text
stringlengths
370
107k
ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો - Western Times News ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસ તપાસમાં નેગેટિવ આવ્યા છે. ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે શનિવારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં જ યૂએઈમાં આઈપીએલમાં ભાગ લેનાર હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ ટિ્‌વટર પર ખેલાડીઓના આઉટડોર પ્રેક્ટિસ અને જિમ સત્રની તસવીર મુકી છે. સ્પિનર કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને ચેતેશ્વર પૂજારા પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ હાલના સમયે ૧૪ દિવસ ક્વોરન્ટાઇ પર છે અને પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તસવીરોમાં ફાસ્ટ બોલર ટી નટરાજન અને દીપક ચાહર પણ જોવા મળે છે. ભારતીય ટીમ હાલના સમયે ૧૪ દિવસ ક્વોરન્ટાઇ પર છે અને પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ સ્પિનર કુલદીપ સાથે તસવીર ટિ્‌વટર પર મુકી છે. તેણે લખ્યું કે પોતાના ભાઈ કુલદીપ સાથે ભારતીય ટીમમાં વાપસી. ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી પહેલા વન-ડે શ્રેણી રમાશે. ૨૭ નવેમ્બરે પ્રથમ વન-ડે રમાશે. બીજી વન-ડે ૨૯ નવેમ્બરે અને ત્રીજી વન-ડે ૨ ડિસેમ્બરે રમાશે. ૪ ડિસેમ્બરે ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થશે. ૬ ડિસેમ્બરે બીજી અને ૮ ડિસેમ્બરે ત્રીજી ટી-૨૦ મેચ રમાશે. ૧૭ ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. જે ડે-નાઇટ મુકાબલો રહેશે. બીજી ટેસ્ટ મેચ ૨૬ ડિસેમ્બરથી, ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીથી અને ચોથી ટેસ્ટ ૧૫ જાન્યુઆરીથી રમાશે.
અધિક કલેકટર કેયુર સંપટનો વન પ્રવેશ વન્સમોર રાજકોટ :. અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેયુર સંપટનો જન્મ તા. ૨૮-૧૨-૧૯૬૬ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ અમદાવાદની સરદાર પટેલ વહીવટી સેવા સંસ્થાન (સ્પીપા)માં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
મેસેડોનિયન રિપબ્લિકના કોન્સ્યુલ જનરલ સ્ટોજન વિટોનોવ સ્પેન્સર ફેક્ટરીની મુલાકાત લે છે ઇમર્જન્સી લાઇવ એમ્બ્યુલન્સ અને બચાવ કામગીરી માટે નવી તકનીકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્પેન્સર પ્લાન્ટની મુલાકાત રીપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયા કન્સ્યુલ જનરલ કરે છે. નવેમ્બર 14 પર, રિપબ્લિક ofફ નોર્થ મેસેડોનિયાના ક Consન્સ્યુલ-જનરલ સ્પેન્સર ઇટાલીના મુખ્ય મથકની મુલાકાત લીધી. ડો સ્ટોઝન વિટોનોવ, તેમના સ્ટાફ સાથે, મુખ્ય મથકની મુલાકાત લીધી અને ઇટાલીમાં ઉત્પાદિત કટોકટી અને બચાવ ઉપકરણો જોયા. આ મુલાકાતમાં ઉત્તર મેસેડોનિયાના ઇએમએસ માટેની નવી તકનીકોમાં જે આર્થિક હિત છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આ બેઠકમાં પરમા અને તેના ઉત્પાદકોના દરેક ક્ષેત્રમાં કેવી પ્રશંસા કરવામાં આવે છે તે પણ ધ્યાન દોર્યું હતું. આ મુલાકાત સાથે, સ્પેન્સરે ઉત્તર વિકાસના મેસેડોનિયા સાથેના વ્યાપારી સંબંધોના વિસ્તરણ માટેનો આધાર બનાવવાનું ચાલુ રાખ્યું, જે શ્રેષ્ઠ વિકાસ દર સાથે યુરોપના દેશોમાંનો એક છે. પ્રતિનિધિ મંડળના સર્વોચ્ચ હિતને જાગૃત કરવા માટે સ્પેન્સરની અદ્યતન પ્રોડક્શન સિસ્ટમ્સ હતી, જે કાર્યક્ષમ અને ટકાઉ તબીબી ઉપકરણની ખાતરી કરી શકે છે. છેવટે, સ્પેન્સર એક્સપિરિયન્સ સેંટરએ ગંભીર દર્દીઓના પરિવહન અને સંચાલન માટે જરૂરી કેટલાક જીવન-બચાવ તબીબી ઉપકરણોને કામ પર જોવાની મંજૂરી આપી. ટૂંકમાં સ્પેન્સર ઇ.એમ.એસ. અગ્રણી યુરોપિયન ઇએમએસ બ્રાન્ડ સ્પેન્સર, એક્સએનયુએમએક્સ પછીથી બચાવ માટે ઉકેલો બનાવી રહ્યા છે, કટોકટીની ખૂબ જટિલ સમસ્યાઓનો જવાબ આપી રહ્યા છે. સ્પેન્સર મેડિકલ ડિવાઇસીસ બચાવ ક્ષેત્રે અવંત ગાર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. શરૂઆતથી જ, સ્પેન્સરે વૈશ્વિક વલણ દર્શાવ્યું છે, આંતરરાષ્ટ્રીયકરણની જટિલ પ્રક્રિયાને આગળ ધપાવી હતી, અને થોડા સમયમાં વિશ્વભરમાં મજબૂત હાજરી પ્રાપ્ત કરી હતી. આજે સ્પેન્સર પાસે 1989 કરતા વધુ ફરીથી વેચનાર છે, અને તેના ઉત્પાદનોનો ઉપયોગ 100 દેશોમાં થાય છે. મુખ્ય વિશ્વના ક્ષેત્રના નિષ્ણાતોના પસંદ કરેલા નેટવર્ક સાથે, સ્પેન્સર અગ્રણી નિર્માતા અથવા બચાવ તબીબી ઉપકરણ છે.
ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર - NGS Business ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર-ઈકોનોમી-દેશ વિદેશ-Economic Times Gujarati ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર 27 Nov 2012, 0908 hrs IST, ET Bureau નવી દિલ્હી : રિલાયન્સ એનર્જી, લેન્કો ગ્રૂપ, એનઆઇઆઇટી અને રામકી ગ્રૂપ સહિતની ભારતીય કંપનીઓએ ભારત અને ચીનમાં આશરે 6 અબજ ડોલરના રોકાણ માટે ચીનની કંપનીઓ સાથે સમજૂતીઓ પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા. આ રોકાણ આર્થિક સહકારને વેગ આપવાનાં એશિયાનાં બે સૌથી મોટાં અર્થતંત્રોની સરકારોના પ્રયાસો દર્શાવે છે. ભારત અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક મંત્રણાના ભાગરૂપે થયેલી મંત્રણાની વિગત આપતાં આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંઘ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, આપણે વિશ્વના બે સૌથી વધુ વસતિ ધરાવતા દેશોને છાજે તેવા આર્થિક સહકારને વેગ આપવાનો હેતુ રાખવો જોઈએ. આ સમજૂતીઓમાં રિલાયન્સ પાવર અને ચીનની મિંગ યાંગ વિન્ડ પાવર ગ્રૂપ દ્વારા 3 અબજ ડોલરના રોકાણ સાથેના 2,500 મેગાવોટના એનજી પ્રોજેક્ટ્સ વિકસાવવાની યોજનાનો સમાવેશ થાય છે. એનઆઇઆઇટી અને હૈનાન પ્રાંત સાથે મળીને 80 કરોડ ડોલરના રોકાણ સાથે હૈનાન ખાતે આઇટી ટેક્નોલોજી પાર્ક ઊભો કરશે. આ સમજૂતીઓ આયોજન પંચ અને તેના ચીનના સમકક્ષ નેશનલ ડેવલપમેન્ટ રિફોર્મ કમિશન (એનડીઆરસી)ની આગેવાની હેઠળના ભારત-ચીન વ્યૂહાત્મક આર્થિક મંત્રણા સહિતના બિઝનેસ ટુ બિઝનેસ એક્સ્ચેન્જનો એક ભાગ છે. ટેલિકોમ જેવા કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રમાં ચીનના રોકાણ અંગે સુરક્ષાની ચિંતા તથા ભારતના કેટલાક ભાગને પોતાના નકશામાં દર્શાવવાની ચીનની હિલચાલની વચ્ચે આ ગતિવિધિ થઈ છે. જોકે આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, સુરક્ષાની ચિંતા માત્ર ચીનના રોકાણ પૂરતી જ સીમિત નથી તે બીજા તમામ દેશોના રોકાણને પણ લાગુ પડે છે. લેન્કો ઇન્ફ્રાટેકે તેના 2,640 મેગાવોટના બે વીજ પ્રોજેક્ટ માટે 2 અબજ ડોલરની લોન મેળવવા ચાઇના ડેવલપમેન્ટ બેન્ક સાથે સમજૂતી કરી છે. 2 અબજ ડોલરના ઋણમાંથી 60 કરોડ ડોલરનું ઋણ ચાઇના ડેવપલમેન્ટ બેન્ક (સીડીબી) આપશે, જ્યારે બાકીનું ઋણ ચીનની બીજી બેન્કો અને નાણાસંસ્થાઓ આપશે. આ નાણાંનો ઉપયોગ કંપનીના અનપારા ફેસ-ટુ અને હિમાવાત પ્રોજેક્ટ માટે કરાશે. દરેક પ્રોજેક્ટની ક્ષમતા આશરે 1,320 મેગાવોટની છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. લેન્કો ઇન્ફ્રાટેકના ચેરમેન એલ મધુસૂદન રાવે જણાવ્યું હતું કે, આનાથી અમને પ્રોજેક્ટની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવામાં અને નિર્ધારિત સમયે પાવર પ્રોજેક્ટ પૂરા કરવામાં મદદ મળશે. યુટિલિટીની આવકમાં વિલંબને કારણે ઊભી થયેલી લિક્વિડિટીની ચિંતાને દૂર કરવાની છેલ્લાં બે ક્વાર્ટર્સથી અમે વ્યૂહરચના ઘડી રહ્યા છીએ. બજારની સ્થિતિ ખૂબ જ પ્રતિકૂળ છે અને સેન્ટિમેન્ટને અસર થયેલી છે તેવું ઘણા લોકો કહી રહ્યા છે ત્યારે આ સોદો કરવામાં આવ્યો છે. ચાઇના ડેવલપમેન્ટ બેન્કે લેન્કો ગ્રૂપના અમરકંટક થ્રી એન્ડ ફોર , બબાંધ અને વિદર્ભ પાવર પ્રોજેક્ટ માટે 20 કરોડ ડોલરની બાયર્સ ક્રેડિટ અગાઉ આપી હતી . લેન્કો ઇન્ફ્રાટેક હાલમાં 4,740 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને બીજી 4,636 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા નિર્માણાધીન છે . કંપનીએ 2015 સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતાને વધારીને 13,000 મેગાવોટ કરવાનો લક્ષ્યાંક બનાવેલો છે.
શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા | chitralekha Home News Entertainment શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા મુંબઈ – પીઢ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરને બોલીવૂડમાં પ્રવેશ કરાવનાર હિન્દી ફિલ્મ 'ધડક'ના ત્રણ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યા છે. ધર્મા પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત થનાર 'ધડક'માં જ્હાન્વીનો હીરો છે ઈશાન ખટ્ટર, જે અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ છે. ઈશાનના માતા-પિતા છે – નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટર. આ ફિલ્મ આવતા વર્ષે ૬ જુલાઈએ રિલીઝ કરાય એવી ધારણા છે. 'ધડક' ફિલ્મ સુપરહિટ થયેલી મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની હિન્દી આવૃત્તિ છે. પોસ્ટરમાં જ્હાન્વી કપૂર ઘણી બધી એની મમ્મી શ્રીદેવી જેવી દેખાય છે. ઈશાને આ ફિલ્મના પોસ્ટરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિલીઝ કર્યા છે જ્યારે કરણ જોહરની માલિકીની ધર્મા પ્રોડક્શન્સ કંપનીએ પોતાના હેન્ડલ પર આ તસવીરો પોસ્ટ કરી છે. આ પોસ્ટરો રિલીઝ થયા બાદ જ્હાન્વીએ સૌથી રસપ્રદ પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મના પોસ્ટર નીચેની કેપ્શનમાં લખ્યું છે, 'ઓ માય ગોડ, દોસ્તો હું તો ફિલ્મમાં ચમકી ગઈ..!!! #ધડ઼ક #Dhadak' ઉલ્લેખનીય છે કે, મરાઠી 'સૈરાટ' ફિલ્મનું નિર્માણ પણ કરણ જોહરે કર્યું હતું. ફિલ્મની વાર્તા બે કોલેજ વિદ્યાર્થીની છે જેઓ એકબીજાંનાં પ્રેમમાં પડે છે, પરંતુ એમનો જાતિભેદ એમના પ્રેમની આડે આવે છે.
કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ FSLની તપાસ શરૂ – Samacharwala November 5, 2020 4:10 pm November 5, 2020 4:10 pm શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જે મામલે FSL ની ટીમએ તપાસ શરૂ કરી છે. પીરાણા રોડ ખાતે ગઈકાલે આગની ઘટના બની હતી. જેમાં હાલ FSLની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર ઘટના બની હતી. તેમાં કોની બેદરકારીના લીધે આ ઘટના બની હતી તે મુદ્દે ફેક્ટરીના માલિક હતેશ સુતરિયાને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ઘટના સ્થળે મૃતકના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતાં. આ ભયંકર ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેની તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે. પરિવારના સભ્યો યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાતથી લોકો સંતુષ્ટ નથી માટે યોગ્ય સહાય કરવામાં આવે તેવી માગણી મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. તે ગોડાઉન ભૂટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે. પોલીસે ભૂટા ભરવાડને લઈ ઘટના સ્થળ પર ફેકટરી અંગે પૂછપરછ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હાઈડ્રોજન પેરોક્સાઈડ, હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ, મિથાઈલ ઈથાઈલ ગેરોન ફેક્ટરીમાંથી મળી આવ્યા હતાં. જેના કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો.
સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો જન્મદિવસ પ્રભાસ-પાટણ તા.૧: સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો આજે ૧ જૂન જન્મદિવસ છે તેઓ જીંદગીના પર વર્ષ પૂર્ણ કરી ૫૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૦માં રાષ્ટ્રસેવા-ધગશથી ગુજરાત પોલિસમાં જોડાયા કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ ૨૦૦૯માં પ્રમોશનથી પી.એસ.આઇ.બન્યા જેમાં અમદાવાદમાં ત્રણ વરસ, પાંચ વરસ ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા ત્યાર પછી પ્રમોશન મેળવી રાજકોટ પી.આઇ.બન્યા અને રાજકોટ-એ-ડીવીઝન પછી સોમનાથ મંદિર સુરક્ષા ત્યાર બાદ હાલ પ્રભાસ-પાટણ પી.આઇ.તરીકે કાર્યરત છે. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા તેમની મોબાઇલ મો.૯૯૦૯૭ ૬૩૧૩૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.
50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું એવું કે...- જુઓ વિડિઓ » Trishul News Gujarati Breaking News Home Viral 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું... 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું એવું કે…- જુઓ વિડિઓ Published on: 3:19 pm, Fri, 20 November 20 તમિલનાડુમાં (Tamil Nadu) ધર્મપુરી જિલ્લામાં (Dharmapuri District) હાથીનું બચ્ચું 50 ફૂટ ઊંડા કૂવામાં (Elephant Calf Fell Down In Well) પડી ગયું. તેને બચાવવા માટે 16 કલાક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખરે તેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યું છે. તમિલનાડુના ધરમપુરીમાં એક હાથીના બાળકને કૂવામાંથી બચાવી લેવામાં આવ્યો. આ હાથીનું બચ્ચું અજાણતાં કુવામાં પડી ગયું હતું. તેનો અવાજ સાંભળીને એક ખેડૂતને ખબર પડી કે બાળક હાથી કુવામાં પડી ગયો છે. સમાચાર એજન્સી ANI અનુસાર, આ સમગ્ર ઘટના ધરમપુરીના પંચપલ્લી ગામનો છે, ખેડૂત વેંકટચલામે તેના કૂવા પાસેથી અવાજ સંભળાવ્યો હતો. જ્યારે તે અવાજ સાંભળીને પસાર થયો, ત્યારે તેણે જોયું કે એક હાથીનું બચ્ચું કૂવામાં પડી ગયું હતું. વેંકટચલમનો આ કૂવો લગભગ 100 ફૂટ ઊંડો છે. તે હાથી આ કૂવામાં પડી ગયો હતો. પ્રશાસનને માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગ સિવાય પશુચિકિત્સકો અને કામદારોની ટીમ પણ ત્યાં પહોંચી હતી. કેટલાક કલાકોના બચાવ કામગીરી બાદ, તે હાથીના બાળકને કૂવામાંથી બહાર કાઢી શકાયો. Previous articleકાબુ ગુમાવતા પુરપાટ ઝડપે દોડી રહેલી કાર સીધી ખેતરમાં ઘુસી ગઈ, ગણતરીની સેંકડમાં એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…
શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે કમાલ, ચોક્કસ જાણો આ દાળનું નામ | હું ગુજરાતી Home અજબ-ગજબ શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે... શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે કમાલ, ચોક્કસ જાણો આ દાળનું નામ કોઈપણ પુરુષના શુક્રાણુઓની સંખ્યા તેના સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે આ માટે જરૂરી છે કે તે શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સમયસર ઈલાજ કરે જેથી કરીને તે સમસ્યા ન વધે અને તેમનું શારી-રિક સ્વાસ્થ્ય બરાબર રહે આજકાલ પુરુષો પોતાનું ખાસ ધ્યાન રાખી શકતા નથી કારણ કે તે કામમાં વ્યસ્ત છે જેના કારણે તેમને લગતી સમસ્યા છે જેમાં મુખ્ય સમસ્યા શુક્રાણુઓની સંખ્યા ઓછી છે શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે તેમને પિતા બનવામાં પણ મુશ્કેલી પડે છે સાથે જ તે તેમના માટે શરમનો વિષય બની જાય છે તેથી આજની પોસ્ટમાં અમે તમને એવી દાળ વિશે જણાવીશું જેનું પાણી પીવાથી તેમના સ્પર્મ કાઉન્ટમાં વધારો થશે તો ચાલો જાણીએ વિગતવાર લાલ મસૂર અમે જે દાળની વાત કરી રહ્યા છીએ. તેનું નામ મસૂર દાળ છે મસૂર દાળનું સેવન કરવામાં આવે છે અને મોટાભાગના લોકો તેના રોજિંદા આહારમાં તેનું સેવન કરે છે દાળમાં ફોલિક એસિડ જોવા મળે છે જે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારવામાં ઘણી મદદ કરે છે પુરુષોએ તેમના આહારમાં દાળનો સમાવેશ કરવો જ જોઈએ તેઓ આ દાળને તેમના લંચમાં અથવા ડિનરમાં પણ સામેલ કરી શકે છે જે લોકો શુક્રાણુની ઉણપથી પરેશાન છે તેમણે આ દાળનું પાણી પીવું જોઈએ તેનાથી તેમને સકારાત્મક પરિણામ મળશે જેના કારણે તેઓ જલ્દી જ ફરક જોવા મળશે અન્ય ખોરાક જે શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે અશ્વગંધા અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે જે પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. તેનો ઉપયોગ દવા માટે થાય છે તેનાથી ઘણા ફાયદા થાય છે જે પુરૂષો ઓછા શુક્રાણુની સમસ્યાથી પરેશાન છે તેઓએ દરરોજ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ તમારા આહારમાં સામેલ કરો તમે જલ્દી જ ફરક જોશો ઝીંક ધરાવતા ખોરાક ઝીંકથી ભરપૂર ખોરાક પુરુષોએ ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ કારણ કે તેનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે મુખ્યત્વે આ ખોરાકમાં તમે કઠોળ મગફળી લસણ જેવા ખોરાકનું સેવન કરી શકો છો તમે તેને ખોરાકમાં અલગ-અલગ રીતે પણ સામેલ કરી શકો છો જે તમારા સ્પર્મ કાઉન્ટને વધારે છે કેળા કેળા એક એવું ફળ છે જે લગભગ દરેક વ્યક્તિ એક યા બીજા સમયે ખાય છે. તેની સસ્તી કિંમત અને સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે તમને તે કોઈપણ દુકાનમાં સરળતાથી મળી જશે પરંતુ તેના ફાયદા મોટા છે તે સ્પર્મ કાઉન્ટ વધારવાનું પણ કામ કરે છે જો તમે તેનું નિયમિત સેવન કરશો તો તમે તમારી જાતને અનુભવવા લાગશો તે દિવસભર એનર્જી જાળવી શકે છે આ માટે તમે નાસ્તામાં કેળાનું સેવન કરી શકો છો શતાવરી લીલા પોસ્ટિક શાકભાજીમાં શતાવરીનું નામ મુખ્ય રીતે જોવા મળે છે અને તેનું કારણ એ છે કે તેમાં પુષ્કળ પોષક તત્વો મળી આવે છે જો અઠવાડિયામાં ત્રણથી ચાર વખત શતાવરીનું શાક ખાવામાં આવે તો તે તમને શુક્રાણુની ગુણવત્તા અને શુક્રાણુઓની સંખ્યાને ઘણી હદ સુધી વધારવામાં મદદ કરે છે. સદીઓ થી અશ્વાગંધા નો ઉપયોગ વીર્ય સંબંધિત વસ્તુ માં કરવા માં આવે છે તેના પાવડર માં દૂધ ઉમેરી ને પીવા થી ફાયદાકારક છે લસણ એક પ્રાકૃતિક ધરેલું ઔષધી છે વીર્ય કાઉન્ટ બનાવા માટે મદદરૂપ થાય છે લસણ માં ઈલિસીન નામ નું ઘટક છે લોહી પરીસંચાલન માં ઉપયોગી છે વીર્ય ની ગતિશીલતા માટે ઉપયોગી છે ગોખરુ પણ ફાયદાકારક છે તેનું ચૂર્ણ દૂધ સાથે લેવા માં આવે તો વીર્ય કાઉન્ટ વધે છે તણાવ ને નિયંત્રણ કરવાથી પણ વીર્ય કાઉન્ટ વધે છે ઘઉં નું અંકુર દૂધ અને ગોળ સાથે હલવો બનનાવી ને ખાવા થી વીર્ય કાઉન્ટ વધે છે મેટા માં લાઇકોપીન નામ નું તત્વ હોય છે લાલ કલર ના ટામેટા નું સેવન કરવાથી 70% વીર્ય કાઉન્ટ વધારે છે. વીર્ય વૃધ્ધિ માટે ઓર્ગેનિક ફુડ ખાવા જોઈએ પ્રોટીનનું સેવન વધારે કરવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ શાકભાજી અને અનાજ આરોગો વિટામીન-સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર ભોજન ખાવું જોઈસંતરાનું જ્યુસ પીવું અથવા ખાવું સંતરામાં 124 ml વિટામીન-સી હોય છે લવિંગ અને લસણ ખાવા જોઈએ ચા અથવા અન્ય રીતે લેવા જોઈએ અંજીર અને ખજૂર ખાવી જોઈએ દુધની સાથે અથવા સાદી રીતે દિવસમાં બે વાર ખજુર ખાવી જોઈએ ખજુર નહી તો આખા દિવસ દરમિયાન પાંચેક અખરોટ ખાવા જોઈએ વિટામીન-ડી અને કેલ્શિયમને વધારતા રહો અને પ્રમાણેનો ખોરાક લેતા રહો ફોલિક એસિડ વધે તેવું કરતા રહો ફોલિક એસિડ શાકભાજી અનાજ અને સંતરામાં મળે છે.
નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન લાદવા અંગે શું કરી મોટી જાહેરાત ? રાજ્યોને લોકડાઉન લાદવા મુદ્દે શું આપી સલાહ ? – 365 Day News નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું. અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાની જાહેરાત કરી ત્યારે એવી અટકળો તેજ બની હતી કે, મોદી લોકડાઉન અંગે કોઈ મોટી જાહેરાત કરશે. મોદીએ લોકડાઉનની કોઈ જાહેરાત નહોતી કરી. બલ્કે મોદીએ કહ્યું હતું કે, આજે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્યોને પણ અનુરોધ કર્યો કે, લોકડાઉનનો ઉપયોગ અંતિમ શસ્ત્ર તરીકે કરે અને કોઈ વિકલ્પ ના બચે ત્યારે જ લોકડાઉન લાદે. એ સિવાય લોકડાઉન લાદવાનો વિચાર પણ ન કરે. મોદીએ સ્પષ્ટ રીતે દેશમાં લોકડાઉન નહીં લદાય એ સ્પષ્ટ કરી દીધું હતું. મોદીએ લોકડાઉન લાદવાનો ઉલ્લેખ કર્યો હતો પણ લોકડાઉન લદાશે એવી કોઈ જાહેરાત નહોતી કરી. તેમણે કહ્યું કે, દેશમાં યુવા વર્ગ નાની નાની ટોળીઓ બનાવીને જો કોરોના પ્રોટોકલનું પાલન કરાવશે તો કોઈ પણ પ્રકારનાં નિયંત્રણોની જરૂર નહીં પડે, કરફ્યુ લાગવો નહી પડે ને લોકડાઉનનો તો સવાલ જ પેદા થતો નથી. દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે મોદી થોડા દિવસોના લોકડાઉનની જાહેરાત કરશે એવી અટકળો ચાલી હતી. નરેન્દ્ર મોદીએ આ અટકળોને ખોટી પાડી હતી અને લોકડાઉન લાદવાની કોઈ જાહેરાત કરી નહોતી. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના કારણે બગડતી જતી સ્થિતિ વચ્ચે મંગળવારે રાત્રે 8.45 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરતાં કહ્યું કે, કોરોના વિરૂધ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે સૌ મજબૂતાઈથી આ લડાઈ લડે. 692 Total Views ધો.૧૦ ગુજરાત બહારથી પાસ કરનારી વિદ્યાર્થિનીને એમબીબીએસ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે યોગ્ય કરવા હાઈકોર્ટે સૂચન કર્યું હતું. કોર્ટે ચુકાદો આપ્યા બાદ ગુજરાત સરકારે માત્ર આ એક વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ના વર્ષ પૂરતું જ ધો.૧૦ ગુજરાત બહારથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલના નીટ આધારિત ચારેય કોર્સ માટે લાયક ગણવા મહત્ત્વનો નિર્ણય કર્યો છે. […] 558 Total Views આણદ M.B.I.T. કોલેજ દ્વારા લોકડાઉન દરમ્યાન ઓનલાઇન એજ્યુકેશન તથા માર્ગદર્શન તથા શરૂ થનાર નવા શૈક્ષણિક સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની પૂર્વતૈયારીઓ. 586 Total Views આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે કેન્દ્રનું પગલું કેન્દ્ર રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા હેઠળ વસૂલાયેલા ૮,૦૦૦ કરોડ વ્યાજ વિના સંબંધિત કંપનીઓને પાછા આપવા તૈયાર કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૨ના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા (પાછલી અસરથી કર લાગુ થવો)ના કારણે કેર્ન અને વોડાફોન જેવી કંપનીઓએ સરકાર સામે કેસ કર્યો હતો. […]
રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું | chitralekha Home News Mumbai રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ... રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું કોલકાતા/મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)ને બદલે બેલટ પેપર્સ દ્વારા યોજવામાં આવે એવા પોતે લીધેલા વલણને ટેકો આપવાની બેનરજીને વિનંતી કરી હતી. ઈવીએમના વિરોધમાં એમએનએસ પાર્ટી મુંબઈમાં આવતી 21 ઓગસ્ટે રેલી યોજવાની છે અને તે રેલીમાં સામેલ થવાનું ઠાકરેએ બેનરજીને આમંત્રણ પણ આપ્યું હતું. ઈવીએમના વિરોધ સાથે રાજ ઠાકરેએ નારો અપનાવ્યો છે 'લોકશાહી બચાવો'. બેનરજીને મળ્યા બાદ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે અમારી માગણી છે કે ચૂંટણી પંચે ફરી બેલટ પેપર્સ પર આવી જવું જોઈએ અને એના દ્વારા જ મહારાષ્ટ્રની ચૂંટણી યોજવી જોઈએ. ઠાકરેએ કહ્યું કે અમારું વલણ મોદી-વિરોધી નથી, પણ ઈવીએમ-વિરોધી છે. હું દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયાજીને પણ મળ્યો હતો અને આગામી દિવસોમાં હજી વધુ નેતાઓને મળીશ. 'લોકશાહી બચાવો' રેલી અમે 21 ઓગસ્ટે મુંબઈમાં કાઢવાના છીએ. ઠાકરેએ કહ્યું કે મમતા બેનરજી પણ બેલટ પેપર્સ પ્રથા માટે લડત ચલાવી રહ્યાં છે અને એમણે મારી અને અમારી લડતને એમનું સમર્થન આપ્યું છે. દુનિયામાં ઘણા દેશોમાં ઈવીએમ મશીનોને નકારી કાઢવામાં આવ્યા છે ત્યારે ભારતમાં શા માટે એનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. અમારી માગણી છે કે ભવિષ્યની ચૂંટણીઓ મતદાનપત્રક દ્વારા યોજાવી જોઈએ. મમતા બેનરજીએ આ જ મુદ્દે ગઈ 21 જુલાઈએ કોલકાતામાં વિશાળ રેલી કાઢી હતી. એટલે જ એમનો ટેકો મેળવવા માટે હું અહીં આવ્યો છું. ઠાકરેએ કહ્યું કે ભારતમાં ઘણા મતવિસ્તારોમાં ચૂંટણીના મતદાન વખતે ઈવીએમ સિસ્ટમમાં ખામીઓ હોવાની ફરિયાદો કરવામાં આવી છે. મમતા બેનરજી તો તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએની જીત વિરુદ્ધ ઘણું બોલ્યાં છે અને લોકસભા ચૂંટણી પાછળ ઈવીએમની ભૂમિકા વિશે સવાલ ઉઠાવ્યો છે. Previous articleગ્રાહકે બિન-હિન્દુ ડિલીવરી બોય પાસેથી ઝોમેટોનો ઓર્ડર લેવાનો ઈનકાર કર્યો; કેન્દ્રીય પ્રધાન ભડકી ગયા
ખાખી વર્દીમાં જીવતું કવિ હૃદય, જાણો આ પીએસઆઈ વીશે! – Samacharwala રાજ્યમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો, નવા 954 કેસ નોંધાયાદેશમાં ફરી વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે PM મોદીની આજે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠકIND vs ENG : ઇંગ્લેન્ડની ભારત સામે 8 વિકેટે જીત, સિરીઝમાં 2-1થી આગળસુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 2 હજાર ટેસ્ટિંગમાંથી 37 વિદ્યાર્થી કોરોના સંક્રમિતમોરવા હડફ વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર ખાખી વર્દીમાં જીવતું કવિ હૃદય, જાણો આ પીએસઆઈ વીશે! April 4, 2020 3:50 pm April 4, 2020 3:50 pm હમારી સાયરી મેં એક સે બઢકર એક શેર હોગા લેકિન ઉસ શેર કા એક-એક શબ્દ "ખાખી"કા હોગા આ ઉપરોક્ત પંક્તિઓ પણ ખાખી વર્દીમાં ફરતા એસઓજી પીએસઆઇ વી.કે ગઢવીની છે વી.કે ગઢવી એટલે ખાખીમાં જીવતું કવિ હૃદય, જેમણે અંદાજે 100 જેટલા કાવ્યો અને ગઝલોની રચના કરી છે હાલ જ્યારે સમગ્ર વિશ્વ પર કોરાના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પોલીસબેડામાં ફરજ બજાવતા આ પી.એસ.આઈ વી.કે ગઢવી પોતાની રચનાઓને લઈને યોગ્ય સંદેશ ફેલાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે ફરજ પણ રાતદિવસ નિભાવી રહ્યા છે અને લોકોને આ પ્રકોપથી બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે જે સમજે એને સમજાવી રહ્યા છે અને ન સમજે એને કાયદાની ભાષામાં સમજાવી રહ્યા છે ત્યારે વી.કે. ગઢવીની સમજાવટની આ શૈલી લોકોમાં પ્રશંસાને પાત્ર બની રહી છે. ત્યારે તેમના દ્વારા રચાયેલ રચનાની એક પંક્તિ જોઈએ "ખાખી" જાગૃત કરવા જનને, સરકાર સંભળાવે ઉપાય અનેક જન જાગે તો નક્કી કોરોના ભાગે, નહીં આવે નખમાં રોગ જો પાળે થોડી ટેક. જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી)માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગુનેગારો પર પી.એસ.આઈ ગઢવી મજબુત પકડ મેળવી છે તો આગાઉ ધ્રોલ ખાતે ફરજ દરમિયાન અનેક ગુનેગારોએ વનવાસ લઇ લીધો હોય તેવું પ્રતીત થતું હતું.. તો તેઓએ ધ્રોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપુર્ણ જાળવી રાખી હતી આ પોલીસકર્મીની બીજી જાણવા જેવી અને મજેદાર વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં પ્રસંશનીય ફરજ ની સાથે સાથે સાથે એક ખાખીમાં જીવતું કવિ હૃદય પણ ધરાવે છે. તેઓની જો વાત કરવામાં આવે તો તેઓએ અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ અને ગઝલો લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે. વી કે. ગઢવી મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના, રાણ ગામના વતની છે. તેઓ વર્ષ 2013થી પોલીસબેડામાં જોડાયા હતા.. તેઓ સૌપ્રથમ બોટાદ જિલ્લામાં ફરજ નિભાવતા હતા. બોટાદ જિલ્લાના ગઢડા, પાળીયાદ તેમજ બોટાદ શહેરમાં પ્રશંસા પાત્ર કામગીરી બજાવી ત્યાર બાદ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા અહીં પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહતા બતાવીને ગઢવીએ ગુનાખોરી ડામવા નોંધપાત્ર ફરજ બજાવી હતી. પ્રણાલીગત ફરજનિષ્ઠાને કાબિલેદાદ કામગીરીમાં ફેરવીને શ્રેષ્ઠ કામગીરી કરતા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે તેઓ સન્માનિત થયા છે અને હાલ તેઓ જામનગર એસ.ઓ.જી.માં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહયા છે. પોલીસ તંત્રમાં છેલ્લા છ વર્ષથી વધુની ફરજ દરમિયાન પીએસઆઈ ગઢવી એ ચોરી, લૂંટ તેમજ ખૂન અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીઓને પકડવા સમયાંતરે ઉડીને આંખે વળગે તેવી પ્રસંશનીય કામગીરી કરી છે પોલીસ તંત્રની ફરજ દરમિયાન પોતાને જ્યારે નવરાશના સમય મળે ત્યારે તેઓ પોતાની અલગ રચના અને સાહિત્ય પ્રત્યે લગાવ જાળવી રાખી કવિતાઓ અને ગઝલ રચના કરી છે. એક રચનાકાર તરીકે તેમણે પોતાનું ઉપનામ "ખાખી" રાખ્યું છે તેમની રચનાઓ વાંચી અહેસાસ થાય છે કે પોતાની ફરજ દરમ્યાન ધારણ કરેલી વર્દી અને જ્યારથી ફરજમાં જોડાયા ત્યારે લીધેલા શપથ માટે તેઓ કેટલો અતૂટ પ્રેમ અને સ્નેહ અને લાગણી સૂચવે છે.
શ્રીરામકૃષ્ણ જ્યોત અંક : september 2015 ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ… એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, 'જયરામવાટી જઈ શકીશ?' મેં જવાબ આપ્યો, 'મા, શા માટે ન જઈ શકું?' એમણે જઈને નાની અને કાલીમામાને બોલાવી લાવવા કહ્યું. પછીના દિવસે રાતની ગાડીમાં જઈશ એવું નક્કી થયું. પછીના દિવસે સાંજે મંદિરમાં આરતીનાં દર્શન કરીને પાછા ફર્યા પછી શ્રીશ્રીમા વિશ્રામ કરી રહ્યાં હતાં. એમણે ચરણસેવા કરવા મને બોલાવ્યો અને ધીરેથી કહ્યું, 'તુલસીની નીચે નિર્માલ્ય છે, એને લેતો જજે.' અને જાહેરમાં ગોલાપમાને બોલાવીને કહ્યું, 'આશુ ભૂખ્યો છે એને ખાવાનું આપો.' ભોજન પછી શ્રીશ્રીમાને પ્રણામ કરીને હું ચૂપચાપ રવાના થયો. શ્રીશ્રીમાના આ પ્રકારે ચૂપચાપ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય કેવળ એટલો જ હતો કે નાની મામીને એ વાતની જાણકારી ન થવી જોઈએ. તેઓ પાગલ થઈ ગયા પછી શ્રીશ્રીમા એમના સિવાય કોઈ બીજા ભાઈ કે ભાભીને ચાહે કે એમને માટે કંઈક કરે એવું તે ઇચ્છતી ન હતી. નાની વગેરેને લાવવા માટે મારા પ્રસ્થાન કર્યાના ચાર દિવસ પૂર્વે ગૌરીમા (શ્રીઠાકુરનાં સંન્યાસિની ભક્ત, પછીથી શ્રીસારદેશ્વરી આશ્રમનાં સંસ્થાપિકા બન્યાં.) પુરી આવ્યાં અને અમારા વૃંદમાં સામેલ થયાં. વિષ્ણુપુરની ટિકિટ લઈને હું યથાસમયે ટ્રેનમાં બેઠો. પછી વિષ્ણુપુર ઊતરીને ભાડાની ઊંટગાડીથી કોતુલપુર ગયો. ત્યાંથી પગપાળા જયરામવાટી જઈને નાની અને કાલીમામાને કહ્યું કે હું શ્રીશ્રીમાના આદેશથી એમને પુરી લઈ જવા આવ્યો છું. પછીના દિવસે નીકળવાની વાત નક્કી થઈ છતાં કાલીમામા પોતાની પત્ની તથા બાળકોને જણાવવા પોતાના સાસરે મડાગઢ ગામ ગયા. એમનો પરિવાર એ સમયે ત્યાં હતો. જતી વખતે કાલીમામા કહી ગયા કે પછીના દિવસે સવારે હું નાનીને ત્યાં લેતો આવું, તેઓ ત્યાં બળદગાડાની વ્યવસ્થા કરી રાખશે અને ગડબેતાના માર્ગે જવાનું રહેશે. આ બાજુ સીતારામ ઘોષ નામના એક વૃદ્ધ સજ્જન આવ્યા અને નાની માને અનુરોધ કરવા લાગ્યા કે તેઓ એમને પણ સાથે લઈ જાય. આમ તો પોતાનો ખર્ચ તેઓ સ્વયં આપવાના હતા. નાની સહમત થયાં. પછીના દિવસે નાની અને સીતારામને સાથે લઈને મડાગઢ પહોંચીને જોયું તો કાલીમામાએ પુરી જવા માટે આખી ટોળી ભેગી કરી હતી. એ બાબતે કશું કહેવું અનુચિત લાગતાં હું ચૂપ રહ્યો. બે બળદગાડાની વ્યવસ્થા થઈ હતી. એકમાં નાની, પોતાનાં બન્ને બાળકો, કાલીમામાની પત્ની અને ગાડાવાળા પાસે આગળ સીતારામ બેઠા. બીજીમાં કાલીમામા, એના સાસરા અને લેખક બેઠા. બન્ને બળદગાડાં રાતભર ચાલતાં રહ્યાં અને પછીના દિવસે સવારે ગડબેતા સ્ટેશનની પાસેના ગામમાં પહોંચ્યાં. એક દુકાનમાં બપોરનું ભોજન કર્યા પછી ટ્રેનમાં બેસીને પછીના દિવસે સવારે અમે લોકો પુરી પહોંચ્યા. મડાગઢથી ગડબેતાના રસ્તામાં રાતને સમયે શાલવન થઈને આવતી વખતે એક વળાંક પર નાનીનું ગાડું એકાએક પલટી ગયું. એને પરિણામે સીતારામના ઉપર નાની અને નાની ઉપર વચેટ મામી અને એમના બન્ને પુત્રો પડ્યા. એ લોકોનો અને એમાંય વિશેષ કરીને 'મરી ગઈ, મરી ગઈ' એવો નાનીનો મોટેથી બરાડવાનો અવાજ સાંભળીને હું દોડ્યો અને એમને સહીસલામત બહાર ખેંચીને કહ્યું, 'નાની, હું તમને મરવા નહીં દઉં, નહીં તો મા રડેને!' અમે ક્ષેત્રવાસી મઠમાં પહોંચીને જોયું કે નાનીમામી, જે લેખકના અચાનક ગાયબ થઈ જવાથી અત્યાર સુધી શ્રીશ્રીમાને અનેક રીતે હેરાન-પરેશાન કરતી હતી તે બધી વાત સમજી ગઈ અને શ્રીશ્રીમા પાસે જઈને હાથ-મોં નચાવીને કોણ જાણે શું બકવા લાગી. તેના ઉત્તરમાં શ્રીશ્રીમાએ કહ્યું, 'હું શું કેવળ તમને જ લઈને રહીશ? આ લોકો શું મારા કોઈ સગાંસંબંધી નથી?' (વિસ્તૃત વર્ણન માટે સ્વામી ગંભીરાનંદનું પુુસ્તક 'શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર', જુઓ) અગ્રહાયણ (માગશર) માસમાં પુરીમાં શ્રી બળરામને વિશેષ ભોગ ધરાવાય છે. તે ભોગ અત્યંત સ્વાદિષ્ટ અને વિવિધતાપૂર્ણ હોય છે. અમે લોકો તે પ્રસાદ દરરોજ આરોગતા. શ્રીમંદિરના પ્રાંગણમાં બેસીને ચાંડાલથી માંડીને બધાંનાં મુખમાં મહાપ્રસાદ દેવો અને એમને હાથે સ્વયં આરોગવો એ ત્યાંના મંદિરની રીત છે. આ રીત પ્રમાણે એક દિવસ શ્રીશ્રીમા એક ચબૂતરા પર બેસીને અમારાં બધાંનાં મુખમાં મહાપ્રસાદ આપતાં હતાં અને પોતે પણ આરોગતાં હતાં. ત્યારે માસ્ટર મહાશય અને વરદાકુમાર (વચેટમામા) કોલકાતાથી ત્યાં અચાનક આવી પહોંચ્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો. જયરામવાટીથી જે લોકો આવ્યા હતા, એમાં નાની ઉપરાંત બાકીનાં બધાં થોડા દિવસો પછી પાછાં ચાલ્યાં ગયાં. પુરી આવ્યા પછી શ્રીશ્રીમાના પગમાં ફોલ્લો થયો અને કાલીમામાના આવવાને લીધે શ્રીશ્રીમા એટલા દિવસો સુધી મંદિર સિવાય બીજે ક્યાંય જઈ શક્યાં ન હતાં. હવે એમના ચાલ્યા ગયા પછી શ્રીશ્રીમા ફરવા જવા લાગ્યાં. રામનાં મા (બલરામ બસુનાં પત્ની કૃષ્ણભાવિની બસુ) અને નિતાઈનાં મા (નિત્યાનંદ બસુનાં મા અને સાધુપ્રસાદ બસુનાં પત્ની શરત્ કુમારી – રામનાં કાકી) શશીનિકેતનમાં રહેતાં હતાં. તેઓ ક્યારેક ક્યારેક ક્ષેત્રવાસી મઠમાં આવતાં અને કોઈ કોઈ દિવસ સાંજે શ્રીશ્રીમાની સાથે ફરવા જતાં. પુરી નિવાસ દરમિયાન શ્રીશ્રીમાએ બે વાર સમુદ્રસ્નાન કર્યું હતું. એક દિવસ તેઓ સ્વર્ગદ્વાર જોવા ગયાં. પ્રાય : તેઓ શ્રીમંદિરની પ્રદક્ષિણા કરવા જતાં. એક દિવસ જઈને શ્રીશ્રી જગન્નાથનું રસોડંુ જોયું. એક દિવસ ગુન્ડિચાવાડી ગયાં. એટલું મોટું મંદિર એમણે ફરી ફરીને જોયું. એ દિવસે લક્ષ્મીજલા પણ ગયાં. લક્ષ્મીજલાની વિશેષતા એ છે કે ત્યાં શ્રીમહાપ્રભુના દૈનંદિન ભોગ નિમિત્તે બારે મહિના નિત્ય નવું ધાન (કમોદ) ઉત્પન્ન થતું રહે છે. નિત્ય એ કમોદથી ચોખા રાંધીને તેમને ભોગ ધરાવાય છે. એક અન્ય દિવસે અમે વિજયકૃષ્ણ ગોસ્વામી મહાશયની સમાધિ જોવા નરેન્દ્ર સરોવર ગયા. ગોસ્વામીજીના પુત્રે અમારંુ સ્વાગત કર્યું. સરોવર અને તેની સાથે સંલગ્ન મઠ રમણીય છે. શ્રીશંકરાચાર્યનો ગોવર્ધન મઠ પણ જોયો. પુરીક્ષેત્રનિવાસ સમયના અંતે શ્રીશ્રીમાનું સ્વાસ્થ્ય અપેક્ષા પ્રમાણે સુધરી ગયું હતું અને સંભવત : એ જ કારણે ત્યારે તેઓ ખૂબ વાતચીત, આમોદપ્રમોદ તથા હાસપરિહાસ કરતાં. એક દિવસ વાતો કરતાં કરતાં સ્વામીજીનો દુર્ગાપૂજાનો પ્રસંગ આવતાં તેમણે કહ્યું, ''નરેન્દ્રની કેવી ગુરુભક્તિ હતી! મારે નામે સંકલ્પ કરાવ્યો. તેણે કહ્યું – 'માના નામે સંકલ્પ થશે. આપણે લોકો કૌપીનધારી છીએ. આપણા નામે સંકલ્પ ન થાય.' કેષ્ટલાલ (કૃષ્ણલાલ મહારાજ – સ્વામી ધીરાનંદ) મારી પાસે હતા. એમના દ્વારા પૂજા કરાવી. શશી (સ્વામી રામકૃષ્ણાનંદ)ના પિતા તંત્રધારક હતા. ઘણા દિવસો સુધી મારી રહેવાની વ્યવસ્થા નીલાંબરના મકાનમાં કરાઈ હતી.'' એક અન્ય સમયે તેમણે કહ્યું, 'તમે કાળા પહાડની વાત સાંભળી છે ને? બ્રાહ્મણનું સંતાન હતું. પરંતુ શું નથી કર્યું! હિન્દુનાં કોઈ દેવીદેવતાઓને જરાય છોડ્યાં નથી, બધાંને તોડીફોડીને ભુક્કો કરી નાખ્યો.' એક દિવસે શ્રીશ્રીમાને હાસ-પરિહાસ કરતાં જોઈને નટીની માએ કહ્યું, 'મા, તમે હાસ્યમજાકની આટલી વાતો જાણો છો!' શ્રીશ્રીમાએ કહ્યું, 'મને શું જુએ છે? ઠાકુરને જોયા છે ને? એમની વાતો તો પૂરી જ ન થતી. એટલી બધી વાતો તેઓ જાણતા.' માઘ (મહા) મહિનામાં શ્રીશ્રીમા કોલકાતાના બાગબાજાર સ્ટ્રીટના મકાનમાં પાછાં આવ્યાં. નાની પણ અમારી સાથે કોલકાતા આવ્યાં. નાની પણ પૌત્ર વિશે અમારી સાથે એવી જ રીતે હસતાં રહેતાં અને અમે પણ એમને છોડતા નહીં. એક દિવસ અમે એમને બાગબાજારના નવીન મયરાની દુકાનનાં રસગુલ્લાં અને સંદેશ ખવડાવ્યાં પછી પૂછ્યું કે એ કેવાં લાગ્યાં, તો તેમણે કહ્યું, 'ભાઈ, એ શું ખાખ મીઠાં હતાં? થોડો કાચો ગોળ ભેળવી દીધો હોત તો કંઈક સ્વાદિષ્ટ લાગત અને ખાવાની મજા આવત.' કેટલાક દિવસ કોલકાતામાં રહ્યા પછી નાની પ્રસન્ન કુમારના મિત્ર રામનાથ બેનર્જી સાથે જયરામવાટી ચાલ્યાં ગયાં. (ક્રમશ 🙂 By jyotPublished On: September 1, 2015Categories: Ashutosh Mitra0 CommentsTags: 2015, September 2015, શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
બસ પર પડ્યો હાઇટેન્શન વાયર, 12ના મોત, 32 દાઝ્યા | uttar pradesh 12 killed as high tension wire falls on bus - Gujarati Oneindia 22 min ago INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવ | Updated: Thursday, February 12, 2015, 14:33 [IST] લખનૌ, 24 ઑક્ટોબરઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જનપદમાં મંગળવારે એક દર્દનાક ઘટનામાં 12 લોકોના મોત નિપજ્યા છે. આ અંગેના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોનો કબજો લઇ તેમને પોસમાર્ટમ માટે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર, જિલ્લાના જહાનાબાદ વિસ્તારમાં ખાનગી બસ મુસાફરો સાથે ફતેહપુર જવા માટે એક બસ સ્ટેન્ડ પાસે ઉભી હતી, ડ્રાઇવરે જેવી બસ ચાલુ કરી કે એક હાઇ ટેન્શન વાયર બસ પર પડ્યો હતો. વાયર પડવાના કારણે બસમાં કરન્ટ પ્રસરી ગયો અને સ્પાર્કિંગ થવાના કારણે બસમાં આગ લાગી ગઇ. જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 32 લોકો દાઝ્યા હતા. દાઝેલા લોકોને પહેલા સીએચસી અને પછી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મંગળવારે ચાર વાગે જહાનાબાદથી ફતેહપુર જવા માટે આ બસ ઉભી હતી. ચાલકે બસને જેવી રિવર્સમાં લીધી કે તે હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ અને જોરદાર સ્પાર્ક સાથે વાયર તૂટીને બસ પર પડ્યો. જેના કારણે બસમાં આગ લાગી ગઇ. બસમાંથી કૂદને 10 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યાં. સબ સ્ટેશનમાંથી જ્યાં સુધી વિજ કનેક્શન કાપવામાં આવ્યું ત્યાં સુધીમાં બસમાં આગ લાગી ગઇ હતી. બસમાં ફસાયેલા લોકો મદદ માટે બુમો પાડી રહ્યાં હતા, પરંતુ બહાર ઉભેલા લોકો તેમને બચાવવા અસમર્થ હતા. કનેક્શન કપાયા પછી લોકોએ કાચ તોડીને બસમાં ફસાયેલા લોકોને બચાવવા મદદ કરી પરંતુ ત્યાં સુધીમાં 12 લોકોના મોત નિપજી ગયા હતા. uttar pradesh accident death injury electricity fatehpur ઉત્તર પ્રદેશ અકસ્માત મૃત્યું ઇજા એલેક્ટ્રીસિટી ફતેહપુર At least 12 persons, including women and children, were reportedly killed and 32 suffered burn injuries when a high tension electricity wire fell on a private bus carrying passengers at Jahanabad locality of Fatehpur disricts in Uttar Pradesh.
દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે | ખેડૂતને સપોર્ટ કરવા પેજ લાઈક કરો Home Viral દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે Published on: 10:50 am, Thu, 15 July 21 મોટાભાગના બધા જ લોકોને શરીરની સુંદરતા ગમતી હોય છે.જેથી લોકોને વૃદ્ધ થવું ગમતું નથી.જેથી અલગ અલગ પ્રકારની સર્જરીઓ અને દવાઓ લઇને લોકો યુવાન દેખાવાની કોશિશ કરતા રહે છે.પણ આજે અમે તમને એવું જણા વશુ કે જે મહિલાઓની ઉંમર ૮૦ વર્ષ કરતાં પણ વધારે હોય પણ તે મહિલાઓને જોઇને કોઇ કહી ના શકે કે તે આટલી મોટી ઉંમરના હશે. કાશ્મીરની ખીણમાં રહેતા એક આદિ જાતિના લોકો ની ઉંમર સરેરાશ 120 વર્ષ છે. પણ તે લોકો યુવાન દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં 60 વર્ષની મહિલાઓ પણ ગર્ભવતી બની શકે છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ આ ખીણમાં રહે છે. અહીં અમે તમને કાશ્મીર ખીણની હંઝા જાતિની વાત કરી રહ્યા છીએ. ડૉ.જે. મિલ્ટન હોફમેને આ જનજાતિની ઉંમર અને રૂટિન પર અભ્યાસ કર્યો છે. આ અંગે તેમને એક પુસ્તક 'સિક્રેટ્સ ઓગ ધ વર્લ્ડના હેલ્થએસ્ટ એન્ડ એડેસ્ટ લિવિંગ પીપલ' પણ લખ્યું હતું. આ પુસ્તકમાં આ પ્રજાતિના જીવન વિશે અને તે લોકો કેટલા સમય સુધી સારા અને સ્વસ્થ રહે શકે છે તે વિશે માહિતી આપવામાં આવી છે. આ લોકો શું ખાય છે તે જેથી આ લોકો આટલા સુંદર અને યુવાન રહે છે. આ લોકોને ભૂખ લાગે છે, તો તેઓ અખરોટ, અંજીર અને જરદાળુ ખાય છે. તરસ લાગે તો નદીનું પાણી પીવે છે. જો ત્યાં હળવા રોગ હોય, તો પછી નજીકની ઔષધિઓ સાથે તેમની સારવાર કરવામાં આવે છે. એવું પણ જાણવામાં આવ્યું છે કે અહીંના લોકોને દવાઓમાં કંઈ ખાસ ખબર પડતી નથી. ડોકટર રોબર્ટ મેકરિસને આ જનજાતિ પર 'પબ્લિકેશન સ્ટડીઝ ઇન ડેફિસિની ડિસીઝ' અને પછી 'જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન'માં એક પત્ર બહાર પડ્યો હતો. એવું જણાવવામાં આવ્યું છે કે અહીં ના લોકો શૂન્ય કરતા ઓછા તાપમાન વાળું ઠંડા પાણીથી સ્નાન કરે છે. એવું કહેવામાં આવે છે કે તેમના રોજિંદા જીવનમાં ખોરાક ઓછો લેવો અને ચાલવું વધારે. એવું કહેવામાં આવે છે કે આ સુંદરતા અને બીમારીઓ ઓછું થવાનું રહસ્ય છે. આ જાતિના લોકો સિકંદર ના વંશજ હોવાનું જણાવે છે. આ લોકો મોટેભાગે નિરોગી રહે છે કેમ કે ત્યાં વાહનોનો ધુમાડો નહિવત હોય છે. અને ત્યાંની આબોહવા ચોખ્ખી હોય છે. તેમાં ઓક્સિજનની માત્રા પણ વધારે હોય છે.આ લોકોની વસ્તી 85 થી 87 હજાર હોવાનું મનાય છે. આ લોકો નું નિવાસ્થાન ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તા ની પર્વતમાળા પર છે. Previous articleજો બેડ રૂમમાં હશે આ વસ્તુઓ તો, પતિ-પત્નીના જીવનમાં વધશે ખતરો Next articleIVF દ્વારા પેદા કરવામાં આવશે વાછરડા, જે એકદિવસ માં 30 લીટર દૂધ આપશે- જાણો વિગતવાર નાનકડી ઇજા હોય તો ડોક્ટર પાસે જવાની નથી જરૂર, રસોડામાં રહેલી આ વસ્તુઓ થી જ થશે દૂર આ યોજના હેઠળ દીકરીને મળશે 15 લાખ રૂપિયા- જાણો અને જલ્દી અહિયાં કરો રજીસ્ટ્રેશન નોકરી છોડી શરુ કરો આ બિઝનેસ, દર મહીને થશે 10 લાખની ચોખ્ખી કમાણી શિક્ષિકા થઈ ૧૬ વર્ષના વિદ્યાર્થીના પ્રેમમાં પાગલ અને બંધ રૂમમાં કર્યા આવા… શું વારંવાર નીકળે છે તમારી આંખો માંથી પાણી ? તો તમને હોય શકે છે આ ભયંકર બીમારી કિન્નર સાથે રિતિરિવાજ થી લગ્ન કર્યા આ વ્યક્તિએ, કહાની સાંભળી તમને પણ વિશ્વાસ નહિ આવે 10 વર્ષની આ નાની બાળકી 70 વર્ષની હોય તેટલી ઉંમર થઈ ગઈ હતી અને પછી થોડા દિવસોમાં જ… ભક્તિનો અપરંપાર મહિમા: સાવલિયા શેઠના મંદિરમાં ભક્તોએ 10 દિવસમાં આટલા કરોડ દાન આપીને નોધાવ્યો રેકોર્ડ
મારે બાળકો નથી થતા એના લીધે પત્નીએ સાળી સાથે રોમાન્સ કરવાની મને છૂટ આપી છે પણ મારી સાળી બોવજ જાડી છે - mojilomanas.in June 13, 2022 AdminLeave a Comment on મારે બાળકો નથી થતા એના લીધે પત્નીએ સાળી સાથે રોમાન્સ કરવાની મને છૂટ આપી છે પણ મારી સાળી બોવજ જાડી છે પ્રશ્ન: હું પરિણીત પુરુષ છું. મારા લગ્નને 10 વર્ષ થયા છે. પરંતુ મારી સમસ્યા એ છે કે અમારે હજુ સુધી કોઈ સંતાન નથી થયું. જ્યારે મને ખબર પડી કે મારી પત્ની ક્યારેય માતા નહીં બની શકે તો હું ખૂબ જ પરેશાન થઈ ગયો. જો કે, હું તમારાથી છુપાવવા માંગતો નથી, આ સમય દરમિયાન હું મારી ભાભીની નજીક આવવા લાગ્યો. હું મારી ભાભી સાથે છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છું. હું તેણીને ખૂબ પ્રેમ કરું છું. તે પણ મને ઈચ્છે છે. મારી પત્ની પણ અમારા સંબંધો વિશે જાણે છે. પરંતુ સમસ્યા એ છે કે હવે તે લગ્ન કરવા જઈ રહી છે. મારી પત્નીના માતા-પિતાએ તેનો સંબંધ બીજે નક્કી કર્યો છે. હું તેના વિના જીવી શકતો નથી. તે પણ મારી સાથે રહેવા માંગે છે. મેં તેના પરિવારના સભ્યો સાથે પણ આ વિશે વાત કરી, પરંતુ તેઓ અમારા લગ્ન માટે સંમત નથી. મારી પત્ની પણ ઈચ્છે છે કે હું તેની સાથે લગ્ન કરું. પરંતુ તેના પરિવારના સભ્યો તેમની જીદ પર અડગ છે. તો મને ખબર નથી કે શું કરવું? કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ અને સાયકોથેરાપિસ્ટ ડૉ. અનામિકા પાપડીવાલ, જે જયપુરમાં સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટરના ફાઉન્ડર અને ઑલ ઈન્ડિયા જૈન ડૉક્ટર્સ ફોરમના એક્ઝિક્યુટિવ મેમ્બર છે, કહે છે કે સંબંધોનો ત્રિકોણ સમય પછી ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. કારણ કે આ પ્રકારના બંધનમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે ખુશ અને સંતુષ્ટ રહી શકતું નથી. તમારા કિસ્સામાં પણ એવું જ છે. તમે તમારી પત્ની તેમજ ભાભીને તમારી સાથે રાખવાની વાત કરો છો. આવી સ્થિતિમાં, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા માટે જે પણ નિર્ણય લો છો, તે ખૂબ જ સમજી વિચારીને કરો અને જીવનભર પૂરો કરવાના વચન સાથે કરો. આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી તમે બંને માત્ર રિલેશનશિપમાં હતા, પરંતુ કાલે જ્યારે તમારા લગ્ન થશે, તો ભાભી પ્રત્યે તમારી જવાબદારી પણ વધી જશે. આવી સ્થિતિમાં, તમે ફક્ત તમારી પત્ની પર ધ્યાન આપવાનું બંધ કરશો નહીં, પરંતુ તેના પ્રત્યેની તમારી જવાબદારીઓ પણ ઓછી થવા લાગશે, જે કોઈ પણ માતાપિતા સહન કરી શકશે નહીં. એટલા માટે તે જરૂરી છે કે ચિત્રને બંને બાજુથી જોવું જોઈએ. જ્યાં સુધી બાળકની વાત છે તો તમે બંને એક બાળકને દત્તક પણ લઈ શકો છો, જે આજના સમયમાં બિલકુલ મુશ્કેલ નથી. તમે વિચારતા હશો કે આ બધું તો 10 વર્ષ સુધી ચાલતું હતું, તો હવે શું મુશ્કેલી છે. પરંતુ સત્ય એ છે કે સંબંધોમાં બંધાયા પછી જ મુશ્કેલીઓ આવે છે. આવી સ્થિતિમાં, તમે, તમારી પત્ની અને ભાભી ત્રણેય પ્રોફેશનલ સાયકોલોજિસ્ટની સલાહ લો તે ખૂબ જ જરૂરી બની જાય છે. આ કાઉન્સેલિંગ ભાભી માટે પણ ખૂબ જ જરૂરી છે કે તેઓ બીજા કોઈની સાથે જીવનમાં સામેલ થાય જેથી તેમના ભૂતકાળના જીવનની તેમના ભાવિ દાંપત્યજીવન પર અસર ન પડે. તે જ સમયે, તમે અને તમારી પત્ની બંને તમારા સંબંધને પ્રમાણિકતાથી જાળવી શકો છો.
કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ | chitralekha Home News Gujarat કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે આજે સાંજે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના નવથી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, આગામી સૂચના સુધી આ રાત્રિ કરફ્યુ લાગુ રહેશે, એમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે. સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા આ સમીક્ષા બેઠકમાં અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાજ્યના નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી, એમ કહેતાં તેમણે હોસ્પિટલોમાં બેડ હાઉસફુલ હોવાની વાતને અફવા ગણાવી હતી. રાજ્યમાં સ્થિતિ કાબૂમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હોસ્પિટલોમાં સ્થિતિ કાબૂમાં છે, એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર છે. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સહિત બોન્ડેડ ડોક્ટરોએ ફરજ ઉપર હાજર થવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જો ડોક્ટરો હાજર નહીં થાય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. રાત્રિ કરફ્યુ માટે વેપારી સંગઠનોની માગ સુરત, વડોદરા અને રાજકોટમાં સેવાકીય સંસ્થાઓ, વેપારી સંગઠનોએ સામેથી રાત્રિ કરફ્યુની માગ કરી હતી. આવી માગને ધ્યાનમાં રાખીને કોર કમિટીની મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતી કાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બીજો કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. આજે રાજ્યમાં નવા 1420 કોરોના દર્દી નોંધાયા છે અને સાત વ્યક્તિનાં મોત થયાં છે, જેથી કોરોના સંક્રમિતોનો આંકડો 1,94,402એ પહોંચ્યો છે. રાજ્યમાં 1040 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,77,515 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
રીપોર્ટ@ગુજરાત: કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો પહોંચ્યો 179, 16ના મોત | Atal Samachar Home News ON-01 રીપોર્ટ@ગુજરાત: કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો પહોંચ્યો 179, 16ના મોત ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. 24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે બે મોત નોંધાયા છે તેમાં એક જામનગરમાં 14 માસના બાળકનું મોત થયું જ્યારે બીજુ મોત સુરતમાં 65 વર્ષના પુરુષનું નોંધાયું છે. 24 કલાકમાં જે 932 કેસ કરવામાં આવ્યાં તેમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 687 કેસ નેગેટિવ છે અને 281 પેન્ડિંગ છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 2, પંચમહાલ અને પાટણમાં તથા જામનગરમાં એક-એક મોત સામેલ છે. વડોદરામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે
તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર... - જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર… તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર… તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ચહેરો તો પુનમના ચંદ્ર જેવો લાગતો હોય છે પણ જ્યારે તમે પાછા વળો ત્યારે તમારી ડોક તો જાણે અમાસ જેવી કાળી લાગે છે. તમારે તમારા સૌંદર્યની સંભાળ લેતી વખતે માત્ર તમારા ચહેરાની જ સંભાળ નથી લેવાની પણ તમારા સૌંદર્યમાં વધારો કરતાં સંપુર્ણ શરીરની સંભાળ લેવાની હોય છે. ચેહરાની સંભાળ લેતી વખતે ખાસ કરીને તમારી ડોક હંમેશા અવગણાઈ જાય છે અને તે ત્યારે ઉડીને આંખે વળગે છે જ્યારે તમારો ચહેરો સુદંર ચંદ્રમાં જેવો લાગે છે પણ તમારી ડોક કાળી લાગે છે. ડોકને જો રોજ ચોખી કરવામાં ન આવે તો તેના પરની કાળાશનો થર જડ બની જાય છે અને તેની કાળાશ દૂર કરતાં પણ વધારે સમય લાગે છે. માટે જ્યારે જ્યારે તમે તમારા ચહેરાની કેર કરો ત્યારે સાથે સાથે તમારે તમારી ડોકની પણ કેર કરવી જોઈએ. ડોકને મુલાયમ, ગોરી અને ચમકદાર બનાવવા માટે તમારે કેળા સાથે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. આ બન્ને વસ્તુનું મિશ્રણ એક પ્રકારનો પેક બનાવશે. તેના માટે તમારે એક મધ્યમ કદનું કેળું લેવાનું છે તેને મેશ કરી લેવું હવે તેમાં એકચમચી ઓલીવ ઓઇલ ઉમેરી દેવીં. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે પેસ્ટને તમારે તમારી ડોક પર લગાવી લેવી. તેને તેમજ 15-20 મિનિટ લગાવી રાખવું. ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું. આ પેક તમને જરા પણ નુકસાન નથી કરતો તેને તમે અઠવાડિયામાં બે-ત્રણવાર અજમાવી શકો છો. ડોકને ચહેરા જેવી ધોળી બનાવવા માટે તમારે બે ચમચી લીંબુનો રસ લેવો તેમાં એકથી બે ચમચી ગુલાબ જળ ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે રુના પુમડા વડે તમારી ડોક પર લગાવવું. તેને તેમ જ આખી રાત માટે રહેવા દેવું. આ પ્રયોગ માત્ર અઠવાડિયા સુધી કરવાથી તમને તમારી ડોકની ત્વચા ઉજળી થતી દેખાશે. આ પ્રયોગ તમે એક મહિના સુધી ચાલુ રાખી શકો છો. પણ જ્યારે તમને તમારી ડોકના રંગથી સંતોષ થઈ જાય ત્યારે તમારે આ પ્રયોગ બંધ ન કરવો પણ તેને ઓછો કરી દેવો એટલે કે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવો જેથી કરીને તમારા ચેહરા સાથે તમારી ડોકનો રંગ પણ મેચ થાય. બેકીંગ સોડા બેકિંગ સોડા તમારા સૌંદર્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. તે ત્વચાને લગતી હાઇપર પિગ્મેન્ટેશની અસરને પણ દૂર કરી શકે છે. તેના માટે તમારે એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા લેવું હવે તેની જાડી પેસ્ટ બને તેટલું તેમાં પાણી ઉમેરવું. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે ગળીની મદદથી તમારી ડોક પર લગાવી લેવી. તેને તેમજ અરધો કલાક રાખવું. આમ કરવાથી ડોક પરની મૃત ત્વચા દૂર થઈ જશે. અને ડોક પર જામેલી કાળી ચામડીની પરત દૂર થઈ જશે. ઓટ્સનો નાસ્તો નિયમિત કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે જ્યારે ઓટનો ઉપયોગ સ્ક્રબર તરીકે તમે તમારી ડોક પર કરશો તો તમારી ડોક મુલાયમ અને ગોરી બનશે. તેના માટે તમારે એક વાટકીમાં ત્રણ-ચાર ચમચી ઓટ્સ લેવા તેને મિક્સરમાં વાટી લેવા હવે તેમાં દહીં અથવા તો દૂધ અથવા તો ગુલાબજળ અથવા તો ટામેટાની પ્યુરી ઉમેરવી. ઓટ્સના પાઉડરને 10-15 મિનિટ તેમાં પલળવા દેવું. ત્યાર બાદ તે પેસ્ટને તમારે ગળાની આસપાસ લગાવવું અને તેનાથી ડોક ઘસવી ત્યાર બાદ તેને તેમ 15-20 મિનિટ રહેવા દેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર કરી શકો છો. આ પેસ્ટ સ્ક્રબરનું કામ કરશે અને તે તમારી ડોક પર જામેલી મૃત ચામડીને દૂર કરશે અને તેની નીચે છૂપાયેલી નવી ચામડીને શ્વાસ લેવાનો મોકો મળશે. અને સાથે સાથે જ ડોકની ત્વચા મુલાયમ અને ચમકીલી પણ બનશે. ડોક માટેની કેટલીક ખાસ કાળજી – સૌ પ્રથમ તો તમારે તમારા ચહેરા જેટલી જ કાળજી તમારી ડોકની પણ લેવી. નાહતી વખતે ચહેરો જે રીતે ઘસીને સાફ કરો છો તે જ રીતે તમારી ડોક પણ સાફ કરવી. જો નિયમિત આમ કરશો તો ભાગ્યે જ કાળી ડોકની સમસ્યા ઉભી થશે. – તમે જ્યારે ક્યારેય ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવતા હશો તો તે સમયે તમારે તમારી ડોક પર પણ સનસ્ક્રીન લગાવવું. ઘરમાંથી બહાર નીકળવાના હોવ તે પહેલાં પંદર મિનિટે સનસ્ક્રીન લગાવી લેવું જેથી કરીને તે તમને સૂર્યના પ્રકાશથી યોગ્ય રીતે પ્રોટેક્ટ કરી શકે. – સનસ્ક્રીન પસંદ કરતી વખતે તમારા વિસ્તારમાં જે રીતે તડકો પડતો હોય તે પ્રમાણેનું સનસ્ક્રીન લોશન પસંદ કરવું.
મશરૂમની ખેતી શરૂ કરી તો ગામના લોકોએ ઉડાવ્યો મજાક, પણ પછી જે થયું તે જાણીને તમે પણ રહી જશો દંગ... - We Gujjus Home Article મશરૂમની ખેતી શરૂ કરી તો ગામના લોકોએ ઉડાવ્યો મજાક, પણ પછી જે... પહેલાં, જ્યાં લોકો ખૂબ જ સરળ રીતે ખેતી કરતા હતા, હવે લોકો ખેતી કરવાની નવી વૈજ્ઞાનિક રીતો શોધી રહ્યા છે, જેથી ઓછા ખર્ચમાં વધારે ફાયદો થાય છે. હવે એવું નથી કે ફક્ત પુરુષો જ ખેતી કરે છે, મહિલાઓ પણ તેમાં ભાગ લઇ રહી છે અને ખેતીમાં પોતાનો ભાગ ભજવી રહી છે. અનુપમ કુમારીએ આજની વાતમાં આ વસ્તુ ફરીથી સ્થાપિત કરી છે. બિહાર રાજ્યના સીતામઢી જિલ્લાના રહેવાસી અનુપમ કુમારીએ સ્નાતકની પદવી મેળવીને તેના પિતા સાથે ખેતી કરવાનું નક્કી કર્યું. અનુપમના પિતા ખેતીની સાથે સાથે ભણાવવામાં પણ જોડાયેલા હતા. પરંતુ અનુપમના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. આટલા ઓછા પૈસા માં ગુજરાન કરવું ખૂબ મુશ્કેલ હતું.. તેથી તેના પિતાએ સંપૂર્ણ સમય શિક્ષણ છોડવાનું વિચાર્યું. અભ્યાસ કર્યા પછી અનુપમે નોકરી માટે બહાર જવાના બદલે તેના પિતાને ખેતીમાં મદદ કરવાનું વિચાર્યું. ક્યાં લીધી તાલીમ.. અનુપમ પાસે વૈજ્ઞાનિક રીતે ખેતી વિશે ન તો અનુભવ હતો કે ન તો જ્ઞાન. વૈજ્ઞાનિક રીતે કેવી રીતે ખેતી કરવી તે શીખવા માટે, તેણી તેના પિતા સાથે સૌ પ્રથમ કૃષિ સંશોધન કેન્દ્રમાં ગયા, જ્યાં તેણે અળસિયું ખાતર અને મશરૂમ્સની ખેતી કેવી રીતે કરી તેનો અભ્યાસ કર્યો. આ પછી પણ, તેમણે ખેતીની નવી પદ્ધતિઓ શીખવા અને અનુભવ માટે પટના, સીતામઢી અને દિલ્હીની વિવિધ સંસ્થાઓમાં તાલીમ શરૂ કરી. માત્ર 500 રૂપિયાના ખર્ચે ખેતીની શરૂઆત કરી.. તાલીમ પૂર્ણ કર્યા પછી ગામમાં પાછા ફર્યા પછી, અનુપમે પ્રથમ 500 ચોરસ ફૂટના ક્ષેત્રમાં અને માત્ર 500 રૂપિયા સાથે મશરૂમની ખેતી શરૂ કરી હતી. અનુપમે જણાવ્યું હતું કે આ પહેલા તેના ગામમાં કોઈએ મશરૂમ્સનું વાવેતર કર્યું ન હતું અને ન તો તેને મશરૂમ વિશે કોઈ જાણકારી હતી. ગામના ખેડુતો ગોબરચત્તાના નામથી મશરૂમને જાણતા હતા. તો ગામના લોકો અનુપમનો સાથ અને ટેકો નહીં આપીને તેની મજાક ઉડાવવા લાગ્યા અને કહેતા કે જુઓ આ છોકરી ગાયના છાણની ખેતી કરે છે. પરંતુ અનુપમ આ બાબતોથી નિરાશ ન થયો અને પોતાને વધુ મજબુત બનાવ્યો. તે કહે છે કે સફળ વ્યક્તિ હંમેશાં કોઈની નકારાત્મક બાબતો પર ધ્યાન ન આપીને પોતાના કાર્યમાં પ્રયાસ કરે છે અને પછી પ્રથમ નકારાત્મક લોકો સફળ વ્યક્તિને તેમના રોલ મોડેલ તરીકે વિચારવાનું શરૂ કરે છે અને અનુપમ સાથે પણ આવું જ કઈક બન્યું હતું. તેની સખત મહેનત કર્યા બાદ તેણે મશરૂમની ખેતીના માત્ર 3 મહિનામાં 10 હજારની કમાણી કરી. અનુપમે 500 રૂપિયા લગાવીને 20 ગણી વધારે કમાણી કરી હતી. ખેતીની હાલની સ્થિતિ શું છે.. હવે અનુપમ પોતે વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે જેમાં તે ઘઉંનો ભૂસું અને કઠોળનો ઉપયોગ કરે છે અને ખેડૂતોને પદ્ધતિ શીખવે છે. હવે તેમના ઉગાડવામાં આવેલા મશરૂમમાંથી લગભગ 50 ક્વિન્ટલ દર 3 મહિનામાં વેચાય છે, જે અનુપમને નોંધપાત્ર આવક બનાવે છે. હવે અનુપમ લોકોથી એટલી પ્રેરણા છે કે ત્યાંની લગભગ બધી જ મહિલાઓ તેની પાસેથી ખેતીના આ બધા ગુણો શીખી જાય છે. હવે અનુપમ ખેતીની સાથે માછીમારીનું અને બાગકામ શરૂ કર્યું છે. પહેલા ફક્ત તે જ લોકો ખેતી કરતા હતા અને તેમનું જીવન જીવતા હતા, જેની પોતાની જમીન હતી. પરંતુ હવે લોકો જમીન ભાડે આપીને અથવા તે ખરીદીને પણ ખેતી કરે છે. તે હવે વ્યવસાયનું સંપૂર્ણ રૂપ લઈ ચૂક્યું છે. સાથે મહિલાઓ પણ કૃષિ ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રહી છે. ઘણી યુવક-યુવતીઓ સારી નોકરી છોડી કૃષિથી કૃષિ તરફ આગળ વધી રહી છે અને પોતાની સાથે ઘણા લોકોને રોજગાર આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે. Previous articleશિયાળામાં રામબાણ ઇલાજ છે કાળા મરી, શરદી અને ખાંસી સહિત આ રોગો સામે આપે છે રક્ષણ, જાણો તેના અન્ય ફાયદાઓ Next articleએક મહિના સુધી સતત તમારા ચહેરા પર આ રીતે કરો બટાકાનો ઉપયોગ, એના પછી જે ફાયદા થશે તે જાણીને દંગ રહી જશો..
રણોત્સવ એક મહિનો મુલતવી ધોરડોના સફેદ રણમાં વૉચ ટાવરથી આગળ બધે જ પાણી ભરાયેલાં છે ભુજ, તા. 8 : દર વર્ષે પહેલી નવેમ્બરથી કચ્છના ધોરડો પાસેના રણમાં યોજાતો રણોત્સવ આ વખતે સફેદ મીઠાના રણમાં મોટાપાયે પાણી ભરાયેલાં હોવાથી એક મહિનો ઠેલવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે પહેલી ડિસેમ્બરથી રણોત્સવ યોજાય તેવો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે. 2019/20નો રણોત્સવ હવે ચાર મહિનાના બદલે ત્રણ મહિના ચાલે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં થયેલા સતત વરસાદ અને તેમાંય બનાસકાંઠા વિસ્તારમાંથી વરસાદી પાણી કચ્છના રણમાં ભરાયાં હોવાથી અત્યારે જ્યાં રણોત્સવ યોજાય છે એ સ્થળે મોટાપાયે પાણી ભરાયેલાં હોવાથી એક મહિનામાં સૂકાઇ જાય તેવી સ્થિતિ નથી. કચ્છના કલેક્ટર નાગરાજન મહાલિંગમે `વ્યાપાર' સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દેશ-વિદેશના લાખો પર્યટકોને ઘેલું લગાડી ચૂકેલા સફેદ રણ વચાળે તંબુનગરીના આ રણોત્સવના શુભારંભમાં ફેરફાર કરવો પડયો છે. તેમણે જણાવ્યું હતું કે, ધોરડોના સરપંચ મિયા હુસેન ગુલબેગે પોતાના અનુભવના આધારે કહ્યું કે, 1લી નવેમ્બર સુધીમાં પાણી ઓસરી જાય કે સૂકાઈ જાય તેવું લાગતું નથી. વોચ ટાવરથી આગળના વિસ્તારમાં પથરાયેલી નમકની સફેદ ચાદરનો નજારો જોવાની પ્રવાસીઓને ઇચ્છા હોય છે. જો 1લી નવેમ્બરના બુકિંગ કરી દેવાશે તો પાણીના કારણે નમક સરોવર જોઇ શકાય તેવું નથી. પાણી ઘૂંટણથી પણ વધારે છે અને એક-દોઢ મહિનામાં ઘટશે નહીં. એટલે ધોરડોના સરપંચ મિયા હુસેનના પ્રસ્તાવને પગલે હવે 1લી ડિસેમ્બરથી રણોત્સવ યોજવાની કલેક્ટરે ઘોષણા કરી છે.
સ્ત્રીઓ માટે આર્મ ટેટૂ - ટેટૂઝ કલા વિચારો સ્ત્રીઓ માટે આર્મ ટેટૂ ટેટૂઝ કલા વિચારો ટીમ 2 શકે છે, 2018 આર્મ ટેટૂઝ સદીઓથી આસપાસ છે અને સમાન પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પહેર્યો છે. ટેટૂ કલાની વિવિધતા હાથથી લાગુ કરી શકાય છે કારણ કે ત્યાં જીવનની વિશાળ જગ્યા ઉપલબ્ધ છે જે સુંદર આજીવન જીવવા માટે યાદગાર છે. સ્ત્રીઓ માટે આર્મ ટેટૂઝ તેમને આકર્ષક અને આકર્ષક તેમજ આક્રમક દેખાય છે. ટેટૂઝને પ્રેમ કરતી સ્ત્રીઓ માટે એક તેજસ્વી અને અનન્ય હાથ ટેટૂ વિચારો ફૂલો અને હોકાયંત્રના આ સુંદર સંપૂર્ણ હાથનો કાળો અને ગ્રે ટેટૂ ખૂબ વાસ્તવિકતાથી કરવામાં આવે છે. ગુલાબ પૃથ્વી પર સૌથી લોકપ્રિય ફૂલ છે અને ફ્લોરલ ટેટૂઝમાં મનપસંદ પસંદગી છે. તેમના રંગના આધારે તેનો અલગ અલગ અર્થ છે લેડિઝ માટે એક ઉત્કૃષ્ટ ગતિશીલ મલ્ટી ડિઝાઇન હેન્ડ ટેટૂ વિચારો. ટેટુ તેજસ્વી રંગીન તારાઓ અને ફૂલોમાં આવેલું ફૂલો સાથે એક એસિડ ગેલેક્સી જેવો દેખાય છે. આ પ્રકારનું સંપૂર્ણ હાથ ટેટૂઝ વિશિષ્ટ વસ્તુઓ પર પ્રયોગ કરવા માટે પ્રેમ કરનારી વ્યક્તિની બોલ્ડ અને હિંમતવાન પાત્ર દર્શાવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે આંખ આકર્ષક રંગીન ફ્લોરલ હાથ ટેટૂ વિચારો વાદળીથી નારંગી સુધીના વાઇબ્રન્ટ રંગો સાથે, આ ટેટૂમાં ગુલાબ ખાસ કરીને અદભૂત છે. આ હાથનું ટેટૂ પાણીના રંગની શ્રેષ્ઠ કૃતિ જેવો દેખાય છે, જે સંપૂર્ણ હાથને આવરી લે છે. કન્યાઓ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ હાથ પર મલ્ટી રંગીન પ્રાણી ટેટૂ વિચારો. શિયાળ પર આયોજીત કેનવાસ પેઇન્ટિંગ જેવા શિયાળનું આ અજોડ અને આઘાતજનક ચિત્ર. સ્ત્રીઓ માટે આર્મ ટેટૂઝ સ્ત્રીલી, સેક્સી, ગૂઢ અને બોલ્ડ હોવાનું તેમને નવી રીતે પ્રગટ કરવામાં મદદ કરે છે. મહિલાઓ માટે સંપૂર્ણ હાથ પર કલા ટેટૂ વિચારો એક પ્રભાવશાળી મિશ્રણ. ફૂલો, કલાકના કાચ, પાંખો અને સ્ત્રીના ચહેરાના આ અસામાન્ય મિશ્રણ ટેટૂ કલાને વશીકરણ અને વિશિષ્ટતા દર્શાવે છે. વિવિધ પ્રકારની આ કાળા અને સફેદ ટેટૂ કોઈ પણ મહિલા પર આકર્ષક લાગે છે અને તેને બોલ્ડ લાગે છે. આર્મ ટેટુ વિડિઓ છોકરીઓ અને સ્ત્રીઓ માટે એક ભવ્ય ફૂલોની હાથ ટેટૂ વિચારો. આ ટેટૂ કલા મુખ્યત્વે માધ્યમથી મોટા કદનાં ફૂલોનો સમાવેશ કરે છે અને તેમાં કેન્દ્રિય સ્થાને મંડલ કમળ છે. કાળા અને ભૂરા ટેટૂ ફૂલો જોઈને ઝાંખા પડ્યા છે જે આ ટેટૂને મનમોહક બનાવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ હાથના ટેટૂના વિચારો જોશો અડધા ફૂલ, પાંદડાં અને વમળ ની આ જટિલ પેટર્ન સંપૂર્ણપણે અદભૂત અને તેજસ્વી બનાવવામાં આવેલ છે. તીવ્ર કાળી શાહીમાં સંપૂર્ણપણે ગોઠવાયેલી રેખાઓ અને દાખલાઓ આ ટેટૂ અત્યંત આંખ આકર્ષક બનાવે છે. ભારે છૂંદણાને પ્રેમ કરનારા કન્યાઓ અને મહિલાઓ માટે સંપૂર્ણ હાથ પર આકર્ષક આકર્ષક ફૂલોની ટેટૂ ડિઝાઇન. ફૂલોના સુંદર પ્રકાશ અને શ્યામ પાંદડીઓની તેજસ્વી સંયોજન તે મેળવી શકે તેટલું જ વાસ્તવિક છે. ફૂલના ભાગો પર આંતરિક રીતે અદભૂત છે અને વિપરીત વિગતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ હાથ પર સર્જનાત્મકતાના મિશ્રણથી બનાવવામાં આવતી એક જોડણી ટેટૂ. એક વર્ણપટમાં જંગલી જીવન અને પ્રકૃતિની અસાધારણ એકીકરણ ચમકાવતું છે. આદિવાસી મહિલા અને ફેન્સી ખોપરી દર્શકને સંપૂર્ણપણે જુદી જુદી પરિપ્રેક્ષ્ય આપીને સમગ્ર ચિત્રની સુંદરતામાં વધારો કરે છે. કન્યાઓ માટે સંપૂર્ણ શસ્ત્ર ટેટુ ડિઝાઇન વિચારો. આ ટેટૂ કલા ફૂલોથી ચંદ્ર સુધીના વિવિધ તત્વોનું મિશ્રણ છે આ કળાને પહેરનારને મહત્વનું મહત્વ છે અને તેનો અર્થ ફક્ત તેમની પાસેથી જ ઓળખાય છે. કોઈ વ્યક્તિના હિતને આધારે અને તે બધા સાથે એકસાથે મૂકીને ટેટૂ કલાકારની સર્જનાત્મકતાના આધારે આવા ભ્રામક કલાની પસંદગી કરી શકે છે. છોકરીઓ અને મહિલાઓ માટે મોહક સંપૂર્ણ સ્લીવ્ઝ ટેટૂ વિચાર. આ પ્રભાવશાળી ટેટૂ કલા એ એકસાથે પીલાયેલી અનેક નાના કલા કાર્યોનું સંયોજન છે. ટેટૂઝ દ્વારા ઢંકાયેલો હાથ પ્રસ્તુત કરવા માટે વિવિધ પ્રકારના પેટર્ન અને ડિઝાઇન સુંદર ગોઠવાય છે. મહિલા માટે એક સૌંદર્યલક્ષી સંપૂર્ણ સ્લીવમાં ટેટૂ વિચારો. ટેટૂના આ સ્વરૂપને અમૂર્ત કલા કહેવામાં આવે છે જ્યાં કેટલાક ઘટકો એક સ્પેક્ટ્રમ હેઠળ લાવવામાં આવે છે. તે અત્યંત આકર્ષક છે કારણ કે આ પ્રકારના ટેટુમાં અનેક નાના અને વિશાળ વિવિધ પ્રકારની કલા કાર્યોનો સમાવેશ થાય છે. ઇગલ ટેટૂઝઅનંત ટેટૂઆંખ ટેટૂપક્ષી ટેટૂઝગરદન ટેટૂઝહાથ ટેટૂઝપુરુષો માટે ટેટૂઝશ્રેષ્ઠ મિત્ર ટેટૂઝપ્રેમ ટેટૂઝહેના ટેટૂદંપતિ ટેટૂઝસુંદર ટેટૂઝસૂર્ય ટેટૂઝછાતી ટેટૂઝપગની ઘૂંટી ટેટૂઝક્રોસ ટેટૂઝકમળના ફૂલ ટેટૂતીર ટેટૂઆદિવાસી ટેટૂઝહાથી ટેટૂએન્કર ટેટૂઝમહેંદી ડિઝાઇનવીંછી ટેટૂહાર્ટ ટેટૂઝઓક્ટોપસ ટેટૂસંગીત ટેટૂઝકન્યાઓ માટે ટેટૂઝબિલાડી ટેટૂઝબહેન ટેટૂઝબટરફ્લાય ટેટૂઝહોકાયંત્ર ટેટૂરીપ ટેટૂઝટેટૂ વિચારોફેધર ટેટૂરાશિ સંકેતો ટેટૂઝહાથ ટેટૂઝવોટરકલર ટેટૂચેરી બ્લોસમ ટેટૂભૌમિતિક ટેટૂઝદેવદૂત ટેટૂઝસ્લીવ્ઝ ટેટૂઝપગ ટેટૂઝગુલાબ ટેટૂઝફૂલ ટેટૂઝતાજ ટેટૂઝપાછળ ટેટૂઝસિંહ ટેટૂઝહીરા ટેટૂચંદ્ર ટેટૂઝકોઈ માછલી ટેટૂ
જો તમારે પૈસા કમાવવા હોય તો ઘરના આ ખૂણામાં રાખી દો ઈલાયચી, જુઓ પછી તેનો ફાયદો… – Gujju King Home/Janva Jevu/જો તમારે પૈસા કમાવવા હોય તો ઘરના આ ખૂણામાં રાખી દો ઈલાયચી, જુઓ પછી તેનો ફાયદો… gujju April 7, 2021 Janva Jevu Leave a comment 260 Views પૈસા કમાવવા કોણ નથી ઇચ્છતું, શા માટે આપણે અને તમે જીવનમાં સખત મહેનત કરીએ છીએ. સરળ જવાબ છે ભાઈ, પૈસા કમાવવા માટે. જુઓ, દરેક પૈસા કમાય છે, લગભગ દરેક જણ તેના શરીરને જોઈએ તેટલું ખોરાક અને કપડાં પહેરે છે. પરંતુ પૈસા કમાવવું એ દરેકની વાત નથી. ઘણી બધી કમાણી કરવા માટે, ઘણી બધી સખત નસીબ અને ઘણી મહેનત કરવી પડે છે. જુઓ, જો કે આપણે સખત મહેનત કરીશું, પરંતુ આપણને ઇચ્છિત પરિણામો મળતા નથી, આ કેમ છે, તેનો જવાબ આપવો મુશ્કેલ છે. મહાન પંડિત પણ તેનો જવાબ આપતા પહેલા બે વાર વિચાર કરશે. જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને તો પણ પૈસા કમાવવા માટે સમર્થ નથી, તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં કંઇ સમસ્યા છે. કેટલીક વસ્તુઓ એવી છે જે આપણા નિયંત્રણથી બહાર છે. જે ઉપરનો ભગવાન એક જ ઠીક કરી શકે છે. જો પૈસાની સમસ્યા યથાવત્ રહે છે, તો પછી તમે ઈલાયચીને લગતા કેટલાક ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમે પૈસાની સમસ્યાઓથી થોડીક મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય મુજબ સૌથી પહેલાં તમારે લીલી ઈલાયચી લેવી પડશે. આ પછી તમારે તમારા પૂજાગૃહમાં બેસવું પડશે. એમ કહો કે પૂજા ઘરમાં બેસ્યા પછી તમારે તમારા બંને હાથ જોડીને આ મંત્રનો જાપ કરવો પડશે. ઓમ શ્રીમ શ્રી શ્રીએ નમઃ। આ સાથે, તમને કહી દઈએ કે તમારે આ મંત્રનો એકસો આઠ વખત એટલે કે માળા જેટલો જ જાપ કરવો પડશે. આ સિવાય, ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ કરતી વખતે કોઈ તમને પરેશાન ન કરે. જાપ પૂર્ણ કર્યા પછી, તમારે આ ઇલાયચીને તમારી મૂઠમાં બંધ કરવી પડશે અને ઘરની અંદર જ સાત વર્તુળ બનાવવા પડશે. ઘરના સાત વર્તુળ પછી, તમારે ફરીથી પૂજા ઘરની સામે બેસવું પડશે. આ પછી તમારે લાલ રંગનું કાપડ લેવું પડશે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે જૂનું કાપડ પણ લઈ શકો છો, પરંતુ તે લાલ રંગનું હોવુ જોઈએ. તે પછી, તે લીલી ઈલાયચીને આ લાલ રંગના કાપડમાં લપેટી લો અને તેનું બંડલ બનાવો. આ સિવાય, તમારે આ બંડલ બાંધવા માટે લાલ થ્રેડનો ઉપયોગ કરવો પડશે. આ પછી, આ નાના બંડલને ઘરની એવી જગ્યાએ છુપાવી દો કે તે કોઈ જોવું જોઈએ નહીં. એટલે કે, ઘરનો કોઈ પણ સભ્ય આ બંડલ જોઈ શકશે નહીં. તમે આ ઉપાય કોઈપણ સમયે અને કોઈપણ દિવસે કરી શકો છો. પરંતુ આ ઉપાય કરતી વખતે, ધ્યાનમાં રાખો કે દિવસના એકવીસમા દિવસે તમે આ પગલાં લેશો, તમારે બંડલ ઉપાડવું પડશે અને તેને પાણીમાં નિમજ્જન કરવું પડશે. આવી સ્થિતિમાં, જો તમારી આસપાસ પાણી ન હોય, તો તમે તેને ઝાડની નીચે પણ દાટી શકો અને જો તે ઝાડ પીપળાનું હોય તો તે વધુ સારું રહેશે. Previous પીએમ મોદીના એક દિવસના ખાવાના ખર્ચ થાય છે આટલા પૈસા, જાણીને તમે પણ રહી જશો હેરાન… Next મનોજ તિવારીની પત્ની સુંદરતાની દ્રષ્ટિએ આપે છે બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફને પણ ટક્કર, જુઓ તસવીરો…
ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો - sports ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો વિશાખાપટ્ટનમ: ભારતે ચાર દેશો વચ્ચેની અન્ડર-૧૯ ટુર્નામેન્ટ ગઈ કાલે જીતી લીધી હતી. ભારતે શ્રીલંકા સામેની એક્સાઇટિંગ ફાઇનલ પાંચ રનથી જીતી લીધી હતી. આ વિજયમાં રાજકોટના ૧૮ વર્ષની ઉંમરના લેફ્ટી પેસબોલર રુશ કલારિયાનું મોટું યોગદાન હતું. ભારતે બૅટિંગ મળ્યા પછી આકાશદીપ નાથના પંચાવન રનની મદદથી ૫૦ ઓવરમાં ૧૬૮ રન કર્યા હતા. શ્રીલંકા ૪૬.૫ ઓવરમાં ૧૬૩ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. પંજાબના પેસબોલર સંદીપ શર્માએ ચાર અને રુશ કલારિયાએ ત્રણ વિકેટ લીધી હતી. ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તામિલનાડુના બાબા અપરાજિથને એક જ વિકેટ મળી હતી.
આણંદ જિલ્લામાં 1.70 લાખ બાળકોને ઓરી-રૂબેલા રસીથી રક્ષિત કરાયા: તમામ 'સુરક્ષિત' નવગુજરાત સમય | Publish Date: Aug 8 2018 2:41PM આણંદ જિલ્લામાં રસીના કારણે કોઇ બાળકને ગંભીર આડઅસર થઇ નથી: 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે - સમગ્ર દેશમાંથી ઓરીને નાબૂદ કરવા અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે રસી આપવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તા.૧૬મી જુલાઇથી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ કરાયો હતો. જેમાં જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ૩જી ઓગસ્ટ સુધીમાં જિલ્લાના કુલ ૧,૭૦,૦૨૬ બાળકોને ઓરી-રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. જે અભિયાન તા.૧૫મી ઓગસ્ટ સુધી ચાલનારું હોઇ જેમાં બાકી રહેલી શાળાઓના બાળકોને અને શાળાએ ન જતા બાળકોને ઓરી-રૂબેલાની રસીથી આવરી લેવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. બી. પટેલે જણાવ્યું છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાની સાથે તેની કોઇ આડઅસર નથી તેમ જણાવી આણંદ જિલ્લામાં રસીના કારણે કોઇ બાળકને ગંભીર આડઅસર થઇ ન હોવાનું કહ્યંુ છેે. જેથી વાલીઓને અંધશ્રદ્ધા કે અફવાઓથી દૂર રહી પોતાના બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાવી રક્ષિત કરવા અનુરોધ કર્યો છે. આ અભિયાનમાં શાળાના સંચાલકો, મુખ્ય શિક્ષક, શિક્ષકગણ, પંચાયત, આંગણવાડી કાર્યકર, આશા તથા આરોગ્યની સમગ્ર ટીમના સહકારથી આ અભિયાનને સફળ બનાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓરી અને રૂબેલા જેવા રોગને કારણે દેશમાં થતા મૃત્યને ચોક્કસ અટકાવી શકાય છે. તેટલું જ નહીં પણ ઓરી અને રૂબેલાની રસી આ રોગને ફેલાતો અટકાવે છે. જેથી જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને આ રસીથી રક્ષિત કરવા અપીલ કરાઇ છે. સેવાલિયા સ્વામિનારાયણ મંદિરમાં ઓરી રૂબેલા રસીકરણ જાગૃતિ શિબિર જાગૃતિ શિબિર સેવાલિયામાં વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં સેવાલિયા મહાજન ટ્રસ્ટ દ્વારા ઓરી રૂબેલા રસીકરણ સંદર્ભે જનજાગૃતિ શિબિર યોજાઇ હતી. ઓરી રૂબેલાને નાબૂદ કરવા અને સૌ નાગરિકોના બાળકો શારીરિક સ્વાસ્થય સુદ્રઢ બનાવવા સૌ અગ્રણીઓએ હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સેવાલિયા સ્વા. મંદિરના કોઠારી આત્મપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ઓરી અને રૂબેલા શું છે ? ઓરી એ વાયરસથી ફેલાતી એક પ્રાણઘાતક બિમારી છે. જેના લક્ષણોમાં શરૂઆતમાં તાવ આવે છે, ખાંસી થાય છે, નાકમાંથી પાણી પડે છે અને ત્રણ-ચાર દિવસ પછી આખા શરીર પર ઝીણા લાલ દાણા છે. ઓરીના કારણે બાળક ન્યુમોનિયા, બ્રોન્કાઇટીસ, ટીબી, મગજનો તાવ જેવી ગંભીર બિમારીનો ભોગ બની શકે છે. જ્યારે રૂબેલા વાયરસથી ફેલાતી બિમારી છે. સગર્ભાવસ્થા દરમિયાન તેનો ચેપ લાગેલો હોય તો ગર્ભપાત અથવા મૃતજન્મ થાય છે. અથવા તો નવજાત શિશુને રૂબેલાથી ઉણપ આવે છે
ગુજરાતી સમાચાર: જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ | Hospitality And Travel 102 - Corporates | I Am Gujarat Gujarati News Corporates જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ Updated: Apr 16, 2019 09:30 am IST 68899408 અનિર્બાન ચૌધુરી મુંબઈ:જેટ એરવેઝના ધિરાણકારો વચ્ચે ઇમરજન્સી લોન અંગે તીવ્ર મતભેદ હોવાના કારણે સહમતી થઇ શકે તેમ નથી. પરિણામે જેટ એરવેઝની કામગીરી સંપૂર્ણપણે બંધ થઇ જવાની તૈયારી છે. સોમવારે ધિરાણકારોએ આખો દિવસ ચર્ચા કરી હતી પરંતુ વચગાળાની લોન અંગે સહમતી સાધી શકાઈ ન હતી. મંગળવારે બોર્ડની મહત્ત્વની મિટિંગ અગાઉ એરલાઇનનું ભવિષ્ય અદ્ધરતાલ છે. જેટનું મેનેજમેન્ટ બોર્ડ સમક્ષ ફાઇનાન્સ અને ઓપરેશન્સની અત્યારની સ્થિતિની માહિતી મૂકશે. તેણે આંતરરાષ્ટ્રીય કામગીરી ગુરુવાર સુધી બંધ રાખવા અને હાલમાં માત્ર સાત વિમાનની ઉડાન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આવતીકાલ સુધીમાં જેટના ધિરાણકારો કંપનીઓમાંથી ક્વોલિફાઇડ બિડર્સ પસંદ કરશે જેમણે તેમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો છે. તેમને બાઇન્ડિંગ બિડ સોંપવા માટે 10 મે સુધીનો સમય અપાશે તેમ બેન્કરે જણાવ્યું હતું. તેમને બિડ તૈયાર કરવા માટે ત્રણ સપ્તાહનો સમય મળશે. એસબીઆઇ કેપિટલ માર્કેટ્સની લેટેસ્ટ જાહેરાત પ્રમાણે આ તારીખ ૩0 એપ્રિલ હતી. એસબીઆઇ કેપ્સ રિઝોલ્યુશન પ્લાન અને બિડિંગ પ્રક્રિયાના અમલીકરમ પર નજર રાખી રહી છે. કર્મચારીઓને બોર્ડ મિટિંગ વિશે જાણકારી આપતા સીઇઓ વિનય દૂબેએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં વચગાળાના ફંડિંગની વ્યવસ્થા થઈ નથી." એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે પીએનબી, આઇસીઆઇસીઆઇ અને યસ બેન્ક ઇમરજન્સી ફંડ રિલિઝ કરવા સાથે સહમત નથી. જ્યારે એસબીઆઇ, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કને ભંડોળ રિલિઝ કરવા સામે વાંધો નથી. તેથી હાલમાં કોઇ ફંડિંગ આવી રહ્યું નથી. તાત્કાલિક ભંડોળ નહીં મળે તો જેટ માટે કામગીરી ચાલુ રાખવી લગભગ અશક્ય છે. જેટના મેનેજમેન્ટ અને ધિરાણકારો વચ્ચે સોમવારે બેઠક મળી હતી પરંતુ તેનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો. સાંજે બીજી મિટિંગ પણ થઇ હતી. આ લખાય છે ત્યાં સુધી તે બેઠકનું પરિણામ જાણી શકાયું નથી. પરંતુ ધિરાણકારો વચ્ચે અસહમતી છે તે વાત નક્કી છે. જેટ તેની લોનની પુન:ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થઇ છે. તેણે લગભગ તમામ વિમાનોને ગ્રાઉન્ડ કર્યા છે, તેના કર્મચારીઓને પગારની ચૂકવણી કરી નથી, અને અનેક કર્મચારીને છૂટા કર્યા છે. એરલાઇનની બીજા ક્રમની સૌથી મોટી શેરહોલ્ડર એતિહાદ એરવેઝે બીજી વખત રોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે પરંતુ તેનો હિસ્સો 24 ટકા સુધી સિમિત રાખવાની શરત રાખી છે. ટીપીજી કેપિટલ, ઇન્ડિગો કેપિટલ અને થિંક ઇક્વિટી-રેડક્લિફ કેપિટલે પણ ઇઓઆઇ જમા કરાવ્યા છે. સરકારી માલિકીની નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેમાં સીધું રોકાણ કરશે. જેટના સ્થાપક નરેશ ગોયલે પણ બિડ કરી હોવાનું કહેવાય છે. તેમને ફ્યુચર ટ્રેન્ડ કેપિટલ અને અદી પાર્ટનર્સનો ટેકો છે. જેટ એરવેઝના એન્જિનિયરિંગ વિભાગની મંજૂરી રદ ટાટા ગ્રૂપની કંપનીઓ વચ્ચે વધારે સહયોગના સંકેત જુઓ, અંદરથી કેવી દેખાય છે UBERની ઉડતી ટેક્સી ફ્રી સમય છે? એમેઝોનની ડિલિવરી કરો અને આમ કમાઓ રુપિયાDHFLના પ્રમોટર્સ PE કંપનીઓને 50% હિસ્સો વેચવા તૈયારજેટ એરવેઝના એન્જિનિયરિંગ વિભાગની મંજૂરી રદટાટા ગ્રૂપની કંપનીઓ વચ્ચે વધારે સહયોગના સંકેતગુડ ન્યૂઝ: ESIમાં ઘટ્યું યોગદાન, ફાયદો એટલો જજુઓ, અંદરથી કેવી દેખાય છે UBERની ઉડતી ટેક્સીવોડાફોન આઇડિયા પછી હવે ટાટા સ્પોન્જનો રાઇટ્સ ઇશ્યૂ આવશેCPPIB ડેલ્હીવરીમાં સેકન્ડરી સોદો કરશેONGCએ અમદાવાદ, વડોદરાના ગોલ્ફ કોર્સ વેચવા પડશેમે મહિનામાં M&Aમાં 54% ઘટાડોબેન્કો સાથે 11 વર્ષમાં ફ્રોડના 50,000થી વધુ કેસ: ₹2.05 લાખ કરોડની છેતરપિંડીTCS વૈશ્વિક IT કંપનીઓમાં મોટી છલાંગ માટે તૈયારએક દૂધવાળાને લીધે આ દિગ્ગજ કંપનીના રુ. 7,000 કરોડ ધોવાઈ ગયા!PwC, રિલાયન્સ કેપિટલનો વિવાદ વકર્યોએરટેલ-વોડાફોન વચ્ચે InvIT માટે ચર્ચા
કેરળમાં 'ટેબલ ટોપ રનવે' પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે? - Gujarat ExclusiveGujarat Exclusive Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરળમાં 'ટેબલ ટોપ રનવે' પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે? દુર્ઘટનામાં 18નાં મોત, 127 હોસ્પિ.માં દાખલ, VIDEO જોવા ક્લિક કરો કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં રનવે પર એર ઇન્ડીયાનું વિમાન લપસ્યું 'ટેબલ ટોપ રનવે' ને કારણે અહીં લેન્ડિંગ રહે છે જોખમભર્યું કેરળ : કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં 'ટેબલ ટોપ રનવે' પર અચાનક એર ઇન્ડીયાનું વિમાન લપસી (Kerala plane crash) જતા ઘાટીમાં જઇ પડ્યું. જેનાં કારણે વિમાનનાં બે ટુકડા થઇ ગયા હતાં. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાયલટ સહિત 18નાં મોત (Kerala plane crash) થઇ ચૂક્યાં છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. આ વિમાન દુબઇથી 174 પેસેન્જર, 10 નવજાત બાળકો, 2 પાયલટ અને 5 કેબિન ક્રૂ સાથે મલ્લાપુરમનાં કાલીકટ એરપોર્ટ આવી રહ્યાં હતાં. આ વિમાન દુર્ઘટના પાછળ જવાબદાર કારણ ભારે વરસાદ સિવાય 'ટેબલ ટોપ રનવે'ને ગણવામાં આવી રહેલ છે. 'ટેબલ ટોપ રનવે' ને કારણે વિમાનને લેન્ડિંગ દરમ્યાન મુશ્કેલી સર્જાઇ અને આટલી મોટી દુર્ઘટના ઘટી ગઇ. આવા રનવે પર વિમાનને ખરાબ વાતાવરણમાં લેન્ડિંગ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ વિમાન દુર્ઘટના બાદ એક વાર ફરી 'ટેબલ ટોપ રનવે'ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તો આખરે શું હોય છે આ 'ટેબલ ટોપ રનવે' તે અહીં જાણીએ… કોને કહેવાય છે 'ટેબલ ટોપ રનવે'? જો કે આપને નામ પરથી જ ખ્યાલ આવી જશે કે ટેબલ ટોપ એટલે કે બંને તરફની જગ્યા ખાલી હોય અને ઉપરની તરફ સમતલ રનવે હોય તેને જ ટેબલ ટોપ રનવે કહેવાય છે. આવો રનવે કોઇ પહાડી અથવા તો કોઇ એવી જગ્યાએ કે જે નીચેથી સ્લોપવાળી હોય અથવા તો તેનાં ટોપ પર સ્થિત કોઇ એરપોર્ટ પર બનાવવામાં આવેલ હોય છે. આવા રનવે પર લેન્ડિેંગ માટે પાયલટને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમ કે કહેવાય છે કે લેન્ડિંગ વખતે આવા રનવે એક પ્રકારનો ભ્રમ પેદા કરે છે. એટલાં માટે અહીં પરફેક્ટ લેન્ડિંગ ખૂબ જરૂરી હોય છે. જો વાતાવરણ ખરાબ હોય તો આ રનવે પર લેન્ડિંગ ખૂબ મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે આવા રનવેની બંને બાજુએ ઊંડી ખાઇ અથવા તો ઘાટી હોય છે. જેમ કે કેરળનાં કોઝિકોડમાં થયું. વિમાન રનવે પરથી લપસી સીધુ ઘાટીમાં જતું રહ્યું, જેને કારણે વિમાનનાં બે ટુકડાંઓ થઇ ગયા અને 18 લોકોનાં મોત નિપજ્યાં. દેશમાં કેટલી જગ્યાએ આવા ટેબલ ટોપ રનવે છે? દેશમાં કુલ ત્રણ જગ્યાએ ટેબલ ટોપ રનવે આવેલાં છે. જેને ખૂબ ઊંચાઇ પર બનાવવામાં આવેલ છે. જેમાંથી એક કેરળનાં કાલીકટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે છે. જેની પર એર ઇન્ડીયાનું વિમાન લપસી પડ્યું અને આટલી મોટી દુર્ઘટના ઘટી ગઇ. આવો જ બીજો ટેબલ ટોપ રનવે કર્ણાટકનાં મેંગલુરૂ એરપોર્ટ પણ ખૂબ ઊંચાઇ પર સ્થિત છે. ત્રીજું એરપોર્ટ મિઝોરમમાં છે. જ્યાં ટેબલ ટોપ રનવે આવેલો છે. એટલે કે બંને તરફ ઘાટી અથવા તો ખાઇ અને પહાડની ઉપર એરપોર્ટ બનેલું છે. મેંગલુરૂ એરપોર્ટ પર ઘટી હતી દુર્ઘટના ટેબલ ટોપ એરપોર્ટ પર એક આવી જ દુર્ઘટના વર્ષ 2010માં મેંગલુરૂમાં ઘટી હતી. આ દુર્ઘટનાંમાં પણ લેન્ડિંગ દરમ્યાન પ્લેન લપસીને નીચે ખાઇમાં જતું રહ્યું હતું. કેરળનાં કાલીકટની દુર્ઘટના કરતા પણ આ ભયાનક હતી. સંયોગની વાત એ છે કે તે સમયે પમ વિમાન એર ઇન્ડીયાનું જ હતું અને તે દુબઇથી પરત આવી રહ્યું હતું. મેંગલુરૂ એરપોર્ટ પર પહોંચતા જ વિમાન ટેબલ ટોપ રનવે પર લપસી જતા અનેક ફૂટ ઊંડી ખાઇમાં તે નીચે પડી ગયું. આ દુર્ઘટનામાં 158 લોકોનાં મોત થયા હતાં. જેમાં માત્ર 8 લોકો જ જીવતા બચ્યા હતાં.
ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી... | GujjuRocks.in Home ફિલ્મી જગત ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ... ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી… કોઈપણ યુવતી માટે તેની સુંદરતા ખુબ જ મહત્વ રાખતી હોય છે. એમ પણ સુંદર કોણ દેખાવા માગતા નથી? દરેક કોઈની ઈચ્છા હોય છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે જેઓ આકર્ષક દેખાવા માટે જાત જાતની સર્જરી કરાવી ચુકી છે, અભિનેત્રીઓ એવી પણ છે જેઓ સૌંદર્ય દેખાવા માટે અઢળક મેકઅપ કરતી હોય છે. તેઓના ચેહરા પર એટલા પિમ્પલ કે દાગ-ધબ્બા છે કે તેને છુપાવા માટે મેકઅપ નો સહારો લેતી હોય છે. તેના સિવાય અમુકે અભિનેત્રીઓ એવી પણ છે જે પોતાની વધતી ઉંમર ને છુપાવવા માટે મેકઅપ ના સહારા દ્વારા પોતાના બુઢાપા ને છુપાવતી હોય છે. આજે અમે તમને એવી જ અમુક પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતાની રિયલ લાઈફમાં ઘરડી થઇ ચુકી છે પણ ફિલ્મોમાં તેઓ એકદમ સુંદર, આકર્ષક અને યુવાન દેખાય છે. 1. માધુરી દીક્ષિત: બૉલીવુડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ટીવી શોઝ અને ફિલ્મોમાં તો યુવાન અને સુંદર દેખાય જ છે પણ વાસ્તવમાં તે ઘરડી થઇ ચુકી છે. મેકઅપ વગરની જોઈ લેશો તો તો તમે માધુરી ને ઓળખી જ નહિ શકો. 51 વર્ષ ની માધુરી એ 1999 માં અમેરિકા ના સર્જન ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. 2. તબ્બુ: તબ્બુ બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. તેની એક્ટિંગ ના દરેક કોઈ દીવાના રહ્યા છે. તેની ગણતરી બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તબ્બુ એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત વર્ષ 1985 માં આવેલી ફિલ્મ 'હમ નૌજવાન' દ્વારા કરી હતી. 46 વર્ષની તબ્બુ મેકઅપ વગર ખુબ જ ઉંમરવાન લાગે છે. 3. રેખા: એ વાતમાં કોઈ જ શંકા નથી કે રેખા પણ પોતાના જમાનાની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવતી હતી. આજે 63 વર્ષ ની ઉંમરમાં પણ તે દરેક કોઈને સુંદરતા ના મામલામાં પાછળ છોડી દે છે. પણ જો તમે તેને મેકઅપ વગરની જોઈ લેશો તો તમને પણ જાણ થશે કે તેની સુંદર દેખાવાની પાછળ મેકઅપ નો કેટલો મોટો હાથ રહ્યો છે. 4. રવીના ટંડન: મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડને વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 43 વર્ષની રવીના ટંડન આજે પણ ફિલ્મોમાં યુવાન અને સુંદર નજરમાં આવે છે. હાલમાં જ આવેલી ફિલ્મ માતૃ માં તે ખુબ જ સુંદર નજરમાં આવી હતી. પણ મેકઅપ વગર તેના ચેહરા પર તેની ઉંમર સ્પષ્ટ દેખાઈ આવે છે. 5. કરિશ્મા કપૂર: કરિશ્મા કપૂર 90 ના દશક ની સૌથી ફેમસ અને સુંદર અભિનેત્રી ગણવામાં આવતી હતી. તેની પહેલી ફિલ્મ પ્રેમ કૈદી હતી. કરિશ્માએ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે કે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેયર કરે છે. ભલે આજે પણ તે મેકઅપ ની સાથે યુવાન દેખાય છે પણ મેકઅપ વગર તેને જો તમે જોઈ લેશો તો તે ઘરડી નજરમાં આવશે, હાલ કરિશ્મા ની ઉંમર 44 વર્ષની છે. Previous articleઆજે વાંચો બે ભાઈની કહાની, ક્યારેય પ્રેમ તો ક્યારેક મીઠા ઝઘડા, આ વાર્તા વાંચીને તમને પણ તમારા ભાઈ યાદ આવી જશે…. Next articleલગ્નમાં કરીને કપૂરે પહેર્યું હતું પોતાની સાસુ નું 43 વર્ષ જૂનું શરારા, પુરા આઉટફિટ ની કિંમત હતી 1 કરોડ….
કરીના કપૂર બીમાર..સૈફ અલી ખાન ચિંતિત | pregnant kareena kapoor is not well saif ali khan worried - Gujarati Oneindia | Published: Tuesday, December 13, 2016, 13:32 [IST] કરીના કપૂર પ્રેગનન્ટ છે અને થોડા જ દિવસોમાં તે બાળકને જન્મ આપશે. પોતાની પ્રેગનન્સીના છેલ્લા દિવસો દરમિયાન પણ કરીના કપૂર પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહે છે. એવોર્ડ સમારંભો, ફોટો શૂટ, પાર્ટી તમામ સ્થળોએ કરીના કપૂર અચૂક હાજર રહી છે. કરીના જ્યારે પણ બહાર નીકળે ત્યારે તેનો કોઇ ને કોઇ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. જેનાથી કંટાળીને કરીનાના સાસુ શર્મિલાએ તો તેને લંડનમાં ડિલિવરી કરાવવાની સલાહ પણ આપી હતી. જો કે, કરીના કપૂર ખાન હાલ તો ભારતમાં જ છે અને લાગી રહ્યું છે કે તે મુંબઇમાં જ પોતાના પહેલા બાળકને જન્મ આપશે. થોડા દિવસો પહેલાં જ કરીના પોતાના ઘરે અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સાથે પાર્ટી કરતી હતી, તે દરમિયાન કરીનાની તબિયત બગડી હતી. આવા દિવસોમાં કરીનાની તબિયત બગડતાં તેમના સ્નેહીજનો અને ખાસ કરીને સૈફ ચિંતિત થઇ ગયો હતો. અહીં જુઓ- બોલ્ડ એન્ડ બ્યૂટિફીલ બીચ બ્રાઇડ કેટરીના કૈફની લેટેસ્ટ તસવીરો શું થયુ હતું? કરીના કપૂર ખાન તેની બેસ્ટ ફ્રેન્ડ્સ અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સાથે પોતાના ઘરે પાર્ટી કરી રહી હતી. તે દરમિયાન વધુ પડતી એક્સાઇટમેન્ટમાં કરીનાનું બીપી હાઇ થઇ જતાં તેની તબિયત બગડી હતી. આ જોઇ અમૃતા અને મલાઇકાએ સૈફનો સંપર્ક સાધ્યો હતો. સૈફ અલી ખાનને આ વાત જાણ થતાં તેણે તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી ત્યાંથી નર્સને ઘરે બોલાવી હતી, ત્યાર બાદ કરીનાની તબિયત થોડી બરાબર થઇ. હાલ કરીના કપૂરની તબિયત એકદમ સારી છે અને તે ઘરે આરામ કરી રહી છે. વ્યસ્ત શેડ્યૂલ કરીના કપૂર ભલે પ્રેગનન્ટ છે, પરંતુ તેણે કામમાંથી બ્રેક નથી લીધો. તે ઇન્ટરવ્યૂ અને ફોટો શૂટમાં વ્યસ્ત રહે છે. ઉપરાંત તે અવારનવાર વિવિધ એવોર્ડ સમારંભ અને પાર્ટીમાં પણ જોવા મળે છે. આવા વ્યસ્ત શેડ્યૂલને લીધે કરીનાને જોઇએ એટલો આરામ મળતો નથી. પરિણામે બીપીની તકલીફ ઉભી થઇ હોવાનું કહેવાય છે. કરીના તો 'વીરે દી વેડિંગ' ફિલ્મનું શૂટિંગ કરવા પણ તૈયાર હતી! મેટરનિટિ આઉટફિટમાં ફોટોશૂટ કરીના પોતાના વિવિધ મેટરનિટિ આઉટફિટ માટે પણ ખૂબ વખણાઇ રહી છે. એચટી બ્રંચ માટે કરીનાએ મેટરનિટિ આઉટફિટમાં ફોટો શૂટ કરાવ્યું હતું અને તેમાં તે અત્યંત સુંદર પણ લાગતી હતી. કરીનાના આ ફોટો શૂટના ફોટા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા. પૂરતો આરામ લેવાની જરૂર છે આ ઘટના બાદ તો હવે કરીનાના રિલેટિવ્સ અને ફેન્સ પણ એમ જ ઇચ્છશે કે તે બને એટલો આરામ લે. કરીનાએ પોતના વ્યસ્ત શિડ્યૂલ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'આ દિવસોમાં હું એટલી એક્ટિવ રહું છું કે સૈફ પણ મને કહે છે કે, તારે કોઇક દિવસ ડિલીવરી માટે મહેબૂબ સ્ટૂડિયોથી સીધા જ હોસ્પિટલ પહોંચવું પડશે.'
પૂ. જયશ્રી દીદીની નિશ્રામાં ભાવનિર્ઝરમાં સંવતોત્સવ નવગુજરાત સમય | Publish Date: Mar 28 2018 4:09AM સમસ્ત ગુજરાતના લાખો સ્વાધ્યાયીઓના શ્રદ્ધાકેન્દ્ર સમા 'ભાવનિર્ઝર' ખાતેનાં મંદિરમાં પ્રભુ યોગેશ્વરની મનોહર મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ "મહાવીર જયંતી"ના દિવસે, તા.૨૯મી માર્ચે પૂ.જયશ્રી દીદીની નિશ્રામાં થશે. દર વર્ષે આ દિવસે પ્રભુનો સંવતોત્સવ 'ભાવનિર્ઝરના વિદ્યાર્થીઓ' અને 'સ્વાધ્યાય પરિવાર' ઉત્સાહથી ઉજવે છે. આ વર્ષે સોનામાં સુગંધ ભળે તેમ સંવતોત્સવની સાથે આ પ્રતિષ્ઠા પણ યોજાશે. ગુરુવારે સવારે પૂ.જયશ્રી દીદીની નિશ્રામાં સવારે ૮ વાગ્યાથી પૂજનનો મંદિરમાં પ્રારંભ થશે. જેમાં વિવિધ પુંજના પ્રતિનિધિઓ પૂજનમાં ભાગ લેશે. સાંજે ૫ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સંવતોત્સવનો પ્રારંભ થશે. જેમાં, અમદાવાદનો સમસ્ત સ્વાધ્યાય પરિવાર ઉપસ્થિત રહેશે. આ સાથે જ 'ભાવનિર્ઝર'નો રસપ્રદ ઇતિહાસ જાણવા જેવો છે. જે અંતર્ગત કિશોરવયના વિદ્યાર્થીઓની પ્રજ્ઞા ખીલવનારું આ "જીવનપ્રજ્ઞા વિદ્યાલય" છે. ઋષિઓની કૃષિ-સંસ્કૃતિને અદ્યતન સંદર્ભોમાં મૂકનારું આ "ઋષિકૃષિ વિદ્યાલય" છે. પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રીજી (પૂજનીય દાદાજી) સર્જિત 'સ્વાધ્યાય પરિવાર' માટે ભાવનિર્ઝર તીર્થસ્થળ છે, કારણકે ત્યાંની રજેરજને દાદાજીનો ચરણસ્પર્શ થયેલ છે. વર્ષોથી ચાલતાં આ પ્રયોગના પાયામાં દાદાજીની દીર્ઘદૃષ્ટિ છે. ખેડૂતોના બાળકોને લઇ દાદાજીએ આ શિક્ષણપ્રયોગની શરૂઆત કરી હતી. અહીં ખેતીની વૈજ્ઞાનિક સમજણ સાથે સંસ્કૃત (દેવભાષા), હિન્દી (રાષ્ટ્રભાષા) અને અંગ્રેજી(આંતરરાષ્ટ્રીય ભાષા)નું શ્રેષ્ઠ જ્ઞાન અપાય છે. અહીં વૈદિક સંસ્કૃતિના તેજસ્વી વિચારોનો અભ્યાસ પામી બાળકો ધ્યેયવાન બને છે. ભાવનિર્ઝરમાં ભણેલાં મોટાભાગના યુવાનો પોતાનું ગામ ન છોડતાં ગામમાં જ સ્થાયી થઈ ઘર-ખેતી સંભાળે છે, સુંદર પ્રભુકાર્ય કરે છે. ખરેખર, વિદ્યાર્થીઓને તેજસ્વિતાના પીયૂષ પાઈ, નિપુણ બનાવી, તેમના પોતાના નિશ્ચયથી તેમને ગામમાં સ્થિર કરતો આ પ્રયોગ બેજોડ જ છે. શિક્ષણક્ષેત્રે દાયકાઓથી ચાલતો દાદાજીનો આ ક્રાંતિકારી સફળ પ્રયોગ છે. અહીં આવતા વિદ્યાર્થી એ વિત્તાર્થી કે પરીક્ષાર્થી નથી, કારણકે તેમના અને વાલીઓના મગજમાં દાદાજીએ આ સમજ પાકી કરી છે કે શિક્ષણ માત્ર રોટલા માટે નથી. શિક્ષણ તો ઉન્નત સંસ્કાર માટે છે, જીવનઘડતર માટે છે. અહીં શિક્ષકો પણ Paid Servant નથી. પોતાની નિપુણતા પ્રભુકાર્યાર્થ ધરવાની ખેવનાવાળા સ્વાધ્યાયી શિક્ષકો છે. ભાષાની સાથે રામાયણ, મહાભારત, ગીતા, સંસ્કૃત સાહિત્ય અહીં સાંપડે છે. સાથે ખેતીના વિશેષજ્ઞો તથા અનુભવી ખેડૂતો પાસેથી ખેતીનું તલસ્પર્શી શિક્ષણ મળે છે. સાતમા ધોરણનો અભ્યાસ કર્યા પછી 'ભાવનિર્ઝર' સંસ્થા દ્વારા લેવાતી લેખિત-મૌખિક પરીક્ષાઓ પાસ કર્યા પછી અહીં પ્રવેશ મળે છે. એમાં ગુજરાત સાથે વિવિધ પ્રાંતના વિદ્યાર્થીઓને જોઈને એક મિની-ભારતનું દર્શન થાય છે. વિદ્યાર્થીઓને પ્રભાતફેરી, સ્તોત્ર, ગીતાના શ્લોકોનું ગાન, પ્રાર્થના, સૂર્યનમસ્કાર, વર્ગ-અધ્યયન, અભ્યાસ-વર્તુળ, ખેતીના વર્ગો, સાંજે રમત-ગમત જેવી અનેક પ્રવૃત્તિ હોય છે. વિદ્યાર્થીઓ "અમે એક પ્રભુના સંતાન છીએ" તે સમજણથી સવાર-સાંજ પ્રાર્થના માટે પ્રાર્થના-મંદિરમાં ભેગા થાય છે. માટે જ ભાવનિર્ઝરનું મંદિર એ કોઈ જાહેર મંદિર નથી. એ સંસ્થાના વિદ્યાર્થીઓ માટેનું પ્રાર્થના-મંદિર છે. અહીં અભ્યાસના પાંચ વર્ષ પૂરા થાય પછી યોજાતો 'દીક્ષાંત સમારોહ' એક વિલક્ષણ ઘટના છે. તેમાં પૂજનીય દીદીજીના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ દીક્ષા મેળવે છે.
વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો - GSTV વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો Last Updated on September 19, 2021 by Dhruv Brahmbhatt મહીસાગરના બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનમાં ભારે ચક્કાજામ કર્યો હતો. મહત્વનું છે કે, બસોના રૂટ બંધ થતા વિદ્યાર્થીઓ સમયસર ઘરે ન પહોંચતાં હોવાથી બંધ કરેલા રૂટ ચાલુ કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ બાલાસિનોર ડેપો તરફથી માલીઇટાળી-કોઠંબા ગામની બસ ચાલુ ન થતાં હલ્લાબોલ કર્યો હતો. શાળા-કોલેજના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ બસ ચાલુ ના હોવાના કારણે હાલાંકી વેઠે છે. અગાઉ ABVP ના છાત્રો દ્વારા બસ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. તેમ છતાં બસ ચાલુ નહીં કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં. પોલીસે ઘટનાસ્થળે જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા નહીં મળતા ચક્કાજામ બાલાસિનોર શહેરમાં એસ.ટી. બસ સ્ટેશનમાં શનિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં બસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે વિદ્યાર્થીઓએ ધરણાં પર બેસી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા નહીં મળવા મામલે બાલાસિનોર બસ સ્ટેશન ખાતે મુખ્ય માર્ગ ચકકાજામ કરતા સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. સોમવારથી રૂટ શરૂ કરવાની ખાતરી મળતા મામલે થાળે પડ્યો વિદ્યાર્થીઓની માંગ હતી કે બારીયાના મુવાડા, માલઈટાડી, કોઠંબા, પાંડવા, સાકરીયા, જનોડ, બાથાના કુવા, જેઠોલી સહિતના ગામોમાંથી તાલુકા મથકે આવતા કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ બસના અભાવે હાલાકી ભોગવવી પડી રહી છે. આખરે બાલાસિનોરના ડેપો મેનેજર દ્વારા હાલના તબક્કે એક રૂટ અને સોમવારથી મોટા ભાગના તમામ રૂટ રાબેતા મુજબ શરૂ કરવાની હૈયાધારણા આપવામાં આવતા રસ્તા રોકી બેસેલા વિદ્યાર્થીઓ ખસ્યા હતાં. balasinor newsbreaking news gujaratichakkajamCollege StudentsGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live
મમતાના ખાસ મુકુલ રોયની ભાજપને છોડી ટીએમસીમાં ઘરવાપસી – 365 Day News Posted on June 12, 2021 Author 365 Day Comment(0) બંગાળમાં હાર બાદ ભાજપને વધુ એક ફટકો ઘરનો દિકરો ઘરે પરત ફર્યો છે, ગદ્દારો નહીં પણ ઇમાનદાર નેતાઓને જ ટીએમસીમાં પરત લઇશું : મમતા કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. જે નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા તેઓ હવે ભાજપની હાર થતા ટીએમસીમાં પાછા આવવા લાગ્યા છે. તેમાં સૌથી મોટુ નામ મુકુલ રોયનું છે. જેઓ આખરે પરત ટીએમસીમાં આવી ગયા છે અને ભાજપને છોડી દીધુ છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે ઘર કા લડકા ઘર વાપસ આયા હૈ. મુકુલ રોયના ટીએમસીમાં પરત આવ્યા બાદ તેઓએ મમતા બેનરજીની સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જે દરમિયાન મમતાએ કહ્યું હતું કે મુકુલ રોય ઘરનો દિકરો છે અને ઘરે પરત આવ્યો છે. તેમની ઘર વાપસી થઇ છે. મારો મુકુલ સાથે કોઇ જ મતભેદ નથી, સાથે તેમણે એમ પણ કહ્યું કે જે પણ લોકોએ ટીએમસી સાથે ગદ્દારી કરી છે તેમને પક્ષમાં પરત લેવામાં નહીં આવે. અન્ય જે પણ ઇમાનદાર લોકો છે તેઓ પાર્ટીમાં પરત આવી શકે છે. મુકુલ રોયે કહ્યું કે હું ભાજપ છોડી ટીએમસીમાં પાછો આવ્યો છું. હાલ બંગાળમાં જે હાલ છે તે જોતા કોઇ જ ભાજપમાં નહીં રહે. મુકુલ રોય કૃષ્ણાનગરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને ધારાસભ્ય છે. એવામાં તેઓ આ બેઠક ખાલી કરવા માટે તૈયાર છે. મુકુલ રોયના પુત્ર શુભ્રાંસુ રોય આ બેઠક પર ટીએમસીની ટીકીટ લઇને ચૂંટણી લડી શકે છે. છેલ્લા એક સપ્તાહમાં મુકુલ રોયે મમતાની સાથે ચાર વખત ફોન પર વાત કરી હતી. ચૂંટણી પહેલા જ તેઓ ટીએમસીમાં પરત આવવા માગતા હતા, મુકુલ રોયને પહેલા ભાજપના નેતા દિલિપ ઘોષ સાથે વિવાદ થયો કેમ કે ભાજપમાં જોડાયા બાદ પણ તેમને કોઇ મોટુ પદ નહોતુ મળ્યું. બીજી તરફ એવી અટકળો હતી કે કોંગ્રેસના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી કોંગ્રેસ છોડીને ટીએમસીમાં સામેલ થઇ શકે છે. જોકે આ અટકળોને અભિજિત મુખરજીએ રદીયો આપ્યો હતો. 740 Total Views ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ નર્મદા જિલ્લામાં જોવા મળતા સ્થાનિક એજન્સીઓ ના સંચાલકો માં રોષ (ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા આદિજાતિઓના કલ્યાણ તેમના ઉત્કર્ષ અને વિકાસ માટે ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આદિવાસીઓ સ્વાવલંબી અને પગભર બને એ માટે રાજય સરકાર છેવાડાના માનવીઓ સુધી વિકાસ અને યોજનાકીય લાભો […] 795 Total Views ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે. હવે તેમના મૃતદેહને પાટણના પીંપળ ખાતે […] 1,581 Total Views સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૬ મ્યુ. કોર્પોરેશન માટે વહેલી મતગણતરીની તારીખો ગોઠવનાર રાજ્ય ચૂંટણી આયોગે વધુ એક વિવાદ સર્જ્યો છે. આયોગના સચિવે સોમવારે જે ઉમેદવારના સામાન્ય રહેઠાણ (ઘરે) ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ) ન હોય તો તેવી વ્યક્તિ સભ્ય થવા ગેરલાયક ઠરતી હોવાનો ઉલ્લેખ કરીને ઉમેદવાર ફોર્મ ચકાસણી વખતે તપાસ કરીને નિર્ણય લેવા આદેશ […]
યુજીસી-નેટ ર૦૧૮ની પરીક્ષા પધ્ધતી બદલાઇઃ પેપર-૧ એક કલાકનું રહેશે પેપર નં. ર અને ૩ ભેગા કરી ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો રહેશેઃ પેપર નં. રનો સમય બે કલાક રહેશે નવી દિલ્હી, તા., ૧૩: લોકસભામાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજયકક્ષાના એચઆરડી મંત્રી સત્યપાલસિંહે યુજીસી-નેટની પરીક્ષામાં બદલાવ આવી રહયાનું સ્વીકાર્યુ હતું. નેટની રિવ્યુ કમીટીએ પરીક્ષા પધ્ધતી અને ઉમેદવારની એઇજ લીમીટમાં ફેરફાર સુચવ્યો હતો. પહેલા બે પેપર ઓબ્જેકટીવ પ્રકારના જ રહેશે. જનરલ અવેરનેસનું પ્રથમ પેપર પ૦ ફરજીયાત પ્રશ્નો (દરેક પ્રશ્નના બે માર્ક) નું રહેશે. પેપર નં. ૧ માં ૧૦ પ્રશ્નો માટે ઉમેદવારને પસંદગી મળશે. હાલનો સવા કલાકનો સમય ઘટાડીને એક કલાકનો થશે. પેપર નં. ૧ના માર્ક ૧૦૦ રહેશે.પેપર નં. ર અને ૩ ને ભેગા કરી પેપર નં. રમાં ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો જેના દરેકના માર્ક ર રહેશે. પેપરનો સમયગાળો બે કલાક અપાશે. આ ઉપરાંત જેઆરએફમાં ઉમેદવારી માટેની મહતમ ઉંમર ર વર્ષ વધારાશે. એટલે કે ર૮ થી ૩૦ વર્ષ કરાશે. શેડયુલ કાસ્ટ, શેડયુલ ટ્રાઇબ, વિકલાંગ અને નોન ક્રીમીલેયરમાં આવતી બીજી પછાત જાતીઓ અને મહિલાઓને ઉંમરમાં પાંચ વર્ષની છુટછાટ અપાશે તેમ લેખીત જવાબ અપાયો હતો.
1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે, હવે ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ રૂ. 250માં મળશે | CN24NEWS Home ટોપ ન્યૂઝ 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે, હવે ખાનગી હોસ્પિટલોમાં... 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે, હવે ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ રૂ. 250માં મળશે સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં 60 વર્ષથી વધુ ઉંમરના તથા 45થી વધુ ઉંમરના બીમાર લોકોને આ વેક્સિન આપવામાં આવશે. સરકારે આગામી તબક્કામાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન માટેનો ભાવ જાહેર કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રૂ. 250 ચૂકવવા પડશે. ભારતમાં વેક્સિનેશનનું સ્ટેટસ શું છે? ભારતમાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. 25 જાન્યુઆરી સુધી 35,785 સેશન્સમાં 19 લાખ 50 હજાર 188 લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. દરેક સેશનમાં ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવાની યોજના હતી. આ દ્રષ્ટીએ 36 લાખ લોકોને વેક્સિન લગાવવાની હતી, પણ તેમાંથી માત્ર 54.5% લોકો જ વેક્સિન લગાવવા સામે આવ્યા છે. એટલે કે પ્રાયોરિટી ગ્રુપના જે લોકોને વેક્સિનેટ કરવામાં આવવાના હતા, જેમાંથી પ્રત્યેક 100માંથી 45.5 લોકોએ વેક્સિન નથી લગાવી. જો 25 જાન્યુઆરીની વાત કરો તો માત્ર 47% લોકો જ વેક્સિન લગાવવા માટે પહોંચ્યા. કોવિશીલ્ડ વેક્સિનની બોટલની સાથે મુશ્કેલી એ છે કે તેને ખુલ્લી ન રાખી શકાય. શીશી ખોલવામાં આવ્યા બાદ ચાર કલાકની અંદર તેનો ઉપયોગ કરવો જરૂરી છે. એવામાં વધુ લોકો ન આવવાથી વેક્સિનના ડોઝ પણ ખરાબ થઈ રહ્યાં છે, કેટલાંક રાજ્યોએ ન તો સ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિનની રીત અપનાવી છે કે જેથી વેક્સિનની બરબાદી રોકવામાં આવી શકે. શું તમારા માટે વેક્સિન લગાડવી જરૂરી છે? ના, સરકારે વારંવાર કહ્યું છે કે વેક્સિન લગાવડાવી તમારી મરજી પર છે. પરંતુ નિષ્ણાત કહી રહ્યાં છે કે જો તમે પ્રાયોરિટી ગ્રુપમાં છો તો તમારે વેક્સિન લગાવડાવી જોઈએ. જેના બે કારણો છે- તમને કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ અન્ય લોકોની તુલનામાં વધુ છે. આ જ કારણે તમને પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જો તમે વેક્સિન લગાવડાવશો તો તમને કોરોના વિરુદ્ધ સુરક્ષા જ નહીં, પણ તમે તેને અન્ય લોકો સુધી જવાથી પણ અટકાવી શકશો. તમારા કારણે તમારા અંગત વ્યક્તિઓને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં જો તમે સુરક્ષિત રહો છો તો તમે નિશ્વિત રીતે તમારા અંગત વ્યક્તિઓને પણ સુરક્ષિત રાખી શકશો. જો તમારા અંગત લોકોમાં કોઈ હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે તો તમારા માટે પણ વેક્સિન લગાવડાવી જરૂરી થઈ જાય છે. Previous articleરાહુલ ગાંધીએ ટ્વીટ કર્યો: વસ્તુઓ ખરીદતી વખતે એવું નથી લાગતું કે સરકાર લૂંટી રહી છે? Next articleઅમદાવાદ : 11 મહિના બાદ તબક્કાવાર સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી, હવે ધોરણ 6થી 8ના સ્ટુડન્ટ રવિવારે પણ સ્કૂલે આવવા ઈચ્છે છે
દિલ્હીઃ એક ઘરમાંથી 5 મૃતદેહ મળતાં હાહાકાર, 4-5 દિવસ જૂની છે લાશ | Delhi: 5 dead bodies found in one house - Gujarati Oneindia 7 min ago કોવિડની વધતી સ્થિતિ પર પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ઘેરી, કહ્યુ - 'તે ISI સાથે વાત કરી શકે છે પરંતુ...' new delhi delhi crime dead body suicide murder delhi police નવી દિલ્હી દિલ્હી ક્રાઈમ ગુનો અપરાધ હત્યા આત્મહત્યા મૃતદેહ નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે બપોરે એક ઘરમાંથી 5 શવ મળી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સૂચના મળતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જામાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. શરૂઆતી તપાસમાં પોલીસ આત્મહત્યાની આશંકા જતાવી રહી છે. જાણકારી મુજબ આ મૃતદેહ કેટલાક દિવસ જૂના છે અને તેમની હાલત પણ અતિ ખરાબ છે. પોલીસે જણાવ્યું કે પતિ-પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ છે. પોલીસનું કહેવું છે કે બાળકોની ઉંમર 18,16 અને 12 વર્ષની આસપાસ છે. શરૂઆતી જાણકારી માટે પતિ બેટરી રિક્શા ચલાવતો હતો. જો આત્મહત્યા કરી હોય તો પણ કયા કારણોસર આખા પરિવારે આ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ આપવામાં આવી નથી. વધુ માહિતીનો ઈંતેજાર છે. શરૂઆતી જાણકારી મુજબ 6 મહિના પહેલા જ ઘરમાં રહેવા આવેલા 43 વર્ષીય શંભૂનાથ, તેમની પત્ની સુનીતા, દીકરો શિવમ અને સચિન તથા દીકરી કોમના મૃતદેહ મળ્યા છે. પોલીસને સવારે 11.30 વાગ્યે પાડોસીઓએ ફોન કર્યો હતો. તેમની ફરિયાદ હતી કે તેમના ઘરમાંથી કંઈક બદબૂ આવી રહી છે. પછી પોલીસે આવી દરવાજો તોડ્યો. દરવાજો ખુલ્યો તો પોલીસ અને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. ત્યાં એક નહિ પૂરી પાંચ લાશ હતી. મળેલી જાણકારી મુજબ મૃતદેહ સડી ચૂક્યા હતા.
સુરત: શિયાળામાં ઈમ્યુનીટી વધારતા વસાણા ઘરે બનાવવાના ટ્રેન્ડમાં વધારો – Surat News સુરત: શિયાળામાં ઈમ્યુનીટી વધારતા વસાણા ઘરે બનાવવાના ટ્રેન્ડમાં વધારો – શિયાળાના વસાણામાં સુરતીઓને મોંઘવારી અને ભેળસેળની બીક – લોકોની ડિમાન્ડ જોઈ કરિયાણાની દુકાનો વસાણા બનાવવા માટેની સામગ્રીનું થઈ રહ્યું છે વેચાણ કોરોના સામે ઈમ્યુનીટી વધારવા માટે સુરતીઓ શિયાળાના વસાણા પર ભાર મુકી રહ્યાં છે પરંતુ બજારમાં વેચાતા વસાણાનો ભાવ વધુ હોવા ઉપરાંત લોકોને ભેળસેળની પણ બીક લાગી રહી છે. જેના કારણે સુરતીઓમાં ઘરે વસાણા બનાવવાના ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. સુરતીઓ શિયાળાના વિવિધ વસાણા ઘરે બનાવતાં હોવાથી પરફેક્ટ માપ સાથેની સામગ્રીનું વેચાણ ગાંધી- કરિયાણાની દુકાને થઈ રહ્યું છે જેના કારણે સામગ્રીનું વેચાણ કરનારા લોકોની આર્થિક ઈમ્યુનીટી વધી રહી છે. શિયાળાની શરૃઆત સાથે જ સુરતમાં સાલમપાક, મેથીપાક, ગુદંરપાક, અખરોટ પાક, આદુપાક, અદડિયા પાક જેવા વસાણાનું સેવન કરતાં થયાં છે. તેમાં પણ હાલમાં કોરોના અને ઓમિક્રોનનું સંકમણ વધ્યું હોવાથી લોકો પોતાની ઈમ્યુનીટી વધારવા માટે આવા પ્રકારના પાક ખાવાનો આગ્રહ રાખી રહ્યાં છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી સુરતના આવા વસાણાનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે તેથી લોકોને આ વસાણા મોંઘા લાગી રહ્યાં છે. આ ઉપરાંત કેટલાક વસાણા બનાવનારા આવા વસાણામાં ઓછી માત્રામાં નંખાતી પણ મોંઘી છતાં ઉપયોગી વસ્તુઓ નાંખતા નથી તેની જગ્યાએ અન્ય વસ્તુઓ નાંખતા હોવાની પણ ફરિયાદ વધી છે. જેના કારણે સુરતીઓ ઘરમાં શિયાળાના વસાણા બનાવવા માટેનો આગ્રહ રાખી રહ્યાં છે. મુળ સુરતી ગણાતી જ્ઞાતિઓમાં વર્ષોથી કોઈ પણ પ્રકારના શિયાળાના વસાણા ઘરે બનાવવાનો ટ્રેન્ડ ચાલતો આવ્યો છે. જેના કારણે આ વસાણા બનાવવા માટેની સામગ્રીનું ચોક્કસ માપ તેમની પાસે છે. પરંતુ જે લોકો ઘરે આવા વસાણા બનાવવા માગે છે તેવા લોકો માટે કરિયાણા-ગાંધીની કેટલીક દુકાનદારો મદદરૃપ થઈ રહ્યા છે. અડાજણ હની પાર્ક રોડ પર વસાણાની સામગ્રીનું વેચાણ કરનારા ભરતભાઈ ગાંધી કહે છે, અમારે ત્યાં વર્ષોથી સાલમપાક, મેથીપાક, ગુંદરપાક, અદડિયા પાક, ખજુરપાક જેવા વસાણા બનાવવા માટેની સામગ્રી ચોક્કસ માપ સાથે આપવામા આવે છે. જુદી જુદી 32 સામગ્રી સાથે સાલમપાક બનાવવા માટે સામગ્રી અમારે ત્યાં મળે છે. આ સામગ્રી સાથે અમે જે રીત આપીએ છીએ તે પ્રકારે લોકો ઘરે સાલમપાક બનાવે તો તેમને સસ્તો અને શુધ્ધ બની રહે છે. સાલમપાકની સામગ્રી લઈ જનારા રેખાબેન કહે છે, અમે છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સામગ્રી લઈ જઈએ છીએ અને સારો માવો વાલીને ઘરે બનાવીએ છે તે સાલમપાક બજારમાં મળે તેવો જ ટેસ્ટ આવે છે. આ ઉપરાંત અન્ય વિભુતીબેન કહે છે, અમે પહેલી વખત આ પ્રકારની સામગ્રી લઈ રહ્યાં છે જો તેનું સારૃ પરિણામ આવે તો બજારમાં મળતા વસાણા કરતાં અમે પણ ઘરે બનાવવેલા વસાણા ખાઈશું. Previous સુરત ની યુવતીની વેસ્ટ માંથી બેસ્ટ માટે અનોખી ઝુંબેશ..સુરત ની યુવતીએ ફૂલોના કચરા માંથી બનાવ્યા સાબુ અને અગરબતી
રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંકશનમાં કરીના-કરિશ્મા સહિત કપૂર પરિવાર પહોંચ્યો - Gujju Kathiyawadi સુરતના જ્વેલરે વેડિંગ ગિફ્ટમાં ગોલ્ડપ્લેટેડ બુકે આપ્યું પંજાબી લોકગીતો સાથે મહેંદી સેરેમની પૂર્ણ થઇ આલિયાના કાકા અને રણબીરના મોટા પપ્પાને લગ્નમાં આમંત્રિત ન કરાયાની ચર્ચા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિ કાલે થઇ. 13 એપ્રિલથી બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઇ ગયાં. ગઇકાલે સૌ પહેલાં રણબીર કપૂરના વાસ્તુ એપાર્ટમેન્ટમાં ગણેશજીની પૂજા કરવામાં આવી. બંને 28 મહેમાનોની હાજરીમાં જ લગ્ન કરશે. રણબીર કપૂર પોતાની ભાવિ પત્નીને સ્પેશિયલ ગિફ્ટ પણ આપવાનો છે. સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના પ્રી-વેડિંગમાં આવેલા તમામના ફોટોઝ વાઇરલ થયા હતા. સ્ટાફ મેમ્બર્સના મોબાઇલ પર સ્ટિકર લગાવવામાં આવ્યા રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંકશન હોવાથી વાસ્તુ બિલ્ડિંગની સિક્યોરિટી એકદમ ટાઇટ જોવા મળી હતી. આલિયાના સિક્યોરિટી હેડ યુસુફભાઇની સિક્યોરિટી એજન્સીના ખભા પર સુરક્ષાની જવાબદારી છે. 200થી વધુ બાઉન્સર્સ સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે. ફોટો અને વીડિયો લીક ના થાય એ માટે સ્ટાફ મેમ્બર્સના મોબાઇલ પર સ્ટિકર લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન ડીસીપી મંજુનાથ શિંગેએ કહ્યું કે, અમને કપૂર પરિવારે આ પ્રાઇવેટ સેરેમની અંગે માહિતી આપી હતી અને તેથી જ કેટલાક કોન્સ્ટેબલ ત્યાં મૂકવામાં આવ્યા છે. આ પ્રાઇવેટ સેરેમની છે પરંતુ મીડિયા તથા સેલેબ્સ સામેલ છે એટલે કપૂર પરિવારે વિનંતી કરી હતી કે ત્યાં પોલીસ વ્યવસ્થા કરવામાં આવે. રણબીર આલિયાએ સ્પેશિયલ વચનો લખી રાખ્યાં છે રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પરંપરાગત સાત વચનની આપ-લે લગ્ન દરમિયાન કરશે નહીં. તેમણે એકબીજા માટે સ્પેશિયલ વચનો લખી રાખ્યાં છે અને તેઓ લગ્નમાં આ વચનો એકબીજાને આપશે. ગણેશપૂજામાં કોણ કોણ હાજર રહ્યું? રણબીરના વાસ્તુ એપાર્ટમેન્ટમાં સૌ પહેલાં નીતુ સિંઘ દીકરી રિદ્ધિમા, દોહિત્ર સમારા તથા જમાઇ ભરત શાહની સાથે આવ્યા હતા. ત્યારબાદ રણબીરની ફોઇ રીમા જૈન આવ્યા હતા. કરીના કપૂર, કરિશ્મા કપૂર, આરતી શેટ્ટી, અરમાન જૈન-અનીસા જૈન પણ ઔઆવ્યા હતા. રણબીરે લેડીલવ માટે 8 ડાયમંડથી બનેલી રિંગ તૈયાર કરાવી રણબીર કપૂર લેડી લવને 8 ડાયમંડ્સથી બનેલી રિંગ ગિફ્ટમાં આપવાનો છે. રણબીર કપૂરનો લકી નંબર 8 છે. ડાયમંડ્સ રણબીર કપૂરે જાતે પસંદ કર્યા છે. રણબીરે ઇન્ટરનેશનલ બ્રાન્ડ વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ પાસે આ રિંગ બનાવી છે. રણબીરના નજીકના મિત્રએ કહ્યું કે, રણબીરે આલિયા માટે કસ્ટમ મેડ રિંગ તૈયાર કરાવી છે. આ રિંગ લંડનના સ્ટોરમાં બની છે. અલગથી સંગીત સેરેમની યોજાશે નહીં રણબીર-આલિયાના નજીકના લોકોએ કહ્યું છે કે પ્રી-વેડિંગ ફંકશનમાં અલગથી સંગીત સેરેમની યોજવામાં આવશે નહી. પરંતુ સેરેમનીની સાથે જ ડાન્સ ફંકશન યોજાશે. સોનાના વરખમાંથી બનાવેલું છે રોઝ બુકે વેડિંગ વેન્યુ પર ગિફ્ટ લઇ આવેલા વ્યક્તિએ કહ્યું અમે સુરતથી આવ્યા છે. રણબીરજી અને આલિયાજી માટે આ ગિફ્ટ છે આ ગોલ્ડ પ્લેટેડ રોઝ બુકે છે જેને સોનાના વરખમાંથી બનાવ્યું છે . આ 100 ટકા રિયલ છે. આ ગિફ્ટ કુશલભાઇ જ્વેલર્સે મોકલી છે. આલિયાનોઔડ્રાઇવર પણ ટ્રેડિશન કપડાંમાં જોવા મળ્યો પ્રી-વેડિંગ ફંકશનની શરૂઆત થાય તે પહેલાં જ આલિયા ભટ્ટ રણબીર કપૂરના ઘરે પહોંચી ગઇ હતી. જોકે તેની એક પણ તસવીર મીડિયામાં સામે આવી નથી. જોકે આલિયા ભટ્ટનો ડ્રાઇવર ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઇ ગયો હતો. વીડિયોમાં આલિયાનો ડ્રાઇવર વાસ્તુ બિલ્ડિંગમાં પ્રવેશતો જોવા મળ્યો. આલિયાના પ્રી-વેડિંગ ફંકશનમાં તેનો ડ્રાઇવર પણ ટ્રેડિશનલ કપડાંમાં જોવા મળ્યો. તે બેઝ કલરના કુર્તા અને વ્હાઇટ પાયજામામાં જોવા મળ્યો હતો.
ચીન ભારત સામે નમી ગયું! ચીની સૈનિકો પેંગોંગ તળાવ થી પીછેહઠ કરે છે 9મી વખત ની વાતો માં બની ગઈ વાત! ચીને પગલાં પાછા ખેંચ્યાં, પેંગોંગ તળાવ પર અસર દેખાઈ ભારત અને ચીન વચ્ચે હજી પણ સરહદ વિવાદ ચાલુ છે. પરંતુ હવે ભારત માટે એક સારા સમાચાર છે. ખરેખર, બુધવાર થી, આપણો પાડોશી દેશ પેંગોંગ તળાવ ની ઉત્તરી અને દક્ષિણ બાજુઓ થી પીછેહઠ કરવા લાગ્યો છે. ભારત માટે આ એક મોટી સફળતા છે અને ચીન માં ભારત નો ડર સ્પષ્ટ પણ જોવા મળી રહ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ રાજ્યસભા માં માહિતી આપી છે કે, ચીને પેંગોંગ તળાવ થી પગ પાછા ખેંચવા નું શરૂ કરી દીધું છે. રાજ્યસભા માં રાજનાથસિંહે કહ્યું છે કે, બંને દેશો વચ્ચે ની વાતચીત માં તેમની સેના પાછો ખેંચવા પર સંમતિ થઈ છે. જ્યાં ચીને પણ પોતાના કામ શરૂ કરી દીધા છે અને તેના સૈનિકો એ આ સ્થાન છોડવા નું શરૂ કર્યું છે. 9 મી વખત ની વાટાઘાટો પછી સંમતિ થઈ… ચીન ના સંરક્ષણ મંત્રાલય ના પ્રવક્તા એ એવો દાવો કરીને માહિતી આપી છે કે, ભારત અને ચીન વચ્ચે કમાન્ડર-સ્તર ની વાટાઘાટો નો નવમો તબક્કો થયો છે, જેમાં બંને દેશો વચ્ચે સંમતિ થઈ છે કે તેઓ તેમની સેના પાછી લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મુદ્દે ભારત અને ચીન વચ્ચે 16 કલાક લાંબી મેરેથોન લશ્કરી વાતચીત થઈ છે. ચીને કહ્યું છે કે તેની સૈનિકો તેમની બાજુ થી સરહદ પર સંયમ જાળવશે. લગભગ 50 હજાર સૈનિકો તૈનાત કરાયા હતા .. નોંધપાત્ર વાત એ છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ મે 2020 પછી સામે આવ્યો હતો. હકીકત માં, 15-16 જૂન ની રાત્રે પૂર્વી લદ્દાખ ની ગાલવાન ખીણ માં બંને દેશો ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. રશિયન સમાચાર એજન્સી TASS ના અનુસાર, આ હિંસક અથડામણ માં બંને દેશો એ તેમના સૈનિકો ને ગુમાવવા પડ્યા. ભારતે ચીન ના 45 સૈનિકો ને માર્યા હતા, જ્યારે જવાબ માં ભારત ના 20 સૈનિકો પણ શહીદ થયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે નો ગતિરોધ સતત ચાલુ રહ્યો છે. આ ઘટના બાદ ચીન અને ભારત બંને એ સંબંધિત વિસ્તાર માં 50 હજાર થી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા. સતત થતી રહી વાતચીત… તમને જણાવી દઇએ કે, જૂન માં થયેલા હિંસક અથડામણ બાદ વૈશ્વિક સ્તરે બંને દેશો વચ્ચે ના મતભેદો બહાર આવ્યા હતા. તાજેતર ની વાટાઘાટો પહેલા, આ સરહદ વિવાદ ના નિરાકરણ માટે બંને દેશો વચ્ચે 8 રાઉન્ડ ની લાંબી વાટાઘાટો થઈ હતી, પરંતુ બધી બેઠકો અનિર્ણિત હતી. ચીન અને ભારત વચ્ચે ક્યારેય કોઈ વાત થઈ ન હતી. બંને દેશો એકબીજા પર આરોપ લગાવતા રહ્યા. પરંતુ હવે લાગે છે કે આ સરહદ વિવાદ જલદી થી સમાપ્ત થઈ શકે છે. 24 જાન્યુઆરી એ કોર્પ્સ કમાન્ડર કક્ષા ની નવમી રાઉન્ડ ની બેઠક મળી હતી, જેમાં આ મુદ્દા પર સમજૂતી થઈ છે.
રિયાન સ્કૂલના માલિકોને જોઇએ છે આગોતરા જામીન, પરંતુ... | pradyuman murder case high court judge declined hearing says i know ryan school owner - Gujarati Oneindia 10 min ago કર્ણાટકઃ રાજ્યપાલની કુમારસ્વામીને ચિઠ્ઠી, આજે 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરો 22 min ago કરોડોની ફી લઈ કરીના કપૂર ખાન થઈ DIDથી બહાર, આ સુપરસ્ટાર બની નવી જજ 30 min ago 'મમતા', 'માન' અને 'મોદી' ત્રણેય ફેક્ટર અપનાવી રહી છે દીદી 34 min ago નાગ-નાગિન હોવાનો દાવો કરતા પતિ પત્ની કેન્સરનો ઉપચાર કરે છે રિયાન સ્કૂલના માલિકોને જોઇએ છે આગોતરા જામીન, પરંતુ... | Published: Tuesday, September 19, 2017, 17:52 [IST] ગુરૂગ્રામની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8 સપ્ટેમ્બરના રોજ 7 વર્ષીય પ્રદ્યુમ્નની હત્યા થઇ હતી. આ મામલે પોલીસ દ્વારા શાળાના જ એક બસ કંડક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ શાળા તરફથી ભારે ગેરજવાબદારીની વાત સામે આવ્યા બાદ સરકાર દ્વારા ત્રણ મહિના માટે શાળાને ટેકઓવર કરવામાં આવી છે. આ મામલે ટૂંક સમયમાં જ સીબીઆઇ તપાસ શરૂ થાય એવી શક્યતા છે. આથી શાળાના માલિક પિંટો પરિવારને હવે ધરપકડનો ડર લાગ્યો છે. આ કારણે જ પિંટો પરિવાર દ્વારા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક રાયન પિંટો, ગ્રેસ પિંટો અને ઑગસ્ટીન પિંટોએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર મંગળવારે સુનવણી થનાર હતી, પરંતુ એ પહેલાં જસ્ટિસ ચૌધરીએ અરજીકર્તાઓ સાથે વ્યક્તિગત ઓળખાણની વાત કહી આ કેસની સુનવણી કરવાની મનાઇ કરી હતી. આથી આ કેસ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની અલગ બેંચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પિંટો પરિવારે 16 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ પહેલાં 14 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટ દ્વારા પિંટો પરિવારની આગોતરા જામીનની અરજી ફગાવવામાં આવી હતી. 9 દિવસ બાદ ખુલી શાળા સોમવારે 9 દિવસ બાદ રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી ખુલી હતી અને શાળામાં 1200 બાળકોની જગ્યાએ માત્ર 250 બાળકો જ પહોંચ્યા હતા. જો કે, શાળા ખુલવા સામે મૃતક પ્રદ્યુમ્નના પિતા વરુણને વાંધો હતો, તેમનું માનવું હતું કે શાળા ખુલી તો જરૂરી પુરાવાનો વિનાશ કરી શકાય છે. તંત્રએ તેમની વાત ધ્યાનમાં લેતા મોટો નિર્ણય લીધો છે અને 25 સપ્ટેમ્બર સુધી ફરી શાળા બંધ કરવામાં આવી છે. મૃતક પ્રદ્યુમ્નના પરિવારની માંગણીને ધ્યાનમાં રાખીને હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ સીબીઆઇ તપાસની ભલામણ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકારે મીડિયા અને પરિવારજનો સામે ભલે સીબીઆઇ તપાસની ઘોષણા કરી હોય, પરંતુ તેમના તરફથી સીબીઆઇને અધિકૃત સૂચના મોકલવામાં નહોતી આવી. મંગળવારે ગૃહ સચિવ એસ.એસ.પ્રસાદ દ્વારા સીબીઆઇને આની સૂચના મોકલવામાં આવી હતી.
પેલેડિન્સ હેક્સ 🥇 ચિટ્સ, એઇમ્બોટ, ઇએસપી, વhaલહckક - ગેમપ્રોન પેલેડિન્સ હેક્સ પેલેડિન્સને તમે સૌથી વધુ જોઈતી રમતમાં આકાર આપી શકાય છે, તમારે જે કરવાનું હતું તે અમારા પેલેડિન્સ એક્સેન્ટો હેકને સક્ષમ બનાવશે. અમિબોટ, ઇએસપી અને વhaલહckક સાથે, આ ચીટ તે બધું કરે છે! પહેલેથી જ પેલેડિન્સ હેક ખરીદ્યો છે? અહીં આગળનાં પગલાંઓ શોધો કૃપા કરીને નોંધો: તમે અમારા પેલેડિન્સ હેક્સ ખરીદતા પહેલા, ખાતરી કરો કે તમે જે સાધન ખરીદવા માટે શોધી રહ્યા છો તે તાજેતરમાં અપડેટ થયું છે અથવા હજી stillનલાઇન છે. જ્યારે આપણે હંમેશાં અમારા સાધનોને અપડેટ કરીએ છીએ, કેટલીક પરિસ્થિતિઓમાં ડિલિવરીના સમયમાં વિલંબ થાય છે; જ્યારે તે સામાન્ય રીતે ત્વરિત હોય છે, તે પણ થોડા કલાકો લઈ શકે છે. અમારા બધા ટૂલ્સ HWID લ .ક છે, એટલે કે તમે તેનો ઉપયોગ ફક્ત એક કમ્પ્યુટર પર કરી શકો છો - ખાતરી કરો કે તમારું કમ્પ્યુટર અમારા બધા સાધનો સાથે પહેલાથી સુસંગત છે. એકવાર તમે પ્રોડક્ટ કી જોશો તો કોઈ રિફંડ આપવામાં આવશે નહીં! અમારું પસંદ કરેલું પેલાડિન્સ હેક્સ પેલાડિન્સ હેક્સ, એઇમ્બોટ, નોરેકોઇલ, ઇએસપી, વ Wallલ હેક્સ અને વધુ ખરીદો પેલાડિન્સ હેક્સ ઇન 4 પગલાંઓ પેલાડિન્સ માટે તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ (એમ્બોટ, વ Wallલ, ઇએસપી, વગેરે) ફિટ હોય તેવા હેક્સ ચૂંટો અમારી 100% સલામત અને વિશિષ્ટ ચુકવણી સિસ્ટમનો ઉપયોગ કરીને તમારી પ્રોડક્ટ કી માટે ચૂકવણી કરો પ્રોડક્ટ કી સાથે પેલાડિન્સ એક્સેન્ટોની accessક્સેસ મેળવો અને આજે ચીટ ડાઉનલોડ કરો! કેમ ગેમપ્રોન પેલાડિન્સ હેક્સ? પેલેડિન્સ એ એક રમત છે જે ઘણી વસ્તુઓ માટે વપરાશકર્તા પર આધાર રાખે છે, જે મોટાભાગના ભાગ માટે તમારા હાથમાં શક્તિ મૂકે છે. જ્યારે તમે છેતરપિંડી ન કરતા હો ત્યારે તમને ઘણી સફળતા મળી શકે છે, પરંતુ તે ફક્ત ત્યારે જ જો તમે જરૂરી સમય મૂકવા તૈયાર છો - જો તમે ક્યારેય કોઈ વ્યાવસાયિક પેલાડિન્સ પ્લેયર સાથે આવશો, તો તમે જાણશો કે તેઓ વધુ છે તમારા સરેરાશ ગેમર કરતાં પોલિશ્ડ. આથી જ પેલાડિન્સ એક્સેન્ટોનો ઉપયોગ કેટલાક લોકોની સફળતા માટે નિર્ણાયક બનશે, કેમ કે તમે પેલાડિન્સની જટિલતાઓને વર્ષોથી શીખતા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી શકવાનો કોઈ રસ્તો નથી. ટૂલ્સનો ઉપયોગ કર્યા વિના તેમની સાથે ચાલુ રાખવાનો પ્રયાસ કરવો એ તેવું છે જેમ કે કોઈ ઓલિમ્પિક રમતવીરને તેમની પોતાની રમતમાં હરાવવાનો પ્રયાસ કરવો, મતભેદ એ છે કે તમે 99% સમય ગુમાવશો. તમે તેમના પર ગણિત તદ્દન ઝડપથી બદલી શકો છો જો તમારે પેલેડિન્સ એક્સેન્ટોનો ઉપયોગ કરવાનું પસંદ કરવું જોઈએ, કારણ કે તમે જીત્યાની સંભાવનામાં મોટા પ્રમાણમાં વધારો જોશો. હવે તમે અનુભવ ખેલાડીઓ પર પરાજય મેળવવા માટે માત્ર એક પંચિંગ બેગ નથી, તમે તેમની સાથે હરીફાઈ કરી શકો છો અને કુશળ ખેલાડી તરીકે તમારી પ્રતિષ્ઠા મેળવી શકો છો! તેમને એ જાણવાની જરૂર નથી કે તમે આખા સમય દરમિયાન પેલેડિન્સ એક્સેન્ટોનો ઉપયોગ કરી રહ્યાં છો પરંતુ ચિંતા કરશો નહીં, અમે તેને અમારા બંને વચ્ચે એક ગુપ્ત રાખીશું! પેલાડિન્સ એક્સેન્ટો એક ધ્યેયને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવ્યો હતો, અને તે તમારા સરેરાશ પેલેડિન્સ પ્લેયરને -લ-વર્લ્ડ, પાઉન્ડ ચેમ્પિયન માટેના પાઉન્ડમાં ફેરવવાનો હતો. રમતી વખતે કોઈ પણ તમારા પ્રયત્નોને વળગી રહેશે નહીં, કારણ કે સાધનો તમારા માટે બધી સખત મહેનત કરશે. તે સમયે જ્યાં તમારે પોતાને બધું કરવાનું હતું તે ઘણો સમય વીતી ગયો છે. જ્યારે કેટલાક કહેશે કે તે સમીકરણની બહાર મજા લેશે, પેલેડિન્સ એકસેન્ટોનો ઉપયોગ કરીને લગભગ દરેક એક મેચમાં જીતને સુરક્ષિત કરવા માટે, અહીં ગેમપ્્રોન પર અમારા માટે વિચિત્ર સમય જેવો અવાજ લાગે છે. તે સમય છે કે તમે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો આગળ રાખશો, તે નથી? શું તમે તમારી જાતને વાપરવા માટે પેલાડિન્સ હેક ખરીદવા માટે શોધી રહ્યા છો? જો તમે ભૂતકાળમાં ક્યારેય હેક ન કર્યું હોય, તો ડરવાની જરૂર નથી - અમે અમારા બધા સાધનોનો ઉપયોગ કરવા માટે આશ્ચર્યજનક રીતે સરળ બનાવ્યો છે, ત્યાં સુધી કે અમારા સૌથી બિનઅનુભવી વપરાશકર્તાઓ પણ લાભ મેળવી શકશે. તમારી કચરાપેટી બોલવાની રમતને એક સાથે મેળવો, કારણ કે એકવાર તમે પેલેડિન્સ એકસેન્ટોને સક્ષમ કરી લો, પછી ખૂન (અને જીતે છે) એકબીજાની ટોચ પર સ્ટેક કરવાનું શરૂ કરશે જ નહીં. બેટલ ર Royયલ રમતો આ દિવસોથી દૂર થવું સંભવિત અશક્ય છે, કેમ કે આગામી મહિનાઓમાં બીજું શીર્ષક બહાર પાડવામાં આવશે. તેમ છતાં તે સાચું છે, બહુ ઓછી રમતો ફોર્ટનાઇટમાં આપવામાં આવતી ગુણવત્તાની નજીક આવશે; તેથી જ આ રમત આજે પણ એટલી લોકપ્રિય છે, અને તે જ તે છે કે અમે તેમની ફોર્ટનાઇટ હેકની જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાનું અમારું મિશન કેમ બનાવ્યું છે. વિજય ર Royયલ મેળવવા માટે તમારે રમતના ચોકસાઈ અને સામાન્ય જ્ knowledgeાનની જરૂર છે, અને અમારા ફોર્ટનાઇટ હેક્સ તમને તે સરળતા સાથે પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમે નીચી-ગુણવત્તાવાળી હેક્સનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટની સલામતીને તક સુધી છોડી શકતા નથી, જે કાં તો એન્ટી-ચીટ સંરક્ષણ આપતું નથી, અને ગેમપ્રોન offersફરમાં પૂરતી માત્રામાં સંરક્ષણ આપવામાં આવ્યું છે. હવે તમારે તમારી કમ્પ્યુટર સ્ક્રીનની સામે કલાકો પસાર કરવાની રહેશે નહીં, કારણ કે કાયદેસર રીતે વ્યાવસાયિક સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે આ શ્રેષ્ઠ છે. તે પછી પણ ત્યાં ફોર્નાઇટ ટૂર્નામેન્ટ્સ દ્વારા પુષ્કળ પ્રો રમનારાઓ તેમની રીતે છેતરપિંડી કરે છે! જો તમે બીમાર છો અને demનલાઇન ડિમોલિશન થવાથી કંટાળી ગયા છો, તો અમારા ફોર્ટનાઇટ હેક્સનો ઉપયોગ તમારી મેચોની મોટાભાગની જીતનો સંપર્ક કરવાનો સૌથી અસરકારક માર્ગ છે. ફોર્ટનાઇટ હેક્સ મેચો રમવા માટેની આખી પ્રક્રિયાને સરળ બનાવે છે, પછી ભલે કેટલાયે "પરસેવો" તમારી લોબીમાં પ્રવેશ મેળવે. અમારા ફોર્ટનાઇટ હેક્સનો ઉપયોગ કરતી વખતે તેઓ તમારી કુશળતાના સ્તર સાથે મેળ ખાવાની કોઈ રીત નથી, સ્પર્ધાત્મક રહેવાનો એકમાત્ર રસ્તો છે પોતાને છેતરીને. અમારા ફોર્ટનાઇટ હેકમાં લાભ મેળવવા માટે વિવિધ સુવિધાઓની વિપુલતા શામેલ છે, અને તેથી જ વિશ્વભરના રમનારાઓ તેમને સ્પર્ધાત્મક રાખવા માટે ગેમપ્રોન પર ગણતરી કરે છે. અમારા હેક્સ બધા એક ઓછી કિંમતે ઉપલબ્ધ છે, અન્ય પ્રદાતાઓની વિરુદ્ધ જે શક્ય તે દરેક તક પર તેમના ગ્રાહકોને પૈસા માટે દૂધ આપતા હોય છે. પેલેડિન્સ વોલ હેક (ઇએસપી) પેલેડિન્સ પ્લેયરની માહિતી ઇએસપી (નામ, આરોગ્ય બાર, અંતર) ગાળકો સાથે પેલેડિન્સ આઇટમ ઇએસપી પેલાડિન્સ એઇમ્બોટ પેલેડિન્સ દુશ્મન ચેતવણી ચેતવણીઓ પેલેડિન્સ સુપર જમ્પ મોડ (જ્યારે સક્રિય થાય ત્યારે કોઈ નુકસાન નહીં). પેલેડિન્સ અસ્થિ અને લક્ષ્ય કી રૂપરેખાંકિત. પેલાડિન્સ રિકોઇલ સરભર કરનાર શ્રેષ્ઠ પેલાડિન્સ હેક વિશેષતા પેલાડિન્સ પ્લેયર ઇએસપી કોઈપણ પેલેડિન્સ હેક જે ખરીદ કિંમતની કિંમતનું છે તે પ્લેયર ઇએસપી આપે છે. અમારા વપરાશકર્તાઓ માટે પ્રયોગ કરવા માટે પેલાડિન્સ એક્સેન્ટો પાસે ઘણાં વિવિધ ઇએસપી વિકલ્પો છે! કેટલાક કિસ્સાઓમાં ખેલાડીઓને જોવું પૂરતું નથી, આ તે છે જ્યાં અમારી પ્લેયર ઇન્ફર્મેશન ઇએસપી ફંક્શન આવશ્યક હોવું આવશ્યક છે. આઇટમ ઇએસપી અમારા પેલેડિન્સ હેકમાં પણ હાજર છે, તમને સંઘર્ષ વિના નક્કર / અપારદર્શક સપાટી દ્વારા ઉપયોગી વસ્તુઓ અને સંસાધનો ઓળખવાની મંજૂરી આપે છે. અમારું પેલેડિન્સ એકસેન્ટો એઇમ્બોટ ટોચની સુવિધાઓથી સજ્જ છે, તમને તમારા વિરોધીઓ પર આતંક શાસન માટે જરૂરી બધું આપે છે. બીજો બંદૂક ક્યારેય નહીં ગુમાવો! પેલેડિન્સ બુલેટ ટ્રેક (ટૂંકા અને મધ્યમ અંતરમાં અસરકારક) તમારા બુલેટ્સને ટ્ર Trackક કરો અને જુઓ કે તમારા શોટ્સ બુલેટ ટ્રેક સુવિધાનો ઉપયોગ કેવી અસરકારક રીતે કરી રહ્યાં છે, જે ટૂંકી અને મધ્યમ-અંતરની બંને લડાઇઓ માટે યોગ્ય છે. પેલેડિન્સ અસ્થિ અને લક્ષ્ય કી રૂપરેખાંકિત પેલાડિન્સ એક્સેન્ટો એઇમ્બોટ અસ્થિ પ્રાધાન્યતાથી લઈને તમારા FOV વર્તુળના કદ સુધી, વપરાશકર્તાઓને ફક્ત કોઈપણ સેટિંગ વિશે ગોઠવવા દેવા માટે સક્ષમ છે. પેલેડિન્સ એમ્બોટ દૃશ્યમાન ચકાસે છે દૃશ્યમાન ચકાસણી તમને તમારા બુલેટ્સ ક્યાં ઉતરશે તે જોવાનો વિકલ્પ આપે છે અને લક્ષ્યને કેટલું નુકસાન થાય છે તે પણ તમને જણાવી શકે છે. પેલેડિન્સ રમતી વખતે દરેક બુલેટની ગણતરી થાય છે, અને રિકોઇલ વળતર સુવિધા એ છે કે તમે કોઈ પણ સમયનો ઉપયોગ કરીને આરામદાયક બનશો નહીં. દુશ્મનો હંમેશાં તમારા પર ઝલક અને પ્રયાસ કરે છે, જે પેલાડિન્સ એક્સેન્ટો ચેતવણી સુવિધાને વધુ ઉપયોગી બનાવે છે! પેલેડિન્સ સુપર જમ્પ મોડ (જ્યારે સક્રિય થાય ત્યારે કોઈ નુકસાન નહીં) વિકેટનો ક્રમ damage નુકસાન તમારી મેચને અકાળ સમયમાં સમાપ્ત કરશે નહીં, કારણ કે તમે સુપર જમ્પ મોડને સક્ષમ કરી શકો છો અને પતનને નુકસાનને સંપૂર્ણપણે લેવાનું ટાળી શકો છો. એક વધુ સારી પેલેડિન્સ ખેલાડી બનવા માંગો છો? તમે એકલા નથી, અને તેથી જ જ્યારે તમે નિયમિતપણે રેન્ક ઉપર ચ climbવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે તે ચ upાવ પર લડાઇ જેવું લાગે છે. તમે બ્લેન્ડર અને બેક દ્વારા સંભવત! પસાર થયા છો, પરંતુ હવે તમે વેર મેળવી શકો છો! પેલાડિન્સ એકસેન્ટો માટે આજે પ્રોડક્ટ કી ખરીદો અને પરિવર્તન માટે તે હેમર (અને ખીલી નહીં પણ) જેવું લાગે છે. લોકપ્રિય પેલેડિન્સ હેક્સ અને ચીટ્સ પેલાડિન્સ ઇએસપી અને વhaલહckક અન્ય પેલેડિન્સ હેક્સ અને ચીટ્સ ખૂબ જ લોકપ્રિય પેલાડિન્સ હેક્સ અને ચિટ્સ અહીં ગેમપ્રોન પર મળી શકે છે, કારણ કે અમે ફક્ત અમારા વપરાશકર્તાઓને શક્ય શ્રેષ્ઠ ઉત્પાદનની ઓફર કરવા જઇએ છીએ. કોઈપણ આપેલ રમત માટે ખેલાડીનો આધાર કેટલો મોટો (અથવા નાનો) છે તે ધ્યાનમાં લીધા વગર, અમે અમારા બધા પ્રકાશનો સાથે અમેઝિંગ ટૂલ્સ મૂકીશું. અમે વિકાસકર્તાઓ સાથે મળીને કામ કરીએ છીએ તે સુનિશ્ચિત કરવા માટે કે તેઓ તેમના પેલેડિન્સ હેક્સમાં યોગ્ય સુવિધાઓ મૂકી રહ્યાં છે, પરંતુ અમે અમારા વપરાશકર્તાઓની સલામતીને ધ્યાનમાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ. જ્યારે કોઈ એક સાથે કોઈ ચીટ મૂકવાની વાત આવે ત્યારે અમે અમારા ભાગીદારોમાં કોઈની પણ હિંમત કરીશું નહીં, અને પરિણામો પોતાને માટે બોલે છે - જ્યારે કોઈ પેલાડિન્સમાં અસરકારક રીતે હેક કરવા માંગે છે, ત્યારે તેઓ ગેમપ્રોનમાં આવે છે! પેલાડિન્સ ચીટ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે પેલાડિન્સ એમ્બોટ, ઇએસપી / વhaલહckક, ચેતવણી અને અન્ય ઘણી સુવિધાઓ જે પેલાડિન્સ એક્સેન્ટોમાં આપવામાં આવી રહી છે. ઓછી ગુણવત્તાવાળા હેક સાથે છેતરવું એ એક વસ્તુ છે, પરંતુ ગેમપ્રોન સાથે કામ કરવું તમને માસ્ટર હેકરની સાચી રીતો બતાવશે! અમારા પેલેડિન્સ એક્સેન્ટો એમ્બોટનો ઉપયોગ તમારા કે / ડી (કીલ વિ ડેથ) ગુણોત્તર તેમજ તમારી જીતવાની ટકાવારીમાં સુધારો કરવાની બાંયધરી આપે છે. જેઓ હજી પેલાડિન્સ રમી રહ્યા છે તે જાણે છે કે તે એક સ્પર્ધાત્મક રમત છે જે ટ્રાય-હાર્ડ ખેલાડીઓથી ભરેલી છે, અને તેથી જ તમારે વસ્તુઓ ગંભીરતાથી લેવી પડશે. તેને તક સુધી છોડી દેવું આદર્શ નથી અને ત્યાં ઘણા બધા ચલો છે જે તમારા શોટ કેટલા સચોટ છે તેનો ભાગ ભજવી શકે છે, પરંતુ અમારા પેલેડિન્સ એમ્બોટનો ઉપયોગ એ સુનિશ્ચિત કરશે કે આ રમત દરમ્યાન તમારો શ shotટ સાચો જ રહેશે. તમારી આસપાસ શું ચાલી રહ્યું છે, અથવા તમે કોની સાથે મેળ ખાતા હોવ તે મહત્વનું નથી; અમારા પેલેડિન્સ એઇમ્બોટનો ઉપયોગ કરવાથી પેલાડિન્સના સૌથી બહુમુખી ખેલાડીઓ પણ બંધ થઈ જશે. પ્રથમ વ્યક્તિના શૂટર્સ યોગ્ય પરિણામો મેળવવા માટે વપરાશકર્તા ઇનપુટ પર આધાર રાખે છે અને "રોબોટિક ઉદ્દેશ્ય" મેળવવા માટે અમારા ટૂલ્સનો ઉપયોગ કરવામાં મદદ કરશે. અમારા પેલાડિન્સ એક્સેન્ટો હેકની શક્તિ અને અમે આજે તેની અંદર શામેલ કર્યા છે તે તમામ વિચિત્ર એમ્બોટ વિકલ્પોની શક્તિનો અનુભવ કરો! અમારા પેલેડિન્સ એક્સેન્ટો ઇએસપી અને વhaલહckકનો ઉપયોગ કરવાથી વપરાશકર્તાઓ યુદ્ધના ક્ષેત્રને સ્કેન કરી શકે છે અને માહિતીને ઉજાગર કરશે જે અન્યથા અજ્ unknownાત હશે. પ્લેયર ઇએસપી વિકલ્પને સક્ષમ કરીને તમારા દુશ્મનોના સ્થાનને તપાસો, જેને તમારી જરૂરિયાતોને સંપૂર્ણ રીતે ગોઠવવા માટે ગોઠવી શકાય છે. ઇન-ગેમ મેનુ (જે ફ્લાય એડજસ્ટમેન્ટ્સને ગોઠવણ બનાવે છે) નો ઉપયોગ કરીને પ્લેયર સ્કેલેન્સ, ગ્લો ઇફેક્ટ્સ અથવા 2 ડીબોક્સના રંગમાં એડજસ્ટમેન્ટ બનાવો. પ Palaલેડિન્સ રમતી વખતે શિબિરાર્થીઓ એક મોટી સમસ્યા બનશે, કેમ કે દરેક જણ તેમની નોગિન્સ ઉડાવી દેવાની ચિંતા કરે છે; આ તે છે જ્યાં અમારું પેલેડિન્સ વhaલહckક કોઈ કસર છોડશે નહીં અને જેઓ પડછાયામાં છુપાયેલા છે તેમને છતી કરશે. જો તમને લાગે કે કોઈ મકાનમાં છે, તો અમારા પેલેડિન્સ વhaલહckકને સક્ષમ કરો અને પોતાને શોધી કા !ો! તમે આઇટમ ઇએસપી સુવિધાથી ખૂબ દૂરથી ઉપયોગી વસ્તુઓ / પાવર-અપ્સ પણ શોધી શકો છો, તમને તમારી મેચમાંથી વધુ મેળવવાની દરેક તક આપે છે. અમારા પેલેડિન્સ એક્સેન્ટો ઇએસપીનો ઉપયોગ કરતી વખતે, વિજય સામાન્ય બનશે! ફુટપ્રિન્ટ સુવિધા અતિ સુઘડ છે, કારણ કે પેલાડિન્સ જીતવાની તકો સાથે સખત મહેનત કરવા ઇચ્છુક લોકોને પ્રદાન કરશે. જ્યારે તમે ફુટપ્રિન્ટ સક્ષમ કરી શકો છો, ત્યારે તમે શિકારની જેમ શિકારની જેમ, તેમના ટ્રેકનો ઉપયોગ કરીને દુશ્મનોને શોધી કા ofવામાં સમર્થ હશો. તમે હવે તે લોકો સાથે રમતા નથી જે તમારા જેવા જ કૌશલ્ય સ્તર પર છે, તે મૂળભૂત રીતે તે સમયે શિકારની પાર્ટી છે! વધુ નુકસાન તમારા શોટ્સને નિયમિત કરતા વધુ નુકસાન પહોંચાડવા દે છે, કેમ કે તમારા બધા શસ્ત્રો માટેનો આધાર નુકસાન ખૂબ જ મજબૂત લાગે છે. ડિસ્ટન્સ હેકને પણ અવગણવું જોઈએ નહીં, કારણ કે અમારા પેલેડિન્સ એક્સેન્ટો હેક તેના વિના પૂર્ણ થશે નહીં. તમે ક્યારેય આવ્યાં છે તેમાંથી એક સૌથી શક્તિશાળી પેલાડિન હેક્સ બનાવવા માટે તમે ફુટપ્રિન્ટ, હાઇ ડેમેજ અને ડિસ્ટન્સ હેક્સને એકસાથે લાવી શકો છો! તે ખરેખર લાગે છે કે આ બધી સુવિધાઓ સક્ષમ થવા પર હારી જવાનો કોઈ વિકલ્પ નથી. પેલેડિન્સ એક્સેન્ટો અન્ય ઘણા વિકલ્પોની સુવિધા આપે છે જે તેને અગ્રણી પેલાડિન્સને hackનલાઇન ઉપલબ્ધ બનાવે છે, જે ફક્ત યોગ્ય છે. તમારે જ્યાં માનવું છે ત્યાં આદર આપવો પડશે, અને પેલાડિન્સ એક્સેન્ટો માટેની વિકાસ ટીમે આનાથી કોઈ ખૂણા કાપ્યા નહીં! પેલાડિન્સ એમ્બોટની અંદર સમાયેલ એફઓવી વર્તુળ આપમેળે તે ક્ષેત્રમાં જતા કોઈપણને લક્ષ્યાંક બનાવશે (જે કદમાં સમાયોજિત કરી શકાય છે), અને તમે તમારા બધા શોટ્સ પર બુલેટની ગતિ / ડ્રોપની આગાહી પણ જોઈ શકો છો. આ ટૂલ બંને ટીમ અને એકલા ખેલાડીઓ માટે શ્રેષ્ઠ છે, કારણ કે બધી સુવિધાઓ તમને ધ્યાનમાં લીધા વિના સ્પર્ધાને જીતવામાં મદદ કરી શકે છે. તમારા સાથી કેટલા સારા છે. સરળ નિયંત્રણનો ઉપયોગ તેની ખાતરી કરવા માટે થાય છે કે તમારી ગેમપ્લે કડક દેખાશે નહીં અથવા સર્વર પરના બીજા કોઈને પણ "શંકાસ્પદ" દેખાશે નહીં! આ તીવ્રતાની ચીટ્સ ઘણીવાર મુશ્કેલ હોય છે, ખાસ કરીને પેલેડિન્સ જેવી રમત માટે, પરંતુ ગેમપ્રોન અમારા વપરાશકર્તાઓને વિશ્વસનીય (અને સરખામણીમાં પરવડે તેવા) પ Palaલેડિન્સ ચીટ્સ પ્રદાન કરવાનું ચાલુ રાખશે. પેલાડિન્સ હેક્સ પ્રશ્નો અમારા પેલાડિન્સ હેક્સ શા માટે તેમ છતાં તમે તમારા પેલાડિન્સ ચીટ્સને બીજા પ્રદાતા પાસેથી ખરીદવાનું વિચારી શકો છો, પરંતુ માત્ર ગેમપ્રોન ગુણવત્તાના સંદર્ભમાં જ વિતરિત કરશે. તમે કોઈ સાધન પર નાણાં કમાવવા માંગતા નથી જે ફક્ત થોડુંક માટે કામ કરે છે, અથવા ફક્ત તમારા પર પ્રતિબંધ લગાવવાનું સમાપ્ત કરે છે - તેથી જ અમારા 100% સલામત અને સ્વચ્છ પેલેડિન્સ હેકનો ઉપયોગ કરવો એ તમારો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈપણ અન્ય સાધનો સાથે સંતાપ ન કરો! અમારા પેલાડિન્સ એઇમ્બોટ કેમ જો તમે તેની સાથે મેચ શરૂ ન કરી હોય તો પણ, અમારા પેલાડિન્સ એક્સેન્ટો એમ્બોટને સક્ષમ કરીને કોઈ રમત ચાલુ છે તે રીતે બદલો! ઇન-ગેમ મેનૂ એડોસ્ટમેન્ટ પ્રાપ્ત કરવા માટે સરળ બનાવે છે, અને તમે સુવિધાઓના અભાવ સાથે વ્યવહાર કર્યા વિના આ પેલેડિન્સ એમ્બોટનો ઉપયોગ કરી શકો છો. બધી સૌથી લોકપ્રિય સુવિધાઓ શામેલ છે, સાથે સાથે કેટલીક વધારાની સુવિધાઓ કે જે ફક્ત ગેમપ્રોન પર મળી શકે છે. અમારા પેલાડિન્સ ઇએસપી શા માટે છે સાચા ઇએસપીનો ઉપયોગ કરવાથી તે ખેલાડી તરીકે તમારા માટે ઘણા વધુ દરવાજા ખોલી શકે છે, કેમ કે તમે હવે આંધળા કામ કરી રહ્યા નથી. તમે દરેક ખૂણામાં શું છૂપો છે તે જાણવા જઈ રહ્યાં છો, કારણ કે ઇએસપી સુવિધા તમને હાડપિંજર અને 2 ડીબોક્સેસ જોશે - જ્યારે તમે અમારા પેલેડિન્સ એક્સેન્ટો આઇટમ ઇએસપી હેકને સક્ષમ કરો ત્યારે તમે રમતની દરેક વસ્તુને જોવાનું પસંદ કરી શકો છો! અમારા પેલેડિન્સ વ Wallલ હેક શા માટે છે વ Wallલ Wallક્સ લાંબા સમયથી હેકિંગ ઉદ્યોગમાં પાયાનો પથ્થર રહ્યો છે, કારણ કે હંમેશાં એવી ઇમારતો બનતી રહે છે જ્યાં તમારા દુશ્મનો (અનિવાર્યપણે) છુપાવે છે. પdલેડિન્સ એકસેન્ટો વ Wallલહckકનો ઉપયોગ શિબિરાર્થીઓને કારણે અનિયંત્રિત મૃત્યુ અને હારી ગયેલી મેચોને અટકાવી શકે છે, કારણ કે તમે હજી પણ આક્રમક રમત-શૈલી જાળવી શકો છો અને સમગ્ર નકશા પર છુપાયેલા લોકોને બહાર કા ;ી શકો છો; હવે છુપાવવા માટે ક્યાંય નથી! અમારા ફોર્ટનાઇટ નોરકોઇલ કેમ રિકોઇલ વળતર એ પેલેડિન્સ હેક્સ માટે એક વિનંતી છે જ્યારે રમત રિલિઝ થઈ હતી, કારણ કે પાછલા ભાગથી તરત જ બંદૂકની લડતની ગતિ બદલાઈ શકે છે. અમારા રિકilઇલ કમ્પેનેસ્ટરને ડાઉનલોડ કરીને તેનાથી છુટકારો મેળવો, એકવાર તે સક્ષમ થઈ જાય, તમારે ફરીથી ફરીવાર ફરી કાર્યવાહી કરવાની જરૂર નહીં પડે. તમારું લક્ષ્ય સાચું અને કંપન મુક્ત રહે! કેવી રીતે શ્રેષ્ઠ પેલેડિન્સ હેક્સ ડાઉનલોડ કરવા? તમે શ્રેષ્ઠ પેલેડિન્સ હેક્સને અહીં જ ગેમપ્રોન પર ડાઉનલોડ કરી શકો છો, અને અમે પ્રક્રિયા ખૂબ સરળ બનાવી છે. જો તમે પહેલાં ક્યારેય કોઈ હેક ડાઉનલોડ કર્યું નથી, તો તમારે પ્રક્રિયાને વધુ વિચારવાની જરૂર નથી. બધું સંપૂર્ણપણે સ્વચાલિત છે, કારણ કે જાતે તમારા હેક્સને ઇન્સ્ટોલ કરવું એ ભૂતકાળની વાત છે. તમે ફક્ત તમારી પ્રોડક્ટ કી ખરીદી શકો છો અને તરત જ ડાઉનલોડ શરૂ કરી શકો છો, કોઈ પ્રશ્નો પૂછ્યા નથી. શા માટે તમારા પેલાડિન્સ અન્ય કરતા વધુ ખર્ચાળ છે અન્ય પ્રદાતાઓની તુલનામાં અમારી પેલેડિન્સ હેક્સ થોડી વધુ ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ તે એટલા માટે છે કે અમે તમને શક્ય શ્રેષ્ઠ અનુભવ આપીશું. અન્ય પ્રદાતાઓ તેમના ઉત્પાદનો માટે એક જ કહી શકતા નથી, તેથી જ તેઓ ખૂબ સસ્તા છે; અમે પણ ખાતરી આપી છે કે ગેમપ્રોન ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે તમારું એકાઉન્ટ 100% સલામત રહેશે. પ્રતિબંધિત એકાઉન્ટ્સ આ ભાગોની આસપાસ સામાન્ય ઘટના નથી! અમે સમય મર્યાદા પ્રદાન કરીએ છીએ જે દરેક માટે કાર્ય કરે છે, કારણ કે તમારે ટૂંક સમયમાં ટૂલ્સ માટે પ્રતિબદ્ધ થવાની જરૂર નથી. તમે તેમને 1-દિવસ અથવા 1-અઠવાડિયાના અજમાયશ સાથે ચકાસી શકો છો, અને જો તમને જે જોઈએ છે તે ગમશે, તો તમે 1-મહિનાની પ્રોડક્ટ કી ખરીદવાનું પસંદ કરી શકો છો! અમે અહીં ગેમપ્રોન પર અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ માટે ગ્રાહકોને સમાવવા તૈયાર કરવા કરતાં વધુ છીએ.
બેટીંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં માહિર રવિન્દ્ર જાડેજા આઇપીએલની સીએસકેમાં ધોધીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળઃ માઇકલ વોનનો અભિપ્રાય ચેન્નઈઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું કહેવુ છે કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજામાં તે બધા ગુણં છે, જેથી તે આવનારા દિવસોમાં ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની કરી શકે છે. માઇકલ વોન પ્રમાણે શાનદાર બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં માહિર રવિન્દ્ર જાડેજા સીએસકેમાં ધોનીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળ છે. વોને જાડેજાને ગણાવ્યો ધોનીનો વિકલ્પ માઇકલ વોને ક્રિકબઝને કહ્યુ, તમે કહી શકો કે ધોની 2થી 3 વર્ષ હજુ રમશે, પરંતુ ઈમાનદારીથી જણાવો, તે ત્યારબાદ શું ખુબ સારૂ રમશે? તેથી તમારે જોવુ પડશે કે તમે કોની આસપાસ ટીમ બનાવી શકો છો. રવિન્દ્ર જાડેજા તે પ્રકારનો ક્રિકેટર છે, જેની સાથે હું ટીમ બનાવવા ઈચ્છીશ. મને લાગે છે કે તે બોલની સાથે મેદાનમાં સારો છે, હાથમાં બેટ સાથે તેની માનસિકતા સારી છે. ચેન્નઈની શાનદાર વાપસી એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે આઈપીએલ સીઝન 2021માં દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરતા બે મેચ જીતી છે. ચેન્નઈએ પંજાબ અને રાજસ્થાનને હરાવી તે સાબિત કર્યુ કે તેનામાં કેટલો દમ છે. માઇકલ વોન તેને બીજી આઈપીએલ ટીમો માટે ખતરો ગણે છે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને રાજસ્થાન સામે 45 રનથી જીત મેળવ્યા બાદ તેની નેટરનરેટ પણ સારી થઈ ગઈ છે. માઇકલ વોનનુ માનવુ છે કે ચેન્નઈની વાપસી મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને આરસીબી જેવી ટીમો માટે વોર્નિંગ છે. વોને કહ્યુ, ચેન્નઈ બીજી ટીમો માટે ખતરો માઇકલ વોને કહ્યુ કે, આ વર્ષે આઈપીએલની ભારતમાં વાપસી બાદ ચેન્નઈની ટીમ અલગ જોવા મળી રહી છે. તેવુ લાગે છે કે આ ટીમને કંઈક મળી ગયુ છે. જો ટોપ ચાર પર નજર કરો તો તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામેલ છે. જો હું બીજી ટીમમાં હોવ તો મને લાગે કે આ એક ખતરાની ઘંટી છે.
જયુબેલી બાગમાં કલોરીન ગેસ લીકેજઃ તંત્રની સાવચેતીથી સબ સલામત દુર્ઘટના ટળી... સવારે ૧૦.૩૦ વાગ્યે પમ્પીંગ સ્ટેશનમાં કલોરીન ગેસ સીલીન્ડરની નટમાં લીકેજ થયું: કેમીસ્ટ મેસવાણિયાને લીકેજની જાણ થતાં જ ફાયર બ્રિગેડ - વોટર વર્કસની ટુકડીઓ ઓકસીજન સાથે સ્થળ પર પહોંચી ગઇઃ બગીચામાં પ્રવેશબંધી ફરમાવી, લીકેજ સીલીન્ડરને રિબડા પાસે ખુલ્લી જગ્યામાં લઇ જવાયો જ્યુબેલી બાગના પાણીના ટાંકામાં સવારે કલોરીન - ગેસનો સીલીન્ડર લીકેજ થયો તે વખતની તસ્વીરના ફાયરબ્રિગેડ તથા વોટર વર્કસના ઇજનેરો દ્વારા ઓકસીજન ગેસ માસ્ક પહેરી યુધ્ધના ધોરણે ગેસ લીકેજ બંધ કર્યું હતું તે દર્શાય છે. ઇન્સેટ તસ્વીરમાં સીટી ઇજનેર વસંતભાઇ રાજ્યગુરૂએ ઘટના સ્થળે પહોંચી લીકેજ સીલીન્ડરના નિકાલની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપેલ તે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) રાજકોટ તા. ૨૪ : શહેરની મધ્યે આવેલ જયુબેલી બગીચાના પાણી વિતરણના પમ્પીંગ સ્ટેશનમાં સવારે કલોરીન ગેસ લીકેજ થયેલ પરંતુ અધિકારીઓની સમયચૂકતાની યુધ્ધના ધોરણે ગેસ લીકેજ બંધ કરવામાં આવતા મોટી દુર્ઘટનાં ટળી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જયુબેલી બાગમાં આવેલ. પાણી વિતરણના પમ્પીંગ સ્ટેશનના કલોરીન યુનિટમાં સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ કલોરીન ગેસ સીલીન્ડર લીકેજ હોવાનું કેમીસ્ટ શ્રી મેસવાણિયાના ધ્યાન ઉપર આવતા તેઓએ યુધ્ધનાં ધોરણે ફાયરબ્રિગેડ તથા સીટી ઇજનેર સહિતના અધિકારીઓને જાણ કરતા ગણતરીની મીનીટોમાં ચીફફાયર ઓફિસર શ્રી ઠેબા સહિતના સ્ટાફે ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ, ૧૦૮ સહિતના કાફલો પહોંચી ગયેલ અને ફાયરબ્રિગેડ જવાનો તથા વોટરવર્કસ ઇજનેરોએ ઓકસીજન સીલીન્ડર યુનિટ અને માસ્ક સાથે સીલીન્ડર પાસે પહોંચી ગેસ સીલીન્ડર ફીટીંગ કરવાના વાલ્વની નટ પાસેનું લીકેજ બંધ કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. કેમકે જો કલોરીન ગેસ લીકેજ વધુ સમય સુધી ચાલુ રહ્યું હોત તો આસપાસ બજાર વિસ્તાર અને બગીચા વિસ્તારમાં આંખોમાં બળતરા, શરીરમાં ખંજવાળ સહિતની સમસ્યાઓ સર્જાવાની ભીતી હતી. દરમિયાન મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટલ ઝોનમાં સ્થિત જયુબેલી પમ્પીંગ સ્ટેશન પર પાણીને જંતુમુકત કરવા માટે કલોરીનેશન કરવું જરૂરી બની રહેતું હોય છે અને આ માટે કલોરીન ટનર બેસાડવામાં આવેલ હોય છે. આ ટનરનો મેઈન વાલ્વ ખરાબ થવાથી આજે સવારે કલોરીન ગેસ ગળતર થયું હતું. જોકે આ ઘટનાની જાણ થતા જ ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટનો કાફલો અને વોટર વર્કસ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જયુબેલી પમ્પીંગ સ્ટેશન પહોંચી ગયા હતાં અને સમગ્ર મામલો જાહેર જનતા કે સ્ટાફને કોઇપણ પ્રકારની સમસ્યા પૂર્વે જ કાબૂમાં લઇ લીધો હતો, તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું. કમિશનરશ્રી આ અંગે વિશેષ વાત કરતા એમ કહ્યું હતું કે, અધિકારીઓએ સાવચેતી તથા સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારો તેમજ બગીચામાં રહેલ જાહેર જનતાને બનાવના સ્થળેથી દુર ખસેડી લીધા હતાં. ગેસ ગળતરથી એકપણ વ્યકિતને કોઇપણ પ્રકારની હાની કે આડઅસર થયેલ નથી. કાર્યપાલક ઈજનેર વી.સી.રાજયગુરૂના માર્ગદર્શન હેઠળ કેમિસ્ટ શ્રી નાગપરા, શ્રી મેસ્વાણી, નાયબ કાર્યપાલક ઈજનેર અશોક પરમાર, કે.પી. દેથરીયા, વોટર વર્કસ (હેડ વર્કસ) નાં સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ત્વરિત જહેમત ઉઠાવીને ત્વરિત રીપેરીંગ હાથ ધરીને કલોરીન ગેસ ગળતર બંધ કરવામાં આવેલ, જે લીકેજ થયેલ સિલિન્ડરને રાજકોટ શહેરની બહાર દુર શીફટ કરવામાં આવેલ છે. આ સમગ્ર બાબતની જાણ કલોરીન સીલીન્ડર તેમજ ટનર સપ્લાય કરતી સંસ્થા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લી. વડોદરા (ગુજરાત સરકાર) ને કરવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતા વોટર વર્કસ ચેરમેન દલસુખભાઈ જાગાણી પણ ત્વરિત સ્થળ પર આવી પહોંચેલ હતાં.(૨૧.૩૨) ૯૦૦ કીલો કલોરીનનું સીલીન્ડર લીકેજ થયેલ જે ૭૫ કરોડ લી. પાણી કલોરીનેશનની ક્ષમતા ધરાવે છે રાજકોટ : જ્યુબેલી પમ્પીંગ સ્ટેશનમાં જે કલોરીન ગેસ સીલીન્ડર લીકેજ થયેલ તે ૯૦૦ કિલો કલોરીન ગેસની ક્ષમતાનો હતો અને ૨જી એપ્રિલે ચાલુ કરાયેલ. લીકેજ વખતે તેમાં તેની ક્ષમતાનો ૧/૩ જેટલો ગેસ બાકી હતો. ઇજનેરોના જણાવ્યા મુજબ આ ગેસ સીલીન્ડરમાંથી ૧ મહિનામાં ૭૫ કરોડ લીટર પાણીનું કલોરીનેશન થઇ શકે.(૨૧.૩૨)
આ 3 પોઝીશન કોઈ પણ મહિલાને એક જ રાત માં બનાવી શકે છે ગર્ભવતી,જાણો કેવી પોઝીશન… | Fearless Voice Home Ajab Gajab આ 3 પોઝીશન કોઈ પણ મહિલાને એક જ રાત માં બનાવી શકે... આ 3 પોઝીશન કોઈ પણ મહિલાને એક જ રાત માં બનાવી શકે છે ગર્ભવતી,જાણો કેવી પોઝીશન… નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો આર્ટિકલ લઈને આવ્યો છું મિત્રો આજે આપણે જાણીશું સંભોગ દરમિયાં આ એવી ત્રણ પોઝિશન છે કે કોઈ પણ મહિલાઓ ને એક જ રાત માં પ્રેગનેટ કરી શકે છે તો મિત્રો ચાલો મિત્રો આપણે પણ જાણી લઈએ આ ત્રણ પોઝિશન વિશે. મિશનરી પોઝિશન.તે ટોચના પદ પર મેન તરીકે પણ ઓળખાય છે ગર્ભવતી હોવા માટે આ સ્થિતિ શ્રેષ્ઠ છે. આ તે છે કારણ કે તે ઉંડા ઘૂંસપેંઠ તરફ દોરી જાય છે અને ગર્ભાશયની નજીક વીર્ય છોડવામાં આવે છે. હિપ્સને ઉંચાઇ પર રાખો.સેક્સ દરમિયાન ઓશિકાઓની મદદથી હિપ્સને થોડું ઉંચું કરવું ગર્ભધારણ કરવામાં મદદ કરે છે કારણ કે સ્ત્રી સર્વિક્સને મેઇલના શુક્રાણુઓને સુધારવામાં સરળ બનાવે છે. ડોગી સ્ટાઇલ.આને પાછળની એન્ટ્રી પોઝિશન કહેવામાં આવે છે જેમાં સેક્સ દરમિયાન પુરુષ પાછળની બાજુથી ઘૂસી જાય છે વીર્ય સ્ત્રી સર્વિક્સમાં પણ આ સ્થિતિમાં થાપણો હોય છે જે વિભાવનાની શક્યતા વધારે છે બાજુમાં આડઅસર પડેલો સંભોગ કલ્પના કરવા માટે પણ મદદગાર છે કારણ કે તે સર્વિક્સને મેલ વીર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. મિત્રો હવે આપણે જાણીશું મહિલાઓ ને સૌથી વધારે કઈ પોઝિશન ગમે છે આજના સમયમાં લગ્ન જીવનમાં સેક્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આવી સ્થિતિમાં યુગલો સેક્સ માટે નવી પોઝિશન્સ અપનાવે છે હવે આજે અમે તમને મિશનરી સેક્સ પોઝિશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ આજે અમે તમને જણાવીશું કે મિશનરી સેક્સની સ્થિતિ શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે આ સિવાય તેને વધુ કાર્યક્ષમ કેવી રીતે બનાવી શકાય આ સાથે તેના શું છે ફાયદા ચાલો જાણીએ તમારા બધાને જણાવી દઈએ કે મિશનરી સેક્સ પોઝિશન એ સૌથી સહેલી સેક્સ પોઝિશન કહેવામાં આવે છે અને આ પોઝિશનમાં મહિલાઓ અને પુરુષો બંને આરામદાયક સ્થિતિમાં રહે છે. ઓછા કામને વધારે સંતોષ આ પોઝિશનમાં મળે છે છોકરીને આ પોઝિશન ખૂબ જ ગમતી હોય છે એવુ એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ ખાસ વાત તો એ છે કે આ પોઝિશન માટે પલંગની પણ જરૂર પડતી નથી ફીમેલ પાત્ર માત્ર હાથનો ટેકો લઈને ટેબલ પર બેસે છે જ્યારે મેલ પાર્ટનરે અહીંયાં સ્ટેન્ડિંગ પોઝિશન લેવાની છે આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનરને મદદ પણ કરે છે. તેને 67 સેક્સ પોઝિશન પણ કહેવામાં આવે છે જોકે ત્યાં ઘણી સેક્સ પોઝિશન્સ છે પરંતુ તે ઉત્તમ માનવામાં આવે છે ચાલો તમને જણાવી દઈએ કે આ સેક્સ પોઝિશનમાં પુરુષ પાર્ટનર સ્ત્રી પાર્ટનર ઉપર રહે છે અને સ્ત્રી પાર્ટનર નીચે રહે છે આ સમય દરમિયાન સેક્સ કરતી વખતે તમે તમારા પાર્ટનરની આંખોમાં આંખો મૂકીને જોઈ શકો છો આ સિવાય તમે તમારા જીવનસાથીને પણ અનુભવી શકો છો આ દરમિયાન પુરુષનું વજન સ્ત્રી પર હોય છે અને બંને એક દંપતીનો પ્રેમ અનુભવી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે આ સેક્સ પોઝિશન 67 નંબર પર આવે છે તેથી તેને 67 સેક્સ પોઝિશન પણ કહેવામાં આવે છે માર્ગ દ્વારા ઘણા લોકો મિશનરી સેક્સ પોઝિશન્સ અપનાવે છે. આ પોઝિશનમાં મેલ પાર્ટનર નીચે હોય છે જ્યારે ફીમેલ પાર્ટનર ઉપરની બાજુ હોય છે મેલ પાર્ટનરે પીઠના ભાગે સૂઈ જવાનું અને બંન્ને પગ ભેગા રાખી પછી ફીમેલ પાર્ટનર ટોપ પોઝિશનમાં રહીને પોતાના હાથનો આધાર લે છે. આ બીજી પોઝિશન અન્ય પોઝિશન્સ કરતા થોડી અલગ છે તેમાં છોકરી એક પડખા બાજુ ફરીને સૂઈ જાય છે જ્યારે પુરુષ તેની પાછળની બાજુએ માછલી જેવા આકારમાં હોઈ છે આ પોઝિશન જરા અલગ હોવાથી છોકરીએ પણ બન્ને પગ સાથે રાખવાના બદલે આગળ-પાછળ રાખવાનાં હોય છે આ પોઝિશનમાં બન્ને પાર્ટનર્સની સમજણ હોવી એ ખૂબ જ જરૂરી છે. મિશનરી સેક્સ પોઝિશનના ફાયદા.તમને જણાવી દઈએ કે આ પોઝિશન તમને ખૂબ શૃંગારિક લાગે છે આ સિવાય આ સ્થિતિ પ્રારંભિક સેક્સ માટે શ્રેષ્ઠ છે આ સ્થિતિને એકબીજાને સ્પર્શ કરીને એક બીજાને વધુ પ્રેમની અનુભૂતિ કરવાનું માનવામાં આવે છે આ સ્થિતિ દરમિયાન બંને ભાગીદારો એકબીજાને ભેટી શકે છે આ સિવાય આ પદ પર કંઈપણ કરી શકાય છે આ સાથે બંને ભાગીદારો આ સ્થિતિને અપનાવીને દંપતીને જોઈ શકે છે.
કેજરીવાલે ઘરે-ઘરે રાશન પહોંચવા માટેની યોજનાને મંજૂરી આપવા વડાપ્રધાનને પત્ર લખ્યો – City Watch News By CITY WATCH NEWS June 8, 2021 64 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને ઘરે ઘરે રાશન પહોંચાડવા માટેની યોજનાને મંજૂરી આપવા માટે માંગ કરી છે. કેજરીવાલે પત્રમાં લખ્યુ છે કે, મહેરબાની કરીને આ યોજના લાગુ કરવા દેવામાં આવે.અત્યાર સુધી રાષ્ટ્રહિતના તમામ કામમાં મેં તમારો સાથ આપ્યો છે. આ કામમાં હવે તમારા સાથની જરૂર છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં જે પણ બદલાવ કરવા માંગે તે અમે કરવા માટે તૈયાર છે. માત્ર દિલ્હીમાં જ નહીં આખા દેશમાં આ યોજના લાગુ કરવાની જરૂર છે. પત્રમાં કેજરીવાલે લખ્યુ છે કે, આ યોજના પર અગાઉ તમારા તરફથી કોઈ વાંધો ઉઠાવાયો નહોતો. ૨૦ જાન્યુઆરીએ દિલ્હી સરકારે આ યોજનાને લાગુ કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ. આ માટે ટેન્ડર પણ મંગાવાયા હતા અને ૩૫ માર્ચથી તેની શરૂઆત થવાની હતી. એ પહેલા કેન્દ્ર સરકારે તેની સામે કેટલાક વાંધા ઉઠાવીને યોજનાને લાગુ કરવા પર બ્રેક મારી દીધી હતી. કેજરીવાલે આગળ લખ્યુ છે કે, અમે એ પછી જે પણ વાંધા હતા તે દુર કર્યા છે. આ યોજનાનુ નામ મુખ્યમંત્રીના નામથી ના રાખી શકાય તે વાત પણ અમે સ્વીકારી લીધઈ હતી. આમ છતા પણ તમે આ યોજના માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી નથી લીધી તેવુ કારણ આપીને તેને મંજૂર કરાઈ નથી. દિલ્હી સરકારે કહ્યુ હતુ કે, મીડિયામાં કેન્દ્ર સરકાર દ્વારા એ પણ કહેવામાં આવ્યુ છે કે, દિલ્હી સરકાર આ યોજનામાં ગરીબ લોકો પાસે વધારે પૈસા લેશે. આ વાત ખોટી છે. અમે એક પણ પૈસો લેવાના નથી. આ યોજના લાગુ કરીને મારી સરકાર પ્રસિધ્ધિ મેળવવા ઈચ્છતી નથી. અમારો ઈરાદો ગરીબોને પૂરૂ રેશન આપવાનો છે.તમે મને આ સ્કીમ લાગુ કરવા દો.હું તમામ ક્રેડિટ તમને આપીશ. આખા દેશને હું પોતે કહીશ કે આ સ્કીમ વડાપ્રધાને પોતે લાગુ કરી છે. મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ ગાજવીજ સાથે વરસાદ,મુંબઇમાં ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ
પરિસ્થિતિ | Gujarati Inspirational Story | Prashant Subhashchandra Salunke Gujarati Story : #2402 Gujarati Story Inspirational : #800 લઘુકથા અકસ્માત વાર્તા કર્મ ડોક્ટર શેઠ રઘુનાથ આજે કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમનો એકનો એક દીકરો મોહન કારની અડફેટમાં આવી ગયો હતો. જો તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો તેમના પુત્ર મોહનના જાનને જોખમ હતું. કહેવાય છે ને કે મુસીબત આવે છે તો ચારેબાજુથી આવે છે. બસ એમ જ શેઠ રઘુનાથ પણ પાછલા કેટલાક સમયથી મુસીબતોથી ઘેરાયેલા હતા. ધંધામાં ભારે નુકસાન થવાને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ હતી. પરિવાર માટે બે ટંકનું ભોજન સુદ્ધા ખરીદવાના પૈસા નહોતા ત્યારે ઓચિતામાં દીકરાના ઉપચારના ખર્ચનું વિચારી જ તેઓ પડી ભાંગ્યા હતા. જિંદગીભર જાહોજલાલીમાં રહેલા શેઠ રઘુનાથને કોઈની સામે હાથ લંબાવવાનું ગમતું નહોતું પરંતુ આજે પોતાના વહાલસોયા દીકરા મોહનના પ્રાણ બચાવવા ખાતર તેઓએ ડોકટરો સામે હાથ લંબાવ્યા. પરંતુ આ કાળઝાળ મોંઘવારીમાં મફત ઈલાજ કરવા કઈ હોસ્પિટલ તૈયાર થાય ! નિરાશ વદને શેઠ રઘુનાથ પાછા ફરી જ રહ્યા હતા ત્યાં તેમના કાન પર અવાજ સંભળાયો. "નર્સ, તાત્કાલિક શેઠના દીકરાને ઓપરેશન થીએટરમાં ખસેડો. શું કહ્યું તેમણે ફી નથી જમા કરાવી ? અરે! બેવકૂફ, આજે હું ડોક્ટર છું તે આ પરમાત્મા એ આપેલી સ્કોલરશીપને કારણે છું ! તેઓએ મારા પર કરેલા ઉપકારનું ઋણ ચૂકવવાનો આજે સમય પાક્યો છે ત્યારે તું ફીની વાત કરી મને પાપમાં નાખે છે ? ઝટ... કામે લાગો... હરી અપ... હમણાંજ આને ઓપરેશન થીએટરમાં ખસેડો..." આમ બોલતા બોલતા ડોક્ટર રાવ જયારે શેઠ રઘુનાથના પગે લાગ્યા ત્યારે ત્યાં ઉભેલ સહુ કોઈ અવાચક નજરે નિહાળી રહ્યા એ સારા કર્મના પરિણામને .
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (18:41 IST) દેશમાં તમને ઠેર ઠેર રાષ્ટ્રગીતો, દેશભક્તિના ગીતો સાંભળવા મળશે.. ધ્વજ કાર પર, બાળકોના હાથમાં અને ઠેર ઠેર લટકાવેલા જોવા મળશે. શુ બે દિવસ દેશભક્તિના ગીતો ગાવાથી કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને જ આપણી ફરજ પૂર્ણ થઈ જાય છે ? આપણો દેશપ્રેમ માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ સુધી જ સીમીત છે ? દેશે કેવી રીતે આઝાદી મેળવી એ વાત તો હવે સૌ કોઈ જાણે છે.. પણ આ આઝાદીની ગરિમા કાયમ રાખવી એ ફરજ કોણી છે ? પોલીસની ? સૈનિકની ? નહી આ બે તો માત્ર પહેરેદારો છે. ભારતની સ્વતંત્રતા અને તેની સંસ્કૃતિને સાચવવી એ દરેક ભારતીયની ફરજ છે. તેનુ કર્તવ્ય છે. તેનો ધર્મ છે. દેશમાં વધતો આતંકવાદીઓનો ત્રાસ એટલો નથી દુ:ખી કરતો જેટલી દેશમાં હાલ બની રહેલ ઘટનાઓ, દેશમાં ઘટતી મહિલાઓની સુરક્ષા, નાની બાળકીઓથી માંડીને મહિલાઓ સાથે વધતી જતી બળાત્કારની ઘટનાઓ.. આ બધુ જોઈને માથુ શરમથી નમી જાય છે. શુ આ એ જ ભારત છે જે રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે... શુ આ એ જ ભારત છે જ્યા શહીદોએ ભારતમાતાને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરવા પોતાનું લોહી રેડ્યુ હતુ ? તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેંશી કેવી રીતે હોઈ શકે.. ? કેમ આજે એ જ ભારતીય પુરૂષ વાસનામાં અંધ થઈને સ્ત્રીને બેઈજ્જત કરી રહ્યો છે. શુ આઝાદી પછી આપણે આ જ મેળવ્યુ છે.. આપણે દુનિયામાં એક નોંધપાત્ર સ્થાન મેળવ્યુ પણ આપણે નૈતિકતાની દ્રષ્ટિએ આટલા નીચે કેમ આવી ગયા ? બદલવો પડશે સમાજ પણ કોણ બદલશે ? કોઈએ કોઈ અવતારના આગમનની રાહ જોવાની જરૂર નથી. આ સમાજ આપણો છે અને આપણે જેવુ કરીશુ તેવો જ સમાજ બનશે. દેશને બાહ્ય દુશ્મનોથી જ નહી આંતરિક દૂષણોથી બચાવવો પણ ખૂબ જ જરૂરી છે. 26 જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે દેશભકતિનો જો તમારામાં થોડો ઘણો પણ જોશ આવતો હોય તો તમારે પણ દેશ માટે કંઈક કરવુ પડશે. તમારે બંદૂક લઈને સીમા પર ઉભા નથી રહેવાનુ કે નથી તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો.. બસ તમે તો માત્ર એક શપથ લો કે તમે ક્યારેય કોઈ સ્ત્રીને બેઆબરૂ નહી કરો.. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરશો.. લઈ શકો છો આવી શપથ.. ?
રમવાની ઉંમરમાં બોલીવુડના આ 8 સ્ટાર્સે કર્યા હતા લગ્ન, ડિમ્પલ કપાડિયા હતી સૌથી નાની | Home HOME રમવાની ઉંમરમાં બોલીવુડના આ 8 સ્ટાર્સે કર્યા હતા લગ્ન, ડિમ્પલ કપાડિયા હતી... રમવાની ઉંમરમાં બોલીવુડના આ 8 સ્ટાર્સે કર્યા હતા લગ્ન, ડિમ્પલ કપાડિયા હતી સૌથી નાની બોલીવુડના આ 8 સ્ટાર્સે રમવાની ઉંમરમાં કર્યા હતા લગ્ન, ડિમ્પલ કપાડિયા હતી સૌથી નાની કોઈ પણ કામ કરવાનો પોતાનો એક યોગ્ય સમય હોય છે. જેમ કે સ્કૂલમાં ભણવા માટે એક યોગ્ય સમય એટલે કે ઉંમર હોય છે, કોલેજ કરવા માટે એક યોગ્ય સમય હોય છે. એવી જ રીતે લગ્ન કરવા માટે પણ એક યોગ્ય સમય હોય છે. લગ્ન દરેકના જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અને એક સમય એવો આવે છે કે જયારે બધાએ લગ્ન કરવા પડે છે. જો કે એ ફરજીયાત નથી, કારણ કે દુનિયામાં ઘણા બધા લોકો એવા પણ છે જે પોતાનું આખું જીવન લગ્ન કર્યા વગર પસાર કરી દે છે. ત્યાં અમુક લોકોના લગ્ન એકદમ યોગ્ય સમયે થઈ જાય છે. તેમજ અમુક લોકો એવા પણ હોય છે જેમના લગ્ન ઘણા મોડા અથવા ઘણા વહેલા થઇ જાય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના થોડા એવા કલાકાર વિષે જણાવીશું જેમણે ઘણી નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. 1) ડિમ્પલ કપાડિયા અને રાજેશ ખન્ના : અભિનેતા રાજેશ ખન્નાને બોલીવુડના પહેલા સુપર સ્ટાર કહેવામાં આવે છે. આ કલાકારે 1973માં પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. જયારે રાજેશ 31 વર્ષના હતા ત્યારે ડિમ્પલ કપાડિયા ફક્ત 16 વર્ષની હતી. આ બંનેની બે સુંદર છોકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. પણ એ વાત છે કે આ બંનેનું લગ્ન જીવન વધારે સમય ચાલ્યું નહીં. 2) શાયરા બાનો અને દિલીપ કુમાર : બોલીવુડની આ જોડી હંમેશા ચર્ચામાં રહી છે, અને આ જોડીને લોકો હંમેશા પસંદ પણ કરતા હતા. અભિનેતા દિલીપ કુમારે 1966 માં શાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. શાયરા બાનો લગ્ન પોતાના લગ્ન સમયે 22 વર્ષની હતી અને દિલીપ કુમાર એનાથી બમણી ઉંમરના એટલે કે 44 વર્ષના હતા. 3) જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ : બોલીવુડની આ જોડીને કુલ જોડી પણ કહેવામાં આવે છે. જેનેલિયાએ પોતાના પ્રેમી અને બોલીવુડના હીરો રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા છે. એમણે જયારે લગ્ન કર્યા ત્યારે એમની ઉંમર માત્ર 24 વર્ષ હતી, જયારે રિતેશ એમનાથી 10 વર્ષ મોટા એટલે કે 34 વર્ષના હતા. એ બંને કલાકારના લગ્ન 2012 માં થયા હતા. 4) આમિર ખાન અને રીના દત્તા : રીના દત્તા અને આમિર ખાન બંને બાળપણના મિત્ર છે એવું જાણવા મળ્યું છે. રીના દત્તા એ સમયે આમિર ખાનની પડોશી હતી. અને બંને ઘણા સારા મિત્રો પણ હતા. મિત્રતા કરતા કરતા તે એકબીજાને પ્રેમ કરી બેઠા અને એમણે લગ્ન પણ કરી લીધા. પણ રીના આમિરના ઘર વાળાઓને પસંદ ન આવી. એનું કારણ એ હતું કે રીના હિંદુ ફેમેલીની છોકરી હતી. બંનેએ 1986 માં બધાથી છુપાઈને લગ્ન કરી લીધા હતા ત્યારે આમિર ખાનની ઉંમર માત્ર 21 વર્ષ હતી. એમના બે સુંદર બાળકો પણ છે જુનૈદ અને ઈરા, જોકે વર્ષ 2002 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ આમિરના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા છે. 5) સૈફ અલી ખાન અને અમૃતા સિંહ : બોલીવુડના છોટે નવાબ કહેવાતા સૈફના લગ્ન પણ નાની ઉંમરે થયા હતા. એમના પહેલા લગ્ન પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે થયા ત્યારે સૈફ અલી ખાન માત્ર 21 વર્ષના હતા. સૈફ અલી ખાને નાની ઉંમરમાં લગ્ન કર્યા હતા અને અમૃતા સિંહ એ સમયે ટોપની હિરોઈન હતી. 6) રાજ કપૂર અને કૃષ્ણા કપૂર : આ બંને જણાએ જયારે લગ્ન કર્યા હતા ત્યારે કૃષ્ણા કપૂર માત્ર 16 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં કૃષ્ણા કપૂરે રાજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. 7) ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર : આ કપલને બોલીવુડનું આઈડિયલ કપલ પણ કહેવામાં આવે છે. ટ્વિંકલ ખન્નાએ 27 વર્ષની ઉંમરમાં પોતાના પ્રેમી અને સાથી કલાકાર અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. 8) નીતુ સિંહ અને ઋષિ કપૂર : એ વાત તો સાચી છે કે ઋષિ કપૂરને કોઈ ઓળખાણની જરૂર નથી. બોલીવુડની ફિલ્મી દુનિયામાં એમનું મોટું નામ છે, અને તે પ્રખ્યાત કપૂર ખાનદાન માંથી છે. નીતુ સિંહે માત્ર 21 વર્ષની ઉંમરમાં ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. અને એ સમયે ઋષિ કપૂર પોતાના ફિલ્મી કરિયરના શિખર પર ઉચ્ચ સ્થાન પર હતા. એમના બે બાળકો રિધિમાં કપૂર અને રણબીર કપૂર છે. 9) ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર : જયારે પણ ધર્મેન્દ્રનું નામ આવે છે તો તરત જ હેમા માલિની આપણા મગજમાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે એમની પહેલી પત્ની પ્રકાશ કૌર હતી. ધર્મેન્દ્રએ પ્રકાશ સાથે જયારે લગ્ન કર્યા હતા ત્યારે પ્રકાશ કૌરની ઉંમર માત્ર 19 વર્ષ હતી. આ કપલના ચાર બાળકો સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજેતા દેઓલ છે. હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની છે. 10) સુનિધિ ચૌહાણ અને બોબી ખાન : સુનિધિ ચૌહાણ સંગીતની દુનિયાનું જાણીતું નામ છે. સુનિધિ ચૌહાણે માત્ર 18 વર્ષની ઉંમરમાં કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. એમને બોબી સાથે પ્રેમ થઇ ગયો હતો. એમના લગ્ન 2002 માં થયા હતા અને 2003 માં તૂટી પણ ગયા. ત્યારબાદ સુનિધિના બીજા લગ્ન મ્યુઝિક કંપોઝર હિતેશ સોનિક સાથે વર્ષ 2012 માં થયા. 11) દિવ્યા ભારતી અને સાજિદ નાડિયાડવાલા : અભિનેત્રી દિવ્યા ભારતીએ વર્ષ 1992 માં બોલીવુડના ફિલ્મ મેકર અને ડાયરેક્ટર સાજિદ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે દિવ્યા માત્ર 18 વર્ષની હતી. લગ્નના થોડા દિવસો પછી જ દિવ્યાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. અને આ વાત આજે પણ એક કોયડો છે. Previous articleશું તમે જાણો છો તાજમહેલનું રહસ્ય? કેમ બંધ રાખવામાં આવે છે તેનું ભોંયરું? હકીકત હોશ ઉડાવી નાખશે
કોરોના ઈન્ડિયા : 4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી | CN24NEWS Home કોરોના અપડેટ કોરોના ઈન્ડિયા : 4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી... કોરોના ઈન્ડિયા : 4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 170 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં 80 હજાર દર્દી વધ્યા હતા. જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50701 પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા 70% વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં 19536, દિલ્હીમાં 17304 અને તમિલનાડુમાં 14131 સંક્રમિત મળી આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 18 હજાર 183 સંક્રમિત વધ્યા અને 13 હજારથી વધુ સાજા થયા હતા. મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ 4841 પોઝિટિવ મળ્યા હતા. હવે અહીંયા 1.47 લાખથી વધારે દર્દી થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 6931 લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ 4.69% છે. મુંબઈમાં 117 ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના પિંપરી ચિંચવાડમાં મહિનાભરમાં કોરોનાના 700% કેસ વધી ગયા છે. સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં આ રીતે કેસ વધ્યા 21જૂન 22જૂન 23 જૂન 24 જૂન 25 જૂન મહારાષ્ટ્ર 3870 3721 3214 3214 4842 દિલ્હી 3000 2909 3947 3788 3390 તમિલનાડુ 2532 2710 2515 2865 3509 મેરઠના ડિવીજનલ કમિશનરે જણાવ્યું કે, નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, બુલંદશહર, હાપુડ અને મુજ્જફરનગરમાં નાઈટ કર્ફ્યૂના સમયની સમીક્ષા કરવામાં આવી હતી. રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જે લોકો માસ્ક વગર સાર્વજનિક સ્થળો પર થૂંકતા જોવા મળશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 28 જૂનથી સલૂન બ્યુટિ પાર્લર ખોલવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનનો પ્રારંભ કરશે. આ યોજના એવા મજૂરો માટે છે જે અન્ય રાજ્યોમાંથી પાછા આવ્યા છે. મુંબઈ પોલીસના પ્રવક્તા પ્રણય અશોકે જણાવ્યું કે, મુંબઈ પોલીસે પોતાના સ્ટાફ અને પોલીસકર્મીઓ માટે ત્રણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. આ કેન્દ્ર કલ્યાણ, મરોલ અને મરીન ડ્રાઈવમાં છે. જેમાંથી એક હજાર બેડની વ્યવસ્થા છે. નેવલ એર સ્ટેશન INS પરુંદુના 30થી વધુ કર્મચારી ગુરુવારે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તમિલનાડુના રામનાથપુરમમાં આવેલા આ નેવર એર સ્ટેશન પરથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર નજર રાખી શકાય છે. આ પહેલા લોનાવાલા ખાતે આવેલા INS શિવાજી બેઝના 12 ટ્રેની સેલર્સ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. હૈદરાબાદની કંપની હેટરોએ કોરોના વાઈરસની જેનેરિક દવા કોવિફોરનો 20 હજાર ડોઝનો પહેલો જથ્થો પાંચ રાજ્ય તેલંગાણા, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ અને મુંબઈ મોકલી દેવાયો છે. હેટરોના જણાવ્યા પ્રમાણે, 100 મિગ્રાનો એક ડોઝ 5400 રૂપિયામાં મળશે ICMRએ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ તૈયાર કરનારા દેશના તમામ નિર્માતાઓ પાસેથી વેલિડેશન માટે અરજી મંગાવી છે. સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધી 3.6 લાખ ભારતીયોને પાછા લવાયા છે. નિગમ કમિશનર શ્રવણ હાર્ડિકરે જણાવ્યું કે, મંગળવારે પિંપરી ચિંચવાડમાં સંક્રમિતોની સંખ્યા 2100ને પાર થઈ ગઈ હતી. જ્યારે 22 મે સુધી અહીંયા માત્ર 274 સંક્રમિત હતા. આ ટ્રેન્ડથી લાગી રહ્યું છે કે ઝડપથી 3000 દર્દી થઈ જશે. સાથે જ મહારાષ્ટ્રમાં એક સપ્તાહમાં જિમ અને સલૂન ખૂલશે, પરંતુ ધર્મ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. મીનાક્ષી લેખીએ કેજરીવાલ પર નિશાન સાધ્યું દિલ્હીમાં 3390 પોઝિટિવ કેસ વધ્યા અને 3328 દર્દી સાજા પણ થયા હતા. અહીંયા અત્યાર સુધી 73 હજાર 780 સંક્રમિત મળી ચુક્યા છે. ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના કેસમાં રાજધાનીની સ્થિતિ મહારાષ્ટ્ર કરતા પણ ખરાબ થઈ રહી છે. કેજરીવાલ સરકારે લોકડાઉનમાં દારૂની દુકાન ખોલાવડાવી, ક્વૉરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપણે ન્યૂયોર્ક સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. પાકિસ્તાનથી 204 ભારતીયોને પરત લવાયા પાકિસ્તાનમાં ફસાયેલા લોકો ભારત પહોંચવા લગ્યા છે. ગુરૂવારે પહેલા તબક્કામાં 204 નાગરિકોને વાઘા બોર્ડરપરથી ભારત લાવવામા આવ્યા હતા. આ સૌ લોકોને 14 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામા આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કા માટે 250 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ 46 લોકો આવ્યા નથી. મધ્યપ્રદેશઃ અહીંયા ગુરુવારે 147 સંક્રમિત મળ્યા અને 8 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 46 અને ભોપાલમાં 32 પોઝિટિવ વધ્યા હતા. 29 દર્દીઓ સથે રાજભવન પરિસર હોટસ્પોટ બની ગયું છે. અહીંયા 4 દિવસમાં 15 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 595 થઈ ગઈ, જેમાંથી 2434 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રઃ અહીંયા ગુરુવારે 4841 નવા દર્દી સામે આવ્યા અને 192 લોકોના મોત થયા હતા. જે 24 કલાકમાં મળેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 47 હજાર 806 થઈ ગઈ હતી, જેમાંથી 63 હજાર 342 એક્ટિવ કેસ છે. મુંબઈમાં 1365 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉત્તરપ્રદેશઃ અહીંયા ગુરુવારે 636 કોરોના દર્દી મળ્યા હતા અને 15 લોકોના મોત થયા હતા. સહારપુર જિલ્લામાં ત્રણ કોરોના દર્દી મળ્યા હતા. આ સાથે જિલ્લામાં 346 થઈ ગયા હતા. બિહારઃ અહીંયા ગુરુવારે 215 કેસ આવ્યા અને એક દર્દીનું મોત થયું હતું. મુઝફ્ફરપુરમાં સૌથી વધારે 28 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 8488 સંક્રમિત મળ્યા છે. રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 287 કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. જોધપુરમાં 52, જયપુરમાં 40 અને પાલીમાં 30 દર્દી વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 16 હજાર 296 થઈ ગયો છે, જેમાંથી 3077 એક્ટિવ કેસ છે. Previous articleરશિયાનું મારકણું શસ્ત્ર S-400 : 400 કિમીની આકાશી ત્રિજ્યામાં 30 કિમીની ઊંચાઈએ ઊડતાં શત્રુ વિમાન પર 17 હજાર કિમીની ઝડપે પ્રહાર કરી શકતી સિસ્ટમ ભારતનું બ્રહ્માસ્ત્ર બનશે? Next articleન્યૂ લોન્ચ : હોન્ડા Grazia 125 સ્કૂટરનું BS6 મોડેલ બે વેરિઅન્ટમાં લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 73,912 રૂપિયા
27જુલાઈ અને 30જુલાઈ દિવસે બની રહ્યો છે ખૂબજ અદભૂત યોગ જે આ રાશિવાળા ને બનાવશે માલામાલ થશે ધનલાભ. - Gujarati Post 27જુલાઈ અને 30જુલાઈ દિવસે બની રહ્યો છે ખૂબજ અદભૂત યોગ જે આ રાશિવાળા ને બનાવશે માલામાલ થશે ધનલાભ. July 25, 2021 GujaratiPost 0 Comments મેષ : મહત્વાકાંક્ષી સ્વભાવ વાળા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. પ્રવાસનો સરવાળો રચાઇ રહ્યો છે. જો કે, આ પ્રવાસ સામાન્ય રીતે ફાયદાકારક રહેશે. બપોરે ઉચ્ચ અધિકારી સાથેની ચર્ચાને કારણે કાનૂની બાજુ નવો વળાંક લઈ શકે છે. આજે ખર્ચ આવક કરતા વધારે છે. જો તમે ધંધો કરો છો, તો આજે એવું બની શકે છે કે કોઈ પૂર્વ-આયોજિત સફર મુલતવી રાખવી પડી શકે. સંબંધીઓ અંગે તણાવ અને મૂંઝવણ રહેશે. વૃષભ : કાર્યક્ષેત્રમાં અધિકારી સાથે અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં ઉદ્યોગપતિ સાથે અણબનાવ થઈ શકે છે. તમારી કાર્ય કુશળતાથી, તમે તમારા દુશ્મનો પર વિજય મેળવશો. આજે તમારા વિરોધીઓ લાખો પ્રયત્નો કર્યા પછી પણ તમને મુશ્કેલી આપી શકશે નહીં. ઘરગથ્થુ ઉપયોગ માટે એક પ્રિય વસ્તુ ખરીદવામાં આવશે. સારો ખર્ચ થશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે. આ સાથે આજે સમાજમાં પણ આદર વધશે. મિથુન : રાજકીય પ્રવૃત્તિઓમાં આજે અવરોધો આવશે. બપોરે કેટલાક નવા કામની રૂપરેખા બનાવવામાં આવશે. ધ્યાનમાં રાખો કે, આજે તમને તમારી મહેનતના પ્રમાણમાં બમણો લાભ મળશે. પરંતુ ધ્યાનમાં રાખો કે વર્તનમાં કોઈ પણ પ્રકારનો ગર્વ ન આવવા દો. આજે દરેકની મદદ કરવા તૈયાર થાઓ. આ તમને ખુશ કરશે. કામોમાં ઉત્તેજના રહેશે. રાત્રે કોઈ શુભ સમારોહમાં ભાગ લેવાની તક મળશે. કર્ક : નોકરી કે ધંધામાં નવી ટેકનોલોજીની માહિતી તરફનો તમારો ઝોક વધશે. એકંદરે, આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આવક અને ખર્ચની સ્થિતિ પણ સંતુલિત રહેશે. જો કે, જીવનસાથી અને વેપારમાં ભાગીદારો તરફથી સહયોગ મળશે. સારા કાર્યોમાં રસ રહેશે. નોકરી કરતા લોકો પ્રગતિ મેળવી શકે છે. મનમાં શાંતિ રહેશે. વધુ પડતી મહેનત થાકનું કારણ બની શકે છે, સાવચેત રહો. સિંહ : મિશ્રિત દિવસ છે, સમાજમાં સ્વચ્છ છબી બનાવવામાં આવશે. ચાલુ કાર્યમાં સાવચેત રહેવું. બઢતી માટેની તકો મળશે. આજે બપોર પછી તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે. પરંતુ આ સમય દરમિયાન બેદરકાર ન થાઓ. ધ્યાનપૂર્વક વિચાર કર્યા પછી જ કામ કરશો, તમને લાભ મળશે. તમારા અધૂરા કાર્યો આજે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, તમને સફળતા મળશે. કન્યા : તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદની સ્થિતિ હોઈ શકે છે. તેથી, તમારી વાણી નિયંત્રિત કરો. કોઈપણ નિર્ણય લેતી વખતે ભાવનામાં ડૂબેલા ન થાઓ, નહીં તો ભાવનાત્મકતામાં લીધેલા નિર્ણયથી નુકસાન થશે. આ સિવાય આજે તમારા રાજ્ય-સન્માન-પ્રતિષ્ઠામાં ચોક્કસપણે વધારો થવાની સંભાવના છે. વળી, જવાબદારી વધવાને કારણે કેટલીક અસ્વસ્થ પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે, પરંતુ ગભરાશો નહીં. સાંજથી રાત સુધી, જુના મિત્રોને મળીને મન પ્રસન્ન રહેશે, તમને શુભ સમારોહમાં ભાગ લેવાની તક મળશે. તુલા : તમને તમારા જીવનસાથીનો સહયોગ અને સહયોગ મળશે. વ્યાવસાયિક પ્રયત્નોથી ફળ મળશે. આજે તમારા વેપારીઓ નવા ધંધામાં પરાજિત થશે. આજે કોઈ પ્રિય વ્યક્તિને મળવાથી અને તેની હાજરીથી તમને આનંદ થશે. ધંધામાં લાભ થશે. જો તમારે કોઈપણ જગ્યાએથી પૈસા લેવા માંગતા હોય તો આજે પ્રયાસ કરો, તમને સફળતા મળશે. આજે રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સાંજથી રાત સુધી કોઈ કિંમતી વસ્તુની ખોટ કે ચોરી થવાની સંભાવના છે, સાવધાન રહેવું. વૃશ્ચિક : તમારો અડધો દિવસ દાનમાં કરવામાં ખર્ચ કરવામાં આવશે. બીજાને મદદ કરવામાં તમને જે આત્મ-સંતોષ મળે છે તેની તુલના અન્ય કોઈ સાંસારિક આનંદ સાથે કરી શકાતી નથી. નોકરી-ધંધામાં આજે તમારી ક્ષમતા અને કાર્યક્ષમતાની પ્રશંસા થશે. તમારા સાથીદારો તમારી પાસેથી શીખશે. જો કે, ઓફિસમાં તમારા અધિકારોમાં વધારો થવાને કારણે સાથીદારોનો મૂડ બગડી શકે છે. સાંજનો સમય દેવ દર્શન-પ્રસાદ-ભક્તિની ભાવનામાં વિતાવશે. ધનુરાશિ : તમે તમારા ધૈર્ય અને નરમ વર્તનથી વાતાવરણ હળવા કરી શકશો. આજે ઘણા દિવસોથી ચાલતી મનની બેચેની શાંત થઈ જશે. તમે મનમાં આંતરિક શાંતિનો અનુભવ કરશો. વધારાની આવકના નવા સ્રોત દેખાશે. પ્રિયજનની મદદ કરવાને કારણે આજે તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાત્રિનો સમય પરિવાર અને મિત્રો સાથે રમૂજમાં વિતાવશે. મકર : કોઈ નવા સોદાથી અચાનક પૈસા મળશે. પત્ની અથવા કોઈ પણ બાળકની તબિયત અચાનક બગડવાના કારણે ઘરમાં તણાવ થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે, તણાવને તમારા પર વર્ચસ્વ ન આવવા દો. મિત્રતામાં આજે કોઈ વિશેષ યોજનાનો ભાગ ન બનો, જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. કુંભ : કોઈ મોટી સફળતાનો આનંદ મળશે. હાથમાં મોટી રકમ મેળવવામાં સંતોષ રહેશે. બપોરે વિરોધીઓને જીતવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામ પણ આજે પૂર્ણ થશે. સાંજનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે. આજે છેલ્લા ચાર દિવસથી પરિવાર અને પત્ની સાથે ચાલી રહેલી ચર્ચા પણ સમાપ્ત થાય તેવી સંભાવના છે. જો કે, સાસરાવાળાઓ તરફથી પણ મહેમાનનું આગમન થવાની સંભાવના છે. મીન : યુવાનો કે જેમણે હાલમાં જ પોતાની કારકિર્દી શરૂ કરી છે, તેઓને આજે તેમની ઓફિસમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. જો તમે સાહિત્ય અને કળાને પસંદ કરો છો, તો તેની સાથે વિતાવવાનો આજે તમારો દિવસ છે. કદાચ તમે કોઈ સાહિત્ય વર્કશોપ પર જાઓ છો અથવા કદાચ તમે કોઈ આર્ટ સ્પર્ધામાં ભાગ લો છો. જો કે, જે થાય છે, તમે તેનાથી ખુશ થશો. કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.
આ રાશિઓના લોકો પર રહે છે શનિદેવની ખાસ કૃપા, જીવનમાં નથી રહેતા કોઈ કષ્ટ | shani dev has special grace on these zodiac people shani dev has special grace on these zodiac people Team VTV 01:16 PM, 26 Jan 22 12 રાશિઓથી જોડાયેલા લોકોના સ્વભાવ, વ્યવહાર અને ભવિષ્ય અલગ અલગ હોય છે. 12 રાશિઓ સાથે જોડાયેલા છે લોકોના સ્વભાવ ભવિષ્યની જાણકારી પણ મેળવી શકાય છે જાણો કઈ રાશિ પર શનિદેવ રહેશે મહેરબાન જ્યોતિષમાં 9 ગ્રહ અને 27 નક્ષત્રના આધાર પર 12 રાશિઓથી સંબંધિત લોકોના સ્વભાવ અને ભવિષ્યની જાણકારી મેળવી શકાય છે. દરેક 12 રાશિઓથી જોડાયેલા લોકોના સ્વભાવ, વ્યવહાર અને ભવિષ્ય અલગ અલગ હોય છે. તે ઉપરાંત લોકોની પસંદ અને નાપસંદ પણ અલગ હોય છે. કુંભ રાશિના લોકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. જનૂની સ્વભાવ હોવાના કારણે આ રાશિના લોકો કોઈ કામ પુરૂ કરીને રાહતનો શ્વાસ લે છે. આ રાશિની ઉપર ન્યાયના દેવતા શનિદેવની ખાસ કૃપા રહે છે. આજ કારણ છે કે કુંભ રાશિના જાતક મહેનત કરવાથી નથી ગભરાતા. મકર રાશિના લોકો પર શનિદેવની ખાસ કૃપા રહે છે. કારણ કે આ રાશિ પર શનિનો આધિપત્ય હોય છે. આ રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવ્યા છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકો ખૂબ કર્મઠ અને જનૂની હોય છે. સાથે જ આ રાશિના લોકો સમય પહેલા પોતાનું કામ પુરૂ કરવામાં વિશ્વાસ રાખે છે. મહેનતી હોવાના કારણે આ રાશિના લોકોને શનિદેવનો આશીર્વાદ મળી રહે છે. કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતી અને સંઘર્ષશીલ માનવામાં આવે છે. સાથે જ લોકો મિલનસાર સ્વભાવના હોય છે. મોટા મોટા પડકારનો હિમ્મતથી સામનો કરે છે. આજ કારણ છે કે આ રાશિના લોકો જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે. હકીકતે કન્યા રાશિમાં બુધ ગ્રહ પ્રબળ હોય છે. બુધ અને શનિની મિત્રતા રહે છે. આ કારણે કન્યા રાશિના જાતક બિઝનેશમાં કુશળ હોય છે. સાથે જ આ રાશિના લોકોને શનિનો આશિર્વાદ મળે છે. આ રાશિના લોકો ખૂબ મહેનત પર ભરોશો રાખનાર હોય છે. માટે તેમના માટે કંઈ પણ અસંભવ નથી હોતું. મહેનતના કારણે કોઈ પણ પડકારને સરળતાથી હાસિલ કરી લે છે. વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનો આધિપત્ય રહે છે. જેના કારણે આ રાશિના લોકો ગુણવાન હોય છે. જે સમયને મહત્વ આપે છે અને દરેક કામને સમય પર પુરૂ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિની મિત્રતા છે. માટે વૃષભ રાશિના લોકો પર શનિની કૃપા રહે છે. કઈ રીતે મળશે શનિ દેવની કૃપા શનિ દેવને ન્યાયકર્તા માનવામાં આવે છે. મનુષ્ય દ્વાપા કરવામાં આવતા કાર્ય અને તેના ફળ પાછળ શનિ જ છે. વ્યક્તિની આજીવિકા, રોગ અને સંઘર્ષ શનિના દ્વારા જ નિર્ધારિત થાય છે. શનિને પ્રસન્ન કરી વ્યક્તિ જીનના કષ્ટોને ઓછા કરી શકે છે. સાથે જ કરિયર અને ધનના મામલામાં પણ સફળતા મેળવી શકે છે.
