણી કરો છો તેવું કહીને ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં રાજશ્રીબહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રામોલ પોલીસે આ મુદ્દે લગધીર દેસાઇ, ચંદુભાઇ દેસાઇ તથા દિનેશ દેસાઇ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
રામોલ પોલીસે લગધીર દેસાઇની ધરપકડ કરી હતી જ્યારે હજુ અન્ય બે આરોપીઓ ફરાર છે. આ કેસમાં તપાસ કરી રહેલા રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. ડી. સોલંકીએ જણાવ્યું છે કે દિનેશ મુખીના કેસની તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચું કારણ જાણી શકાશે. તેમનાં પત્નીએ ફિનાઇલ પીધું હતું, જેમાં ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. | guj_Gujr |
ગુજરાતના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા, કોઇ નુકસાન નહિ | Mild Earthquake Felt In Gujarat - Ahmedabad News | I Am Gujarat
Gujarati News Ahmedabad ગુજરાતના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા, કોઇ નુકસાન નહિ
ગુજરાતના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા, કોઇ નુકસાન નહિ
Published: Apr 21, 2018 20:13 pm IST
અમદાવાદઃ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં શનિવારે ભૂકંપના હળવા ઝટકાઓ અનુભવાયાં હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 જેટલી આવી હતી. જાણકારી અનુસાર કોઈપણ જગ્યાએ નુકસાની થઈ નથી. જોકે, ભૂકંપનો ઝટકો અનુભવાતા લોકો પોતપોતાના ઘર તેમજ ઓફિસની બહાર નીકળી ગયાં હતાં. થોડીવાર માટે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.
નર્મદા જિલ્લામાં સાંજના આશરે પાંચ કલાકે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયાં હતાં. નર્મદા જિલ્લા ઉપરાંત ડેડિયાપાડા, સગબારા અને રાજપીપળામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયાં હતાં. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ અથવા અન્ય કોઇ પ્રકારનું નુકસાન થયું નથી.
રિપોર્ટ્સ અનુસાર ભૂકંપ પછી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. જોકે, ગુજરાતમાં કોઈપણ સ્થળેથી નુકસાન થયાં હોવાના અહેવાલ આવ્યાં નથી. આ ભૂકંપનું એપિસેન્ટર ભરૂચ નજીક હોવાનું જણાવાઈ રહ્યું છે. | guj_Gujr |
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ આ વિશ્વમાં પધારી વેદસ્થ સનાતન ધર્મના પાયા જે કળીયુગી પ્રભાવથી હચમચી ગયા હતા તેને પુનઃમજબુત કરવા,વિશિષ્ટ સિદ્ધાંતનો પ્રાણ પૂરવા,જીવ, ઈશ્વર,માયા,બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરુપને સમજાવી ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,અને એકાન્તિકી ભક્તિના રુંધાયેલ માર્ગને મુક્ત કરી સુસંસ્કારી અને શિષ્ટ એવમ્ સમૃદ્ધ અને જ્ઞાનનિષ્ઠ સમાજનું નિર્માણ કરી પાપચારમાંથી મુક્ત કરવા ધર્મ,અર્થ, કામ અને મોક્ષના સરલ બનાવી કરુણા વરૃણાલયે આ સમગ્ર સત્સંગને અભય અને મોક્ષરુપ વરદાન પણ આપ્યુ.
પૂર્વ પ્રદેશમાં પ્રગટી ગરવી ગુજરાતમાં પધારી શુદ્ધ ચૈતન્ય-ગુણાતીત જ્ઞાનરુપી મશાલ પાંચસો પરમહંસોના હાથમાં આપી.શિક્ષાપત્રીરુપ પોતાના સ્વરુપે આચાર સંહિતા આપી.અને છ અંગોમાં સત્સંગ જળવાઈ રહે તે માટે સ્વહસ્તે મહામંદિરો નિર્માણ કરાવી ભગવત્ સ્વરુપો પ્રસ્થાપિત કરી બે આચાર્યોની સ્થાપના સાથે સંત,હરિભક્ત બાઈ ભાઈ સર્વેને સુખ,શાંતિ એ સમૃદ્ધિ આપી.
જૂનાગઢના અ.મુ.સ.શ્રી ગુણાતિતાનંદ સ્વામીની શિષ્યપરંપરાના મહાપુજા પરાયણ પૂજ્ય ગુરુ સ્વામી શ્રી નારાયણમુનિદાસજી પણ સત્સંગની વૃદ્ધિ માટે મહાનગરોથી આરંભી છેક છેવાડાના નાના ગામડાઓ સુધી કથાવાર્તા,કીર્તન,યજ્ઞો,પારાયણો કરી કરાવી સાથો સાથ ગુજરાત, મહારાષ્ટ્ર,તામીલનાડુ, આફ્રિકાખંડ,યુરોપ અને અમેરિકા સુધી સત્સંગ સેવાના કાર્યો કરતા રહ્યા.સત્સંગ વિકાસ પ્રચાર પ્રસાર કરી તેના ભાગરુપે હનુમાનપરા,સરસઈ,સરસિયા,સિમાસી,નાના ભંડારિયા,રામપુર,રામોદ,ભીમકટા વગેરે ગામોમાં હરિમંદિરો નિર્માણ કરાવ્યા એ અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરવા વેહવાર કુશળ મુખ્ય શિષ્ય કોઠારી સ્વામી ભક્તિ જીવનદાસજીને કાર્યભાર સોંપી દીધો.
વિશેષમાં બહુજનહિતાય પ્રવૃત્તિ કરવા પોતાના ઉત્તરાધિકારી વિદ્વાન સ્વામીશ્રી કે.પી.શાસ્ત્રીજીને પ્રેરીત કર્યા અને શ્રીશાસ્ત્રીજીએ "સેવા મુક્તિશ્ચ ગમ્યતામ્"સૂત્રને જીવનમંત્ર બનાવી લીધો.પ્રુભુસેવા હોય કે દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ,વાવાઝોડું હોય કે જલપ્રકોપ,ભુકંપ હોય કે અન્ય માનવ સમાજ સામે આવેલ કોઈ પણ પ્રકારની આફતમાં રાહત પુરી પાડવી એ સ્વાભાવિકતા બની રહી.સમાજ ઉત્થાનની કલ્યાણકારી ભાવનાને દ્રષ્ટિબિંદુ બનાવી આવનારા પેઢીમાં શ્રીહરિ સ્થાપિત સત્સંગના ગુણોની વૃદ્ધિ થાય અને સમાજનું નવસર્જન થાય,આધુનિક સવલતો દ્વારા ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય સાથે વ્યક્તિમાં વિશિષ્ટ કૌશલ્ય પ્રકટે અને માનવ વિશઅવમાં પાંગરે એવી ઉચ્ચકોટીના ધ્યેયબિંદુને સુદ્ધ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
જે પવિત્ર ભૂમિ માટે પૂર્વે મહાપુરુષોએ ભવિષ્યવાણીરુપ વચનો ઉચ્ચારેલ કે આ ભૂમિ વિશ્વવમાં પ્રસિદ્ધ થશે.અહીં ઘણાં સારા સત્કાર્યો થશે.પવિત્ર સાધુ સંતો નિવાસ કરશે.એજ જમીન પ્રાપ્ત થતા કડોદરામાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંસ્થાની સ્થાપના થઈ.
બાલમંદિરથી શરુ થયેલ આ સંસ્થાએ પ્રાથમિક-માધ્યમિક વિભાગો પૂર્ણ કરી અને દેશમાં પ્રથમ રેસિડેન્સિયલ મેડિકલ મહિલા ફિઝિયોથેરાપી કોલેજે કાર્યાન્તિવ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
સંસ્થામાં છાત્રાવાસની પણ અદ્યતન સુવિધા છે.
બી.એડ.,ફાર્મસી જેવી કોલેજો મેળવી ભવિષ્યમાં શિક્ષણ વિભાગની પ્રવૃત્તિઓ ઉપરાંત હોસ્પિટલ તેમજ વૃદ્ધનિકેતન અને શ્રી હરિનું મહામંદિર નિર્માણ પણ સમયાનુસાર થશે.
પૂજ્ય કોઠારી બાપા અને પૂજ્ય શાસ્ત્રીની આજ્ઞાથી શ્રી સુરેશભાઈ,શ્રી ઘનશ્યામભાઈ અને શ્રી શૈલેષભાઈ સમર્પણ ભાવનાથી સેવા કાર્યમાં જોડાયા છે. | guj_Gujr |
શ્રી શંકર ચૌધરીના જીવનનો એક સાર
શંકર ચૌધરી એટલે ન્યૂનતમ શબ્દોમાં મોટી વાત કરી દે તેવા અનેક વિશેષતાઓથી ભરેલ પ્રેરણાદાયી વ્યક્તિત્વ. જીવનના પ્રત્યેક તબક્કે સામાજિક સુધારણા અને નાગરિકોના આર્થિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું કામ તેઓએ કર્યું છે. કોઈપણ પ્રકારની અપેક્ષા વિનાની નાગરિકોની સેવામાં ઓતપ્રોત રહેતા શંકર ચૌધરી એક એવા નેતા તરીકેની સ્વિકાર્યતા પ્રાપ્ત કરી છે, જેના હૈયે હમેંશા લોકહિત વસેલુ છે.
તેમણે ગુજરાત સરકારનાં શહેરી આવાસ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ, માર્ગ અને પરિવહન, તબીબી શિક્ષણ અને શહેરી વિકાસ મંત્રાલય ઉપરાંત બનાસ બેંકના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી છે. ઉપરાંત તેઓ અત્યારે બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.
૩ ડિસેમ્બર, ૧૯૭૦ ના રોજ, લગધીરભાઈ ચૌધરી અને રતનબેન ચૌધરીના ઘરે જન્મેલ શંકરભાઈ ચૌધરીએ નાગરિકોના જીવનની સર્વાંગી પ્રગતિમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું તથા માત્ર ૨૭ વર્ષની યુવા વયે સક્રિય રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમજ આ લાંબી રાજકીય સફરમાં હમેંશા સમાજસેવામાં પોતાનુ અમૂલ્ય યોગદાન અને પ્રબળ નેતૃત્વ આપીને સતત પરિશ્રમ કરતાં એક કર્મયોગીની ઓળખ ઉભી કરી છે.
તેમણે હમેંશા સામાજીક ઉન્નતિને મુખ્ય લક્ષ્ય તરીકે રાખીને તે માટે લોકોના સહાયક તરીકેની સક્રિય સેવાઓ આપી છે. ગુજરાત પ્રદેશ ભાજપાના એક સભ્ય થી લઇને આજદિન સુધી તેમની જીવનયાત્રાની પ્રાથમિકતાઓમાંની એક મહત્વપૂર્ણ બાબત શહેરી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રગતિ ઝડપભેર થાય તે રહી છે. ૧૯૮૮થી તેઓના રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર. એસ.એસ.) સાથેના જોડાણથી તેમને નિ:સ્વાર્થભાવથી સમાજ અને દેશની સેવા કરવા માટેની પ્રેરણા મળી અને તેથી રાષ્ટ્રનું ઋણ ચુકવવાના ઉન્નત વિચાર સાથે તેઓ રાજકારણમાં જોડાયા.
૧૯૯૭માં સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યા બાદ તેઓ ૧૯૯૮માં રાધનપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. ત્યાર થી તેઓએ ક્યારેય પાછું વળીને જોયુ નથી. તેમણે પોતાના કાર્યકાળમાં ગુજરાત સરકારના પ્રધાન તરીકે અમૂલ્ય સેવાઓ આપી છે. સાથે જ વિવિધ સામાજિક સંસ્થાઓની સ્થાપના, સુધારણા અને વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેઓએ સતત ચાર ટર્મ સુધી રાધનપુરના ધારાસભ્ય (૧૯૯૮-૨૦૧૨) તરીકે, જ્યારે એક ટર્મ વાવના ધારાસભ્ય (૨૦૧૨-૧૭) તરીકે ગુજરાત વિધાનસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કર્યુ છે.
આ દરમિયાન શંકર ચૌધરીએ રાજય સરકારમાં મહત્વનાં મંત્રાલયો જેવા કે શહેરી આવાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માર્ગ અને પરિવહન, તબીબી શિક્ષણ, શહેરી વિકાસ વિભાગમાં પોતાની જવાબદારીઓ નિભાવી છે. ઉપરાંત તેમણે ભૂતકાળમાં બનાસ બેંકના ચેરમેન તથા હાલ એશીયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યાં છે.
રાજ્યકક્ષાના મંત્રી ૨૦૧૪-૨૦૧૬ - [શહેરી આવાસ (સ્વતંત્ર પ્રભાર), આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પરિવહન], ૨૦૧૬-૨૦૧૭ - [તબીબી શિક્ષણ અને પર્યાવરણ (સ્વતંત્ર પ્રભાર), આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શહેરી વિકાસ]
તેમના કાર્યકાળ દરમિયાન મેળવેલ સિદ્ધીઓ
ગુજરાતના આરોગ્ય માળખામાં ધરખમ સુધારો
૨૮ અદ્રિતીય સ્મારકો અને ૨૬૯૬ મહત્વપૂર્ણ ઇમારતો સાથે અમદાવાદ ભારનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયુ. અમદાવાદના દાવાને સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળ્યુ હતું.
મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ અને કામનો પ્રારંભ થયો. આ મેટ્રો પ્રોજેક્ટ ટ્રાફિક અને તેના સબંધિત સમસ્યાઓના ઉકેલલવા માટે સક્ષમ છે.
ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના વિકાસ અને આર્થિક ઉન્નતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું.
મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથી, પેરા મેડીકલ તમામની એડમીશન પ્રક્રિયાને ઓનલાઇન કરી.
૫ બ્રાઉન ફીલ્ડ અને ૨ ગ્રીન ફીલ્ડ મેડીકલ કોલેજને મંજૂરી આપી, જેનાથી ૧૦૫૦ મેડીકલ બેઠકોમાં વધારો
તેમના કાર્યકાળમાં ગુજરાત સરકાર દ્વારા ૧૬૩૭ ડોક્ટર્સ, ૩૦૧૭ સ્ટાફનર્સ, ૧૪૦૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ૨૪૭ ફિઝીયોથેરાપીસ્ટ, ૩૨૩ ડેન્ટીસ્ટ ડોક્ટર્સની ભરતી કરેલ
ચેરમેન, બનાસ બેંક (૨૦૦૬-૨૦૧૬)
તેમના કાર્યકાળ દરમિયાન થયેલ કામો
ખેડૂતોને આપવામાં આવતી લોન પર વ્યાજનો દર ૧૨% થી ઘટાડીને ૧% કરવામાં આવ્યો હતો.
પાકધિરાણ પર વ્યાજનો દર ૧૩% થી ઘટાડીને ૪% કરવામાં આવ્યો હતો. જે ખેડૂતો લોનની ચુકવણી કરવામાં નિયમીત હતા, તેમના માટે વ્યાજનો દર ૪% થી ઘટાડીને ૧% કરવામાં આવ્યો હતો.
ખેડૂતોના સંતાનોને તબીબી શિક્ષણ (એમ.બી.બી.એસ.)માં અભ્યાસ કરાવવા માટે ₹ ૧૦ લાખ અને વિદેશમાં અભ્યાસ માટે ₹ ૨૦ લાખની ખાસ નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી હતી, વિદ્યાર્થિનીઓ માટે ખાસ ૧%ના વ્યાજ દર પર શિક્ષણ લોન આપવામાં આવતી હતી.
આર.ટી.જી.એસ., એન.ઈ.એફ.ટી., એસ.એમ.એસ. એલર્ટ અને સહકારી બેન્કમાં એ.ટી.એમ. જેવી આધુનિક બેન્કિંગ સુવિધાઓ ખાતાધારકોને આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો લાભ બેન્ક એકાઉન્ટ ધરાવનાર અને શેર ધારકોને આપવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેનાર ખાતા ધારકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ નિઃશુક્લ આપવામાં આવતો હતો. ૧૫,૦૦૦ ખાતા ધારકોએ કેન્દ્ર સરકારની આ વીમા પોલીસીનો લાભ લીધો હતો.
એક જ વર્ષમાં લાભાર્થીઓને લગભગ ₹ ૯૪ લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી.
બેંકના તત્કાલિન ચેરમેન તરીકે તેમના પ્રયત્નોથી હાઇ-વે નજીકની મોકાની જગ્યા સરકારશ્રીની પાસેથી પ્રાપ્ત થઇ અને ગ્રામીણ અર્થતંત્રની ભવિષ્યની જરૂરીયાતોને પરીપૂર્ણ કરે તેવું તથા જીલ્લાના નાગરિકોને બેંક મારફતે શ્રેષ્ઠ નાણાકીય સગવડો સતત મળી રહે તેમાં મદદરૂપ થાય તેવા સંસ્થાના આધુનિક મુખ્યમથકનું નિર્માણ થયું.
સંસ્થાના ઇતિહાસ્માં પ્રથમ વખત બનાસ બેંકને ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ.) તરફથી લાઈસન્સ તથા આઈ.એસ.ઓ. સર્ટિફિકેશન પ્રાપ્ત થયુ તેમજ બેંકના સુચારૂં નાણાકીય વ્યવહારોની નાબાર્ડ દ્વારા ઓડિટ પણ થઇ.
૧૦ દૂધ સહકારી મંડળીઓ અને જિલ્લાની અન્ય સહકારી સંસ્થાઓમાં માઈક્રો-એ.ટી.એમ.ની સુવિધા ઉપલબ્ધ કરાવી બેંકિગ સિસ્ટમને સરળ બનાવી હતી.
કોર બેકિંગ સોલ્યુશન અને આર.બી.આઈ.ના માપદંડો અનુરૂપ આધુનિક ટેકનોલોજી અપનાવવાની પહેલ પણ કરેલ હતી.
સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે ખેડૂતોના પુત્રોને રાહતદરે નોટબુકનું વિતરણ તથા કુદરતી આપદા સમયે લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ-સહાય પુરી પાડવા જેવા વિવિધ આયોજન કરવામાં આવેલ હતા.
વિવિધ ફેરફારોના કારણે બેંકનો નીચે મુજબ સર્વાંગી વિકાસ થયો હતો:
શેર મૂલ્યમાં ₹ ૩૪ કરોડનો વધારો; જે શેર મૂલ્ય ૨૦૦૬માં ₹ ૨૬ કરોડ હતું, તે ૨૦૧૬માં વધીને ₹ ૬૦ કરોડ થયું. એટલે ૧૦ વર્ષમાં શેર મૂલ્યમાં ૨૩૦%નો વધારો થયો હતો.
