Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
text
stringlengths
370
107k
ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો - Western Times News ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસ તપાસમાં નેગેટિવ આવ્યા છે. ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે શનિવારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં જ યૂએઈમાં આઈપીએલમાં ભાગ લેનાર હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ ટિ્‌વટર પર ખેલાડીઓના આઉટડોર પ્રેક્ટિસ અને જિમ સત્રની તસવીર મુકી છે. સ્પિનર કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને ચેતેશ્વર પૂજારા પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ હાલના સમયે ૧૪ દિવસ ક્વોરન્ટાઇ પર છે અને પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તસવીરોમાં ફાસ્ટ બોલર ટી નટરાજન અને દીપક ચાહર પણ જોવા મળે છે. ભારતીય ટીમ હાલના સમયે ૧૪ દિવસ ક્વોરન્ટાઇ પર છે અને પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ સ્પિનર કુલદીપ સાથે તસવીર ટિ્‌વટર પર મુકી છે. તેણે લખ્યું કે પોતાના ભાઈ કુલદીપ સાથે ભારતીય ટીમમાં વાપસી. ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી પહેલા વન-ડે શ્રેણી રમાશે. ૨૭ નવેમ્બરે પ્રથમ વન-ડે રમાશે. બીજી વન-ડે ૨૯ નવેમ્બરે અને ત્રીજી વન-ડે ૨ ડિસેમ્બરે રમાશે. ૪ ડિસેમ્બરે ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થશે. ૬ ડિસેમ્બરે બીજી અને ૮ ડિસેમ્બરે ત્રીજી ટી-૨૦ મેચ રમાશે. ૧૭ ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. જે ડે-નાઇટ મુકાબલો રહેશે. બીજી ટેસ્ટ મેચ ૨૬ ડિસેમ્બરથી, ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીથી અને ચોથી ટેસ્ટ ૧૫ જાન્યુઆરીથી રમાશે.
અધિક કલેકટર કેયુર સંપટનો વન પ્રવેશ વન્સમોર રાજકોટ :. અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેયુર સંપટનો જન્મ તા. ૨૮-૧૨-૧૯૬૬ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ અમદાવાદની સરદાર પટેલ વહીવટી સેવા સંસ્થાન (સ્પીપા)માં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
મેસેડોનિયન રિપબ્લિકના કોન્સ્યુલ જનરલ સ્ટોજન વિટોનોવ સ્પેન્સર ફેક્ટરીની મુલાકાત લે છે ઇમર્જન્સી લાઇવ એમ્બ્યુલન્સ અને બચાવ કામગીરી માટે નવી તકનીકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્પેન્સર પ્લાન્ટની મુલાકાત રીપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયા કન્સ્યુલ જનરલ કરે છે. નવેમ્બર 14 પર, રિપબ્લિક ofફ નોર્થ મેસેડોનિયાના ક Consન્સ્યુલ-જનરલ સ્પેન્સર ઇટાલીના મુખ્ય મથકની મુલાકાત લીધી. ડો સ્ટોઝન વિટોનોવ, તેમના સ્ટાફ સાથે, મુખ્ય મથકની મુલાકાત લીધી અને ઇટાલીમાં ઉત્પાદિત કટોકટી અને બચાવ ઉપકરણો જોયા. આ મુલાકાતમાં ઉત્તર મેસેડોનિયાના ઇએમએસ માટેની નવી તકનીકોમાં જે આર્થિક હિત છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આ બેઠકમાં પરમા અને તેના ઉત્પાદકોના દરેક ક્ષેત્રમાં કેવી પ્રશંસા કરવામાં આવે છે તે પણ ધ્યાન દોર્યું હતું. આ મુલાકાત સાથે, સ્પેન્સરે ઉત્તર વિકાસના મેસેડોનિયા સાથેના વ્યાપારી સંબંધોના વિસ્તરણ માટેનો આધાર બનાવવાનું ચાલુ રાખ્યું, જે શ્રેષ્ઠ વિકાસ દર સાથે યુરોપના દેશોમાંનો એક છે. પ્રતિનિધિ મંડળના સર્વોચ્ચ હિતને જાગૃત કરવા માટે સ્પેન્સરની અદ્યતન પ્રોડક્શન સિસ્ટમ્સ હતી, જે કાર્યક્ષમ અને ટકાઉ તબીબી ઉપકરણની ખાતરી કરી શકે છે. છેવટે, સ્પેન્સર એક્સપિરિયન્સ સેંટરએ ગંભીર દર્દીઓના પરિવહન અને સંચાલન માટે જરૂરી કેટલાક જીવન-બચાવ તબીબી ઉપકરણોને કામ પર જોવાની મંજૂરી આપી. ટૂંકમાં સ્પેન્સર ઇ.એમ.એસ. અગ્રણી યુરોપિયન ઇએમએસ બ્રાન્ડ સ્પેન્સર, એક્સએનયુએમએક્સ પછીથી બચાવ માટે ઉકેલો બનાવી રહ્યા છે, કટોકટીની ખૂબ જટિલ સમસ્યાઓનો જવાબ આપી રહ્યા છે. સ્પેન્સર મેડિકલ ડિવાઇસીસ બચાવ ક્ષેત્રે અવંત ગાર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. શરૂઆતથી જ, સ્પેન્સરે વૈશ્વિક વલણ દર્શાવ્યું છે, આંતરરાષ્ટ્રીયકરણની જટિલ પ્રક્રિયાને આગળ ધપાવી હતી, અને થોડા સમયમાં વિશ્વભરમાં મજબૂત હાજરી પ્રાપ્ત કરી હતી. આજે સ્પેન્સર પાસે 1989 કરતા વધુ ફરીથી વેચનાર છે, અને તેના ઉત્પાદનોનો ઉપયોગ 100 દેશોમાં થાય છે. મુખ્ય વિશ્વના ક્ષેત્રના નિષ્ણાતોના પસંદ કરેલા નેટવર્ક સાથે, સ્પેન્સર અગ્રણી નિર્માતા અથવા બચાવ તબીબી ઉપકરણ છે.
ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર - NGS Business ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર-ઈકોનોમી-દેશ વિદેશ-Economic Times Gujarati ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર 27 Nov 2012, 0908 hrs IST, ET Bureau નવી દિલ્હી : રિલાયન્સ એનર્જી, લેન્કો ગ્રૂપ, એનઆઇઆઇટી અને રામકી ગ્રૂપ સહિતની ભારતીય કંપનીઓએ ભારત અને ચીનમાં આશરે 6 અબજ ડોલરના રોકાણ માટે ચીનની કંપનીઓ સાથે સમજૂતીઓ પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા. આ રોકાણ આર્થિક સહકારને વેગ આપવાનાં એશિયાનાં બે સૌથી મોટાં અર્થતંત્રોની સરકારોના પ્રયાસો દર્શાવે છે. ભારત અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક મંત્રણાના ભાગરૂપે થયેલી મંત્રણાની વિગત આપતાં આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંઘ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, આપણે વિશ્વના બે સૌથી વધુ વસતિ ધરાવતા દેશોને છાજે તેવા આર્થિક સહકારને વેગ આપવાનો હેતુ રાખવો જોઈએ. આ સમજૂતીઓમાં રિલાયન્સ પાવર અને ચીનની મિંગ યાંગ વિન્ડ પાવર ગ્રૂપ દ્વારા 3 અબજ ડોલરના રોકાણ સાથેના 2,500 મેગાવોટના એનજી પ્રોજેક્ટ્સ વિકસાવવાની યોજનાનો સમાવેશ થાય છે. એનઆઇઆઇટી અને હૈનાન પ્રાંત સાથે મળીને 80 કરોડ ડોલરના રોકાણ સાથે હૈનાન ખાતે આઇટી ટેક્નોલોજી પાર્ક ઊભો કરશે. આ સમજૂતીઓ આયોજન પંચ અને તેના ચીનના સમકક્ષ નેશનલ ડેવલપમેન્ટ રિફોર્મ કમિશન (એનડીઆરસી)ની આગેવાની હેઠળના ભારત-ચીન વ્યૂહાત્મક આર્થિક મંત્રણા સહિતના બિઝનેસ ટુ બિઝનેસ એક્સ્ચેન્જનો એક ભાગ છે. ટેલિકોમ જેવા કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રમાં ચીનના રોકાણ અંગે સુરક્ષાની ચિંતા તથા ભારતના કેટલાક ભાગને પોતાના નકશામાં દર્શાવવાની ચીનની હિલચાલની વચ્ચે આ ગતિવિધિ થઈ છે. જોકે આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, સુરક્ષાની ચિંતા માત્ર ચીનના રોકાણ પૂરતી જ સીમિત નથી તે બીજા તમામ દેશોના રોકાણને પણ લાગુ પડે છે. લેન્કો ઇન્ફ્રાટેકે તેના 2,640 મેગાવોટના બે વીજ પ્રોજેક્ટ માટે 2 અબજ ડોલરની લોન મેળવવા ચાઇના ડેવલપમેન્ટ બેન્ક સાથે સમજૂતી કરી છે. 2 અબજ ડોલરના ઋણમાંથી 60 કરોડ ડોલરનું ઋણ ચાઇના ડેવપલમેન્ટ બેન્ક (સીડીબી) આપશે, જ્યારે બાકીનું ઋણ ચીનની બીજી બેન્કો અને નાણાસંસ્થાઓ આપશે. આ નાણાંનો ઉપયોગ કંપનીના અનપારા ફેસ-ટુ અને હિમાવાત પ્રોજેક્ટ માટે કરાશે. દરેક પ્રોજેક્ટની ક્ષમતા આશરે 1,320 મેગાવોટની છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. લેન્કો ઇન્ફ્રાટેકના ચેરમેન એલ મધુસૂદન રાવે જણાવ્યું હતું કે, આનાથી અમને પ્રોજેક્ટની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવામાં અને નિર્ધારિત સમયે પાવર પ્રોજેક્ટ પૂરા કરવામાં મદદ મળશે. યુટિલિટીની આવકમાં વિલંબને કારણે ઊભી થયેલી લિક્વિડિટીની ચિંતાને દૂર કરવાની છેલ્લાં બે ક્વાર્ટર્સથી અમે વ્યૂહરચના ઘડી રહ્યા છીએ. બજારની સ્થિતિ ખૂબ જ પ્રતિકૂળ છે અને સેન્ટિમેન્ટને અસર થયેલી છે તેવું ઘણા લોકો કહી રહ્યા છે ત્યારે આ સોદો કરવામાં આવ્યો છે. ચાઇના ડેવલપમેન્ટ બેન્કે લેન્કો ગ્રૂપના અમરકંટક થ્રી એન્ડ ફોર , બબાંધ અને વિદર્ભ પાવર પ્રોજેક્ટ માટે 20 કરોડ ડોલરની બાયર્સ ક્રેડિટ અગાઉ આપી હતી . લેન્કો ઇન્ફ્રાટેક હાલમાં 4,740 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને બીજી 4,636 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા નિર્માણાધીન છે . કંપનીએ 2015 સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતાને વધારીને 13,000 મેગાવોટ કરવાનો લક્ષ્યાંક બનાવેલો છે.
શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા | chitralekha Home News Entertainment શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા મુંબઈ – પીઢ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરને બોલીવૂડમાં પ્રવેશ કરાવનાર હિન્દી ફિલ્મ 'ધડક'ના ત્રણ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યા છે. ધર્મા પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત થનાર 'ધડક'માં જ્હાન્વીનો હીરો છે ઈશાન ખટ્ટર, જે અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ છે. ઈશાનના માતા-પિતા છે – નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટર. આ ફિલ્મ આવતા વર્ષે ૬ જુલાઈએ રિલીઝ કરાય એવી ધારણા છે. 'ધડક' ફિલ્મ સુપરહિટ થયેલી મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની હિન્દી આવૃત્તિ છે. પોસ્ટરમાં જ્હાન્વી કપૂર ઘણી બધી એની મમ્મી શ્રીદેવી જેવી દેખાય છે. ઈશાને આ ફિલ્મના પોસ્ટરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિલીઝ કર્યા છે જ્યારે કરણ જોહરની માલિકીની ધર્મા પ્રોડક્શન્સ કંપનીએ પોતાના હેન્ડલ પર આ તસવીરો પોસ્ટ કરી છે. આ પોસ્ટરો રિલીઝ થયા બાદ જ્હાન્વીએ સૌથી રસપ્રદ પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મના પોસ્ટર નીચેની કેપ્શનમાં લખ્યું છે, 'ઓ માય ગોડ, દોસ્તો હું તો ફિલ્મમાં ચમકી ગઈ..!!! #ધડ઼ક #Dhadak' ઉલ્લેખનીય છે કે, મરાઠી 'સૈરાટ' ફિલ્મનું નિર્માણ પણ કરણ જોહરે કર્યું હતું. ફિલ્મની વાર્તા બે કોલેજ વિદ્યાર્થીની છે જેઓ એકબીજાંનાં પ્રેમમાં પડે છે, પરંતુ એમનો જાતિભેદ એમના પ્રેમની આડે આવે છે.
કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ FSLની તપાસ શરૂ – Samacharwala November 5, 2020 4:10 pm November 5, 2020 4:10 pm શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જે મામલે FSL ની ટીમએ તપાસ શરૂ કરી છે. પીરાણા રોડ ખાતે ગઈકાલે આગની ઘટના બની હતી. જેમાં હાલ FSLની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર ઘટના બની હતી. તેમાં કોની બેદરકારીના લીધે આ ઘટના બની હતી તે મુદ્દે ફેક્ટરીના માલિક હતેશ સુતરિયાને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ઘટના સ્થળે મૃતકના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતાં. આ ભયંકર ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેની તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે. પરિવારના સભ્યો યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાતથી લોકો સંતુષ્ટ નથી માટે યોગ્ય સહાય કરવામાં આવે તેવી માગણી મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. તે ગોડાઉન ભૂટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે. પોલીસે ભૂટા ભરવાડને લઈ ઘટના સ્થળ પર ફેકટરી અંગે પૂછપરછ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હાઈડ્રોજન પેરોક્સાઈડ, હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ, મિથાઈલ ઈથાઈલ ગેરોન ફેક્ટરીમાંથી મળી આવ્યા હતાં. જેના કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો.
સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો જન્મદિવસ પ્રભાસ-પાટણ તા.૧: સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો આજે ૧ જૂન જન્મદિવસ છે તેઓ જીંદગીના પર વર્ષ પૂર્ણ કરી ૫૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૦માં રાષ્ટ્રસેવા-ધગશથી ગુજરાત પોલિસમાં જોડાયા કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ ૨૦૦૯માં પ્રમોશનથી પી.એસ.આઇ.બન્યા જેમાં અમદાવાદમાં ત્રણ વરસ, પાંચ વરસ ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા ત્યાર પછી પ્રમોશન મેળવી રાજકોટ પી.આઇ.બન્યા અને રાજકોટ-એ-ડીવીઝન પછી સોમનાથ મંદિર સુરક્ષા ત્યાર બાદ હાલ પ્રભાસ-પાટણ પી.આઇ.તરીકે કાર્યરત છે. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા તેમની મોબાઇલ મો.૯૯૦૯૭ ૬૩૧૩૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.