એમેઝોન નદીની મહાન માછલીઘરને કેવી અસર પડે છે! | Amazonium 28 એપ્રિલ 2018 મુખ્ય » ઉપયોગી » શા માટે Amazonium અથવા ગ્રેટ એમેઝોન નદી આપણા એક્વેરિયમ્સને કેવી અસર કરે છે. શા માટે Amazonium અથવા ગ્રેટ એમેઝોન નદી આપણા એક્વેરિયમ્સને કેવી અસર કરે છે. by amazoniu | માં પોસ્ટ ઉપયોગી | 1 અમારા માછલીઘરમાં એમેઝોન નદી! 1 અમારા માછલીઘરમાં એમેઝોન નદી! 1.1 બધા ફોટા મોટું કરી શકાય છે! 1.2 બધા ફોટા મોટું કરી શકાય છે! 2 એમેઝોન નદીની ભૂગોળ. 3 નદીનો ઇતિહાસ, અથવા એમેઝોન કોણ છે 4 એમેઝોન નદીના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ: રસપ્રદ તથ્યો 5 રસપ્રદ તથ્યો: 6 વિડિઓમાં એમેઝોન નદી: 7 નદી નકશો. 7.1 તાજેતરની પ્રવેશો: જેમ કેટલાક આધુનિક બાળકો વિચારે છે કે દૂધ ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, તેવી જ રીતે ઘણા માછલીઘર પ્રેમીઓને આ અથવા તે માછલી ક્યાંથી આવે છે તેનો ખ્યાલ હોતો નથી. ઉદાહરણ તરીકે, તે અમને લાગે છે કે ગ્પીઝ અને તલવારોની પૂંછડીઓ મૂળ માછલીઘરમાં જન્મે છે, અને તે હંમેશાં આવું રહ્યું છે. જોકે હકીકતમાં આ માછલીઓનું વતન દક્ષિણ અમેરિકાના જળાશયો છે. અને આ જ ખંડોએ અમને એક સૌથી મોટી, અને કદાચ વિશ્વની સૌથી માન્ય નદી, એમેઝોન આપ્યું. અને પહેલેથી જ એમેઝોન પોતે આપણા માછલીઘર પર ખૂબ પ્રભાવિત અને પ્રભાવિત કરે છે. અમે તેના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ, પરંતુ માછલીઘર માછલીની સૌથી વધુ માન્ય અને પ્રોત્સાહિત બ્રાન્ડ્સ એમેઝોન નદીની છે. અહીં ફક્ત આ સૂચિની ટોચ છે. ઉષ્ણકટિબંધીય માછલીઘરનો રાજા - ચર્ચા (Discus) ગ્રેસફુલ બ્યૂટી એન્જેલ્ફિશ (Scalare) ફ્સ્ટી કોરિડોર (Corydoras) શાઇની નિયોન્સ (Neon Tetra) રમૂજી ટેટ્રા (Tetra) રેમિરેઝીના તેજસ્વી Apપ્ટીગ્રામ્સ (Ram cichlid) અનિવાર્ય ઝેબ્રાસ (Pleco Zebra L046) અને, અલબત્ત, એમેઝોન નદીનું પ્રતીક લોહિયાળ પિરન્હા છે (Pirahna) બધા ફોટા મોટું કરી શકાય છે! પરંતુ મહાન નદી માછલી માટે જ નહીં પ્રખ્યાત છે. લગભગ દરેક માછલીઘરમાં, તમને એમેઝોન નદીના વનસ્પતિનો એક ભાગ મળી શકે છે. તેના માટે આભાર, છોડ વચ્ચેની આવી હિટ માછલીઘરમાં આ પ્રમાણે દેખાયા: આ પણ વાંચો ... ફિલ્ટર માટે માછલીઘર વાંસળી! ઇન્સ્ટોલેશન, સમીક્ષા અને વર્ક પ્રો! ઇચિનોડોરસ (Echinodorus) કેબોમ્બા (Cabomba) પાંદડા (Myriophyllum) લિંબોલિયમ (Limbolium) અને જો તમે એમેઝોન રિવર બેસિનના સમગ્ર વિસ્તારને જુઓ, તો તે સ્પષ્ટ થાય છે કે માછલી અને છોડની સૂચિ અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય છે. એમેઝોન નદીની ભૂગોળ. એમેઝોન નદી બેસિન. અને તેમ છતાં એમેઝોન પછીથી સત્તાવાર રીતે લંબાઈમાં બીજા ક્રમે છે નાઇલ તેના 6,690 કિલોમીટર સાથે, તાજેતરના અભ્યાસોએ બતાવ્યું છે કે આ સંપૂર્ણપણે સાચું નથી. 2001 પર, બ્રાઝિલના વૈજ્ .ાનિકોએ દૂરના સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત સ્રોતની લંબાઈ માપવી નેવાડો મિસ્મિ, અને તે નિષ્કર્ષ પર આવ્યા કે એમેઝોનની લંબાઈ 6 કિ.મી. મોટાભાગની નદી બ્રાઝિલમાં આવેલી છે, પરંતુ પેરુ, વેનેઝુએલા, એક્વાડોર, બોલિવિયા અને કોલમ્બિયા પણ નદીના પાટિયામાં આવે છે. બેસિન ક્ષેત્ર 7.2 મિલિયન કિમી XXUMUM છે. નદી એટલા વિશાળ પ્રમાણમાં શુદ્ધ પાણી વહન કરે છે કે જે 2 સેકંડમાં તે ગ્રહના દરેક રહેવાસીઓને એક લિટર પ્રદાન કરી શકે છે. એમેઝોનમાં, પૃથ્વી પરના બધા તાજા પાણીનો પાંચમો ભાગ કેન્દ્રિત છે. દરિયાકાંઠે દરિયાકાંઠે, નદી 30 કિ.મી. સુધી પહોંચે છે, અને નદીના મોંએ 80 કિમી પહોળી છે. અને 325 મીટરની depthંડાઈ સાથે વિશ્વના સૌથી મોટા ટાપુઓમાંથી એક એક ટાપુ છે મરાઝો સ્વિટ્ઝર્લ ofન્ડનું કદ. 4300 કિ.મી. પર નદી નેવિગેબલ છે. મેઇનલેન્ડની deepંડાઇથી, અને સમુદ્રમાં જતા જહાજો શહેરમાં 1690 કિમી વધી શકે છે મનૌસ. આ પણ વાંચો ... માછલીઘર ફરી શરૂ કરો (DM-400). 2 કલાકોની સમીક્ષા અને પ્રારંભ કરો! કેવી રીતે જાણો! નદીનો ઇતિહાસ, અથવા એમેઝોન કોણ છે આ નદી 9 મિલિયન વર્ષ જુની છે. અને નિર્ભીક મહિલાઓ વિશેની પ્રથમ માહિતી જે સ્પેનિશ વિજેતાઓ સાથે લડતી હતી તે 1539 ની છે. ભારતીય મહિલાઓની અકલ્પનીય હિંમતથી સ્પેનિયાર્ડ્સ આશ્ચર્યચકિત થઈ ગયા, જેમણે તેમની સાથે લડતા પુરુષોની તાકાત અને દક્ષતામાં કોઈ પણ રીતે હલકી ગુણવત્તાવાળા લડ્યા નહીં. તે તેમને પ્રાચીન એમેઝોન યોદ્ધાઓની દંતકથાની યાદ અપાવે છે. અહીંથી એમેઝોન નદીનું નામ પડ્યું. એમેઝોન નદીના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ: રસપ્રદ તથ્યો નદીનો વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ એટલા વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે કે નવી પ્રજાતિઓને શોધવામાં અને શોધવામાં તે ઘણા દાયકાઓનો સમય લેશે. ખૂબ રૂ conિચુસ્ત અંદાજ મુજબ, ફક્ત 30% જંગલો અને બેસિનના પાણીની તપાસ અને વર્ણન કરવામાં આવે છે. આ અપ્રાપ્યતા અને વિવિધ જાતિઓના કારણે છે. અહીં એકલા ખજૂરની 800 થી વધુ જાતિઓ છે. અને જો તમે એક્વેરિસ્ટિક્સના દૃષ્ટિકોણથી જુઓ, તો પછી ફક્ત એક વાસ્તવિક સ્વર્ગ છે. કલ્પના કરો, નદીમાં એકલા કેટફિશની 1500 થી વધુ પ્રજાતિઓ છે. વાસ્તવિક નદી રાક્ષસો સુધી ભાગ્યે જ નોંધનીય બાળકોથી. અને વૈજ્ .ાનિકોના જણાવ્યા મુજબ માછલીની કુલ જાતિઓની સંખ્યા 4000 હજાર સુધી પહોંચી શકે છે. તેથી કલ્પના કરવા માટે અને ઘણાં વર્ષો અથવા સદીઓથી નદીના બાયોટોપ્સ બનાવવાનું પૂરતું ખોરાક હશે. આ પણ વાંચો ... માછલીઘરમાં પાણીનો બદલો! (એક કપ કોફીની જેમ!) જાણો કેવી રીતે! રસપ્રદ તથ્યો: અમારા સમય સુધી, લગભગ 7000 કિલોમીટરની લંબાઈ સાથે નદીની આજુબાજુ એક પણ પુલ બનાવવામાં આવ્યો ન હતો. તે ફક્ત 2010 માં જ રિયો નેગ્રોની એક સહાયક નદીમાં પુલ બનાવવામાં આવ્યો હતો. તેની લંબાઈ 3 595 મીટર હતી. વેબસાઇટ amazoniumનેટ મહાન નદીના સન્માનમાં તેનું નામ મળ્યું Amazon અને શબ્દનો બીજો ભાગ aquarium. વિડિઓમાં એમેઝોન નદી: નદી નકશો. શા માટે Amazonium અથવા કેવી રીતે મહાન એમેઝોન નદી આપણા માછલીઘરને અસર કરે છે. આ લેખમાં મેં ટૂંકમાં કહેવાનો પ્રયાસ કર્યો કે મહાન એમેઝોન નદીએ અમારા માછલીઘરને કેવી રીતે પ્રભાવિત કર્યો, લોકપ્રિય માછલીનું જન્મસ્થળ ક્યાં છે અને નામ કેવી રીતે પાડ્યું? amazoniumનેટ
કામની વાત/ એક મિસ્ડ કૉલ પર મળી જશે 7.50 લાખની લોન, એક ક્લિકે જાણો SBIની આ ખાસ સ્કીમ વિશે - GSTV કામની વાત/ એક મિસ્ડ કૉલ પર મળી જશે 7.50 લાખની લોન, એક ક્લિકે જાણો SBIની આ ખાસ સ્કીમ વિશે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સીનિયર સિટિઝન્સ માટે એક ખાસ સ્કીમ લૉન્ચ કરી છે. રિટાયર્ડ કર્મચારીઓ માટે SBI પેન્શન લોન સ્કીમ ઘણાં કામની છે. આ સ્કીમ અંતર્ગત પેંશનર્સને એક કૉલ પર લાખો રૂપિયાની લોન મળી રહી છે. આ સ્કીમ અંતર્ગત પેંશનર્સ મિનિમમ 2.50 લાખ રૂપિયા અને મેક્સીમમ 14 લાખ રૂપિયા સુધી લોન લઇ શકે છે. લોનનો વ્યાજ દર 9.75 ટકા છે. લોન માટે અરજી એક ફોન કૉલથી પણ થઇ જશે. આ ઉપરાંત મિસ્ડ કૉલ અથવા SMS દ્વારા અરજી કરી શકાય છે. મિસ્ડ કૉલ પર લોન આપશે SBI SBIએ પોતાના ટ્વીટમાં કહ્યું, હેપ્પી રિટાયરમેંટ હવે મિથ્યા નથી રહી. બસ અમને 7208933142 પર મિસ્ડ કૉલ કરો અને પેન્શન લોન વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરો. આ કેન્દ્ર અને રાજ્ય સરકારોના પેંશનર્સ, ડિફંસ પેંશનર્સ અને ફેમીલી પેંશર્નસ, જેની ઉંમર 76 વર્ષથી ઓછી છે, તેમના માટે અરજી કરી શકે છે. SBI પેન્શન લોનનુ ડોક્યુમેંટેશન ઘણુ ઓછુ છે અને તેમાં પ્રોસેસિંગ ફીસ પણ વધુ નથી. તેના માટે SBI બ્રાન્ચ પરથી પણ અરજી કરી શકાય છે. જેનું પેન્શન ખાતુ SBIમાં છે તો લોન માટે અરજી કરી શકે છે. લોન માટે આ રીતે કરો અપ્લાય પેન્શન લોન લેવા માટે તમે બેન્ક બ્રાન્ચમાં અપ્લાય કરી શકો છો. આ વિશે વધુ જાણકારી માટે તમે 7208933142 પર મિસ્ડ કૉલ કરી શકો છો. આ ઉપરાંત તમે 7208933145 પર 'PERSONAL' SMS પણ કરી શકો છો. તે બાદ બેન્ક તમને કૉલ બેક કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનર્સ માટે યોગ્યતા પેન્શનભોગીની ઉંમર 76 વર્ષથી ઓછી હોવી જોઇએ. પેન્શન પેમેન્ટ ઓર્ડર SBIમાં મેંટેન હોવુ જોઇએ. પેન્શનરને લેખિતમાં આપવુ પડશે કે જ્યાં સુધી લોનનો પીરિયડ પૂરો નથી થતો, તે ટ્રેજરીને આપેલા પોતાના મેંડેટમાં સુધાર નહી કરે. ટ્રેજરીને પણ લેખિતમાં તે સહમતિ આપવી પડશે કે જ્યાં સુધી બેન્ક એનઓસી ન આપે ત્યાં સુધી તે પેન્શનર દ્વારા તેના પેન્શન પેમેન્ટને કોઇ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવાની અરજીને નહીં સ્વીકારે. યોજનાના અન્ય તમામ નિયમ અને શરતો લાગુ થશે, જેમાં પતિ અથવા પત્ની (પરિવાર પેન્શનને પાત્ર) અથવા એક યોગ્ય થર્ડ પાર્ટી દ્વારા ગેરેન્ટી સામેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનર્સ મિનિમમ 7.5 લાખ રૂપિયા અને મહત્તમ 14 લાખ રૂપિયાની લોન લઇ શકે છે. લોનની રિપેમેન્ટ મહત્તમ 78 વર્ષની ઉંમર સુધી કરી શકાય છે. ડિફેન્સ પેન્શનર્સ માટે યોગ્યતા સેના, નેવી અને વાયુ સેના, અર્ધસૈનિક દળ (સીઆરપીએફ, સીઆઇએસએફ, બીએસએફ, આઇટીબીપી), કોસ્ટ ગાર્ડ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને અસમ રાઇફલ્સ સહિત સશસ્ત્ર દળોના પેન્શનર્સ લોન માટે અરજી કરી શકે છે. યોજના અંતર્ગત કોઇ લઘુત્તમ આયુ નિર્ધારિત નથી. લોન પ્રોસેસિંગના સમયે મહત્તમ ઉંમર 76 વર્ષથી ઓછી હોવી જોઇએ. ફેમિલી પેન્શન માટે યોગ્યતા ફેમિલી પેન્શનર્સમાં પેન્શનભોગીના મૃત્યુ બાદ પેન્શન પ્રાપ્ત કરવા માટે પરિવારના મોટાભાગના સભ્યો સામેલ છે. ફેમિલી પેન્શનર્સની ઉંમર 76 વર્ષથી વધુ ન હોવી જોઇએ. breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsLoannews in gujarationline news gujarati livepension loanSBI
મારવાડી કોલેજમાં સાતમા માળે પગથીયા ઉતરતાં પડી જતાં વોચમેન રતનપરના જેન્તીભાઇનું મોત રાજકોટ તા. ૩: મોરબી રોડ પર બેડી નજીક આવેલી મારવાડી કોલેજમાં વોચમેન તરીકે નોકરી કરતાં વૃધ્ધ પરમ દિવસે સાંજે કોલેજમા સાતમા માળેથી પગથીયા ઉતરતી વખતે પડી જતાં છાતીમાં ગંભીર ઇજા થતાં હાંસડી ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મોત નિપજ્યું હતું. મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં જેન્તીભાઇ શંકરભાઇ મહિડા (ઉ.વ.૬૦) બુધવારે સાંજે છએક વાગ્યે મારવાડી કોલેજમાં વોચમેન, લિફટમેનની નોકરી પર હતાં ત્યારે સાતમા માળે કામ સબબ ગયા હતાં. ત્યાંથી પગથીયા ઉતરી નીચે આવી રહ્યા હતાં ત્યારે એક પગથીયું ભુલી જતાં ગબડી જતાં ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ આજે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઇ નિમાવત અને યુવરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણેક મહિનાથી વોચમેનની નોકરીમાં જોડાયા હતાં. તે ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર છે.
સ્પર્મ કાઉન્ટ ઓછું હોવાની સમસ્યાનું સમાધાન, આ એક વસ્તુ સાબિત થશે બૂસ્ટર | sperm count increases by eating clove sexual problems will go away sperm count increases by eating clove sexual problems will go away Team VTV 05:07 PM, 09 Jan 22 જો તમારા સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યાં છે અને તમે તેનાથી પરેશાન છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. સ્પર્મ કાઉન્ટ ઘટવાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણકે ફક્ત આ 1 ચીજ વસ્તુ ખાવાથી તમારી સમસ્યા દૂર થઇ શકે છે. આ કોઈ ચીજ વસ્તુ નહીં પરંતુ તમારા ઘરમાં રહેલા લવિંગ છે. શું તમારા સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યાં છે? શું તમે સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી પરેશાન છો? તો ઘરમાં રહેલી આ વસ્તુનું કરો સેવન, સમસ્યા થશે દૂર આ બિમારીમાં લવિંગ સંજીવની બુટ્ટી સમાન જો તમે લવિંગ ખાશો તો તમારા સ્પર્મ કાઉન્ટ વધી જશે. મહત્વનું છે કે, લવિંગ ખૂબ ગુણકારી હોય છે. લવિંગ સ્પર્મ કાઉન્ટ વધારવાની સાથે પાચનની સમસ્યા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ જેવી બિમારીમાં પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને જિન્ક જોવા મળે છે. જેનાથી શરીર સારું રહે છે. લવિંગ ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ નિષ્ણાંતો મુજબ, જો તમે નિયમિત રીતે લવિંગનું સેવન કરશો તો તમારા સ્પર્મ કાઉન્ટ સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ આવી જશે. લવિંગ ખાવાથી તમારા સ્પર્મ કાઉન્ટ વધી જશે. જો કે, તમારે આ વાતનું ધ્યાન રાખવુ પડશે કે લવિંગ મર્યાદીત માત્રામાં જ ખાઓ. કારણકે આ પુરૂષોના હાર્મોન ટેસ્ટોસ્ટેરોન પર અસર કરે છે. લવિંગ પાચનની સમસ્યાને દૂર કરે છે આ સિવાય તમે દરરોજ સવારે ખાલી પેટ 2 લવિંગ ખાશો તો તમારી પેટને સંબંધિત સમસ્યાનો ઉકેલ આવી જશે. લવિંગ પાચન તંત્રમાં એન્ઝાઈમના સ્ત્રાવને વધારી દે છે, જેનાથી અપચાની સમસ્યા થતી નથી. તો જો તમે રાત્રે ઉંઘતા પહેલા ગરમ હુંફાળા પાણીની સાથે 2 લવિંગ ખાઓ છો તો તેનાથી તમારી ઈમ્યુનિટી વધે છે. તમારા શરીરની બિમારીઓ સાથે લડવાની ક્ષમતા વધી જાય છે.
અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બનશે ચાર ગ્રહોનો શુભ સંયોગ, જાણો તમારા માટે રહેશે કેટલો શુભ - GSTV 16 વર્ષ પછી સ્વયંસિદ્ધ મુહુર્ત અક્ષય તૃતીયાએ ચાર મોટા ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં આવવાના છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ મળીને ખરીદી અને માંગલિક કાર્યોના શુભ યોગ બનાવશે. આ દિવસે પરશુરામ જયંતી પણ ઉજવાશે. જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વર્ષે બધા જ કામોમાં માટેના અબુઝ મુહુર્ત અને સ્નાન, દાનની પાવન તિથિ વૈશાખ શુક્લ પક્ષ તૃતિયા એટલે કે અક્ષય તૃતિયા 7 મે એ હશે. આ તિથિ સવારે 3 .17થી લઇને આખો દિવસ રહેશે. રોહિણી નક્ષત્રમાં સાંજે 4.26 સુધી ને વૃષભનો ચંદ્રમા પણ રહેશે. હિન્દુ પંચાંગ મુજબ 16 વર્ષે અક્ષય તૃતિયાએે ચાર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો. આ પહેલા 2003માં આવો યોગ બન્યો હતો. આ અક્ષય તૃતિયાએ સૂર્ય, શુક્ર, ચંદ્ર અને રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં આવશે. આ ઉપરાંત બીજા કેટલાક શુભ સંયોગ પણ આ દિવસે બની રહ્યાં છે. આ વખતે રવિ, અતિગણ્ડ યોગ અને રાજયોગ પણ રહેશે. જેમની રાશિમાં આ દિવસોમાં કોઈ મુહુર્ત ના હોય તે લોકો અક્ષય તૃતિયાએ લગ્ન કરી શકે છે. બીજા શુભ પ્રસંગો અ્ને લગ્ન માટે પણ આ દિવસ સારો છે. – માન્યતા છે કે આ દિવસે કરેલુ સ્નાન, દાન, તપ, જપ અને હવન વગેરેનું અભક્ષય ફળ મળે છે. – આ દિવસે પૂર્વજોની યાદમાં ઠંડા પાણીની માટલા પરબમાં મુકાવાથી અને શીતળ વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે.
"મા બનવાનો અધિકાર" - શું છે આ વાર્તાની હકીકત તમે જાતે જ વાંચીને જાણો, દિલ દ્રવી ઉઠશે તમારું.. - જલ્સા કરોને જેંતીલાલ Home લેખકની કટારે નિયતી કાપડિયા "મા બનવાનો અધિકાર" – શું છે આ વાર્તાની હકીકત તમે જાતે જ... "મા બનવાનો અધિકાર" – શું છે આ વાર્તાની હકીકત તમે જાતે જ વાંચીને જાણો, દિલ દ્રવી ઉઠશે તમારું.. " वैसे ही कुछ कम नहीं है बोझ दिल पर जिंदगी में.. और ये दर्जी जेब बायीं ओर सिल देता है कम्बख़्त..!" અનુનો આજે ગાંધીનગરમાં પહેલો દિવસ હતો. જામનગરથી એના ક્લાસ-વન ઓફિસર પતિની અહીં ટ્રાન્સફર થઈ હતી. સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી અનુને અહિં પુરતી છુટ મળશે એ વિચાર આનંદિત કરી જતો હતો. એ સિવાય બીજી કોઈ વાતે એને ગાંધીનગર આવવું પસંદ ન હતું. એના પતિએ પણ અનુને કંઈ તકલીફ ના પડે એ માટે સરકારી ક્વાર્ટર ને બદલે ભાડાનું ઘર જ એક સારી સોસાયટીમાં લઈ લીધું હતું. આજકાલ કરતાં ત્રણ મહિના વીતી ગયા. ધીરે ધીરે અનુ નવી જગાએ, નવા માહોલમાં ગોઠવાતી જતી હતી. અનુનાં રસોડાની બારીમાંથી પાછળના ઘરની એક બારી દેખાતી. એમ કહોકે બન્ને બારીઓ સામ સામે હતી. અનુ જ્યારે રસોડામાં હોય ત્યારે કોઈ કોઈ વખત એને સામી બારીમાં એક સ્ત્રી દેખાતી. એ ગર્ભવતી હોય એવુ લાગતું હતું. અનુ જ્યારે પણ એ બેનને જોતી એ ફોન પર કોઈની સાથે વાતો કરતી જ જોવા મળતી. ઘણી વખત રાતના સમયે એમના ઘરમાંથી ઝઘડાના અવાજો આવતા…સ્ત્રી અને પુરુષ વચ્ચેના ઝઘડાના ! "ટિંગ ટોંગ…" બેલ વાગતાં જ અનુએ બારણું ખોલ્યું. સામે જે બહેન ઊભા હતા એમને અનુ રોજ જોતી હતી, એના રસોડાની બારીથી. "કેમ છો? મજામાને?" આવનાર બાઈએ પુછ્યું. "મને ના ઓળખી? હું કંચન! તમારા ઘરની પાછળ જે મકાન છે એમાંથી આવું છું." "હા, હા તમને તો હું લગભગ રોજ જ જોઉં છું." અનુએ હસીને આવકાર આપ્યો. "આવોને અંદર બેસીએ." બન્ને જણાએ થોડી આડી અવળી વાતો કરી. વાતવાતમાં કંચને જણાવ્યું કે એનો પતિ દારુડીયો છે. વરસોથી પીવાની ટેવને લીધે હવે એ જ્યારે પિધેલો ના હોય ત્યારેય પીધેલા જેવો જ લાગે છે, ને એનું વર્તન પણ કોઈ ગાંડા જેવું છે. દારુ, જુગાર, ચોરી, આવારાગીરી કરવી એજ હવે એનું કામ છે! સરકારે એને નોકરીમાંથીય કાઢી મેલ્યો, આવાને રાખે કોણ? આતો મારે છઠો મહિનો જાય છે એટલે એની સાથે જેમતેમ નિભાવે જઉં છું. એક્વાર ખોળો ભરાવીને પિયર ચાલી જઉં પછી કોઈ દા'ડો અહિં પાછી નહિ આવું. છેલ્લે કંચને જણાવ્યું કે એના પતિની નજર ને નિયત બન્ને બહુ ખરાબ છે! અનુએ એનાથી થોડું સંભાળીને રહેવું! આખો દિવસ એ ઘરમાં એકલી હોય છે એટલે પડોસીના ને, એથીયે વધારે એક સ્ત્રીના નાતે એ ચેતવવા આવી હતી! અનુને અહિં આવે હવે ઘણો સમય થઈ ગયો હતો. રાજ, એના પતિએ એને એક ગાડી અપાવી દીધેલી જેથી એ એકલી પણ આરામથી બહાર આવ-જા કરી શકે. અનુએ કેટલીક નવી બહેનપણીઓ પણ બનાવી હતી. કંચનનો પતિ ઘણી વાર એને રસ્તા ઉપર આવતા જતા ભટકાઈ જતો. એ હંમેશા નશાની હાલતમાં ડોલતો જતો જોવા મળતો. કોઈ કોઈ વખત અનુને લાગતું કે, એ જાણે એની આસ પાસ જ ફરી રહ્યો છે. ઘણીવાર એવું થતું કે અનુ દરવાજો ખોલે અને એના ઘરની સામેના રોડ પર પેલો ઉભેલો દેખાય! અનુ ઘરના બધા દરવાજા બરોબર બંધ કરીને રાખતી. એને કંચનની કહેલી વાત બરોબર યાદ હતી. એ થોડી થોડી ગભરાતી હતી… ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રંટ ગુજરાતનો કાર્યક્રમ ચાલતો હતો. રાજને પણ ત્યાં હાજર રહેવું પડતું. એમાં એક દિવસ એર-શોનું આયોજન હતું. અનુની એક સખીએ અનુને પણ એ શો જોવા જવા માટે મનાવી લીધી હતી. રાજને તો જરીકે નવરાસ ન હતી એટલે અનુ જાતે જ ગાડી લઈને નીકળી હતી. એર-શો પત્યા પછી અચાનક અમદાવાદ જવાનું બધી સખીઓએ પ્લાનિંગ કર્યુ. એ બધીને માટે અમદાવાદ ખરીદી કરવા જવું આમ વાત હતી. અનુ અજાણી હતી. એણે જરીક આનાકાની કરી પછી, એ પણ જવા તૈયાર થઈ ગઈ. આમેય રાજની પાસે એના માટે સમય નહતો, ને શોપિંગ કરવાનું કઈ સ્ત્રીને ના ગમે! બધી સખીઓ અમદાવાદમાં ફરીને પાછી આવી ત્યારે રાતના આઠ વાગી ગયેલા. અનુની સાથે એની ગાડીમાં રસ્તો બતાવવા બેઠેલી સખી સેક્ટર-ચારમાં રહેતી હતી. એને ઘરે ઉતારીને અનુ પોતાને ઘરે જવા નીકળી. અનુનું ઘર સેક્ટર ૨૦માં હતુ. હવે અનુને ગાંધીનગરના રસ્તા થોડા થોડા યાદ રહી ગયા હતા. એ હવે જલદી ઘરે પહોંચી જવા ઈચ્છતી હતી. પણ, અહિંજ નિયતિએ એના માટે કંઈક નવું જ નિર્ધારીત કર્યુ હતું. રોજ એ જે રસ્તેથી અવર-જવર કરતી હતી એ અત્યારે લોકોની ભીડને કંટ્રોલ કરવાના હેતુથી બંધ કરી દેવાયો હતો. એ સહેજ ગભરાઈ છતાં, એને થયું કે રાજની સાથે એ લગભગ બધાજ રસ્તાઓ પર ઘણી વખત ફરી ચુકી છે. દરેક જગાએ સર્કલ પર એ જગાનુ નામ તો લખેલું જ હોય છે, ને એની ગાડીમાં જીપીએસ છે! હાથમાં મોબાઇલ! ડરવાનું કે ગભરાવાનું કોઈ કારણ ન હતું. એણે ગાડી મારી મુકી… રાતનો સમય હતો. જે ગાંધીનગર સર્કલે ભર્યુ ભર્યુ ને જીવંત, રોશનીથી ઝળાંહળાં લાગતું હતું એ અહિં પાછળના માર્ગ પર જાણે ઠંડીમાં ઠુંઠવાઈને ઘરમાં કોઈ ખૂણે છુપાઈ ગયું હતું. એક તો અંધારુ, નવો રસ્તો ને થોડી ગભરાહટ! થઈ જ ગયું જે થવાનું હતું, અનુ રસ્તો ભુલી ગઈ ! રસ્તા ઉપર સરિતા ઉધાનનું પાટિયું આવીને ગયું. અનુને ખયાલ આવી ગયો કે એ રસ્તો ભુલી છે. છતા એ હિંમત ના હારી એને યાદ હતું કે અહિંથી આગળ જતાં અક્ષરધામ વાળો રોડ આવશે. ત્યાંથી ઘરે પહુંચાશે. એને બસ હવે એ વળાંકને જ ધ્યાનમાં લેવાનો હતો. એણે ગાડીને ત્રીજા ગેરમાં નાખીને ત્રીસ-ચાલીસની સ્પીડે, આગળ આવતા વળાંકને ધ્યાનમાં રાખી ગાડી આગળ વધારી. બહાર અંધારું કાળા ડીબાંગ વાદળ જેવું ધરતી પર ઉતરી આવ્યું હતું. આસપાસ કોઈ અવર જવર ન હતી. એનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. ગળામાં શોષ પડી રહ્યો હતો. એને પોતાને એના હ્રદયના ધબકારા સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. કોઈ અજાણ્યો ભય એના ઉપર હાવી થયે જતો હતો. કશુંક અજુગતું બનવાની જાણે એનું મન એને ચેતવણી આપી રહ્યું હતું. "ઢીઈજ્સ્સ્સ્સ્સ્સ્……ધડ્ડ્ડ્…." અચાનક એની ગાડી નીચે કશુક જોરથી અથડાયું. એણે હતું એટલું જોર વાપરીને બ્રેક પર પગ દબાવ્યો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઉભી રહી ગઈ. અનુને આખા શરીરે પરસેવો વળી ગયો. ગાડીમાંથી નીચે ઉતરીને પાછળ જોવાની ઇચ્છાતો થઈ પણ હિંમતના ચાલી. એના મને કહ્યું, "પહેલા અપની જાન બચાઓ!" ગાડીમાં એણે ચાવી ગુમાવી. "ઘુર્ર્ર્રરર ….ઘુર્ર્ર્ર્ર્રરર …." જોઈએ એવી ગાડીના ઘુર્રાઈ, મતલબ કે ચાલુ ના થઈ! અનુએ બે, ત્રણ, ચાર વખત પ્રયાસ કર્યો. એની આંખોમાં આંસુ આવી ગયા, ગાડી ચાલુ ના થઈ! અનુએ એનો મોબાઈલ હાથમાં લીધો, રાજને ફોન જોડ્યો. અફસોસ નેટવર્ક ના હતું… અનુને હવે એની જાત પર જ ગુસ્સો ચડ્યો, શું જરુર હતી શોપિંગ કરવા જવાની? રાજ સાથે પછીથી ના જઈ શકત? રાજ? એને વાયડાને ટાઇમ જ ક્યાં હોય છે? આખો દાડો નોકરો જ કરવો તો, તો પરણ્યોજ શું કામ? બધો વાંક એનો જ છે! અહિં મને કોઈ ગુંડો મારીયે નાખે તો એને શું ફરક પડી જવાનો? વરસ થશેને કોઈક બીજીને પરણી જશે. આમેય એને તો દિપીકા ગમે છે ને હું તો માધુરી જેવી લાગું છું! અનુ હવે રડી રહી હતી. એને આસપાસનું જાણે કોઈ ભાન જ ના હતું. ડરની મારી બિલ્લી જેમ આંખો મીંચી દે એવી એની હાલત હતી. "પૂઊઓ…પૂઓ…" જોરથી ગાડીનો હોર્ન સંભળાયો, એના ઉપર જ કોઈ લાઇટ ફેંકી રહ્યુ હતુ. "અંદર એક લેડી છે." કોઈ બોલ્યુ, "રસ્તામાં કેમ ગાડી ઉભી રાખી છે?" એની ગાડીનો ગ્લાસ ખખડાવી કોઈ પુછી રહ્યું હતું. અનુ પહેલાથી જ ડરેલી હતી. હવે એના મગજે કામ કરવાનુ લગભગ બંધ કરી દીધેલુ. એણે જોયુ કે એની ગાડીની સામે કોઈક પરિચિત ચહેરો હતો. હા, એ માણસને હું ઓળખું છુ, એના મને કહ્યું. એક જબકારો થયો, આતો પેલો છે, પેલો દારુડીયો, કંચનનો પતિ. એક જ સેકંડમા એણે નિર્ણય લિધો. "ભાઇ, હું અનુ, તમારી પાડોશી. મારી ગાડી બગડી છે, પ્લીઝ મદદ કરો." તુટક સ્વરે એનાથી આટલું જ બોલાયુ એ ગાડીની બહાર આવી ચુકી હતી. જે હવાલદાર ગાડીનો દરવાજો ખખડાવતો હતો એને ધક્કો મારીને! એ પડતાં પડતાં બચેલો. એના મોઢામાંથી ગાળ નીકળવા જ જતી હતી કે અનુના માનેલા ભાઈએ એની તરફ હાથ ઉંચો કરીને ચુપ રહેવા ઈશારો કરેલો. "બહેન તમે આ ગાડીમાં બેસી જાવ, હું ઘરે જ જઈ રહ્યો છું, તમને તમારા ઘરે ઉતારી દઈશ." પેલો દારુડીયો, કંચનનો પતિ બોલ્યો. અનુ બેસી ગઈ, એ સિવાય છુટકો જ ક્યાં હતો? " જરીકે ડરતી નહીં બહેન, તું ગુજરાત ક્રાઇમ બ્રાંચના ઇન્સપેક્ટરની સાથે છે. તને તારા ઘરે સલામત પહોંચાડીશ." અનુ ડરી રહી હતી પહેલા પણ, હવે અનુનો ડર ગાયબ થઈ ગયો. એણે નોધ્યું કે ગાડી ચલાવતાં એક વાર પણ એ માણસે પાછળ નજર સુધ્ધાં કરી ન હતી. શાંતિથી મધ્યમ ગતિએ ડ્રાઇવ કરીને એણે અનુને છેક એના ઘરના દરવાજે ઉતારી ને, એ એનાએ જ રસ્તે પાછો વળી ગયો. રાતે રાજ ઘરે આવ્યો ત્યારે એની સાથે એક ડ્રાઇવર અનુની ગાડીને પણ લઈને આવેલો. ગાડી મુકીને એ જતો રહ્યો. ઘરમાં આવતાં જ અનુ રાજને ભેંટી પડી. રાજે એના માથા ઉપર સાંત્વના આપતો હાથ ફેરવ્યો. "ગાડી કેમ બંધ પડી ગઈ હતી?" " મેડમ, ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયેલું. ને અંધારામાં તને રસ્તા પર પડેલો મોટો પથ્થર ના દેખાયો. તને જેણે ઘરે મુકી એણે મને ફોન કરેલો. એણે જ બધી વાત કરી. " રાજ હસીને બોલ્યો. "એ બધું પછી પહેલા એ કહે કે આ ઇન્સપેકટર કેવો માણસ છે?" "કેવો એટલે, એકદમ ઈમાનદાર અને બાહોશ! તું અહિં આવી એના થોડા દિવસ પહેલા જ એની જાંઘ પર ગોળી વાગેલી, બુટલેગરે મારેલી. હજી ત્યાં પાટો બાંધેલો છે, બિચારો સરખી રીતે ચાલી પણ નથી સકતો છતા સરકારને એની જરુર હતી તો હાજર થઈ ગયો." રાજ કહી રહ્યો અનુ આશ્ચર્યથી સાંભળી રહી. "આજથી બે વરસ પહેલાય એને એક સર્જરી કરાવવી પડેલી, એ પછી એ ક્યારેય બાપ નહિં બની શકે ને એની પત્નિની હાલત જો! સાવ છીનાળ છે ! છતાં, એ એને રાખે છે ! કહે છે, એને મા બનવાનો અધિકાર છે…."
ગુજરાતીમાં સર્જન કરતા મહાન સાહિત્યકારો શું "અગ્લી ડકલીંગ" જેવા છે ? | Girishparikh's Blog « ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ સ્ટોક માર્કેટ વિશે *લોબીઈંગની શરૂઆત વિશે મજાનું મુક્તકાવ્ય ! » ગુજરાતીમાં સર્જન કરતા મહાન સાહિત્યકારો શું "અગ્લી ડકલીંગ" જેવા છે ? પોતાના શબ્દોનું સાચું મૂલ્ય ગુજરાતીમાં સર્જન કરતા મહાન જીવંત સાહિત્યકારો પોતે જ જ્યારે ન સમજે ત્યારે મને યાદ આવે છે હેન્સ ક્રિશ્ચન એન્ડરસન?ની અમર વાર્તા "અગ્લી ડકલીંગ"! ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્ય કારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે? પુસ્તકમાં "અગ્લી ડકલીંગ" વાર્તા મારા શબ્દોમાં સંક્ષિપ્તમાં રજૂ કરવા પ્રયત્ન કરીશ. પણ અહીં ટૂંકાણમાં વાર્તાના સાર વિશે લખું છુઃ એક બતકનું બચ્ચું પોતાને કદરૂપું માનતું હતું પણ હકીકતમાં એ રૂપાળું હતું! અલબત્ત, ગુજરાતીમાં સર્જન કરતા કેટલાક જીવંત સાહિત્યકારોનાં કેટલાંક સર્જનો વિશ્વસાહિત્યમાં સ્થાન મેળવે એવાં છે. અને સતત પ્રયત્નો કરવામાં આવે તો એ સરસ્વતીપુત્રો તથા સરસ્વતીપુત્રીઓમાંથી કેટલાક (એકથી વધુ!) નોબેલ પ્રાઈઝ વિજેતાઓ બની શકે એમ છે એમ આ લખનાર દૃઢપણે. માને છે.. 3411 words of the Nobel Prize book written. This entry was posted on ફેબ્રુવારી 2, 2016 at 1:46 પી એમ(pm) and is filed under નોબેલ પ્રાઈઝ. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
ગુજરાતમાં મતોનું ધૃવિકરણ રોકવા કોંગ્રેસના મક્કમ પ્રયાસો. નિવેદનબાજીમાં પણ કાળજી લેવાઈ | Webdunia Gujarati Last Modified શુક્રવાર, 3 નવેમ્બર 2017 (16:12 IST) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એવો કોઇ મોકો આપવા નથી માંગતી કે જેથી ભાજપ મોટો મુદો બનાવી તેની વિરૂધ્ધ મતોનુ ધ્રુવીકરણ કરાવી શકે. આ માટે પ્રચાર દરમિયાન નિવેદનબાજીમાં પણ કાળજી રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ ખાસ કરીને લઘુમતીઓને લઇને ભારે સાવચેતીપુર્વક પગલા લઇ રહી છે આ જ કારણ છે કે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હજુ સુધી લઘુમતી સાથે જોડાયેલા મુદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પક્ષના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ અમારી એક રણનીતિનો હિસ્સો છે. ગત લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ પક્ષ પોતાની છબી બદલવા માંગે છે. ગુજરાતમાં ૩૪ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા ૧પ ટકા છે. ગત ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણને કારણે આમાંથી ર૧ બેઠકો ભાજપે જીતી હતી. કોંગ્રેસને માત્ર ૧ર બેઠકો મળી હતી અને એક બેઠક એનસીપીના ખાતામાં ગઇ હતી. એવામાં આ વખતે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી રહ્યુ છે. પક્ષમાં એ બાબત પર સહમતી છે કે, વર્તમાન બે ધારાસભ્યો ઉપરાંત કોઇ લઘુમતી ઉમેદવારને ઉતારવામાં ન આવે. પક્ષના એક નેતાના કહેવા મુજબ ગુજરાતમાં લઘુમતીઓ પણ મતોના ધ્રુવીકરણને રોકવાના અમારા પ્રયાસોને સમજી રહ્યા છે. આ જ કારણ છે કે રાહુલની યાત્રા અને રેલીઓમાં મોટીસંખ્યામાં લઘુમતીઓ ઉમટી રહ્યા છે.
દિલ્લી અને ગુજરાત માં કોરોના વાયરસ ના દર્દીઓ ની સંખ્યા બરાબર, તો ગુજરાત માં કેમ વધુ મોત? - જાણો વિગતવાર.... - MT News Gujarati Home India Delhi દિલ્લી અને ગુજરાત માં કોરોના વાયરસ ના દર્દીઓ ની સંખ્યા બરાબર, તો... દિલ્હી, ગુજરાતમાં કોવિડ -19 ફાટી નીકળ્યો દિલ્હી અને ગુજરાતમાં કોરોનાવાયરસ કેસની સંખ્યા લગભગ સમાન છે. પરંતુ મૃત્યુઆંકમાં મોટો તફાવત છે. ગુજરાતમાં કોરોના દર્દીઓના 14,056 માંથી 858 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે દિલ્હીમાં 14,053 દર્દીઓમાંથી 271 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, એટલે કે ગુજરાતમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુ 6.10% છે, જ્યારે દિલ્હીમાં તે માત્ર 1.92% છે. ડૉક્ટરો કહે છે કે ચેપ બંને રાજ્યોમાં સમાન હોવા છતાં, જાગરૂકતા, સારી આરોગ્ય સેવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતાને કારણે દિલ્હીમાં મૃત્યુનું પ્રમાણ ઘટી શકે છે. રાજધાનીમાં ઓછા મૃત્યુ દર પાછળ આ કારણો છે, દિલ્હી સરકારના કોવિડ સલાહકાર અને આઈએલબીએસના અધ્યક્ષ ડો. એસ.કે. સરીને કહ્યું કે આ પાછળ ત્રણ કારણો હોઈ શકે છે. પ્રારંભિક નિવારણ, ઓક્સિજનની ઉપલબ્ધતા અને સારી ગુણવત્તાની તબીબી ટીમ. તેમણે કહ્યું કે દિલ્હીના લોકો કોરોના વિશે ખૂબ જાગૃત છે. આ વાયરસ સામાન્ય રીતે જોખમી નથી. હળવા લક્ષણોવાળા 80% લોકો હોવા છતાં, લોકો પોતાને તપાસવા માટે આવે છે. લક્ષણો જોયા પછી, તેઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે સમયસર તપાસ અને સારવાર શરૂ કરવાથી કોઈ પણ રોગની અસર ઓછી થાય છે. દિલ્હીમાં ઓક્સિજન બેડની કમી નથી, સારવાર માટે લોકો અહીં થોડી વહેલી તકે પહોંચી રહ્યા છે. આજે દિલ્હીમાં સરેરાશ 5000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.આને લીધે, કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ સમયસર સારવારથી તેઓ ઉપાય પણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ચેપના દર્દી માટે સૌથી મોટી સમસ્યા શ્વાસ લેવાની છે. શરીરમાં ઓક્સિજનનો અભાવ છે અને દિલ્હીમાં ઓક્સિજનથી ભરપૂર પથારીનો અભાવ નથી. આનો ફાયદો એ છે કે જે દર્દીઓના શરીરમાં ઓક્સિજન ઓછું હોય છે, તેઓ તેને સરળતાથી આપી શકાય છે. તેમણે કહ્યું કે દિલ્હીની અંદર તબીબી માળખાગત સુવિધાઓ ખૂબ સારી છે. ભારતમાં ક્યાં કેટલી કોરોના ફેલાય છે. વૃદ્ધ અને પહેલાથી માંદા લોકોનું જોખમ વધુ છે તે જ સમયે, આંતરિક દવાઓના મેક્સના ડૉક્ટર રોમલ ટીક્કુએ જણાવ્યું હતું કે બંને રાજ્યોમાં વધુ કે ઓછા મૃત્યુના કારણોનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. પરંતુ તે સાચું છે કે વૃદ્ધો અને પહેલાથી માંદા લોકો જ્યાં પણ આ ચેપનો ભોગ બનશે, આ વાયરસ તેમના માટે જોખમી અને જીવલેણ બને છે. ખાસ કરીને જેઓ ડાયાબિટીઝ, હાર્ટ, કિડની જેવા રોગોથી પીડિત છે, તેમને વધારે સમસ્યાઓ હોય છે. Previous articleદેશ માં વધતા કોરોના કહેર વચ્ચે આ એક એવું રાજ્ય જ્યાં અત્યાર સુધી એક કોરોના નો પોઝીટિવ કેસ નથી, જાણો કેમ… Next articleઆજે બની રહ્યો છે શોભન યોગ, આ રાશિઓ ની કિસ્મત માં લાગશે ચાર ચાંદ, દરેક ઈચ્છાઓ થશે પૂર્ણ, મળશે દરેક કામ માં સફળતા…
ભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચ્યો ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાના શોલેહ અલી સાદકિનનેહરાવ્યો ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્‍ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલમાં પહોંચ્યો છે. આ સાથે જ તેનો કાંસ્ય પદક નક્કી થયો છે. સેમિ ફાઈનલમાં હારનાર ખેલાડીને કાંસ્ય પદક આપવામાં આવે છે. ચોથો સીડ સેને ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાના શોલેહ અલી સાદકિનને સીધા સેટ 21-8, 21-18થી હાર આપી હતી. કારકિર્દીમાં આ પહેલી મેચ હતી. આ મેચ 31 મિનિટ સુધી ચાલી હતી. સેમિ ફાઈનલમાં સેન હને ટોપ સીડ અને ગત ચેમ્પિયન થાઈલેન્ડના કુનલાવુત વિતિદસર્ન સામે ટકરાશે. 17 વર્ષના સેને આ વર્ષની શરૂઆતમાં એશિયન જુનિયર ચેમ્પિયનશિપની ફાઈનલમાં વિદિતસર્નને હરાવ્યો હતો. RBIને અરુણ જેટલીએ આપી ચેતવણી : મુદ્રા પ્રવાહનું ગળું ન દબાવે RBI: અરુણ જેટલી : 2 દિવસ બાદ RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક : અરુણ જેટલીનું નિવેદન માનવામાં આવે છે સૂચક : હાલના સમયમાં ક્રેડિટ ફ્લો જ સૌથી મોટો મુદ્દો : જેટલી રઘુરામની ગુણવત્તા સમીક્ષાનું જેટલીએ સમર્થન કર્યું access_time 1:17 pm IST ગાંધીનગર : પૂજ્ય દાદા ભગવાનનો ૧૧૧મો જન્મ જયંતિ મહોત્સવ:મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે કાર્યક્રમમાં રહેશે હાજર : ૧૫થી ૨૫ ડિસેમ્બર સુધી ચાલશે જન્મ જયંતિ મહોત્સવ : ૩.૫ લાખ સ્ક્વેર મીટરમાં વિવિધ થીમ સાથે બનાવાયા છે ૨૨ ડોમ : બાળકો, યુવાનો, વડીલો માટે અલગ અલગ થીમના ડોમ બનાવાયા access_time 12:33 pm IST આધુનિક ભારતીય એડવર્ટાઈઝિંગના પિતામહ તરીકે જાણીતા અલેક પદ્મસીનું 90 વર્ષની વયે દુઃખદ નિધન access_time 12:00 am IST
હોસ્પિટલમાંથી જયેશને રજા આપી | હોસ્પિટલમાંથી જયેશને રજા આપી - Divya Bhaskar હોસ્પિટલમાંથી જયેશને રજા આપી પારૂલયુનિવર્સિટી દુષ્કર્મકાંડમાં સપડાયેલાં અને યુ. એમ. મહેતામાં છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરાયેલાં જયેશ પટેલનાં કાર્ડીયાક એન્જાઇમ નોર્મલ થતાં તેને સોમવારે મોડી સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જયેશ પટેલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં ગત બુધવારે મોડી સાંજે વડોદરા જેલમાંથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ડોકટરોએ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઇકો અને ઇસીજી સહિતનાં ટેસ્ટ કર્યા હતા. જેમાં જયેશને કોરોનરી એન્જિયોગ્રાફી કરવી જરૂર હોવાનું મંતવ્ય ડોકટરોએ વ્યક્ત કર્યું હતું. પરંતુ, જયેશે એન્જિયોગ્રાફી કરવા મંજૂરી આપતાં હોસ્પિટલે અંગેની જાણ કરતો પત્ર જેલ સુપરિન્ટેન્ડેન્ટને લખ્યો હતો. દરમિયાન જયેશ પટેલનાં કાર્ડીયાક એન્જાઇમ નોર્મલ થતાં હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો હતો. અંગે યુએન મહેતાં હોસ્પિટલનાં આસિસ્ટન્ટ આર. એમ. ઓ. ડો. કૌશિક બારોટનાં જણાવ્યાં મુજબ, જયેશ પટેલને કોરોનરી એન્જિયોગ્રાફીની જરૂર હોવા છતાં તેણે મંજૂરી આપતાં અમે જેલ સુપરિટેન્ડેન્ટને પત્ર લખીને જાણ કરી હતી. જેથી રવિવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચનાં બે કોન્સ્ટબલે હોસ્પિટલનાં આવી જયેશ પટેલની સારવાર કરતાં ડોકટરોની મુલાકાત લીધી હતી.
ભાજીપાંવનો મસાલો બનાવવાની રીત, જાણી લો અને ઘરે જ હોટલ જેવા ભાજીપાંવ બનાવો | Home HOME ભાજીપાંવનો મસાલો બનાવવાની રીત, જાણી લો અને ઘરે જ હોટલ જેવા ભાજીપાંવ... ભાજીપાંવનો મસાલો બનાવવાની રીત, જાણી લો અને ઘરે જ હોટલ જેવા ભાજીપાંવ બનાવો નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે ભાજીપાંવનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એ શીખીશું. કારણ કે ભાજીપાંવ એક એવી વાનગી છે જે નાનાથી લઇને મોટા દરેક લોકોને ભાવતી હોય છે. ભાજીપાંવનું નામ સાંભળતા જ લોકોના મોં માં પાણી આવી જાય છે. લગભગ દરેક લોકો આ વાનગી ખૂબ પસંદ હોય છે. મિત્રો ભાજીપાંવ એ મહારાષ્ટ્રની એક પ્રખ્યાત વાનગી છે. ભાજીપાંવની ભાજી ઘણી ચટાકેદાર હોય છે. અને તેના વિશિષ્ટ સ્વાદને કારણે જ ભારતીય લોકોમાં અને ખાસ કરીને શહેરી લોકોમાં આ વાનગી ઘણી લોકપ્રિય છે. મહારાષ્ટ્રની વાનગી હોવા છતાં ગુજરાતમાં દરેક જગ્યાએ આ વાનગી તમને મળી રહે છે. લગભગ દરેક હોટલમાં અને દરેક વિસ્તારમાં તમને ભાજીપાંવની લારી મળી જ જશે. એટલું જ નહિ કોઈ પણ પાર્ટીમાં ભાજીપાંવ હોય જ છે. અને એને ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. પણ આ ભાજીપાંઉને સ્વાદિષ્ટ બનાવવા માટે સૌથી વધારે મહત્વનો એનો મસાલો છે. એટલા માટે આજે અમે તમારા માટે ભાજીપાંવનો મસાલો કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવવો ભાજીપાંવનો મસાલો. જરૂરી સામગ્રી : સૂંઠનો પાઉડર : 1 ચમચી, આમચૂર પાઉડર : 1 ચમચી, સંચળનો ભૂકો : 1 ચમચી, અજમો : 5 ગ્રામ, જીરું : 25 ગ્રામ, તમાલપત્ર : 10 ગ્રામ, ધાણા : 50 ગ્રામ, વરિયાળી : 10 ગ્રામ, મરી : 5 ગ્રામ, લવિંગના પાન : 10 ગ્રામ, તેલ : શેકવા માટે. મસાલો બનાવવાની રીત : મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 2 ચમચી તેલ નાખી એને ગરમ કરો. ત્યારબાદ તેમાં ઉપર સામગ્રીમાં જણાવેલા દરેક સૂકા મસાલા નાખી એને શેકી લો. ત્યારબાદ તેને ઠંડા કરીને ખાંડી લો. પછી તેને ચાળી લો. ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો ભૂકો અને મીઠું ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લો. તમારો ભાજીપાંવનો મસાલો તૈયાર છે. તમે આ મસાલાને એક એર ટાઇટ બરણીમાં ભરી લો. હવે જ્યારે પણ તમે ભાજીપાંવ બનાવશો ત્યારે આ મસાલો જરૂર ઉમેરવો. એનાથી ભાજીપાંવનો સ્વાદ બમણો થઈ જશે. તો હવે તમે પણ આ રીતે ઘરે જ ભાજીપાંવનો સ્વચ્છ મસાલો બનાવી હોટલ જેવી ટેસ્ટી અને ચટાકેદાર વાનગી ઘરે જ બનાવીને ખાઈ શકો છો. મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો.જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. ભાજીપાંવ ભાજીપાંવનો મસાલો Previous articleશું તમે જાણો છો ઢીંચણિયું શું હોય છે? અને કાઠીસમાજ ઢીંચણિયું શા માટે વાપરે છે, ક્લિક કરી જાણો
લોહીથી લથબથ આ મહિલાની તસવીરને કાશ્મીરની કહી રહ્યું છે પાકિસ્તાન, જાણો હકીકત | Image From Syria Shared As One From Pakistan - Fact Check | I Am Gujarat Gujarati News FACT CHECK લોહીથી લથબથ આ મહિલાની તસવીરને કાશ્મીરની કહી રહ્યું છે પાકિસ્તાન, જાણો હકીકત લોહીથી લથબથ આ મહિલાની તસવીરને કાશ્મીરની કહી રહ્યું છે પાકિસ્તાન, જાણો હકીકત Published: Sep 14, 2019 21:26 pm IST તાજેતરમાં જ પાકિસ્તાનના ટ્વીટર પર #KashmirBleeds_WorldSleeps હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગની સાથે એક હિજાબ પહેરેલી મહિલાની તસવીર શેર કરવામાં આવી, જેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. આ તસવીર સાથે 'તસવીર બધું કહી જાય છે #KashmirBleeds_WorldSleeps' લખવામાં આવ્યું હતું. આ ટ્વીટ અનેકવાર રિટ્વીટ કરવામાં આવ્યું. આ તસવીરને કેટલાક અન્ય યૂઝર્સે 'કાશ્મીરિયો પર ભારતીય સુરક્ષાદળોની બર્બરતા' ને દેખાડવા માટે શેર કરી. શેર કરવામાં આવી રહેલી તસવીર સીરિયાના ગૃહયુદ્ધની છે અને આનો કાશ્મીર કે કાશ્મીરિયો સાથે કોઈ સંબંધ નથી. શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ પર રિવર્સ ઈમેજ સર્ચ કરવાથી વર્ષ 2013માં પ્રકાશિત થયેલા ઘણા ન્યૂઝ રિપોર્ટ્સ મળે છે. આ તસવીર BBCએ 11 એપ્રિલ 2013ના રોજ પોતાના એક રિપોર્ટમાં યૂઝ કરી હતી. રિપોર્ટનું ટાઈટલ 'Syria Air Strikes 'Target Civilians' – Human Rights Watch' હતું. ન્યૂઝ રિપોર્ટમાં મોટા માનવાધિકાર સમૂહોના હવાલેથી એ જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે સીરિયન એરફોર્સે નાગરિકો પર જાણી-જોઈને હવાઈ હુમલા કર્યા. રિપોર્ટમાં તે જ તસવીર હતી જેને હવે કાશ્મીર સંબંધિત પોસ્ટ્સમાં યુઝ કરવામાં આવી રહી છે. તસવીર માટે એસોસિએટેડ પ્રેસ (AP)ને ક્રેડિટ આપવામાં આવી હતી. ટાઈમ્સ ફેક્ટ ચેકે નોંધ્યું કે, લોહીથી લથબથ જે મહિલાની તસવીર કાશ્મીરની જણાવી શેર કરવામાં આવી રહી છે અને અસલમાં તે સીરિયાની છે.
શું તમે ઘરનું નિર્માણ કરવા માટે આર્થિક રીતે તૈયાર છો? Header શું તમે ઘરનું નિર્માણ કરવા માટે આર્થિક રીતે તૈયાર છો? વાત જ્યારે ઘર બાંધવાની આવે ત્યારે બધી જ વાત પૈસા પર આવીને અટકી જાય છે. તમને આવશ્યક નાણાં મળી રહે તે માટે તમારે તમારા પરિવારની બદલાતી જરૂરિયાતોની જાણકારી મેળવવાની અને તેને સમજવાની ખાતરી કરવી પડશે. તે તમારા ઘરનું નિર્માણ કરવાની યાત્રાનું આયોજન કરવામાં મદદરૂપ થવા માટે એક પ્રારંભબિંદુ પૂરું પાડશે તથા તમે આ યાત્રામાં આવનારા કોઇપણ પ્રકારના પડકારોનો સારી રીતે સામનો કરી શકો તે માટે તમે યોગ્ય રીતે સજ્જ હો, તેની ખાતરી કરશે. આ યાત્રામાં પહેલું પગલું બજેટ બનાવવાનું છે. દરેક ઘરનું આયોજન બજેટ મુજબ થવું જોઇએ, જેથી કરીને તમને ખર્ચા અને બચતનો યોગ્ય ખ્યાલ મળી રહે. આ ઉપરાંત, દરેક તબક્કામાં તમારે કેટલા નાણાંની જરૂર પડશે તેનો પણ ખ્યાલ હોવો એ મહત્વનું છે. આથી, પ્લોટ ખરીદ્યાં પછી અને બાંધકામ શરૂ કરતાં પહેલાં બચત કરવા પર વિશેષ ધ્યાન આપો. તે ઘરનું નિર્માણ કરવાની તમારા યાત્રાને નિર્વિઘ્ને પાર પાડશે. તમારી બચત પર આધાર રાખીને તમે યોગ્ય હૉમ લૉનને પસંદ કરી શકો છો. લૉન લેતાં પહેલાં તમામ દસ્તાવેજોને બે વાર ચકાસો અને તમને અનુકૂળ હોય તેવા જ ઇએમઆઈ પ્લાનને પસંદ કરો. With these tips, every stage of your home building journey can be smooth and hassle-free. Be sure to visit ultratechcement.com and keep watching #BaatGharKi by Ultratech for further expert tips and home building solutions.
બાપૂ 'દારૂબંધી'ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવતાં હોબાળો | Bapu Made Brad Ambassador of alcohol addiction - Gujarati Oneindia બાપૂ 'દારૂબંધી'ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવતાં હોબાળો | Updated: Wednesday, February 27, 2013, 12:11 [IST] રાયપુર, 27 ફેબ્રુઆરી: છત્તીસગઢ વિધાનસભામાં બાપૂને દારૂબંધી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના મુદ્દે વિપક્ષે મંગળવારે જોરદાર હોબાળો મચાવ્યો હતો. તે બાપૂને બ્રાન્ડ એમ્બેસેડર બનાવનાર પર કાર્યવાહી કરવા માંગે છે. હોબાળાના કારણે અધ્યક્ષ ધરમલાલ કૌશિકને સદનની કાર્યવાહી બે વાર સ્થગિત કરવી પડી હતી. આ મુદ્દ ચર્ચા કરવાની પરવાનગી આપવામાં ન આવતાં નારાજ કોંગ્રેસ ધારાસભ્યોએ સદનમાંથી બહાર નિકળી ગયા હતા. પ્રશ્નકાળ બાદ ધરમજીતે આ પ્રકરણ પર સભા મોકૂફી પ્રસ્તાવ ઠરાવ કરી ચર્ચા કરવાની માંગણી કરી. અધ્યક્ષે પરવાનગી ન આપી હોવાછતાં સભ્યો બોલતાં રહ્યાં હતા. ત્યારે અધ્યક્ષે કહ્યું હતું કે આ બધુ રેકોર્ડમાં ગણવામાં નહી આવે. ધારાસભ્ય મોહંમદ અકબર સહિત કેટલાક સભ્યો એક સાથે ઉભા થઇને બોલવા લાગ્યાં હતા. સ્પીકરે બધાને બેસવા માટે આગ્રહ કર્યો હતો. સભ્યો શાંત ન પડતાં કૌશિકે સદનની કાર્યવાહી પહેલાં 5 મિનિટ માટે અને પછી 15 મિનિટ માટે સ્થગિત કરી દિધી હતી. પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ અધ્યક્ષ સાતેહ ચર્ચાની પરવાનગી આપવા માટે નિવેદન કર્યું હતું પરંતુ તે એકના બે થયા ન હતા. તેમને કહ્યું હતું કે મોકૂફી પ્રસ્તાવની ગંભીરતાને સભ્યો જાણે છે. એવી કોઇ પરિસ્થિતી નથી કે મોકૂફી પ્રસ્તાવ લાવવામાં આવે. સદનની કાર્યવાહી ફરીથી થયા બાદ અકબરે આ સદનમાંથી બહાર જવાનું એલાન કર્યું હતું કે આ વિષય પર સરકાર તરફથી વક્તવ્ય આવવું જોઇએ. ત્યારબાદ નારેબાજી કરતાં વિપક્ષી ધારાસભ્ય સદનમાંથી ઉભા થઇને જતા રહ્યાં હતા. chhattisgarh mahatma gandhi bapu alcohol brand ambassador છત્તીસગઢ મહાત્મા ગાંધી બાપૂ દારૂ બ્રાન્ડ એમ્બેસેડર The state entity in Chhattisgarh, State Beverages Corporation Ltd. has spearheaded the drive for a new campaign against alcoholism and other social evils.
'પદ્માવતી'ની રિલીઝ અટકાવવા ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ | Gujarat Rajput community file a PIL agianst Padmavati release - Gujarati Oneindia 33 min ago મોટો ઝટકો: ગેસનો બાટલો થયો મોંઘો, જાણો આજનો ભાવ | Published: Monday, November 6, 2017, 16:10 [IST] સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ફસાયેલી રહી છે, ત્યારે ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝ રોકવા માટે પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં અરજદાર રાજ શેખવાતે જણાવ્યું છે કે, 'આ ફિલ્મમાં રાણી પદ્માવતી અંગે ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે. અલ્લાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વચ્ચે કોઈ સંબંધ હતો જ નહીં, આ બાબતનો ઉલ્લેખ જૈન ધર્મના 14મી અને 16મી સદીમાં લખાયેલા પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ ફિલ્મના કારણે પદ્માવતી અને રાજપૂત સ્ત્રીનું અપમાન પણ થયું છે. પદ્માવતી ખૂબ સન્માનીય હતા. જેથી આ ફિલ્મ રિલીઝ થાય તો વિવાદ વધુ વકરી શકે તેમ છે. જેથી આ ફિલ્મની રિલીઝ ગુજરાત તેમજ ભારતભરમાં અટકાવવામાં આવે. ભાજપ નેતાઓએ પણ કરી હતી રજૂઆત આ જાહેર હિતની અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના માહિતી પ્રસારણ વિભાગ, ફિલ્મ સેન્સર બોર્ડ, ભણસાલી ફિલ્મ અને વાઈકોમ 18ને પાર્ટી બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા આ અંગે સુનવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના નેતાઓ દ્વારા પણ ચૂંટણી પંચ સામે રજૂઆત કરવામા આવી હતી કે, ચૂંટણી દરમિયાન આ ફિલ્મ રજૂ થાય તો રાજ્યની શાંતિ પર અસર પડી શકે તેમ છે. જો કે, આ ફિલ્મની રિલીઝ પર હજુ સુધી અધિકૃત રીતે કોઇ રોક લગાવવામાં નથી આવી. રાજપૂત સમાજની ચીમકી આગામી દિવસોમાં ફિલ્મ પદ્માવતીના મુખ્ય અભિનેતાઓ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પ્રમોશન માટે આવવના છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની આ અમદાવાદ મુલાકાત મામલે ગુજરાત રાજપૂત સમાજે સરકાર તથા આયોજકોને ચીમકી આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં આનો વિરોધ ચાલે છે અને આમ છતાં પ્રમોશન માટે તેઓ આવવાના હોય તો સરકારી અધિકારીઓ તેમને પરવાનગી આપતા પહેલાં વિચારે. જો કોઈ પણ જાતનું નુકશાન થાય તો અમારી જવાબદારી નથી. જો કંઇ તોફાન થયું તો એની જવાબદારી રાજપૂત સમાજ નહીં લે. sanjay leela bhansali padmavati gujrat gujarat high court સંજય લીલા ભણસાળી સંજય લીલા ભણસાલી ગુજરાત હાઇકોર્ટ Gujarat: Rajput community file a PIL in Gujarat High Court against the release of the film Pdmavati.
પાંચ દિવસના ગણપતિબાપ્પાની પાંચ હજારથી વધુ મૂર્તિનું ભાવભીનું વિસર્જન મુંબઈ: ગણેશોત્સવના પાંચમા દિવસે મોટી સંખ્યામાં મુંબઈગરાએ પોતાના લાડલા ગણપતિ બાપ્પાને ભારે હૃદય વિદાય આપી હતી. કોરોના પ્રતિબંધાત્મક નિયમો હેઠળ મુંબઈની જુદી જુદી ચોપાટીઓ તથા વિસર્જન સ્થળ પર સાંજના છ વાગ્યા સુધીમાં ૫,૧૪૮ ગણેશ મૂર્તિનું વિર્સજન કરવામાં આવ્યું હતું. મંગળવારે પાંચમા દિવસે ભક્તોએ પોતાના ગણપતિબાપ્પાને 'ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર' યા જેવા ગગનભેદી નારા સાથે વિદાય આપી હતી. કોરોના પ્રતિબંધાત્મક નિયમ હેઠળ ઘરના ગણપતિના વિસર્જનમાં પાંચ લોકોને અને સાર્વજનિક મંડળોની ગણેશમૂર્તિના વિર્સજન માટે ૧૦ લોકોને જ જોડવાની મંજૂરી હતી. છતાં જુદી જુદી ચોપાટીઓ પર મોટી સંખ્યામાં વિસર્જન માટે લોકોની ભીડ ઉમટી પડેલી જણાઈ હતી. બપોરના ૩ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૫૭૮ ઘરની અને સાર્વજનિક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. બપોર બાદ જોકે ધીમે ધીમે વિસર્જન સ્થળ પર વિસર્જન માટે આવનારાઓની સંખ્યા વધવા માંડી હતી. સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ ૫,૧૪૮ મૂર્તિનું વિસર્જન કરાયું હતું, જેમાં સાર્વજનિક મંડળના ૪૪, ઘરની ૪,૫૫૩ ગણેશમૂર્તિ અને ગૌરીની ૫૫૧ મૂર્તિનો સમાવેશ થાય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ પાલિકાએ કૃત્રિમ વિસર્જન સ્થળ ઊભા કર્યા છે, જેમાં સાંજના છ વાગ્યા સુધીમાં સાર્વજનિક મંડળના ૨૫, ઘરના ૨,૫૪૭ અને ગૌરીની ૨૮૮ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ બન્યો નહોતો.
શિયાળા બનાવીને ખાઓ બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે | Know how to make winter special bajra khichdi at home Know how to make winter special bajra khichdi at home winter special / શિયાળા બનાવીને ખાઓ બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે Team VTV 04:13 PM, 24 Nov 20 શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલી હેલ્ધી વસ્તુઓ ખાશો એટલું જ તમારું શરીર નિરોગી રહેશે અને એવી જ એક હેલ્ધી વસ્તુ છે બાજરી. શિયાળામાં ખાસ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરીના રોટલા, બાજરીની રાબ, બાજરીના લાડુ અને બાજરીની ખીચડી. આ વાનગીઓ શિયાળામાં ખાવાથી શરીરને તાકાત મળે છે અને રોગો સામે પણ રક્ષણ મળે છે. જેથી આજે અમે તમને બાજરીની એકદમ હેલ્ધી અને ડિલિશિયસ ખીચડીની રેસિપી જણાવી રહ્યાં છે. જેને ખાધા બાદ તમે રેગ્યુલર ખીચડી ખાવાનું ભૂલી જશો. ચાલો જાણી લો. પોણો કપ છડેલી બાજરી પા કપ લીલાં મગની દાળ 1 બટાકું અડધો કપ લીલી તુવેરના દાણા અડધો કપ વટાણા સૌથી પહેલાં બાજરીને 3-4 વાર ધોઈને 4 કલાક પાણીમાં પલાળી દો. પછી દાળ અને ચોખા પણ ધોઈને 15 મિનિટ પલાળી દો. હવે એક કૂકરમાં 6 ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં 12થી 15 કાચી શીંગના દાણા ઉમેરી દો. એ સંતળાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી હીંગ નાખી દો. પછી તેમાં ડુંગળી, બટાકા, વટાણા, તુવેર નાંખીને સાંતળી લો. પછી તેમાં 3 ચમચી આદુ, મરચાં લસણની પેસ્ટ નાખો. 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરો. પછી અડધી ચમચી ગરમ મસાલો નાખીને બધું બરાબર મિક્સ કરી લો. પછી તેમાં પલાળેલી બાજરી અને દાળ ચોખા એડ કરીને મિક્સ કરી લેવા. પછી તેમાં ટોટલ 4 કપ પાણી નાખીને મિક્સ કરીને તેમાં 1 સીટી વગાડી ગેસ સ્લો કરીને સ્લો ફ્લેમ પર 4-5 સીટી વગાડી દો. બસ પછી તૈયાર છે તમારી ટેસ્ટી અને હેલ્ધી બાજરીની ખીચડી.