બેંકના રિઝર્વ ભંડોળમાં ₹ ૬૦ કરોડનો વધારો; ૨૦૦૬માં બેંકનું ભંડોળ ₹ ૩૪ કરોડ હતુ, જે ૨૦૧૬માં વધીને ₹ ૯૪ કરોડ થયું. એટલે ૧૦ વર્ષમાં બેંકની મુડીમાં ૨૭૬%નો વધારો થયો હતો.
બેંકની થાપણોમાં ₹ ૮૯૨ કરોડનો વધારો; ૨૦૦૬માં ₹ ૩૫૨ કરોડની થાપણો બેંક પાસે હતી, જે ૨૦૧૬માં વધીને ₹ ૧,૨૪૪ કરોડ થઈ. એટલે બેંકની થાપણોમાં ૩૫૪% વધારો થયો હતો.
બેંક ક્રેડીટમાં ₹ ૬૦૭ કરોડનો વધારો; ૨૦૦૬માં બેંક ક્રેડીટ ₹ ૩૮૮ કરોડ હતી, જે ૨૦૧૬માં વધીને ₹ ૯૯૫ કરોડ થઈ. એટલે કે ૨૫૬% વધારો થયો હતો.
બેંકના નફામાં ₹ ૩.૨ કરોડનો વધારો; ૨૦૧૬માં બેંકે ₹ ૫.૩૦ કરોડનો નફો કર્યો હતો, જે ૨૦૧૬માં વધીને ₹ ૮.૫૦કરોડ થયો. એટલે કે ૧૬૦% નો વધારો થયો હતો.
બેંકની વર્કીન્ગ કેપીટલમાં ₹ ૧,૨૦૭ કરોડનો વધારો; ૨૦૦૬માં બેંકની વર્કીન્ગ કેપીટલ ₹ ૬૨૮ કરોડ હતી, જે ૨૦૧૬માં વધીને ₹ ૧,૮૩૫ થઈ. એટલે કે ૨૯૨% વધારો થયો હતો.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ ને 'કૃષિ વિકાસ વર્ષ' તરીકે જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે સરકારે ખેડૂતોને આપવામાં આવતા ધિરાણ પરના વ્યાજદરમાં ૬% નો ઘટાડો કર્યો હતો. બનાસ બેંકે ખેડૂતોના હિત માટેના આ નિર્ણયનો અમલ કરવાની પહેલ કરીને જિલ્લાના હજારો ખેડૂતોને તેનો લાભ આપ્યો હતો.
બનાસ ડેરીના ચેરમેન, એશીયાની સૌથી મોટી સહકારી સંસ્થા (૨૦૧૫ થી અત્યાર સુધી)
મધમાખી પાલન અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોને માર્ગદર્શન આપી નિર્મિત મધ અને બટાકાના ઉત્પાદોને 'અમૂલ' બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરવાની પહેલ. ૬૭ ખેડૂતો સાથે કૉન્ટ્રાક્ટ ફાર્મીંગ કરીને તેમના ખેતર પરથી સીધો આ પાક ખરીદવાનો કરાર બનાસ ડેરીએ કર્યો અને ખેડૂતો પાસેથી એપ્રિલ-૨૦૧૯ સુધીમાં ૫૭૫૧.૨૩ મેટ્રીક ટન બટાકાની ખરીદી કરીને રૂ. ૫ કરોડ ૮૩ લાખની ચુકવણી કરી. આવા ઉત્સાહ જનક પરીણામોથી પ્રોત્સાહિત થઇને તથા જીલ્લાના ખેડૂતોના હીતને કેન્દ્ર સ્થાને રાખી બનાસ ડેરીએ અગાઉના નિર્ણય પર આગળ વધીને પ્રત્યેક કલાકે ૫ મેટ્રીક ટન ફ્રેન્ચ ફ્રાઇસ, ૧.૫ મેટ્રીક ટન આલૂ ટીક્કી, વેજી સ્ટીક, બર્ગર, હેશ બ્રાઉન કે પોટેટો વેજીસ બને તેવી અત્યાધુનિક મશીનરીવાળા લગભગ રૂ. ૧૫૦ કરોડના ખર્ચે "પોટેટો પ્રોજેક્ટ"ને આગામી ૧૫ માસમાં દિયોદર ખાતે નિર્માણ થનારી નવી ડેરીની સાથે જ કાર્યાન્વિત કરવાનું આયોજન ધરાવે છે, જેમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર-મશીનરી માટે લગભગ ૭૦ કરોડ જેટલી સબસીડી સરકારમાંથી મળનારી હોઇ આ પ્લાન્ટના નિર્માણમાં સરકાર લગભગ લગભગ અડધો અડધ મદદ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં ધ્યાને રાખી કરશે. વધુમાં બનાસ ડેરી દ્વારા એપ્રિલ-૨૦૧૯ સુધીમાં ૧૨ મેટ્રીક ટન મધ સંપાદન કરીને રૂપિયા ૧૯ લાખની પૂરક આવકની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.
બનાસ ડેરી દ્વારા ભારતના સૌથી આધુનિક ચીઝ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો.
૨૦૧૩-૧૪માં બનાસ ડેરીનું દૈનિક દુધ સંપાદન સરેરાશ ૪૦ લાખ લીટર હતુ તે હવે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વધીને હવે ૫૭.૮૯ લીટર/પ્રતિ દિવસથી પણ વધુ કરવામાં સફળતાં મળેલ છે.
ટેકનોલોજી અને દૂધ સંપાદન માટેનો સુચારૂં રૂટ મેનેજમેન્ટ પ્રસ્થાપિત કરવાની વહીવટી કુશળતાના કારણે દૂધ પરિવહન ખર્ચમાં ઘટાડો કરી રૂ. ૧૫ કરોડની બચત કરેલ છે.
બનાસ ડેરીના પ્લાન્ટ્સના ધાબે લગાવેલ સોલાર પેનલના કારણે ૧૦,૦૦૦ યુનીટ સોલાર વીજળીનું ઉત્પાદન થાય છે જેના કારણે સંસ્થાને રૂ. ૭૬,૦૦૦ની હવે બચત થાય છે, જેનો લાભ સીધો આર્થિક લાભ પશુપાલકોને થાય છે.
ગુજરાત સરકારના કુપોષણ સામેના જંગ માટેના સંગીન પ્રયાસ સમાન યોજના હેઠળ સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવાના લક્ષ્ય સાથે બનાસ ડેરી નિર્મિત "ટેક હોમ રાશન" પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. ૨૮.૫૦ કરોડના ખર્ચે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત આ પ્લાન્ટની ૨૦૦ મેટ્રીક ટન પ્રતિદિનની ઉત્પાદન ક્ષમતા સાથે પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિ જેવા ઉત્પાદો બનશે. આ સંપૂર્ણ પ્લાન્ટનું નિર્માણ રેકોર્ડ ૮ માસમાં કરેલ છે, જેનું લોકાર્પણ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતુ.
દિવસના ૫૦ લાખ લીટરની ક્ષમાતાવાળા દેશમાં સૌથી મોટા કહી શકાય તેવા ઓઇલ મીલના પ્લાન્ટને ખુલ્લા મુકવાની સાથે બનાસ ડેરીએ "નવરસ ખાદ્યતેલ" શ્રેણીને બજારમાં મુકી
જ્યારે પરોપકાર અને પરિશ્રમનું ફળ મળે છે.
શંકર ચૌધરી પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભથી જ વિવિધ સમાજસેવી પ્રવૃતીઓ સાથે જોડાયેલા છે, તેમના આ સમાજસેવાના યજ્ઞકાર્યના પ્રારંભથી જ તેમનો ધ્યેય સ્પષ્ટ છે કે લોકોનો સર્વાંગી વિકાસ થાય.
આ સફર દરમિયાન તેઓએ હંમેશા અસંખ્ય જવાબદારીઓ નિભાવીને દેશ અને લોકોના ક્લ્યાણ માટે કામ કરવામાં કોઈ કસર નથી છોડી. આ ઉમદા કામગીરી માટે તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનીત કરવામાં આવ્યા છે. આ એવોર્ડસ્ શંકર ચૌધરીની સામાજિક આગેવાન તરીકેની તેઓની નિષ્ઠાનું પ્રમાણ છે.
યુ.એન.ઓ. દ્વારા આંતરાષ્ટ્રીય સામાજિક સદભાવ એવોર્ડ (૨૦૦૬)
ગુજરાતના ઘણા વિસ્તારો એવા હતા કે જ્યાં યોગ્ય શૈક્ષણિક માળખાનો અભાવ હતો. શ્રી શંકરભાઈ ચૌધરીએ વિવિધ કાર્યક્રમો અમલમાં મુકીને આ સ્થિતિમાં સુધાર લાવવાની જવાબદારી ઉપાડી લીધી કે જેથી યુવાનોને શિક્ષણની વધુને વધુ સુવિધાઓનો લાભ મળી શકે. તેઓએ શ્રી વિવેકાનંદ વિદ્યાલય, નાલંદા પ્રાથમિક-માધ્યમિક શાળા, નાલંદા ક્ન્યા શાળા-છાત્રાલય, આશ્રમ શાળા, સૈનિક શાળા જેવી અનેક સંસ્થાઓની સ્થાપનાની સાથે સરહદી વિસ્તારમાં નશામુક્તિ જાગૃતિનું જે કામ કરેલ છે તે માટેના તેઓના અમૂલ્ય યોગદાન માટે યુ.એન.ઓ. તરફથી આંતરાષ્ટ્રીય સામાજિક સદભાવ એવોર્ડ માટે તેઓની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ આદરણીય નવલ કિશોર શર્માજીના હસ્તે શંકર ચૌધરીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એન.ડી.ડી.બી. ડેરી એક્સલેન્સ એવોર્ડ (૨૦૧૭)
શંકર ચૌધરીએ પોતાના કાર્યકાળમાં બનાસ ડેરીમાં નવી ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓને આગવું સ્થાન આપ્યું. જેના કારણે બનાસ ડેરીની દૂધ સંપાદન ક્ષમતા નોંધપાત્ર વધારા સાથે દૈનિક સરેરાશ ૫૫ લાખ લિટર સુધી પહોંચી છે. આ વિવિધ પહેલથી ડેરીની કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે વહીવટી ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને એન.ડી.ડી.બી. દ્વારા ડેરી એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી રાધા મોહન સીંઘ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે, આ પ્રતિષ્ઠીત એવોર્ડ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકર ચૌધરી એનાયત કરવામાં આવ્યો હતો. | guj_Gujr |
ઉ.કોરિયાના સરમુખ્તાર કિમે રચ્યો ઇતિહાસ, પહોંચ્યા દ. કોરિયા | North korean leader Kim Jong un makes history crosses the southern border - Gujarati Oneindia
12 hrs ago ભારતવંશી ઉજરા જેયાને જો બિડેને વિદેશ મંત્રાલયમાં આપ્યું મહત્વનું પદ
13 hrs ago સુરતથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ
13 hrs ago કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?
14 hrs ago Capitol Hill Riot: અમેરિકી સંસદ પર થયેલ હુમલામાં ઑફ ડ્યૂટી પોલીસ ઑફિસર સામેલ હતા
| Updated: Friday, April 27, 2018, 12:11 [IST]
નોર્થ કોરિયાના સરમુખત્યાર આજકાલ તેમના નવા વર્તનના કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. વળી તેમણે ન્યૂક્લિયર ટેસ્ટ કરવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમણે ઇતિહાસમાં પહેલી વાર નોર્થ કોરિયાની સીમા પાર કરીને દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. અહીં તે ન્યૂક્લિયર સંકટ પર થનારી સમિટમાં ભાગ લેશે. અહીં તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે સાથે પણ મુલાકાત કરશે. તમને જણાવી દઇએ કે આવી ઉત્તર કોરિયા અને દક્ષિક કોરિયાના ઇતિહાસમાં પહેલીવાર થઇ રહ્યું છે કે બે નેતાઓ વાત કરવા અને મળવા તૈયાર થયા છે. અને આ વાત નોર્થ કોરિયાના પરમાણુ બંધ કરવા પછી શક્ય બન્યું છે. હવે જોવું તે રહે કે બંને દેશના રાષ્ટ્રપતિ પરમાણુ સંકટ પર શું દ્રષ્ટ્રિકોણ રાખે છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશોનાં રાષ્ટ્રપતિએ આ સમયે હાથ મેળવ્યો હતો. વળી આ મુલાકાત દરમિયાન આંશિક રીતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કેટલીક હદ સુધી નોર્થ કોરિયાની સીમામાં પણ પહોંચ્યા હતા. જેની પણ કોઇની આશ નહતી. વિશ્વના અનેક લોકો માટે નોર્થ કોરિયાના આ સરમુખ્તાર વર્ણન સ્વીકારવું કે તે આવું કરશે તેવું માનવું જ અશક્ય છે. પણ તે વાત ચોક્કસથી સ્વીકારવી બને છે કે કિમ જોંગ ઉનનું આ વર્તન અનેક લોકોને અચરજ પમાડે તેવું છે. અને તમામ રાજનૈતિક જાણકારો કિમ જોંગ ઉનના આ વર્તનને શંકાની નજરે જોઇ રહ્યા છે. વળી આવનારા મહિને કિમ જોંગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે પણ મુલાકાત કરવાના છે. ત્યારે હાલ તો બધાની નજરો કિમ જોંગ ઉન પર મંડાયેલી છે. | guj_Gujr |
સાયલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગજવી સભા: મ્યાનમાંથી તલવાર કાઢી જનતાનું અભિવાદન ઝીલ્યું - Abtak Media
Home Gujarat News સાયલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગજવી સભા: મ્યાનમાંથી તલવાર કાઢી જનતાનું અભિવાદન ઝીલ્યું
સાયલામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: કોંગ્રેસ પર આકારા શાબ્દિક પ્રહારો: મ્યાનમાંથી તલવાર કાઢી જનતાનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રી
આગામી રવિવારે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેના જોરશોરથી પડઘમ વાગ્યા બાદ આજે સાંજે પ્રચાર-પ્રસારના ભુંગળા પણ શાંત થશે. રાજકિય પક્ષોના નેતાઓ, આગેવાનો, કાર્યકરો મતદારોને રીઝવવા તો વધુમાં વધુ મત આપી પોતાના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહયા છે.
આજરોજ સુરેન્દ્રનગરના સાયલા ખાતે મુખ્યમંત્રિ વિજયભાઇ રૂપાણીએ ચૂઁટણી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે ભાજપના ટોચના નેતાઓ પણ સભા ગજાવવા સામેલ હતા. મુખ્યમંત્રીએ સાયલામાં જનતાનું આગવી રીતે અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મ્યાનમાંથી તલવાર કાઢી જનતાનું અભિવાદન ઝીલ્યું હતુ. ર૦ તાલુકા પંચાયત અને ચાર જિલ્લા પંચાયતની ચૂંટણી સાયલા ખાતે છે દેશ આઝાદ થયો ત્યારપછી આજ દિન સુધી કયારેય પણ ભાજપ સાયલા તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી શકી નથી.
ત્યારે સાયલા તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા સભા ગજવી હતી. અને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વધુમાં તમામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. તો ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિવિધ વિકાસના કામોથી ઉ૫સ્થિત તમામ મેદનીને વાકેફ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જે રીતે ભાજપની ટીમ કામ કરી રહી છે તે ચોકકસ વિજય અપાવશે તેમ જણાવ્યું હતું.
Previous articleશું દિશા વાકાણી ફરી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ટીવી શોમાં વાપસી કરશે ? આ અભિનેત્રીએ દયાબેન બનવાની ઇચ્છા વ્યક્ત કરી | guj_Gujr |
મફત સોલો રમતો – Xxx હસ્તમૈથુન રમતો
મફત સોલો રમતો છે જ્યાં કલા ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક જીવન માટે આવે છે
ત્યારે તે માટે આવે છે, પોર્ન, સૌથી વધુ વખત અમે લાગે છે કે ઘણા લોકો dirtiest અનુભવો. માંથી threesomes સાથે બે વાર ચોદવુ, બહુ બધી વાર ચોદવુ પક્ષો, અને બધા પ્રકારના સેક્સ સત્રો, અમે બધા માંગો છો kinkiest અનુભવો બહાર પોર્ન સંગ્રહો કે અમે રમી રહ્યાં છો. જોકે, આ જ સમયે અમે પણ જરૂર ઠંડી પાછા નીચે અને આનંદ કેટલાક વધુ સરળ વસ્તુઓ છે, કે જેથી અમે રીવાઇન્ડ કરી શકો છો પછી બધા છે કે દોરડું. અને તે માટે તે સમય છે કે અમે શરૂ મફત સોલો રમતો સંગ્રહ છે, જે એક ઓડ એક્ટ હસ્તમૈથુન., બધું અમારી સાઇટ પર છે આસપાસ વર્તુળાકારે ફરે કલા સ્વ-પ્રેરિત orgasms, અને તમે દ્વારા amazed આવશે વિવિધતા માં આવે છે કે અમારી સંગ્રહ. અમે સાથે મૂકવામાં સૌથી મોટો સંગ્રહ હસ્તમૈથુન પોર્ન રમતો, જ્યાં વેબ પર દરેક શોધી શકો છો તેમના દોરડું અથવા રમતો માટે યોગ્ય છે કામુકતા.
અમે હસ્તમૈથુન રમતો આવતા તમામ પ્રકારના સાથે babes, ના સુંદર શાળાની માટે horniest નુ housewives. આ જ સમયે, અમે પણ રમતો કે જે તમે કસ્ટમાઇઝ કરી શકો છો તમારા પોતાના અક્ષરો. જો તમે નથી કરી રહ્યાં છો માં લેડિઝ, તમે શોધી શકો છો અમારી સાઇટ પર ઘણાં હાર્ડકોર પોર્ન રમતો માટે અમારા ગે સમુદાય. બધા આ સુંદર twinks અને ગરમ jocks છે ચોદતિ વખતે ધક્કા મારવા બંધ તેમના હાર્ડ અને કામુક લોડો તમારી મદદ સાથે. માત્ર નથી કે, પરંતુ અમે પણ ટ્રાન્સ પોર્ન રમતો દર્શાવતા બચ્ચાઓ સાથે dicks છે જે stroking તેમના લેડી કોક્સ ત્યાં સુધી તેઓ કમ જેવા ઘોડા છે., આ કેટલાક રમતો સિમ્યુલેટર આધારિત છે, જ્યારે અન્યો સાથે આવે છે કે રસપ્રદ કથાઓ અને પડકારરૂપ quests. અને ત્યાં સુધી રાહ જુઓ તમે શોધવા વિશે તમામ પેરોડી સેક્સ રમતો કે અમે અમારી સાઇટ પર. તમે પ્રયત્ન કરીશું દૂર ફૂંકાવાથી છે ત્યારે માણી તમારા મનપસંદ અક્ષરો ખુશી પોતાને સૌથી વધુ મોહક રીતે.