50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું એવું કે...- જુઓ વિડિઓ » Trishul News Gujarati Breaking News Home Viral 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું... 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું એવું કે…- જુઓ વિડિઓ Published on: 3:19 pm, Fri, 20 November 20 તમિલનાડુમાં (Tamil Nadu) ધર્મપુરી જિલ્લામાં (Dharmapuri District) હાથીનું બચ્ચું 50 ફૂટ ઊંડા કૂવામાં (Elephant Calf Fell Down In Well) પડી ગયું. તેને બચાવવા માટે 16 કલાક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખરે તેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યું છે. તમિલનાડુના ધરમપુરીમાં એક હાથીના બાળકને કૂવામાંથી બચાવી લેવામાં આવ્યો. આ હાથીનું બચ્ચું અજાણતાં કુવામાં પડી ગયું હતું. તેનો અવાજ સાંભળીને એક ખેડૂતને ખબર પડી કે બાળક હાથી કુવામાં પડી ગયો છે. સમાચાર એજન્સી ANI અનુસાર, આ સમગ્ર ઘટના ધરમપુરીના પંચપલ્લી ગામનો છે, ખેડૂત વેંકટચલામે તેના કૂવા પાસેથી અવાજ સંભળાવ્યો હતો. જ્યારે તે અવાજ સાંભળીને પસાર થયો, ત્યારે તેણે જોયું કે એક હાથીનું બચ્ચું કૂવામાં પડી ગયું હતું. વેંકટચલમનો આ કૂવો લગભગ 100 ફૂટ ઊંડો છે. તે હાથી આ કૂવામાં પડી ગયો હતો. પ્રશાસનને માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગ સિવાય પશુચિકિત્સકો અને કામદારોની ટીમ પણ ત્યાં પહોંચી હતી. કેટલાક કલાકોના બચાવ કામગીરી બાદ, તે હાથીના બાળકને કૂવામાંથી બહાર કાઢી શકાયો. Previous articleકાબુ ગુમાવતા પુરપાટ ઝડપે દોડી રહેલી કાર સીધી ખેતરમાં ઘુસી ગઈ, ગણતરીની સેંકડમાં એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…
શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે કમાલ, ચોક્કસ જાણો આ દાળનું નામ | હું ગુજરાતી Home અજબ-ગજબ શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે... શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે કમાલ, ચોક્કસ જાણો આ દાળનું નામ કોઈપણ પુરુષના શુક્રાણુઓની સંખ્યા તેના સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે આ માટે જરૂરી છે કે તે શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સમયસર ઈલાજ કરે જેથી કરીને તે સમસ્યા ન વધે અને તેમનું શારી-રિક સ્વાસ્થ્ય બરાબર રહે આજકાલ પુરુષો પોતાનું ખાસ ધ્યાન રાખી શકતા નથી કારણ કે તે કામમાં વ્યસ્ત છે જેના કારણે તેમને લગતી સમસ્યા છે જેમાં મુખ્ય સમસ્યા શુક્રાણુઓની સંખ્યા ઓછી છે શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે તેમને પિતા બનવામાં પણ મુશ્કેલી પડે છે સાથે જ તે તેમના માટે શરમનો વિષય બની જાય છે તેથી આજની પોસ્ટમાં અમે તમને એવી દાળ વિશે જણાવીશું જેનું પાણી પીવાથી તેમના સ્પર્મ કાઉન્ટમાં વધારો થશે તો ચાલો જાણીએ વિગતવાર લાલ મસૂર અમે જે દાળની વાત કરી રહ્યા છીએ. તેનું નામ મસૂર દાળ છે મસૂર દાળનું સેવન કરવામાં આવે છે અને મોટાભાગના લોકો તેના રોજિંદા આહારમાં તેનું સેવન કરે છે દાળમાં ફોલિક એસિડ જોવા મળે છે જે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારવામાં ઘણી મદદ કરે છે પુરુષોએ તેમના આહારમાં દાળનો સમાવેશ કરવો જ જોઈએ તેઓ આ દાળને તેમના લંચમાં અથવા ડિનરમાં પણ સામેલ કરી શકે છે જે લોકો શુક્રાણુની ઉણપથી પરેશાન છે તેમણે આ દાળનું પાણી પીવું જોઈએ તેનાથી તેમને સકારાત્મક પરિણામ મળશે જેના કારણે તેઓ જલ્દી જ ફરક જોવા મળશે અન્ય ખોરાક જે શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે અશ્વગંધા અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે જે પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. તેનો ઉપયોગ દવા માટે થાય છે તેનાથી ઘણા ફાયદા થાય છે જે પુરૂષો ઓછા શુક્રાણુની સમસ્યાથી પરેશાન છે તેઓએ દરરોજ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ તમારા આહારમાં સામેલ કરો તમે જલ્દી જ ફરક જોશો ઝીંક ધરાવતા ખોરાક ઝીંકથી ભરપૂર ખોરાક પુરુષોએ ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ કારણ કે તેનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે મુખ્યત્વે આ ખોરાકમાં તમે કઠોળ મગફળી લસણ જેવા ખોરાકનું સેવન કરી શકો છો તમે તેને ખોરાકમાં અલગ-અલગ રીતે પણ સામેલ કરી શકો છો જે તમારા સ્પર્મ કાઉન્ટને વધારે છે કેળા કેળા એક એવું ફળ છે જે લગભગ દરેક વ્યક્તિ એક યા બીજા સમયે ખાય છે. તેની સસ્તી કિંમત અને સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે તમને તે કોઈપણ દુકાનમાં સરળતાથી મળી જશે પરંતુ તેના ફાયદા મોટા છે તે સ્પર્મ કાઉન્ટ વધારવાનું પણ કામ કરે છે જો તમે તેનું નિયમિત સેવન કરશો તો તમે તમારી જાતને અનુભવવા લાગશો તે દિવસભર એનર્જી જાળવી શકે છે આ માટે તમે નાસ્તામાં કેળાનું સેવન કરી શકો છો શતાવરી લીલા પોસ્ટિક શાકભાજીમાં શતાવરીનું નામ મુખ્ય રીતે જોવા મળે છે અને તેનું કારણ એ છે કે તેમાં પુષ્કળ પોષક તત્વો મળી આવે છે જો અઠવાડિયામાં ત્રણથી ચાર વખત શતાવરીનું શાક ખાવામાં આવે તો તે તમને શુક્રાણુની ગુણવત્તા અને શુક્રાણુઓની સંખ્યાને ઘણી હદ સુધી વધારવામાં મદદ કરે છે. સદીઓ થી અશ્વાગંધા નો ઉપયોગ વીર્ય સંબંધિત વસ્તુ માં કરવા માં આવે છે તેના પાવડર માં દૂધ ઉમેરી ને પીવા થી ફાયદાકારક છે લસણ એક પ્રાકૃતિક ધરેલું ઔષધી છે વીર્ય કાઉન્ટ બનાવા માટે મદદરૂપ થાય છે લસણ માં ઈલિસીન નામ નું ઘટક છે લોહી પરીસંચાલન માં ઉપયોગી છે વીર્ય ની ગતિશીલતા માટે ઉપયોગી છે ગોખરુ પણ ફાયદાકારક છે તેનું ચૂર્ણ દૂધ સાથે લેવા માં આવે તો વીર્ય કાઉન્ટ વધે છે તણાવ ને નિયંત્રણ કરવાથી પણ વીર્ય કાઉન્ટ વધે છે ઘઉં નું અંકુર દૂધ અને ગોળ સાથે હલવો બનનાવી ને ખાવા થી વીર્ય કાઉન્ટ વધે છે મેટા માં લાઇકોપીન નામ નું તત્વ હોય છે લાલ કલર ના ટામેટા નું સેવન કરવાથી 70% વીર્ય કાઉન્ટ વધારે છે. વીર્ય વૃધ્ધિ માટે ઓર્ગેનિક ફુડ ખાવા જોઈએ પ્રોટીનનું સેવન વધારે કરવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ શાકભાજી અને અનાજ આરોગો વિટામીન-સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર ભોજન ખાવું જોઈસંતરાનું જ્યુસ પીવું અથવા ખાવું સંતરામાં 124 ml વિટામીન-સી હોય છે લવિંગ અને લસણ ખાવા જોઈએ ચા અથવા અન્ય રીતે લેવા જોઈએ અંજીર અને ખજૂર ખાવી જોઈએ દુધની સાથે અથવા સાદી રીતે દિવસમાં બે વાર ખજુર ખાવી જોઈએ ખજુર નહી તો આખા દિવસ દરમિયાન પાંચેક અખરોટ ખાવા જોઈએ વિટામીન-ડી અને કેલ્શિયમને વધારતા રહો અને પ્રમાણેનો ખોરાક લેતા રહો ફોલિક એસિડ વધે તેવું કરતા રહો ફોલિક એસિડ શાકભાજી અનાજ અને સંતરામાં મળે છે.
નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન લાદવા અંગે શું કરી મોટી જાહેરાત ? રાજ્યોને લોકડાઉન લાદવા મુદ્દે શું આપી સલાહ ? – 365 Day News નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું. અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાની જાહેરાત કરી ત્યારે એવી અટકળો તેજ બની હતી કે, મોદી લોકડાઉન અંગે કોઈ મોટી જાહેરાત કરશે. મોદીએ લોકડાઉનની કોઈ જાહેરાત નહોતી કરી. બલ્કે મોદીએ કહ્યું હતું કે, આજે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્યોને પણ અનુરોધ કર્યો કે, લોકડાઉનનો ઉપયોગ અંતિમ શસ્ત્ર તરીકે કરે અને કોઈ વિકલ્પ ના બચે ત્યારે જ લોકડાઉન લાદે. એ સિવાય લોકડાઉન લાદવાનો વિચાર પણ ન કરે. મોદીએ સ્પષ્ટ રીતે દેશમાં લોકડાઉન નહીં લદાય એ સ્પષ્ટ કરી દીધું હતું. મોદીએ લોકડાઉન લાદવાનો ઉલ્લેખ કર્યો હતો પણ લોકડાઉન લદાશે એવી કોઈ જાહેરાત નહોતી કરી. તેમણે કહ્યું કે, દેશમાં યુવા વર્ગ નાની નાની ટોળીઓ બનાવીને જો કોરોના પ્રોટોકલનું પાલન કરાવશે તો કોઈ પણ પ્રકારનાં નિયંત્રણોની જરૂર નહીં પડે, કરફ્યુ લાગવો નહી પડે ને લોકડાઉનનો તો સવાલ જ પેદા થતો નથી. દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે મોદી થોડા દિવસોના લોકડાઉનની જાહેરાત કરશે એવી અટકળો ચાલી હતી. નરેન્દ્ર મોદીએ આ અટકળોને ખોટી પાડી હતી અને લોકડાઉન લાદવાની કોઈ જાહેરાત કરી નહોતી. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના કારણે બગડતી જતી સ્થિતિ વચ્ચે મંગળવારે રાત્રે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરતાં કહ્યું કે, કોરોના વિરૂધ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે સૌ મજબૂતાઈથી આ લડાઈ લડે. 692 Total Views ધો.૧૦ ગુજરાત બહારથી પાસ કરનારી વિદ્યાર્થિનીને એમબીબીએસ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે યોગ્ય કરવા હાઈકોર્ટે સૂચન કર્યું હતું. કોર્ટે ચુકાદો આપ્યા બાદ ગુજરાત સરકારે માત્ર આ એક વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ના વર્ષ પૂરતું જ ધો.૧૦ ગુજરાત બહારથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલના નીટ આધારિત ચારેય કોર્સ માટે લાયક ગણવા મહત્ત્વનો નિર્ણય કર્યો છે. […] 558 Total Views આણદ M.B.I.T. કોલેજ દ્વારા લોકડાઉન દરમ્યાન ઓનલાઇન એજ્યુકેશન તથા માર્ગદર્શન તથા શરૂ થનાર નવા શૈક્ષણિક સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની પૂર્વતૈયારીઓ. 586 Total Views આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે કેન્દ્રનું પગલું કેન્દ્ર રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા હેઠળ વસૂલાયેલા ૮,૦૦૦ કરોડ વ્યાજ વિના સંબંધિત કંપનીઓને પાછા આપવા તૈયાર કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૨ના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા (પાછલી અસરથી કર લાગુ થવો)ના કારણે કેર્ન અને વોડાફોન જેવી કંપનીઓએ સરકાર સામે કેસ કર્યો હતો. […]
રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું | chitralekha Home News Mumbai રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ... રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું કોલકાતા/મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)ને બદલે બેલટ પેપર્સ દ્વારા યોજવામાં આવે એવા પોતે લીધેલા વલણને ટેકો આપવાની બેનરજીને વિનંતી કરી હતી. ઈવીએમના વિરોધમાં એમએનએસ પાર્ટી મુંબઈમાં આવતી 21 ઓગસ્ટે રેલી યોજવાની છે અને તે રેલીમાં સામેલ થવાનું ઠાકરેએ બેનરજીને આમંત્રણ પણ આપ્યું હતું. ઈવીએમના વિરોધ સાથે રાજ ઠાકરેએ નારો અપનાવ્યો છે 'લોકશાહી બચાવો'. બેનરજીને મળ્યા બાદ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે અમારી માગણી છે કે ચૂંટણી પંચે ફરી બેલટ પેપર્સ પર આવી જવું જોઈએ અને એના દ્વારા જ મહારાષ્ટ્રની ચૂંટણી યોજવી જોઈએ. ઠાકરેએ કહ્યું કે અમારું વલણ મોદી-વિરોધી નથી, પણ ઈવીએમ-વિરોધી છે. હું દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયાજીને પણ મળ્યો હતો અને આગામી દિવસોમાં હજી વધુ નેતાઓને મળીશ. 'લોકશાહી બચાવો' રેલી અમે 21 ઓગસ્ટે મુંબઈમાં કાઢવાના છીએ. ઠાકરેએ કહ્યું કે મમતા બેનરજી પણ બેલટ પેપર્સ પ્રથા માટે લડત ચલાવી રહ્યાં છે અને એમણે મારી અને અમારી લડતને એમનું સમર્થન આપ્યું છે. દુનિયામાં ઘણા દેશોમાં ઈવીએમ મશીનોને નકારી કાઢવામાં આવ્યા છે ત્યારે ભારતમાં શા માટે એનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. અમારી માગણી છે કે ભવિષ્યની ચૂંટણીઓ મતદાનપત્રક દ્વારા યોજાવી જોઈએ. મમતા બેનરજીએ આ જ મુદ્દે ગઈ 21 જુલાઈએ કોલકાતામાં વિશાળ રેલી કાઢી હતી. એટલે જ એમનો ટેકો મેળવવા માટે હું અહીં આવ્યો છું. ઠાકરેએ કહ્યું કે ભારતમાં ઘણા મતવિસ્તારોમાં ચૂંટણીના મતદાન વખતે ઈવીએમ સિસ્ટમમાં ખામીઓ હોવાની ફરિયાદો કરવામાં આવી છે. મમતા બેનરજી તો તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએની જીત વિરુદ્ધ ઘણું બોલ્યાં છે અને લોકસભા ચૂંટણી પાછળ ઈવીએમની ભૂમિકા વિશે સવાલ ઉઠાવ્યો છે. Previous articleગ્રાહકે બિન-હિન્દુ ડિલીવરી બોય પાસેથી ઝોમેટોનો ઓર્ડર લેવાનો ઈનકાર કર્યો; કેન્દ્રીય પ્રધાન ભડકી ગયા
ખાખી વર્દીમાં જીવતું કવિ હૃદય, જાણો આ પીએસઆઈ વીશે! – Samacharwala રાજ્યમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો, નવા 954 કેસ નોંધાયાદેશમાં ફરી વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે PM મોદીની આજે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠકIND vs ENG : ઇંગ્લેન્ડની ભારત સામે 8 વિકેટે જીત, સિરીઝમાં 2-1થી આગળસુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 2 હજાર ટેસ્ટિંગમાંથી 37 વિદ્યાર્થી કોરોના સંક્રમિતમોરવા હડફ વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર ખાખી વર્દીમાં જીવતું કવિ હૃદય, જાણો આ પીએસઆઈ વીશે! April 4, 2020 3:50 pm April 4, 2020 3:50 pm હમારી સાયરી મેં એક સે બઢકર એક શેર હોગા લેકિન ઉસ શેર કા એક-એક શબ્દ "ખાખી"કા હોગા આ ઉપરોક્ત પંક્તિઓ પણ ખાખી વર્દીમાં ફરતા એસઓજી પીએસઆઇ વી.કે ગઢવીની છે વી.કે ગઢવી એટલે ખાખીમાં જીવતું કવિ હૃદય, જેમણે અંદાજે 100 જેટલા કાવ્યો અને ગઝલોની રચના કરી છે હાલ જ્યારે સમગ્ર વિશ્વ પર કોરાના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પોલીસબેડામાં ફરજ બજાવતા આ પી.એસ.આઈ વી.કે ગઢવી પોતાની રચનાઓને લઈને યોગ્ય સંદેશ ફેલાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે ફરજ પણ રાતદિવસ નિભાવી રહ્યા છે અને લોકોને આ પ્રકોપથી બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે જે સમજે એને સમજાવી રહ્યા છે અને ન સમજે એને કાયદાની ભાષામાં સમજાવી રહ્યા છે ત્યારે વી.કે. ગઢવીની સમજાવટની આ શૈલી લોકોમાં પ્રશંસાને પાત્ર બની રહી છે. ત્યારે તેમના દ્વારા રચાયેલ રચનાની એક પંક્તિ જોઈએ "ખાખી" જાગૃત કરવા જનને, સરકાર સંભળાવે ઉપાય અનેક જન જાગે તો નક્કી કોરોના ભાગે, નહીં આવે નખમાં રોગ જો પાળે થોડી ટેક. જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી)માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગુનેગારો પર પી.એસ.આઈ ગઢવી મજબુત પકડ મેળવી છે તો આગાઉ ધ્રોલ ખાતે ફરજ દરમિયાન અનેક ગુનેગારોએ વનવાસ લઇ લીધો હોય તેવું પ્રતીત થતું હતું.. તો તેઓએ ધ્રોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપુર્ણ જાળવી રાખી હતી આ પોલીસકર્મીની બીજી જાણવા જેવી અને મજેદાર વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં પ્રસંશનીય ફરજ ની સાથે સાથે સાથે એક ખાખીમાં જીવતું કવિ હૃદય પણ ધરાવે છે. તેઓની જો વાત કરવામાં આવે તો તેઓએ અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ અને ગઝલો લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે. વી કે. ગઢવી મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના, રાણ ગામના વતની છે. તેઓ વર્ષ 2013થી પોલીસબેડામાં જોડાયા હતા.. તેઓ સૌપ્રથમ બોટાદ જિલ્લામાં ફરજ નિભાવતા હતા. બોટાદ જિલ્લાના ગઢડા, પાળીયાદ તેમજ બોટાદ શહેરમાં પ્રશંસા પાત્ર કામગીરી બજાવી ત્યાર બાદ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા અહીં પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહતા બતાવીને ગઢવીએ ગુનાખોરી ડામવા નોંધપાત્ર ફરજ બજાવી હતી. પ્રણાલીગત ફરજનિષ્ઠાને કાબિલેદાદ કામગીરીમાં ફેરવીને શ્રેષ્ઠ કામગીરી કરતા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે તેઓ સન્માનિત થયા છે અને હાલ તેઓ જામનગર એસ.ઓ.જી.માં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહયા છે. પોલીસ તંત્રમાં છેલ્લા છ વર્ષથી વધુની ફરજ દરમિયાન પીએસઆઈ ગઢવી એ ચોરી, લૂંટ તેમજ ખૂન અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીઓને પકડવા સમયાંતરે ઉડીને આંખે વળગે તેવી પ્રસંશનીય કામગીરી કરી છે પોલીસ તંત્રની ફરજ દરમિયાન પોતાને જ્યારે નવરાશના સમય મળે ત્યારે તેઓ પોતાની અલગ રચના અને સાહિત્ય પ્રત્યે લગાવ જાળવી રાખી કવિતાઓ અને ગઝલ રચના કરી છે. એક રચનાકાર તરીકે તેમણે પોતાનું ઉપનામ "ખાખી" રાખ્યું છે તેમની રચનાઓ વાંચી અહેસાસ થાય છે કે પોતાની ફરજ દરમ્યાન ધારણ કરેલી વર્દી અને જ્યારથી ફરજમાં જોડાયા ત્યારે લીધેલા શપથ માટે તેઓ કેટલો અતૂટ પ્રેમ અને સ્નેહ અને લાગણી સૂચવે છે.