કાર ચાલક પાસેથી લાંચ લેતા, કોન્સ્ટેબલ સહિત બે ની ધરપકડ | Dainik Gujarat Home Gujarat News Ahmadabad News કાર ચાલક પાસેથી લાંચ લેતા, કોન્સ્ટેબલ સહિત બે ની ધરપકડ રાજકોટ શહેરમાં ટ્રાફિક વિભાગમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ કારચાલક અને અન્ય એક નાગરિક પાસેથી એક હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ રેડ કરતો રંગે હાથ ઝડપી લીધો હતો. રાજકોટની કાર ચાલક દ્વારા એન્ટી કરપ્શન સેલ (એસીબી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું છે કે દર મહિને રાજકોટ ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ મયુર જાડેજાએ કારમાં સવારી માટે લાંચ રૂપે એક હજાર રૂપિયા માંગ્યા હતા. આ અંગે એસીબીની ટીમે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉપરાંત અન્ય આરોપી ઇન્દ્રજિત જાડેજા છે. જે મયુરના કહેવા પર કાર ચાલક પાસેથી લાંચ લેવા આવ્યો હતો. કોન્સ્ટેબલ સહિત બે ને ચાર હજારની લાંચ લેતા પકડાયા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ની ટીમે વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ સહિત બે શખ્સોને ચાર હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. દારૂના ગેરઉપયોગના આરોપીઓ પાસેથી આ લાંચ સ્વીકારી લેવામાં આવી હતી. એસીબીમાં ફરિયાદ નોંધાવનારા નાગરિકના જણાવ્યા મુજબ, દેશી દારૂના ગેરવર્તણૂંક કરવાના આરોપમાં ચાર મહિના પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનના લોક રક્ષક દળ (એલઆરડી) ના કોન્સ્ટેબલ હિમાંશુ પ્રજાપતિએ તેને ચાર હજાર રૂપિયાની લાંચ આપીને મુક્ત કર્યો હતો. આ પછી, દારૂના ગેરવર્તણના કિસ્સામાં આ નાગરિકને ખલેલ પહોંચાડવા માટે દર મહિને ચાર હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ સંદર્ભે, નાગરિકે એસીબીમાં કેસ નોંધ્યો. જેમાં એસીબીની ટીમે છટકું મૂકીને એલઆરડીના કોન્સ્ટેબલ હિમાંશુ પ્રજાપતિ ઉપરાંત લાંચ લેતા ઝડપાયેલા અયુબ સિંધીને પકડ્યો હતો. અહેવાલ છે કે કોન્સ્ટેબલે અયુબ સિંધીને લાંચ માટે મોકલ્યો હતો. Previous article10 ઓગસ્ટ સુધી સવારે 8 થી સવારે 6 વાગ્યા સુધી ગોવામાં કર્ફ્યુ, આ અઠવાડિયામાં ત્રણ દિવસ કડક લોકડાઉન રહેશે
'વાળ'ને 'વાર' સાથે શું લેવા-દેવા? ~રોહિત "કર્મ" - Vaktavy in અભિપ્રાય માણસ તેના શરીર પર ઉગતા વાળ કપાવતો કે કાપતો રહે છે. નક્કામા વાળ નિયમિત અંતરાલે દૂર કરી શરીરને સાફસૂથરું રાખતો હોય છે. ખાસ કરીને માથાના વાળ માટે તેને ખૂબ પ્રેમ હોય છે. એમાં પણ જાતજાતની સ્ટાઇલ રાખવાની ફેશન હોય છે. પરંતુ સવાલ એ થાય છે કે પુરુષને માથાના વાળ કપાવતા રહેવાના અને સ્ત્રીઓને નહીં કપાવવાના ? આવું કેમ? આવું ક્યારથી અને શા માટે શરૂ થયું હશે?! સ્ત્રીઓને લાંબો ચોટલો અને લાંબા છુટ્ટા વાળ રાખવાનું ખૂબ પસંદ હોય છે. વાળથી નારી શોભી ઊઠે છે, આકર્ષક લાગે છે. કુદરતી પ્રક્રિયાને લીધે ઉમ્મર વધતાં કાળા રંગના વાળ સફેદ રંગના થવા લાગે છે. પરંતુ, આજના જમાનામાં કોઈને સફેદ વાળ ગમતા નથી,એટલે તેને ડાઇ કે ક્લર કરીને કાળા કરવાનો શોખ થઈ ગયેલો છે. શરીર ભલે ઘરડું થાય પણ વાળ તો કાળા જ જોઈએ! માથામાં ટકલું હોય, ટાલ હોય એવા પુરુષો વીગ પહેરીને માથાની શાન જાળવે છે.તો ટૂંકા વાળ હોય એવી સ્ત્રીઓ લાંબા વાળ દેખાડવા તૈયાર ચોટલા કે વાળના ગુચ્છ ઉમેરીને શોભા અકબંધ રાખતી હોય છે. પરંતુ વાળને ધાર્મિકતા કે અંધશ્રદ્ધા સાથે જોડી દેવાની શી જરૂર? નાના બાળકોને બાબરી રાખવાનો રિવાજ છે. માનતા માનેલા દેવ આગળ અમુક ઉંમર પછી બાબરી ઉતારવામાં આવતી હોય છે. દેવ આગળ વાળની લટ ચઢાવાય છે. આ એક મોટી અંધશ્રદ્ધા છે. કલ્પનાના દેવ આગળ અસલી વાળ ચઢાવાય? અને એનું શું કામ છે? તિરુપતિ બાલાજી મંદિરે વાળના ઢગલા થાય છે અને તે વેચાય છે, લાખો રૂપિયાનો બિઝનેસ થાય છે. ખોટું છે. એવી માન્યતા છે કે શનિવારે વાળ કપાવાય નહીં, દાઢી કરાય નહીં. પાછી બીજી એવી માન્યતા છે કે શનિવાર હનુમાનજીનો વાર છે. મને નાનપણથી જ આ બાબતે મનમાં સવાલ થતા. વાળને વાર સાથે શું લેવા-દેવા હશે? અને શનિવારે કાપીએ કે કપાવીએ તો શું થાય? કોઈ તાર્કિક કે વૈજ્ઞાનિક તથ્ય આ બાબતે જોવા મળ્યું નથી એટલે શનિવારે બાલ-દાઢી નહીં કરવી એવી માન્યતાથી હું મુક્ત થયેલો છું. છેલ્લા ઘણા વર્ષોથી હું શનિવારે જ મારા વાળ કપાવું છું. કોઈ દેવતાએ મારા ઉપર કોપાયમાન થવું હોય તો ભલે થાય! આજે શનિવાર હતો. બીજા શનિવારની સરકારી રજા હતી જે મારે વાળ કપાવવા કામે લાગી ગઈ. શનિવારે સલૂનમાં પણ ભીડ નથી હોતી. આજે તો મેં મારા 4 વર્ષના પૌત્રને પણ વાળ કપાવવા સાથે લીધો. એનાય કપાવી નાખ્યા. માન્યતાઓને આવી જ રીતે જાત અનુભવથી તોડતો આવ્યો છું.
ઓનલાઇન ગેમ્સ Nemo Nemo ઉપર પહેરવેશ Nemo પઝલ જીગ્સૉ Nemo: મારી ટાઇલ્સ સૉર્ટ Nemo શોધવી: ઉપર પહેરવેશ Nemo મેમરી કાર્ડ્સ Nemo શોધવામાં: મારી ટાઇલ્સ સૉર્ટ ઓનલાઇન ગેમ્સ Nemo નિરાશ ન એક નાની માછલી વાર્તા ચાલુ રાખો. તે ચિત્રકામ અથવા ભંગાણ મદદ હીરો તેજી મફત, રમૂજી રીતે મજા છે. ક્યાંક ઊંડા નીચે જીવંત ગ્રેટ બેરિયર રીફ રોક ગમાર માછલી કુટુંબ નજીક સમુદ્ર ફ્લોર પર. Marlin નામ આપવામાં આવ્યું તેમાંથી એક Nemo નામના ખૂબ જ વિચિત્ર બાળક વધારે છે. રંગલો માછલી થોડી માછલી ખૂબ નાના અને કાયર છે, પરંતુ માત્ર Nemo બાળક ખબર નથી, અને ઘણી વખત એકલા દૂર ઘર નવા અને અજ્ઞાત અન્વેષણ પસંદ કરે છે. દરિયાઇ પરિવારમાં સામાન્ય દિવસ માં કંઈક થાય છે - Nemo દૂર ઘર uplyvshy બાળક, ગુમાવી હતી. Marlene તેમના પુત્ર અને એક જગ્યાએ ખતરનાક છે, પરંતુ રસપ્રદ પ્રવાસ માટે મોકલવામાં માટે શોધ મદદ કરવા માટે તેના મિત્રો પૂછે છે. આમ Nemo શોધવી ઓફ પાણીની વિશ્વમાં એક સાહસ શરૂ થાય છે. સમગ્ર પરિવાર Pixar ના "Nemo શોધવી" માટે કાર્ટૂન તરત જ શૈલીનું શ્રેષ્ઠ કાર્ટુન બની હતી, અને 2003 માં પ્રકાશિત, તો નામાંકન "બેસ્ટ એનિમેટેડ ફિલ્મ" માં "ઓસ્કાર" જીત્યો હતો. આજે બાળકો અને પુખ્ત વયના લોકો વચ્ચે ચાહકો એક અદ્ભુત જીત્યો કે આ આનંદી વાર્તા થોડા ટુકડાઓ પ્રકાશિત થાય છે. કાર્ટુન અક્ષરો દરેક ખૂબ જ કાળજીપૂર્વક વિશ્વના શ્રેષ્ઠ એનિમેશન કેટલાક ડિઝાઇન અને ખરેખર વર્તમાન માછલીઓ માટે બંધ છે. Nemo - મહાન કાર્ટુન અક્ષરો છે. જિજ્ઞાસુ અને ખુશખુશાલ નવું ચાલવા શીખતું બાળક રંગલો માછલી,. તેમણે ખૂબ જ સારી તરણવીર નથી કેમ કે એક નાના નાણાકીય, સાથે થયો હતો. જો કે, આ તેમને પોતાની ઘણો પર જાણવા માટે અટકાવતું નથી. જસ્ટ Nemo તેના પિતા ખૂબ જ અને ખૂબ જ નિષેધ કરવા કાળજી લે છે પસંદ નથી. Marlin - માતાનો Nemo પિતા. ખૂબ કાળજી પિતા. તેમના પુત્ર ગેરહાજરી જોઈ, તેમણે તે કલાક શક્ય એટલી ઝડપથી તમારા મનપસંદ અને વિચિત્ર Nemo શોધવા માટે, પ્રવાસ પર જતા હોય છે. ડોરીએ - માછલી સર્જન. Marlin શ્રેષ્ઠ મિત્ર. આ માત્ર ખામી - તે ઘણી વાર ઘણી વસ્તુઓ ભૂલી છે. જો કે, તે ખૂબ જ પ્રકારની છે અને તેની Marlin જૂના પુત્ર નુકસાન વિશે જાણવા માટે, સ્વેચ્છાએ પોતાના શોધ તેમને મદદ કરે છે સંમત થાય છે. કરવા માટે તેના મનપસંદ વસ્તુ - અલગ આનંદી ગીતો શોધ અને તેમને ગાવાની. નિગેલ - માછલી જાતિના બ્રાઉન પેલિકન. આ માછલીઘરમાં સ્થાનિક દંત ચિકિત્સક સાથે રહેવા કે દરેક માછલી. નિગેલ પણ Marlin અને Dory Nemo ગુમ શોધો. શ્રી SCAT - પાંચ બાળક Nemo શીખે કે જ્યાં શાળા માં શિક્ષક. તેમણે માછલી આપ્યો બ્રેકનનો એક જાતિ માટે અનુસરે છે. પાણીની વિશ્વના ખૂબ જ ઉત્સાહિત છે અને સૌથી વધુ બુદ્ધિશાળી લોકો. જ્ઞાન શ્રેષ્ઠ રમતો સ્વરૂપમાં શોષણ અને ઘણી વાર વિવિધ રમતોમાં તેમના શિષ્યો સાથે રમે છે માને છે કે. Paillette - થોડી ગુલાબી ઓક્ટોપસ. ક્લાસમેટ Nemo. જેમ બધા ઓક્ટોપસનો તેના રંગ બદલાય છે, પરંતુ તે સૌથી સુંદર ગુલાબી છે અને લાંબા સમય માટે, જેથી રહે પસંદ માને છે. ખાસ શાહી કોષ મદદથી ડ્રો પસંદ છે. Shelfik - જળઘોડો. અન્ય મિત્ર Nemo. પણ તેમણે સીવીડ એલર્જી છે તે સતત, છીંક ખાય છે તે હકીકત છતાં ખૂબ જ ઉત્સાહિત પાત્ર છે,. થીજેલા - અન્ય મિત્ર Nemo. પ્રથમ નજરમાં, ખૂબ આક્રમક છે, પરંતુ, વાસ્તવમાં, પતંગિયાના માછલી જાતો ખૂબ જ સારી ફ્રાય. કુદરતી રીતે, આવા કાર્ટુન બેસ્ટસેલર કમ્પ્યુટર રમતો વિકાસકર્તાઓ ધ્યાન આકર્ષિત કરી શકે છે. વાર્તા કાર્ટૂન દ્વારા બનાવવામાં પૂર્ણ રમતો ઉપરાંત, વિશ્વભરના પ્રોગ્રામરો આ ફિલ્મના પાત્ર સમાવેશ મીની રમતો મોટી સંખ્યામાં રચના કરી છે. શ્રેષ્ઠ રમત Nemo ઑનલાઇન અમારી વેબસાઇટ પર પસંદ કરેલ હોય. તેઓ કદર કરશે કેવી રીતે ખૂબ જ નાના બાળકો અને રસપ્રદ વાર્તા અને મેનેજમેન્ટ સરળતા કારણે પુખ્ત. પણ, મફત રમત Nemo રમવા માટે, તેઓ ડાઉનલોડ કરવા માટે અને સ્થાપિત કરવા માટે જરૂર નથી, અને સાઇટ પોતે પણ રજીસ્ટર કરવાની જરૂર નથી. તેથી, જો તમે એક રમકડું ગમે કોઈપણ પસંદ કરો, અને અમે તમને થોડી મિનિટો અથવા નાટક પણ કલાક પછી સંતોષ થશે કે તમને ખાતરી આપી!
આવી હરકતોના કારણે બોબી દેઓલને છોકરી સમજવા લાગ્યા હતા બધા,એક્ટરએ જાતે કર્યો આ ચોકાવનારો ખૂલાસો….. – akhandnews આવી હરકતોના કારણે બોબી દેઓલને છોકરી સમજવા લાગ્યા હતા બધા,એક્ટરએ જાતે કર્યો આ ચોકાવનારો ખૂલાસો….. May 24, 2021 user1Leave a Comment on આવી હરકતોના કારણે બોબી દેઓલને છોકરી સમજવા લાગ્યા હતા બધા,એક્ટરએ જાતે કર્યો આ ચોકાવનારો ખૂલાસો….. હિન્દી સિનેમામાં આજે ઘણા સુપરસ્ટાર્સ રહેલા છે.જે પોતાના અભિનય અને સારા કામને લીધે વધારે જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં સફળતા પ્રાપ્ત કરવી સરળ નથી,અહી સફળતા પ્રાપ્ત કરતા પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરવો અડતો હોય છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા અભિનેતા બોબી દેઓલની વાત કરવામાં આવે તો તે ઘણા વર્ષોથી ફિલ્મો સાથે સંકળાયેલા છે. હાલમાં અભિનેતા બોબી દેઓલ 52 વર્ષના થઇ ગયા છે.બોલીવૂડમાં ઘણીખરી સફળતા મેળવવા માટે આ અભિનેતાએ પણ ઘણું સહન કર્યું છે.તમને જણાવી દઈએ કે બોબી દેઓલ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનો પુત્ર છે.આજે તમને જાણીતા બોબી દેઓલ સાથે સંકળાયેલ અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે હમેશા ચાહકો જાણવા માંગતા હોય છે. એવું કહેવામાં આવે છે કે બોબી દેઓલે પિતા ધર્મેન્દ્ર,અને ભાઈ સન્નીની જેમ પોતે બોલીવૂડ ઉદ્યોગમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ આ અભિનેતા પિતા અને ભાઈ જેવી વધારે સફળતા પ્રાપ્ત કરી શક્યો ન હતો.બોબી દેઓલની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે.આટલું જ નહિ પરંતુ ફ્લોપ અભિનેતા તરીકે પણ બોલીવૂડમાં તેની ઓળખ ઉભી થઇ ગઈ હતી. ઘણી નિષ્ફળતા પછી અમુક સમયે તે ઘણી ફીટ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે આ 52 વર્ષીય અભિનેતા બોબી દેઓલે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું છે.એવુ કહેવામાં આવે છે કે જયારે બોબી આઠ વર્ષનો હતો ત્યારે તે ધરમ વીર ફિલ્મમાં જોવા મળ્યો હતો,જયારે તે આશરે 25 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. 1995 માં તેણે હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેતા તરીકે પ્રવેશ કર્યો.આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ 'બરસાત' રિલીઝ થઈ હતી.આ ફિલ્મે તેને ઓળખ બદલી દીધી હતી.આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના સાથે જોવા મળી હતી.આ ફિલ્મ પણ લોકોએ ખુબ જ પસંદ કરી હતી.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ માટે બોબીને એવોર્ડ પણ મળી ગયો છે. આ ફિલ્મની સફળતા પછી બોબી દેઓલ પ્રેમ સ્ટોરી ફિલ્મોમાં વધારે જોવા મળ્યો હતો,જેમ કે દિલાલગી,અપને,યમલા પાગલા દીવાના જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.બોબીએ તેના એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે તેના પાતળા અવાજને કારણે લોકો તેને ભાભી કહેતા હતા.બોબીએ વધુમાં જણાવ્યું કે જયારે પોતે નાના હતા ત્યારે અવાજ ખૂબ જ પાતળો હતો. આટલું જ નહિ પરંતુ જયારે ઘરે ફોન આવે અને પોતે ઉપાડતા ત્યારે સામેવાળી વ્યક્તિ હમેશા એક છોકરી સમજી એવું કહેતા કે બહનજી ધરમજી ઘર પર હૈ.પોતે પોતાના અવાજથી પરેશાન થઇ ગયો હતો.જયારે ઘણા લોકો હમેશા સ્ત્રી કહીને મજાક પણ કરતા હતા.પરંતુ ઉમરની સાથે સાથે પોતે ઘણું ધ્યાન આપ્યું.અને આજે પોતે આવાજ ઘણો બદલી પણ દીધો છે. તમને જણાવી દઈએ કે બોબી દેઓલ ઘણા વર્ષોથી ફિલ્મોમાં સારી સફળતા મેળવી શક્યા ન હતા,પરંતુ હાલમાં જ તેમની આવેલી આશ્રમની વેબ સીઝનથી વધારે લોકપ્રિય થઇ ગયા છે.એટલું જ નહિ પરંતુ તેમનો આ શો પણ ઘણો લોકપ્રિય રહ્યો છે.હાલમાં બોબી દેઓલનું ભાગ્ય ફરી ચમકવા લાગ્યું છે.ફરી એકવાર બોબીની કારકિર્દી પાટા પર આવી ગઈ છે.
હિંદુઓનું આ ધાર્મિક સ્થળ હવે બની ગયું છે ભૂતિયા શહેર - ભગવાન રામ સાથે જોડાયેલ છે ઈતિહાસ.... - Gujarati News & Stories ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જેને ભૂતિયા કહેવામાં આવે છે. આ સ્થાનો સામાન્ય રીતે નાના ક્ષેત્ર અથવા ખંડેર હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભૂતિયા ગામ પણ કહેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલાં આ ગામ (ધનુસકોડી) એક ધાર્મિક સ્થળ હતું, પરંતુ હવે તે એક ભયંકર અને ડરામણું ગામ બની ગયું છે. ખરેખર તસ્વીરો જોઇને જ આ જગ્યા ઘણી ડરામણી લાગે છે જે તમે જોઈ શકો છો. અહીં કોઈ પણ વ્યક્તિ એકલું જવાની હિંમત કરી શકે તેમ નથી. ખરેખર, અહીં આપણે ભારતની છેડે રેતીના અંતિમ પર વસેલા ધનુસકોડી વિશે વાત કરી રહ્યા છીએ. અહીંથી તમે શ્રીલંકા જોઈ શકો છો. ભારત અને શ્રીલંકાની વચ્ચે સ્થિત ધનુષકોટી એ સ્ટ્રેટમાં રેતીના ઢગલા પર પર 50 ગજની અંતરે વિશ્વની સૌથી નાની જગ્યાઓમાંથી એક છે. ધનુસકોડી હિન્દુઓનું એક પવિત્ર તીર્થસ્થાન છે જ્યાંથી શ્રીલંકા ફક્ત 17 કિલોમીટર દૂર સ્થિત છે. ધનુષકોટી સમુદ્રથી ઘેરાયેલ છે પરંતુ તેમ છતાં અહીંનું પાણી ચમત્કારિકરૂપે મીઠુ છે. ઇતિહાસના પાનામાં ખોવાઈ રહેલી ધનુષકોટીની વાર્તા પણ ખૂબ રસપ્રદ છે. જણાવી દઈએ કે આ જગ્યા ધાર્મિક સાથે જોડાયેલ છે અને ઈતિહાસ માં પણ આ જગ્યાનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 22 ડિસેમ્બર 1964 ની રાતે આવેલા ચક્રવાતી તરંગમાં ધનુષકોટીનો નાશ થયો હતો. આ આપત્તિજનક ચક્રવાત તરંગ 270 કિમી પ્રતિ કલાકની ઝડપે આવી હતી. કાલિયમન તે જ હતું જેણે ચક્રવાતથી બચી ગયો હતો. હવે ફક્ત આ સ્થાન પર ખંડેર અને અવશેષો દેખાય છે. આ ચક્રવાતના આગમન પછી ધનુષકોટીને મદ્રાસ સરકારે ઘોસ્ટ ટાઉન જાહેર કર્યું હતું. તે ઘણા વર્ષોથી નિર્જન હતું. અહીં કોઇ આવતું નહોતું. પરંતુ તે પછી સરકારે તેને પર્યટક અને યાત્રાધામ બનાવવાની કોશિશ શરૂ કરી. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, ભૂતિયા શહેરને જોવા માટે પ્રવાસીઓમાં ભારે રસ છે. ધનુષકોટી બ્રિટિશ કાળમાં એક મોટું શહેર અને તીર્થસ્થાન હતું. ત્યારે અહીં હોટલ, કપડાની દુકાન, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલો, પોસ્ટ ,ફિસ અને ધર્મશાળાઓ જેવી ચીજોનો ઉપયોગ થતો હતો. 1893 માં, જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાના ધર્મ સંસદના કાર્યક્રમમાં ભાગ લીધા પછી શ્રીલંકાની મુસાફરી કરીને પશ્ચિમમાં પ્રવાસ કરવા માટે ભારત પરત ફર્યા, ત્યારે તેમણે ધનુષકોટી પર પણ પગ મૂક્યો. ધનુસ કોડીના નામની પાછળ ધાર્મિક અને પૌરાણિક માન્યતા પણ છે. રામ સેતુને ભગવાન રામ દ્વારા લંકા જવા માટે નલ અને નીલની મદદથી બનાવવામાં આવ્યું હતું. શ્રી રામ જ્યારે લંકાથી પાછા ફર્યા ત્યારે વિભીષણના કહેવા પર, તેણે તેના ધનુષના એક છેડેથી પુલ તોડી નાખ્યો. ત્યારથી, તે સ્થાનનું નામ ધનુષકોટી રાખવામાં આવ્યું છે. ધનુષકોટી એ બે સમુદ્રનો સંગમ છે. અહીંના પવિત્ર પુલ પર સ્નાન કર્યા પછી પણ યાત્રાળુઓ રામેશ્વરમમાં તેમની ઉપાસનાની યાત્રા શરૂ કરે છે. રામેશ્વરમ અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર છે. ધનુષકોટીમાં રાત્રે રોકાવું પ્રતિબંધિત છે. તેનું કારણ અહીં 5 કિલોમીટરની નિર્જન, ભયંકર ડરામણી અને રહસ્યમય રીત છે. આથી, દરેકને સૂર્યાસ્ત પહેલા રામેશ્વરમમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે આ સ્થાન પર ભગવાન રામ સાથે જોડાયેલા ઘણા મંદિરો છે. જો તમને પૌરાણિક મહત્વ, ઇતિહાસ, પ્રાકૃતિક વિશે રુચિ છે, તો પછી આ સ્થળે તમારે જરૂર જવું જોઈએ.
અફવા News in Gujarati, Latest અફવા news, photos, videos | Zee News Gujarati CAA વિરૂદ્ધ અફવા ફેલાવનાર 5ની પાટણમાં ધરપકડ Dec 22, 2019, 08:30 PM IST ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત અફવા, જુઓ વીડિયો પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી' દીપિકા અને રણવીરના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા, જેમાં દીપિકા ઢીલા કપડાંમાં જોવા મળી રહી હતી. દીપિકાના આ કપડાં પરથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પ્રેગ્નેંટ છે RBIએ જાહેર ક્ષેત્રની 9 બેન્કો બંધ થતી હોવા અંગે સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓનું કર્યું ખંડન આ સાથે જ નાણા સચિવ રાજીવ કુમારે પણ આરબીઆઈ દ્વારા કેટલીક બેન્કો બંધ કરવાના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, "કોઈ પણ જાહેર ક્ષેત્રની બેન્ક બંધ કરવાનો સવાલ જ પેદા થતો નથી." તેમણે ભાર મુકતા વધુમાં કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કોમાં લોકો વિશ્વાસ ધરાવે છે અને સરકાર તેમાં નવી મૂડીનું રોકાણ કરીને તેમનાં ગ્રાહકોને વધુ સારી સેવા આપી શકે તે માટે મજબૂત કરી રહી છે. Sep 25, 2019, 07:45 PM IST અફઘાનિસ્તાનથી બે યુવાનો નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા, જેને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આતંકી સમજીને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું હતું Aug 20, 2019, 11:05 PM IST જયસૂર્યાનું મોત? ભારતીય ક્રિકેટર પણ સપડાઈ ગયો જુઠાણાંની જાળમાં આ મહિને કેનેડામાં એક કાર એક્સિડન્ટમાં 49 વર્ષના જયસૂર્યાનું અવસાન થયું હોવાના સમાચાર ઇન્ટરનેટ પર વહેતા થયા હતા May 27, 2019, 04:38 PM IST આગની જેમ ફેલાયા દિલીપકુમારની વણસેલી તબિયતના સમાચાર પણ... થોડા દિવસો પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન થયું હતું Oct 29, 2018, 04:55 PM IST સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતિય હેવાને દુષ્કર્મ આચરવાની ઘટનાએ સમગ્ર રાજ્યને રડાવી દીધી છે. લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે અને આ નરાધમને ફાંસી આપવાની એક જ માંગ ઉઠવા પામી છે. જો કે આ માંગણી પણ વ્યાજબી છે. Oct 9, 2018, 09:36 AM IST તો શું સરકાર બ્લોક કરી દેશે WhatsApp, Facebook? ટેલીકોમ કંપનીઓ પાસે માંગી ભલામણો ટેલિકોમ વિભાગે આ મુદ્દે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ સાથે વાટાઘાટ કરવાની યોજનાઓ છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, સ્થાનિકોએ શકમંદ યુવકને માર્યો ઢોર માર બાળકો ઉઠાવી જવાની વાતને લઇને રાજકોટના 80 ફૂટ રોડ પર યુવકને સ્થાનિકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો જે મામલે થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચીલીયા મનુભાઇ રાઠવા નામના વ્યક્તિની વિરૂદ્ધ 3 વર્ષની માસુમ બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Jul 5, 2018, 05:15 PM IST સરકારની ચેતાવણી બાદ અફવાઓ પર પ્રતિબંધ લગાવવા માટે WhatsAppએ આપી સ્પષ્ટતા વોટ્સઅપે ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રાલયને પત્ર લખીને કહ્યું કે તે દિલને હચમચાવી દેનાર હિંસક કૃત્યોથી આતંકિત છે. વોટ્સઅપે ઉત્તેજક સામગ્રીના સંચાર વિશે વારંવાર તેના મંચનો દુરઉપયોગ કરવાને લઇને ભારત સરકારની ચિંતાને સંજ્ઞાનમાં લેતાં આ વાત કહી છે. Jul 5, 2018, 09:34 AM IST WhatsApp ગ્રુપ એડમિને કરાવવું પડશે રજિસ્ટ્રેશન, નહી તો 10 દિવસ બાદ થશે 'જેલ' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓના પ્રસારને રોકવાના પ્રયત્ન હેઠળ કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્રએ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ચલાવનાર લોકોને પહેલાં પોતાની પૃષ્ઠભૂમિની પોલીસ તપાસ કરાવવા અને તેને ઓપરેટ કરવાનું ચાલુ રાખવા માટે 10 દિવસની અંદર પરવાનગી લેવા માટે કહ્યું છે. જૂનાગઢ : બે મહિલાઓએ એક મહિલાને માર મારતાં હંગામો, વાયરલ વીડિયો Local people punishment to lady on lifting children's, Video Viral on Social Media Jun 29, 2018, 06:08 PM IST ગુજરાત : અફવાના નામે વધુ એક મહિલા શિકાર, સમગ્ર ઘટના જાણો VIDEO Mob locks up woman over child-lifting suspicion, later hands her over to cops Jun 29, 2018, 03:06 PM IST બાળક ચોર ગેંગ મામલોઃ અફવાએ અમદાવાદમાં લીધો એક મહિલાનો ભોગ, પોલીસે કહ્યું અફવા ફેલાવનાર સામે નોંધાશે ગુનો
વિમેન્સ સ્પીડ ચેસ ટુર્નામેન્ટ: હમ્પી અને હરિકાની હાર સાથે ભારતની ચુનૌતી સમાપ્ત નવી દિલ્હી: ગુરુવારે એફઆઇડીઇ મહિલા ગતિ ચેસ ચેમ્પિયનશીપ ગ્રાન્ડ પ્રિકસના ત્રીજા તબક્કામાં ભારતીય પડકાર પણ સમાપ્ત થયો હતો, જેમાં વિશ્વની બીજા નંબરની કોનેરુ હમ્પી અને ડી હરિકા ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી.હમ્પી રશિયાની એલેક્ઝેન્ડ્રા કોસ્ટેનિયુક સાથે મેચ કરી શક્યો ન હતો અને 2-2થી પરાજિત થયો હતો. તે જ સમયે, હરિકાને છેલ્લી આઠ રમતોમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી ચીનના હૌ યીફાનનો 7-3થી પરાજય મળ્યો હતો.હવે 15 મી જુલાઈથી શરૂ થનારી ચેમ્પિયનશીપના ચોથા અને અંતિમ તબક્કામાં હમ્પી અને હરિકા ભાગ લેશે.તે જ સમયે, અન્ય ભારતીય આર. વૈશાલીએ પોતાનું અભિયાન સાત પોઇન્ટથી સમાપ્ત કર્યું હતું, જે પ્રથમ તબક્કામાં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, બીજા ક્વાર્ટરમાં અને ત્રીજા રાઉન્ડમાં હમ્પી સામે હાર્યું હતું. કોરોનાએ જયાં જયાં ઉપાડો લીધો છે તેવા જિલ્લાઓમાં લોકડાઉન લંબાવવા અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમની દોઢ ડઝન જિલ્લા કલેકટરો સાથે મંત્રણા : નિર્ણય લેવા છુટો દોર આપ્યાની બહાર આવતી વિગતો : સત્તાવાર જાહેરાત થઈ નથી : સોમવાર પછી જાહેરાત થવા સંભવ access_time 5:53 pm IST ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા : અંકલેશ્વર ભાજપના નેતા અને નગર સેવકને પણ કોરોના પોઝિટિવ : જો કે સત્તાવાર નિવેદન બાકી : જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૪૫ પર પહોંચી access_time 3:09 pm IST છત્તિસગઢમાં પ્રસૂતાને ઊંચકી હોસ્પિટલ લઈ જવી પડી access_time 12:00 am IST આંધ્ર પ્રદેશમાં મશીનની સહાયતાથી કોરોનાના દર્દીઓના શબ દફનાવવાનો એક વિડીયો વાયરલ થયો access_time 12:00 am IST ભાખરવડ ડેમ ઓવરફલો access_time 9:55 am IST પ્રભાસપાટણમાં રસ્તાનું અધુરૂ કામ access_time 11:42 am IST વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફે મહિલા દર્દીને કોરોના વોર્ડમાં પુરી દીધા : વીડિયો વાયરલ access_time 11:37 am IST ટોસીલીઝુમેબ ઇન્જેક્શન મામલે જયંતિ રવિના નિવેદનથી હોબાળો : ડોક્ટરોમાં નારાજગી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ access_time 9:51 pm IST વલસાડ જિલ્લા એલસીબી સિવીલ હોસિપટલ કેન્ડીનમાં દરોડો : હજારો રૂપિયાની કિમંતની દારૂની બોટલો પકડી access_time 9:41 pm IST
યાત્રા : સંઘર્ષથી આનંદ સુધીની….! – વાસંતીફૂલ યાત્રા : સંઘર્ષથી આનંદ સુધીની….! Published by vasantiful on 16/05/2010 આપણે ઘણાને કહેતા સાંભળીએ છીએ કે, 'ભાઈ, મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, સખત મહેનત કરી છે…'વગેરે…. પરંતુ જરાક ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે પ્રત્યેક જીવ સંસારમાં આવે છે ત્યારથી તે સંઘર્ષ તો કરતો જ હોય છે. બાળક પ્રકાશનું પહેલું કિરણ જોવા પામે તે માટે તેણે ખાસ્સા નવ મહિના ગર્ભના અંધકાર સામે સંઘર્ષ કરવો પડતો હોય છે. બાળક બોલતાં ન શીખે ત્યાં સુધી પોતાની વાત માતા સુધી પહોંચાડવા માટે તેણે હાથપગ હલાવીને વાત સમજાવવાનો સંઘર્ષ કરવો પડે છે. ઊભા થવાનું અને ચાલવાનું શીખવા માટે એણે સતત સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ દોડતા થવા સુધી લંબાતો જાય છે.. કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘર્ષ કરવામાં કંઈ દુ:ખ કે નાનમ અનુભવવા જેવું નથી. ઘણું ખરું આપણે ઓછી આવકને કારણે થતા સંઘર્ષની કોઈક વાર ફરિયાદ કરતાં હોઈએ છીએ. પરંતુ એક ક્ષણ થોભીને વિચારીએ તો ખ્યાલ આવે છે કે જો કરોડોની મિલકત આમ જ વારસામાં આપણને મળી જાત તો એની કિંમત હોત ખરી ? શું કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે એનો ભાવ પૂછત ખરાં ? શું પેટ્રોલ કેટલા રૂપિયે લિટર છે એની દરકાર રાખત ખરા ? એ રીતે ઘરનું ઘર બનાવવા માટે આપણા પિતાએ તનતોડ મહેનત કરી હશે. ઑવરટાઈમ કરીને ઉજાગરા વેઠ્યા હશે. ઘરનું સપનું સાકાર કરવા માટે મમ્મીએ પાઈ-પાઈની કસર કરી હશે અને ત્યારે જઈને કેટલાય સંઘર્ષ બાદ ઘરનો પાયો નંખાયો હશે. કદાચ એ કારણથી જ જિંદગીના પાછલા વર્ષોમાં તેઓ સંતોષ અને હાશ અનુભવતા હોય છે, કારણ કે તેમણે સંઘર્ષ જોયો છે. કોઈને પોતાના ઘરનું સરનામું આપતા તેઓ ગૌરવથી કહી શકતા હશે કે, અમારે ત્યાં આવજો… આ અમારા ઘરનું સરનામું છે… – અવાજની આ બુલંદીના પાયામાં કેટલાય વર્ષોનો સંઘર્ષ સમાયેલો હોય છે. સંઘર્ષ સાથે અનાયાસે પીડા જોડાયેલી હોય છે પરંતુ પીડા વગર સર્જનનો આનંદ ક્યારેય પ્રાપ્ત થતો નથી. પીડાના સમયમાં આપણે ઈશ્વરની સમીપ હોવાની અનુભૂતિ કરી શકીએ છીએ. આપણા સંઘર્ષનું પરિણામ એ ઈશ્વરની પ્રસાદી છે. પ્રસવની પીડા સહન કર્યા બાદ પ્રથમવાર બાળકને હાથમાં લેતાં માતાને જે આનંદ થતો હશે, એને શબ્દોમાં વર્ણવી શકાય ખરો ? એ તો મા જ કહી શકે. એ રીતે કોઈ કલાકારને પણ સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. ક્યારેક પોતાની સાથે તો ક્યારેક પોતાના વિચારોની સાથે. આ મથામણ બાદ યથાયોગ્ય સમયે કોઈ ઉત્તમ કલાકૃતિ તેના હાથે અવતરીત થતી હોય છે. દરેકને કોઈને કોઈ સ્વરૂપે આ સંઘર્ષની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેથી સંઘર્ષથી પરિસ્થિતિમાં દુ:ખી થવા કરતાં તેને આનંદથી સ્વીકારીને આગળ વધીએ તો કદાચ એ લાંબો સમય ટકી નહીં શકે. સંઘર્ષથી શરૂ થતી યાત્રા વચ્ચે ઘણા સ્ટેશને ઊભી રહે છે પણ તેનું અંતિમ સ્ટેશન તો આનંદ અને સંતોષ જ હોય છે. (પ્રકાશિત – રીડગુજરાતી) Published inવિચાર Previous Post નવી શરૂઆત The thing you mention is good but there is no comments till today as if every person has face these problem or may not able to write. અરે વાહ્ કવયિત્રીનુ ચિતન !! Struggle is the another side of each life. As a matter of fact, If god gives you everything you never understand the value what you have. Don't complain but think like " God decide something better for you" સંઘર્ષને લઈને ઘણું જ સારૂ લખ્યું છે. પણ અત્યાર સુઘી મે મારા જીવનમા સંઘર્ષની વાતો કરનારા ઘણા જોયા છે. જેમા બહુ ઓછા લોકો ને સાંભ્ળ્યા છે જે પોતાના સંઘર્ષની વાતો કરીને બીજાને પ્રેરણા આપે. બાકીતો અહીયા જેમ તમે લખ્યું તે પ્રેમાણે પીડાની જેમ અનુભવતા હોય છે. છેલ્લે એટલું લખવા માગીશ કે જે સંઘર્ષ થી હારે છે તે નસીબ ને દોષ આપે છે. આ સમજ સાચી છે ! આભાર ! "In a day, if you don't come across any problems-you can be sure that you are travelling in a worng path." I completely agree with this article. In order for us to value anything, we will have to struggle and work hard. Only if we do so, we will be able to truly enjoy what we earn/get/learn. I read articles posted on "Read Gujarati" website, but I might have missed this one. Thank you for sharing this.
મારામારી કેસમાં મેંદરડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય અને તેના ત્રણ પુત્રોને દોષીત ઠેરવ્યા : ઉપલી કોર્ટમાં ચુકાદાને પડકારાશે ચુકાદા પછી જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ કહ્યું ભાજપની રાગદ્વેષ નીતિનો વિરોધ થશે જૂનાગઢ : મારામારી કેસમાં મેંદરડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના ત્રણ પુત્રોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2008માં જૂનાગઢ જિલ્લાના કાઠીના અમરાપુર ગામે મુગર મામદભાઈને ચૂંટણીના દિવસે ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમના ત્રણ પુત્રોએ મારમાર્યો હતો. મેંદરડા કોર્ટે આ કેસમાં જુનાગઢના ધારાસભ્ય અને તેમના પુત્રને દોષિત ઠેરવ્યા છે. જોકે ભીખા જોશીએ જામીન પર મુક્ત છે અને ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારશે. ભીખાભાઈ જોશીનએ સજા થયા બાદ સૌપ્રથમ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે લોકચુકાદાને શિરોમાન્ય ગણું છુ. તેનું સન્માન કરું છું. હું ઉપલી કોર્ટમાં જઈશ. 2008માં અમારા ગામમાં એક જ મુસ્લિમ કાકા હતા. હું ગામમાં ઘરે આવ્યો ત્યારે મારી માતાએ વૃદ્ધ કાકા તમને યાદ કરે છે તેવું કહ્યું. તો હું તેમને મળવા ગયો હતો. તેના બાદ તેમનુ નિધન થયું હતું. તેમના દીકરાને મેં સરપંચ બનવા મદદ કરી હતી. ત્યાર બાદ તે હોદ્દાના રુએ ગામને લૂંટવા લાગ્યા. મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડીને મારી સામે કેસ કરાયો હતો. હું ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારીશ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ભાજપ દ્વારા સૌપ્રથમવાર મારી ઉપર અને મારા પરિવાર પર પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ કેસ ચાલુ થતાં સ્પેશિયલ વકીલની પણ આ કેસમાં નિમણૂક કરવામાં આવી હતી. મને સજા કરાવવાના હેતુથી ભાજપના આગેવાનો મથામણ કરી રહ્યા હતા. સરકારે હકીકતે ગુંડાઓ, આતંકવાદીઓ, લેભાગુઓ, ભૂમાફિયાઓના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાવે તે જરૂરી છે. પરંતુ તેવું નથી થતું. MLA Bhikhabhai ભીખુભાઈએ આગળ જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય સામે કેસ હોય તેમાં સ્પેશિયલની નિમણૂક કરાવી સજા કરવાના સરકારના ઈરાદાઓ વધુ એકવાર ખુલ્લા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાની સાસણ જિલ્લા પંચાયત બેઠક પર ભીખુભાઇના પુત્રવધઉએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે રાજકોટ વોર્ડ નંબર 10માં ભીખુભાઈની પુત્રી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. તેના પર ચુકાદાની અસરને લઈને તેમણે જણાવ્યું હતું કે લોકોને સહાનુભુતી આ ચુકાદાને લીધે અમારા તરફ રહેશે, અને ભાજપની રાગદ્વેષ નીતિનો વિરોધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં ભીખાભાઈનું વતન અમરાપુર કાઠી ગામે પંચાયતની ચૂંટણી સમયે લેતીદેતીના સામાન્ય મામલે મારામારી થઈ હતી. ત્યારે મુગર મહમદભાઈના નામના વ્યક્તિએ ભીખુભાઈ અને તેમના ત્રણ પુત્ર ભરતભાઈ, મનોજભાઈ અને જેન્તીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભીખાભાઈ જોષી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરફથી જૂનાગઢ બેઠક પરથી જીત મેળવી હતી. લાંબા સમયથી જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને હરાવી ભીષાભાઈ જોષી ધારાસભ્ય બન્યા હતા.
જેમ કે તમે બધા જાણો જ છો, દરેકનો પોતાનો સમય હોય છે અને પોતાના સમયમાં લોકો કંઈક એવું કરે છે જે તેમની ઓળખ લોકોમાં એકદમ લોકપ્રિય બનાવે છે, જો આપણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 90 ના દાયકાના વિલન તે સમયગાળા તરીકે માનવામાં આવતું હતું, 90 ના દાયકામાં, એક કરતા વધુ કલાકારોએ વિલન તરીકેની પોતાની ઓળખ બનાવી છે, જે હજી પણ પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે અને લોકો હજી પણ 90 ના દાયકામાં તેની ફિલ્મો જોવી પસંદ કરે છે. પ્રખ્યાત વિલન કાત્યાની મોકમ્બો જેવી ભૂમિકાઓ હતી, જે આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ આજે અમે તમને એક એવા ખલનાયક વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે બોલિવૂડ એક્ટર સન્ની દેઓલ સાથે ફિલ્મ "ઘાતક" માં "કાત્યા" ની ભૂમિકા ભજવી છે, કદાચ તમને પણ કાત્યા ની ભૂમિકા યાદ હશે? હા, અમે ડેની ડેંઝોંગ્પા વિશે વાત કરી રહ્યા છીએ. Next articleપત્નીની મદદથી પતિએ કારખાને, આવતી યુવતી ઉપર કર્યો ચાર વખત બળાત્કાર, ગર્ભવતી થઈ જતાં ના કરવાનું કર્યું સાસુએ પુત્રવધુ ને કહ્યું કે તારા ગર્ભ માં તારા સસરા નું બાળક છે,તો રોષે ભરાયેલ પુત્રવધૂ એ એવું કામ કર્યું કે જાણીને તમે પણ ચોંકી જશો…
અમારા પ્રિય વર્ક કેટલો સુંદર છે! ખાસ કરીને જ્યારે વેકેશન શરૂ થાય છે. પરંતુ તે ખરાબ નસીબ છે. કેટલીકવાર તે તારણ આપે છે કે આ દિવસોના આનંદના દિવસોનો અંત આવે છે, આપણામાંના ઘણાને તેમની મૂળ ત્યાગ છોડવાની તક નથી. થોડા દિવસોમાં તે કંટાળાજનક બની જાય છે અને મને દીર્ઘાથી ઝંખનાથી ચઢવું છે. પછી પ્રશ્ન ઉઠે છે, વેકેશન દરમિયાન શું કરવું? તેમનું સ્વાગત છે, પરંતુ હવે તે તેને પસંદ નથી લાગતું. પરિસ્થિતિને બચાવવા માટે અમારા પ્રાયોગિક સલાહ અને અદ્ભુત વિચારોને મદદ કરશે, તેના બદલે કામમાંથી સમય કાઢવો. એ જ પ્રશ્નનો સાંભળીને, અમુકને ચોક્કસ આશ્ચર્ય થશે: "કેવી રીતે કરવું જોઈએ? અલબત્ત, આરામ! ". અને તેઓ તદ્દન યોગ્ય રહેશે નહીં. એક વ્યક્તિ એવી ગોઠવણ કરે છે કે થોડા દિવસો બાદ સંપૂર્ણ નિષ્ક્રિયતા ડિપ્રેશનમાં જવાનું શરૂ કરે છે. હજુ પણ, બંદૂકોના લોકોના બધા પછી કામ કરો. પરંતુ એનો અર્થ એવો નથી કે સુસજ્જ આરામ દરમિયાન તે કામ કરવા માટે જરૂરી છે અને મૂનલાઇટિંગ, ડચ, વગેરે માટે મૂલ્યવાન સમય લે છે. તે આધ્યાત્મિક કાર્ય વિશે છે, અને બાકી સક્રિય અને ઉત્પાદક છે. પ્રથમ વેકેશન, જે તમારા વેકેશનની કાળજી લેવા માટે મહત્વપૂર્ણ છે, તે તમારા માટે નક્કી કરવાનું છે કે જે સમયે તમે ટીવીની સામે કોચ પર લક્ષ્ય વગરના ફલશિંગમાં રજાઓ ગાળશો, પરંતુ જીવનનાં કાર્યોને ઉકેલવાથી તેજસ્વી છાપ અથવા સંતોષની સમજણ સાથે યાદ રાખવામાં આવશે. તેથી, મૂડ મળ્યો છે. રજામાં રોકાયેલા કરતાં, અમે સૌથી વધુ રસપ્રદ સ્વરૂપો માટે ચોક્કસ રહેવા માટે મુખ્ય પાસ કરીએ છીએ: પ્રકૃતિમાં તમે કેટલો સમય પસાર કર્યો છે? લાંબી પર્યટન અથવા ડાચમાં જરૂરી નથી, પરંતુ માત્ર જંગલમાં જ? ઉનાળામાં રજા પર શું કરવું તે માટે વિશાળ વિકલ્પો છે આ મશરૂમ્સની સફર છે, નદીમાં સ્નાન કરે છે, અથવા, બધા પછી, ફક્ત ખુલ્લા ક્ષેત્રમાં અથવા ઘરની પાછળના વુડ્સમાં ચાલતા હોય છે. તમે કદાચ લાંબા સમય સુધી સાંભળશો નહીં, કારણ કે પાંદડાં પવનમાં ખડખડાટ મારતા હોય છે અને પક્ષીઓ કોન્સર્ટ્સ ઉપર રોલ કરે છે અને તે વર્થ છે. માનવું અને પ્રકૃતિ સાથે કેવી રીતે સુંદરતા એકતા તમારા પર લાગે છે પ્રયાસ કરો. 2. જ્યારે તમે ઘર છોડી દો છો ત્યારે શું કરો છો, જો તે વરસાદની બહાર હોય અથવા તે ચાલીસ ડિગ્રી હિમ હેઠળ હોય? આસપાસ જુઓ, અને તમે તમારી પોતાની એપાર્ટમેન્ટ છોડ્યાં વિના ઘણી તક જોશો. આખરે, એક પુસ્તક વાંચો જે હાથ સુધી પહોંચ્યું ન હતું. વિદેશી ભાષાના થોડા પાઠ શીખો ગિટાર વગાડવાનું શીખો બધા જ થાય છે અને ખબર નથી કે વેકેશન પર બીજું શું ઘર પર કરવું છે? આખરે, એક એપાર્ટમેન્ટને વળો અને તેમાં ફેરબદલ કરો. તે માત્ર આંતરિક રીફ્રેશ નહીં, પણ તમારામાં ઉત્સાહ અને સુખાકારીનો વિશાળ ચાર્જ પણ ઉમેરશે! શું તમે નિપુણતાના ઘણાં કુશળતાઓની નિપુણતાનો સ્વપ્ન જોયો છો અથવા તમે ફૂલોની જાતિ કરવા માગો છો? ફોરવર્ડ! તમારી પાસે આ માટે સમય છે! 3. તમારા મિત્રો સાથે વાત કરો તેઓ ચોક્કસપણે તમને જણાવશે કે તમારી વેકેશન દરમિયાન શું શોધી શકાય છે. ચોક્કસપણે તમારી પાસે થોડાક મિત્રો છે, જેની પાસે તમારી પાસે મળવાનો સમય નથી. કાફે, મૂવીઝ, ઝૂ, મ્યુઝિયમ, થિએટર્સ દુનિયામાં ઘણા રસપ્રદ સ્થળો છે કે જે તમને તમારી રજા દરમિયાન મુલાકાત લેવાની જરૂર છે. 4. વેકેશન પર શું કરી શકાય તે માટેનો એક ઉત્તમ વિકલ્પ છે, જેથી તે યાદ કરાય છે, શોપિંગ છે. પરંતુ તદ્દન સામાન્ય નથી. વૈશ્વિક કંઈપણ ખરીદી નથી તે નવા બાર્ટેટ અથવા વસવાટ કરો છો ખંડ માટે એક સુંદર મૂર્તિ જેવી થોડી વસ્તુઓ હોઈ દો. તમારા રૂટને તે સ્થાનોથી રૂટ કરો કે જ્યાં તમે રોજગાર તરીકે ભાગ્યે જ મુલાકાત લો છો. અને તમારા કૅમેરોને તમારી સાથે લેવાની ખાતરી કરો. મને માને છે, એક ઉત્તેજક પ્રવાસ તમે રાહ, નવા છાપ અને શોધો સંપૂર્ણ! 5. જો તમે હજુ પણ નક્કી કર્યું નથી કે તમારી રજા દરમિયાન શું કરવું, તો અમે કેટલાક વધુ વિચારો પ્રદાન કરીએ છીએ: પૂરતી ઊંઘ મેળવો! કોમેડીઝ અને મનપસંદ ફિલ્મોની કંપનીમાં ચોકલેટ કે આઈસ્ક ક્રીમના બોક્સ સાથે બેડમાં એક દિવસ પસાર કરે છે; સ્પા-કાર્યવાહી પર સુંદરતા સલૂન એક દિવસ પસાર; અમ્યુઝમેન્ટ પાર્કમાં જાઓ અને આકર્ષણો પર સવારી કરો; આ એપાર્ટમેન્ટ સાથે સ્ટફ્ડ છે જૂના કચરો બહાર ફેંકવું; તેજસ્વી અને બોલ્ડ રંગમાં તમારા વાળ રંગ કરો; ભૂતપૂર્વ અભ્યાસ સ્થળ પર જાઓ અને શિક્ષકો જુઓ; એક દિવસ માટે ફોન બંધ કરો અને સંપૂર્ણ એકાંતમાં ચાલવા માટે ક્યાંક જાઓ; એક અથવા વધુ જટિલ વાનગીઓ ની તૈયારી માસ્ટર તમામ પ્રસ્તાવિત કેસોનો ઓછામાં ઓછો અડધો ભાગ બનાવવાનો પ્રયત્ન કરો અને મને માનો - સહકાર્યકર્તાઓ તમને ઓળખતા નથી અને તમને ક્યાંથી સારી રીતે આરામ કરવામાં આવે તે પૂછવામાં આવશે.
લોકડાઉન દરમિયાન લોકોને ઉપયોગી બનેલી આ વેબસાઈટ પર ભારતમાં પ્રતિબંધ મૂકાયો Govt bans popular file-sharing site WeTransfer in India ટેકનોલોજી / લોકડાઉન દરમિયાન લોકોને ઉપયોગી બનેલી આ વેબસાઈટ પર ભારતમાં પ્રતિબંધ મૂકાયો Team VTV 05:32 PM, 31 May 20 ફાઈલ ટ્રાન્સફર કરવા માટે લોકપ્રિય વેબસાઈટ 'WeTransfer'નો ભારતમાં ઉપયોગ થઇ શકશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂમનિકેશન (DoT) દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને પોપ્યુલર ફાઈલ ટ્રાન્સફર સર્વિસ આપતી વેબસાઈટ 'WeTransfer' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોપ્યુલર ફાઈલ ટ્રાન્સફર વેબસાઈટ પ્રતિબંધ આ વેબસાઈટ એકસમયે 2GB સુધીનો ડેટા ટ્રાન્સફર કરી શકે લોકડાઉનમાં આ વેબસાઈટ ઓફીસના કામ માટે ઉપયોગી બની હતી ભારતમાં લોકપ્રિય બની વેબસાઈટ ફાઈલ શેર કરવા માટે આ વેબસાઈટ ખૂબ લોકપ્રિય છે. દુનિયાભરમાં તેના લાખો યુઝર્સ છે અને લોકડાઉનમાં તો આ વેબસાઈટ ભારતમાં ખૂબ પ્રચલિત થઇ છે. આ સાઈટમાં ઈન્ટરનેટનાં માધ્યમથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તેમાં કોઈ પણ અકાઉન્ટ કે લોગ ઈન વગર યુઝર અન્ય યુઝરને ઈમેઈલનાં માધ્યથી એકસમયે 2GBસુધીનો ડેટા ટ્રાન્સફર કરી શકે છે. આ વેબસાઈટમાં મોટા ભાગે ફ્રી ઉપયોગ થતો હોવાથી આ વેબસાઈટનો વધારે ઉપયોગ થતો હતો. એક તો આ વેબસાઈટ વાપરવામાં સરળતા અને તેમાં કોઈ ચાર્જ ન હોવાથી લોકોમાં આ સાઈટ ખૂબ પ્રિય છે. સોશિયલ મીડિયા પર વેબસાઈટે આપ્યો જવાબ ભારતમાં હાલમાં વેબસાઈટના યુઝર્સ વધ્યા છે ત્યારે ઘણા બધા લોકોને અચાનક જ તકલીફ પડવાની શરૂઆત થવા લાગી જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. જે બાદ યુઝર્સને પડી રહેલી તકલીફને લીધે કંપનીએ યુઝર્સના સવાલોનો જવાબ આપવો પડ્યો. કંપનીએ જવાબમાં કહ્યું ભારતમાં હાલ વેબસાઈટ આંશિક રીતે બંધ છે. ટીમ દ્વારા આ મુદ્દે કામ ચાલી રહ્યું છે. વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક ( VPN) સર્વિસ દ્વારા વેબસાઈટનો એક્સેસ થઈ શકે છે.
વજન ઘટાડવા કે વધારવા માટે શું કરવું ? જાણો, ખોરાક અંગેની ટિપ્સ અને દવા - RDRATHOD.IN વજન ઘટાડવા કે વધારવા માટે શું કરવું ? જાણો, ખોરાક અંગેની ટિપ્સ અને દવા વજન ઘટાડવું હોય કે વધારવું હોય, તે એક મોટી સમસ્યા અત્યારે બની ગઈ છે. કેટલાકને ડાયટિંગ કરવા છતાં વજન ઘટતું નથી ને ઘણાણે ડબલ ખાવા છતાં વજન વધતું નથી. વજન વધારવું અને વજન ઘટાડવું - આ બંને એક બીજાથી વિરુદ્ધ પણ મોટી સમસ્યાઓ છે. તેને કેવીરીતે દૂર કરવી એના માટેની કેટલીક સચોટ અને ચોક્કસ રીત (ટિપ્સ) અહીંયા આપણે જોઈશું. કેટલાક એક્સપર્ટ પાસેથી માર્ગદર્શન મેળવીશું અને કેટલાક ઓપન સોર્સમાંથી પણ માહિતી મેળવીશું.. વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ વજન ઘટાડવા માટે ખોરાક અંગેની ટીપ્સ વજન ઘટાડવા માટે શું કરવું પડે વજન ઘટાડવા માટેની દવા વજન ઘટાડવા માટે મધનો પ્રયોગ વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ કરવાની સાચી ને સચોટ રીત કોઈપણ વ્યક્તિ જેને ચરબીનું પ્રમાણ વધારે છે અને ચરબી ઘટાડવા માંગે છે તે અન્ય આહાર અને કસરતનો પણ પ્રયોગ કરી શકે છે. પણ તેની સાથે સૌથી સારો ઉપાય છે એ મધનો પ્રયોગ, તો જુઓ તે કેવીરીતે કરી શકાય ? રીત : રોજ સાંજે, 200 મિલી જેટલું સાદું પાણી લેવું તેમાં 20 થી 25 ગ્રામ શુદ્ધ મધ ઉમેરવું. (ગરમ પાણીમાં લીંબુ પણ નહીં) તેને ઢાંકીને મૂકી રાખવું અને સવારે વહેલા ઉઠીને નરણા કોઠે પી લેવું, આજ રીતે, સવારે ફરીથી મિક્ષ કરી મૂકવું અને રાત્રે ઊંઘતા પહેલા ફરીથી પી લેવું બજારમાં ઉપલબ્ધ જુદા જુદા બ્રાન્ડેડ મધ પણ બનાવટી હોય છે. અને તેથી તે જરૂરી પરિણામ આપતા નથી ઉલટા વધારાનું વજન વધારે છે. ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ એકદમ ખોટી છે, કારણ કે શુદ્ધ મધ ગરમ કરાય નહીં. મધના પાણીમાં લીંબુ ઉમેરવાની વાત પણ ખોટી છે. આ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુખાવો મફતમાં મળે છે. શુદ્ધ મધ ચરબી ઘટાડવાની સાથે સાથે એનર્જી પણ આપે છે તેથી ખોરાક ઓછો ખાવા છતાં અશક્તિ આવતી નથી. માટે મધ શુદ્ધ હોવું જરૂરી છે. આ પ્રયોગ 30 દિવસ કરવાથી 100% પરિણામ મળશે.. ટ્રાય કરી જુઓ વજન વધારવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય રોજ વ્યાયામ કરો એવું જોવા મળે છે કે જે લોકો જાડા થાય છે તે હમેશા પાતળા થવાનું જ વિચારતા હોય છે એના કારણે તેઓ ઘણીવાર નુકસાનકર્તા વસ્તુઓનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ તેમને એ ખબર નથી હોતી કે જે લોકો પાતળા છે તેમને પણ ઘણી બધી માનસિક કે સામાજિક તકલીફો સહન કરવી પડતી હોય છે. જે પાતળા લોકો છે તે હંમેશા તેમના પાતાળ શરીરને લીધે માનસિક રીતે હલકી ભાવનાઓનો ભોગ બનતા હોય છે. જેના લીધે ઘણી વાર તેઓ લોકોની વચ્ચે જવાથી પણ દુર ભાગે છે. તેમને સતત ડર રહે છે કે કોઈ તેના આવા દુબળા પાતળા શરીરને કારણે તેમની મજાક ઉડાવશે. પણ એ લોકો હંમેશા જાડા લોકો કરતા આરોગ્યને લગતી તકલોફો નો ભોગ બઉ ઓછા જ બને છે. જો તમે પણ શરીરથી ખુબ વધુ પાતળા છો તો કદાચ તમે પણ પરેશાન હશો. આવા દુબળા શરીર માટે ફિટિંગ આવે તેવા કપડાં પણ નથી મળતા, એ સિવાય શરીર પાતળું હોવાથી બોડી ફિગર પણ સારી નથી લાગતી. જો તમારે વજન વધારવું છે તો અહીં આપેલી ટિપ્સ ને ફોલો કરો તમારું વજન વધશે અને બોડી પણ સુંદર બની જશે. તમારું દરરોજનું ખાવા પીવાનું વ્યવસ્થિત રાખો અને શક્ય બને ત્યાં સુધી બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો. તેનાથી તમારા શરીરના મેટા બોલીજ્મ પણ વધશે અને તમે હંમેશા સ્વસ્થ રહેશો. તમારું શરીર પણ ખૂબ હેલ્દી અને આકર્ષક દેખાવ લાગશે. પ્રોટીનથી ભરપૂર ભોજન લેવાથી વજન વધે છે સાથે સાથે માંસપેશીઓની શક્તિ પણ વધે છે. તેમાં દૂધ, ચીઝ, મગફળી, બટર, ખજુર, દાળિયા અને બીટ જેવી વસ્તુઓ ખૂબ ખાવી. તમને ગમતાં હોય તો કેળાનું મિલ્ક શેઈક બનાવીને પણ પી શકો છો કેમ કે કેળાને ખાવાથી વજન ખૂબ ઝડપી વધે છે. તેના માટે સવારે કેળાનો શેઇક બનાવી તેનો એક ગ્લાસ અને સાંજે કેરીનો તાજો શેઈક બનાવી તેનો એક ગ્લાસ પી લેવો. તમારા વજનમાં આચ્યર્ય જનક વધારો જોવા મળશે.