તમે જોશો કે આ સોલો રમતો વાન કરવામાં પણ મજા
આ રમતો કે અમે લક્ષણ આ સાઇટ પર બધા રમી વર્થ છે. હું ગાંઠ કે જેવા ધ્વનિ શકે છે એક મોટી દાવો માટે તેથી તમે ઘણા છે, કારણ કે બધા પછી, આ ક્રિયા પર સંપૂર્ણપણે આધારિત હસ્તમૈથુન સત્રો. જો કે, આ વિવિધતા અમારી સાઇટ માંથી આવે છે ઘણા વિવિધ babes અને થીમ્સ તમે શોધી શકો છો આ રમતો. Firs બધા, ચાલો વિશે વાત બધા babes તમે આનંદ કરી શકો છો માં હસ્તમૈથુન ગેમપ્લે. તમે આનંદ કરી શકો છો કિશોર કે કિશોરી છોકરીઓ હસ્તમૈથુનનો તેમના ઘરો અને મૂકવા sharpies તેમના pussies અથવા cougars સાથે રમતા કેટલાક ક્રેઝી dildos બનાવવા માટે પોતાની જાતને વિર્ય ની પિચકારી મારવી ઉપર અને ઉપર., કેટલાક રમતો તમે દો કરશે કસ્ટમાઇઝ અક્ષરો, અને વૈવિધ્યપૂર્ણ છે જેથી ઊંડાઈ કિસ્સામાં કેટલાક રમતો કે જે તમે પસંદ કરવા માટે સક્ષમ હશે આ વંશીયતા babes અને પણ ફરીથી કન્યાઓ તમે જાણો છો તરીકે અક્ષરો આ સોલો રમતો.
પરંતુ શું તમે સૌથી વધુ પ્રેમ વિશે અમારી સંગ્રહ કરવામાં આવે આ રમતો બધા સાથે આ પ્રખ્યાત અક્ષરો છે કે અમે હોય છે. ત્યાં પોર્ન રમત ધી લાવવામાં તમે કાર્ટુન માંથી અક્ષરો જેમ કે Lois ગ્રિફીન, માર્ગે સિમ્પસન અથવા તો કિમ Posssibe. અમે ધી આવતા માંથી અક્ષરો સાથે Overwatch રમતો અને તે પણ રમતો કે જે તમે આનંદ કરી શકો છો હસ્તમૈથુન ગેમપ્લે સાથે હીરોઝ માંથી ડીસી અને માર્વેલ બ્રહ્માંડો. અને પછી અમે રમતો સાથે આવતા સેલિબ્રિટી., તમે ખાતરી કરો કે કરવા માંગો છો રમવા રમતો કે જે તમે મદદ કરશે, બેયોન્સ, જેનિફર લોરેન્સ, અથવા એમ્મા વોટસન હોય squirting orgasms વર્ચ્યુઅલ વિશ્વમાં.
કે ટોચ પર, અમે પણ કેટલાક સાહસ પોર્ન સાઇટ પર રમતો જેમાં તમે તરીકે રમવા આવશે કે એક પાત્ર છે, જે પ્રવાસ પર શોધવા માટે શ્રેષ્ઠ માર્ગ છે અને શ્રેષ્ઠ સ્થળ માટે અંતિમ ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક.
સોલો ગેમિંગ મજા હોઈ શકે છે અને જટિલ પણ છે
તેમ છતાં આ ગેમપ્લે માં સંગ્રહ સોલો સેક્સ ગેમ્સ જેવા ધ્વનિ શકે છે સીધા આગળ છે, હું તમને ખાતરી કરી શકો છો કે તે ખૂબ જટિલ છે. તમે નહીં માત્ર બિંદુ અને ક્લિક કરો બનાવવા માટે babes અને dudes હસ્તમૈથુન. તમે પસંદ કરવા માટે સક્ષમ હશે તમામ પ્રકારના વિવિધ તરકીબો સમાવેશ થાય છે અને વિવિધ તોફાની રમકડાં માં મિશ્રણ. આ જ સમયે, તમે પડશે એક બીટ કામ કરવા માટે પહેલાં અક્ષરો કમ. કેટલાક રમતો તમે પણ કરી શકો છો વાસણ અપ અને બંધ babes અને dudes, અને પછી તમે પર શરૂ કરવા માટે હોય. કેટલાક અન્ય રમતો, તમે પૂર્ણ કરવાની રહેશે પઝલ પડકારો અનલૉક કરવા માટે orgasms., ત્યાં ઘણા અન્ય મજા અને રસપ્રદ રીતે, જેના દ્વારા આ રમતો ઓફ વિકાસકર્તાઓ કરવામાં વસ્તુઓ વધુ રસપ્રદ ખેલાડીઓ માટે. અને સાથે HTML5 ગ્રાફિક્સ હાજર અમારી રમતો બધા છે, પણ આભાર એન્જિન સામેલ સંદર્ભે આ નવી પેઢી રમતો, અક્ષરો જવાબદાર છે. તમે જોશો કે પર પણ pussies ઓફ babes કરશે, જે ભીનું વિચાર અને રહેવા gapped પછી તમે લેવા નકલી લોડો અમારા તેમને પર અને હાર્ડ કોક્સ કે શરૂ કરશે pulsing એકવાર ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક નજીક છે., માત્ર નથી કે, પરંતુ આ અવાજ અસરો હોય છે, ચહેરાના હાવભાવ અને અન્ય તમામ થોડી વિગતો જાય છે કે પાછી એક ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક આ વર્ચ્યુઅલ વિશ્વમાં એક ડિજિટલ artform.
અમે મુક્ત ગેમ્સ અને અમે પડશે નવી રમતો
સોલો સેક્સ રમતો સાથે આવી રહ્યું છે, આ એક મોટો સંગ્રહ હાર્ડકોર પોર્ન રમતો વિષય પર હસ્તમૈથુન કે સંપૂર્ણપણે મફત છે. તમે જરૂર નથી માટે એક એકાઉન્ટ બનાવો, તમે જરૂર નથી માટે અમને આપો કોઈપણ ઇમેઇલ સરનામું અથવા ક્રેડિટ કાર્ડ માહિતી, ત્યાં કોઈ paywalls અને કોઈ હેરાન જાહેરાતો. આ જ વસ્તુ અમે તમને વિનંતી છે કે તમે માટે છે તેની ખાતરી કરવા માટે કે જે તમે કરી રહ્યાં છો 18 વર્ષ જૂના. તમે તે કરી જાય, બધા રમતો ઉપલબ્ધ છે મફત માટે રમવા સીધા અમારી સાઇટ પર. વિશે વાત અમારી સાઇટ પર, અમે રોકાણ યોગ્ય હોસ્ટિંગ., આ લેગ અને ભૂલો છે inexistent અને લોડ કરી રહ્યું છે સમય માટે આ રમતો લગભગ ઇન્સ્ટન્ટ સાથે 4જી કનેક્શન. આ જ સમયે, સર્વરો પણ ગ્રાન્ટ તમે મુનસફી અને સામે રક્ષણ મૉલવેર, સ્પાયવેર અથવા ransomware, તો તેને ધ્યાનમાં લીધા વગર તમે એક એન્ટી વાઈરસ તમારા કમ્પ્યુટર માં સ્થાપિત છે કે નથી. બધા માં બધું, તમે પડશે અમને વિશ્વાસ છે. અમે તક આપે છે એક મહાન સાઇટ છે અને જો તમે તેમને તક આપે છે, સોલો પોર્ન રમતો કરી શકો છો તમારા કારણ માટે કમ શકે છે રાત હવે છે. | guj_Gujr |
બીએસઈ-એસએમઈ પર 368, 369, 370મી કંપની લિસ્ટ થઈ | chitralekha
Home News Business બીએસઈ-એસએમઈ પર 368, 369, 370મી કંપની લિસ્ટ થઈ
બીએસઈ-એસએમઈ પર 368, 369, 370મી કંપની લિસ્ટ થઈ
મુંબઈ તા. 13 એપ્રિલ, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 370મી કંપની તરીકે એઈટી જ્વેલર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. એઈટી જ્વેલર્સે રૂ.10ની કિંમતના 27 લાખ ઈક્વિટી શેર્સ રૂ.41ના ભાવે ઓફર કરીને રૂ.11.07 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 5 એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
એઈટી જ્વેલર્સ લિમિટેડ છત્તીસગઢ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ રાયપુરમાં છે. કંપની વિવિધ ઝવેરાત, આભૂષણો, ઘડિયાળો અને સુવર્ણ, હીરા, પ્લેટિનમમાંથી બનાવેલી વસ્તુઓનું ટ્રેડિંગ કરે છે. કંપની અનોપચંદ તિલોકચંદ જ્વેલર્સના બ્રાન્ડ નામે સીધા અથવા સબ-ફ્રેન્ચાઈઝ વ્યવસ્થા હેઠળ શોરૂમ ખોલવાનો હક ધરાવે છે. કંપની બીટુબી બિઝનેસ મોડેલ ધરાવે છે. તે તેનાં જ્વેલરી પ્રોડક્ટ્સ કોરબા ખાતેના સબ-ફ્રેન્ચાઈઝી સ્ટોરને વેચે છે અને બિલાસપુરમાંના એક સ્ટોરના હોલસેલર તરીકે કામ કરે છે.
આ પૂર્વે સનરાઈઝ એફિસિયન્ટ માર્કેટિંગ લિમિટેડ અને ધ્યાની ટાઈલ એન્ડ માર્બલેઝ લિમિટેડ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થઈ હતી. સનરાઈઝ એફિસિયન્ટ માર્કેટિંગ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 13.80 લાખ ઈક્વિટી શેર્સ રૂ.121ના ભાવે ઓફર કરીને રૂ.16.70 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ પ એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ધ્યાની ટાઈલ એન્ડ માર્બલેઝ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 4,80,000 શેર્સ રૂ.51ની કિંમતે ઓફર કરી રૂ.2.45 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 4 એપ્રિલ, 2022ના રોજ બંધ થયો હતો.
સનરાઈઝ એફિસિયન્ટ માર્કેટિંગ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ સુરત ખાતે છે. કંપની ઈલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક્સ, સ્પેર પાર્ટ્સ વગેરે ઉદ્યોગમાં વપરાતી ચીજોનો વેપાર અને વિતરણ કરે છે. કંપની ઓટોમોટિવ પાર્ટ્સ, ગીયર બોક્સીસ, મોટર્સ, પંપ્સ, ઓઈલ્સ અને એફએમસીજી પ્રોડક્ટ્સનું વિતરણ કરે છે અને હાલમાં 138 ઉત્પાદકોના માન્ય ડીલર તરીકેનું કામ કરે છે. કંપની બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કંઝ્યુમર્સ મોડેલ્સને અનુસરે છે. કંપની રિટેલ, આયાત-નિકાસ, સેલ્સ, ફેબ્રિકેટ્સ અને એસેમ્બલિંગનું કામકાજ કરે છે, જેમાં પાઈપ્સ પાઈપ ફિટિંગ્સ , સેનિટેશન પાર્ટ્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ આઈટેમ્સ, ઓઈલ્સ, લુબ્રિકન્ટ્સ, મોટર્સ, જનરેટર્સ, બેટરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
ધ્યાની ટાઈલ એન્ડ માર્બલેઝ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે છે. કંપની ફ્લોર્સ, બાથરૂમ, કિચન્સ, બાલ્કનીઝ અને સ્ટેરવેલ્સ માટેની ટાઈલ્સનું ઉત્પાદન અને ટ્રેડિંગ કરે છે. વિટ્રિફાઈડ અને ગ્લેઝ્ડ ટાઈલ્સનું ઉત્પાદન કરે છે. | guj_Gujr |
મહિલા જાગૃતિને વાચા આપતી ગુજરાતી ફિલ્મ ''તપ''નું મુર્હુત
રાજકોટ,તા.૨૦: મહિલા જાગૃતિ અભિયાન તેમજ સામાજિક વ્યવસ્થાને વાચા આપતી માતૃભાષાની ફિલ્મ ''તપ'' ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે દિપપ્રાગટ્યવિધિ કરવામાં આવેલ.
આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટના કલાકારોને બીરદાવ્યા હતાં. કાર્યક્રમના સંયોજક હિતેન્દ્રભાઈ પટેલ (બજરંગભાઈ) (નિર્માતા- બિલ્ડર્સ, સુરેન્દ્રનગર) તથા કાર્યકારી નિર્માતા ઉપેન્દ્રભાઈ મારૂ (ઉપપ્રમુખ બીજેપી- સુરેન્દ્રનગર)એ પ્રાસંગીક ઉદ્બોધન કરી મહેમાનોને આવકારેલ.
કાર્યક્રમના મંચ ઉપર ગૌરવ પુરસ્કૃત શ્રીમતી આવૃતિબેન નાણાવટી, શ્રીમતી ડો.દમયંતિબેન ગણાત્રા, સંગીતકાર મનોજ વિમલ, ગાયક- સોનલ ગઢવી, આસિફ જેરીયા, નિધી ધોળકીયા, ભાસ્કર શુકલ, ગીતકારઃ દિલીપ જોષી, ભુષિત શુકલ, જય ડોડીયા, પટકથા સંવાદઃ સંજય ગોહિલ, અમદાવાદથી ફિલ્મ કલાકારો પરિક્ષિતકુમાર, નીરાલી જોષી, રાજકોટના વૃંદા નથવાણી, અતિથિ વિશેષઃ રમેશભાઈ ટમાલીયા, વિજયભાઈ કારીયા સહિતના એ હાજરી આપી હતી.
મહેમાનોનું સ્વાગત શ્રીમતી પુષ્પાબેન ડોડીયા, ભાવેશ આચાર્ય, જુશબભાઈ પરમાર, જાવેદ જુનેજાએ કર્યું હતું. બજરંગ મુવીઝ નિર્માણાધીન ''તપ'' ફિલ્મના દિગ્દર્શકઃ અઝીઝ ઈબ્રાહીમ છે તથા સંગીતકાર મનોજ વિમલ તથા ડીઓપી સોહિલ ઠકકર છે.
કાર્યક્રમનું સંચાલન, સંકલન જાણીતા ઉદ્ઘોષક જયંતભાઈ જોષી તથા પલ્લવીબેન વ્યાસે સંભાળ્યુ હતું. નિર્માણ વ્યવસ્થાઃ જાવેદ અઝીઝ તથા કબીરએ સંભાળી હતી. | guj_Gujr |
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને કોરોના રીપોર્ટ પોઝીટવ – પોસ્ટ કરી આપી જાણકારી | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.
Home ગુજરાત ઉત્તર ગુજરાત બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને કોરોના રીપોર્ટ પોઝીટવ – પોસ્ટ કરી આપી...
દેશભરમા કોરોનાની બીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક નેતાઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. આ દરમ્યાન બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મુકી માહિતી આપી હતી.
શંકર ચૌધરીએ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડૉક્ટરોની સારવાર હેઠળ છું અને મારી તબિયત સારી છે. મારી સૌને નમ્ર વિનંતી છે કે છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમાં આવેલ તમામ લોકો ટેસ્ટ કરાવે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે. | guj_Gujr |
26/11 હુમલો: કેવી રીતે લાકડી અને દંડાની મદદથી ઓમ્બલેએ એકે47થી લેસ કસાબને જીવતો પકડ્યો? | 26/11 Attack: How did Ombley catch Les Kasab alive with an AK-47 using a stick and a cane? - Gujarati Oneindia
28 min ago GST કાઉન્સિલની આજે બેઠક, પેટ્રોલ-ડીઝલ અને કોરોનાની દવાઓ થઈ શકે છે સસ્તી
43 min ago 'મેને પ્યાર કિયા'ની ભાગ્યશ્રીનો બિકિનીમાં હૉટ અવતાર, 52ની ઉંમરે ફિટનેસ જોઈ ફેન્સ ચોંક્યા
26 નવેમ્બર 2020 ના રોજ મુંબઇ પર થયેલા આતંકી હુમલાને 12 વર્ષ પૂરા થયા છે. 60 કલાક સુધી, મુંબઈનું દૃશ્ય યુદ્ધના જેવું જ હતું અને જાણે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય. આ આતંકવાદી હુમલો પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલો સમયે લશ્કરના આતંકી અજમલ કસાબને મુંબઈ પોલીસે જીવતો પકડ્યો હતો. કસાબને પકડવામાં મુંબઈ પોલીસ સહાયક સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેનુ યોગદાન બધાને યાદ હશે. કસાબને પકડવો તે એટલું સરળ નહોતું. ઓમ્બલેને અશોક ચક્ર એનાયત કરાયુ હતુ.
ઓમ્બલેની ટીમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો
તુકારામ ઓમ્બાલે તે જ ટીમનો ભાગ હતા જેને રાષ્ટ્રપતિ તરફથી બહાદુર એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. સહાયક નિરીક્ષક સંજય ગોવિલકર, તુકારામના ભાગીદાર હતા. હાલ તેની ઉમર 5૦ વર્ષથી વધુ છે અને હાલમાં તે મુંબઇ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગનો એક ભાગ છે. હુમલાના પાંચ દિવસ પહેલા જ ડીબી માર્ગ પોલીસ સ્ટેશન તહેનાત કરાયું હતું. તેને હજી યાદ છે કે તે હુમલાની રાત્રે ટીવી પર ગોળીઓનો અવાજ આવ્યો ત્યારે તે તેના ઘરે હતો. ગોવિલકરે એમ કહીને ઘરેથી નિકળ્યા હતા કે તેમને પાછા ફરવામાં મોડુ થશે. જે પોલીસ સ્ટેશન પર તેને પોસ્ટ કરાયા હતા તેમને ગિરગામ ચોપાટી નજીક નાકાબંધી કરવાનો આદેશ અપાયો હતો. 13 લોકોની ટીમ સાથે, ગોવિલકર પોતાનું મિશન પૂર્ણ કરવા માટે રવાના થયા હતા.