શ્રીરામકૃષ્ણ જ્યોત અંક : september 2015 ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ… એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, 'જયરામવાટી જઈ શકીશ?' મેં જવાબ આપ્યો, 'મા, શા માટે ન જઈ શકું?' એમણે જઈને નાની અને કાલીમામાને બોલાવી લાવવા કહ્યું. પછીના દિવસે રાતની ગાડીમાં જઈશ એવું નક્કી થયું. પછીના દિવસે સાંજે મંદિરમાં આરતીનાં દર્શન કરીને પાછા ફર્યા પછી શ્રીશ્રીમા વિશ્રામ કરી રહ્યાં હતાં. એમણે ચરણસેવા કરવા મને બોલાવ્યો અને ધીરેથી કહ્યું, 'તુલસીની નીચે નિર્માલ્ય છે, એને લેતો જજે.' અને જાહેરમાં ગોલાપમાને બોલાવીને કહ્યું, 'આશુ ભૂખ્યો છે એને ખાવાનું આપો.' ભોજન પછી શ્રીશ્રીમાને પ્રણામ કરીને હું ચૂપચાપ રવાના થયો. શ્રીશ્રીમાના આ પ્રકારે ચૂપચાપ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય કેવળ એટલો જ હતો કે નાની મામીને એ વાતની જાણકારી ન થવી જોઈએ. તેઓ પાગલ થઈ ગયા પછી શ્રીશ્રીમા એમના સિવાય કોઈ બીજા ભાઈ કે ભાભીને ચાહે કે એમને માટે કંઈક કરે એવું તે ઇચ્છતી ન હતી. નાની વગેરેને લાવવા માટે મારા પ્રસ્થાન કર્યાના ચાર દિવસ પૂર્વે ગૌરીમા (શ્રીઠાકુરનાં સંન્યાસિની ભક્ત, પછીથી શ્રીસારદેશ્વરી આશ્રમનાં સંસ્થાપિકા બન્યાં.) પુરી આવ્યાં અને અમારા વૃંદમાં સામેલ થયાં. વિષ્ણુપુરની ટિકિટ લઈને હું યથાસમયે ટ્રેનમાં બેઠો. પછી વિષ્ણુપુર ઊતરીને ભાડાની ઊંટગાડીથી કોતુલપુર ગયો. ત્યાંથી પગપાળા જયરામવાટી જઈને નાની અને કાલીમામાને કહ્યું કે હું શ્રીશ્રીમાના આદેશથી એમને પુરી લઈ જવા આવ્યો છું. પછીના દિવસે નીકળવાની વાત નક્કી થઈ છતાં કાલીમામા પોતાની પત્ની તથા બાળકોને જણાવવા પોતાના સાસરે મડાગઢ ગામ ગયા. એમનો પરિવાર એ સમયે ત્યાં હતો. જતી વખતે કાલીમામા કહી ગયા કે પછીના દિવસે સવારે હું નાનીને ત્યાં લેતો આવું, તેઓ ત્યાં બળદગાડાની વ્યવસ્થા કરી રાખશે અને ગડબેતાના માર્ગે જવાનું રહેશે. આ બાજુ સીતારામ ઘોષ નામના એક વૃદ્ધ સજ્જન આવ્યા અને નાની માને અનુરોધ કરવા લાગ્યા કે તેઓ એમને પણ સાથે લઈ જાય. આમ તો પોતાનો ખર્ચ તેઓ સ્વયં આપવાના હતા. નાની સહમત થયાં. પછીના દિવસે નાની અને સીતારામને સાથે લઈને મડાગઢ પહોંચીને જોયું તો કાલીમામાએ પુરી જવા માટે આખી ટોળી ભેગી કરી હતી. એ બાબતે કશું કહેવું અનુચિત લાગતાં હું ચૂપ રહ્યો. બે બળદગાડાની વ્યવસ્થા થઈ હતી. એકમાં નાની, પોતાનાં બન્ને બાળકો, કાલીમામાની પત્ની અને ગાડાવાળા પાસે આગળ સીતારામ બેઠા. બીજીમાં કાલીમામા, એના સાસરા અને લેખક બેઠા. બન્ને બળદગાડાં રાતભર ચાલતાં રહ્યાં અને પછીના દિવસે સવારે ગડબેતા સ્ટેશનની પાસેના ગામમાં પહોંચ્યાં. એક દુકાનમાં બપોરનું ભોજન કર્યા પછી ટ્રેનમાં બેસીને પછીના દિવસે સવારે અમે લોકો પુરી પહોંચ્યા. મડાગઢથી ગડબેતાના રસ્તામાં રાતને સમયે શાલવન થઈને આવતી વખતે એક વળાંક પર નાનીનું ગાડું એકાએક પલટી ગયું. એને પરિણામે સીતારામના ઉપર નાની અને નાની ઉપર વચેટ મામી અને એમના બન્ને પુત્રો પડ્યા. એ લોકોનો અને એમાંય વિશેષ કરીને 'મરી ગઈ, મરી ગઈ' એવો નાનીનો મોટેથી બરાડવાનો અવાજ સાંભળીને હું દોડ્યો અને એમને સહીસલામત બહાર ખેંચીને કહ્યું, 'નાની, હું તમને મરવા નહીં દઉં, નહીં તો મા રડેને!' અમે ક્ષેત્રવાસી મઠમાં પહોંચીને જોયું કે નાનીમામી, જે લેખકના અચાનક ગાયબ થઈ જવાથી અત્યાર સુધી શ્રીશ્રીમાને અનેક રીતે હેરાન-પરેશાન કરતી હતી તે બધી વાત સમજી ગઈ અને શ્રીશ્રીમા પાસે જઈને હાથ-મોં નચાવીને કોણ જાણે શું બકવા લાગી. તેના ઉત્તરમાં શ્રીશ્રીમાએ કહ્યું, 'હું શું કેવળ તમને જ લઈને રહીશ? આ લોકો શું મારા કોઈ સગાંસંબંધી નથી?' (વિસ્તૃત વર્ણન માટે સ્વામી ગંભીરાનંદનું પુુસ્તક 'શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર', જુઓ) અગ્રહાયણ (માગશર) માસમાં પુરીમાં શ્રી બળરામને વિશેષ ભોગ ધરાવાય છે. તે ભોગ અત્યંત સ્વાદિષ્ટ અને વિવિધતાપૂર્ણ હોય છે. અમે લોકો તે પ્રસાદ દરરોજ આરોગતા. શ્રીમંદિરના પ્રાંગણમાં બેસીને ચાંડાલથી માંડીને બધાંનાં મુખમાં મહાપ્રસાદ દેવો અને એમને હાથે સ્વયં આરોગવો એ ત્યાંના મંદિરની રીત છે. આ રીત પ્રમાણે એક દિવસ શ્રીશ્રીમા એક ચબૂતરા પર બેસીને અમારાં બધાંનાં મુખમાં મહાપ્રસાદ આપતાં હતાં અને પોતે પણ આરોગતાં હતાં. ત્યારે માસ્ટર મહાશય અને વરદાકુમાર (વચેટમામા) કોલકાતાથી ત્યાં અચાનક આવી પહોંચ્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો. જયરામવાટીથી જે લોકો આવ્યા હતા, એમાં નાની ઉપરાંત બાકીનાં બધાં થોડા દિવસો પછી પાછાં ચાલ્યાં ગયાં. પુરી આવ્યા પછી શ્રીશ્રીમાના પગમાં ફોલ્લો થયો અને કાલીમામાના આવવાને લીધે શ્રીશ્રીમા એટલા દિવસો સુધી મંદિર સિવાય બીજે ક્યાંય જઈ શક્યાં ન હતાં. હવે એમના ચાલ્યા ગયા પછી શ્રીશ્રીમા ફરવા જવા લાગ્યાં. રામનાં મા (બલરામ બસુનાં પત્ની કૃષ્ણભાવિની બસુ) અને નિતાઈનાં મા (નિત્યાનંદ બસુનાં મા અને સાધુપ્રસાદ બસુનાં પત્ની શરત્ કુમારી – રામનાં કાકી) શશીનિકેતનમાં રહેતાં હતાં. તેઓ ક્યારેક ક્યારેક ક્ષેત્રવાસી મઠમાં આવતાં અને કોઈ કોઈ દિવસ સાંજે શ્રીશ્રીમાની સાથે ફરવા જતાં. પુરી નિવાસ દરમિયાન શ્રીશ્રીમાએ બે વાર સમુદ્રસ્નાન કર્યું હતું. એક દિવસ તેઓ સ્વર્ગદ્વાર જોવા ગયાં. પ્રાય : તેઓ શ્રીમંદિરની પ્રદક્ષિણા કરવા જતાં. એક દિવસ જઈને શ્રીશ્રી જગન્નાથનું રસોડંુ જોયું. એક દિવસ ગુન્ડિચાવાડી ગયાં. એટલું મોટું મંદિર એમણે ફરી ફરીને જોયું. એ દિવસે લક્ષ્મીજલા પણ ગયાં. લક્ષ્મીજલાની વિશેષતા એ છે કે ત્યાં શ્રીમહાપ્રભુના દૈનંદિન ભોગ નિમિત્તે બારે મહિના નિત્ય નવું ધાન (કમોદ) ઉત્પન્ન થતું રહે છે. નિત્ય એ કમોદથી ચોખા રાંધીને તેમને ભોગ ધરાવાય છે. એક અન્ય દિવસે અમે વિજયકૃષ્ણ ગોસ્વામી મહાશયની સમાધિ જોવા નરેન્દ્ર સરોવર ગયા. ગોસ્વામીજીના પુત્રે અમારંુ સ્વાગત કર્યું. સરોવર અને તેની સાથે સંલગ્ન મઠ રમણીય છે. શ્રીશંકરાચાર્યનો ગોવર્ધન મઠ પણ જોયો. પુરીક્ષેત્રનિવાસ સમયના અંતે શ્રીશ્રીમાનું સ્વાસ્થ્ય અપેક્ષા પ્રમાણે સુધરી ગયું હતું અને સંભવત : એ જ કારણે ત્યારે તેઓ ખૂબ વાતચીત, આમોદપ્રમોદ તથા હાસપરિહાસ કરતાં. એક દિવસ વાતો કરતાં કરતાં સ્વામીજીનો દુર્ગાપૂજાનો પ્રસંગ આવતાં તેમણે કહ્યું, ''નરેન્દ્રની કેવી ગુરુભક્તિ હતી! મારે નામે સંકલ્પ કરાવ્યો. તેણે કહ્યું – 'માના નામે સંકલ્પ થશે. આપણે લોકો કૌપીનધારી છીએ. આપણા નામે સંકલ્પ ન થાય.' કેષ્ટલાલ (કૃષ્ણલાલ મહારાજ – સ્વામી ધીરાનંદ) મારી પાસે હતા. એમના દ્વારા પૂજા કરાવી. શશી (સ્વામી રામકૃષ્ણાનંદ)ના પિતા તંત્રધારક હતા. ઘણા દિવસો સુધી મારી રહેવાની વ્યવસ્થા નીલાંબરના મકાનમાં કરાઈ હતી.'' એક અન્ય સમયે તેમણે કહ્યું, 'તમે કાળા પહાડની વાત સાંભળી છે ને? બ્રાહ્મણનું સંતાન હતું. પરંતુ શું નથી કર્યું! હિન્દુનાં કોઈ દેવીદેવતાઓને જરાય છોડ્યાં નથી, બધાંને તોડીફોડીને ભુક્કો કરી નાખ્યો.' એક દિવસે શ્રીશ્રીમાને હાસ-પરિહાસ કરતાં જોઈને નટીની માએ કહ્યું, 'મા, તમે હાસ્યમજાકની આટલી વાતો જાણો છો!' શ્રીશ્રીમાએ કહ્યું, 'મને શું જુએ છે? ઠાકુરને જોયા છે ને? એમની વાતો તો પૂરી જ ન થતી. એટલી બધી વાતો તેઓ જાણતા.' માઘ (મહા) મહિનામાં શ્રીશ્રીમા કોલકાતાના બાગબાજાર સ્ટ્રીટના મકાનમાં પાછાં આવ્યાં. નાની પણ અમારી સાથે કોલકાતા આવ્યાં. નાની પણ પૌત્ર વિશે અમારી સાથે એવી જ રીતે હસતાં રહેતાં અને અમે પણ એમને છોડતા નહીં. એક દિવસ અમે એમને બાગબાજારના નવીન મયરાની દુકાનનાં રસગુલ્લાં અને સંદેશ ખવડાવ્યાં પછી પૂછ્યું કે એ કેવાં લાગ્યાં, તો તેમણે કહ્યું, 'ભાઈ, એ શું ખાખ મીઠાં હતાં? થોડો કાચો ગોળ ભેળવી દીધો હોત તો કંઈક સ્વાદિષ્ટ લાગત અને ખાવાની મજા આવત.' કેટલાક દિવસ કોલકાતામાં રહ્યા પછી નાની પ્રસન્ન કુમારના મિત્ર રામનાથ બેનર્જી સાથે જયરામવાટી ચાલ્યાં ગયાં. (ક્રમશ 🙂 By jyotPublished On: September 1, 2015Categories: Ashutosh Mitra0 CommentsTags: 2015, September 2015, શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
બસ પર પડ્યો હાઇટેન્શન વાયર, 12ના મોત, 32 દાઝ્યા | uttar pradesh 12 killed as high tension wire falls on bus - Gujarati Oneindia 22 min ago INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવ | Updated: Thursday, February 12, 2015, 14:33 [IST] લખનૌ, 24 ઑક્ટોબરઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જનપદમાં મંગળવારે એક દર્દનાક ઘટનામાં 12 લોકોના મોત નિપજ્યા છે. આ અંગેના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોનો કબજો લઇ તેમને પોસમાર્ટમ માટે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર, જિલ્લાના જહાનાબાદ વિસ્તારમાં ખાનગી બસ મુસાફરો સાથે ફતેહપુર જવા માટે એક બસ સ્ટેન્ડ પાસે ઉભી હતી, ડ્રાઇવરે જેવી બસ ચાલુ કરી કે એક હાઇ ટેન્શન વાયર બસ પર પડ્યો હતો. વાયર પડવાના કારણે બસમાં કરન્ટ પ્રસરી ગયો અને સ્પાર્કિંગ થવાના કારણે બસમાં આગ લાગી ગઇ. જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 32 લોકો દાઝ્યા હતા. દાઝેલા લોકોને પહેલા સીએચસી અને પછી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મંગળવારે ચાર વાગે જહાનાબાદથી ફતેહપુર જવા માટે આ બસ ઉભી હતી. ચાલકે બસને જેવી રિવર્સમાં લીધી કે તે હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ અને જોરદાર સ્પાર્ક સાથે વાયર તૂટીને બસ પર પડ્યો. જેના કારણે બસમાં આગ લાગી ગઇ. બસમાંથી કૂદને 10 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યાં. સબ સ્ટેશનમાંથી જ્યાં સુધી વિજ કનેક્શન કાપવામાં આવ્યું ત્યાં સુધીમાં બસમાં આગ લાગી ગઇ હતી. બસમાં ફસાયેલા લોકો મદદ માટે બુમો પાડી રહ્યાં હતા, પરંતુ બહાર ઉભેલા લોકો તેમને બચાવવા અસમર્થ હતા. કનેક્શન કપાયા પછી લોકોએ કાચ તોડીને બસમાં ફસાયેલા લોકોને બચાવવા મદદ કરી પરંતુ ત્યાં સુધીમાં 12 લોકોના મોત નિપજી ગયા હતા. uttar pradesh accident death injury electricity fatehpur ઉત્તર પ્રદેશ અકસ્માત મૃત્યું ઇજા એલેક્ટ્રીસિટી ફતેહપુર At least 12 persons, including women and children, were reportedly killed and 32 suffered burn injuries when a high tension electricity wire fell on a private bus carrying passengers at Jahanabad locality of Fatehpur disricts in Uttar Pradesh.
દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે | ખેડૂતને સપોર્ટ કરવા પેજ લાઈક કરો Home Viral દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે Published on: 10:50 am, Thu, 15 July 21 મોટાભાગના બધા જ લોકોને શરીરની સુંદરતા ગમતી હોય છે.જેથી લોકોને વૃદ્ધ થવું ગમતું નથી.જેથી અલગ અલગ પ્રકારની સર્જરીઓ અને દવાઓ લઇને લોકો યુવાન દેખાવાની કોશિશ કરતા રહે છે.પણ આજે અમે તમને એવું જણા વશુ કે જે મહિલાઓની ઉંમર ૮૦ વર્ષ કરતાં પણ વધારે હોય પણ તે મહિલાઓને જોઇને કોઇ કહી ના શકે કે તે આટલી મોટી ઉંમરના હશે. કાશ્મીરની ખીણમાં રહેતા એક આદિ જાતિના લોકો ની ઉંમર સરેરાશ 120 વર્ષ છે. પણ તે લોકો યુવાન દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં 60 વર્ષની મહિલાઓ પણ ગર્ભવતી બની શકે છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ આ ખીણમાં રહે છે. અહીં અમે તમને કાશ્મીર ખીણની હંઝા જાતિની વાત કરી રહ્યા છીએ. ડૉ.જે. મિલ્ટન હોફમેને આ જનજાતિની ઉંમર અને રૂટિન પર અભ્યાસ કર્યો છે. આ અંગે તેમને એક પુસ્તક 'સિક્રેટ્સ ઓગ ધ વર્લ્ડના હેલ્થએસ્ટ એન્ડ એડેસ્ટ લિવિંગ પીપલ' પણ લખ્યું હતું. આ પુસ્તકમાં આ પ્રજાતિના જીવન વિશે અને તે લોકો કેટલા સમય સુધી સારા અને સ્વસ્થ રહે શકે છે તે વિશે માહિતી આપવામાં આવી છે. આ લોકો શું ખાય છે તે જેથી આ લોકો આટલા સુંદર અને યુવાન રહે છે. આ લોકોને ભૂખ લાગે છે, તો તેઓ અખરોટ, અંજીર અને જરદાળુ ખાય છે. તરસ લાગે તો નદીનું પાણી પીવે છે. જો ત્યાં હળવા રોગ હોય, તો પછી નજીકની ઔષધિઓ સાથે તેમની સારવાર કરવામાં આવે છે. એવું પણ જાણવામાં આવ્યું છે કે અહીંના લોકોને દવાઓમાં કંઈ ખાસ ખબર પડતી નથી. ડોકટર રોબર્ટ મેકરિસને આ જનજાતિ પર 'પબ્લિકેશન સ્ટડીઝ ઇન ડેફિસિની ડિસીઝ' અને પછી 'જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન'માં એક પત્ર બહાર પડ્યો હતો. એવું જણાવવામાં આવ્યું છે કે અહીં ના લોકો શૂન્ય કરતા ઓછા તાપમાન વાળું ઠંડા પાણીથી સ્નાન કરે છે. એવું કહેવામાં આવે છે કે તેમના રોજિંદા જીવનમાં ખોરાક ઓછો લેવો અને ચાલવું વધારે. એવું કહેવામાં આવે છે કે આ સુંદરતા અને બીમારીઓ ઓછું થવાનું રહસ્ય છે. આ જાતિના લોકો સિકંદર ના વંશજ હોવાનું જણાવે છે. આ લોકો મોટેભાગે નિરોગી રહે છે કેમ કે ત્યાં વાહનોનો ધુમાડો નહિવત હોય છે. અને ત્યાંની આબોહવા ચોખ્ખી હોય છે. તેમાં ઓક્સિજનની માત્રા પણ વધારે હોય છે.આ લોકોની વસ્તી 85 થી 87 હજાર હોવાનું મનાય છે. આ લોકો નું નિવાસ્થાન ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તા ની પર્વતમાળા પર છે. Previous articleજો બેડ રૂમમાં હશે આ વસ્તુઓ તો, પતિ-પત્નીના જીવનમાં વધશે ખતરો Next articleIVF દ્વારા પેદા કરવામાં આવશે વાછરડા, જે એકદિવસ માં 30 લીટર દૂધ આપશે- જાણો વિગતવાર નાનકડી ઇજા હોય તો ડોક્ટર પાસે જવાની નથી જરૂર, રસોડામાં રહેલી આ વસ્તુઓ થી જ થશે દૂર આ યોજના હેઠળ દીકરીને મળશે 15 લાખ રૂપિયા- જાણો અને જલ્દી અહિયાં કરો રજીસ્ટ્રેશન નોકરી છોડી શરુ કરો આ બિઝનેસ, દર મહીને થશે 10 લાખની ચોખ્ખી કમાણી શિક્ષિકા થઈ ૧૬ વર્ષના વિદ્યાર્થીના પ્રેમમાં પાગલ અને બંધ રૂમમાં કર્યા આવા… શું વારંવાર નીકળે છે તમારી આંખો માંથી પાણી ? તો તમને હોય શકે છે આ ભયંકર બીમારી કિન્નર સાથે રિતિરિવાજ થી લગ્ન કર્યા આ વ્યક્તિએ, કહાની સાંભળી તમને પણ વિશ્વાસ નહિ આવે 10 વર્ષની આ નાની બાળકી 70 વર્ષની હોય તેટલી ઉંમર થઈ ગઈ હતી અને પછી થોડા દિવસોમાં જ… ભક્તિનો અપરંપાર મહિમા: સાવલિયા શેઠના મંદિરમાં ભક્તોએ 10 દિવસમાં આટલા કરોડ દાન આપીને નોધાવ્યો રેકોર્ડ
મારે બાળકો નથી થતા એના લીધે પત્નીએ સાળી સાથે રોમાન્સ કરવાની મને છૂટ આપી છે પણ મારી સાળી બોવજ જાડી છે - mojilomanas.in June 13, 2022 AdminLeave a Comment on મારે બાળકો નથી થતા એના લીધે પત્નીએ સાળી સાથે રોમાન્સ કરવાની મને છૂટ આપી છે પણ મારી સાળી બોવજ જાડી છે પ્રશ્ન: હું પરિણીત પુરુષ છું. મારા લગ્નને 10 વર્ષ થયા છે. પરંતુ મારી સમસ્યા એ છે કે અમારે હજુ સુધી કોઈ સંતાન નથી થયું. જ્યારે મને ખબર પડી કે મારી પત્ની ક્યારેય માતા નહીં બની શકે તો હું ખૂબ જ પરેશાન થઈ ગયો. જો કે, હું તમારાથી છુપાવવા માંગતો નથી, આ સમય દરમિયાન હું મારી ભાભીની નજીક આવવા લાગ્યો. હું મારી ભાભી સાથે છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છું. હું તેણીને ખૂબ પ્રેમ કરું છું. તે પણ મને ઈચ્છે છે. મારી પત્ની પણ અમારા સંબંધો વિશે જાણે છે. પરંતુ સમસ્યા એ છે કે હવે તે લગ્ન કરવા જઈ રહી છે. મારી પત્નીના માતા-પિતાએ તેનો સંબંધ બીજે નક્કી કર્યો છે. હું તેના વિના જીવી શકતો નથી. તે પણ મારી સાથે રહેવા માંગે છે. મેં તેના પરિવારના સભ્યો સાથે પણ આ વિશે વાત કરી, પરંતુ તેઓ અમારા લગ્ન માટે સંમત નથી. મારી પત્ની પણ ઈચ્છે છે કે હું તેની સાથે લગ્ન કરું. પરંતુ તેના પરિવારના સભ્યો તેમની જીદ પર અડગ છે. તો મને ખબર નથી કે શું કરવું? કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ અને સાયકોથેરાપિસ્ટ ડૉ. અનામિકા પાપડીવાલ, જે જયપુરમાં સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટરના ફાઉન્ડર અને ઑલ ઈન્ડિયા જૈન ડૉક્ટર્સ ફોરમના એક્ઝિક્યુટિવ મેમ્બર છે, કહે છે કે સંબંધોનો ત્રિકોણ સમય પછી ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. કારણ કે આ પ્રકારના બંધનમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે ખુશ અને સંતુષ્ટ રહી શકતું નથી. તમારા કિસ્સામાં પણ એવું જ છે. તમે તમારી પત્ની તેમજ ભાભીને તમારી સાથે રાખવાની વાત કરો છો. આવી સ્થિતિમાં, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા માટે જે પણ નિર્ણય લો છો, તે ખૂબ જ સમજી વિચારીને કરો અને જીવનભર પૂરો કરવાના વચન સાથે કરો. આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી તમે બંને માત્ર રિલેશનશિપમાં હતા, પરંતુ કાલે જ્યારે તમારા લગ્ન થશે, તો ભાભી પ્રત્યે તમારી જવાબદારી પણ વધી જશે. આવી સ્થિતિમાં, તમે ફક્ત તમારી પત્ની પર ધ્યાન આપવાનું બંધ કરશો નહીં, પરંતુ તેના પ્રત્યેની તમારી જવાબદારીઓ પણ ઓછી થવા લાગશે, જે કોઈ પણ માતાપિતા સહન કરી શકશે નહીં. એટલા માટે તે જરૂરી છે કે ચિત્રને બંને બાજુથી જોવું જોઈએ. જ્યાં સુધી બાળકની વાત છે તો તમે બંને એક બાળકને દત્તક પણ લઈ શકો છો, જે આજના સમયમાં બિલકુલ મુશ્કેલ નથી. તમે વિચારતા હશો કે આ બધું તો 10 વર્ષ સુધી ચાલતું હતું, તો હવે શું મુશ્કેલી છે. પરંતુ સત્ય એ છે કે સંબંધોમાં બંધાયા પછી જ મુશ્કેલીઓ આવે છે. આવી સ્થિતિમાં, તમે, તમારી પત્ની અને ભાભી ત્રણેય પ્રોફેશનલ સાયકોલોજિસ્ટની સલાહ લો તે ખૂબ જ જરૂરી બની જાય છે. આ કાઉન્સેલિંગ ભાભી માટે પણ ખૂબ જ જરૂરી છે કે તેઓ બીજા કોઈની સાથે જીવનમાં સામેલ થાય જેથી તેમના ભૂતકાળના જીવનની તેમના ભાવિ દાંપત્યજીવન પર અસર ન પડે. તે જ સમયે, તમે અને તમારી પત્ની બંને તમારા સંબંધને પ્રમાણિકતાથી જાળવી શકો છો.
કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ | chitralekha Home News Gujarat કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે આજે સાંજે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના નવથી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, આગામી સૂચના સુધી આ રાત્રિ કરફ્યુ લાગુ રહેશે, એમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે. સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા આ સમીક્ષા બેઠકમાં અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાજ્યના નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી, એમ કહેતાં તેમણે હોસ્પિટલોમાં બેડ હાઉસફુલ હોવાની વાતને અફવા ગણાવી હતી. રાજ્યમાં સ્થિતિ કાબૂમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હોસ્પિટલોમાં સ્થિતિ કાબૂમાં છે, એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર છે. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સહિત બોન્ડેડ ડોક્ટરોએ ફરજ ઉપર હાજર થવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જો ડોક્ટરો હાજર નહીં થાય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. રાત્રિ કરફ્યુ માટે વેપારી સંગઠનોની માગ સુરત, વડોદરા અને રાજકોટમાં સેવાકીય સંસ્થાઓ, વેપારી સંગઠનોએ સામેથી રાત્રિ કરફ્યુની માગ કરી હતી. આવી માગને ધ્યાનમાં રાખીને કોર કમિટીની મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતી કાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બીજો કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. આજે રાજ્યમાં નવા 1420 કોરોના દર્દી નોંધાયા છે અને સાત વ્યક્તિનાં મોત થયાં છે, જેથી કોરોના સંક્રમિતોનો આંકડો 1,94,402એ પહોંચ્યો છે. રાજ્યમાં 1040 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,77,515 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
રીપોર્ટ@ગુજરાત: કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો પહોંચ્યો 179, 16ના મોત | Atal Samachar Home News ON-01 રીપોર્ટ@ગુજરાત: કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો પહોંચ્યો 179, 16ના મોત ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. 24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે બે મોત નોંધાયા છે તેમાં એક જામનગરમાં 14 માસના બાળકનું મોત થયું જ્યારે બીજુ મોત સુરતમાં 65 વર્ષના પુરુષનું નોંધાયું છે. 24 કલાકમાં જે 932 કેસ કરવામાં આવ્યાં તેમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 687 કેસ નેગેટિવ છે અને 281 પેન્ડિંગ છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 2, પંચમહાલ અને પાટણમાં તથા જામનગરમાં એક-એક મોત સામેલ છે. વડોદરામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે
તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર... - જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર… તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર… તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ચહેરો તો પુનમના ચંદ્ર જેવો લાગતો હોય છે પણ જ્યારે તમે પાછા વળો ત્યારે તમારી ડોક તો જાણે અમાસ જેવી કાળી લાગે છે. તમારે તમારા સૌંદર્યની સંભાળ લેતી વખતે માત્ર તમારા ચહેરાની જ સંભાળ નથી લેવાની પણ તમારા સૌંદર્યમાં વધારો કરતાં સંપુર્ણ શરીરની સંભાળ લેવાની હોય છે. ચેહરાની સંભાળ લેતી વખતે ખાસ કરીને તમારી ડોક હંમેશા અવગણાઈ જાય છે અને તે ત્યારે ઉડીને આંખે વળગે છે જ્યારે તમારો ચહેરો સુદંર ચંદ્રમાં જેવો લાગે છે પણ તમારી ડોક કાળી લાગે છે. ડોકને જો રોજ ચોખી કરવામાં ન આવે તો તેના પરની કાળાશનો થર જડ બની જાય છે અને તેની કાળાશ દૂર કરતાં પણ વધારે સમય લાગે છે. માટે જ્યારે જ્યારે તમે તમારા ચહેરાની કેર કરો ત્યારે સાથે સાથે તમારે તમારી ડોકની પણ કેર કરવી જોઈએ. ડોકને મુલાયમ, ગોરી અને ચમકદાર બનાવવા માટે તમારે કેળા સાથે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. આ બન્ને વસ્તુનું મિશ્રણ એક પ્રકારનો પેક બનાવશે. તેના માટે તમારે એક મધ્યમ કદનું કેળું લેવાનું છે તેને મેશ કરી લેવું હવે તેમાં એકચમચી ઓલીવ ઓઇલ ઉમેરી દેવીં. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે પેસ્ટને તમારે તમારી ડોક પર લગાવી લેવી. તેને તેમજ 15-20 મિનિટ લગાવી રાખવું. ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું. આ પેક તમને જરા પણ નુકસાન નથી કરતો તેને તમે અઠવાડિયામાં બે-ત્રણવાર અજમાવી શકો છો. ડોકને ચહેરા જેવી ધોળી બનાવવા માટે તમારે બે ચમચી લીંબુનો રસ લેવો તેમાં એકથી બે ચમચી ગુલાબ જળ ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે રુના પુમડા વડે તમારી ડોક પર લગાવવું. તેને તેમ જ આખી રાત માટે રહેવા દેવું. આ પ્રયોગ માત્ર અઠવાડિયા સુધી કરવાથી તમને તમારી ડોકની ત્વચા ઉજળી થતી દેખાશે. આ પ્રયોગ તમે એક મહિના સુધી ચાલુ રાખી શકો છો. પણ જ્યારે તમને તમારી ડોકના રંગથી સંતોષ થઈ જાય ત્યારે તમારે આ પ્રયોગ બંધ ન કરવો પણ તેને ઓછો કરી દેવો એટલે કે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવો જેથી કરીને તમારા ચેહરા સાથે તમારી ડોકનો રંગ પણ મેચ થાય. બેકીંગ સોડા બેકિંગ સોડા તમારા સૌંદર્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. તે ત્વચાને લગતી હાઇપર પિગ્મેન્ટેશની અસરને પણ દૂર કરી શકે છે. તેના માટે તમારે એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા લેવું હવે તેની જાડી પેસ્ટ બને તેટલું તેમાં પાણી ઉમેરવું. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે ગળીની મદદથી તમારી ડોક પર લગાવી લેવી. તેને તેમજ અરધો કલાક રાખવું. આમ કરવાથી ડોક પરની મૃત ત્વચા દૂર થઈ જશે. અને ડોક પર જામેલી કાળી ચામડીની પરત દૂર થઈ જશે. ઓટ્સનો નાસ્તો નિયમિત કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે જ્યારે ઓટનો ઉપયોગ સ્ક્રબર તરીકે તમે તમારી ડોક પર કરશો તો તમારી ડોક મુલાયમ અને ગોરી બનશે. તેના માટે તમારે એક વાટકીમાં ત્રણ-ચાર ચમચી ઓટ્સ લેવા તેને મિક્સરમાં વાટી લેવા હવે તેમાં દહીં અથવા તો દૂધ અથવા તો ગુલાબજળ અથવા તો ટામેટાની પ્યુરી ઉમેરવી. ઓટ્સના પાઉડરને 10-15 મિનિટ તેમાં પલળવા દેવું. ત્યાર બાદ તે પેસ્ટને તમારે ગળાની આસપાસ લગાવવું અને તેનાથી ડોક ઘસવી ત્યાર બાદ તેને તેમ 15-20 મિનિટ રહેવા દેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર કરી શકો છો. આ પેસ્ટ સ્ક્રબરનું કામ કરશે અને તે તમારી ડોક પર જામેલી મૃત ચામડીને દૂર કરશે અને તેની નીચે છૂપાયેલી નવી ચામડીને શ્વાસ લેવાનો મોકો મળશે. અને સાથે સાથે જ ડોકની ત્વચા મુલાયમ અને ચમકીલી પણ બનશે. ડોક માટેની કેટલીક ખાસ કાળજી – સૌ પ્રથમ તો તમારે તમારા ચહેરા જેટલી જ કાળજી તમારી ડોકની પણ લેવી. નાહતી વખતે ચહેરો જે રીતે ઘસીને સાફ કરો છો તે જ રીતે તમારી ડોક પણ સાફ કરવી. જો નિયમિત આમ કરશો તો ભાગ્યે જ કાળી ડોકની સમસ્યા ઉભી થશે. – તમે જ્યારે ક્યારેય ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવતા હશો તો તે સમયે તમારે તમારી ડોક પર પણ સનસ્ક્રીન લગાવવું. ઘરમાંથી બહાર નીકળવાના હોવ તે પહેલાં પંદર મિનિટે સનસ્ક્રીન લગાવી લેવું જેથી કરીને તે તમને સૂર્યના પ્રકાશથી યોગ્ય રીતે પ્રોટેક્ટ કરી શકે. – સનસ્ક્રીન પસંદ કરતી વખતે તમારા વિસ્તારમાં જે રીતે તડકો પડતો હોય તે પ્રમાણેનું સનસ્ક્રીન લોશન પસંદ કરવું.