માલવિકા મોહનનની તસવીરોએ મચાવી સનસની, કતરા-કતરા દિલ બહેકાવી રહી છે અદા Posted on 3:04 pm December 30, 2019 3:04 pm December 30, 2019 Author Charu ShahComments Off on સ્વિટ્ઝરલેન્ડ બરફનો આનંદ લેતો નજર આવ્યો તૈમુર, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે 10 તસ્વીર ક્રિસમસ અને ન્યુ યર એવો સમય છે લોકો પરિવાર અને દોસ્તો સાથે વિતાવવાનું પસંદ કરે છે. બૉલીવુડ સેલેબ્સ પણ પણ તેના પરિવાર અને મિત્રો સાથે આ સમય વીતાવવનું પસંદ કરે છે. પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સમતુલન રાખવાનું કરીના અને સૈફ પાસેથી શીખવા જેવું છે. કરીના અને સૈફ તેની પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને પરિવાર સાથે સમય પસાર કરી લે છે. કરીના અને સૈફ નવા વર્ષને યાદગાર બનાવવા માટે વેકેશન પર ગયા છે. કરીના અને સૈફની સાથે તેનો લાડલો તૈમુર અને કરિશ્મા કપૂર પણ ગયા છે. વેકેશનની તસ્વીર કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુડ ન્યુઝ ફિલ્મનાં રિલીઝ બાદ કરીના બેહદ ખુબસુરત અને રિલેકસ નજરે આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા કપૂરે આ તસ્વીર શેર કરી છે. કરીના આ તસ્વીરમાં ફ્લોરલ જેકેટ અને બ્લુ રંગના ટ્રાઉઝર સાર્થે સફેદ ટોપીમાં કરીનાએ ચમકીલા શેડ્સમાં નજરે આવી રહી છે. કરીના આ લુકમાં વિન્ટર પરફેક્ટ નજરે આવી રહી છે. કરિશ્મા કપૂર લીલા રંગના ટોપ સાથે બ્લુ કલરના જેકેટ સાથે ટ્રાઉઝરને મેચ કર્યું છે. લાલ લિપસ્ટિક અને કાળા શૂઝમાં કરિશ્મા કપૂર ખુબસુરત લાગી રહી છે. તૈમૂરના લુકની વાત કરવામાં આવે તો તે લાલ રંગના જેકેટમાં લીલા રંગના હેલ્મેટમાં બેહદ ક્યૂટ લાગી રહ્યો છે. સૈફ અલી ખાન પણ ક્લીન શેવ અને કાળા રંગના જેકેટમાં કરીનાને પરફેક્ટ કપલ ગોલ આપી રહ્યો છે. કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની હાલમાં જ 'ગુડ ન્યુઝ' ફિલ્મ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં કરીના કપૂર સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજિત દોસાંઝ પણ લીડ રોલ જોવા મળે છે. આ ફિલ્મમાં કરીના અને અક્ષયે મિસ્ટર અને મિસિસ બત્રાના રોલમાં નજર ચડે છે. તો બીજી તરફ કિયારા અને દિલજિતની અટક પણ બત્રા હોય છે. બંને કપલ બાળકના હોવાને કારણે પરેશાન હોય છે. ડોક્ટર બંને કપલને આઇવીએફ કરાવવાની સલાહ આપે છે. જયારે બંને આઇવીએફ કરે છે તો એવું કંઈક થાય છે કે જેને જોઈને તમે હસીને લોટપોટ થઇ જશો. સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ તાનહાજી : ધ અનસંગ વોરિયરમાં નજરે આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ અને સૈફ અલી ખાન સાથે કાજોલ પણ નજરે આવશે. આ સિવાય સૈફ ફિલ્મ 'જાને જાનેમન' માં નજરે આવશે. થોડા દિવસ પહેલા કરીના કપૂર અને સૈફની એક એરપોર્ટની એક તસ્વીર સામે આવી હતી, જેમાં કરીનાએ બહુજ મોંઘુ Hermes Birkinનું હેન્ડ બેગ લીધું હતું. આ ડિઝાઈનર બેગની શરૂઆતની કિંમત લગભગ 6 લાખ રૂપિયા હતી. Posted on 1:27 pm June 30, 2020 12:39 pm May 27, 2021 Author Aryan Patel અભિનેતા કમલ હસન અને સારિકા હસનની દીકરી અભિનેતી શ્રુતિ હસને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે, શ્રુતિની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. તસ્વીર શેર કરીને શ્રુતિએ પોતાને 'વૉટર બૅબી' કહ્યું છે. તસ્વીરોમાં શ્રુતિ પાણીની અંદર કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે. જો કે શ્રુતિની આ તસ્વીરો જૂની છે જેને યાદ કરીને શ્રુતિએ તેને More.. Posted on 11:59 am May 23, 2020 9:12 pm May 31, 2021 Author Charu Shah બૉલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રુઝની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ઇલિયાના ડી ક્રુઝે ફિલ્મોની સાથે-સાથે તેની અદાઓને લઈને પણ ફેન્સનું દિલ જીતી લીધી છે. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) on Jan 25, 2020 at 2:37am PST ઇલિયાના ડી ક્રુઝ એ એક્ટ્રેસમાં શામેલ છે જે More.. જીવનમાં સાચા સમયે કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ પણ એક આવડત છે, વાંચો આ પ્રેરણાદાયી વાર્તા, ઘણું બધું શીખવી જશે અરે બાપ રે, અભિનેત્રી પ્રિયંકા ચોપડાના વાળને આ શું થઈ ગયું? ચાહકોના હોંશ ઉડ્યા- જાણો વિગત સ્વાદિષ્ટ દૂધ પાઉડર અને નારિયેળ ની બરફી – અત્યારે ગૌરીવ્રત શરૂ છે તો 5 દિવસ મોળું જ ખાવાનું, રેસિપી વાંચો 8:34 am July 25, 2018 Aryan Patel Comments Off on સ્વાદિષ્ટ દૂધ પાઉડર અને નારિયેળ ની બરફી – અત્યારે ગૌરીવ્રત શરૂ છે તો 5 દિવસ મોળું જ ખાવાનું, રેસિપી વાંચો 6:08 pm September 2, 2020 Charu Shah Comments Off on મોદી સરકારે કરી સૌથી મોટી સ્ટ્રાઇક, ચાઈના ધ્રુજી જશે..જલ્દી વાંચો કઈ કઈ એપ્લિકેશન બેન થઇ
જિજ્ઞેશ મેવાણી પર ફૅક વીડિયો શૅર કરવા બદલ કેસ, ધારાસભ્યે કહ્યું માફી માગશે - BBC News ગુજરાતી જિજ્ઞેશ મેવાણી પર ફૅક વીડિયો શૅર કરવા બદલ કેસ, ધારાસભ્યે કહ્યું માફી માગશે https://www.bbc.com/gujarati/india-48647377 Image copyright JM FB વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર સોશ્યલ મીડિયા પર કથિત રૂપે એક ફૅક વીડિયો પોસ્ટ કરી એક ખાનગી સ્કૂલને બદનામ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, એવી જાણકારી પોલીસે આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 20 મેના દિવસે તેમના ટ્ટિટર અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અર્ધનગ્ન હાલતમાં એક વિદ્યાર્થી દેખાય છે જેને એક વ્યક્તિ માર મારી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે માર મારી રહેલા વ્યકિત વલસાડમાં આરએમવીએમ સ્કૂલના એક શિક્ષક છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ આ સ્કૂલના આચાર્ય વિજલ કુમારી પટેલે ગુરુવારે વલસાડ પોલીસ સ્ટેશમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જે વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે તે તેમની સ્કૂલનો નથી અને જિજ્ઞેશ મેવાણીએ તેમની સ્કૂલ અને શિક્ષકોને બદનામ કર્યા છે. મેવાણી પર ભારતીય દંડ સંહિતાની ધારા 505(2) (બદઇરાદાથી અફવા ફેલાવવી) અને ધારા 500 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 20 મેના દિવસે જિજ્ઞેશ મેવાણીએ વીડિયો લિંક શૅર કરી હતી. એમણે પીએમઓને પણ ટ્ટીટ કર્યું હતું. ટ્ટિટર પર યૂઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ ઇજિપ્તનો છે ત્યાર બાદ મેવાણીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. જિજ્ઞેશ મેવાણીનું શું કહેવું છે? આ અંગે બીબીસીએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે વાત કરી હતી. એમણે પોતે આ વીડિયો પીએમઓને ટ્ટીટ કર્યો હોવાની કબુલાત કરી હતી. વધુમાં જિજ્ઞેશ મેવાણીએ બીબીસીને કહ્યું કે કોઈપણ ગુના પાછળ ગુનાહિત માનસ હોય છે. એટલે કે ગુનો કરવાનો ઇરાદો હોય છે. આ કેસમાં કોઈ વ્યકિત બાળકને ક્રૂર અને અમાનવીય રીતે મારી રહી હતી આ વાત પોલીસ અને પ્રશાસન સુધી પહોંચે તેવો મારો ઇરાદો હતો. કોઈ વ્યકિત કે સંસ્થા વિશેષ બદનામીનો આશય કદી નહોતો. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે પંરતુ મેં કથિત શાળા વલસાડની જ કોઈ ચોક્કસ શાળા છે એવી કોઈ વાત નથી કરેલી. એમણે કહ્યું કે એ વીડિયો જે ફરતો ફરતો મારી પાસે આવ્યો અને તેમાં જે માહિતી હતી તેને અક્ષરસહ મુકીને મે વડા પ્રધાનને સવાલ કર્યો કે આ અંગે તમારું શું કહેવું છે. મે પોતે કોઈ શાળા કે શિક્ષક પર સીધો આક્ષેપ કર્યો નથી તેમ છતાં ફરિયાદ થઈ છે તે આશ્ચર્યનો વિષય છે. તેમણે એમ પણ કહ્યું કે કથિત વીડિયોને લઈને કેટલાક લોકો દ્વારા શાળાની પજવણી કરવામાં આવી હોવાની માહિતી મને આજે મળી છે જે વાતનો મને અફસોસ છે. આ મુદ્દે કોઈને જાણે અજાણે મનદુખ થયું હોય તો પોતે માફી માગશે એમ પણ જિજ્ઞેશ મેવાણીએ બીબીસીને કહ્યું. આની સાથે જ એમણે એવો સવાલ પણ કર્યો કે એક ધારસભ્ય થાવાણી સ્ત્રીને જાહેરમાં ફટકારે અને એનો વીડિયો વાઇરલ થાય પણ તેમાં તરત કેસ દાખલ થતો નથી અને જેમાં હેતુ ફક્ત બાળઅધિકારની વાત કરવાનો છે તે વીડિયો શૅર કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરે છે એ એમનો મારી પરનો વિશેષ પ્રેમ છે, બીજુ તો શું કહી શકું?
દુનિયાનો એક અનોખો કેસ જેમાં ભગવાન પોતે ફરિયાદી છે નવી દિલ્હી,તા.૯: રામજન્મભુમિ -બાબરી મસ્જીદ વિવાદ અયોધ્યામાં સદીઓથી ચાલી રહ્યો છે. હવે તો પુરો થવાની શકયતા છે. પણ આ કેસમાં એક મહત્વપૂર્ણ મુદ્દોએ પણ છે કે આ દુનિયાનો એક અનોખો કેસ છે, જેમાં કોર્ટે સામે ફરીયાદી ભગવાન પોતે છે. જણાવી દઇએ કે ૧૯૮૬માં એક સ્થાનિક વકીલ અને પત્રકાર ઉમેશચંદ્ર પાંડેની અપીલ પર ફૈઝાબાદના તત્કાલીન જીલ્લા જજ કૃષ્ણમોહન પાંડેએ ૧ ફ્રેબુઆરી ૧૯૮૬ના રોજ વિવાદિત પરિસરના તાળા ખોલવામાં આદેશ આપી દીધો હતો. આ આદેશનો બહુ વિરોધ થયો. મુસ્લિમ પક્ષકારોએ આ ચુકાદોને એક તરફી ગણાવ્યો હતો આની પ્રતિક્રિયા રૂપે ફ્રેબુઆરી ૧૯૮૬માં બાબરી મસ્જીદ સંઘર્ષ સમિતીની રચના થઇ અને મુસ્લિમ સમાજે પણ વિશ્વ હિન્દુ પરિષદની જેમ આંદોલન અને સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. ૧૯૮૯ની લોકસભા ચુંટણી પહેલા વિશ્વ હિન્દુ પરિષદના એક નેતા અને રિટાયર્ડ જજ દેવકી નંદન અગ્રવાલે ૧ જુલાઇએ ભગવાન રામના મિત્રના રૂપમાં ફૈઝાબાદની અદાલતમાં કેસ કર્યો આ દાવામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો કે, ૨૩ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ રામ ચબૂતરાની મૂતિઓ મસ્જીદની અંદર મુકવામાં આવી. કેસમાં દાવો કરવામાં આવ્યો કે ભગવાન રામ અને તેમનું જન્મ સ્થાન બંન્ને પૂજનીય છે અને આ સંપતિના માલિક પણ તેઓ જ છે.(૨૨.૧૧)
કૈસી મશાલેં લેકે ચલે તિરગી મેં આપ, જો ભી થી રોશની વો સલામત નહિ રહી અણુવીજળીઃ આખરે સરકારને સુપ્રીમનો કરંટ લાગ્યો અણુવીજળી સસ્તી પડે છે અને પર્યાવરણ માટે ઓછી હાનિકારક છે એવી વ્યાપક દલીલો સાચી પરંતુ ભારતમાં અણુવીજમથકમાં થઈ શકતા અકસ્માત સામેના કાયદા જ જાણીજોઈને એટલા ઢીલા રાખવામાં આવ્યા છે કે દોષિતોને સજા કરવી મુશ્કેલ બની જાય ગાંધીજી જો પુનઃ અવતાર લે તો તેમને દુઃખી થવા માટે પૂરતાં કારણો આપણે ઊભા કરી દીધા છે પરંતુ જે કેટલીક બાબતો જોઈને ગાંધીજી ખુશ પણ થઈ શકે તેમાંની એક બાબત છે સત્યાગ્રહ. ગાંધીચિંધ્યા રાહે છાશવારે દેશમાં થતાં સત્યાગ્રહો જોકે ગાંધી ગયા પછી દુરાગ્રહથી ખાસ અલગ રહ્યા નથી પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી સત્યાગ્રહની નવી તરાહની અજમાયેશ થઈ રહી છે એ મુજબ મધ્યપ્રદેશના કેટલાંક ગ્રામજનોએ જળ સત્યાગ્રહ આદર્યા પછી તાજેતરમાં તામિલનાડુ સ્થિત કુડાનકુલમ એટોમિક પાવર પ્લાન્ટ સામે ભરચક વિરોધ કરી રહેલાં સ્થાનિકોએ પણ ૨૭ કલાક સુધી દરિયામાં ઊભા રહીને છેવટે સરકારને તેમની માગણીઓ પર વિચારણા કરવા મજબૂર કરી હતી. કોલસાકૌભાંડ પછી કેન્દ્ર સરકારના આર્થિક નિર્ણયો અને તેનાં પગલે સર્જાયેલી રાજકીય ઉથલપાથલની હવામાં કુડાનકુલમ પાવર પ્લાન્ટ સંબંધિત કેટલાંક સમાચારો દબાઈ ગયા. તામિલનાડુના છેક છેવાડાના દરિયાકાંઠાના કુડાનકુલમ ગામે અણુવીજમથક નંખાઈ રહ્યું છે. ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે તામિલનાડુ સાથે ગુજરાતનો નાતો ખાસ્સો દૂરનો હોવાથી આપણને કુડાનકુલમમાં રસ ન પડે તે સ્વાભાવિક છે પરંતુ અણુવીજમથક એક એવી સમસ્યા છે જે આજે કુડાનકુલમમાં છે તો આવતીકાલે કુતિયાણા કે કરજણમાં ય આવી શકે. વીજળી એ આધુનિક પરિભાષામાં પ્રગતિની વાહક ગણાય છે અને પરંપરાગત રીતે વીજમથકોમાં વપરાતો કોલસો ક્રમશઃ ઘટતો જાય છે ત્યારે ભવિષ્યને ઉજાળવા માટે અણુવીજમથકો આવશ્યક બનવાના છે. હાલ ભારતમાં ૧ લાખ ૮૨ હજાર મેગાવોટ જેટલું વીજઉત્પાદન થાય છે તે પૈકી ન્યુક્લિયર બેઈઝ્ડ પાવર સ્ટેશનનો હિસ્સો ફક્ત ૪,૧૭૮ મેગાવોટ જેટલો એટલે કે કુલ ઉત્પાદનના ફક્ત ૧૧ ટકા જેટલો જ છે. પરંતુ આગામી ૨૦૨૦ સુધીમાં ભારતને વીજ જરૃરિયાતને પહોંચી વળવા માટે વધુ ૬૦ હજાર મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન કરવું જરૃરી બનશે. થર્મલ પાવર સ્ટેશનની ટેક્નોલોજી પ્રતિદિન અત્યંત મોંઘી અને કડાકૂટભરી બનતી જાય છે. કોલસાની ખાણોના તળ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે જ કોલસાની કિંમતમાં પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની માફક ક્રમશઃ વધારો જ થતો જવાનો. હાઈડ્રો પાવર પ્લાન્ટ દરેક સ્થળે સ્થાપી શકાતાં નથી. આ સંજોગોમાં અણુવીજળી એ હાલના તબક્કે સસ્તો અને સરળ વિકલ્પ જણાય છે. વિશ્વના અન્ય દેશોમાં પણ અણુવીજળીને પ્રાધાન્ય આપવાનો દૌર એક દાયકાથી ચાલી રહ્યો છે. ભારતમાં હાલ છ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (જેમાંનો એક પ્લાન્ટ કાકરાપારા, ગુજરાત ખાતે) કાર્યરત છે. બે વર્ષમાં અન્ય ત્રણ પાવર પ્લાન્ટ કાર્યરત થઈ જશે એ પછી ૨૦૨૦ સુધીમાં નવા સાત પ્લાન્ટ માટે સાઈટ શોધાઈ રહી છે. અણુવીજળીની તરફેણમાં થતી દલીલો પૈકી મુખ્ય દલીલ ગ્લોબલ વોર્મિંગને લગતી છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વીજ ઉત્પાદનનો ફાળો ૪૩ ટકા જેટલો છે. એ સંજોગોમાં વીજ ઉત્પાદનનો એવો વિકલ્પ શોધવો આવશ્યક છે જેમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ન્યુનતમ થતું હોય. અણુવિભાજન વડે વીજ ઉત્પાદનની પ્રક્રિયામાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનની સંભાવના ન હોવાથી અણુવીજળી આદર્શ વિકલ્પ ગણાય છે. સામા પક્ષે અણુવીજળીને ન્યુક્લિયર બોમ્બનું જ બીજું સ્વરુપ ગણાવીને તેનો સઘન વિરોધ કરનારાઓની દલીલ પણ સંપૂર્ણપણે વજૂદભરી છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વડે જો ગ્લોબલ વોર્મિંગ ટાળી શકાય છે તો સિક્કાની બીજી બાજુએ કિરણોત્સર્ગનો એટલો જ મોટો ભય છપાયેલો પડયો છે. ૧૯૮૬ની રશિયાની ચર્નોબિલ દુર્ઘટનાથી માંડીને હાલમાં ગત વર્ષે જાપાનની ફુકુશિમા દુર્ઘટના સહિતના ઉદાહરણો નજર સામે છે. અણુવીજળી પ્રમાણમાં ઘણી જ સસ્તી પડે છે એ સ્વીકાર્ય હોય તો પણ અણુવીજમથકમાં એક જ અકસ્માત થાય તો થઈ શકતું નુકસાન એ વીજમથકને લીધે થયેલા ફાયદાની સરખામણીએ અનેકગણું નુકસાન સર્જી શકે છે એ ચર્નોબિલ અને ફુકુશીમા અકસ્માતમાં સાબિત થઈ ચૂક્યું છે. હાલ અણુવીજમથકો સ્થાપવાની બાબતમાં અમેરિકા અને યુરોપિય દેશો મોખરે છે પરંતુ છેલ્લા એક દાયકાથી અમેરિકામાં અણુવીજળી વિરોધી ચળવળ વ્યાપક અને બોલકી બન્યા પછી અમેરિકાએ ૨૦૩૫ સુધીમાં કુલ ૧૯ નવા પ્લાન્ટનું આયોજન કર્યું હતું તેમાંથી ૬ પ્લાન્ટ રદ કરી દીધા છે. ભારતમાં હજુ અણુવીજળીથી થઈ શકતાં નુકસાન વિશે ખાસ જાગૃતિ નથી આમ છતાં કુડાનકુલમ વીજમથકે દેશભરમાં ચર્ચા જગાવી છે એ આવકાર્ય બાબત છે. અણુવીજમથકોની હાનિકારકતા જોતાં ભારતમાં તેના પ્રસાર પર પ્રતિબંધ હોવો જોઈએ એ અંગે ૨૦૦૮માં જાહેરહિતની અરજી થયા પછી સર્વોચ્ચ અદાલતે પણ એ અરજીને ગંભીરતાથી લીધી છે અને ગુરુવારે સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચે સરકારને કુડાનકુલમ વીજમથકમાં કિરણોત્સર્ગ થવાની ટકાવારી, ભયસ્થાનો અને સલામતીના આવશ્યક પગલાંઓ અંગે સંપૂર્ણ વિગતો પૂરી પાડવા આદેશ કર્યો છે. કુડાનકુલમ જેવા સાવ છેવાડાના ગામે નંખાઈ રહેલો પ્લાન્ટ દેશભરમાં ચર્ચા જગાવી શક્યો તેનું મુખ્ય કારણ એ છે કે આ પ્લાન્ટ સહિત દેશભરમાં અણુવીજળી મથકોનો વિરોધ કરનારાઓ પૈકી કેટલાંક નામો એવા છે જેમની નિષ્ઠા, વિષયનો અભ્યાસ અને સતર્કતા અંગે શંકા થઈ શકે તેમ નથી. કેન્દ્ર સરકારમાં કેબિનેટ સેક્રેટરી રહી ચૂકેલા ટી.એસ.સુબ્રહ્મણ્યમની આગેવાની હેઠળ ચાલી રહેલી 'નો ન્યુક્લિયર' મૂવમેન્ટમાં ભારતીય નૌકાદળના પૂર્વ સેનાપતિ રામદાસ, ચૂંટણીપંચના પૂર્વ મુખ્ય કમિશનર ગોપાલાસ્વામી, વડાપ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ વેણુગોપાલ ઉપરાંત અણુશક્તિ પંચના પૂર્વ અધ્યક્ષ પી.એમ.ભાર્ગવ સુદ્ધાં સામેલ છે. આ દરેક મહાનુભાવોએ સર્વોચ્ચ અદાલત સમક્ષ કરેલી દલીલો મુજબ, ભારતમાં અન્ય દરેક ક્ષેત્રોની માફક અણુવીજ સંબંધિત કાયદાઓમાં જ જબરી પોલંપોલ ચાલે છે. ભારતીય પરમાણુ દાયિત્વ કાનૂન ૨૦૧૦ મુજબ, દુર્ઘટના થાય ત્યારે અસરગ્રસ્તોને સહાય પેટે ચૂકવવાની થતી રકમની મર્યાદા રૃ. ૧૫૦૦ કરોડ નક્કી થઈ છે. નો ન્યુક્લિયર મૂવમેન્ટની દલીલ એવી છે કે દુર્ઘટના થયા પહેલાં જ સરકાર નુકસાની પેટે ચૂકવવાની થતી રકમની ટોચ મર્યાદા કેવી રીતે આંકી શકે? જાનહાનિ ન થઈ હોય તેવા કિસ્સાઓમાં પણ જમીન, પાણી, હવામાં પ્રસરતા કિરણોત્સર્ગને લીધે થતું કુદરતી સંપત્તિનું નુકસાન કોણ ચૂકવશે? અમેરિકાના મોંપેલિઅર વીજમથક ખાતે ૧૯૯૬માં દુર્ઘટના સર્જાઈ ત્યારે જાનહાનિ થઈ ન હતી પરંતુ કુદરતી સંપત્તિને થયેલું નુકસાન કાયમી હતું જેનો કાચો અંદાજ પણ ૩૫ અબજ ડોલરને પહોંચતો હતો. કાયદાની બીજી છટકબારી તો વધુ ગંભીર છે. કાનૂની જોગવાઈ મુજબ દુર્ઘટના વખતે અણુભઠ્ઠીની ટેક્નોલોજી પૂરી પાડનાર કે મેઈન્ટેનન્સ કરનાર કંપની (જે મોટાભાગે અમેરિકન, ફ્રેન્ચ અથવા જાપાનીઝ હોય છે)ને અકસ્માતના વખતે વળતર ચૂકવવામાંથી સદંતર બાકાત કરવામાં આવી છે. વિશ્વભરમાં અન્યત્ર ક્યાંય આવી છટકબારી નથી. આ સંજોગોમાં ભારતમાં તો એવી હાલત થઈ શકે કે જેમ અણુઅકસ્માત વધુ થાય તેમ અણુભઠ્ઠીની સપ્લાયર કંપનીઓને વધુ બિઝનેસ મળવાના સંજોગો દેખાય. આ દરેક દલીલોને ગ્રાહ્ય રાખીને ગુરુવારે સર્વોચ્ચ અદાલતે કરેલી ટકોર બહુ વાજબી છે. અદાલતે સરકારને પારદર્શી બનવા અને દરેક વિગતો આપવા સાથે ઉમેર્યું હતું કે, માત્ર કાયદાથી જ પ્રજાનું હિત જળવાય તે જરૃરી નથી, એ માટે મક્કમ ઈરાદો પણ જોઈએ. જે આ સરકારમાં કમનસીબે વર્તાતો નથી.
ભારતમાં ગુજરાતને શોભાવનારઃ ડ Gujarat Samachar > લેખ > ભારતમાં ગુજરાતને શોભાવનારઃ ડ ભારતમાં ગુજરાતને શોભાવનારઃ ડો. એન. સી. પટેલ પ્રા. ચંદ્રકાંત પટેલ Friday 15th March 2019 08:39 EDT ગામડા ગામના ખેડૂતોનો પુત્ર ડો. એન. સી. પટેલ આજે સમગ્ર ગુજરાતને શોભાવે છે. ગુજરાતને શૈક્ષણિક ક્ષેત્રે એમણે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ૨૦૧૮માં તેઓ 'ઈન્ડિયન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એસોસિએશન'ના પ્રમુખ તરીકે ચૂંટાયા. ૨૦૧૬-૧૭માં ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયર્સના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. ડો. એન. સી. પટેલને ૨૦૦૯માં જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ચાન્સેલર બન્યા હતા. ત્યાંની મુદ્દત પૂરી થતાં ૨૦૧૪માં એગ્રીકલ્ચર યુનિવર્સિટી-આણંદના વાઈસ ચાન્સેલર તરીકે નિમણુક મળી. આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં મધ્ય ગુજરાતના નવ જિલ્લાનો સમાવેશ થાય છે. ડો. એન. સી. પટેલમાં સેવા અને સંશોધનક્ષમતાનો સુભગ સમન્વય છે. સેવાભાવી સ્વભાવ અને સ્નેહાળ વ્યક્તિત્વથી તે જ્યાં જાય ત્યાં ટીમવર્કની ભાવના સર્જાય છે. પોતે મેળવેલી સિદ્ધિ સૌના સાથ અને મહેનતનું પરિણામ છે એમ જણાવીને સૌનો સાથ અને વિશ્વાસ પામવામાં તે સફળ રહ્યા છે. એન. સી. એટલે નગીનભાઈ ચંદુભાઈ પટેલ. ડભોઈ નજીકના ખૂનવડ ગામના મોટા ખેડૂત અને શ્રદ્ધેય આગેવાન. પિતાના ઉદ્યમી અને પરગજુ સ્વભાવનો વારસો એન.સી.માં ઉતર્યો છે. તેમના સતત પુરુષાર્થ, સૂઝ અને બધાંનો સાથ પામવાની આવડતે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સતત વિકસતી રહી છે. ભારતના માનવસંસાધન અને વિકાસ ખાતા તરફથી સમગ્ર દેશની શૈક્ષણિક અને સંશોધન વિષયક સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમાં સતત બે વર્ષ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને દેશની ૧૦૦ સર્વોત્તમ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર સંસ્થા એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદને જ આવું બહુમાન પ્રાપ્ત થયું છે. ડો. એન. સી. પટેલ અભ્યાસકાળ દરમિયાન તેજસ્વી, મહેનતુ અને શિક્ષકોના લાડીલા હતા. ઉદેપુરની એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી ખડગપુર આઈઆઈટીમાંથી એમ.ટેક. થયા. ત્યારે અહીંના પ્રાધ્યાપક અને પછીથી ડિરેક્ટર બનેલા ડો. એ. સી. પંડ્યાના સંપર્કમાં આવ્યા. ચિંતનશીલ, સરળ, અભ્યાસી અને વિદ્યાર્થીઓમાં માનીતા ડો. એ. સી. પંડ્યાના એ વિશ્વાસપાત્ર બન્યા. અભ્યાસ પછી કૃષિક્ષેત્રે એમ.ટેક.ના ડિગ્રીધારી એન.સી. પટેલને પબ્લિક સર્વિસ કમિશને યોગ્યતાના ધોરણે નવસારીમાં એગ્રીકલ્ચર એન્જિનિયર તરીકે નિમણુક આપી. નવસારીમાં ત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર એવા સાત ધોરણનો અભ્યાસ કરેલા સરદારજી સમક્ષ ઉપસ્થિત થયા. ૧૧ માસની નોકરી પછી સ્વતંત્ર રીતે સંશોધનની તક દેખાતાં તેમણે સરકારી નોકરી છોડીને જ્યોતિ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં નોકરી સ્વીકારી. કૃષિ ઉપયોગી એવાં ભાતભાતનાં ઉપકરણોનું ઉત્પાદન અને સતત સંશોધન એ એની વિશિષ્ટતા હતી. એન. સી. પટેલને અહીં તેમના કૌશલ વિકાસની તક મળી. ટપક પદ્ધતિ અને ફૂવારા પદ્ધતિથી સિંચાઈમાં તેમણે ભાતભાતના અખતરા કર્યા. ઈઝરાયલની આવી પદ્ધતિનો અભ્યાસ કર્યો. આ પછી તેમણે જુદા જુદા પાક માટે અનુકૂળ પદ્ધતિ નક્કી કરીને ઉપકરણોમાં જરૂરી સુધારાવધારા કર્યાં. જ્યોતિ લિમિટેડમાં બે નવાં ઉપકરણોનું સંશોધન કરીને ઉત્પાદન કરાવીને બજારમાં મૂક્યાં. આમાં એક તે ડાંગર માટેનું થ્રેસર. ડાંગરના આખા પૂળા મશીનમાં મૂકતાં ડાંગર છૂટી પડે અને પૂળા ઘાસ તરીકે સલામત રહે. મગફળીના વેલામાંથી મગફળી જૂદું પાડતું થ્રેસર તેમણે ભારતમાં સૌપ્રથમ બજારમાં મૂક્યું. આ બધાને કારણે જ્યોતિ લિમિટેડમાં તેમનો પગાર બમણો થવાની તક ઊભી થઈ તે જ અરસામાં કૃષિ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની જાહેરાત આવી. યોગ્યતાના ધોરણે તેમની પસંદગી થવાની તક હતી. શું કરવું એની દ્વિધામાં તેમણે વિદ્યાગુરુ ડો. એ. સી. પંડ્યાની સલાહ લીધી. તેમણે કહ્યું, 'આપણે જે મેળવ્યું છે તે આપીને સમાજને ઉપયોગી બનવું. પૈસા સામે ના જોવાય.' શ્રદ્ધેય ગુરુની સલાહ ગાંઠે બાંધીને તેમણે જ્યોતિ લિમિટેડ છોડીને નવી નોકરી સ્વીકારી. આ પછી તે કામ અને નિષ્ઠાથી આગળ વધતા ગયા અને ખૂબ પ્રતિષ્ઠા પામ્યા. ડો. એન. સી. પટેલ આમ ગુજરાતને શોભાવતું ઘરેણું બન્યા!
ચાઇના પ્લાસ્ટિકના ભાગો કેવી રીતે બનાવવી તે ઉત્પાદક અને સપ્લાયર | મેસ્ટેક પ્રતિ પ્લાસ્ટિક ભાગો ડિઝાઇનભાગોના આકાર, કદ અને ચોકસાઈને નિર્ધારિત કરવાનું છે, ભાગોમાં ઉત્પાદનમાં ભૂમિકા અને પ્લાસ્ટિક માટે મોલ્ડિંગ પ્રક્રિયાના નિયમના આધારે. અંતિમ આઉટપુટ એ બીબામાં અને પ્લાસ્ટિકના ભાગના ઉત્પાદન માટેના રેખાંકનો છે. ઉત્પાદન ઉત્પાદન ડિઝાઇનથી શરૂ થાય છે. પ્લાસ્ટિકના ભાગોની ડિઝાઇન સીધી ઉત્પાદનની આંતરિક રચના, કિંમત અને કાર્યની અનુભૂતિને નિર્ધારિત કરે છે, અને તે ઘાટનું ઉત્પાદન, કિંમત અને ચક્ર, તેમજ ઇન્જેક્શન મોલ્ડિંગ અને પોસ્ટ-પ્રોસેસિંગ પ્રક્રિયા અને ખર્ચનું આગલું પગલું પણ નક્કી કરે છે. આધુનિક સમાજમાં વિવિધ ઉત્પાદનો, સુવિધાઓ અને લોકોના જીવનમાં પ્લાસ્ટિકના ભાગોનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકના ભાગોને વિવિધ આકારો અને કાર્યોની જરૂર હોય છે. તેઓ પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ કરે છે અને તેમની ગુણધર્મો વૈવિધ્યસભર છે. તે જ સમયે, ઉદ્યોગમાં પ્લાસ્ટિકના ભાગો બનાવવાની ઘણી રીતો છે. તેથી પ્લાસ્ટિકના ભાગોની રચના કરવી એ સરળ કામ નથી. વિવિધ ભાગ ડિઝાઇન અને સામગ્રી વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે. મોલ્ડિંગ પ્લાસ્ટિક માટેની પ્રક્રિયામાં મુખ્યત્વે નીચે શામેલ છે: 1. ઇંજેક્શન મોલ્ડિંગ 2. ફૂંકાતા મોલ્ડિંગ 3.com પ્રેશન મોલ્ડિંગ 4. પ્રોટોશનલ મોલ્ડિંગ 5.અથરમોફોર્મિંગ 7.ફ્રેબ્રિકેશન 8.ફોમિંગ તેમને મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરવાની ઘણી રીતો છે. ઇન્જેક્શન મોલ્ડિંગ એ લોકપ્રિય ઉત્પાદન પદ્ધતિ છે, કારણ કે ઇન્જેક્શન મોલ્ડેડ 50% ~ 60% પ્લાસ્ટિક ભાગો બાય ઈન્જેક્શન મોલ્ડિંગ દ્વારા બનાવવામાં આવે છે, તે એક ઉચ્ચ ગતિની ઉત્પાદન ક્ષમતા છે. અમે ડિઝાઇન કરેલા કેટલાક પ્લાસ્ટિક ભાગો માટે કેસ બતાવો: વિઝન ફોનનું પ્લાસ્ટિક બંધ મિકેનિઝમના પ્લાસ્ટિક ભાગો ઇલેક્ટ્રોનિકના પ્લાસ્ટિક કેસ સાધન માટે પ્લાસ્ટિક આવાસો નીચે આપણે ત્રણ બાબતોમાં પ્લાસ્ટિકના ભાગોને કેવી રીતે ડિઝાઇન કરવું તે વિગતવાર શેર કરીએ છીએ પ્લાસ્ટિકના ભાગોને ડિઝાઇન કરવા માટેના 10 ટીપ્સ જે તમને ખબર હોવા જોઈએ 1. દેખાવની ડિઝાઇન અને ઉત્પાદનનું કદ નક્કી કરો. આ ડિઝાઇનની આખી પ્રક્રિયામાં આ પહેલું પગલું છે. બજાર સંશોધન અને ગ્રાહકની આવશ્યકતાઓ અનુસાર ઉત્પાદનોનો દેખાવ અને કાર્ય નક્કી કરો અને ઉત્પાદન વિકાસ કાર્યો ઘડવો. વિકાસ કાર્ય અનુસાર, વિકાસ ટીમ ઉત્પાદનને તકનીકી અને તકનીકી શક્યતા વિશ્લેષણ પર વહન કરે છે, અને ઉત્પાદનનું 3 ડી દેખાવ મોડેલ બનાવે છે. તે પછી, ફંકશન રીયલાઇઝેશન અને પ્રોડક્ટ એસેમ્બલી અનુસાર, શક્ય ભાગોની યોજના છે. ઉત્પાદનના ડ્રોઇંગ્સમાંથી 2. વ્યક્તિગત ભાગોને અલગ કરો, પ્લાસ્ટિકના ભાગો માટે પ્લાસ્ટિક રેઝિન પ્રકાર પસંદ કરો આ પગલું એ પાછલા પગલામાં મેળવેલા 3D મોડેલથી ભાગોને અલગ પાડવું અને તેમને વ્યક્તિગત રૂપે ડિઝાઇન કરવાનું છે. ભાગોની કાર્યાત્મક આવશ્યકતાઓ અનુસાર, પ્લાસ્ટિકની યોગ્ય કાચી સામગ્રી અથવા હાર્ડવેર સામગ્રી પસંદ કરો. ઉદાહરણ તરીકે, એબીએસ નો ઉપયોગ સામાન્ય રીતે શેલ, એબીએસ / બીસી અથવા પીસીમાં અમુક યાંત્રિક ગુણધર્મો, પારદર્શક ભાગો જેવા કે લેમ્પશેડ, લેમ્પ પોસ્ટ પીએમએમએ અથવા પીસી, ગિયર અથવા પહેરવાના ભાગો પીઓએમ અથવા નાયલોન હોવું જરૂરી છે. ભાગોની સામગ્રી પસંદ કર્યા પછી, વિગતવાર ડિઝાઇન શરૂ કરી શકાય છે. 3.ડિફાઈન ડ્રાફ્ટ એંગલ્સ ડ્રાફ્ટ એંગલ્સ પ્લાસ્ટિકને ઘાટમાંથી દૂર કરવાની મંજૂરી આપે છે. ડ્રાફ્ટ એંગલ્સ વિના, ભાગ દૂર દરમિયાન ઘર્ષણને કારણે નોંધપાત્ર પ્રતિકાર આપશે. ડ્રાફ્ટ એંગલ્સ ભાગની અંદરની અને બહારની બાજુએ હોવા જોઈએ. Theંડા ભાગ, ડ્રાફ્ટ એંગલ મોટો. અંગૂઠાનો સરળ નિયમ એ છે કે ઇંચ દીઠ 1 ડિગ્રી ડ્રાફ્ટ એંગલ હોવો જોઈએ. પર્યાપ્ત ડ્રાફ્ટ એંગલ ન હોવાના પરિણામે ભાગની બાજુઓ અને / અથવા મોટા ઇજેક્ટર પિન માર્ક્સ (આ પછીથી વધુ) ની બાજુમાં સ્ક્રેપ્સ થઈ શકે છે. બહારની સપાટીના ડ્રાફ્ટ એંગલ્સ: Theંડા ભાગ, ડ્રાફ્ટ એંગલ મોટો. અંગૂઠાનો સરળ નિયમ એ છે કે ઇંચ દીઠ 1 ડિગ્રી ડ્રાફ્ટ એંગલ હોવો જોઈએ. પર્યાપ્ત ડ્રાફ્ટ એંગલ ન હોવાના પરિણામે ભાગની બાજુઓ અને / અથવા મોટા ઇજેક્ટર પિન માર્ક્સ (આ પછીથી વધુ) ની બાજુમાં સ્ક્રેપ્સ થઈ શકે છે. સામાન્ય રીતે, સારી દેખાવ સપાટી રાખવા માટે, ભાગોની સપાટી પર રચના બનાવવામાં આવે છે. ટેક્સચરવાળી દિવાલ રફ છે, ઘર્ષણ મોટી છે, અને તેને પોલાણમાંથી કા toવું સરળ નથી, તેથી તેને મોટા ડ્રોઇંગ એંગલની જરૂર છે. બરછટ પોત છે, મોટું ડ્રાફ્ટિંગ એંગલ આવશ્યક છે. 4. દીવાલની જાડાઈ / સમાન જાડાઈ સોલિડ આકારનું મોલ્ડિંગ નીચેના કારણોને લીધે ઇંજેક્શન મોલ્ડિંગમાં ઇચ્છિત નથી. 1). કુલિંગ દિવાલની જાડાઈના ચોરસ પ્રમાણમાં છે. નક્કર માટે લાંબી ઠંડકનો સમય સામૂહિક ઉત્પાદનના અર્થતંત્રને પરાજિત કરશે. (ગરમીનો નબળો વાહક) 2) .ટિકર વિભાગ પાતળા વિભાગ કરતા વધુ સંકોચો, ત્યાં વિરોધી સંકોચન રજૂ કરે છે જેના પરિણામે વpageરપેજ અથવા સિંક માર્ક વગેરે આવે છે (પ્લાસ્ટિક અને પીવીટી લાક્ષણિકતાઓના સંકોચન લક્ષણો) તેથી અમારી પાસે પ્લાસ્ટિકના ભાગની રચના માટે મૂળભૂત નિયમ છે; જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દિવાલની જાડાઈ એકસરખી હોવી જોઈએ અથવા ભાગની બહાર સતત હોવી જોઈએ. આ દિવાલની જાડાઈને નામની દિવાલની જાડાઈ કહેવામાં આવે છે. જો ભાગમાં કોઈ નક્કર વિભાગ છે, તો તેને કોરની રજૂઆત કરીને હોલો બનાવવો જોઈએ. આ કોરની આસપાસ દિવાલની સમાન જાડાઈની ખાતરી કરવી જોઈએ. 3). દિવાલની જાડાઈ નક્કી કરવા માટે કયા વિચારણા છે? તે કામ માટે ગા thick અને પૂરતા સખત હોવા જોઈએ. દિવાલની જાડાઈ 0.5 થી 5 મીમી હોઈ શકે છે. તે ઝડપથી ઠંડુ થવા માટે પૂરતું પાતળું હોવું જોઈએ, પરિણામે નીચા ભાગનું વજન અને higherંચી ઉત્પાદકતા. દિવાલની જાડાઈમાં કોઈપણ તફાવત શક્ય તેટલું ન્યૂનતમ રાખવું જોઈએ. વિવિધ દિવાલની જાડાઈવાળા પ્લાસ્ટિકનો ભાગ વિવિધ ઠંડક દર અને વિવિધ સંકોચનનો અનુભવ કરશે. આવા કિસ્સામાં નજીકની સહનશીલતા પ્રાપ્ત કરવી ખૂબ મુશ્કેલ અને ઘણી વખત અશક્ય બની જાય છે. જ્યાં દિવાલની જાડાઈમાં વિવિધતા આવશ્યક છે, ત્યાં બંને વચ્ચેનું સંક્રમણ ક્રમિક હોવું જોઈએ. 5. ભાગો વચ્ચે જોડાણ ડિઝાઇન સામાન્ય રીતે આપણે બે શેલ એક સાથે જોડવાની જરૂર છે. આંતરિક ઘટકો (પીસીબી એસેમ્બલી અથવા મિકેનિઝમ) મૂકવા માટે તેમની વચ્ચે બંધ ઓરડો બનાવવો. સામાન્ય પ્રકારનાં જોડાણ: 1). સ્નેપ હૂક: સ્નેપ હુક્સ કનેક્શન સામાન્ય રીતે નાના અને મધ્યમ કદના ઉત્પાદનોમાં વપરાય છે. તેની લાક્ષણિકતા એ છે કે ત્વરિત હૂક સામાન્ય રીતે ભાગોની ધાર પર સેટ કરવામાં આવે છે, અને ઉત્પાદનનું કદ નાનું કરી શકાય છે. જ્યારે એસેમ્બલ થાય છે, ત્યારે તે સ્ક્રુ ડ્રાઇવર, અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ ડાઇ અને અન્ય જેવા કોઈપણ ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના સીધા જ બંધ થાય છે. ગેરલાભ એ છે કે સ્નેપ હૂક્સ મોલ્ડને વધુ જટિલ બનાવી શકે છે. સ્નેપ હુક્સ કનેક્શનને ખ્યાલ આપવા અને બીબામાં ખર્ચ વધારવા માટે સ્લાઇડર મિકેનિઝમ અને લિફ્ટર મિકેનિઝમની જરૂર છે. 2). સ્ક્રુ સાંધા: સ્ક્રુ સાંધા પે firmી અને વિશ્વસનીય છે. ખાસ કરીને, સ્ક્રુ + અખરોટનું ફિક્સેશન ખૂબ વિશ્વસનીય અને ટકાઉ છે, જે તિરાડો વિના બહુવિધ ડિસેમ્બલીઓને મંજૂરી આપે છે. સ્ક્રુ કનેક્શન મોટા લોકીંગ ફોર્સ અને મલ્ટીપલ ડિસમલિંગવાળા ઉત્પાદનો માટે યોગ્ય છે. ગેરલાભ એ છે કે સ્ક્રુ ક columnલમ વધુ જગ્યા લે છે. 3). માઉન્ટિંગ બોસ: બોસ કનેક્શનને વધારવું એ બોસ અને છિદ્રો વચ્ચેના ચુસ્ત સંકલન દ્વારા બે ભાગોને ઠીક કરવાનું છે. ડિસએસેમ્બલ ઉત્પાદનોને મંજૂરી આપવા માટે કનેક્શનની આ રીત એટલી મજબૂત નથી. ગેરલાભ એ છે કે વિસ્થાપનનો સમય વધતાં લોકીંગની શક્તિમાં ઘટાડો થશે. 4). અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ: અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ એ બે ભાગોને અલ્ટ્રાસોનિક મોલ્ડમાં મૂકીને અને સંપર્ક સપાટીને અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ મશીનની ક્રિયા હેઠળ ફ્યુઝ કરીને છે. ઉત્પાદનનું કદ નાનું હોઇ શકે છે, ઇન્જેક્શન ઘાટ પ્રમાણમાં સરળ છે, અને કનેક્શન મક્કમ છે. ગેરલાભ એ અલ્ટ્રાસોનિક મોલ્ડ અને અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ મશીનનો ઉપયોગ છે, ઉત્પાદનનું કદ ખૂબ મોટું હોઈ શકતું નથી. વિખેર્યા પછી, અલ્ટ્રાસોનિક ભાગો ફરીથી વાપરી શકાતા નથી. 6. અનડર્કટ્સ અન્ડરકટ્સ એવી વસ્તુઓ છે જે બીબાના અડધા ભાગને દૂર કરવામાં દખલ કરે છે. અન્ડરકટ્સ ડિઝાઇનમાં ક્યાંય પણ દેખાઈ શકે છે. આ તેટલું જ અસ્વીકાર્ય છે, જો તે ભાગ પર ડ્રાફ્ટ એંગલના અભાવથી વધુ ખરાબ નથી. જો કે, કેટલાક અન્ડરકટ્સ આવશ્યક અને / અથવા અનિવાર્ય છે. તે કિસ્સાઓમાં, જરૂરી છે અંડરકટ્સ બીબામાં ભાગો ખસેડીને / ખસેડીને ઉત્પન્ન થાય છે. ધ્યાનમાં રાખો કે ઘાટ બનાવતી વખતે અન્ડરકટ્સ બનાવવી વધુ ખર્ચાળ હોય છે અને તેને ઓછામાં ઓછી રાખવી જોઈએ. 7. આધાર પાંસળી / ગુસેટ્સ પ્લાસ્ટિકના ભાગમાં પાંસળી ભાગની જડતા (ભાર અને ભાગની અવધિ વચ્ચેનો સંબંધ) સુધારે છે અને કઠોરતામાં વધારો કરે છે. તે ઘાટની ક્ષમતામાં પણ વધારો કરે છે કારણ કે તેઓ પાંસળીની દિશામાં ઓગળેલા પ્રવાહમાં ઉતાવળ કરે છે. પાંસળી એ ભાગની બિન-દેખાવ સપાટી પર મહત્તમ તાણ અને ડિફ્લેક્શનની દિશામાં મૂકવામાં આવે છે. ઘાટ ભરવા, સંકોચન અને ઇજેક્શનથી પણ પાંસળીના પ્લેસમેન્ટના નિર્ણયને પ્રભાવિત કરવો જોઈએ. પાંસળી જે vertભી દિવાલ સાથે જોડાતી નથી તે અચાનક સમાપ્ત થવી જોઈએ નહીં. નજીવી દિવાલમાં ધીમે ધીમે સંક્રમણથી તાણની સાંદ્રતા માટેનું જોખમ ઓછું થવું જોઈએ. પાંસળી - પરિમાણો પાંસળી નીચેના પરિમાણો હોવા જોઈએ. સિંક માર્ક ટાળવા માટે પાંસળીની જાડાઈ 0.5 થી 0.6 ગણી નજીવી દિવાલની જાડાઈ વચ્ચે હોવી જોઈએ. પાંસળીની heightંચાઈ 2.5 થી 3 વખત નજીવી દિવાલની જાડાઈ હોવી જોઈએ. ઇજેક્શન સરળ બનાવવા માટે પાંસળી પાસે 0.5 થી 1.5-ડિગ્રી ડ્રાફ્ટ એંગલ હોવો જોઈએ. પાંસળીના પાયામાં 0.25 થી 0.4 ગણી ત્રિજ્યાની નજીવી દિવાલની જાડાઈ હોવી જોઈએ. બે પાંસળી વચ્ચેનું અંતર 2 થી 3 વખત (અથવા વધુ) નજીવી દિવાલની જાડાઈ હોવું જોઈએ. 8. રેડિઓઝ્ડ એજ જ્યારે બે સપાટીઓ મળે છે, ત્યારે તે એક ખૂણા બનાવે છે. ખૂણા પર, દિવાલની જાડાઈ નજીવી દિવાલની જાડાઈમાં 1.4 ગણો વધે છે. આ તફાવત સંકોચન અને મોલ્ડ-ઇન-સ્ટ્રેસ અને લાંબા સમય સુધી ઠંડક માટે પરિણમે છે. તેથી, તીક્ષ્ણ ખૂણા પર સેવામાં નિષ્ફળતાનું જોખમ વધે છે. આ સમસ્યાને હલ કરવા માટે, ખૂણા ત્રિજ્યાથી સ્મૂથ કરવા જોઈએ. ત્રિજ્યા બાહ્ય તેમજ આંતરિક રીતે પ્રદાન કરવા જોઈએ. આંતરિક તીવ્ર ખૂણા ક્યારેય ન રાખો કારણ કે તે ક્રેકને પ્રોત્સાહન આપે છે. ત્રિજ્યા એવા હોવું જોઈએ કે જે તેઓ દિવાલની જાડાઈના નિયમની પુષ્ટિ કરે છે. ખૂણાઓ પર દિવાલની જાડાઈ 0.6 થી 0.75 ગણો ત્રિજ્યા હોવું વધુ સારું છે. આંતરિક તીવ્ર ખૂણા ક્યારેય ન રાખો કારણ કે તે ક્રેકને પ્રોત્સાહન આપે છે. 9.સ્ક્રુ બોસ ડિઝાઇન અમે હંમેશા બે અડધા કેસને એક સાથે ઠીક કરવા માટે સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ, અથવા પીસીબીએ અથવા અન્ય ઘટકો પ્લાસ્ટિકના ભાગો પર જોડવું. તેથી સ્ક્રુ બોસ એ સ્ક્રૂ કરવા અને નિશ્ચિત ભાગો માટેની રચના છે. સ્ક્રુ બોસ આકારમાં નળાકાર છે. બોસ માતા ભાગ સાથે આધાર પર જોડાયેલ હોઈ શકે છે અથવા તે બાજુમાં જોડાયેલ હોઈ શકે છે. બાજુથી જોડાવાથી પ્લાસ્ટિકના જાડા ભાગમાં પરિણમી શકે છે, જે ઇચ્છનીય નથી કારણ કે તે સિંક માર્કનું કારણ બની શકે છે અને ઠંડકનો સમય વધારી શકે છે. સ્કેચમાં બતાવ્યા પ્રમાણે બાજુની દિવાલ સાથે પાંસળી દ્વારા બોસને જોડીને આ સમસ્યા ઉકેલી શકાય છે. બ buttટર્સ પાંસળી આપીને બોસને કઠોર બનાવી શકાય છે. સ્ક્રુનો ઉપયોગ બોસ પર કેટલાક અન્ય ભાગને જોડવા માટે થાય છે. ત્યાં થ્રેડો બનાવતા પ્રકારનાં સ્ક્રૂ અને ટ્રેડ કટીંગ પ્રકારના સ્ક્રૂ છે. થ્રેડો બનાવતા સ્ક્રૂનો ઉપયોગ થર્મોપ્લાસ્ટિક્સ પર થાય છે અને થ્રેડ કટીંગ સ્ક્રૂનો ઉપયોગ બિનસલાહભર્યા થર્મોસેટ પ્લાસ્ટિક ભાગો પર થાય છે. થ્રેડો બનાવતી સ્ક્રૂ ઠંડા પ્રવાહ દ્વારા બોસની આંતરિક દિવાલ પર સ્ત્રી થ્રેડો ઉત્પન્ન કરે છે - પ્લાસ્ટિક કાપવાને બદલે સ્થાનિક રીતે વિકૃત છે. સ્ક્રુ બોસને સ્ક્રુ દાખલ કરવાના દળો અને સેવામાં સ્ક્રુ પર મૂકવામાં આવેલા ભારને ટકી રહેવા માટે યોગ્ય પરિમાણો આવશ્યક છે. થ્રેડ સ્ટ્રિપિંગ અને સ્ક્રુ પુલ આઉટ સામે પ્રતિકાર માટે સ્ક્રુને સંબંધિત બોરનું કદ જટિલ છે. થ્રેડની રચનાને કારણે હૂપના તાણનો સામનો કરવા માટે બોસનો બાહ્ય વ્યાસ એટલો મોટો હોવો જોઈએ. ટૂંકી લંબાઈ માટે પ્રવેશના સમયે બોર થોડો મોટો વ્યાસ ધરાવે છે. આ ડ્રાઇવિંગ કરતા પહેલા સ્ક્રુ શોધવામાં મદદ કરે છે. તે બોસના ખુલ્લા અંતમાં તનાવને પણ ઘટાડે છે. પોલિમર ઉત્પાદકો તેમની સામગ્રી માટે બોસનું પરિમાણ નક્કી કરવા માટે માર્ગદર્શિકા આપે છે. સ્ક્રુ ઉત્પાદકો સ્ક્રુ માટે યોગ્ય બોરના કદ માટે માર્ગદર્શિકા પણ આપે છે. બોસમાં સ્ક્રુ બોરની આસપાસ વેલ્ડ સાંધાની ખાતરી કરવા માટે કાળજી લેવી જોઈએ. બોસમાં મોલ્ડ-ઇન-સ્ટ્રેસ ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે તે આક્રમક વાતાવરણ હેઠળ નિષ્ફળ થઈ શકે છે. બોસમાં બોર થ્રેડની thanંડાઈ કરતા વધુ shouldંડા હોવા જોઈએ. 10. સપાટીની સજાવટ કેટલીકવાર, સારા દેખાવ માટે, અમે ઘણીવાર પ્લાસ્ટિકના કેસની સપાટી પર વિશેષ સારવાર કરીશું. જેમ કે: ટેક્સચર, ઉચ્ચ ચળકતા, સ્પ્રે પેઇન્ટિંગ, લેસર એન્ગ્રેવિંગ, હોટ સ્ટેમ્પિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ અને તેથી વધુ. પ્રોડક્ટની ડિઝાઇનમાં અગાઉથી ધ્યાનમાં લેવું જરૂરી છે, ત્યારબાદની પ્રક્રિયા પ્રાપ્ત કરી શકાતી નથી અથવા કદના ફેરફારોને ઉત્પાદન એસેમ્બલીને અસર કરે છે તે ટાળવા માટે.
ભાજપે અંતે પક્ષ પલટો કરી આવેલા પૂર્વ પ્રમુખને ટિકિટ આપવી જ પડી | Morbi Mirror HomeGujaratભાજપે અંતે પક્ષ પલટો કરી આવેલા પૂર્વ પ્રમુખને ટિકિટ આપવી જ પડી ભાજપે અંતે પક્ષ પલટો કરી આવેલા પૂર્વ પ્રમુખને ટિકિટ આપવી જ પડી કોંગ્રેસ ના આગેવાન અને પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરા ભાજપમાં જોડાયા છતાં અવગણના કરતા રાજકારણ ગરમાયું હતું આજે ફરી કેતન ને વોર્ડ 10 માંથી ટિકિટ આપવામાં આવી ;સાંસદ મોહન કુંડારીયા એ મધ્યસ્થી કરી ઘી ના ઠામમાં ઘી પાડ્યું મોરબી પાલિકાના લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ગઈકાલ જાહેર કરેલા લિસ્ટ બાદ વિવાદનો વંટોળ હજુ સમવાનો નામ નથી લેતો ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે લિસ્ટ જાહેર કર્યું ત્યારે પાલિકા પૂર્વ પ્રમુખ અને એક સમય ન કોંગ્રેસ આગેવાન કેતન વિલપરાની બાદબાકી કરી પત્તુ કાપી નાખવામાં આવ્યું હતું પરંતુ જીલ્લા ભાજપે બહાર પાડેલી યાદીમાં આજે ફેરફાર કરી ફરી કેતન વિલપરાને સમવાવમાં આવ્યા છે અને ટિકિટ આપવામાં આવી છે જેમાં આજે બપોરે વોર્ડ 10 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરાને આપવામાં આવી છે જેમાં કેતન વિલપરા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપ માં આવ્યા હતા ત્યારે જે કમિટ મેન્ટ થયું હતું તેનો ભાજપ દ્વારા ઉલાળીયો જોવા મળ્યો હતો જો કે આજે કેતન વિલપરાને સાંસદ મોહન કુંડારીયાએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડી અને ભાજપે ટીકીટ આપી છે અને આખી પેનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ માં 10 માં રહેલા પ્રભુભાઈ ભૂતને વોર્ડ 8 માં સમાવવામાં આવ્યા છે તો વોર્ડ 8 માં રહેલ પાલિકા પૂર્વ પ્રમુખ લલિત કામરિયા (ભાજપ 2010-2015)ની બાદબાકી કરી નાખવામાં આવી છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિયમોને આધીન જ કામરીયાને અલવિદા કરવામાં આવ્યું છે ત્યારે હાલ મોરબી ભાજપનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે ત્યારે આગામી સમયમાં પણ બદલાવ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. Previous articleમોરબીના રામઘાટ નજીકથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો Next articleવાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીનાં મશીનમાં માથુ આવી જતા શ્રમિકનું મોત
સુરત : કાર્ડિયાક ટેસ્ટિંગ કરતી વખતે ક્લિનિકમાં તબિયત બગડતા કાપડ વેપારીનું મોત – Surat News સુરત : કાર્ડિયાક ટેસ્ટિંગ કરતી વખતે ક્લિનિકમાં તબિયત બગડતા કાપડ વેપારીનું મોત Surat News 04/12/2021 News સુરત, તા. 02 ડિસેમ્બર 2021 શનિવાર વેસુ ખાતે રહેતા કાપડ વેપારી સીટી લાઇટની ક્લિનિકમાં શુક્રવારે બપોરે કાર્ડિયાક ટેસ્ટિંગ કરતા હતા. ત્યારે તેમની અચાનક તબિયત લથડતા મોતને ભેટયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે કેનાલ રોડ પર એન્જોય રેસિડેન્સીમાં રહેતા 51 વર્ષીય કાપડ વેપારી અનિલભાઈ બચ્છરાજભાઈ સિંધી શુક્રવારે બપોરે સીટી લાઇટ ખાતે મિરાજ ક્લિનિકમાં કાર્ડિયાક ટેસ્ટિંગ કરવા માટે ગયા હતા. ત્યાં તેમનો ટેસ્ટિંગ કરતી વખતે અચાનક તબિયત બગડતા પડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમના મૃતદેહને નવી સિવિલ ખાતે ખસેડાયો હતો ત્યાં પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે પણ તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સિવિલ સુપ્રિન્ડેન્ટની જગ્યા નહી ભરાયતો ભૂખ હડતાળ | સિવિલ સુપ્રિન્ડેન્ટની જગ્યા નહી ભરાયતો ભૂખ હડતાળ - Divya Bhaskar સિવિલ સુપ્રિન્ડેન્ટની જગ્યા નહી ભરાયતો ભૂખ હડતાળ થરાદનીરેફરલ હોસ્પીટલને અપગ્રેડ કરવામાં આવી છે,પણ તબીબો અને સૂવિધાઓના નામે મીંડુ છે. આથી થરાદ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા જનઆંદોલન અને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સરહદી તાલુકાઓની પ્રજાને અનેક હાલાકીઓ ભોગવવી પડતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. થરાદ-વાવ તાલુકાની સરકારી હોસ્પિટલમાં અત્યારે વર્ગ એકની તમામ જગ્યાઓ જેવી કે ઓર્થોપેડીક સર્જન, આઇસર્જન, ગાયનેકોલોજીસ્ટ, ફીજીશિયન, પીડીયાટ્રીશિયન અને મુખ્ય સુપ્રિન્ડેન્ટેન્ટની જગ્યા તો ત્રણ વર્ષથી ખાલી પડેલી છે. તેવીજ રીતે વર્ગ ચારની પણ દસ જગ્યાઓ ખાલી છે. રેફરલના 70 કર્મચારીઓના મંજુર મહેકમ સામે માત્ર 50 ટકા જગ્યાઓ ભરાયેલી છે. બાકીની ખાલી હોવાના કારણે સરહદી પ્રજાને સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળતો નથી અને તેમણે ના છુટકે ખાનગી દવાખાનાંમાં મોંઘીદાટ સારવાર કરાવવી પડે છે. અન્યાય સામે ઝઝૂમવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિના લડાયક મિજાજ ધારણ કર્યો છે. તાલુકાના પ્રમુખ આંબાભાઇ એચ. સોલંકીએ જણાવ્યું હતું કે બહોળી સંખ્યામાં જન આંદોલન કરી રેલી સ્વરૂપે 05 એપ્રિલના રોજ બપોરે 12-00 વાગ્યે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
૪૦૦ વિમાનોએ ઈરાક પર ૧૦,૦૦૦ બોમ્બ વરસાવ્યાDevendra Patel ૪૦૦ વિમાનોએ ઈરાક પર ૧૦,૦૦૦ બોમ્બ વરસાવ્યા Home » ૪૦૦ વિમાનોએ ઈરાક પર ૧૦,૦૦૦ બોમ્બ વરસાવ્યા રેડ રોઝ | Comments Off on ૪૦૦ વિમાનોએ ઈરાક પર ૧૦,૦૦૦ બોમ્બ વરસાવ્યા ૧ ૯૯૧માં અખાતના દેશો પૈકીના એક એવા ઈરાક સાથે ખેલાયેલા પ્રથમ ગલ્ફવોરની આ કહાણી છે. અમેરિકાના પ્રેસીડેન્ટ બુશે ઈરાકને કુવૈત ખાલી કરવા આપેલા અલ્ટીમેટમની ડેડલાઈન તા.૧૭-૧-૧૯૯૧ના રોજ પૂરી થઈ. યુદ્ધ થાય તો ઈરાક કોઈપણ કારણ વગર ઈઝરાયેલ પર હૂમલો કરશે એવી કરાયેલી જાહેરાતથી ઈઝરાયેલમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં હતાં. ઈરાકના સંભવિત રાસાયણિક અને જંતુ યુદ્ધથી બચવા જેરૂસલેમના લોકોએ તેમના ઘરનાં બારીબારણાં બંધ કરી દીધાં. બારીબારણાંની તીરાડોને સેલો ટેપથી સીલ કરી દીધી. આ તરફ અમેરિકાએ હાઈ ફિક્વન્સી જામીંગ ડીવાઈસથી ઈરાકનો કેટલોક સંદેશા વ્યવહાર જામ કરી દીધો. કુવૈત અને સાઉદી અરેબિયાની કેટલીક સરહદો પર બેઉ સૈન્યો વચ્ચે હવે માંડ ૧૭ કિલોમીટરનું અંતર રહ્યું. પ્રેસીડેન્ટ સદામ હુસેને તેમના લશ્કરી દળોની વચ્ચે જઈ તેમના સૈનિકોનો જુસ્સો વધાર્યો. ઈરાક પાસે ૪૦૦થી ૫૦૦ મિસાઈલો હોવાની ધારણા હતી અને તે બધી સાઉદી અરેબિયા તરફ તકાયેલી હતી. બીજી બાજુ અમેરિકાએ શરૂઆતમાં એફ-૧૭ સ્ટીલ્થ, એફ-૧૫ અને એફ-૧૬ વિમાનો ઈરાક પર પ્રહાર કરવા સજ્જ રાખ્યાં. અમેરિકા અને સાથીદળોએ ઈરાક પર રોજ બે હજાર જેટલા હવાઈ હૂમલા કરવાનો નિર્ણય કર્યો. દરિયામાં યુદ્ધ જાહાજો પર ઈરાક પર પ્રહાર કરવા ટોમહોક ક્રુઝ મિસાઈલો તૈયાર રાખી. એની સાથે હજારો અમેરિકનો અને બ્રિટીશ નાગરિકોએ તેમનાં દેશોનાં શહેરોમાં 'ઓઈલ માટે લોહી ના વહેવડાવો' એવા મતલબનાં સૂત્રો સાથે દેખાવો કર્યા. છેવટે અખાતમાં આગ લાગી જ ગઈ. ડેડલાઈન પૂરી થઈ. ઈરાકે કુવૈત ખાલી ના કર્યું. તા.૧૭મી જાન્યુઆરી, ૧૯૯૧ની મધરાતે ઈરાકીઓ જ્યારે મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પરોઢિયે ૩-૪૦ વાગે અમેરિકા અને તેના સાથીદળોનાં ૪૦૦ જેટલાં યુદ્ધ વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી. યુદ્ધ વિમાનોના ઘુરકાટથી બગદાદ ધ્રુજી ઉઠયું. પહેલા દિવસની રાતના હવાઈ હૂમલામાં અમેરિકા, બ્રિટન, કુવૈત અને સાઉદી અરેબિયાનાં યુદ્ધ વિમાનોએ ભાગ લીધો. રાતના આ સામૂહિક હવાઈ હૂમલામાં ઈરાકનાં એર બેઝ, રેડિયો મથક, ટીવી સ્ટેશનો અને ૬૭ જેટલી ઓઈલ રિફાઈનરીઓને લક્ષ્ય બનાવામાં આવ્યાં. પ્રથમ હવાઈ હૂમલામાં જ બગદાદમાં વીજળી ડૂલ થઈ ગઈ. ઈરાકનો સંદેશા વ્યવહાર જામ થઈ ગયો. અમેરિકાએ તેના નૌકા યુદ્ધ જહાજ પરથી ઈરાક પર એક ક્રૂઝ મિસાઈલ પણ છોડી. પેન્ટેગોનના લશ્કરી અધિકારીઓએ બીજા દિવસે સવારે વિગતો મેળવી. અમેરિકા અને તેનાં સાથી દળોનાં યુદ્ધ વિમાનોએ વારંવાર હૂમલા કરી ઈરાકનાં ૬૭ જેટલાં સ્થળો પર ૧૦ હજાર બોમ્બ વરસાવ્યા હતા. જે દારૂગોળાનું વજન ૧૮ ટન જેટલું થતું હતું. યુદ્ધના ભયથી બગદાદના કેટલાક લોકો તો શહેર ખાલી કરી બીજે ચાલ્યા ગયા હતા. બાકીના લોકો હાથમાં સુટકેસો લઈ શહેર છોડતા જણાયા. યુદ્ધનું કવરેજ કરવા ગયેલા વિશ્વભરના પત્રકારો બગદાદની અલ મન્સુર હોટલમાં રોકાયા હતા. પ્રેસીડેન્ટ સદામ હુસેન જીવે છે તેવી જાહેરાત કરવામાં આવી. હવાઈ હૂમલા છતાં બગદાદનું રેડિયો મથક હજુ ચાલુ હતું. લંડન ખાતેના ઈરાકના એલચી પ્રેસ બ્રીફીંગ વખતે લગભગ રડવા જેવા થઈ ગયા. જો કે ઈરાકના પ્રેસીડેન્ટ સદામ હુસેને જાહેરાત કરી હવે હું આશ્ચર્યજનક શસ્ત્રો વાપરીશ. તેમનો ઈશારો જંતુ યુદ્ધ અને કેમીકલ વેપન્સ તરફનો હતો. અમેરિકાને હજુ દહેશત હતી કે ઈરાક પાસે શાયદ અણુબોમ્બ છે. વાત એમ હતી કે ૧૯૭૭ની સાલથી ઈરાકે ફ્રાન્સની બનાવટનું એક ન્યુક્લિયર રિએક્ટર નાંખવાની શરૂઆત કરી હતી. આ પ્રોજેકટ સંશોધન માટેનો હોવાનું ઈરાકે જણાવ્યું હતું. આ સ્થળ બગદાદથી ૧૭ કિલોમીટર દૂર દક્ષિણ-પિૃમમાં અલ-તુવાઈયા ખાતે હતું. પાછળથી ખબર પડી કે ઈરાક આ સ્થળે પ્લુટોનિયમની મદદથી અણુબોમ્બ બનાવવા માંગતું હતું. ૧૯૮૨માં ઈરાકે ઈટાલી સ્થિત એક દાણચોરને ૬૦ મિલિયન ડોલર ચૂક્વીને પ્લુટોનિયમ અને એનરિચ્ડ યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ બન્યું એવું કે કહેવાતા ન્યુક્લિયર સ્મગલરે ઈરાક પાસેથી પૈસા લઈ લીધા પણ બદલામાં ઈરાકને કાંઈ જ ના આપ્યું. તે પછી ઈરાકે ન્યુક્લિયર કલબમાં જોડાઈને યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો. આ મટીરિયલ તેણે બ્રાઝીલ, ચીન અને નાઇજીરિયા પાસેથી મેળવ્યું હોવાનું કહેવાતું હતું. બીજી કેટલીક ટેકનોલોજી તેણે બ્રિટનની એક ખાનગી પેઢી પાસેથી ખરીદી. કેટલાક ઈલેક્ટ્રોનિક કેપેસીટર્સ કે જે ઈરાક લઈ જવાના હતાં તે લંડનના હિથરો એરપોર્ટ પરથી પકડાઈ ગયા જેનો ઉપયોગ ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે કરવાનો હતો. જો કે અમેરિકા હજુ ઈરાકના અણુબોમ્બ શોધી રહ્યું હોવા છતાં હજુ તેને ઈરાક પાસેથી છૂપાં ન્યુક્લિયર શસ્ત્રો મળ્યાં નહોતાં. આ તરફ અમેરિકા અને તેનાં સાથી દળોનાં યુદ્ધ વિમાનો ૧૮ ટન દારૂગોળો બગદાદ પર ઝીંકી ચૂક્યા હતાં. ઈતિહાસનું આ મોટામાં મોટું હવાઈ આક્રમણ હતું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વનાં આટલા બધા દેશોના સાથી દળો પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. આટલા મોટા હવાઈ હૂમલાથી બગદાદ ટાવરિંગ ઈન્ફર્નો બની ગયું. વિજાણુ સંચાલીત પિન-પોઈન્ટ બોમ્બિંગથી ઈરાકના ડિફેન્સ કોમ્યુનિકેશન સેન્ટરને ઉડાવી દેવાયું. સંદેશાવ્યવહાર સિસ્ટમ ઠપ થતાં ઈરાકનાં રડાર મથકો અને ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ પણ ઠપ થઈ ગયાં. બગદાદમાં ઠેરઠેર માનવ-લાશો પડી હતી. ઈરાક માટે બીજી રાત પણ ભયાવહ રહી. વિમાનોના અવાજથી બાળકો ડરી ગયાં. સાયરનોની ચીસોથી બગદાદના લોકો ધ્રુજી ઊઠયા. સંખ્યાબંધ લોકો ઈરાક છોડી નજીકના દેશ જોર્ડન જતા રહ્યા અને ઈરાકના પ્રેસિડેન્ટ સદામ હુસેન પોતાની જાતને બચાવવા ગુપ્ત બંકરમાં ચાલ્યા ગયા. વિશ્વનું આ પ્રથમ હાઈટેક વોર હતું. અને એ જ રીતે વિશ્વનું આ પ્રથમ ટેલીવિઝન પર નિહાળાયેલું યુદ્ધ હતું. અમેરિકાની વિખ્યાત ટીવી કંપનીઓ જેવી કે એબીસી, એનબીસી, સીએનએન અને બ્રિટનની બીબીસી જેવી ન્યઝચેનલોએ તેમના પત્રકારો અને કેમેરામેનોને સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન વગેરે દેશોમાં મોકલી આપી હવાઈ યુદ્ધનાં જીવંત દૃશ્યો ઉપગ્રહો મારફતો મોકલી આપ્યાં. પ્રેસિડેન્ટ બુશ પણ યુદ્ધનાં જીવંત દૃશ્યો જોઈ વિચારમાં પડી ગયા. અમદાવાદમાં પણ સી બેન્ડ ડિસ્ક એન્ટેના ધરાવતા ટીવી શોખીનોએ અમેરિકાની ચોવીસે કલાક ચાલતી ટીવી ચેનલો પરનાં યુદ્ધનાં જીવંત દૃશ્યો તેમના ડ્રોંઈગરૂમમાં બેઠાં બેઠાં પહેલી જ વાર નિહાળ્યાં.