કસાબની બંદૂકની બેરલ પકડી
ઓમ્બલે રાત્રે 12: 15 વાગ્યે વાલ્કેશ્વર તરફ જતા સ્કોડા પર નજર રાખવા માટે તેના વાયરલેસનો ઓર્ડર આપ્યો હતો. આ કાર ત્યાં લગભગ 12:30 મિનિટ પર દેખાઈ. ગોવિલકર બેરીકેડથી આશરે 50 ફૂટ દુર ઉભા હતા. પોલીસ કાર પાસે પહોંચી ત્યારે કાર બીજી બાજુના ડિવાઇડર્સને ટક્કર મારી હતી અને તેની ઉપર ચડી ગઈ હતી. ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ અને થોડા સમય બાદ કારના ચાલકે ફાયરિંગ શરૂ કરી દીધી. પોલીસે જવાબ આપ્યો અને ચાલકને ગોળીઓ લાગી હતી.
ડ્રાઈવર આતંકવાદી ઇસ્માઇલ ખાન હતો જે આતંકવાદીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. પેસેન્જર બાજુનો દરવાજો ખુલ્લો હતો જ્યા કસાબ ઉભો હતો. કસાબને પોલીસે શરણાગતિ આપવા જણાવ્યું હતું. કસાબને ડાબા હાથમાં ગોળી વાગી હતી. પરંતુ તેણે અચાનક પગ નીચે પડેલી એકે -47 કાઢી અને પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી. કસાબે ટ્રીગર દબાવતાં તુકારામ ઓમ્બલેએ બંદૂકની બેરલ પકડી લીધી હતી. ગોવિલકરે કહ્યું કે ઓમ્બલેને છથી સાત ગોળીઓ લાગી હતી. ગોવિલકરને પણ ગોળી વાગી હતી.
લાકડી, દંડાઓથી કસાબ પર કરાયો હુમલો
કસાબ અન્ય મેગેઝિન લોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પોલીસ ટીમે તેના પર લાકડીઓ અને દંડાઓ વડે હુમલો કર્યો હતો. ગોવિલકરે કહ્યું કે લાકડીઓ, દંડા અને નાના હથિયારોની મદદથી તેમની ટીમ એક આતંકવાદી સામે લડી રહી હતી, જે સંપૂર્ણ તાલીમ લઇને આવ્યો હતો અને બીજાને જીવતો પકડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઓમ્બલે અને ગોવિલકરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓમ્બલે શહીદ થયા હતા, તે જ ગોવિલકરને ચાર દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં આતંકવાદી ઇસ્માઇલ ખાનનું મોત નીપજ્યું હતુ અને કસાબની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વન નેશન, વન ઇલેક્શન દેશની જરૂરત, વિકાસમાં આવી રહી છે અડચણ: પીએમ મોદી
mumbai attack attack ajmal kasab ak47 government taj hotel police terrorist મુંબઇ હુમલો હુમલો અજમલ કસાબ સરકાર તાજ હોટલ પોલીસ આતંકવાદ આતંકવાદી હુમલો | guj_Gujr |
રાજ્ય સરકારના કર્મચારીઓ આંદોલનના મૂડમાં:7માં પગાર પંચના લાભો સહિતની માંગણી:ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ વિવિધ મંડળો દ્વારા ગાંધીનગરમાં જુના સચિવાલય બહાર સુત્રોચાર અને વિરોધ કરાયો
ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને 7માં પગાર પંચના લાભો ન મળતા કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે. કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગારપંચનો સૈધ્ધાંતિક રીતે ગુજરાત સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ ન કરાતા રાજ્ય સરકારના કર્મચારીઓ આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે. | guj_Gujr |
કડીના અલગ અલગ વિસ્તારમાં ગટરોના ઢાંકણા બિસ્માર હાલતમાં – નગરપાલિકા અકસ્માતની રાહ જોઈને બેઠી છે ? | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.
Home ગુજરાત ઉત્તર ગુજરાત કડીના અલગ અલગ વિસ્તારમાં ગટરોના ઢાંકણા બિસ્માર હાલતમાં – નગરપાલિકા અકસ્માતની રાહ...
કડીના અલગ અલગ વિસ્તારમાં ગટરોના ઢાંકણા બિસ્માર હાલતમાં – નગરપાલિકા અકસ્માતની રાહ જોઈને બેઠી છે ?
કડી નગરપાલિકા એક બાજુ વિકાસની વાત કરીને લોકોને મૂર્ખ બનાવી રહી છે. ત્યારે કડી શહેર વિસ્તારમાં આવેલ ગટર લાઇનના ઢાંકણા તૂટી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરની અંદર હજુ જોવે તેવો વરસાદ પડ્યો પણ નથી અને શહેર ની અંદર આવેલ જાહેર રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે તેના કારણે પણ ત્યાંથી નીકળતા વાહનચાલકો ને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ રસ્તા ને કારણે ત્યાંથી નીકળતા વાહનો સામે નજર પડતાં જાણે ડિસ્કો રોડ પરથી પસાર થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો – કડીના મંદિરમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો – અનેક ગુના કબુલ્યા !
શહેર ના અલગ અલગ વિસ્તારમાં ગટર ના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અને આ ઢાંકણા જાણે કોઈ વાહનચાલક નો જીવ લેશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે આવા રોડ રસ્તા પર ઢાંકણા તૂટી ગયા હસે ને ત્યાં જ પાણી ભરાઇ ગયું હશે ને ત્યાંથી નીકળતા કોઈ વાહનચાક આ તૂટી ગયેલ ઢાંકણા ને કારણે કોઈ અકસ્માત થશે કે પછી કોઈ રાહદારી ચાલી ને જઈ રહ્યા હશે ને ત્યાં ખુલ્લા ઢાંકણા ની અંદર પડી જશે અને કોઈ મોટી જાનહાનિ થશે તો કોની જવાબદારી રહેશે.
આ પણ વાંચો – વિસનગરનુ પીંઢારીયા તળાવ વિકસાવવા 3.61 કરોડનો કર્યો ખર્ચ -પરંતુ ભ્રષ્ટાચારથી ભાજપ વિરૂધ્ધ લોકોમાં રોષ !
કડી નગરપાલિકાના અધિકારીઓ આ જાહેર માર્ગો પર અનેક વાર દિવસમાં પસાર થઈ રહ્યા છે તો શું નગરપાલિકા ના અધિકારીઓ ને આ તૂટી ગયેલ હાલતમાં ગટર ના ઢાંકણા જોવામાં જ નહિ આવતા હોય ? કે પછી નગરપાલિકા આ ઢાંકણાને કારણે કોઈ મોટું નુકશાન કે અકસ્માત ની રાહ જોઈને બેસી રહ્યું છે ? કડી નગરપાલિકાના અધિકારીઓને કેમ જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં કોઈ રસ જ નથી લાગતો કે શું? કડીની જાહેર જનતા અનેક પ્રકારનાના ટેક્સ ભરવા આવી રહ્યા હોવા છતાં પ્રજા જનોને શહેરની અંદર પુરતી સગવડ કેમ મળી રહેતી નથી.
આ પણ વાંચો – બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન
નગરપાલિકા કોઈ સામન્ય નાગરિકનો પાણી વેરો,ઘરવેરો કે અન્ય કોઈ પણ પ્રકારનાના વેરા જો ભરવામાં ના આવે તો તેને દબાણ પુર્વક તેને નગરપાલિકા ના વેરા ભરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે તો કેમ નગરપાલિકા ના અઘિકારીઓ ને પણ જે કડી ની જાહેર જનતા ને પડતી મુશ્કેલીઓ દૂર કેમ કરવામાં નથી આવતી. નગરપાલિકા કેમ ઠેર ઠેર તૂટી ગયેલ ઢાંકણા બદલવામાં કોઈ રસ ધરાવતી જ નથી કે શું? ક્યારે આ કડી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ગટર લાઇન ના ઢાંકણા બદલવાની કે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે તે જોવા નું રહી ગયું છે. | guj_Gujr |
ગુજરાતી સમાચાર: આ લેડી ડોક્ટરે એવા હોટ ફોટો પોસ્ટ કર્યા કે તેનું મેડિકલ લાઈસન્સ રદ થઈ ગયું | Lady Doctors Medical License Canceled For Posting Hot Photos - Celebrities | I Am Gujarat
Gujarati News Celebs આ લેડી ડોક્ટરે એવા હોટ ફોટો પોસ્ટ કર્યા કે તેનું મેડિકલ લાઈસન્સ...
Updated: Dec 16, 2019 11:59 am IST
મ્યાનમારમાં એક મહિલા ડોક્ટરનું લાઈસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ છે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી આપત્તિજનક તસવીરો. લાઈસન્સ કેન્સલ થયા બાદ હવે તે મેડિકલ પ્રેક્ટિસ ચાલું નહીં રાખી શકે. મહિલા ડોક્ટરની બિકીની પોસ્ટ બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર મોડલ બનેલી નોંગ મ્યૂ સાંગ હવે લોકોની સારવાર નહીં કરી શકે.
મહિલા ડોક્ટરની તસવીરોના કારણે તેને પોતાનું લાઈસન્સ ગુમાવવું પડ્યું છે. તેણે પોતાની પર્સનલ ફ્રીડમમાં દરમિયાનગિરી કરી હોવાનું જણાવીને આ નિર્ણયનો વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી નોંગ ઘણીવાર તેની કેટલીક હોટ અને સેક્સી તસવીરો પોસ્ટ કરતી રહે છે.
નોંગ વ્યવસાયે ડોક્ટર છે અને શોખથી મોડલ છે. તે અમેરિકન મોડલ કેન્ડલ જેનરની નકલ કરી રહી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તેણે બિકીનીમાં કેટલીક તસવીરો ક્લીક કરાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. જોકે તેનો આ લુક મ્યાનમાર મેડિકલ કાઉન્સિલને આપત્તિજનક લાગ્યો, જે બાદ નોંગના નામે લેટર બહાર પાડીને તેનું લાઈસન્સ રદ કરવાની જાણકારી અપાઈ. કાઉન્સિલે દલીલ આપી કે મહિલા ડોક્ટરની ડ્રેસિંગ સ્ટાઈલ મ્યાનમારના કલ્ચર અને પરંપરાઓ વિરુદ્ધ હોવાથી તેનું લાઈસન્સ રદ કરવામાં આવે છે.
જોકે આ પહેલીવાર નથી બન્યું જ્યારે નોંગને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ માટો ટોકવામાં આવી હોય. આ પહેલા જાન્યુઆરીમાં પણ તેને ફોટો માટે વોર્નિંગ આપવામાં આવી હતી. તેને પોતાની આપત્તિજનક તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે કહેવાયું હતું. નોંગે ફોટો ન હટાવ્યા કહ્યું હતું કે, દર્દીઓની સારવાર દરમિયાન તે આ પ્રકારના કપડાં પહેરતી નથી. કાઉન્સિલ તેની સ્વતંત્રતાનું હનન કરી રહી છે. | guj_Gujr |
કરોડોના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીએ કર્યું સરેન્ડર :સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ:વાહનો જપ્ત
અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા :ચાર ફ્લેટને સીઝ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત
અમદાવાદ: વિનય શાહ એન્ડ કંપની દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈના મામલે ભાર્ગવી શાહે CID ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું છે. વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. અન્ય આરોપી દાનસિંહ વાળા અને વિનય શાહના અન્ય સાગરીતોના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી ખાતે આવેલા તેના 4 ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે.
260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી જુદી બેન્કોમાં કુલ 7 ખાતા હતા. જે ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે. તો વિનય શાહની પત્નીના કુલ 6 ખાતા છે જેમાં 8 લાખ,46 હજાર,392 રૂપિયા બેલેન્સ છે. જ્યારે દાનસિંહ વાળા અને અન્ય આરોપીઓના 11 ખાતામાં 29 લાખ, 70 હજાર,213 રૂપિયા છે. જ્યારે વિનય શાહે તેના પુત્ર મોનિલ શાહના ડીમેટ ખાતાઓમાં 1 કરોડ, 27 લાખ, 56 હજાર 736 રૂપિયાનું બેલેન્સ છે.
ભાર્ગવીની ધરપકડ કરીને CID ક્રાઈમે પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી 558 લોકોનાં નિવેદન લેવાયાં છે. હવે તપાસનો ધમધમાટ તેજ થતાં અનેક ખુલાસા સામે આવે તેવી શકયતા છે. | guj_Gujr |
હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna) - Blogs in Gujarati - Gujaratilexicon
Home » Gujarati Blogs » Spiritual and Religious » હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)
(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે.
તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે મધ્ય રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો.
તે ગોકુળમાં નંદને ઘેર ઊછર્યો. તેમની આકૃતિ મધ્યમ પ્રકારની હતી. નેત્ર કમળ જેવાં, નાસિકા સરળ, અંગકાંતિ શ્યામવર્ણની હતી. તેમને પીળાં વસ્ત્ર પહેરવામાં પ્રીતિ હતી. અધ્યાત્મજ્ઞાનમાં પારંગત હતો. તેનું શસ્ત્રઅસ્ત્ર મિથ્યા થતું નહિ. સ્નાન સંધ્યાદિક નિત્યકર્મ કરવાની દીક્ષા તેણે ઉપમન્યુ ઋષિ પાસેથી લીધી હતી. એ શ્યામસુંદર, કમળનયન, રમણીય અવતારમૂર્તિ સાક્ષાત્ વિષ્ણુએ જગદુદ્ધાર અર્થે અવતારદેહ ધારણ કર્યો છે એવું ઋષિમુનિઓએ જાણી લીધું હતું. કૃષ્ણ પૂર્ણ સોળ કળા અવતારી પુરુષ હતા. તેમણે પોતાની યોગમાયાથી જન્મથી માંડીને અગિયાર વર્ષે કંસને માર્યો ત્યાં સુધી બાળચરિત્રો કર્યાં.
આ પણ જુઓ : ગીતાસાર
મથુરાના ઉગ્રસેનને ગાદીએથી ઉઠાડી મૂકી કંસ ગાદીએ બેઠો અને આજ્ઞા કરી કે કોઈએ રામનામ લેવું નહિ અને યજ્ઞ કરવો નહિ. એણે બ્રાહ્મણ તથા પ્રભુભક્તોને બહુ દુઃખ દીધું. જ્યારે તેના કાકા દેવકે પોતાની કન્યા દેવકીને વસુદેવ સાથે પરણાવી ત્યારે કંસ (Kans) તેમને ખુશીથી વળાવા જતો હતો. એવામાં આકાશવાણી થઈ કે એનો આઠમો પુત્ર તારો કાળ થશે. કંસે દેવકી વસુદેવ બંનેને કેદમાં રાખ્યાં. દેવકીને થયેલાં સાત સંતાનોનો કંસે નાશ કર્યો. આઠમા સંતાન કૃષ્ણને મારવાને માટે કંસે ઘણી યુક્તિ કરી.
પોતાની બહેન પુતનાને તથા કણાસુર, શકટાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુર, ધુંધક, પ્રબંધ, વૃષભાસુર, કેશી, વ્યોમાસુર વગેરે ઘણા રાક્ષસોને મોકલ્યા, પણ બાળકૃષ્ણે તે સર્વનો નાશ કર્યો. છેવટે અક્રૂરને મોકલી કૃષ્ણને મથુરા બોલાવ્યા અને શલ, દૂશલ, ચાણૂર, મુષ્ટિક અને કૂટ એ પાંચ વિકરાળ મલ્લો સાથે યુદ્ધ કરાવી કૃષ્ણને મારી નખાવવાનો વિચાર કર્યો. રસ્તામાં કુવલયાપીડ નામના દારૂ પાઈને મસ્ત બનાવેલા હાથીને ઊભો રાખ્યો. અગિયાર વર્ષના સુકુમાર બાળક શ્રીકૃષ્ણે તે હાથીને તથા મલ્લોને મારી નાખ્યા ને કૂદકો મારી કંસને પકડી તેના પ્રાણ લીધા અને માતાપિતાને કેદમાંથી છોડાવ્યાં.
એક વખત બાળ વયમાં બગાસું ખાતાં તેણે પોતાના મોઢામાં માતા જશોદાને ત્રણ ભુવન બતાવ્યાં હતાં. તોફાન કરે, ગોરસડાં ફોડે તોપણ સૌ પ્રેમભાવથી તેમને તેડી રમાડતાં. એકવાર કૃષ્ણે માયા રચી. ગોકુળમાં ઘેર ઘેર કૃષ્ણરૂપ (krishna) થઈ ગોરસડાં ફોડી દહીં માખણ તે ખાવા લાગ્યો. સ્ત્રીઓ જશોદા પાસે રાવે આવી. જશોદાએ કહ્યું કે મારો કૃષ્ણ તો પારણામાં જ રમે છે. બધી સ્ત્રીઓએ કૃષ્ણ શેરીઓમાં ભાખોડિયાભર ફરે છે એવું દીઠું હતું. કૃષ્ણની માયાનો આવો પ્રભાવ જાણી સૌનો તેમના ઉપર પ્રેમ વધ્યો.
આ પણ વાંચો : જન્માષ્ટમી
એક દિવસે તોફાની કૃષ્ણે ઘરમાં દહીં દૂધનાં મટકાં ફોડી સર્વ ઢોળી નાખ્યું અને પોતાના મિત્રોને તે ખવરાવ્યું. માતાએ દામણાથી કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધ્યા. ખાંડણિયો ઘસડતા ઘસડતા કૃષ્ણ જ્યાં નલકુબેર અને મણિગ્રીવ નામના કુબેરના બે પુત્ર નારદના શાપથી આમલીના ઝાડરૂપ થયા હતા ત્યાં આવ્યા. ખાંડણિયો ભટકાતાં તે બંને વૃક્ષ પડી ગયાં અને તેમાંથી બે દિવ્ય પુરુષ નીકળી કૃષ્ણની સ્તુતિ કરી ચાલતા થયા. કૃષ્ણ ગોવાળિયાના છોકરા ભેગા વાછરડાં ચારવા લાગ્યા. તે આહીરોની સાથે ખાતાપીતા, તેથી દેવોને શંકા થઈ કે કૃષ્ણ પરમાત્મા આહીરો સાથે ખાય છે માટે યજ્ઞાદિકમાં પવિત્રતા શા માટે જોઈએ ? તેથી પરીક્ષા કરવા બ્રહ્માએ બધાં વાછરડાંઓ સંતાડી દીધાં. કૃષ્ણે પોતાની માયાથી તેવા જ રંગનાં બીજાં વાછરડાંઓ બનાવી દીધાં.