મશરૂમની ખેતી શરૂ કરી તો ગામના લોકોએ ઉડાવ્યો મજાક, પણ પછી જે થયું તે જાણીને તમે પણ રહી જશો દંગ... - We Gujjus Home Article મશરૂમની ખેતી શરૂ કરી તો ગામના લોકોએ ઉડાવ્યો મજાક, પણ પછી જે... પહેલાં, જ્યાં લોકો ખૂબ જ સરળ રીતે ખેતી કરતા હતા, હવે લોકો ખેતી કરવાની નવી વૈજ્ઞાનિક રીતો શોધી રહ્યા છે, જેથી ઓછા ખર્ચમાં વધારે ફાયદો થાય છે. હવે એવું નથી કે ફક્ત પુરુષો જ ખેતી કરે છે, મહિલાઓ પણ તેમાં ભાગ લઇ રહી છે અને ખેતીમાં પોતાનો ભાગ ભજવી રહી છે. અનુપમ કુમારીએ આજની વાતમાં આ વસ્તુ ફરીથી સ્થાપિત કરી છે. બિહાર રાજ્યના સીતામઢી જિલ્લાના રહેવાસી અનુપમ કુમારીએ સ્નાતકની પદવી મેળવીને તેના પિતા સાથે ખેતી કરવાનું નક્કી કર્યું. અનુપમના પિતા ખેતીની સાથે સાથે ભણાવવામાં પણ જોડાયેલા હતા. પરંતુ અનુપમના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. આટલા ઓછા પૈસા માં ગુજરાન કરવું ખૂબ મુશ્કેલ હતું.. તેથી તેના પિતાએ સંપૂર્ણ સમય શિક્ષણ છોડવાનું વિચાર્યું. અભ્યાસ કર્યા પછી અનુપમે નોકરી માટે બહાર જવાના બદલે તેના પિતાને ખેતીમાં મદદ કરવાનું વિચાર્યું. ક્યાં લીધી તાલીમ.. અનુપમ પાસે વૈજ્ઞાનિક રીતે ખેતી વિશે ન તો અનુભવ હતો કે ન તો જ્ઞાન. વૈજ્ઞાનિક રીતે કેવી રીતે ખેતી કરવી તે શીખવા માટે, તેણી તેના પિતા સાથે સૌ પ્રથમ કૃષિ સંશોધન કેન્દ્રમાં ગયા, જ્યાં તેણે અળસિયું ખાતર અને મશરૂમ્સની ખેતી કેવી રીતે કરી તેનો અભ્યાસ કર્યો. આ પછી પણ, તેમણે ખેતીની નવી પદ્ધતિઓ શીખવા અને અનુભવ માટે પટના, સીતામઢી અને દિલ્હીની વિવિધ સંસ્થાઓમાં તાલીમ શરૂ કરી. માત્ર 500 રૂપિયાના ખર્ચે ખેતીની શરૂઆત કરી.. તાલીમ પૂર્ણ કર્યા પછી ગામમાં પાછા ફર્યા પછી, અનુપમે પ્રથમ 500 ચોરસ ફૂટના ક્ષેત્રમાં અને માત્ર 500 રૂપિયા સાથે મશરૂમની ખેતી શરૂ કરી હતી. અનુપમે જણાવ્યું હતું કે આ પહેલા તેના ગામમાં કોઈએ મશરૂમ્સનું વાવેતર કર્યું ન હતું અને ન તો તેને મશરૂમ વિશે કોઈ જાણકારી હતી. ગામના ખેડુતો ગોબરચત્તાના નામથી મશરૂમને જાણતા હતા. તો ગામના લોકો અનુપમનો સાથ અને ટેકો નહીં આપીને તેની મજાક ઉડાવવા લાગ્યા અને કહેતા કે જુઓ આ છોકરી ગાયના છાણની ખેતી કરે છે. પરંતુ અનુપમ આ બાબતોથી નિરાશ ન થયો અને પોતાને વધુ મજબુત બનાવ્યો. તે કહે છે કે સફળ વ્યક્તિ હંમેશાં કોઈની નકારાત્મક બાબતો પર ધ્યાન ન આપીને પોતાના કાર્યમાં પ્રયાસ કરે છે અને પછી પ્રથમ નકારાત્મક લોકો સફળ વ્યક્તિને તેમના રોલ મોડેલ તરીકે વિચારવાનું શરૂ કરે છે અને અનુપમ સાથે પણ આવું જ કઈક બન્યું હતું. તેની સખત મહેનત કર્યા બાદ તેણે મશરૂમની ખેતીના માત્ર 3 મહિનામાં 10 હજારની કમાણી કરી. અનુપમે 500 રૂપિયા લગાવીને 20 ગણી વધારે કમાણી કરી હતી. ખેતીની હાલની સ્થિતિ શું છે.. હવે અનુપમ પોતે વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે જેમાં તે ઘઉંનો ભૂસું અને કઠોળનો ઉપયોગ કરે છે અને ખેડૂતોને પદ્ધતિ શીખવે છે. હવે તેમના ઉગાડવામાં આવેલા મશરૂમમાંથી લગભગ 50 ક્વિન્ટલ દર 3 મહિનામાં વેચાય છે, જે અનુપમને નોંધપાત્ર આવક બનાવે છે. હવે અનુપમ લોકોથી એટલી પ્રેરણા છે કે ત્યાંની લગભગ બધી જ મહિલાઓ તેની પાસેથી ખેતીના આ બધા ગુણો શીખી જાય છે. હવે અનુપમ ખેતીની સાથે માછીમારીનું અને બાગકામ શરૂ કર્યું છે. પહેલા ફક્ત તે જ લોકો ખેતી કરતા હતા અને તેમનું જીવન જીવતા હતા, જેની પોતાની જમીન હતી. પરંતુ હવે લોકો જમીન ભાડે આપીને અથવા તે ખરીદીને પણ ખેતી કરે છે. તે હવે વ્યવસાયનું સંપૂર્ણ રૂપ લઈ ચૂક્યું છે. સાથે મહિલાઓ પણ કૃષિ ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રહી છે. ઘણી યુવક-યુવતીઓ સારી નોકરી છોડી કૃષિથી કૃષિ તરફ આગળ વધી રહી છે અને પોતાની સાથે ઘણા લોકોને રોજગાર આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે. Previous articleશિયાળામાં રામબાણ ઇલાજ છે કાળા મરી, શરદી અને ખાંસી સહિત આ રોગો સામે આપે છે રક્ષણ, જાણો તેના અન્ય ફાયદાઓ Next articleએક મહિના સુધી સતત તમારા ચહેરા પર આ રીતે કરો બટાકાનો ઉપયોગ, એના પછી જે ફાયદા થશે તે જાણીને દંગ રહી જશો..
રણોત્સવ એક મહિનો મુલતવી ધોરડોના સફેદ રણમાં વૉચ ટાવરથી આગળ બધે જ પાણી ભરાયેલાં છે ભુજ, તા. 8 : દર વર્ષે પહેલી નવેમ્બરથી કચ્છના ધોરડો પાસેના રણમાં યોજાતો રણોત્સવ આ વખતે સફેદ મીઠાના રણમાં મોટાપાયે પાણી ભરાયેલાં હોવાથી એક મહિનો ઠેલવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે પહેલી ડિસેમ્બરથી રણોત્સવ યોજાય તેવો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે. 2019/20નો રણોત્સવ હવે ચાર મહિનાના બદલે ત્રણ મહિના ચાલે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં થયેલા સતત વરસાદ અને તેમાંય બનાસકાંઠા વિસ્તારમાંથી વરસાદી પાણી કચ્છના રણમાં ભરાયાં હોવાથી અત્યારે જ્યાં રણોત્સવ યોજાય છે એ સ્થળે મોટાપાયે પાણી ભરાયેલાં હોવાથી એક મહિનામાં સૂકાઇ જાય તેવી સ્થિતિ નથી. કચ્છના કલેક્ટર નાગરાજન મહાલિંગમે `વ્યાપાર' સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દેશ-વિદેશના લાખો પર્યટકોને ઘેલું લગાડી ચૂકેલા સફેદ રણ વચાળે તંબુનગરીના આ રણોત્સવના શુભારંભમાં ફેરફાર કરવો પડયો છે. તેમણે જણાવ્યું હતું કે, ધોરડોના સરપંચ મિયા હુસેન ગુલબેગે પોતાના અનુભવના આધારે કહ્યું કે, 1લી નવેમ્બર સુધીમાં પાણી ઓસરી જાય કે સૂકાઈ જાય તેવું લાગતું નથી. વોચ ટાવરથી આગળના વિસ્તારમાં પથરાયેલી નમકની સફેદ ચાદરનો નજારો જોવાની પ્રવાસીઓને ઇચ્છા હોય છે. જો 1લી નવેમ્બરના બુકિંગ કરી દેવાશે તો પાણીના કારણે નમક સરોવર જોઇ શકાય તેવું નથી. પાણી ઘૂંટણથી પણ વધારે છે અને એક-દોઢ મહિનામાં ઘટશે નહીં. એટલે ધોરડોના સરપંચ મિયા હુસેનના પ્રસ્તાવને પગલે હવે 1લી ડિસેમ્બરથી રણોત્સવ યોજવાની કલેક્ટરે ઘોષણા કરી છે.