ચાઇના ઇયુએ કસ્ટમ ડ્યુટીઝ અને વેટ ફેક્ટરી અને સપ્લાયર્સ પાસેથી આયાતી તબીબી પુરવઠો અને ઉપકરણોને મુક્તિ આપી છે યીઝર પિઝા ઓવન મરી અને સોલ્ટ મિલ ઇલેક્ટ્રિક મિલ મેન્યુઅલ મિલ તેલ અને વિનેગાર સ્પ્રેયર દૂધ ફ્રુટર અન્ય કિચનવેર વાઇન ખોલનારા કેક ધારક સ્લાઈઝર / કટર / ગ્રાટર ડાયટોમાઇટ સાદડી સીટ લિફ્ટ ગાદી પર્સનલ એડ બાથરૂમ સહાય કાર સહાય ઇયુએ આયાત કરેલા તબીબી પુરવઠો અને ઉપકરણોને કસ્ટમ ડ્યુટી અને વેટમાંથી મુક્તિ આપી છે 20 માર્ચ 2020 ના રોજ, યુરોપિયન કમિશને, બધા સભ્ય દેશો, તેમજ યુનાઇટેડ કિંગડમને, ત્રીજા દેશોના રક્ષણાત્મક માલ અને અન્ય તબીબી ઉપકરણોની આયાત પર ટેરિફ અને વેટમાંથી મુક્તિ માટે વિનંતી કરી હતી. નવલકથાના કોરોનાવાયરસ સામે લડવામાં સહાય માટે તૃતીય દેશો (એટલે ​​કે, નોન-ઇયુ દેશો) થી આયાત કરાયેલા તબીબી ઉપકરણો અને રક્ષણાત્મક ઉપકરણોને અસ્થાયી રૂપે મુક્તિ આપવાનો Aprilપચારિક lyપચારિક નિર્ણય કર્યો હતો. અસ્થાયી મુક્તિ અપાયેલી પુરવઠામાં માસ્ક, કિટ્સ અને શ્વસન કરનારાઓનો સમાવેશ થાય છે, અને અસ્થાયી મુક્તિ છ મહિનાના સમયગાળા માટે છે, તે પછી વાસ્તવિક પરિસ્થિતિના આધારે તે સમયગાળો વધારવો કે નહીં તે નક્કી કરવું શક્ય છે. ઉદાહરણ તરીકે ચાઇનાથી માસ્કની આયાત લેતા, યુરોપિયન યુનિયનએ 6.3% ટેરિફ અને 22% વેલ્યુ-એડિડ ટેક્સ વસૂલ કરવો પડશે, અને શ્વસન કરનારાઓનો સરેરાશ મૂલ્ય-વર્ધિત કર 20% છે, જે આયાત ભાવના દબાણને મોટા પ્રમાણમાં ઘટાડે છે. છૂટ બાદ ખરીદદારો. પોસ્ટ સમય: એપ્રિલ-09-2020 નંબર .218 કાંગ્ચુ રોડ, જિઆંગબાઇ ડિસ્ટ્રિક્ટ, નિંગ્બો, ચીન બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક મિલ્ક ફ્રૂટર , ઇલેક્ટ્રિક સોલ્ટ અને મરી મીલ , સ્ટેઈનલેસ સ્ટીલ દૂધ , ઇલેક્ટ્રિક 2 ઇન 1 પેપર મીલ , ઇલેક્ટ્રિક મરી મિલ્સ , ઇલેક્ટ્રિક મીઠું અને મરી મિલ્સ ,
લીંબુ ના આ સરળ ઉપાય થી બની જશે બગડેલા કામ, મુશ્કેલીઓ થશે દૂર - Gujju baba Home Uncategorised લીંબુ ના આ સરળ ઉપાય થી બની જશે બગડેલા કામ, મુશ્કેલીઓ થશે... લીંબુ ના આ સરળ ઉપાય થી બની જશે બગડેલા કામ, મુશ્કેલીઓ થશે દૂર એવું માનવામાં આવે છે કે લીંબુનો ઉપયોગ કરવાથી આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ લીંબુનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તંત્ર શીખવામાં પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.તંત્ર શીખવામાં લીંબુ ખૂબ મહત્વનું છે. પ્રયોગ દ્વારા સૌથી મોટી સમસ્યાને દૂર કરી શકાય છે. તંત્રના વૃત્તિ મુજબ આ લીંબુ તમને સમૃદ્ધ પણ બનાવી શકે છે અને તમારી બધી સમસ્યાઓ છુટકારો મેળવી શકો છો અમે આ લેખ તમે તમારા સમસ્યાઓ અને બગડેરા કામ સફળ થશે. ચાલો જાણીએ આ લીંબુના ઉપયોગ વિશે જે વ્યક્તિ મેહનત કર્યા પછી પણ નોકરી મેળવી શકતો નથી તેના માટે લીંબુની ટોચ પર ચાર લવિંગનો જાપ કરીને શ્રી હનુમાતે નમ: મંત્રનો જાપ કરો અને જો આ ઉપાય કરો તો લીંબુને સાથે રાખો અને તમારું કામ નિશ્ચિતરૂપે થશે. જો તમારો વ્યવસાય ક્ષેત્ર ઘણા અવરોધોનો સામનો કરી રહ્યો છે તો આ માટે તમે લીંબુ લો અને તમારા કાર્યસ્થળની ચાર દિવાલોથી આ લીંબુને સ્પર્શ કર્યા પછી તેને ચાર ટુકડા કરો અને એક ટુકડાને ચાર રસ્તા પર એક ક્રોસરોડ પર ફેંકી દો. જો તમે આ ઉપાય કરો છો તો તમને તેનો ફાયદો થશે અને તમારા ધંધામાં આવતી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જો કોઈ કુટુંબનો સભ્ય તમારા મકાનમાં બીમાર પડી રહ્યો છે અને ઘણી સારવાર કરાવ્યા પછી પણ તેની સ્થિતિ સુધરતી નથી તો આ માટે તમારે બીમાર વ્યક્તિના માથા પર સાત વાર સોય લગાવી અને તેને એક ચોક પર મૂકવાથી તેને રોગથી છૂટકારો મેળશે. જો તમારા ઘરના કોઈ બાળકને નજર લાગી છે અથવા કોઈની નજર ખરાબ છે તો આ માટે લીંબુને તેના માથાથી પગ સુધી 7 વખત ફેરવો અને તે લીંબુના ચાર ટુકડા કરો અને કોઈ સુનસાન જગ્યાપર ફેંકી દો પછી ઘરે પાછા ફરો. પરંતુ તમારે ખાસ કાળજી લેવી પડશે કે જ્યારે તમે લીંબુ ફેંકીને ઘરે પરત ફરી રહ્યા છો ત્યારે પાછું જોશો નહીં જો તમે પાછળ જોશો તો તમને નુકશાન થઈ શકે છે અને તમે જે કાર્ય કરવા માંગો છો તે કાર્ય પુરુ થશે નહી ઉપરોક્ત અમે તમને લીંબુની સરળ યુક્તિઓ જણાવી છે જો તમે તેને અપનાવશો તો તમે તમારી મુશ્કેલીઓથી છૂટકારો મેળવશો ધંધાકીય ક્ષેત્રમાં આવતી તમામ અવરોધો દુર થશે. Next articleજાણો કાળા મરી ના ધન પ્રાપ્તિ ના અચૂક ઉપાય, એક વાર કરવાથી મળશે ચોક્કસ ફળ, થશે ધન પ્રાપ્તિ
જયપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો પદરફાશ : ૪.૧૯ કરોડ કબ્જે | Nutan Samachar Home અન્ય રાજ્યો જયપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો પદરફાશ : ૪.૧૯ કરોડ કબ્જે જયપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો પદરફાશ : ૪.૧૯ કરોડ કબ્જે ભગવાનનાં નામે ૨૫ વોટ્‌સએપ ગ્રુપ બનાવી કાળા કારોબાર ચલાવતા : રકમ ટ્રાન્સફર કરવા કોડવર્ડનો ઉપયોગ કરતા આંગણીયા પેઢીની સૌરાષ્ટ્ર સહિત મેટ્રો શહેરોમાં ૩૨૧ બ્રાંચો ખોલી હતી : રાજસ્થાન અને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો ક્રિકેટના સટ્ટાનો દરોડો જયપુર, તા.૨૨ રાજસ્થાનનાં પાટનગર જયપુરના કોટવાલી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો પદરફાશ કરી રોકડ રકમ રૂા.૪.૧૯ કરોડ કબ્જે કરી બેથી વધુ શખ્સોની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં ક્રિકેટ સટ્ટાનો માસ્ટર માઈન્ડ રાજકોટના રાકેશ નામના શખ્સનુ નામ ખુલતા ગુજરાતની બુકી બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે ક્રિકેટ સટ્ટાના મુળ સુધી પહોંચવા મળેલા મોબાઈલના આધારે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. વધુ વિગત મુજબ જયપુરમાં તાજેતરમાં પ્રતાપનગર અને શ્યામનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના દરોડા પાડવામાં આવ્યા જેમાં પકડાયેલા આરોપીની ઝીણવટ ભરી તપાસમાં કિશનપોલ બજારમાં આવેલા કોમ્પ્લેક્ષની દુકાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો દુબઈથી કારોબાર ચાલતો હોવાની પોલીસ કમિશ્નરને મળેલી માહિતીના આધારે સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસ સ્ટાફ ચોંકી ઉઠી હતી. રોકડ રકમ ૪.૧૯ કરોડ અને મોબાઈલ પણ તેમજ નોટ ગણવાના મશીનો અને ક્રિકેટ સટ્ટાના કારોબારના હિસાબો મળી આવ્યા હતા. પોલીસે ગુજરાતના રણધીરસિંહ, અજમેરના કિશનગઢના કૃપાલસિંહ જોધા, ઈશ્વરસિંહ અને ટોડરમલ રાઠોડની ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સોની પ્રાથમીક પુછપરછમાં આઈપીએલ ટૂર્નામેન્ટ શરૂ થઈ તે પહેલા ઓફીસ ભાડા પર રાખી અને ક્રિકેટ કારોબારના મુખ્ય કર્તાહર્તા રાજકોટના રાકેશ નામના શખ્સ દ્વારા ડાયમંડ એકસ.કોમ નામની વેબસાઈટ દ્વારા ગુજરાત, જયપુર અને ઉત્તર ભારતમાં સટ્ટાનો કારોબાર ચલાવે છે. ઝડપાયેલા શખ્સો દ્વારા તેવુ પણ જણાવ્યું છે કે રાકેશ નામના શખ્સ દ્વારા આંગણીયા પેઢી ખોલી જયપુર, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને સુરત સહિત ૩૨૧ થી વધુ બ્રાંચો ખોલી સટ્ટાના કાળા કારોબારની દુબઈથી સોશ્યલ મીડીયા મારફતે કોડવર્ડમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. તેમજ બુકી દ્વારા ભગવાનનાં નામે ૨૫ વોટ્‌સએપ ગ્રુપ બનાવી અને ક્રિકેટના સોદા કરવામાં આવી રહયા છે. Previous articleદેવીને ખુશ કરવા માતાએ ૨૪ વર્ષીય પુત્રની બલી ચઢાવી Next articleરાપર : ચાર વર્ષ પૂર્વે પિતાની હત્યાનાં જમીન મુક્ત આરોપી પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કરતા ૩ પુત્રો
દલીત યુવાનની હત્યાના મામલે સુપ્રીમે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી - Nav Gujarat Times Jan 13, 2022 - 18:23 શાપર (વેરાવળ)માં દલિત યુવાનને ફેકટરીના દરવાજા પર બાંધીને કૃરતાપૂર્વક માર મારી હત્યા કરવાના ગુનામાં હાઇકોર્ટના જામીન આપવાના ચુકાદા વિરુધ અપીલ નહી કરવા બદલ રાજ્ય સરકાર અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની નામદાર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. વર્ષ ૨૦૧૮માં રાજકોટ નજીક શાપર (વેરાવળ) જીઆઈડીસીમાં એક ફેક્ટરીની બહાર પાછળના ભાગે લીંબડી પાસેના અનુસુચિત જાતિના મજુર યુવાન મુકેશભાઇ વાણીયા અને તેમની પત્ની ભંગાર કચરો વિણતા નીકળેલ ત્યારે ફેક્ટરીના માલીક સહિત પાંચેક જણાએ આવી મુકેશભાઇ વાણીયાને ફેક્ટરીના દરવાજા સાથે બાંધી પાઇપ અને પટ્ટા વડે ઢોર માર મારી હત્યા નિપજાવી હતી. આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 302, 323, 114 વિગેરે તથા એટ્રોસીટી એકટ ના ગુનાની FIR કરી ગુના નોંધી અટક કરી જેલભેગા કરેલ. એટ્રોસીટી ની સ્પે. કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ હતી. બે આરોપીઓએ જયસુખ રાદડિયા અને તેજસ ઝાલાએ વારાફરતી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીઓ કરતા તેઓ ને તા. 4/2/2019 અને 5/2/2019 ના હાઇકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.આવા ગંભીર ગુનાઓમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જરુરી હોવા છતાં કરી ના હતી. પરંતુ મૃતક મુકેશભાઇના વારસ પિડીત એવા જયાબેને નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલ માટે ગુજરાત હાઇકોર્ટના યુવાન વકીલ સુબોધ પરમારે સખત મહેનત કરી પેપર્સ તૈયાર કરી મટીરીયલ તૈયાર કરેલ હતું. અપીલ કરનાર જયાબેન વતિ સુપ્રીમ કોર્ટના નામાંકિત સીનીયર એડવોકેટ કોલીન ગોન્સલવીસ તરફથી જોરદાર દલીલો કરવામાં આવેલ હતી. ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટે ૧૦ જાન્યુઆરીએ ચુકાદો જાહેર કરી ગુજરાત હાઇકોર્ટનો જામીન પર છોડવાનો હુકમ રદ કરી બંને આરોપીઓને જેલભેગા થવાનો હુકમ કરેલ છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ગુજરાત સરકાર અને ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની આવા ગંભીર ગુનામાં અપીલ નહિ કરવા બદલ ઝાટકણી કાઢેલ છે. સુપ્રીમ કોર્ટ એવુ અવલોકન કરે છે કે સરકારે આવા ગુનામાં અપીલ ન કરી તે એક ગંભીર બાબત છે. પિડીતના હક્ક નું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આરોપીને જામીન પર છોડવાના હુકમ સામે અપીલ કરવા જેવો આ ફીટ કેસ હતો તેવો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. ફોજદારી મેટરમા વ્યથિત પક્ષકાર તે સરકાર છે કે જે સમાજ ના હિતોની કસ્ટોડિયન છે. અને તેથી સરકારે સમાજ ના હિતો ની વિરૂદ્ધ કૃત્ય કરે તેને બૂક કરવાની સરકાર ની ફરજ છે. સુપ્રીમ કોર્ટ વધુમાં કહ્યું હતું કે ગુજરાત સરકારમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન છે. આ કિસ્સામા આ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે. ફોજદારી ગુનાઓના ન્યાયના વહિવટની બાબતમાં આ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનનો હોદો ખૂબ મહત્ત્વનો છે. તાત્કાલિક નિર્ણય લેવાની તેની ફરજ છે. આવા ગુનાઓ સમાજને નુકસાનકારક છે તેથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની ભૂમિકા અગત્યની બની રહે છે. ક્રિમીનલ પ્રોસીજર કોડ ની કલમ 25A માં આપેલ સતાની રૂએ રાજ્ય સરકાર તેની નિમણુંક કરે છે. કલમ 25A(2) મુજબ જેનો વકીલાત નો અનુભવ દસ વરસથી ઓછો ન હોય તેની ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન તરીકે હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ ની સાથે મસલત કરીને તેની નિમણુંક કરવાની લાયકાત નક્કી કરેલ છે તેથી તેનો રોલ ક્રુશિયલ ગણાય. રાજ્ય સરકારે આવી ગંભીર ઘટનામાં કાયદાનું શાસન જાળવવામાં ગંભીર બનવુ જરૂરી હતુ કે જ્યારે એક વ્યકિત ફેકટરી ની બહાર તેની પત્ની અને કાકી સાથે માત્ર ભંગાર વિણી રહ્યો હતો ત્યારે તેની કૃરતાપૂર્વક માર મારી હત્યા કરવામાં આવે છે. વધુમાં સુપ્રીમ કોર્ટ નોંધે છે કે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન ની ફરજ છે કે ગુનેગારો ને બુક કરી સજા કરાવવી. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ભવિષ્ય મા રાજ્ય સરકાર તેનું કાયદા ખાતુ અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન આવા કિસ્સાઓ માં ત્વરિત નિર્ણય લઈ આ ગુના જેવા ગંભીર ગુનાઓ મા જો હાઇકોર્ટ કે ટ્રાયલ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કરે તેને સુપ્રીમ કોર્ટ માં પડકારશે. આમ મહત્વપૂર્ણ ચુકાદો આપી આ ચુકાદાની નકલ સરકાર ના ચીફ સેક્રેટરી, સેક્રેટરી, હોમ ડીપાર્ટમેન્ટ અને કાયદા ખાતાને મોકલવાનો હુકમ કરી યોગ્ય પગલા લેવા આદેશ કરેલ છે.
મુંજકુવા ગામના કાશીપુરામાં પીવાના પાણીનો પોકાર ઊઠ્યો ! | મુંજકુવા ગામના કાશીપુરામાં પીવાના પાણીનો પોકાર ઊઠ્યો ! - Divya Bhaskar મુંજકુવા ગામના કાશીપુરામાં પીવાના પાણીનો પોકાર ઊઠ્યો ! આંકલાવનામુજકુવા ગામમાં આવેલા કાશીપુરા વિસ્તારમાં પીવાના પાણીની વારંવાર છતાં યોગ્ય નિકાલ કરવામાં આવતો હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકયો. કાશીપુરાના પાણી પ્રશ્ને સતત ત્રણ વર્ષથી દિલીપ એ. પઢિયાર એક કચેરીથી બીજી કચેરી ચક્કર લગાવી રજૂઆત કરી રહ્યો છે. જોકે, તેનો ઉકેલ આવતાં સ્થાનિકોને ખેતરોમાં આપેલા અલગ અલગ કુવામાંથી પીવાનું પાણી લાવવું પડે છે. બાબતે દિલીપ એ. પઢિયારએ જણાવ્યું કે 'મુજકુવા ગ્રામ પંચાયત અને મુજકુવાના સરપંચ રાજકીય ભેદભાવ રાખે છે. બાબતે અમે છેલ્લા ત્રણ વર્ષની ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી છે.તેમ છતાં પ્રશ્ન હલ નહીં થાય તો તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે.' કામ કરવાની જવાબદારી પંચાયતની બને છે બાબતેઆંકલાવ તાલુકા વિકાસ અધિકારી આર.એલ. ચૌહાણને પૂછતા તેમને જણાવ્યું કે 'હા અમને લેખિતમાં માહિતી મળી હતી અને અમે બાબતે ગ્રામ પંચાયતને જાણ કરી છે. અમે ફકત અહીંથી રજૂઆતને જે તે પંચાયતને ફોરવર્ડ કરી છે. કામ કરવાની જવાબદારી પંચાયતની હોય છે.' ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન ઉકેલવામાં પંચાયત બેદરકાર સરપંચનું રાજકારણ, મત નહીં તો પાણી નહીં તાલુકા પંચાયત કચેરીમાં અરજી અટવાઇ છેલ્લાએક વર્ષથી તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં સમસ્યા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં પ્રશ્ન હલ થતો નથી. એક વર્ષથી રિસિવ કરેલી અરજી સાઇડમાં મુકી રાખવામાં આવી.
કેવી રીતે કરવી અશ્વગંધાની ખેતી? જાણો સંપૂર્ણ માહિતી માત્ર એક ક્લિકમાં…. – જય કિસાન- ખેડૂત ક્લબ કેવી રીતે કરવી અશ્વગંધાની ખેતી? જાણો સંપૂર્ણ માહિતી માત્ર એક ક્લિકમાં…. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કેટલાંક ખેડૂતો માત્ર ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં હોય એવું જાણવા મળતું હોય છે. હાલમાં દેશના ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરી રહ્યાં છે. અમે આપની માટે આવી જ એક લાભદાયી ખેતી એવી અશ્વગંધાની ખેતી વિશે જાણકારી લઈને આવ્યા છીએ. આ ખેતી એ ખેડૂતોની માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. અશ્વગંધા એ કુલ 1.5-1.6 મીટર ઉંચો તેમજ પૃથ્વીના મધ્યભાગમાં ઉગતો છોડ છે. આ છોડ સૂકા તથા ઓછા વરસાદ વાળા વિસ્તારમાં પણ જોવા મળે છે. અશ્વગંધા એક મજબૂત તેમજ પાણી વિના પણ રહી શકે છે. અશ્વગંધાને ભારતનો જિનસેંગ એટલે કે સદા યુવા રાખે એવો છોડ કે શિયાળાની ચેરી પણ કહેવામાં આવે છે. અશ્વગંધા એ ભારતનાં ઉત્તરપૂર્વ તથા મધ્યભાગમાં ઉગે છે. અશ્વગંધા એ ભારતની પ્રાચીન આયુર્વેદિક પધ્ધતિ તથા યુનાની એક જડીબુટી તરીકે વાપરવામાં આવતો છોડ છે. અશ્વગંધાના આરોગ્ય ફાયદા : રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે. કોલેસ્ટોરેલ ઓછું કરે છે તથા લોહોમાં બ્લડ સુગર ઘટાડે છે. શરીરમાં ઘા ને રુઝાવવામાં મદદ કરે છે. અશ્વગંધા તણાવ, ઉત્તેજકતા તેમજ ડિપ્રેસનમાં ઘટાડો કરે છે. અશ્વગંધા શક્તિમાં વધારો કરે છે. અશ્વગંધા શરીરનાં દાઝેલ ભાગ પર ફોલ્લા તથા દુખાવો ઓછો કરે. યાદશક્તિ તેમજ મુશ્કેલ પ્રશ્નો ઉકેલવાની તાકાતમાં વધારો કરે છે. શરીરના સેલ પાછા જીવિત( રિપ્રોડયુકટીવ ) કરે . અશ્વગંધા આંખની શક્તિમાં વધારો કરે છે. કેન્સરના કોષોને વધતા અટકાવે છે. ભારતમાં અશ્વગંધાનાં નામ : અશગંધ ,નાગોરી આસગંધ , રાશભરી( હિન્દી ), અમ્મુકાર , અશુરાગાન્ડિ , ધૂપા ,અમ્મુક્કુંરામ,કંચુકી, ઘોડા અકાન , તિલ્લી,દોરગુણજ,ઘોડા (મરાઠી),પેનેરૂ, વાજિગન્ધા (તેલુગુ ) વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે. અશ્વગંધાની ખેતીમાં હવામાન : અશ્વગંધાની ખેતી દરિયાઈ સ્તરથી કુલ 1,500 મીટરની ઊંચાઈ સુધી થઇ શકે છે. કુલ 30 ઇંચથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ ખેતી ખુબ જ સારી રીતે થાય છે. અશ્વગંધાનાં ઉછેર કરતી વખતે સૂકું હવામાન એટલે કે કુલ 22-38 ડિગ્રી વચ્ચેનું તાપમાન સારામાં સારું ગણવામાં આવે છે. અશ્વગંધા કુલ 10 ડિગ્રી જેટલું નીચું તાપમાન પણ સહન કરી શકે છે. અશ્વગંધાની વાવણી માટે જમીનની તૈયારી : અશ્વગંધા માટેની જમીન વ્યવસ્થિત રીતે ટ્રેકટોર દ્વારા રાપ હાંકેલી હોવી જોઈએ. વરસાદની સીઝન પહેલા કુલ 2 વાર રાપ ચલાવેલ જમીનની વાવણી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખેતરમાં ઢોરનાં છાણનો ઉપયોગ ખાતર તરીકે સારામાં સારો ગણવામાં આવે છે. અશ્વગંધાની ખેતી માટે સારા પાણી વ્યવસ્થાની જરૂર રહેતી નથી. વાવણી માટે છોડની તૈયારી : અશ્વગંધાની ખેતી બીજ વાવણીથી કરવામાં આવે છે. ઊંચી ક્યુઆલિટીના તેમજ જંતુમુક્ત બીજને નર્સરીમાં વાવીને છોડ તૈયાર કરવામાં આવે છે પરંતુ સીધા જ ખેતરમાં બીજ વાવીને પણ ખેતી કરવામાં આવે છે. એક્સપોર્ટ ક્વાલિટીને માટે કલમ પ્રથાનો ઉપયોગ કરવામાં આવે છે. નર્સરીમાં છોડ તૈયાર કરવાં માટે જમીનથી ઉંચે માટી પાથરી દેવામાં આવે છે. જેમાં રેતી તથા બગીચાનું ખાતર વાપરવામાં આવે છે. માત્ર 1 હેક્ટર માટે કુલ 5 કિલો જેટલા બીજની જરૂર રહે છે. બીજને પાતળી રેતીના પડ નીચે દબાવીને બરાબર ચોમાસા પહેલા વિધિ પુર્ણ કરી દેવાની. કુલ 4-5 દિવસમાં બીજમાં છોડ ઉગવા લાગશે. ત્યારબાદ ખેતરમાં છોડ વાવવા જોઈએ. ખેતરમાં અશ્વગંધા છોડની રોપણી : ખાતરની ભરતી પછી છોડના પાળાની વચ્ચે કુલ 50-60 cm જેટ્લુ અંતર રાખવું જોઈએ. સારા તૈયાર થયેલ કુલ 30-35 દિવસનાં છોડની વચ્ચે કુલ 30 cm જેટલું અંતર રાખવું જોઈએ. કુલ 60cm * 30cm અંતરવાળા કુક 55,000 છોડ માત્ર 1 હેક્ટર જમીન માટે યોગ્ય ગણાય. અશ્વગંધા બીજની સંખ્યા અને વાવણી પ્રક્રિયા : સાદી વાવણી પ્રક્રિયાથી બીજનું વાવેતર કરવામાં આવે તો કુલ 12 kg હેક્ટરમાં જરૂરીયાત પડે છે. લાઈન બાય લાઇન વાવેતરની પ્રક્રિયામાં મૂળનું સારું ઉત્પાદન મળી શકે છે. બીજનું વાવેતર જમીનમાં કુલ 1-3cm નીચે કરવામાં આવે છે. ત્યારપછી રેતીનું પાતળું પડ ચઢાવવમાં આવે છે. લાઈન થી લાઈન મેથોડમાં કુલ 20-25 cmનું અંતર રાખવામાં આવે છે. સિંચાઈ : અશ્વગંધા વધુ પડતું પાણી સહન કરી શકતું નથી એટલે બને ત્યાં સુધી જરૂર મુજબ કુલ 8-10 દિવસનાં અંતરે પાણી આપવામાં આવે તેમજ પાણી ભરેલ ન રહે તે જરૂરી છે Previous ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે કેન્દ્ર અને રાજ્ય સરકારની આ વિવિધ એપ્લીકેશનો- ખેડૂતોને થશે ઘણો ફાયદો Next ગુજરાતનું આ આખું ગામ ભેજ આધારિત ખેતી દ્વારા કરી રહ્યું છે કરોડોની કમાણી, આવી 'ખેતી' ક્યારેય નહિ જોઈ હોય…
'તાન્યા, મને પુરુષો પ્રત્યે આકર્ષણ જ નથી થતું. - Abhiyaan 'તાન્યા, મને પુરુષો પ્રત્યે આકર્ષણ જ નથી થતું. બસ, એમ સમજને કે મારાં આ સ્ત્રીના શરીરમાં પુરુષનો આત્મા તરફડી રહ્યો છે. By maharshi on September 30, 2019 'ભ્રમણા' લઘુનવલ – પ્રકરણ – ૦૨ – પ્રફુલ્લ કાનાબાર 'રહેવા દો ને એમ જ.' તાન્યાએ શરારત ભરી નજરે સત્ત્વ સામે જોતાં કહ્યું. 'ઓહ.. તને મારા અસ્તવ્યસ્ત વાળ જ ગમે છે એમ જ ને?' તાન્યા નીચું જોઈ ગઈ. 'તમે દર્શન કર્યા બાદ કાંઈક કહેવાના હતા ને?' 'હા.. તાન્યા, હું એમ કહેતો હતો કે ધારો કે અત્યારે ભગવાન પાસે તે મને માગ્યો હોય તો તે લાંબું વિચાર્યું ન કહેવાય.' 'તો લાંબું વિચાર્યું કોને કહેવાય?' તાન્યાએ તેનો પ્રશ્ન દોહરાવ્યો. 'તાન્યા, અત્યારે ભગવાન પાસે મેં દીકરો માગ્યો છે.' સત્ત્વએ ધડાકો કર્યો, તાન્યા ચમકી. 'હા તાન્યા, તારી કૂખે મારો પુત્ર જન્મે તેવું માગ્યંુ છે અને તેનું નામ પણ નક્કી કરી દીધું છે.' 'પાર્થ,' બંને વચ્ચે થોડીક ક્ષણ માટે મૌન પથરાઈ ગયું. 'તાન્યા આને લાંબું વિચાર્યું કહેવાય.' સત્ત્વએ તાન્યાનો નાજુક હાથ પકડીને કહ્યું. તાન્યા શરમાઈ ગઈ. 'તાન્યા એક વાત પૂછું?' તાન્યાએ માત્ર આંખોથી સંમતિ આપી. 'તને ખરેખર હું પસંદ છું ને? એવું તો નથી ને કે માત્ર ડૉલરિયા દેશના મોહમાં તું મારા જેવા ડિફેક્ટિવ આંખવાળાને પરણવા તૈયાર થઈ હોય…' તાન્યાએ સત્ત્વના હોઠ આડે પોતાનો નાજુક હાથ મૂકી દીધો. 'પ્લીઝ સત્ત્વ, આજ પછી ક્યારેય ડિફેક્ટિવ શબ્દ મારી પાસે ન બોલશો. મારા માટે તો તમે જ મારા ભરથાર છો.' 'વાહ… ભરથાર, ખરેખર આવો શબ્દ તો ઇન્ડિયન ગર્લ પાસે જ સાંભળવા મળે.' સત્ત્વ તાન્યાનો હાથ ચૂમીને બોલ્યો, ત્યાં જ મંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ ચાલુ થયો. તાન્યા ઊભી થવા ગઈ, પરંતુ સત્ત્વએ તેને હાથ પકડીને બેસાડી દીધી. 'તાન્યા, અત્યારે મંદિરમાં ખૂબ જ ભીડ હશે. જો આપણી નજરમાં પવિત્રતા હશે તો આ સાગરના ઘૂઘવાટમાં પણ આરતીની ઝાલરનો જ અહેસાસ થશે.' બંને આરતી પૂરી થઈ ત્યાં સુધી એકબીજાના હાથમાં હાથ રાખીને સાગરનાં ઊછળતાં મોજાં જોવામાં તલ્લીન થઈ ગયાં. તાન્યા સત્ત્વ સાથે બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક સત્ત્વ ઊભો રહી ગયો. તાન્યા, ટેક્સીમાં બેઠા બાદ ડ્રાઇવરની હાજરીમાં વાત નહીં થઈ શકે તેથી અત્યારે જ તને એક વાત જણાવી દેવા માગું છું. તાન્યાનું હૃદય ધબકારો ચૂકી ગયું. 'કંઈ વાત?' 'તાન્યા, કૉલેજમાં મને એક છોકરી ખૂબ જ ગમતી હતી, ઇટ વોઝ વન વૅ ટ્રાફિક, આઈ મીન ટુ સે, તે મને પસંદ ન્હોતી કરતી… ખાસ તો મારી આ આંખને કારણે.' સત્ત્વએ ગોગલ્સ ઉતારીને કહ્યું. તાન્યાએ સત્ત્વની એક આંખમાં ભીનાશ નિહાળી. તાન્યાએ પ્રેમથી સત્ત્વના હાથમાંથી ગોગલ્સ લઈને તેને પહેરાવતાં કહ્યું. 'સત્ત્વ, હું તને પસંદ કરું છું. ખાસ તો તારી આ આંખને કારણે.' તાન્યાએ પહેલીવાર સત્ત્વને તુંકારો કર્યો હતો. સત્ત્વએ ઉત્સાહમાં આવીને ભીડની પરવા કર્યા વગર તાન્યાને હળવેથી ભેટીને તેના ગાલે કિસ કરી લીધી. મોબાઇલ સ્ટેન્ડમાંથી મોબાઇલ લીધા બાદ સત્ત્વ બોલ્યો, 'તાન્યા મેં તો મારી વાત કરી દીધી.. તારે પણ કૉલેજમાં કોઈ બોયફ્રેન્ડ તો હશે જ ને?' તાન્યાનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. એકાએક તેની આંખ સમક્ષ તર્પણનો ચહેરો ઝબકીને ઓઝલ થઈ ગયો. તાન્યા હજુ કાંઈ જવાબ આપે તે પહેલાં જ સામેથી એક પડછાયો નજીક આવી રહ્યો હતો. દૂરથી આવતો પડછાયો જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ તાન્યાની વિહવળતા વધતી ગઈ. જોકે તે પડછાયો નજીક આવ્યો અને તેનો ધૂંધળો ચહેરો સ્પષ્ટ દેખાયો ત્યારે તાન્યાના જીવમાં જીવ આવ્યો. હા.. તે યુવાન તર્પણ ન્હોતો, પરંતુ ટેક્સી ડ્રાઇવર સલીમ હતો. 'દોસ્ત સલીમ, સામેથી ત્રણ લીલાં નાળિયેર લેતો આવને ભાઈ.' તાન્યાએ નોંધ્યું કે સત્ત્વ ડ્રાઇવર સાથે પણ ખૂબ જ શાલીનતાથી વાત કરી રહ્યો હતો. નાળિયેર પાણી પીધા બાદ ટેક્સી સ્ટાર્ટ કરીને સલીમે પૂછ્યું. 'સા'બ, ભાલકાતીર્થ દર્શન કરના હૈ?' સત્ત્વએ બાજુમાં બેઠેલી તાન્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. 'હા.. ભૈયા લે… લો.' તાન્યાએ સલીમને કહી દીધું. 'તાન્યા, ત્યાં શેનું મંદિર છે?' 'સત્ત્વ ત્યાં પારસ પીપળો છે. યાદવાસ્થળી બાદ શ્રીકૃષ્ણ પારસ પીપળા નીચે આરામની મુદ્રામાં બેઠા હતા ત્યારે દૂરથી એક પારધીએ કોઈ પશુના ખખડાટના અવાજના આધારે તે તરફ તીર છોડ્યું હતું જે ભગવાનના ડાબા પગના અંગૂઠામાં વાગ્યું હતું. પારધીને જ્યારે આ ગંભીર ભૂલનો ખ્યાલ આવ્યો ત્યાર તેણે દોડીને પ્રભુની ક્ષમા માગી હતી. કૃષ્ણ ભગવાને સ્મિતસભર ચહેરે પારધીને ક્ષમા આપી હતી. થોડીવાર બાદ લોહીલુહાણ પગે ચાલીને નજીકમાં જ આવેલા ત્રિવેણીસંગમથી થોડે આગળ જઈને શ્રીકૃષ્ણ ભગવાને શરીરનો ત્યાગ કર્યો હતો. તે ભૂમિ દેહોત્સર્ગ તરીકે પ્રખ્યાત છે.' 'ઓહ… તો ભાલકાતીર્થ એ જગ્યા છે. જ્યાં ભગવાનને તીર વાગ્યું હતું. બરોબરને તાન્યા?' 'હા.. સત્ત્વ.' ડ્રાઇવરે ટેક્સી પાર્ક કરી. તાન્યા અને સત્ત્વ મંદિરમાં પરિસરમાં પ્રવેશ્યાં. કૃષ્ણ ભગવાનની દિવ્ય મૂર્તિ અને તેમના પગ પાસે બંને હાથ જોડીને ક્ષમાની પ્રાર્થના કરતી પારધીની અદ્ભુત પ્રતિમાને જોઈને સત્ત્વ અભિભૂત થઈ ગયો. બીજે જ દિવસે સત્ત્વના વડીલો રાજકોટથી વેરાવળ આવી પહોંચ્યા. સત્ત્વનાં માતાપિતાનાં અવસાન બાદ તેના વડીલોમાં બે કાકા અને એક મામા હતા. તેમનો આખો પરિવાર આવ્યો હતો. તાન્યાની ઘરે જ ગોળધાણા ખાવામાં આવ્યા. તાન્યા અને સત્ત્વને જ્યારે એકાન્ત મળ્યું ત્યારે સત્ત્વએ તાન્યાને સુમન વિશે પૂછ્યું. 'સત્ત્વ, તે મારી બાળપણની ખાસ સહેલી છે.' 'તાન્યા, મારો જિગરીદોસ્ત પ્રકાશ હજુ કાચોકુંવારો જ છે. વળી, મને ખબર છે કે તેને આવી જિન્સ, ટીશર્ટ અને બોબ્ડ હેરવાળી મૉડર્ન છોકરીઓ જ ગમે છે. જો સુમનને લંડન જવામાં વાંધો ન હોય તો બંનેનું ચોકઠું ગોઠવી શકાય.' 'સત્ત્વ, સુમનમાં કાંઈ જ કહેવાપણુ નથી. તેના ફેમિલીમાં તેની મમ્મી જશોદાબહેન એક જ છે.' 'કેમ તેના પપ્પા નથી?' 'તેનાં પપ્પા-મમ્મીના ડિવોર્સ થયા છે. જશોદાબહેન અહીંની હૉસ્પિટલમાં નર્સ છે.' 'તાન્યા, પ્રકાશને તેનો વાંધો નહીં પડે, કારણ કે તે ખૂબ જ બ્રોડ માઇન્ડેડ છે. લંડનમાં તેમનો કરોડોનો કારોબાર છે. મુંબઈમાં પણ તેમની બિઝનેસ ઑફિસ છે.' 'સત્ત્વ, તું પ્રકાશને પૂછી જોજે. હું સુમનને પૂછી જોઈશ.' 'ઓ. કે.' સત્ત્વને પંદર દિવસ બાદ શિકાગો પરત જવાનું હતું તેથી દસ દિવસ બાદ ઘડિયાલગ્ન લેવાયાં હતાં. મહેમાનોને ઘરની બહાર કૈલાસરાય વળાવવા આવ્યા ત્યારે તેમણે સત્ત્વને પૂછ્યું, 'હવે તમે ક્યારે અહીં આવશો?' 'પપ્પા, હવે તો હું રાજકોટથી વૉલ્વોમાં મારી જાન લઈને જ આવીશ.' સૌ કોઈ હસી પડ્યા હતાં. બીજે દિવસે રાજકોટથી સત્ત્વએ લંડન ફોન જોડ્યો હતો. 'હાય, પ્રકાશ.' 'સત્ત્વ, તને કોન્ગ્રેચ્યુલેશન્સ, તારી રિંગ સેરેમનીના ફોટા મેં સેલફોનમાં જોયા. તાન્યા પણ ખૂબ જ સુંદર દેખાય છે.' 'સાલા, તાન્યા ભાભી કહેવાનું.' 'ઓ. કે. ભાઈ, તાન્યા ભાભી બસ?' 'પ્રકાશ, તારા માટે પણ એક સુંદર છોકરી જોઈ રાખી છે. તને ગમે તેવી જ છે. બોબ્ડ હેર અને જિન્સ ટીશર્ટવાળી.' 'અરે વાહ… શું નામ છે તેનું?' 'સુમન.' 'વાહ, નામ તો સરસ છે. સુમન ડાર્લિંગ.' પ્રકાશે મજાકના સૂરમાં કહ્યું. 'સાલા, જોયા પહેલાં જ ડાર્લિંગ કહી દેવાનું?' સત્ત્વ, તું તો જાણે જ છે ને આ બાબતમાં હું બહુ ઉદાર છું. બીજું કે તમારા ફોટામાં ભાભીની બાજુમાં તે ઊભી જ છે મેં ઝૂમ કરીને તેનો ફોટો જોયો જ હતો. 'પણ તને કેવી રીતે ખબર પડી કે અત્યારે હું તેની જ વાત કરી રહ્યો છું.' 'અરે ભાઈ, હમણા તો તું બોલ્યો કે બોબ્ડ હેર અને જિન્સ ટીશર્ટવાળી.' ફોનના સામા છેડે સત્ત્વ ખડખડાટ હસી પડ્યો. 'પ્રકાશ સાંભળ, તે મિડલક્લાસમાંથી આવે છે.' 'દોસ્ત, તું મારા વિચારો જાણે જ છે ને? વળી અમારા જેવા ગર્ભશ્રીમંત કુટુંબની છોકરી હોય, પણ સ્વભાવની રાશી હોય તો શું કરવાની?' 'પ્રકાશ, બીજી પણ એક વાત છે. તેના મમ્મીપપ્પાના ડિવોર્સ થઈ ગયા છે.' 'સત્ત્વ એ તેમની પર્સનલ લાઈફ છે. મને તો માત્ર સુમનમાં જ રસ છે.' 'ઓ. કે. દોસ્ત, દસ તારીખે મારાં લગ્ન છે. તું બને તેટલો વહેલો ઇન્ડિયા આવી જા તો સારું.' 'હા… સત્ત્વ, હું ઍર-ટિકિટની વ્યવસ્થા થાય એટલે તને કૉલબૅક કરું છું.' ફોન મૂકીને સત્ત્વએ તાન્યાને મેસેજથી જાણ પણ કરી દીધી. હવે માત્ર સુમન હા પાડે તો બંનેનું ગોઠવાઈ પણ જાય, કારણ કે પ્રકાશને તો સુમન ફોટામાં જ ગમી ગઈ હતી. રાત્રે તાન્યાને ઊંઘ ન્હોતી આવતી, સુમન જશોદાબહેન સાથે કોઈક પ્રસંગમાં જૂનાગઢ ગઈ હતી. કાલે સવારે આવે એટલે રૃબરૃમાં જ વાત કરવાનું તેણે મનોમન નક્કી કરી લીધું. રાત્રે માંડ માંડ આંખ મળી ત્યારે તાન્યાને સ્વપ્નમાં સત્ત્વ દેખાયો. 'હાય, તાન્યા.' સત્ત્વએ તેની લાક્ષણિક અદામાં જમણો હાથ હલાવ્યો. 'સત્ત્વ, તું અહીં પણ આવી ગયો?' 'સપનાનો રાજકુમાર તો સપનામાં જ આવે ને?' 'સપનાના રાજકુમારનો સફેદ ઘોડો ક્યાં છે?' તાન્યાએ મજાક કરી. ઘોડો તને પરણવા આવીશ ત્યારે હશે. અત્યારે તો તને માત્ર મળવા જ આવ્યો છું. સત્ત્વ તાન્યાની નજીક સરક્યો. સત્ત્વએ કરેલા મોંઘા સ્પ્રેની સુવાસથી તાન્યાનો બેડરૃમ જાણે કે છલકાઈ ગયો હતો. તાન્યા પણ ક્યાંય સુધી સત્ત્વની નિકટતા માણતી રહી. અચાનક તાન્યાને લાગ્યું કે તેના શરીર પર કોઈનો પ્રેમથી હાથ ફરી રહ્યો છે. તાન્યાએ તે હાથને આગળ વધતો રોકીને પકડી લીધો. 'અરે સુમન તું? ક્યારે આવી?' તાન્યા, ઝબકીને જાગી ગઈ હતી. 'મેડમ, આઠ વાગી ગયા છે. આન્ટીએ જ તને ઉઠાડવા માટે ઉપર મોકલી ..- પણ' 'તું તો ઊંઘમાં પણ સત્ત્વના નામની માળા જપતી હતી.' તાન્યા શરમાઈ ગઈ. તેનો ગોરો ચહેરો શરમથી લાલ થઈ ગયો. 'ચાલ ઊભી થા, ફ્રેશ થઈ જા.' સુમને તાન્યાને આદેશના સૂરમાં કહ્યું. 'સુમન, પહેલાં ખૂબ જ અગત્યની વાત કહી દઉં. લંડનમાં સત્ત્વનો ખાસ મિત્ર પ્રકાશ છે. તેને તારો ફોટો ખૂબ પસંદ પડી ગયો છે. જો તું લંડન જવા તૈયાર હોય તો તારું ત્યાં નક્કી થઈ શકે તેમ છે.' 'તાન્યા, તું તો જાણે જ છે કે પપ્પા સાથે મમ્મીના ડિવોર્સને કારણે હું લગ્ન કરવાનું જોખમ ઉઠાવવા માગતી જ નથી.' 'સુમન, એ તો હું તારી પાસે વર્ષોથી સાંભળતી આવી છું. એકવાર તું પ્રકાશને મળીશ એટલે તારો વિચાર બદલાઈ જશે.' 'ના… તાન્યા. મારું લગ્ન ન કરવાનું કારણ માત્ર મમ્મીપપ્પાના ડિવોર્સનું એક જ કારણ નથી.' 'તો બીજું શું કારણ હોઈ શકે?' 'તાન્યા, મને પુરુષો પ્રત્યે આકર્ષણ જ નથી થતું. છેલ્લા ઘણા સમયથી મારાં મનમાં એવો જ ભાવ જાગે છે, જાણે કે હું પુરુષ જ છું. બસ, એમ સમજને કે મારાં આ સ્ત્રીના શરીરમાં પુરુષનો આત્મા તરફડી રહ્યો છે.' 'મારાં સ્ત્રીના શરીરમાં પુરુષનો આત્મા તરફડી રહ્યો છે.' બોલતી વખતે સુમનના ચહેરા પર વેદના હતી અને આંખમાં આંસુ. બે ઘડી માટે તો તાન્યા વિચારમાં પડી ગઈ. તેણે સુમનને સમજાવવાના ઇરાદાથી કહ્યું 'સુમન, સ્ત્રીનો તો અવતાર જ પુરુષનું ઘર માંડવા માટે થયો હોય છે. વળી, તારી જે ફિલિંગ્સની તું વાત કરે છે તે તારી ભ્રમણા પણ હોઈ શકે, સત્ત્વના કહેવા પ્રમાણે પ્રકાશ તો ગર્ભશ્રીમંત છે. લંડનમાં તેનો કરોડોનો કારોબાર છે. તું રાણી વિક્ટોરિયા બનીને રાજ કરીશ રાજ. ' 'તાન્યા, એ વાત તો સવારે મને મમ્મીએ પણ કરી.' 'હા… રાત્રે જ મમ્મીએ તેમને ફોન કર્યો હતો.' તાન્યા બોલી, બંને બહેનપણીઓ વાત કરતી હતી ત્યાં જ તાન્યાનાં મમ્મી ચંદ્રિકાબહેન ઉપર આવ્યાં. 'સુમન, તારું તો ભાગ્ય ખુલી રહ્યું હોય તેવું લાગે છે. સોમનાથ દાદાની કૃપા વગર આવો વર અને ઘર…' 'આન્ટી, તમે તો એવી રીતે વાત કરો છો જાણે લગ્ન નક્કી થઈ ગયાં હોય.' 'સુમન, લગ્ન તો નક્કી થઈ જ જશે. તારી મા જશોદાબહેનની તપસ્યાની હું સાક્ષી છું. પતિથી વિખૂટા પડીને દીકરીને મોટી કરવી એ કાંઈ ખાવાના ખેલ નથી. બિચારીએ ખૂબ સંઘર્ષ કર્યો છે. તેને હૉસ્પિટલમાં નાઈટ ડ્યુટી આવે ત્યારે કાયમ તને અહીં અમારા ઘરે જ મૂકી જતી.' ચંદ્રિકાબહેન લાગણીશીલ બનીને જૂના દિવસો યાદ કરી રહ્યા હતાં. બોલતાં બોલતાં તેમની આંખમાં ભીનાશ આવી ગઈ હતી. સુમન પણ સમજતી હતી કે તાન્યા અને તેના પરિવારે મમ્મીને ખૂબ મદદ કરી હતી. સુમન ઘરે આવી ત્યારે જશોદાબહેન તેની જ રાહ જોઈ રહ્યાં હતાં. 'સુમન, તારાં પર તો સોમનાથ દાદાની કૃપા જ ઊતરી કહેવાય, બાકી સમાજમાં ક્યાં આપણુ સ્થાન અને ક્યાં એ લોકોનું? મને તો ખૂબ જ બીક હતી કે મારાં ડિવોર્સના છાંટા મારી દીકરીની વાત ચાલશે ત્યારે ન ઊડે તો સારું. ચંદ્રિકાએ ફોનમાં મને ચોખ્ખું કહ્યું કે પ્રકાશને તેનો બિલકુલ વાંધો નથી.' 'મમ્મી, હું સાત સમંદર પાર જતી રહું તે તને ગમશે?' 'બેટા, દીકરીનો તો જન્મ જ માબાપનું ઘર છોડવા માટે થયો હોય છે.' 'મમ્મી, પણ લંડન તો ખૂબ દૂર કહેવાય.' 'તો તેમાં શું થયું? કૈલાસરાય અને ચંદ્રિકાબહેન તેમની એકની એક તાન્યાને અમેરિકા મોકલવાના જ છે ને?' સુમન મૂંઝાઈ ગઈ. હવે આગળ શું વાત કરવી તે જ તેને સમજાતું ન્હોતું. છ દિવસ બાદ પ્રકાશ સુમનને જોવા માટે આવી પહોંચ્યો હતો. મીંઢળ બંધાઈ ગયું હોવાથી સત્ત્વ તેની સાથે ન્હોતો આવી શક્યો. તાન્યાનાં લગ્નની તૈયારીની ધમાલમાં અતિ વ્યસ્ત હોવા છતાં કૈલાસરાય અને ચંદ્રિકાબહેન પણ સુમનના ઘરે આવી પહોંચ્યાં હતાં. સુમન અને પ્રકાશ વચ્ચેનો મુખ્ય સેતુ તાન્યા બની ગઈ હતી. પ્રકાશ પણ તાન્યાને ભાભી ભાભી કહીને તાન્યાનો આત્મીય દેવર થઈ ગયો હતો. તાન્યાની ગોઠવણ પ્રમાણે જ ચા નાસ્તા બાદ સુમન અને પ્રકાશને વધારે સારું એકાન્ત મળે તે માટે તે બંનેનું બીરલા મંદિર જવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સવારનો સમય હોવાથી બીરલા મંદિરમાં માણસોની બિલકુલ અવરજવર ન્હોતી. દર્શન કરીને પ્રકાશ અને સુમન નજીકમાં જ વ્યવસ્થિત રીતે લેન્ડસ્ક્રેપ કરેલી લોન પાસેના બાંકડા પર બેઠાં. 'સુમન, મારે તને કાંઈ જ નથી પૂછવાનું, તેનાં બે કારણો છે.' 'કયાં કયાં?' 'એક તો તાન્યા ભાભી સાથે તું મોટી થઈ છો અને તાન્યા ભાભી સત્ત્વની પસંદગી છે. બીજું, તારા ઘરે એક કલાક આપણે બધાં બેઠાં તેમાં મને જે સંસ્કારી વાતાવરણનો અહેસાસ થયો છે તેવા અહેસાસ મને ધનવાન છોકરીઓના ઘરમાં ક્યારેય નથી થયો.' 'ઓહ તો તમે તો ઘણી છોકરીઓ જોઈ લાગે છે.' 'બિઝનેસ ટાયકુન છું. તેથી ઘણા સમયથી માગાં આવવાનાં ચાલુ થઈ ગયાં છે. પાંચેક છોકરીઓ ઇન્ડિયામાં જ જોઈ છે, પણ સાચું કહું સુમન, ક્યાંક મને તે છોકરીની આંખમાં વિદેશમાં વસવાનો મોહ દેખાયો છે તો ક્યાંક કોઈ છોકરીને મારા પૈસામાં રસ દેખાયો છે.'
અંધેરી પૂલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા મહિલા અસ્મિતા કાટકરનું નિધન | chitralekha Home News Mumbai અંધેરી પૂલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા મહિલા અસ્મિતા કાટકરનું નિધન મુંબઈ – ગઈ 3 જુલાઈએ સવારે લગભગ 7.30 વાગ્યાના સુમારે અંધેરીમાં સ્ટેશનની નજીક આવેલા ગોખલે ઓવરબ્રિજનો પગદંડીનો ભાગ તૂટી પડતાં ઘાયલ થયેલા મહિલા અસ્મિતા કાટકરનું આજે સાંજે અહીં કૂપર હોસ્પિટલ ખાતે નિધન થયું છે. તે 36 વર્ષનાં હતાં અને ઘરકામ કરતાં હતાં. અસ્મિતા કાટકર એ સવારે એમનાં 6-વર્ષનાં પુત્રને રોજની જેેેમ સ્કૂલમાં મૂકીનેે ઘેેેર પાછાંં ફરતી વખતે પૂલની પગદંડી પરથી ચાલતા જતાં હતાં ત્યારે અચાનક એ ભાગ નીચે ધસી પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલાં અસ્મિતાને અગ્નિશામક દળ તથા એનડીઆરએફની ટૂકડીના જવાનોએ કાટમાળમાંથી બહાર કાઢ્યાં હતાં અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા જ દિવસથી એમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા. 15 ડોક્ટરોએ મળીને એમની પર 14 કલાકની શસ્ત્રક્રિયા કરી હતી, પરંતુ કમનસીબે એમને બચાવી ન શક્યા. અસ્મિતા કાટકરે આજે સાંજે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.
વાળને ભરાવદાર, શાઈની અને ઘટ્ટ બનાવવા છે, ઘરે જ કરી લો આ ઉપાયો, નહીં કરવો પડે પાર્લરનો ખર્ચ | 10 Home tips to prevent hair fall in 10 rupees per week ઘરેલૂ ઉપાય / વાળને ભરાવદાર, શાઈની અને ઘટ્ટ બનાવવા છે, ઘરે જ કરો આ ઉપાયો, નહીં કરવો પડે પાર્લરનો ખર્ચ Team VTV 02:57 PM, 02 Feb 20 | Updated: 03:08 PM, 02 Feb 20 કેટલાક ફૂડમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જેને વાળમાં લગાવવાથી હેર ફોલની સમસ્યા દૂર થાય છે. ફૂડનું આ કોમ્બિનેશન વાળના મૂળને મજબૂત કરે છે તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. અહીં આપવામાં આવેલા ઘરેલૂ ઉપાયો તમે અઠવાડિયે એક વાર યૂઝ કરી લો તો તમારે ફક્ત 10 રૂપિયાથી વધારે ખર્ચ કરવાનો રહેશે નહીં.