કાળી નાગને મારી યમુનાનું પાણી વિષમય હતું તે અમૃતતુલ્ય કર્યું. પોતાની મોરલી બજાવી સર્વને તેમણે મોહિત કર્યાં હતાં. ગોકુળની સ્ત્રીઓ વસ્ત્ર રહિત થઈ સ્નાન કરતી હતી તેને શાસ્ત્રમર્યાદા બતાવી. ગોવાળો ઈંદ્રની પૂજા કરતા તેને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું કૃષ્ણે કહ્યું. ઈંદ્રે ગુસ્સે થઈ મૂશળધાર મેઘ વર્ષાવ્યો. કૃષ્ણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત છત્રની પેઠે તોળી રાખ્યોને તેની નીચે સર્વેનું રક્ષણ કર્યું. ઈંદ્રે ગર્વ મૂકી કૃષ્ણની સ્તુતિ કરી.
આઠ વર્ષની બાળ વયે જશોદા પાસે બેઠાં બેઠાં છ માસનાં રાત્રિ દિવસ કર્યાં. મહારાસક્રીડામાં સર્વ સ્ત્રીઓની પાસે એક એક કૃષ્ણ ઊભા છે એવી પોતાની યોગમાયા પ્રગટી. રાધા વગેરે સર્વ સ્ત્રીઓને શૃંગારનું પૂર્ણ સુખ આપ્યું ને સર્વનો ઉદ્ધાર કર્યો. સુદર્શન નામનો વિદ્યાધર અંગિરા ઋષિના શાપથી અજગર થઈને પડ્યો હતો તેનો ઉદ્ધાર કર્યો. કુબ્જાને કૂબડી મટાડી દિવ્ય દેહ આપ્યો. કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બળરામ સાંદિપનિ ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં તેઓએ વેદ, ઉપવેદ, ન્યાય, તત્ત્વજ્ઞાન, ધનુર્વિદ્યા અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુદક્ષિણામાં ગુરુનો પુત્ર જે સમુદ્રમાં ડૂબી ગયો હતો તેને પાછો લાવવા પાંચજન્ય દૈત્યને માર્યો, તેનું શંખરૂપ તન પોતે લીધું. એ વગાડી તેણે યમને દર્શન આપી ત્યાંથી ગુરુપુત્રને ત્યાંથી લઈ આવ્યા.
કંસનો સાસરો જરાસંધ ઘણો દુષ્ટ હતો. તેણે ૨૦૮૦૦ રાજાને કેદ કર્યા હતા. તેનો નાશ કરવા પ્રથમ તેણે મોકલેલા કાળયવનને યુક્તિથી મુચકુંદ પાસે બળાવી નાખ્યો ને પછી ભીમને હાથે તેને મરાવી નાખ્યો અને રાજાઓને છોડાવ્યા. વિશ્વકર્મા પાસે સર્વ યાદવો સમાઈ રહે તેવી ઉત્કૃષ્ટ દ્વારકા નગરી વસાવી. યોગમાયાને આજ્ઞા કરી એક રાત્રિમાં સર્વ સંપત્તિ સહિત સર્વને ત્યાં વસાવ્યાં. વૈદર્ભ દેશની રુકિમણીનું હરણ કર્યું, જાંબુવાનની કન્યા જાંબુવતીને તથા સત્રાજિતની કન્યા સત્યભામાને પરણ્યા. પ્રાગજ્યોતિષપુરના નરકાસુર નામના રાજાએ ઘણા રાજાઓની કન્યાઓને પકડી કેદ કરી હતી. કૃષ્ણે નરકાસુરને મારી તે સોળ હજાર એકસો કન્યાઓ છોડાવીને તે સાથે પોતે લગ્ન કર્યાં.
તેમને મુખ્ય આઠ પટરાણી હતી. તેનાં નામ: રુકિમણી, જાંબુવતી, સત્યભામા, ભદ્રા, મિત્રંવદા, સત્યા, કાલિંદી અને રોહિણી. બાણાસુરના હજાર હાથમાંથી ચાર રાખી બાકીના કાપી નાખી તેનો ગર્વ ઉતાર્યો. પુંડરીક રાજા જુલમ કરતો હતો તેને મારી પ્રજા સુખી કરી. નૃગ રાજા શાપથી અંધારા કૂવામાં પડ્યો હતો તેને ચરણ અડાડી દિવ્યદેહી કર્યો.
દ્રોપદીના સ્વયંવરમાં પાંડવોને સહાય કરી જય અપાવ્યો. યુધિષ્ઠિરે આદરેલા રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોનું એઠું ઉપાડવાનું કામ કૃષ્ણે પોતાને હાથે રાખ્યું અને એક બ્રાહ્મણના પ્રેતને તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતથી સજીવન કર્યું. મદાંધ શિશુપાળનો નાશ કર્યો તથા શૈલ્ય, દંતવક્ર, વિદુરથને મારી નાખ્યા. ગુરુબંધુ સુદામાનું દારિદ્રય ટાળી સુખી કર્યો. કૌરવો પાંડવોને ઘણું દુઃખ દેતા. સતી દ્રોપદીનાં વસ્ત્રો દુઃશાસને ભરસભામાં ખેંચવા પ્રયત્ન કર્યો. એ વખતે ગુપ્તપણે કૃષ્ણે વસ્ત્રો પૂરી સતીની લાજ રાખી. કૌરવોને અનેક વાર કૃષ્ણે સમજાવ્યા છતાં તેમણે પાંડવોને (Pandavas) થોડો પણ ભાગ આપવાની ના પાડી, જેથી યુદ્ધનું નક્કી થયું. ત્યારે દુર્યોધન (Duryodhan) તથા અર્જુન (Arjun) બંને કૃષ્ણની મદદ માગવા ગયા. કૃષ્ણે પોતે યુદ્ધમાં ઊતરવાની ના પાડી, પણ સૈન્ય મોકલવા હા પાડી. દુર્યોધને સૈન્ય માંગ્યું. તેથી કૃતવર્મા યાદવને એક અક્ષૌહિણી સૈન્ય લઈને મોકલ્યો. તમે યુદ્ધ ન કરશો, પણ અમારી સાથે રહો એવી અર્જુનની માગણીથી કૃષ્ણ અર્જુન સાથે ગયા અને અર્જુનના સારથિ બન્યા. લડાઈની શરૂઆતમાં પોતાનાં આપ્તજનોને સામે ઊભેલાં જોઈ અર્જુને હથિયાર છોડી દીધાં ત્યારે કૃષ્ણે અર્જુનને બોધ આપી લડવા સમજાવ્યો. એ બોધ ગીતામાં કહેલો છે અને તે બુદ્ધિમાન પુરુષોએ મનન કરવા જેવો છે.
યુદ્ધમાં શ્રીકૃષ્ણે પાંડવોને યુક્તિઓ બતાવી દુર્યોધનાદિ કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને જય અપાવ્યો. પછી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. એક સમયે સર્વ યાદવોને લઈ કૃષ્ણ પ્રભાસની યાત્રાએ ગયા, ત્યાં યાદવો મદિરા પીને મસ્ત બન્યા હતા. તેમાં કજિયો થતાં સમુદ્ર કિનારે હથિયારો ખેંચાયાં અને સર્વ મરણ પામ્યા. આ સઘળું કૃષ્ણની ઈચ્છાથી જ થયું હતું અને તેમની ઈચ્છાથી જ દુર્વાસા મુનિએ તેવો શાપ આપ્યો હતો. આ સર્વ યાદવો કપાઈ મૂઆ તે વખતે કૃષ્ણ તથા બળરામ દૂર જઈ બેઠા હતા. એ રીતે સર્વનો નાશ કરી પોતે તથા બળરામે વૈકુંઠ જવા વિચાર કર્યો. બળરામે લંગોટી વાળી સમુદ્ર કિનારે જઈ દેહ તજી દીધો. પછી શ્રીકૃષ્ણ પીપળાને થડે જમણો પગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી એકધ્યાનથી બેઠા ત્યાં તેમની ઈચ્છાથી જ વાલી નામના વાંદરાનો અવતાર જરા નામનો કોળી નિમિત્ત કારણે ધનુષ્ય લઈ આવ્યો. તેણે કૃષ્ણ પરમાત્માના ચળકતા પગને હરણની આંખ જાણી બાણ માર્યું. પછી પાસે આવી કૃષ્ણને જોઈ પસ્તાવો કરવા લાગ્યો. કૃષ્ણે તેને દિલાસો આપ્યો કે મારી ઈચ્છાથી જ આ થયું છે. એવામાં કૃષ્ણનો સારથિ દારુક આવ્યો. તેને કૃષ્ણે કહ્યું કે મારા સ્વધામ ગયાની અને યદુવંશીઓના મરણની વાત તું દ્વારકામાં કરજે અને કહેજે કે હવે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. માટે તમો સર્વ સ્ત્રી બાળકો તથા ધનમાલ લઈ અર્જુન સાથે હસ્તિનાપુર જજો. એટલામાં સર્વ દેવતાઓ વિમાનમાં બેસી કૃષ્ણને તેડવા આવ્યા, પણ કૃષ્ણ આંખો મીચી ધ્યાન કરી વીજળીની પેઠે ચમકાર કરી પોતાના મૂળ સ્વરૂપમાં મળી ગયા. એ રીતે કૃષ્ણે અનેક દુષ્ટોનો સંહાર કરી ભૂમિનો ભાર ઉતાર્યો અને ધર્મ, નીતિ, ન્યાય તથા વિવેકની સ્થાપના કરી તેઓ સ્વધામમાં ગયા.
તે મોટા પરોપકારી ને નિર્લોભી હતા. રાજવંશી છતાં ગોવાળિયાની સ્થિતિમાં તે ઊછર્યા હતા. તેઓ ચંદ્રવંશી યયાતિ રાજાના પુત્ર યદુના વંશના હતા. દ્વારકા તેમની રાજધાની હતી. તેમના મણિનું નામ કૌસ્તુભ, સારથિનું નામ દારુક, ખડ્ગનું નામ નંદક, શંખનું નામ પાંચજન્ચ, મુખ્ય શસ્ત્રનું નામ સુદર્શન ચક્ર, ગદાનું નામ કૌમોદકી હતું. તેઓ શૃંગારમાં વિલાસી હતા. રણમાં તેમની બરોબરી કરી શકે એવું કોઈ ન હતું. તેમની મુખમુદ્રા અવલોકન કરનારના મનમાં જુદા જુદા ભાવો પ્રગટ થતા. એમ કૃષ્ણે પોતાની અલૌકિક માયા દેખાડીને પોતાનું પ્રભુત્વ દર્શાવી આપ્યું છે.
તેમની ઉત્પત્તિ વિષે એમ કહેવાય છે કે વિષ્ણુએ પોતાના બે વાળ ખેંચી કાઢ્યા. એક ધોળો અને બીજો કાળો. આ બે વાળ રોહિણી અને દેવકીના ગર્ભાશયમાં ગયા. ધોળો વાળ બળરામરૂપે અને કાળો વાળ કૃષ્ણ અથવા કેશવરૂપે ઉત્પન્ન થયા. તેમનાં અનેક નામ છે. તેમાં ઉપેંદ્ર, વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વયંભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરી, શ્રીપતિ, પુરુષોત્તમ, બલિધ્વંસી, કંસારાતિ, અધોક્ષજ, વિશ્વંભર, વિધુ, કૈટભજિત, શ્રીવત્સલાંછન, વનમાળી, વિઠ્ઠલ, કહાન, નંદકિશોર, કનૈયા, શામળિયા, વાસુદેવ, માધવ, નટવર, મદનમોહન, મધુસૂદન, ત્રિકમ, કેશવ, મુરલીધર, ચક્રપાણિ, સારંગપાણિ, ગરુડગામી, ગોવિંદ, મુરારિ, હૃષીકેશ, ગોપાળ, ગિરિધારી, વ્રજરાજ, દામોદર વગેરે છે. નિજધામ જવા કાળે કૃષ્ણનું વય એકસો પચીશ વર્ષનું હતું. | guj_Gujr |
પ્રગતિશીલ ખેડૂતે વિકસાવેલ ઘઉંની શ્રેષ્ઠતમ જાતને સરકાર તરફથી મળી માન્યતા | ખેડૂતને સપોર્ટ કરવા પેજ લાઈક કરો
Home ખેતી પ્રગતિશીલ ખેડૂતે વિકસાવેલ ઘઉંની શ્રેષ્ઠતમ જાતને સરકાર તરફથી મળી માન્યતા
પ્રગતિશીલ ખેડૂતે વિકસાવેલ ઘઉંની શ્રેષ્ઠતમ જાતને સરકાર તરફથી મળી માન્યતા
Published on: 7:01 pm, Thu, 12 August 21
હાલમાં ખેતીક્ષેત્રને લઈ એક જાણકારી સામે આવી છે. ઉત્તરાખંડમાં આવેલ નૈનિતાલ જિલ્લાના ખેડૂત નરેન્દ્ર સિંહ મહેરાની અનેક વર્ષોની મહેનત રંગ લાવી છે, તેમના પ્રયાસોને લીધે, ઘઉંની નવી જાત 'નરેન્દ્ર 09' ને ભારત સરકાર દ્વારા માન્યતા મળી છે. તેના ટ્રાયલ ઉત્તરાખંડથી રાજસ્થાન સુધી કરવામાં આવ્યા હતા, તમામ જગ્યાએ ખુબ સારા પરિણામ જોવા મળ્યા છે.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ હલ્દવાની બ્લોકના મલ્લદેવાલા ગામના વતની નરેન્દ્ર સિંહ મહેરા એક સફળ ખેડૂત તરીકે જાણીતા બન્યા છે. ભૂગોળમાં અનુસ્નાતક તથા પીજી ડિપ્લોમા ઇન ટુરિઝમ છે, તેઓ કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગ કરતા રહેટા હોય છે.
અન્ય ઘઉં કરતાં વધારે સારી ડૂંડીઓ બને છે. ઘઉંનું વજન વધારે આવે છે. છોડ ખૂબ મજબૂત છે. વધુ પવન તથા વરસાદમાં ઢળી પડતા નથી. ડૂંડીમાં બીજી જાતોના 50-55 દાણાની સામે નરેન્દ્રમાં 70-80 અનાજના દાણા સુધી પહોંચે છે. વર્ષ 2013માં નરેન્દ્રએ RR-21 જાતના ઘઉંનું વાવેતર કર્યું હતું.
જેમાં 3 છોડ જૂદા-જુદા દેખાઈ આવ્યા હતા. તેની ડૂંડી પણ અલગ હતી. તેને અલગ તોડીને બિયા સાચવીને બીજા વર્ષે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. થોડા વર્ષોમાં 80 કિલો બીજ થઈ ગયા હતા.
80 કિલો બિયારણ ભેગા કર્યા પછી નરેન્દ્ર સિંહે તેને બીજા ખેડૂતોને વાવવા માટે આપી દીધા છે. નરેન્દ્ર સિંહ જણાવે છે કે, "અધિકારીઓ ખેડૂતોનો સંવાદ કરતાં હતા ત્યારે મેં મારા પોતાના એક છોડની વાત આ અધિકારીઓને કરી હતી. મને અભિપ્રાય આપ્યો હતો કે, પેટન્ટ કરાવવું જોઈએ. હું પંતનગર કૃષિ યુનિવર્સિટીમાં ગયો ત્યારે જણાવાયું હતું કે, તે બે જગ્યાએ વાવવામાં આવશે, એક યુનિવર્સિટીમાં અને એક ખેડૂતના ખેતરમાં. તેના પ્રયોગો સફળ રહ્યાં હતા."
વર્ષ 2017 માં, નરેન્દ્ર સિંહે જ્યોલીકોટ દ્વારા છોડની વિવિધતા તથા ખેડૂત અધિકાર સંરક્ષણ સત્તામંડળને મોકલવામાં આવી હતી કે, જ્યાં નવેમ્બર વર્ષ 2017 માં નોંધાણી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા માટે, એવું કહેવાયું હતું કે, તે પંત નગર કૃષિ યુનિવર્સિટી તથા કૃષિ સંશોધન કેન્દ્ર, ગ્વાલદામમાં તેના પ્રયોગ કરાયા હતા.
Previous articleએક સમયે 10,000 રૂપિયા ઉછીના લઈને ખેતી શરૂ કરનાર સુરતની દિવ્યાંગ મહિલા કરે છે વાર્ષિક ૨૨ લાખનું ટર્નઓવર | guj_Gujr |
બુધનો રત્ન પહેરવાથી દૂર થાય છે આટલી બધી તકલીફો, સાથે જાણો શું થાય છે લાભ - જલ્સા કરોને જેંતીલાલ
Home અધ્યાત્મ બુધનો રત્ન પહેરવાથી દૂર થાય છે આટલી બધી તકલીફો, સાથે જાણો શું...
શું છે બુધના રત્નની ખૂબીઓ ? જાણો કયા લોકોએ પન્ના ધારણ કરવો જોઈએ
જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. દરેક રાશિ માટે એક ખાસ ગ્રહના રત્નનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. જો તમારી સમસ્યા પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવેલા કોઈ રત્નને તમે તમારી ચોક્કસ આંગળી પર ધારણ કરો તો તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેવું માનવામાં આવે છે. જેમ કે કેટલાક લોકો પોતાના હાથની ટચલી આંગળીએ ચંદ્રની વીંટી પહેરે છે. કહેવાય છે કે તેનાથી મન શાંત રહે છે. આવી જ રીતે અન્ય રાશિ તેમજ સમસ્યા માટે અમુક ચોક્કસ ગ્રહના રત્નો હોય છે જેને પહેરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામા આવે છે. તે ઘેરાથી હલકા રંગનો હોય છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિત્ત્વ પ્રભાવશાળી બને છે. જો કે વગર જાણકારીએ અને નિયમનું પાલન કર્યા વગર જો કોઈ રત્ન પહેરવામાં આવે તો તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. પન્ના નવરત્નોમાં એક અસરકારક અને કોમળ પ્રભાવનો રત્ન છે. તે મુખ્ય રીતે બેરુઝ વર્ગનો રત્ન છે. તેમાં થોડા પ્રમાણમાં ઓક્સિજન અને પાણી હોય છે. પન્ના ક્યાંય પણ મળે, તે ષઠકોણી હોય છે. સામાન્યરીતે પન્ના જાળ વગર નથી હોઈ શકતો અને વગર દોષનો પન્નારત્ન મળવો ખૂબ મુશ્કેલ છે.
જો પન્ના લાભ આપે તો તેના શું શું લાભ થઈ શકે છે ?