સ્ત્રીઓ માટે આર્મ ટેટૂ - ટેટૂઝ કલા વિચારો સ્ત્રીઓ માટે આર્મ ટેટૂ ટેટૂઝ કલા વિચારો ટીમ 2 શકે છે, 2018 આર્મ ટેટૂઝ સદીઓથી આસપાસ છે અને સમાન પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પહેર્યો છે. ટેટૂ કલાની વિવિધતા હાથથી લાગુ કરી શકાય છે કારણ કે ત્યાં જીવનની વિશાળ જગ્યા ઉપલબ્ધ છે જે સુંદર આજીવન જીવવા માટે યાદગાર છે. સ્ત્રીઓ માટે આર્મ ટેટૂઝ તેમને આકર્ષક અને આકર્ષક તેમજ આક્રમક દેખાય છે. ટેટૂઝને પ્રેમ કરતી સ્ત્રીઓ માટે એક તેજસ્વી અને અનન્ય હાથ ટેટૂ વિચારો ફૂલો અને હોકાયંત્રના આ સુંદર સંપૂર્ણ હાથનો કાળો અને ગ્રે ટેટૂ ખૂબ વાસ્તવિકતાથી કરવામાં આવે છે. ગુલાબ પૃથ્વી પર સૌથી લોકપ્રિય ફૂલ છે અને ફ્લોરલ ટેટૂઝમાં મનપસંદ પસંદગી છે. તેમના રંગના આધારે તેનો અલગ અલગ અર્થ છે લેડિઝ માટે એક ઉત્કૃષ્ટ ગતિશીલ મલ્ટી ડિઝાઇન હેન્ડ ટેટૂ વિચારો. ટેટુ તેજસ્વી રંગીન તારાઓ અને ફૂલોમાં આવેલું ફૂલો સાથે એક એસિડ ગેલેક્સી જેવો દેખાય છે. આ પ્રકારનું સંપૂર્ણ હાથ ટેટૂઝ વિશિષ્ટ વસ્તુઓ પર પ્રયોગ કરવા માટે પ્રેમ કરનારી વ્યક્તિની બોલ્ડ અને હિંમતવાન પાત્ર દર્શાવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે આંખ આકર્ષક રંગીન ફ્લોરલ હાથ ટેટૂ વિચારો વાદળીથી નારંગી સુધીના વાઇબ્રન્ટ રંગો સાથે, આ ટેટૂમાં ગુલાબ ખાસ કરીને અદભૂત છે. આ હાથનું ટેટૂ પાણીના રંગની શ્રેષ્ઠ કૃતિ જેવો દેખાય છે, જે સંપૂર્ણ હાથને આવરી લે છે. કન્યાઓ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ હાથ પર મલ્ટી રંગીન પ્રાણી ટેટૂ વિચારો. શિયાળ પર આયોજીત કેનવાસ પેઇન્ટિંગ જેવા શિયાળનું આ અજોડ અને આઘાતજનક ચિત્ર. સ્ત્રીઓ માટે આર્મ ટેટૂઝ સ્ત્રીલી, સેક્સી, ગૂઢ અને બોલ્ડ હોવાનું તેમને નવી રીતે પ્રગટ કરવામાં મદદ કરે છે. મહિલાઓ માટે સંપૂર્ણ હાથ પર કલા ટેટૂ વિચારો એક પ્રભાવશાળી મિશ્રણ. ફૂલો, કલાકના કાચ, પાંખો અને સ્ત્રીના ચહેરાના આ અસામાન્ય મિશ્રણ ટેટૂ કલાને વશીકરણ અને વિશિષ્ટતા દર્શાવે છે. વિવિધ પ્રકારની આ કાળા અને સફેદ ટેટૂ કોઈ પણ મહિલા પર આકર્ષક લાગે છે અને તેને બોલ્ડ લાગે છે. આર્મ ટેટુ વિડિઓ છોકરીઓ અને સ્ત્રીઓ માટે એક ભવ્ય ફૂલોની હાથ ટેટૂ વિચારો. આ ટેટૂ કલા મુખ્યત્વે માધ્યમથી મોટા કદનાં ફૂલોનો સમાવેશ કરે છે અને તેમાં કેન્દ્રિય સ્થાને મંડલ કમળ છે. કાળા અને ભૂરા ટેટૂ ફૂલો જોઈને ઝાંખા પડ્યા છે જે આ ટેટૂને મનમોહક બનાવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ હાથના ટેટૂના વિચારો જોશો અડધા ફૂલ, પાંદડાં અને વમળ ની આ જટિલ પેટર્ન સંપૂર્ણપણે અદભૂત અને તેજસ્વી બનાવવામાં આવેલ છે. તીવ્ર કાળી શાહીમાં સંપૂર્ણપણે ગોઠવાયેલી રેખાઓ અને દાખલાઓ આ ટેટૂ અત્યંત આંખ આકર્ષક બનાવે છે. ભારે છૂંદણાને પ્રેમ કરનારા કન્યાઓ અને મહિલાઓ માટે સંપૂર્ણ હાથ પર આકર્ષક આકર્ષક ફૂલોની ટેટૂ ડિઝાઇન. ફૂલોના સુંદર પ્રકાશ અને શ્યામ પાંદડીઓની તેજસ્વી સંયોજન તે મેળવી શકે તેટલું જ વાસ્તવિક છે. ફૂલના ભાગો પર આંતરિક રીતે અદભૂત છે અને વિપરીત વિગતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ હાથ પર સર્જનાત્મકતાના મિશ્રણથી બનાવવામાં આવતી એક જોડણી ટેટૂ. એક વર્ણપટમાં જંગલી જીવન અને પ્રકૃતિની અસાધારણ એકીકરણ ચમકાવતું છે. આદિવાસી મહિલા અને ફેન્સી ખોપરી દર્શકને સંપૂર્ણપણે જુદી જુદી પરિપ્રેક્ષ્ય આપીને સમગ્ર ચિત્રની સુંદરતામાં વધારો કરે છે. કન્યાઓ માટે સંપૂર્ણ શસ્ત્ર ટેટુ ડિઝાઇન વિચારો. આ ટેટૂ કલા ફૂલોથી ચંદ્ર સુધીના વિવિધ તત્વોનું મિશ્રણ છે આ કળાને પહેરનારને મહત્વનું મહત્વ છે અને તેનો અર્થ ફક્ત તેમની પાસેથી જ ઓળખાય છે. કોઈ વ્યક્તિના હિતને આધારે અને તે બધા સાથે એકસાથે મૂકીને ટેટૂ કલાકારની સર્જનાત્મકતાના આધારે આવા ભ્રામક કલાની પસંદગી કરી શકે છે. છોકરીઓ અને મહિલાઓ માટે મોહક સંપૂર્ણ સ્લીવ્ઝ ટેટૂ વિચાર. આ પ્રભાવશાળી ટેટૂ કલા એ એકસાથે પીલાયેલી અનેક નાના કલા કાર્યોનું સંયોજન છે. ટેટૂઝ દ્વારા ઢંકાયેલો હાથ પ્રસ્તુત કરવા માટે વિવિધ પ્રકારના પેટર્ન અને ડિઝાઇન સુંદર ગોઠવાય છે. મહિલા માટે એક સૌંદર્યલક્ષી સંપૂર્ણ સ્લીવમાં ટેટૂ વિચારો. ટેટૂના આ સ્વરૂપને અમૂર્ત કલા કહેવામાં આવે છે જ્યાં કેટલાક ઘટકો એક સ્પેક્ટ્રમ હેઠળ લાવવામાં આવે છે. તે અત્યંત આકર્ષક છે કારણ કે આ પ્રકારના ટેટુમાં અનેક નાના અને વિશાળ વિવિધ પ્રકારની કલા કાર્યોનો સમાવેશ થાય છે. ઇગલ ટેટૂઝઅનંત ટેટૂઆંખ ટેટૂપક્ષી ટેટૂઝગરદન ટેટૂઝહાથ ટેટૂઝપુરુષો માટે ટેટૂઝશ્રેષ્ઠ મિત્ર ટેટૂઝપ્રેમ ટેટૂઝહેના ટેટૂદંપતિ ટેટૂઝસુંદર ટેટૂઝસૂર્ય ટેટૂઝછાતી ટેટૂઝપગની ઘૂંટી ટેટૂઝક્રોસ ટેટૂઝકમળના ફૂલ ટેટૂતીર ટેટૂઆદિવાસી ટેટૂઝહાથી ટેટૂએન્કર ટેટૂઝમહેંદી ડિઝાઇનવીંછી ટેટૂહાર્ટ ટેટૂઝઓક્ટોપસ ટેટૂસંગીત ટેટૂઝકન્યાઓ માટે ટેટૂઝબિલાડી ટેટૂઝબહેન ટેટૂઝબટરફ્લાય ટેટૂઝહોકાયંત્ર ટેટૂરીપ ટેટૂઝટેટૂ વિચારોફેધર ટેટૂરાશિ સંકેતો ટેટૂઝહાથ ટેટૂઝવોટરકલર ટેટૂચેરી બ્લોસમ ટેટૂભૌમિતિક ટેટૂઝદેવદૂત ટેટૂઝસ્લીવ્ઝ ટેટૂઝપગ ટેટૂઝગુલાબ ટેટૂઝફૂલ ટેટૂઝતાજ ટેટૂઝપાછળ ટેટૂઝસિંહ ટેટૂઝહીરા ટેટૂચંદ્ર ટેટૂઝકોઈ માછલી ટેટૂ
જો તમારે પૈસા કમાવવા હોય તો ઘરના આ ખૂણામાં રાખી દો ઈલાયચી, જુઓ પછી તેનો ફાયદો… – Gujju King Home/Janva Jevu/જો તમારે પૈસા કમાવવા હોય તો ઘરના આ ખૂણામાં રાખી દો ઈલાયચી, જુઓ પછી તેનો ફાયદો… gujju April 7, 2021 Janva Jevu Leave a comment 260 Views પૈસા કમાવવા કોણ નથી ઇચ્છતું, શા માટે આપણે અને તમે જીવનમાં સખત મહેનત કરીએ છીએ. સરળ જવાબ છે ભાઈ, પૈસા કમાવવા માટે. જુઓ, દરેક પૈસા કમાય છે, લગભગ દરેક જણ તેના શરીરને જોઈએ તેટલું ખોરાક અને કપડાં પહેરે છે. પરંતુ પૈસા કમાવવું એ દરેકની વાત નથી. ઘણી બધી કમાણી કરવા માટે, ઘણી બધી સખત નસીબ અને ઘણી મહેનત કરવી પડે છે. જુઓ, જો કે આપણે સખત મહેનત કરીશું, પરંતુ આપણને ઇચ્છિત પરિણામો મળતા નથી, આ કેમ છે, તેનો જવાબ આપવો મુશ્કેલ છે. મહાન પંડિત પણ તેનો જવાબ આપતા પહેલા બે વાર વિચાર કરશે. જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને તો પણ પૈસા કમાવવા માટે સમર્થ નથી, તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં કંઇ સમસ્યા છે. કેટલીક વસ્તુઓ એવી છે જે આપણા નિયંત્રણથી બહાર છે. જે ઉપરનો ભગવાન એક જ ઠીક કરી શકે છે. જો પૈસાની સમસ્યા યથાવત્ રહે છે, તો પછી તમે ઈલાયચીને લગતા કેટલાક ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમે પૈસાની સમસ્યાઓથી થોડીક મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય મુજબ સૌથી પહેલાં તમારે લીલી ઈલાયચી લેવી પડશે. આ પછી તમારે તમારા પૂજાગૃહમાં બેસવું પડશે. એમ કહો કે પૂજા ઘરમાં બેસ્યા પછી તમારે તમારા બંને હાથ જોડીને આ મંત્રનો જાપ કરવો પડશે. ઓમ શ્રીમ શ્રી શ્રીએ નમઃ। આ સાથે, તમને કહી દઈએ કે તમારે આ મંત્રનો એકસો આઠ વખત એટલે કે માળા જેટલો જ જાપ કરવો પડશે. આ સિવાય, ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ કરતી વખતે કોઈ તમને પરેશાન ન કરે. જાપ પૂર્ણ કર્યા પછી, તમારે આ ઇલાયચીને તમારી મૂઠમાં બંધ કરવી પડશે અને ઘરની અંદર જ સાત વર્તુળ બનાવવા પડશે. ઘરના સાત વર્તુળ પછી, તમારે ફરીથી પૂજા ઘરની સામે બેસવું પડશે. આ પછી તમારે લાલ રંગનું કાપડ લેવું પડશે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે જૂનું કાપડ પણ લઈ શકો છો, પરંતુ તે લાલ રંગનું હોવુ જોઈએ. તે પછી, તે લીલી ઈલાયચીને આ લાલ રંગના કાપડમાં લપેટી લો અને તેનું બંડલ બનાવો. આ સિવાય, તમારે આ બંડલ બાંધવા માટે લાલ થ્રેડનો ઉપયોગ કરવો પડશે. આ પછી, આ નાના બંડલને ઘરની એવી જગ્યાએ છુપાવી દો કે તે કોઈ જોવું જોઈએ નહીં. એટલે કે, ઘરનો કોઈ પણ સભ્ય આ બંડલ જોઈ શકશે નહીં. તમે આ ઉપાય કોઈપણ સમયે અને કોઈપણ દિવસે કરી શકો છો. પરંતુ આ ઉપાય કરતી વખતે, ધ્યાનમાં રાખો કે દિવસના એકવીસમા દિવસે તમે આ પગલાં લેશો, તમારે બંડલ ઉપાડવું પડશે અને તેને પાણીમાં નિમજ્જન કરવું પડશે. આવી સ્થિતિમાં, જો તમારી આસપાસ પાણી ન હોય, તો તમે તેને ઝાડની નીચે પણ દાટી શકો અને જો તે ઝાડ પીપળાનું હોય તો તે વધુ સારું રહેશે. Previous પીએમ મોદીના એક દિવસના ખાવાના ખર્ચ થાય છે આટલા પૈસા, જાણીને તમે પણ રહી જશો હેરાન… Next મનોજ તિવારીની પત્ની સુંદરતાની દ્રષ્ટિએ આપે છે બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફને પણ ટક્કર, જુઓ તસવીરો…
ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો - sports ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો વિશાખાપટ્ટનમ: ભારતે ચાર દેશો વચ્ચેની અન્ડર-૧૯ ટુર્નામેન્ટ ગઈ કાલે જીતી લીધી હતી. ભારતે શ્રીલંકા સામેની એક્સાઇટિંગ ફાઇનલ પાંચ રનથી જીતી લીધી હતી. આ વિજયમાં રાજકોટના ૧૮ વર્ષની ઉંમરના લેફ્ટી પેસબોલર રુશ કલારિયાનું મોટું યોગદાન હતું. ભારતે બૅટિંગ મળ્યા પછી આકાશદીપ નાથના પંચાવન રનની મદદથી ૫૦ ઓવરમાં ૧૬૮ રન કર્યા હતા. શ્રીલંકા ૪૬.૫ ઓવરમાં ૧૬૩ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. પંજાબના પેસબોલર સંદીપ શર્માએ ચાર અને રુશ કલારિયાએ ત્રણ વિકેટ લીધી હતી. ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તામિલનાડુના બાબા અપરાજિથને એક જ વિકેટ મળી હતી.
આણંદ જિલ્લામાં 1.70 લાખ બાળકોને ઓરી-રૂબેલા રસીથી રક્ષિત કરાયા: તમામ 'સુરક્ષિત' નવગુજરાત સમય | Publish Date: Aug 8 2018 2:41PM આણંદ જિલ્લામાં રસીના કારણે કોઇ બાળકને ગંભીર આડઅસર થઇ નથી: 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે - સમગ્ર દેશમાંથી ઓરીને નાબૂદ કરવા અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે રસી આપવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તા.૧૬મી જુલાઇથી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ કરાયો હતો. જેમાં જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ૩જી ઓગસ્ટ સુધીમાં જિલ્લાના કુલ ૧,૭૦,૦૨૬ બાળકોને ઓરી-રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. જે અભિયાન તા.૧૫મી ઓગસ્ટ સુધી ચાલનારું હોઇ જેમાં બાકી રહેલી શાળાઓના બાળકોને અને શાળાએ ન જતા બાળકોને ઓરી-રૂબેલાની રસીથી આવરી લેવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. બી. પટેલે જણાવ્યું છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાની સાથે તેની કોઇ આડઅસર નથી તેમ જણાવી આણંદ જિલ્લામાં રસીના કારણે કોઇ બાળકને ગંભીર આડઅસર થઇ ન હોવાનું કહ્યંુ છેે. જેથી વાલીઓને અંધશ્રદ્ધા કે અફવાઓથી દૂર રહી પોતાના બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાવી રક્ષિત કરવા અનુરોધ કર્યો છે. આ અભિયાનમાં શાળાના સંચાલકો, મુખ્ય શિક્ષક, શિક્ષકગણ, પંચાયત, આંગણવાડી કાર્યકર, આશા તથા આરોગ્યની સમગ્ર ટીમના સહકારથી આ અભિયાનને સફળ બનાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓરી અને રૂબેલા જેવા રોગને કારણે દેશમાં થતા મૃત્યને ચોક્કસ અટકાવી શકાય છે. તેટલું જ નહીં પણ ઓરી અને રૂબેલાની રસી આ રોગને ફેલાતો અટકાવે છે. જેથી જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને આ રસીથી રક્ષિત કરવા અપીલ કરાઇ છે. સેવાલિયા સ્વામિનારાયણ મંદિરમાં ઓરી રૂબેલા રસીકરણ જાગૃતિ શિબિર જાગૃતિ શિબિર સેવાલિયામાં વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં સેવાલિયા મહાજન ટ્રસ્ટ દ્વારા ઓરી રૂબેલા રસીકરણ સંદર્ભે જનજાગૃતિ શિબિર યોજાઇ હતી. ઓરી રૂબેલાને નાબૂદ કરવા અને સૌ નાગરિકોના બાળકો શારીરિક સ્વાસ્થય સુદ્રઢ બનાવવા સૌ અગ્રણીઓએ હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સેવાલિયા સ્વા. મંદિરના કોઠારી આત્મપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ઓરી અને રૂબેલા શું છે ? ઓરી એ વાયરસથી ફેલાતી એક પ્રાણઘાતક બિમારી છે. જેના લક્ષણોમાં શરૂઆતમાં તાવ આવે છે, ખાંસી થાય છે, નાકમાંથી પાણી પડે છે અને ત્રણ-ચાર દિવસ પછી આખા શરીર પર ઝીણા લાલ દાણા છે. ઓરીના કારણે બાળક ન્યુમોનિયા, બ્રોન્કાઇટીસ, ટીબી, મગજનો તાવ જેવી ગંભીર બિમારીનો ભોગ બની શકે છે. જ્યારે રૂબેલા વાયરસથી ફેલાતી બિમારી છે. સગર્ભાવસ્થા દરમિયાન તેનો ચેપ લાગેલો હોય તો ગર્ભપાત અથવા મૃતજન્મ થાય છે. અથવા તો નવજાત શિશુને રૂબેલાથી ઉણપ આવે છે