પન્ના તમારી બુદ્ધિને પ્રખર અને એકાગ્ર બનાવી દે છે. તે મનની ચિંતાઓ દૂર કરે છે. તેને ધારણ કરવાથી વાણીની શક્તિ પણ વધે છે. પન્ના સામાન્ય રીતે વેપાર અને આર્થિક સ્થિતિમાં લાભ પોહંચાડે છે. તેનાથી વ્યક્તિત્ત્વ ચમકદાર અને પ્રભાવશાળી બને છે. તે ત્વચાના રોગમાં પણ ખૂબ લાભ પહોંચાડે છે.
પન્ના જો નુકસાન કરે તો કેવી-કેવી સમસ્યાઓ થઈ શકે છે ?
તે બુદ્ધિને ભ્રમિત કરી દે છે અને તમારા મનને અકળાવી મુકે છે. તેના કારણે તમને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તે ત્વચામાં સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે છે. તે તમારા આત્મવિશ્વાસને પણ ડગમગાવી દે છે.
કોના માટે પન્ના ધારણ કરવો શુભ માનવામાં આવે છે અને કોણે પન્ના ધારણ ન કરવો જોઈએ ?
વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુમ્ભ લગ્ન વાળા જાતકો માટે પન્ના લાભપ્રદ હોય છે. સિંહ, ધન અને મીન લગ્નમાં વિશેષ સ્થિતિમાં પન્ના ગ્રહણ કરી શકાય છે. મેષ, કર્ક, વૃશ્ચિક લગ્નમાં પન્ના ભૂલથી પણ ન પહેરવો જોઈએ. જે લોકો વાણી સાથે જોડાયેલા કામમાં હોય, તેણે પન્ના ધારણ કરવો જોઈએ. આર્થિક ક્ષેત્રના લોકોએ પણ પન્ના ધારણ કરવો જોઈએ.
પન્ના ધારણ કરવાના નિયમો કયા છે ?
પન્ના જેટલો વધારે લીલો હોય તેટલું વધારે સારું. પન્નાને ચાંદી કે સોનામાંથી બનાવેલી વીંટીમાં ધારણ કરવો જોઈએ. પન્નાને બુધવારે સવારે ધારણ કરવો જોઈએ. પન્ના સાથે મૂંગા અને મોતી ધારણ ન કરવા જોઈએ. પન્નાનાની સાથે હીરા કે પછી ઓપલ પહેરવા વધારે શુભ માનવામાં આવે છે. જો પન્ના ધારણ કરી શકો તો હરિત તુરમલી, મરગજ અથવા તો પેરિડોટ ધારણ કરો. | guj_Gujr |
મારા ઘરને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યુંઃ હાર્દિક | police isn't allowing anyone to my house says hardik - Gujarati Oneindia
| Published: Monday, August 27, 2018, 12:55 [IST]
હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરીને પોલીસથી અને રાજ્ય સરકારથી નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ જેવા મહાનુભાવોએ જેલમાં એકલા બેસીને દેશને આઝાદ કરવા માટે ઉપવાસ કરેલા ત્યારે હું પણ ખેડૂતોની દેવા માફી અને અનામત આંદોલનની માંગણી સાથે ઉપવાસ શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં 2 વખત હાર્દિકના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે. હાર્દિકે કહ્યું કે એટલી જલદી હું ભાંગી પડું તેમ નથી.
હાર્દિક પટેલે કહ્યું કે પોલીસે મારા ઘરની બહાર જેલ જેવું વાતાવરણ કરી દીધું છે, લોકોને અંદર આવવા દેવામાં આવતા નથી તેમની સાથે પોલીસ રકજક કરે છે. મમતા બેનરજી અને તેમનું ડેલિગેશન આવ્યું ત્યારે પોલીસે તેમને પણ અંદર આવવા દેવામાં રકજક કરી હતી. પોલીસ સંપૂર્ણ દાદાગીરી વાપરી રહી હોવાનો આરોપ લગાવ્યો. આ પણ વાંચો- હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશન
દરમિયાન હાર્દિકે જણાવ્યું કે રામોલના કેસમાં આજે ચૂકાદો આવ્યો છે ત્યારે જો જામીન રદ થાય તો જેલમાં જઈને ઉપવાસ કરવા જણાવ્યું છે. ઉપરાંત હાર્દિકે પાટીદાર યુવકોને સંદેશો આપતા કહ્યું કે જો તમારા તાલુકામાંથી જ તમને રોકી લેવામાં આવે તો તમારા ઘરે જ ઉપવાસ કરો. સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોની મુસિબતો વધી રહી છે, માંડવીમાં મુંડા પડી ગયા અને ગાંધીનગરમાં ગુંડા પહોંચી ગયા છે.
હાર્દિકે જણાવ્યું કે, ગતરોજ બિહારમાંથી 40 અને યુપીમાંથી 20 જેટલા લોકો આવ્યા હતા, પરંતુ તેમને કોઈને ઘરની અંદર નહોતા આવવા દેવામાં આવ્યા. વધુમાં જણાવ્યું કે મધ્ય પ્રદેશથી 300 ગાડી નીકળી ગઈ છે અને 28 તારીખે તેઓ અમદાવાદ પહોંચી જશે. લડાઈ ન્યાય તરફ નહીં પહોંચે ત્યાં સુધી લડાઈ લડવાનો સૂર લગાવ્યો હતો. | guj_Gujr |
ગુજરાતી સમાચાર: યુવીના પિતાનો ખુલાસો, કેમ પુત્ર સાથે કર્યો કઠોર વ્યવહાર | I Was Harsh On Yuvraj As I Wanted To Prove To Some People Says Yograj Singh - World Cup | I Am Gujarat
Gujarati News World Cup યુવીના પિતાનો ખુલાસો, કેમ પુત્ર સાથે કર્યો કઠોર વ્યવહાર
યુવીના પિતાનો ખુલાસો, કેમ પુત્ર સાથે કર્યો કઠોર વ્યવહાર
Published: Jun 11, 2019 23:25 pm IST
મુંબઈ: યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે મંગળવારે સ્વીકાર્યું કે, તેઓ ક્યારેક-ક્યારેય પોતાના પુત્ર પ્રત્યે કઠોર હતા કારણ કે, તેઓ કંઈક સાબિત કરવા માગતા હતા. તેમને હંમેશાં પોતાના દીકરા પર ગર્વ રહેશે. યુવરાજે સોમવાર ઉતાર-ચઢાવથી ભરેલા પોતાના ક્રિકેટ કરિયરનો અંત કર્યો. આ દરમિયાન તેના કરિયરની સર્વશ્રેષ્ઠ ક્ષણ 2011 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવાનું રહ્યું.
ભારત માટે 1 ટેસ્ટ અને 6 વન-ડે ક્રિકેટ મેચ રમનારા યોગરાજે ફોન પરની વાતચીતમાં કહ્યું, 'હું કૃતજ્ઞ છું કે, મારે તેના જેવો દીકરો છે. હું મારા દીકરાને ધન્યવાદ આપું છું અને હું હંમેશા તેને કહું છું કે, મને તેના પર ગર્વ છે.' યોગરાજ દ્વારા ભાર આપવામાં આવતા જ યુવરાજે ક્રિકેટને પોતાના કરિયર તરીકે પસંદ કર્યું હતું.
તેમણે કહ્યું કે, 'જો તને(યુવરાજ) લાગતું હોય કે, હું તારા પ્રત્યે કઠોર હતો તો હું લોકોને કંઈક સાબિત કરી દેખાડવા માગતો હતો અને હું આશા રાખું છું કે, તું મને સમજી શકે છે.' યુવરાજના પોતાના પિતા સાથેના સંબંધો બહુ સારા નહોતા અને ડાબોડી બેટ્સમેને કહ્યું કે, તેઓ તેના માટે 'ડ્રેગન' જેવા હતા.
જોકે, ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસમાંથી નિવૃત્તિ લેવાની બરાબર પહેલા યુવરાજ પોતાના પિતા સાથે સમાધાન કરવામાં સફળ રહ્યો. યોગરાજે કહ્યું કે, શરૂઆતી દિવસોમાં તે હંમેશા ઈચ્છતા હતા કે, યુવી મુંબઈ જાય અને ત્યાં રમવાથી આ આક્રમક ઑલરાઉન્ડર 'સારા ક્રિકેટર'માં પરિવર્તિત થવામાં સફળ રહ્યો.
તેમણે પોતાના અને પોતાના પુત્રના કરિયરમાં મદદ કરવા માટે લેખક મકરંદ વાયંગણકરનો પણ આભાર વ્યક્ત કર્યો. યુવરાજને જ્યારે નેશનલ ટીમમાં સ્થાન મળ્યું ત્યારે સિલેક્ટર્સની ભૂમિકા નિભાવી રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન ચંદુ બોરડેએ આ ક્રિકેટરને નિડર વ્યક્ત ગણાવ્યો, જે અન્ય લોકો માટે પ્રેરણા છે.
તેમણે કહ્યું કે, 'પ્રતિકૂળ શારીરિક સમસ્યાઓ છતા તેણે પોતાને જે રીતે ફિટ રાખ્યો અને તે સમસ્યાઓમાંથી ઉબર્યો તે માટે તેને સલામ છે. તેણે બીજાને પણ દેખાડ્યું કે, ક્યારેય હાર ન માનવી જોઈએ અને અંત સુધી તેણે સંઘર્ષ ચાલુ રાખ્યો. તેણે પોતાના દેશ અને પોતાના રાજ્ય માટે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેના માટે મને તેના પર ખુશી છે.' | guj_Gujr |
બિનભાજપી વિસ્તારોમાં પણ મોદી પહેલી પસંદ | AS PM modi is first choice in west bengal, odisha and bihar - Gujarati Oneindia
બિનભાજપી વિસ્તારોમાં પણ મોદી પહેલી પસંદ
| Published: Tuesday, January 21, 2014, 11:42 [IST]
નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ લોકસભાની ચૂંટણીને હવે 100 દિવસ કરતા પણ ઓછો સમય બચ્યો છે. રાજકીય મોરચાની સેનાએ કમર કસી લીધી છે. સેનાપતિઓ વિરોધીઓને લલકારવામાં લાગી ગયા છે. કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી અન્ય રાજકીય પાર્ટી એક બીજામાં આરોપ પ્રત્યારોપ કરીને રાજકીય વાતાવરણને સતત ગરમ રાખી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના સંભવતઃ પીએમ પદના ઉમેદવાર રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં એઆઇસીસીની બેઠકમાં ભાજપ અને ખાસ કરીને નેરન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ ગુજરાત મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રિય પરિષદમાં કોંગ્રેસ અને ખાસ કરીને સોનિયા ગાંધી રાહુલ ગાંધી પર વેધક પ્રહારો કર્યા હતા, તેમજ એક વડાપ્રધાન તરીકે પોતાના વિકાસશીલ વિચારો લોકોની સમક્ષ રજૂ કર્યા હતા.
તેવામાં એ જાણવું રસપ્રદ રહેશે કે આખરે દેશનો મિજાજ શું છે અને શું છે મતદાતાના પ્રતિભાવ. દેશની રાજકીય નસને જાણવા માટે આઇબીએન 7 દ્વારા તાજેતરમાં 'જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો...'ના શિર્ષક હેઠળ સર્વે હાથ ધર્યો છે. આ માટે સીએસડીએસ દ્વારા દેશવ્યાપી સર્વે કરવામાં આવ્યો. 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન સીએસડીએસે દેશના 18 રાજ્યોમાં સર્વે કર્યો. 1081 સ્થળો પર જઇને કૂલ 291 બેઠકો પર 18591 લોકો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં એ જાણવા મળ્યું છે કે બિનભાજપી રાજ્યોની જનતાની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની કોઇ ખાસ પકડ નહીં હોવા છતાં પણ ત્યાંની જનતાએ પીએમ પદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે. આવી જ રીતે બિહાર અને ઓડિશામાં પણ લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે. પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય કે પછી ઓડિશા. મુખ્યમંત્રી તરીકે ત્યાંની જનતા ભલે મમતા બેનરજી, નીતિશ કુમાર અને નવિન પટનાયકને પસંદ કરતી હોય પરંતુ જ્યારે વાત કેન્દ્રની આવે છે ત્યારે નિશંક પણે ત્યાંની જનતા વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરી રહ્યાં છે.
જો અત્યારે લોકસભાની ચૂંટણી થાય તો પશ્ચિમ બંગાળની 42 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને 20થી 28 બેઠકો મળી શકે છે. લેફ્ટને 7થી13, કોંગ્રેસને 5થી 9 અને ભાજપને 0થી 2 બેઠક મળી શકે છે.
જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો ઓડિશાની 21 બેઠકોમાંથી બીજેડીને 10થી 16 બેઠક મળી શકે છે. કોંગ્રેસને 3થી9 અને ભાજપને 0થી4 બેઠક મળી શકે છે.
જો બિહારની વાત કરવામાં આવે તો બિહારની 40 બેઠકોમાંથી ભાજપને 16થી 24 બેઠક મળી શકે છે. 7થી 13 જેડીયુને, 6થી10 આરજેડીને અને કોંગ્રેસને 0થી 4 બેઠક મળી શકે છે.
વૉલ સ્ટ્રીટ જર્નલ: ગુજરાત મોડેલ થકી ચીનને પાછળ પાડશે મોદી!
lok sabha election chief minster pm candidate narendra modi survey rahul gandhi nitish kumar લોકસભા ચૂંટણી મુખ્યમંત્રી પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સર્વે રાહુલ ગાંધી નીતિશ કુમાર
chief minster of gujarat and bjp's pm candidate narendra modi is first choice in west bengal, odisha and bihar. | guj_Gujr |
બ્રિટનના રાજકુમાર વિલિયમ પર ભારે પડ્યો મોદીનો હાથ | Modi handshake with britain prince williams - Sambhaav News
બ્રિટનના રાજકુમાર વિલિયમ પર ભારે પડ્યો મોદીનો હાથ
દુનિયાને ભારતની તાકાત અને રુઆબનો અહેસાસ કરાવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખત બ્રિટનના પ્રિન્સ વિલિયમને પણ તેમના દેખાવનો અહેસાસ કરાવી દીધો છે. પીએમ મોદીએ રાજકુમારની સાથે એટલો ઉષ્માભેર હાથ મળાવ્યો કે તેમની આંગળીઓની છાપ પડી ગઇ. મોદીનો આ અંદાજ સોશિયલ મિડીયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. પીપલ્સ ડેઇલી ચાઇના @PDChinaએ પીએમ મોદીના પ્રિન્સ વિલિયમ સાથે મળનારા આ ફોટાને ટ્વીટ કરતાં કહ્યું છે કે રાજકુમારના હાથને જોઇને એવું લાગે છે કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી તાકાતવાર હેન્ડશેક છે.
હાલમાં બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમ અને રાજકુમારી કેથરીન આ દિવસોમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે બંનેને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકુમાર અને રાજકુમારીનું સ્વાગત કર્યુ અને તેમને ઉષ્માભેર મળ્યા. આ મુલાકાત પછી ફોટોમાં ચોખ્ખુ દેખાઇ રહ્યુ છે કે પીએમ મોદીએ ઉષ્માભેર હાથ મળાવ્યો હતો કે પ્રિન્સ વિલિયમના હાથ પર છાપ પડી ગઇ હતી.
જો કે અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ગણતંત્રના દિવસ પર ભારત આવ્યા હતા ત્યારે નરેન્દ્રમોદીએ ઉષ્માભેર તેમને ગળે લગાવ્યા હતાં.
અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઇક આવા જ અંદાજથી ફેસબુકના પ્રમુખ માર્ક ઝુકરબર્ગને મળ્યા હતાં. ઝુકરબર્ગના પીએમ મોદી સાથે મળવાના આ અંદાજની પણ ઘણી ચર્ચા થઇ હતી. અમેરિકાના સમાચારોમાં એવું લખાયું હતું કે પીએમ મોદી ઘણી ઉષ્માભેર મુલાકાત કરે છે. | guj_Gujr |
26/11ના હિરો NSG જવાનો જીવી રહ્યા છે દયનીય જીવનઃ કેજરીવાલ | Kejriwal claims 26/11 NSG commandos living a pitiable life - Gujarati Oneindia
7 min ago 114th Birth Anniversary of Bhagat Singh : ક્રાંતિકારી વિશે જાણીઅજાણી વાતો
7 min ago ભવાનીપુરમાં દિલીપ ઘોષને ટીએમસી સમર્થકોએ ઘેર્યા, સુરક્ષાકર્મીઓએ બંદુકો કાઢવી પડી
35 min ago ફિલ્મ સુર્યવંશી જોવા માટે ઉત્સાહિત છે શાહિદ કપૂર, યુઝરના સવાલ પર અભિનેતાએ આપ્યો જવાબ
54 min ago ભારત બંધ વચ્ચે સિંઘુ બોર્ડર પર ખેડૂતનું હાર્ટ એટેકથી મોત!
| Updated: Wednesday, February 11, 2015, 10:18 [IST]
નવીદિલ્હી, 22 નવેમ્બર: પુણેની યરવડા જેલમાં મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસી આપ્યાના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે એનએસજી કમાન્ડોનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુરુવારે પત્રકાર પરિષદ યોજતા અરવિંદ કેજરીવાલે 26/11ના હિરો સાથે સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યવહારનો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે 26/11ના એનએસજી કમાન્ડો દયનીય જીવન વિતાવી રહ્યાં છે. ગુરુવારે યોજેલી પત્રકાર પરિષદમાં કેજરીવાલ સાથે પૂર્વ એનએસજી જવાન સુરેન્દ્ર પણ ઉપસ્થિત હતા. જેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં મનિષ તિવારીએ કહ્યું છેકે સરકાર હંમેશા જવાનો સાથે છે.
કેજરીવાલે આક્ષેપ મુક્યો છે કે એનસજી કમાન્ડો કે જેમણે 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ હાલ દયાપાત્ર જીવન નિર્વાહ કરી રહ્યાં છે. તેમાના કેટલાકને ના તો પેન્શન મળ્યું છે કે ના તો તેમને મોડિકલ બેનિફિટ આપવામાં આવ્યું છે.
પૂર્વ એનસજી કમાન્ડો સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે, ઓક્ટોબર 2011માં નિવૃત થયા પછી 13 મહિનાથી કોઇ પેન્શન મળી રહ્યું નથી કે અને જે પૈસા થયા તે આપવાની સરકારને ના પાડી દીધી. 008ના હુમલાના ઇજાગ્રસ્ત થયેલા જવાનોને સરકાર દ્વારા કોઇ મદદ કરવામાં આવી રહી નથી.
સુચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ કહ્યું છે કે, સરકારને જવાનો પ્રત્યે આદર છે અને હંમેશા આદર રહેશે, સરકારે તમામ જવાનોને 25 હજાર રૂપિયાનું પેન્શન આપ્યું છે. આ રીતે જવાનોને રાજકીય મુદ્દો બનાવવો તે યોગ્ય નથી.
આ પહેલા કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ' કસાબને ગઇકાલે ફાંસી આપવામાં આવી, પરંતુ એ એનએસજી કમાન્ડોનું શું? કે જેમણે તે દિવસે પોતાની જાન પર ખેલીને આતંકવાદીઓ સામે યુદ્ધ છેડ્યું હતું. તેઓ હાલ દયાપાત્ર જીવન વિતાવી રહ્યા છે, તેમાના કેટલાકને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓ પોતાના મેડિકલ બિલ્સ પણ જાતે ભરી રહ્યાં છે, તેમને કોઇ જ સન્માન આપવામાં આવ્યું નથી. તેમાના એકે હિંમત કરીને અમને આ બધું જણાવ્યું છે.
નોંધનીય છે કે, બુધવારે 21 નવેમ્બર 2012ના રોજ સવારે 7.30 વાગ્યે 26/11ના અધ્યાયનો પૂર્ણ વિરામ આદરતા સરકારે એકમાત્ર જીવીત આરોપી અજમલ કસાબને ફાંસી આપી દીધી હતી. જેને પુણેની યરવડા જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. મુંબઇમાં 2008માં હુમલો થયો હતો જેમાં 181 જેટલા લોકો મર્યાં હતા.
mumbai terror attack ajmal kasab hanged national security guard nsg arvind kejriwal commando terrorist મુંબઇ આતંક હુમલો અજમલ કસાબ ફાંસી નેશનલ સિક્યોરિટી ગાર્ડ એનએસજી અરવિંદ કેજરીવાલ કમાન
A day after Mumbai terror attack accused Ajmal Kasab was hanged in Pune's Yerwada jail, activist-turned-politician Arvind Kejriwal is taking up the cause of National Security Guard (NSG) commandos who fought the terrorists during the massacre. | guj_Gujr |
ક્લાસરૂમમાં CCTV કેમેરા શા માટે? સરકારની સામે પડ્યો આ વિદ્યાર્થી | Law Student Files Petition Against Govt On Cctv In Schools - India News | I Am Gujarat
Gujarati News India ક્લાસરૂમમાં CCTV કેમેરા શા માટે? સરકારની સામે પડ્યો આ વિદ્યાર્થી
ક્લાસરૂમમાં CCTV કેમેરા શા માટે? સરકારની સામે પડ્યો આ વિદ્યાર્થી
Published: May 11, 2019 09:36 am IST
1/3સરકાર સામે પડ્યો વિદ્યાર્થી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે લૉનો અભ્યાસ કરતા 20 વર્ષના વિદ્યાર્થીની તે અરજી પર વિચાર કરવા માટે સહતમ થઈ જેમાં ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા અને તેનું લાઈવ પ્રસારણ કરવાના દિલ્હી સરકારના નિર્ણયને પડકાર્યો હતો. અરજીમાં કહેવાયું હતું કે આ નિર્ણયથી પ્રાઈવસીના અધિકારનો ઉલ્લંઘન થાય છે.
2/3ક્લાસ રૂમમાં સીસીટીવી કેમેરાની વિરુદ્ધ
કોર્ટે દિલ્હી સરકારને જવાબ આપવા માટે કહ્યું છે કે તેના 2017ના નિર્ણય પર પ્રતિબંધ શા માટે ન લગાવવો જોઈએ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજીવ ખન્નાની ખંડપીઠને દિલ્લી સરકારે નોટિસ રજૂ કરીને તેની પાસેથી જવાબ માગ્યો. અરજીકર્તા તરફથી હાજર વકીલે કહ્યું કે સીસીટીવી ફુટેજના લાઈવ પ્રસારણથી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે.
3/3સરકારના નિર્ણયને SCમાં પડકાર્યો
નેશનલ લૉ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અંબર ટિકૂ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દિલ્હી સરકારના 11 સપ્ટેમ્બર 2017ના નિર્ણયને રદ કરવાની ભલામણ કરાઈ હતી. અરજીમાં દલીલ કરાઈ છે કે સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના તે નિર્ણયનું સીધું ઉલ્લંઘન કરે છે જેમાં પ્રાઈવસીના અધિકારને સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ મૌલિક અધિકાર તરીકે દર્શાવાયો છે. | guj_Gujr |
98,972 જેટલા છાત્રોને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપી | 98,972 જેટલા છાત્રોને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપી - Divya Bhaskar
98,972 જેટલા છાત્રોને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપી
વડોદરાજિલ્લા કલેકટરના અધ્યક્ષપદે કાર્યરત જિલ્લા ટોબેકો કંટ્રોલ સોસાયટીની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી.છારીએ જણાવ્યું હતું કે, વ્યસનની શરૂઆત બચપણ કે કિશોરાવસ્થામાં થતી હોવાથી તેને અટકાવવાની કાર્યવાહી પણ ઉંમરે થવી જોઇએ એટલે વડોદરા જિલ્લામાં સ્કૂલ અવેરનેસ પ્રોગ્રામ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.છારીએ વધુમાં ઉમેર્યું હતું કે, વ્યસનથી મુક્ત રાખવા શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકશાનની સચોટ માહિતી આપવામાં આવે છે. કાર્યક્રમ હેઠળ 235 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 98,972 જેટલા વિદ્યાર્થીઓને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત 119 શાળાઓના આચાર્યો, 173 મેડિકલ ઓફિસર્સ, 392 આરોગ્ય કર્મચારીઓ, 1020 આશા બહેનો, 629 પંચાયત મંત્રીઓ, 73 તાલુકા-જિલ્લા પંચાયત સભ્યો, 732 સખી મંડળ સભ્યો, 991 આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનોને તાલીમ અપાઇ છે. ફેઇથ ફાઉન્ડેશનના અનંત ક્રિશ્ચયને જણાવ્યું હતું કે, તમાકુના જીવલેણ વ્યસનથી બાળકો અને કિશોરોને મુક્ત રાખવાની ચિંતા સાથે જુવેનાઇલ જસ્ટીસ એક્ટમાં એક ખૂબ અગત્યની જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો-બાળકોને તમાકુ કે તેના ઉત્પાદનોનું વેચાણ કરનારા વિક્રેતાઓને, નાના કે મોટાના ભેદ વગર રૂા.1 લાખ સુધીનો દંડ અને 7 વર્ષ સુધીની જેલવાસની સજા થઇ શકે છે.
તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળની જિલ્લાસ્તરની સંકલન સમિતિમાં શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિ સભ્ય તરીકે શિક્ષક જગદીશભાઇ ડાભીયાની નિયુક્તિ થઇ છે. ચોરંદા ગામની કાનમ વિદ્યા મંદિર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ ઉચ્ચતર માધ્યમિકના એક વિદ્યાર્થીએ તેમને પડીકી ધરી અને કહ્યું ''લો સાહેબ ખાવ'' પરંતુ વિદ્યાર્થીની ચેષ્ટાથી તેમનો અંતરાત્મા ખળભળી ઉઠ્યો. તેમણે લાગ્યું હતું કે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પાન-પડીકી, બીડી-સિગારેટ કે તમાકુની લેવડ-દેવડનો વ્યવહાર સદંતર ઇચ્છનીય નથી. | guj_Gujr |
પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.
પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે.
તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે.
જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે. | guj_Gujr |
ખામીઓ સાથેનો સ્વીકાર શીખવાડે છે બર્ફી | Barfi, Teaches, Acceptance, Disabilties - Gujarati Oneindia
barfi priyanka chopra ranbir kapoor anurag basu પ્રિયંકા ચોપરા રણબીર કપૂર ઇલિયાના ડી'ક્રૂઝ અનુરાગ બાસુ ફિલ્મ રિવ્યૂ સમીક્ષા બૉલીવુડ કોલકાતા ફ્લેશબેક film review બર્ફી
અમદાવાદ, 14 સપ્ટેમ્બર: અનુરાગ બાસુ અત્યાર સુધીના કરિયરમાં ઘણી રિયાલિટી બેઝ્ડ ફિલ્મો બનાવતા આવ્યા છે. તેઓ જેવી રીતે પોતાના પાત્રોને પડદા ઉપર ઉતારે છે, તેવું કોઈ બીજું નથી કરી શકતું. તેમની આજે રિલીઝ થયેલી ફિલ્મ બર્ફી ખામીઓ સાથે એક-બીજાનો સ્વીકાર કરવાનું શીખવાડે છે.
આ ફિલ્મ જોયા બાદ દર્શકોને તેના પાત્રો ઉપર દયા નહિં, પણ પ્રેમ ઉભરાશે. રણબીર કપૂરનું પણ માનવું છે કે કદાચ આ ફિલ્મ જોયા બાદ આપને જિંદગી જીવવાની નવી રીત આવડી જશે. આ ફિલ્મના પાત્રો વગર કઈં બોલ્યે અને પોતાના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યા વગર પણ જીવનના દરેક પળને બહુ સુંદર રીતે અને પ્રેમથી જીવી જાણે છે.
દાર્જિલિંગ અને કોલકાતામાં શૂટ થયેલ આ ફિલ્મની સમગ્ર વાર્તા ફ્લેશબેકમાં ચાલે છે. બર્ફીની સ્ટોરી મર્ફી (રણબીર કપૂર)ની છે, જે બહેરો-મૂંગો છે. મર્ફીને બધા લાડમાં બર્ફી કહે છે. આ વાર્તા શ્રુતિ (ઇલિયાના ડી'ક્રૂઝ) અને મર્ફીની આસપાસના લોકો દ્વારા સંભળાવવામાં આવે છે.
બર્ફી એક બહુ જ સાચ્ચો અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારો માણસ છે, જે પોતાના જીવનને કિંગસાઇઝ અને પ્રેમથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે. કોઈ પણ મુશ્કેલી આવે, બર્ફી ક્યારેય ગુસ્સો નથી કરતો. તે એક દિવસ શ્રુતિને મળે છે અને તેને ચાહવા લાગે છે. શ્રુતિ પોતાના માતા-પિતા સાથે દાર્જિલિંગમાં રહેવા આવેલી હોય છે, પરંતુ શ્રુતિના લગ્ન અગાઉથી જ તેના કૉલેજ કાળના મિત્ર સાથે નક્કી થઈ ચુક્યાં હોય છે.
પછી એક દિવસે બર્ફીની મુલાકાત ઝિલમિલ (પ્રિયંકા ચોપરા) સાથે થાય છે, જે ઑસ્ટિમ નામના રોગથી પીડાય છે. ઝિલમિલને તેના માતા-પિતા દુનિયાથી છુપાવીને રાખે છે. તેને બહારની દુનિયાનો ખ્યાલ ત્યારે આવે છે, જ્યારે તેના માતા-પિતા દાર્જિલિંગ ખાતે રહેતાં તેના દાદા-દાદી પાસે મિલ્કતમાં ભાગ માંગવા જાય છે. એક બાજુ માતા-પિતા માટે ઝિલમિલની સંભાળ રાખવી મુશ્કેલ થઈ પડે છે, તો બીજી બાજું બર્ફી માટે ઝિલમિલની સંભાળ રાખવી બહુ જ સરળ હોય છે. ધીમે-ધીમે બંને એક-બીજાની બહુ નજીક આવી જાય છે અને તેમનો સંબંધ ઘણો ગાઢ થઈ જાય છે.
અભિનય-
બર્ફી ફિલ્મમાં દરેક પાત્રે અનોખું પરફૉર્મંસ આપ્યું છે. પ્રિયંકા અને રણબીરે સાબિત કરી આપ્યું કે પાત્ર કોઈ પણ હોય, તેમને માટે કશું જ મુશ્કેલ નથી. બંનેએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. બહેરા-મૂંગાના પાત્રમાં રણબીરે એવી એક્ટિંગ કરી છે કે બૉલીવુડના શ્રેષ્ઠ એક્ટરોમાં તેના નામનો સમાવેશ થઈ ગયો છે. પ્રિયંકના એક્સપ્રેશન તેમજ તેનો અંદાજ ફિલ્મ સમાપ્ત થવા સુધી દર્શકોને જકડી રાખે છે. ઇલિયાના અગાઉ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચુકી છે અને બર્ફીમાં પણ તેની એક્ટિંગ અપ ટુ ધી માર્ક રહી છે. બર્ફીમાં ઇલિયાના બહુ સુંદર તથા કૉન્ફિડંટ દેખાય છે.
Barfi is undoubtedly one of the best and intelligent films to be churned out in a long time. Accepting oneself with all shortcomings, loving each other and smiling your way all the way upto the finish line - this is how one can describe Barfi. | guj_Gujr |
કોટેડ ટાઇઝ ઉત્પાદકો અને સપ્લાયર્સ | ચાઇના ટાઇઝ ફેક્ટરી કોટેડ
કોટેડ ટાઇ Preformed ડબલ વિતરણ ટાઇ અથવા પેચદાર ટ્વીન સંબંધો કે શીર્ષ અથવા પોર્સેલેઇન અવાહક ની ખાંચ એક બાજુની વાહક સુરક્ષિત કરવા માટે વિકસાવવામાં આવી હતી પ્રકાર છે.
પ્લાસ્ટિક કોટેડ બાજુ ટાઇ એમવી અને HV વીજ વિતરણ નેટવર્ક આવરી હવાઈ બંડલ વાહક માટે વપરાય છે.
પ્લાસ્ટિક preformed સંબંધો સામાન્ય રીતે દરેક અન્ય જોડીમાં અરજી કરી હતી, અને વિપરીત સ્થાપિત આવરી લે છે. અવાહક બંને ઉપર અને બાજુ સંબંધો તરીકે ઉપયોગ કરી શકો છો.
Preformed અવાહક ટાઇ ગરમ બોળવું ઉચ્ચ તાકાત ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ, સંપૂર્ણપણે પોલિમર દ્વારા આવરી લેવામાં આવે છે, જે ટાઇ ખુલ્લા વાયરને આસપાસ બનેલા છે, અને તે અલગ છે. તે લાગુ કલમ શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન લક્ષણો સાથે ચડિયાતા હોલ્ડિંગ અને ઇલેક્ટ્રિકલ કામગીરી પૂરી પાડે છે.
પેચદાર બાજુ ટાઇ જમણી કદ રંગ કોડ દ્વારા ઓળખી સરળ છે.
અનન્ય, એક ટુકડો કોઈપણ બોલ્ટ્સ સામેલ અથવા હાઇ તણાવ ઉપકરણો હોલ્ડિંગ વગર ડિઝાઇન preformed કોટેડ અવાહક સંબંધો લાંબા જીવન સમયગાળા સાથે સરળ સ્થાપન ખાતરી આપી હતી.
Jera તમારા કેબલ સ્પષ્ટીકરણ, અવાહક ગરદન વ્યાસ અને ધ્રુવો વચ્ચે અંતર અનુસાર Preformed વાયર કુશળ અને preformed બાજુ સંબંધો વિકસાવવા માટે સક્ષમ હોય છે. | guj_Gujr |
દમણમાં 8થી ઇન્ડસ્ટ્રી એક્સપો, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુશ ગોયલ મુલાકાતે | 8th Industry Expo in Daman, Union Commerce Minister Piyush Goyal visits - Divya Bhaskar
8th Industry Expo In Daman, Union Commerce Minister Piyush Goyal Visits
ઇન્ડસ્ટ્રી એક્સપો:દમણમાં 8થી ઇન્ડસ્ટ્રી એક્સપો, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુશ ગોયલ મુલાકાતે
દમણ- દાનહની 60થી વધુ કોર્પોરેટર કંપનીમાં એક્સપોમાં ભાગ લેશે
દમણ દાદરા નગર હવેલી એ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો સૌથી સુરક્ષિત અને આકર્ષક ઔદ્યોગિક વિસ્તાર છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલની દૂરગામી વિચારસરણીનું આ પરિણામ છે. ઔદ્યોગિક વાતાવરણમાં અહીનો ઉદ્યોગ વિકસી રહ્યો છે અને લાખો લોકોને રોજગારી મળી રહી છે. તાજેતરમાં યુનિયન સ્ટેટને 15 એક્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડ મળ્યા છે. જે કોઈપણ એક રાજ્યમાં સૌથી વધુ છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાનહમાં વધી રહેલા ઉદ્યોગ અને વિકાસને દર્શાવે છે.
દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસનના પ્રમુખ પવન અગ્રવાલે કહ્યું કે, અમારા તમામ ઉદ્યોગ કાર્યકરોને અપીલ કરીએ છીએ કે, તમે બધાએ ખૂબ જ ઉત્સાહ સાથે ઉદ્યોગ વ્યવસાય 2022ના મહાકુંભમાં તમારી સહભાગિતા આપવી જોઈએ.પ્રદેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયે ઔદ્યોગિક પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દમણ અને સિલ્વાસાના કેન્દ્રશાસિત પ્રદેશની 60 મોટી કોર્પોરેટ કંપનીઓ તેમના સ્ટોલ ડિસ્પ્લે સેલ મૂકશે. મોટીદમણના લાઇટ હાઉસથી રામસેતુ બીચની બરાબર બાજુમાં છે.
એક્સપો કમ સેલનું ઉદ્ઘાટન 8મી મેના રોજ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે કરવામાં આવશે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ પણ સહભાગી બનશે. 8થી 16 મે સુધી સવારે 10થી રાત્રે 9 વાગ્યા એક્સપો ખુલ્લો રહેશે. લોકોને આકર્ષક દરે ઉત્પાદન પણ ખરીદી કરવાની તક મળશે. રાજ્યની 20 મોટી કંપનીઓ પણ કંપનીઓ તેમની સફળ યાત્રાનું MINITURE એટલે કે મ્યુઝિયમ પણ હશે. | guj_Gujr |
અમારી નૈતિકતા - ક્વાનઝો ઓમી એપરલ ક Co.. લિ
આપણી નૈતિક પ્રયાસો
ઓએમઆઈ પર, અમે કામદારો અથવા કુદરતી સંસાધનોના શોષણને રોકવા માટે નૈતિક વ્યાજબી વ્યવહાર માટે પ્રતિબદ્ધ છીએ કપડાંના ઉત્પાદનમાં.