ગુજરાતી સમાચાર: જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ | Hospitality And Travel 102 - Corporates | I Am Gujarat Gujarati News Corporates જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ Updated: Apr 16, 2019 09:30 am IST 68899408 અનિર્બાન ચૌધુરી મુંબઈ:જેટ એરવેઝના ધિરાણકારો વચ્ચે ઇમરજન્સી લોન અંગે તીવ્ર મતભેદ હોવાના કારણે સહમતી થઇ શકે તેમ નથી. પરિણામે જેટ એરવેઝની કામગીરી સંપૂર્ણપણે બંધ થઇ જવાની તૈયારી છે. સોમવારે ધિરાણકારોએ આખો દિવસ ચર્ચા કરી હતી પરંતુ વચગાળાની લોન અંગે સહમતી સાધી શકાઈ ન હતી. મંગળવારે બોર્ડની મહત્ત્વની મિટિંગ અગાઉ એરલાઇનનું ભવિષ્ય અદ્ધરતાલ છે. જેટનું મેનેજમેન્ટ બોર્ડ સમક્ષ ફાઇનાન્સ અને ઓપરેશન્સની અત્યારની સ્થિતિની માહિતી મૂકશે. તેણે આંતરરાષ્ટ્રીય કામગીરી ગુરુવાર સુધી બંધ રાખવા અને હાલમાં માત્ર સાત વિમાનની ઉડાન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આવતીકાલ સુધીમાં જેટના ધિરાણકારો કંપનીઓમાંથી ક્વોલિફાઇડ બિડર્સ પસંદ કરશે જેમણે તેમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો છે. તેમને બાઇન્ડિંગ બિડ સોંપવા માટે 10 મે સુધીનો સમય અપાશે તેમ બેન્કરે જણાવ્યું હતું. તેમને બિડ તૈયાર કરવા માટે ત્રણ સપ્તાહનો સમય મળશે. એસબીઆઇ કેપિટલ માર્કેટ્સની લેટેસ્ટ જાહેરાત પ્રમાણે આ તારીખ ૩0 એપ્રિલ હતી. એસબીઆઇ કેપ્સ રિઝોલ્યુશન પ્લાન અને બિડિંગ પ્રક્રિયાના અમલીકરમ પર નજર રાખી રહી છે. કર્મચારીઓને બોર્ડ મિટિંગ વિશે જાણકારી આપતા સીઇઓ વિનય દૂબેએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં વચગાળાના ફંડિંગની વ્યવસ્થા થઈ નથી." એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે પીએનબી, આઇસીઆઇસીઆઇ અને યસ બેન્ક ઇમરજન્સી ફંડ રિલિઝ કરવા સાથે સહમત નથી. જ્યારે એસબીઆઇ, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કને ભંડોળ રિલિઝ કરવા સામે વાંધો નથી. તેથી હાલમાં કોઇ ફંડિંગ આવી રહ્યું નથી. તાત્કાલિક ભંડોળ નહીં મળે તો જેટ માટે કામગીરી ચાલુ રાખવી લગભગ અશક્ય છે. જેટના મેનેજમેન્ટ અને ધિરાણકારો વચ્ચે સોમવારે બેઠક મળી હતી પરંતુ તેનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો. સાંજે બીજી મિટિંગ પણ થઇ હતી. આ લખાય છે ત્યાં સુધી તે બેઠકનું પરિણામ જાણી શકાયું નથી. પરંતુ ધિરાણકારો વચ્ચે અસહમતી છે તે વાત નક્કી છે. જેટ તેની લોનની પુન:ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થઇ છે. તેણે લગભગ તમામ વિમાનોને ગ્રાઉન્ડ કર્યા છે, તેના કર્મચારીઓને પગારની ચૂકવણી કરી નથી, અને અનેક કર્મચારીને છૂટા કર્યા છે. એરલાઇનની બીજા ક્રમની સૌથી મોટી શેરહોલ્ડર એતિહાદ એરવેઝે બીજી વખત રોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે પરંતુ તેનો હિસ્સો 24 ટકા સુધી સિમિત રાખવાની શરત રાખી છે. ટીપીજી કેપિટલ, ઇન્ડિગો કેપિટલ અને થિંક ઇક્વિટી-રેડક્લિફ કેપિટલે પણ ઇઓઆઇ જમા કરાવ્યા છે. સરકારી માલિકીની નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેમાં સીધું રોકાણ કરશે. જેટના સ્થાપક નરેશ ગોયલે પણ બિડ કરી હોવાનું કહેવાય છે. તેમને ફ્યુચર ટ્રેન્ડ કેપિટલ અને અદી પાર્ટનર્સનો ટેકો છે. જેટ એરવેઝના એન્જિનિયરિંગ વિભાગની મંજૂરી રદ ટાટા ગ્રૂપની કંપનીઓ વચ્ચે વધારે સહયોગના સંકેત જુઓ, અંદરથી કેવી દેખાય છે UBERની ઉડતી ટેક્સી ફ્રી સમય છે? એમેઝોનની ડિલિવરી કરો અને આમ કમાઓ રુપિયાDHFLના પ્રમોટર્સ PE કંપનીઓને 50% હિસ્સો વેચવા તૈયારજેટ એરવેઝના એન્જિનિયરિંગ વિભાગની મંજૂરી રદટાટા ગ્રૂપની કંપનીઓ વચ્ચે વધારે સહયોગના સંકેતગુડ ન્યૂઝ: ESIમાં ઘટ્યું યોગદાન, ફાયદો એટલો જજુઓ, અંદરથી કેવી દેખાય છે UBERની ઉડતી ટેક્સીવોડાફોન આઇડિયા પછી હવે ટાટા સ્પોન્જનો રાઇટ્સ ઇશ્યૂ આવશેCPPIB ડેલ્હીવરીમાં સેકન્ડરી સોદો કરશેONGCએ અમદાવાદ, વડોદરાના ગોલ્ફ કોર્સ વેચવા પડશેમે મહિનામાં M&Aમાં 54% ઘટાડોબેન્કો સાથે 11 વર્ષમાં ફ્રોડના 50,000થી વધુ કેસ: ₹2.05 લાખ કરોડની છેતરપિંડીTCS વૈશ્વિક IT કંપનીઓમાં મોટી છલાંગ માટે તૈયારએક દૂધવાળાને લીધે આ દિગ્ગજ કંપનીના રુ. 7,000 કરોડ ધોવાઈ ગયા!PwC, રિલાયન્સ કેપિટલનો વિવાદ વકર્યોએરટેલ-વોડાફોન વચ્ચે InvIT માટે ચર્ચા
કેરળમાં 'ટેબલ ટોપ રનવે' પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે? - Gujarat ExclusiveGujarat Exclusive Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરળમાં 'ટેબલ ટોપ રનવે' પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે? દુર્ઘટનામાં 18નાં મોત, 127 હોસ્પિ.માં દાખલ, VIDEO જોવા ક્લિક કરો કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં રનવે પર એર ઇન્ડીયાનું વિમાન લપસ્યું 'ટેબલ ટોપ રનવે' ને કારણે અહીં લેન્ડિંગ રહે છે જોખમભર્યું કેરળ : કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં 'ટેબલ ટોપ રનવે' પર અચાનક એર ઇન્ડીયાનું વિમાન લપસી (Kerala plane crash) જતા ઘાટીમાં જઇ પડ્યું. જેનાં કારણે વિમાનનાં બે ટુકડા થઇ ગયા હતાં. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાયલટ સહિત 18નાં મોત (Kerala plane crash) થઇ ચૂક્યાં છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. આ વિમાન દુબઇથી 174 પેસેન્જર, 10 નવજાત બાળકો, 2 પાયલટ અને 5 કેબિન ક્રૂ સાથે મલ્લાપુરમનાં કાલીકટ એરપોર્ટ આવી રહ્યાં હતાં. આ વિમાન દુર્ઘટના પાછળ જવાબદાર કારણ ભારે વરસાદ સિવાય 'ટેબલ ટોપ રનવે'ને ગણવામાં આવી રહેલ છે. 'ટેબલ ટોપ રનવે' ને કારણે વિમાનને લેન્ડિંગ દરમ્યાન મુશ્કેલી સર્જાઇ અને આટલી મોટી દુર્ઘટના ઘટી ગઇ. આવા રનવે પર વિમાનને ખરાબ વાતાવરણમાં લેન્ડિંગ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ વિમાન દુર્ઘટના બાદ એક વાર ફરી 'ટેબલ ટોપ રનવે'ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તો આખરે શું હોય છે આ 'ટેબલ ટોપ રનવે' તે અહીં જાણીએ… કોને કહેવાય છે 'ટેબલ ટોપ રનવે'? જો કે આપને નામ પરથી જ ખ્યાલ આવી જશે કે ટેબલ ટોપ એટલે કે બંને તરફની જગ્યા ખાલી હોય અને ઉપરની તરફ સમતલ રનવે હોય તેને જ ટેબલ ટોપ રનવે કહેવાય છે. આવો રનવે કોઇ પહાડી અથવા તો કોઇ એવી જગ્યાએ કે જે નીચેથી સ્લોપવાળી હોય અથવા તો તેનાં ટોપ પર સ્થિત કોઇ એરપોર્ટ પર બનાવવામાં આવેલ હોય છે. આવા રનવે પર લેન્ડિેંગ માટે પાયલટને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમ કે કહેવાય છે કે લેન્ડિંગ વખતે આવા રનવે એક પ્રકારનો ભ્રમ પેદા કરે છે. એટલાં માટે અહીં પરફેક્ટ લેન્ડિંગ ખૂબ જરૂરી હોય છે. જો વાતાવરણ ખરાબ હોય તો આ રનવે પર લેન્ડિંગ ખૂબ મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે આવા રનવેની બંને બાજુએ ઊંડી ખાઇ અથવા તો ઘાટી હોય છે. જેમ કે કેરળનાં કોઝિકોડમાં થયું. વિમાન રનવે પરથી લપસી સીધુ ઘાટીમાં જતું રહ્યું, જેને કારણે વિમાનનાં બે ટુકડાંઓ થઇ ગયા અને 18 લોકોનાં મોત નિપજ્યાં. દેશમાં કેટલી જગ્યાએ આવા ટેબલ ટોપ રનવે છે? દેશમાં કુલ ત્રણ જગ્યાએ ટેબલ ટોપ રનવે આવેલાં છે. જેને ખૂબ ઊંચાઇ પર બનાવવામાં આવેલ છે. જેમાંથી એક કેરળનાં કાલીકટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે છે. જેની પર એર ઇન્ડીયાનું વિમાન લપસી પડ્યું અને આટલી મોટી દુર્ઘટના ઘટી ગઇ. આવો જ બીજો ટેબલ ટોપ રનવે કર્ણાટકનાં મેંગલુરૂ એરપોર્ટ પણ ખૂબ ઊંચાઇ પર સ્થિત છે. ત્રીજું એરપોર્ટ મિઝોરમમાં છે. જ્યાં ટેબલ ટોપ રનવે આવેલો છે. એટલે કે બંને તરફ ઘાટી અથવા તો ખાઇ અને પહાડની ઉપર એરપોર્ટ બનેલું છે. મેંગલુરૂ એરપોર્ટ પર ઘટી હતી દુર્ઘટના ટેબલ ટોપ એરપોર્ટ પર એક આવી જ દુર્ઘટના વર્ષ 2010માં મેંગલુરૂમાં ઘટી હતી. આ દુર્ઘટનાંમાં પણ લેન્ડિંગ દરમ્યાન પ્લેન લપસીને નીચે ખાઇમાં જતું રહ્યું હતું. કેરળનાં કાલીકટની દુર્ઘટના કરતા પણ આ ભયાનક હતી. સંયોગની વાત એ છે કે તે સમયે પમ વિમાન એર ઇન્ડીયાનું જ હતું અને તે દુબઇથી પરત આવી રહ્યું હતું. મેંગલુરૂ એરપોર્ટ પર પહોંચતા જ વિમાન ટેબલ ટોપ રનવે પર લપસી જતા અનેક ફૂટ ઊંડી ખાઇમાં તે નીચે પડી ગયું. આ દુર્ઘટનામાં 158 લોકોનાં મોત થયા હતાં. જેમાં માત્ર 8 લોકો જ જીવતા બચ્યા હતાં.
ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી... | GujjuRocks.in Home ફિલ્મી જગત ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ... ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી… કોઈપણ યુવતી માટે તેની સુંદરતા ખુબ જ મહત્વ રાખતી હોય છે. એમ પણ સુંદર કોણ દેખાવા માગતા નથી? દરેક કોઈની ઈચ્છા હોય છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે જેઓ આકર્ષક દેખાવા માટે જાત જાતની સર્જરી કરાવી ચુકી છે, અભિનેત્રીઓ એવી પણ છે જેઓ સૌંદર્ય દેખાવા માટે અઢળક મેકઅપ કરતી હોય છે. તેઓના ચેહરા પર એટલા પિમ્પલ કે દાગ-ધબ્બા છે કે તેને છુપાવા માટે મેકઅપ નો સહારો લેતી હોય છે. તેના સિવાય અમુકે અભિનેત્રીઓ એવી પણ છે જે પોતાની વધતી ઉંમર ને છુપાવવા માટે મેકઅપ ના સહારા દ્વારા પોતાના બુઢાપા ને છુપાવતી હોય છે. આજે અમે તમને એવી જ અમુક પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતાની રિયલ લાઈફમાં ઘરડી થઇ ચુકી છે પણ ફિલ્મોમાં તેઓ એકદમ સુંદર, આકર્ષક અને યુવાન દેખાય છે. 1. માધુરી દીક્ષિત: બૉલીવુડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ટીવી શોઝ અને ફિલ્મોમાં તો યુવાન અને સુંદર દેખાય જ છે પણ વાસ્તવમાં તે ઘરડી થઇ ચુકી છે. મેકઅપ વગરની જોઈ લેશો તો તો તમે માધુરી ને ઓળખી જ નહિ શકો. 51 વર્ષ ની માધુરી એ 1999 માં અમેરિકા ના સર્જન ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. 2. તબ્બુ: તબ્બુ બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. તેની એક્ટિંગ ના દરેક કોઈ દીવાના રહ્યા છે. તેની ગણતરી બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તબ્બુ એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત વર્ષ 1985 માં આવેલી ફિલ્મ 'હમ નૌજવાન' દ્વારા કરી હતી. 46 વર્ષની તબ્બુ મેકઅપ વગર ખુબ જ ઉંમરવાન લાગે છે. 3. રેખા: એ વાતમાં કોઈ જ શંકા નથી કે રેખા પણ પોતાના જમાનાની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવતી હતી. આજે 63 વર્ષ ની ઉંમરમાં પણ તે દરેક કોઈને સુંદરતા ના મામલામાં પાછળ છોડી દે છે. પણ જો તમે તેને મેકઅપ વગરની જોઈ લેશો તો તમને પણ જાણ થશે કે તેની સુંદર દેખાવાની પાછળ મેકઅપ નો કેટલો મોટો હાથ રહ્યો છે. 4. રવીના ટંડન: મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડને વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 43 વર્ષની રવીના ટંડન આજે પણ ફિલ્મોમાં યુવાન અને સુંદર નજરમાં આવે છે. હાલમાં જ આવેલી ફિલ્મ માતૃ માં તે ખુબ જ સુંદર નજરમાં આવી હતી. પણ મેકઅપ વગર તેના ચેહરા પર તેની ઉંમર સ્પષ્ટ દેખાઈ આવે છે. 5. કરિશ્મા કપૂર: કરિશ્મા કપૂર 90 ના દશક ની સૌથી ફેમસ અને સુંદર અભિનેત્રી ગણવામાં આવતી હતી. તેની પહેલી ફિલ્મ પ્રેમ કૈદી હતી. કરિશ્માએ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે કે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેયર કરે છે. ભલે આજે પણ તે મેકઅપ ની સાથે યુવાન દેખાય છે પણ મેકઅપ વગર તેને જો તમે જોઈ લેશો તો તે ઘરડી નજરમાં આવશે, હાલ કરિશ્મા ની ઉંમર 44 વર્ષની છે. Previous articleઆજે વાંચો બે ભાઈની કહાની, ક્યારેય પ્રેમ તો ક્યારેક મીઠા ઝઘડા, આ વાર્તા વાંચીને તમને પણ તમારા ભાઈ યાદ આવી જશે…. Next articleલગ્નમાં કરીને કપૂરે પહેર્યું હતું પોતાની સાસુ નું 43 વર્ષ જૂનું શરારા, પુરા આઉટફિટ ની કિંમત હતી 1 કરોડ….
કરીના કપૂર બીમાર..સૈફ અલી ખાન ચિંતિત | pregnant kareena kapoor is not well saif ali khan worried - Gujarati Oneindia | Published: Tuesday, December 13, 2016, 13:32 [IST] કરીના કપૂર પ્રેગનન્ટ છે અને થોડા જ દિવસોમાં તે બાળકને જન્મ આપશે. પોતાની પ્રેગનન્સીના છેલ્લા દિવસો દરમિયાન પણ કરીના કપૂર પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહે છે. એવોર્ડ સમારંભો, ફોટો શૂટ, પાર્ટી તમામ સ્થળોએ કરીના કપૂર અચૂક હાજર રહી છે. કરીના જ્યારે પણ બહાર નીકળે ત્યારે તેનો કોઇ ને કોઇ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. જેનાથી કંટાળીને કરીનાના સાસુ શર્મિલાએ તો તેને લંડનમાં ડિલિવરી કરાવવાની સલાહ પણ આપી હતી. જો કે, કરીના કપૂર ખાન હાલ તો ભારતમાં જ છે અને લાગી રહ્યું છે કે તે મુંબઇમાં જ પોતાના પહેલા બાળકને જન્મ આપશે. થોડા દિવસો પહેલાં જ કરીના પોતાના ઘરે અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સાથે પાર્ટી કરતી હતી, તે દરમિયાન કરીનાની તબિયત બગડી હતી. આવા દિવસોમાં કરીનાની તબિયત બગડતાં તેમના સ્નેહીજનો અને ખાસ કરીને સૈફ ચિંતિત થઇ ગયો હતો. અહીં જુઓ- બોલ્ડ એન્ડ બ્યૂટિફીલ બીચ બ્રાઇડ કેટરીના કૈફની લેટેસ્ટ તસવીરો શું થયુ હતું? કરીના કપૂર ખાન તેની બેસ્ટ ફ્રેન્ડ્સ અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સાથે પોતાના ઘરે પાર્ટી કરી રહી હતી. તે દરમિયાન વધુ પડતી એક્સાઇટમેન્ટમાં કરીનાનું બીપી હાઇ થઇ જતાં તેની તબિયત બગડી હતી. આ જોઇ અમૃતા અને મલાઇકાએ સૈફનો સંપર્ક સાધ્યો હતો. સૈફ અલી ખાનને આ વાત જાણ થતાં તેણે તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી ત્યાંથી નર્સને ઘરે બોલાવી હતી, ત્યાર બાદ કરીનાની તબિયત થોડી બરાબર થઇ. હાલ કરીના કપૂરની તબિયત એકદમ સારી છે અને તે ઘરે આરામ કરી રહી છે. વ્યસ્ત શેડ્યૂલ કરીના કપૂર ભલે પ્રેગનન્ટ છે, પરંતુ તેણે કામમાંથી બ્રેક નથી લીધો. તે ઇન્ટરવ્યૂ અને ફોટો શૂટમાં વ્યસ્ત રહે છે. ઉપરાંત તે અવારનવાર વિવિધ એવોર્ડ સમારંભ અને પાર્ટીમાં પણ જોવા મળે છે. આવા વ્યસ્ત શેડ્યૂલને લીધે કરીનાને જોઇએ એટલો આરામ મળતો નથી. પરિણામે બીપીની તકલીફ ઉભી થઇ હોવાનું કહેવાય છે. કરીના તો 'વીરે દી વેડિંગ' ફિલ્મનું શૂટિંગ કરવા પણ તૈયાર હતી! મેટરનિટિ આઉટફિટમાં ફોટોશૂટ કરીના પોતાના વિવિધ મેટરનિટિ આઉટફિટ માટે પણ ખૂબ વખણાઇ રહી છે. એચટી બ્રંચ માટે કરીનાએ મેટરનિટિ આઉટફિટમાં ફોટો શૂટ કરાવ્યું હતું અને તેમાં તે અત્યંત સુંદર પણ લાગતી હતી. કરીનાના આ ફોટો શૂટના ફોટા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા. પૂરતો આરામ લેવાની જરૂર છે આ ઘટના બાદ તો હવે કરીનાના રિલેટિવ્સ અને ફેન્સ પણ એમ જ ઇચ્છશે કે તે બને એટલો આરામ લે. કરીનાએ પોતના વ્યસ્ત શિડ્યૂલ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'આ દિવસોમાં હું એટલી એક્ટિવ રહું છું કે સૈફ પણ મને કહે છે કે, તારે કોઇક દિવસ ડિલીવરી માટે મહેબૂબ સ્ટૂડિયોથી સીધા જ હોસ્પિટલ પહોંચવું પડશે.'
પૂ. જયશ્રી દીદીની નિશ્રામાં ભાવનિર્ઝરમાં સંવતોત્સવ નવગુજરાત સમય | Publish Date: Mar 28 2018 4:09AM સમસ્ત ગુજરાતના લાખો સ્વાધ્યાયીઓના શ્રદ્ધાકેન્દ્ર સમા 'ભાવનિર્ઝર' ખાતેનાં મંદિરમાં પ્રભુ યોગેશ્વરની મનોહર મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ "મહાવીર જયંતી"ના દિવસે, તા.૨૯મી માર્ચે પૂ.જયશ્રી દીદીની નિશ્રામાં થશે. દર વર્ષે આ દિવસે પ્રભુનો સંવતોત્સવ 'ભાવનિર્ઝરના વિદ્યાર્થીઓ' અને 'સ્વાધ્યાય પરિવાર' ઉત્સાહથી ઉજવે છે. આ વર્ષે સોનામાં સુગંધ ભળે તેમ સંવતોત્સવની સાથે આ પ્રતિષ્ઠા પણ યોજાશે. ગુરુવારે સવારે પૂ.જયશ્રી દીદીની નિશ્રામાં સવારે ૮ વાગ્યાથી પૂજનનો મંદિરમાં પ્રારંભ થશે. જેમાં વિવિધ પુંજના પ્રતિનિધિઓ પૂજનમાં ભાગ લેશે. સાંજે ૫ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સંવતોત્સવનો પ્રારંભ થશે. જેમાં, અમદાવાદનો સમસ્ત સ્વાધ્યાય પરિવાર ઉપસ્થિત રહેશે. આ સાથે જ 'ભાવનિર્ઝર'નો રસપ્રદ ઇતિહાસ જાણવા જેવો છે. જે અંતર્ગત કિશોરવયના વિદ્યાર્થીઓની પ્રજ્ઞા ખીલવનારું આ "જીવનપ્રજ્ઞા વિદ્યાલય" છે. ઋષિઓની કૃષિ-સંસ્કૃતિને અદ્યતન સંદર્ભોમાં મૂકનારું આ "ઋષિકૃષિ વિદ્યાલય" છે. પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રીજી (પૂજનીય દાદાજી) સર્જિત 'સ્વાધ્યાય પરિવાર' માટે ભાવનિર્ઝર તીર્થસ્થળ છે, કારણકે ત્યાંની રજેરજને દાદાજીનો ચરણસ્પર્શ થયેલ છે. વર્ષોથી ચાલતાં આ પ્રયોગના પાયામાં દાદાજીની દીર્ઘદૃષ્ટિ છે. ખેડૂતોના બાળકોને લઇ દાદાજીએ આ શિક્ષણપ્રયોગની શરૂઆત કરી હતી. અહીં ખેતીની વૈજ્ઞાનિક સમજણ સાથે સંસ્કૃત (દેવભાષા), હિન્દી (રાષ્ટ્રભાષા) અને અંગ્રેજી(આંતરરાષ્ટ્રીય ભાષા)નું શ્રેષ્ઠ જ્ઞાન અપાય છે. અહીં વૈદિક સંસ્કૃતિના તેજસ્વી વિચારોનો અભ્યાસ પામી બાળકો ધ્યેયવાન બને છે. ભાવનિર્ઝરમાં ભણેલાં મોટાભાગના યુવાનો પોતાનું ગામ ન છોડતાં ગામમાં જ સ્થાયી થઈ ઘર-ખેતી સંભાળે છે, સુંદર પ્રભુકાર્ય કરે છે. ખરેખર, વિદ્યાર્થીઓને તેજસ્વિતાના પીયૂષ પાઈ, નિપુણ બનાવી, તેમના પોતાના નિશ્ચયથી તેમને ગામમાં સ્થિર કરતો આ પ્રયોગ બેજોડ જ છે. શિક્ષણક્ષેત્રે દાયકાઓથી ચાલતો દાદાજીનો આ ક્રાંતિકારી સફળ પ્રયોગ છે. અહીં આવતા વિદ્યાર્થી એ વિત્તાર્થી કે પરીક્ષાર્થી નથી, કારણકે તેમના અને વાલીઓના મગજમાં દાદાજીએ આ સમજ પાકી કરી છે કે શિક્ષણ માત્ર રોટલા માટે નથી. શિક્ષણ તો ઉન્નત સંસ્કાર માટે છે, જીવનઘડતર માટે છે. અહીં શિક્ષકો પણ Paid Servant નથી. પોતાની નિપુણતા પ્રભુકાર્યાર્થ ધરવાની ખેવનાવાળા સ્વાધ્યાયી શિક્ષકો છે. ભાષાની સાથે રામાયણ, મહાભારત, ગીતા, સંસ્કૃત સાહિત્ય અહીં સાંપડે છે. સાથે ખેતીના વિશેષજ્ઞો તથા અનુભવી ખેડૂતો પાસેથી ખેતીનું તલસ્પર્શી શિક્ષણ મળે છે. સાતમા ધોરણનો અભ્યાસ કર્યા પછી 'ભાવનિર્ઝર' સંસ્થા દ્વારા લેવાતી લેખિત-મૌખિક પરીક્ષાઓ પાસ કર્યા પછી અહીં પ્રવેશ મળે છે. એમાં ગુજરાત સાથે વિવિધ પ્રાંતના વિદ્યાર્થીઓને જોઈને એક મિની-ભારતનું દર્શન થાય છે. વિદ્યાર્થીઓને પ્રભાતફેરી, સ્તોત્ર, ગીતાના શ્લોકોનું ગાન, પ્રાર્થના, સૂર્યનમસ્કાર, વર્ગ-અધ્યયન, અભ્યાસ-વર્તુળ, ખેતીના વર્ગો, સાંજે રમત-ગમત જેવી અનેક પ્રવૃત્તિ હોય છે. વિદ્યાર્થીઓ "અમે એક પ્રભુના સંતાન છીએ" તે સમજણથી સવાર-સાંજ પ્રાર્થના માટે પ્રાર્થના-મંદિરમાં ભેગા થાય છે. માટે જ ભાવનિર્ઝરનું મંદિર એ કોઈ જાહેર મંદિર નથી. એ સંસ્થાના વિદ્યાર્થીઓ માટેનું પ્રાર્થના-મંદિર છે. અહીં અભ્યાસના પાંચ વર્ષ પૂરા થાય પછી યોજાતો 'દીક્ષાંત સમારોહ' એક વિલક્ષણ ઘટના છે. તેમાં પૂજનીય દીદીજીના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ દીક્ષા મેળવે છે.
વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો - GSTV વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો Last Updated on September 19, 2021 by Dhruv Brahmbhatt મહીસાગરના બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનમાં ભારે ચક્કાજામ કર્યો હતો. મહત્વનું છે કે, બસોના રૂટ બંધ થતા વિદ્યાર્થીઓ સમયસર ઘરે ન પહોંચતાં હોવાથી બંધ કરેલા રૂટ ચાલુ કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ બાલાસિનોર ડેપો તરફથી માલીઇટાળી-કોઠંબા ગામની બસ ચાલુ ન થતાં હલ્લાબોલ કર્યો હતો. શાળા-કોલેજના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ બસ ચાલુ ના હોવાના કારણે હાલાંકી વેઠે છે. અગાઉ ABVP ના છાત્રો દ્વારા બસ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. તેમ છતાં બસ ચાલુ નહીં કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં. પોલીસે ઘટનાસ્થળે જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા નહીં મળતા ચક્કાજામ બાલાસિનોર શહેરમાં એસ.ટી. બસ સ્ટેશનમાં શનિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં બસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે વિદ્યાર્થીઓએ ધરણાં પર બેસી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા નહીં મળવા મામલે બાલાસિનોર બસ સ્ટેશન ખાતે મુખ્ય માર્ગ ચકકાજામ કરતા સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. સોમવારથી રૂટ શરૂ કરવાની ખાતરી મળતા મામલે થાળે પડ્યો વિદ્યાર્થીઓની માંગ હતી કે બારીયાના મુવાડા, માલઈટાડી, કોઠંબા, પાંડવા, સાકરીયા, જનોડ, બાથાના કુવા, જેઠોલી સહિતના ગામોમાંથી તાલુકા મથકે આવતા કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ બસના અભાવે હાલાકી ભોગવવી પડી રહી છે. આખરે બાલાસિનોરના ડેપો મેનેજર દ્વારા હાલના તબક્કે એક રૂટ અને સોમવારથી મોટા ભાગના તમામ રૂટ રાબેતા મુજબ શરૂ કરવાની હૈયાધારણા આપવામાં આવતા રસ્તા રોકી બેસેલા વિદ્યાર્થીઓ ખસ્યા હતાં. balasinor newsbreaking news gujaratichakkajamCollege StudentsGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live
મમતાના ખાસ મુકુલ રોયની ભાજપને છોડી ટીએમસીમાં ઘરવાપસી – 365 Day News Posted on June 12, 2021 Author 365 Day Comment(0) બંગાળમાં હાર બાદ ભાજપને વધુ એક ફટકો ઘરનો દિકરો ઘરે પરત ફર્યો છે, ગદ્દારો નહીં પણ ઇમાનદાર નેતાઓને જ ટીએમસીમાં પરત લઇશું : મમતા કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. જે નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા તેઓ હવે ભાજપની હાર થતા ટીએમસીમાં પાછા આવવા લાગ્યા છે. તેમાં સૌથી મોટુ નામ મુકુલ રોયનું છે. જેઓ આખરે પરત ટીએમસીમાં આવી ગયા છે અને ભાજપને છોડી દીધુ છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે ઘર કા લડકા ઘર વાપસ આયા હૈ. મુકુલ રોયના ટીએમસીમાં પરત આવ્યા બાદ તેઓએ મમતા બેનરજીની સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જે દરમિયાન મમતાએ કહ્યું હતું કે મુકુલ રોય ઘરનો દિકરો છે અને ઘરે પરત આવ્યો છે. તેમની ઘર વાપસી થઇ છે. મારો મુકુલ સાથે કોઇ જ મતભેદ નથી, સાથે તેમણે એમ પણ કહ્યું કે જે પણ લોકોએ ટીએમસી સાથે ગદ્દારી કરી છે તેમને પક્ષમાં પરત લેવામાં નહીં આવે. અન્ય જે પણ ઇમાનદાર લોકો છે તેઓ પાર્ટીમાં પરત આવી શકે છે. મુકુલ રોયે કહ્યું કે હું ભાજપ છોડી ટીએમસીમાં પાછો આવ્યો છું. હાલ બંગાળમાં જે હાલ છે તે જોતા કોઇ જ ભાજપમાં નહીં રહે. મુકુલ રોય કૃષ્ણાનગરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને ધારાસભ્ય છે. એવામાં તેઓ આ બેઠક ખાલી કરવા માટે તૈયાર છે. મુકુલ રોયના પુત્ર શુભ્રાંસુ રોય આ બેઠક પર ટીએમસીની ટીકીટ લઇને ચૂંટણી લડી શકે છે. છેલ્લા એક સપ્તાહમાં મુકુલ રોયે મમતાની સાથે ચાર વખત ફોન પર વાત કરી હતી. ચૂંટણી પહેલા જ તેઓ ટીએમસીમાં પરત આવવા માગતા હતા, મુકુલ રોયને પહેલા ભાજપના નેતા દિલિપ ઘોષ સાથે વિવાદ થયો કેમ કે ભાજપમાં જોડાયા બાદ પણ તેમને કોઇ મોટુ પદ નહોતુ મળ્યું. બીજી તરફ એવી અટકળો હતી કે કોંગ્રેસના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી કોંગ્રેસ છોડીને ટીએમસીમાં સામેલ થઇ શકે છે. જોકે આ અટકળોને અભિજિત મુખરજીએ રદીયો આપ્યો હતો. 740 Total Views ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ નર્મદા જિલ્લામાં જોવા મળતા સ્થાનિક એજન્સીઓ ના સંચાલકો માં રોષ (ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા આદિજાતિઓના કલ્યાણ તેમના ઉત્કર્ષ અને વિકાસ માટે ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આદિવાસીઓ સ્વાવલંબી અને પગભર બને એ માટે રાજય સરકાર છેવાડાના માનવીઓ સુધી વિકાસ અને યોજનાકીય લાભો […] 795 Total Views ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે. હવે તેમના મૃતદેહને પાટણના પીંપળ ખાતે […] 1,581 Total Views સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૬ મ્યુ. કોર્પોરેશન માટે વહેલી મતગણતરીની તારીખો ગોઠવનાર રાજ્ય ચૂંટણી આયોગે વધુ એક વિવાદ સર્જ્યો છે. આયોગના સચિવે સોમવારે જે ઉમેદવારના સામાન્ય રહેઠાણ (ઘરે) ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ) ન હોય તો તેવી વ્યક્તિ સભ્ય થવા ગેરલાયક ઠરતી હોવાનો ઉલ્લેખ કરીને ઉમેદવાર ફોર્મ ચકાસણી વખતે તપાસ કરીને નિર્ણય લેવા આદેશ […]
યુજીસી-નેટ ર૦૧૮ની પરીક્ષા પધ્ધતી બદલાઇઃ પેપર-૧ એક કલાકનું રહેશે પેપર નં. ર અને ૩ ભેગા કરી ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો રહેશેઃ પેપર નં. રનો સમય બે કલાક રહેશે નવી દિલ્હી, તા., ૧૩: લોકસભામાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજયકક્ષાના એચઆરડી મંત્રી સત્યપાલસિંહે યુજીસી-નેટની પરીક્ષામાં બદલાવ આવી રહયાનું સ્વીકાર્યુ હતું. નેટની રિવ્યુ કમીટીએ પરીક્ષા પધ્ધતી અને ઉમેદવારની એઇજ લીમીટમાં ફેરફાર સુચવ્યો હતો. પહેલા બે પેપર ઓબ્જેકટીવ પ્રકારના જ રહેશે. જનરલ અવેરનેસનું પ્રથમ પેપર પ૦ ફરજીયાત પ્રશ્નો (દરેક પ્રશ્નના બે માર્ક) નું રહેશે. પેપર નં. ૧ માં ૧૦ પ્રશ્નો માટે ઉમેદવારને પસંદગી મળશે. હાલનો સવા કલાકનો સમય ઘટાડીને એક કલાકનો થશે. પેપર નં. ૧ના માર્ક ૧૦૦ રહેશે.પેપર નં. ર અને ૩ ને ભેગા કરી પેપર નં. રમાં ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો જેના દરેકના માર્ક ર રહેશે. પેપરનો સમયગાળો બે કલાક અપાશે. આ ઉપરાંત જેઆરએફમાં ઉમેદવારી માટેની મહતમ ઉંમર ર વર્ષ વધારાશે. એટલે કે ર૮ થી ૩૦ વર્ષ કરાશે. શેડયુલ કાસ્ટ, શેડયુલ ટ્રાઇબ, વિકલાંગ અને નોન ક્રીમીલેયરમાં આવતી બીજી પછાત જાતીઓ અને મહિલાઓને ઉંમરમાં પાંચ વર્ષની છુટછાટ અપાશે તેમ લેખીત જવાબ અપાયો હતો.
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
6