અમે વ્યક્તિગત રૂપે માનીએ છીએ કે સુખી કામદારો વધુ સારી રીતે બનાવેલા કપડાંને સમાન કરે છે કારણ કે જો સારી રોજગાર પદ્ધતિઓ અને સલામત અનુકૂળ કાર્યકારી વાતાવરણમાં કામ કરવામાં આવે તો કામદારો સારી નોકરી કરવા માટે વધુ પ્રેરિત થાય છે.
કારખાનાઓ અને કાર્યકારી પરિસ્થિતિઓ
અમારી ફેક્ટરીઓ 16 વર્ષથી ઓછી વયના કામદારોને રોજગારી આપતી નથી અને સમયસર ધોરણે મૂળ પગાર તરીકે ઓછામાં ઓછી લઘુત્તમ આજીવિકા આપે છે.
અમારી ફેક્ટરીઓમાં મજૂરીની વ્યવહાર કરવાની ફરજ પાડતી નથી, જેનો અર્થ એ છે કે કોઈને પણ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓવરટાઇમ કામ કરવાની ફરજ પાડવામાં આવતી નથી અને જો તેઓ ઓવરટાઇમ કામ કરે છે, તો એક વધારાનો ઓવરટાઇમ પગાર ભથ્થું છે.
ઉત્પાદન સુવિધાઓ યોગ્ય લાઇટિંગ અને સેનિટેશન સુવિધાઓથી સજ્જ છે અને કાર્ય સંબંધિત ઇજાઓને રોકવા માટે કાર્યકારી પરિસ્થિતિઓ અને સાધનો શક્ય તેટલું સલામત છે. કેટલાક ઉદાહરણો એવા છે કે ત્યાં કોઈ ખુલ્લી વિદ્યુત વાયરિંગ / સોકેટ્સ નથી, વર્કસ્ટેશન્સ વચ્ચે સલામત ઉપકરણો છે, સ્ટીલ-જાળી જેવા સલામતી સાધનો અને ગ્લોવ્સ અને ફેસમાસ્ક ઉપયોગ માટે ઉપલબ્ધ છે.
કાર્બનિક પ્રયાસો
અમે ફેબ્રિક મિલો સાથે પણ કામ કરીએ છીએ ગોટસ સર્ટિફાઇડ અને ઓઇકો-ટેક્સ 100 સર્ટિફાઇડ જેનો ઉપયોગ માનવના ઉપયોગ માટે અને ઓર્ગેનિક મેન્યુફેક્ચરિંગ પ્રથાઓના ઉપયોગ માટે સલામત હોવાનું પરીક્ષણ કરાયું છે.
અમારી ફેક્ટરી પણ પસાર થઈ ગઈ છે બીએસસીઆઈ પ્રમાણપત્ર, વધુ વિશ્વસનીય ઉત્પાદનો સાથે ગ્રાહકોને પ્રદાન કરો. | guj_Gujr |
એપલે રૂપિયા 14,500માં સૌથી સસ્તી સ્માર્ટવોચ લોંચ કરી, અત્યાર સુધીનું સૌથી સસ્તુ આઈપેડ પણ રજૂ કર્યું; આઈફોન 12 લોંચ ન કર્યો
ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત હેડક્વાર્ટરથી કરી
Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:05:49
એપલે તેના 1 કલાકના વર્ચ્યુઅલ 'ટાઈમ ફાઈલ્સ' ઈવેન્ટમાં નવી એપલ વોચ તથા ટેબલેટ લોંચ કર્યું છે. જોકે, જે આઈફોન 12 રાહ જોતા હતા, તે અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. એટલે કે આ માટે રાહ જોવી પડશે. ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત હેડક્વાર્ટરથી કરી. આ પ્રથમ વખત છે કે જ્યારે કંપનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કર્યું છે.
આ ઈવેન્ટને એપલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. આ સિવાય કંપનીની વેબસાઈટ www.apple.com/apple-events પર પણ જોઈ શકાશે. આ ઈવેન્ટ કેટલા સમય સુધી ચાલશે તેની પણ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ ડિવાઈસ લોન્ચ થઈ શકે છે
· દર વર્ષે ઈવેન્ટ પહેલાં જ પ્રોડક્ટ લોન્ચિંગનું પિક્ચર લગભગ ક્લિઅર કટ હોય છે, પરંતુ આ વખતે તેમ નથી. પ્રોડક્ટ લોન્ચિંગ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. લીક રિપોર્ટ અનુસાર, આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6, ન્યૂ આઈપેડ એર 4, એર ટેગ અને આઈફોન 12 લોન્ચ થઈ શકે છે.
· આઈફોન 12 સિરીઝના 4 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તેમાં 5.4 ઈંચનો આઈફોન 12, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો મેક્સ, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો અને 6.7 ઈંચનો આઈફોન 12 પ્રો મેકસ સામેલ હશે. કંપની એ વાત કન્ફર્મ કરી છે કે આઈફોન 12નું વેચાણ ઓક્ટોબરથી શરૂ થશે.
· આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6 પણ લોન્ચ થઈ શકે છે. તેમાં હાઈલી ડિમાન્ડેડ ફીચર બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ મળી શકે છે. તેમાં સ્લીપ ટ્રેકિંગ ફીચર પણ મળી શકે છે. તેને અપગ્રેડેડ પ્રોસેસર અને ઈમ્પ્રુવ્ડ બેટરી સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
· કંપની એન્ટ્રી લેવલ વોચ પણ લોન્ચ કરી શકે છે. તેને એપલ SE નામ આપવામાં આવી શકે છે. કંપની SE સિરીઝ હેઠળ બજેટ પ્રોડક્ટ લોન્ચ કરે છે.
1. એપલની આ ઈવેન્ટમાં યુનિક પ્રોડક્ટ એર ટેગ્સ રજૂ થઈ શકે છે. તે ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ એક ટ્રેકર ટાઈલ્સ છે, જે ખોવાયેલા ઈલેક્ટ્રિક પ્રોડક્ટ શોધવામાં મદદ કરે છે. તે બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે.
· એપલ તેનું નવું આઈપેડ એર 4 પણ લોન્ચ કરી શકે છે. તેની ડિઝાઈન આઈપેડ પ્રો જેવી જ છે. જોકે તેની કોઈ વધારે માહિતી સામે આવી નથી.
· ઈવેન્ટમાં નવાં એરપોડ્સ પણ લોન્ચ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ એરપોડ્સનું સૌથી સસ્તુ વર્ઝન હશે. આ સિવાય આઈપેડ એર, હોમ પોડ અને એપલ ટીવી સ્ટિમિંગ બોક્સ પણ લોન્ચ થઈ શકે છે.
· કુકે સૌથી પહેલા એપલ વોચ અંગે વાત કરી. તેમણે કહ્યું કે આ યૂઝરની તમામ વાતોનું નોટિફાઈ કરે છે. વેધર અને કામ સાથે જોડાયેલ જરૂરી નોટિફિકેશન આપે છે. બીજી બાજુ તેમા ફેવરેટ મ્યૂઝિક પણ સાંભળી શકો છો. તેમા હેલ્થ સંબંધિત ફિચર્સ જેવા કે હાર્ટ મોનીટર, ECG જેવી ફિચર્સ આપવામાં આવે છે.
· તેમણે એક દ્રષ્ટિહિન વ્યક્તનુંં ઉદાહરણ પણ આપ્યુ છે કે જેમનું જીવન એપલ વોચને લીધે સરળ થઈ ગઈ. કારણ કે વોચ તેને બોલીને કહે છે. તેમણે કેટ, વોઈજે અને જેમ્સ નામના લોકોને લાઈફ કેવી રીતે આ વોચને બદલી દે, તેની નાની-નાની ક્લિપ પણ બતાવી છે.
· પહેલા આઈપેડ 10 વર્ષ અગાઉ લોંચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી અત્યાર સુધી કંપની વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) આઈપેડનું વેચાણ કરી ચુકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેના 53 ટકા યુઝર્સ નવા આઈપેડ ખરીદે છે.
· 8માં જનરેશન આઈપેડ 4માં 10.3 ઈંચ રેટિના ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. તેમા ફુલ સાઈઝ સ્માર્ટની બોર્ડ મળશે. એપલે તેમા A12 બાયોનિક ચિપનો ઉપયોગ કરે છે. આ સાથે એવો પણ દાવો છે કે જૂના આઈપેડથી 40 ટકાથી વધારે ઝડપી છે. તે એન્ડ્રોઈડ ટેબલેટથી 3X ફાસ્ટર છે.
· તેમા હાઈ રિજોલ્યુશન ગ્રાફિક્સનો ઉપયોગ થાય છે. આ એપલ પેન્સિલને સપોર્ટ કરશે, જેનાથી યુઝર ક્રિએટિવ કામ કરી શકશે. તે કંપનીના લેટેસ્ટ ipadOS14માં યુઝરને પેન્સિલથી જોડાયેલ અનેક અપડેટ મળશે. તેમા યુઝર પોતાના હેન્ડરાઈટિંગને લખ્યા બાદ કોપી કરી અન્ય એપ પર ડાયરેક્ટ પેસ્ટ કરી શકશે.
· તેમા 8 મેગાપિક્સલ રિયર કેમેરા, ફેસટાઈમ HD કેમેરા, LTD સપોર્ટ, 10 કલાકની બેટરી બેકઅપ, USB C પાવર એડોપ્ટર, સ્માર્ટ કનેક્ટર જેવા અનેક એડવાન્સ ફિચર્સ મળશે.
· તેની શરૂઆતી કિંમત 329 ડોલર (આશરે 24,200 રૂપિયા) અને વિદ્યાર્થીઓ માટે 299 ડોલર (આશરે 22000 રૂપિયા) છે. કંપનીએ તેનું બૂકિંગ આજથી શરૂ કર્યું છે. | guj_Gujr |
પછી અને હવે: ક્યારેક દર્શકો પેટ પાદકીને હસાવતા હતા હંસા-પ્રફુલ, 20 વર્ષ પછી કેવી લાગે છે ખીચડીની સ્ટારકાસ્ટ
May 14, 2022 May 14, 2022 GB Staff
ટેલિવિઝનમાં કોમેડી સિરિયલો હંમેશા ટ્રેન્ડમાં રહી છે. ઓફિસ-ઓફિસ, શ્રીમાન-શ્રીમતી, હમ પાંચ જેવા ઘણા કોમેડી શો 90ના દાયકામાં દરેક પરિવારની ફેવરિટ સિરિયલ હતી, જેને બધા એકસાથે જોતા હતા. કોમેડીના આ યુગમાં પ્રખ્યાત કોમેડી સીરીયલ 'ખીચડી' શરૂ થઈ, જેણે પોતાની શ્રેષ્ઠ કોમેડીથી બધાનું મનોરંજન કર્યું. આ શોની સ્ટાર કાસ્ટ તે દિવસોમાં દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સિરિયલને લોકોનો એટલો સારો પ્રતિસાદ મળ્યો કે પછીથી નિર્માતાઓએ 'ઈન્સ્ટન્ટ ખીચડી', 'ખિચડી રિટર્ન્સ' અને 'ખિચડીઃ ધ મૂવી' પણ બનાવી. વર્ષ 2002માં આ શો શરૂ થયાને 20 વર્ષ વીતી ગયા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે 20 વર્ષ પછી ખીચડીના કલાકારો કેવા અને ક્યાં છે-
તુલસીદાસ – અન દેસાઈ
ખીચડીમાં ઘરના વૃદ્ધ સભ્યની ભૂમિકામાં જોવા મળેલા અનગ દેસાઈએ તુલસીદાસની ભૂમિકા ભજવી હતી. શોમાં અવારનવાર ગુસ્સામાં આવતા બાપુજી ઘણીવાર ઘરના લોકોને પાઠ આપતા અને જયશ્રી પાસે ચા મંગાવતા જોવા મળતા હતા. ફિલ્મ 'ગાંધી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અનગ દેસાઈએ પોતાની કારકિર્દીમાં 150 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તે છેલ્લે 'રુસ્તમ' ફિલ્મમાં જોવા મળ્યા હતા.
હંસા – સુપ્રિયા પાઠક
શોનું સૌથી મજેદાર અને સૌથી લોકપ્રિય પાત્ર ઘર કી બડી બહુ હંસા હતું. હંસા એટલે કે સુપ્રિયા પાઠક આ શોની મુખ્ય કલાકાર હતી, જેમને અંગ્રેજી સમજવામાં ઘણી તકલીફ પડતી હતી. આવી સ્થિતિમાં તેનો પતિ પ્રફુલ હંસાને ખૂબ જ વિચિત્ર પણ રમુજી રીતે અર્થ સમજાવતો હતો. આ શોમાં હંસાનો ડાયલોગ "મેં તો થક ગયી ભાઈ સાહબ" ખૂબ જ ફેમસ થયો હતો. 1981માં આવેલી ફિલ્મ "કલયુગ" થી ડેબ્યૂ કરનાર સુપ્રિયા પાઠક "ગોલિયોં કી રાસલીલા – રામલીલા", "વેક અપ સીડ" અને માસૂમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રી હાલમાં જ હોમ શાંતિ શ્રેણીમાં જોવા મળી હતી અને છેલ્લે ગુજરાતી ફિલ્મ કહેવતલાલ પરિવાર માં પણ જોવા મળી હતી.
પ્રફુલ – રાજીવ
શો 'ખિચડી'માં મોટા પુત્ર પ્રફુલની ભૂમિકા રાજીવે ભજવી હતી. આ શોમાં, ખાસ કરીને તેની પત્ની હંસાને અંગ્રેજીમાં સમજાવવાની તેની રીત દર્શકોને ગભરાવી દેતી હતી. રાજીવ એક ગુજરાતી અભિનેતા છે જેમણે ફિલ્મ "રંગીલા" થી તેની શરૂઆત કરી હતી. તેણે ટીવી શો 'એક મહેલ સપનો કા' અને 'હમ સબ એક હૈ'માં પણ કામ કર્યું છે. આ સિવાય તે ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.
જયશ્રી – વંદના
ઘરની નાની વહુ જયશ્રી એટલે કે વંદના શોમાં વિધવાના રોલમાં જોવા મળી હતી. તે ઘણીવાર ઘરની મુશ્કેલીઓને સંભાળતી અને શોમાં ઠપકો આપતી જોવા મળી હતી. આ સિવાય તે તેના સસરા તુલસીદાસને ખૂબ જ નાપસંદ કરે છે, જેના કારણે તે ઘણીવાર તેના સસરાના મૃત્યુની ઈચ્છા કરતી હતી. પ્રખ્યાત શો "હમ પાંચ" ની સફળતા પછી તે "એક મહેલ સપને કા", "સાથ નિભાના સાથિયા", "સાવિત્રી દેવી કોલેજ" જેવા શોમાં પણ જોવા મળી છે. વંદના પણ છેલ્લે ગુજરાતી ફિલ્મ કહેવતલાલ પરિવારમાં જોવા મળી હતી.
હિમાંશુ- જેડી મજેઠીયા
એક્ટર જેડી મજેઠિયાએ શોમાં હંસાના નાના ભાઈ હિમાંશુનું પાત્ર ભજવ્યું હતું. શોમાં હિમાંશુને બાબુજી "મૂછ વાલે હંસા" કહેતા હતા, જે હંમેશા કોઈને કોઈ હંગામો કરતા હતા. શોમાં, હિમાંશુ ઘણીવાર તેનો એક ડાયલોગ "કિસી કો પતા નહી ચલેગા" બોલતા જોવા મળતા હતા. જેડીએ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. તેણે "સારાભાઈ Vs સારાભાઈ", "બા બહુ ઔર બેબી" અને "બડી દૂર સે આયે હૈ" જેવા કોમેડી શોમાં કામ કર્યું છે.
દુ:ખદ: અભિનેત્રી શહાનાનું તેના જન્મદિવસના એક દિવસ પછી અવસાન, પરિવારજનોએ પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો
YouTube: તમે વારંવાર જાહેરાતો જોઈને પરેશાન થાઓ છો, તેથી YouTube પર જાહેરાત મુક્ત વિડિઓઝ જોવા માટે આ નાનું કામ કરો
ઈશ્કબાઝ સીરીયલ ની આ એક્ટ્રેસ ને થયો કોરોના, હોસ્પિટલ માં થઈ એડમિટ
July 16, 2020 July 16, 2020 GB Staff
જ્યારે કેટરીના કૈફ માટે લડી ચૂક્યા હતા બંને એક્સ બોયફ્રેન્ડ, સલમાને તો રણબીરને મારી દીધો હતો તમાચો…. જાણો પૂરી વાત… | guj_Gujr |
ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી - mojilomanas.in
November 28, 2021 AdminLeave a Comment on ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય તેમ વરસાદની અનિશ્ચિતતાએ ચિંતા વધારી દીધી છે. અગાઉ ચોમાસાની વિદાય વેળાએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. હવે ભરશિયાળે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
હકીકતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કરાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જેથી આગામી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.
આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની વકી છે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો જોર વધશે. | guj_Gujr |
જામજોધપુરમાં નવપરિણીતાનું રહસ્યમય મૃત્યુ: પતિ સાથે ઝઘડા બાદ ઘર છોડયું હતું
જામનગર, તા.17 (ફૂલછાબ ન્યૂઝ) : જામજોધપુરમાં માકડિયાવાળી શેરી નં.2માં રહેતી પ્રિયંકાબેન જયકુમાર સંતોકી (ઉ.19) એ 15મી તારીખે પોતાનું ઘર છોડયું હતું. ત્યારપછી આજે સવારે બાજુમાં આવેલી એક વાડીમાંથી તેની લાશ મળી આવી હતી. લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાયુ હતું. પ્રાથમિક રિપોર્ટમાં તેણે ઝેરી દવા પી લીધી હોવાનું અનુમાન કરાયું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પ્રિયંકાબેનના લગ્ન 20મી ઓગસ્ટે જય ભરતકુમાર સંતોકી સાથે થયા હતા. 13મી તારીખે પોતાના મોબાઈલમાં ચેટિંગ કરી રહી હતી. તે દરમિયાન તેનો પતિ આવી ગયો હતો અને પતિએ મોબાઈલમાં ચેક કરતાં અન્ય યુવક સાથે ચેટિંગ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો. ત્યારપછી 15મી તારીખે ઘર છોડીને ચાલી ગઈ હતી અને આજે સવારે તેની લાશ મળી હતી. | guj_Gujr |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.